વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: સપ્ટેમ્બર 2012

( 98 ) ડો.કનક રાવળે મોકલેલ બે સુંદર લેખો (1)What is Hinduism..અને.. (2)માણસાઈના દીવા પ્રગટ્યા(પ્રસંગ કથા)

આજની પોસ્ટમાં મારા સહૃદયી મિત્ર ડો.કનકભાઈ રાવળે પ્રેમપૂર્વક “ વિનોદ વિહાર માટે “ ઈ-મેલથી મોકલી આપેલ એક મનનીય અંગ્રેજી લેખ-What is Hinhuism અને એક ગુજરાતી લેખ“માણસાઈના દીવા પ્રગટ્યા (પ્રસંગ કથા) એમના આભાર સાથે મુકેલ છે. 

Late Ravishankar M.Raval

ડો.કનક રાવળ એ “કુમાર”માસિક શરુ કરનાર ર.મ.રા.તરીકે જાણીતા, કલાગુરુ સ્વ.રવિશંકર રાવળના સુપુત્ર છે. 

એમના પિતાશ્રીએ ૧૯૨૪માં શરુ કરેલ આ માસિક ૮૮ વર્ષો પછી આજે પણ નવું સ્વરૂપ લઈને ચાલી રહ્યું છે એ ગુજરાતી સાહિત્ય જગતનું એક મોટું આશ્ચર્ય અને વિક્રમ છે. 

ર.મ.રા. વિષે અને એમની અનેક સુંદર કલાકૃતિઓ અને અન્ય પુષ્કળ જાણવા જેવી સાહિત્યિક માહિતી મેળવવા માટે ડો.રાવળ પિતાશ્રીની આ વેબ સાઈટ-  http://ravishankarmraval.org/ ની મુલાકાત અવશ્ય લેવા જેવી છે.     

Dr. Kanak R.Raval

    ડો.કનક રાવળનો પરિચય.

ડો.રાવળનો જન્મ અમદાવાદમાં ૧૯૩૦માં થયો હતો.તેઓએ નિવાસ અને અભ્યાસ કર્યો અમદાવાદમાં, પરંતુ એમનું મૂળ વતન તો હતું ભાવનગર. 

ડો.કનક રાવળ  હાલ પોર્ટલેન્ડ, ઓરેગન,યુ.એસ.એ.માં ,એમનાં ધર્મપત્ની ભારતીબેન સાથે એમની ૮૨ વર્ષની વયે જિંદગીનો સુવર્ણ કાળ આનંદથી વિતાવી રહ્યાં છે.એમના ત્રણ પુત્રો પણ અહીં સહકુટુંબ સારી રીતે સ્થાયી થયેલ છે. 

ડો.રાવળ સૌ પ્રથમ ૧૯૫૨માં સ્ટીમરની લાંબી મુસાફરી કરીને અમેરિકા આવ્યા હતા.અહીં ફાર્મસીમાં એમ.એસ.અને પી.એચ.ડી.ની ડીગ્રી મેળવીને સ્વદેશ પરત થઇ વડોદરામાં સારાભાઇ કેમિકલ્સમાં પ્રોડક્શન એક્ષિક્યુટીવ તરીકે  જોબ શરુ કરી.ત્યારબાદ ૧૯૬૬માં ફરી કુટુંબ સાથે અમેરિકા આવ્યા, ત્યારથી અહીંના નિવાસી છે.   

ડો.કનક રાવળનો વિસ્તારથી પરિચય સ્પીક બિન્દાસ સાથેના એમના આ ઇન્ટરવ્યું ઉપરથી મળી શકશે. 

INTERVIEW OF Dr. KANAK RAVAL WITH SPEAKBINDAS

આ ઇન્ટરવ્યુંમાં એમના જીવનની ઘણી રસિક વિગતો એમણે રજુ કરી છે.આ ઇન્ટરવ્યુંમાં એમના જીવનની ફિલસુફી વિષે તેઓ જણાવે છે :

“ Yes, I do enjoy life. Best way of doing it is to live in the moment. I have accepted the dictum-‘Yesterday was History, tomorrow is a Mistery but today is a God’s Gift.” 

Only part the past plays, is being your teacher if you care to look back.”

ઝવેરચંદ મેઘાણી વિષે ડો.કનક રાવળનો એક સુંદર લેખ.

ડો.રાવળના પિતાશ્રી રવિશંકરભાઈ અને મેઘાણીભાઈ વચ્ચે આજીવન એક સગા ભાઈ જેવો સંબંધ હતો.એમના અમદાવાદના નિવાસ સ્થાન ચિત્રકુટમાં એક મહિનો રહીને કલમના કારીગર મેઘાણીએ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલ પૂજ્ય રવિશંકર મહારાજ સાથે ગોષ્ટિ યોજીને કેવી રીતે એમનું એમને કીર્તિ અપાવનાર પુસ્તક “માણસાઈના દીવા”નું પ્રકાશન કર્યું હતું એનો આબેહુબ રસિક ચિતાર ડો.કનકભાઈ એ ઓગસ્ટ ૨૦૦૭ના કુમાર માસિકમાં પ્રગટ થયેલ એમના લેખ “માણસાઈના દીવા પ્રગટ્યા (પ્રસંગ કથા)માં આપ્યો છે. 

આ અગાઉની મારી પોસ્ટ નબર-“(97)રાષ્ટ્રીય શાયર સ્વ.ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી જન્મ જયંતીએ એક સ્મરણાંજલિ” વાંચીને કનકભાઈએ આ લેખ મને ઈ-મેલમાં મોકલી આપ્યો છે. 

આ રહ્યો એમનો આ સુંદર લેખ-

માણસાઈના દીવા પ્રગટ્યા (પ્રસંગ કથા)

વિનોદ વિહાર માટે બે સરસ લેખો-એક અંગ્રેજી અને એક ગુજરાતીમાં-મોકલી આપવા માટે ડો. કનકભાઈનો હું અત્યંત આભારી છું.  

વિનોદ આર. પટેલ, સાન ડિયેગો

__________________________________________________________

What is Hinduism

The beauty of being a Hindu lies in your freedom to be who you want to be. Nobody can tell you what to do, or what not to do. There is no central authority, no single leader of the faith. No one can pass an order to excommunicate you, or like in some countries, pass a decree that orders your death by stoning for walking with a strange man.

We don’t appreciate our freedom because we can’t feel the plight of others who aren’t free. Many religions have a central authority with awesome power over the individual. They have a clear chain of command, from the lowliest local priest to the highest central leader. Hinduism somehow escaped from such central authority and the Hindu has miraculously managed to hold on to his freedom through the ages. How did this happen?

Vedanta is the answer. When the writers of Vedanta emerged, around 1500 BC, they faced an organised religion of orthodox Hinduism. This was the post Vedic age, where ritualism was practiced, and the masses had no choice but to follow. It was a coercive atmosphere. The writers of Vedanta rebelled against this authority and moved away from society into forests.

This was how the ‘Aranyakas’ were written, literally meaning ‘writings from the forest’. These later paved the way for the Upanishads and Vedanta eventually caught the imagination of the masses. It emerged triumphant, bearing with it the clear voice of personal freedom.

This democracy of religious thought, so intrinsic to Vedantic intelligence, sank into the mindset of every Indian. Most couldn’t fathom the deep wisdom it contained, but this much was very clear. They understood that faith was an expression of personal freedom and one could believe at will. That’s why Hinduism saw an explosion of Gods. There was a God for every need and every creed. If you wanted to build your muscles, you worshiped a God with fabulous muscles. If you wanted to pursue education, there was a Goddess of Learning. If it was wealth you were looking for, then you looked up to the Goddess of wealth — with gold coins coming out of her hands. If you wanted to live happily as a family, you worshiped Gods who specially blessed families. When you grew old and faced oncoming death, you spent time in contemplating a God whose business it was to dissolve everything — from an individual to the entire Universe.

Everywhere, divinity appeared in the manner and form you wanted it to appear, and when its use was over, you quietly discarded that form of divinity and looked at new forms of the divine that was currently of use to you.

‘Yad Bhavam, tad Bhavati’… what you choose to believe becomes your personal truth, and freedom to believe is always more important than belief itself.

Behind all this — was the silent Vedantic wisdom that Gods are but figments of human imagination. As the Kena Upanishad says, “Brahma ha devebhyo vijigye…” — All Gods are mere subjects of the Self. It implies that it is far better that God serves Man than Men serve God. Because Men never really serve God — they only obey the dictates of a religious head who speaks for that God, who can turn them into slaves in God’s name.

Hindus have therefore never tried to convert anyone. Never waged war in the name of religion. The average Hindu happily makes Gods serve him as per his needs. He discards Gods when he has no use for them. And new Gods emerge all the time — in response to market needs. In this tumult, no central authority could survive. No single prophet could emerge and hold sway, no chain of command could be established.

Vedanta had injected an organised chaos into Hinduism and that’s the way it has been from the last thirty five centuries. Vedanta is also responsible, by default, for sustaining democracy. When the British left India, it was assumed that the nation would soon break up. Nothing of that kind has happened. The pundits of doom forgot that the Indian had been used to religious freedom from thousands of years. When he got political freedom, he grabbed it naturally. After all, when you can discard Gods why can’t you discard leaders? Leaders, like Gods, are completely expendable to the Indian mindset. They are tolerated as long as they serve the people, and are replaced when needs change. It’s the triumph of people over their leaders, and in this tumult, no dictator can ever take over and rule us.

Strange how the thoughts of a few men living in forests, thirty five centuries ago, can still echo inside the hearts of Indians.

(Thanks to Dr. Kanak Raval for sending this article–

Author Unknown)  

Visit my father Kalaguru Ravishankar Raval’s web site:— Dr. Kanak Raval :

http://ravishankarmraval.org/

Kalaguru Ravishankar Raval

               (કલા ગુરુ રવિશંકર રાવળ –ફોટો સૌજન્ય- ડો. કનક આર. રાવળ  – કોપી રાઈટ ફોટો )

( 97 ) રાષ્ટ્રીય શાયર સ્વ.ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી જન્મ જયંતીએ એક સ્મરણાંજલિ

Zaverchand Meghani-Painting- Artist Late Ravishankar Raval-1947

આપણી ગરવી ગુજરાતી ભાષાના સમર્થ કવિ, લોક લાડીલા લોક-સાહિત્યકાર અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ  જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું એવા શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી જન્મ જયંતીની ઉજવણી ઓગસ્ટ માસમાં અનેક સંસ્થાઓ દ્વારા કરીને એમને અંજલી આપવામાં આવી.

૧૭મી ઓગસ્ટ,૧૮૯૭માં,ચોટીલા ,જી.સુરેન્દ્રનગરમાં એક સામાન્ય કુટુંબમાં જન્મેલ શ્રી મેઘાણીએ તા.૯મી માર્ચ,૧૯૪૭ના રોજ એમની ફક્ત ૫૦ વર્ષની ઉમરે હૃદય રોગના હુમલામાં બોટાદ,(જીલ્લો ભાવનગર) ખાતે એમનો પાર્થિવ દેહ છોડ્યો હતો.

ફક્ત ૫૦ વર્ષના ટૂંકા આયુષ્યમાં એમણે ઉદાહરણીય કર્મશીલ જીવન જીવી બતાવીને જે મબલખ અને અમુલ્ય

સાહિત્યનું સર્જન કર્યું એ એક અજાયબી પમાડે એવો ઇતિહાસ છે.

સ્વ.મેઘાણી એક લોકપ્રિય કવિ હોવા ઉપરાંત,સારા પત્રકાર,વાર્તાકાર,નવલકથાકાર,સ્વંત્રતા

સેનાની,લોક સાહિત્યકાર વગેરે અનેક ક્ષેત્રોમાં એમણે એમની પ્રતિભાનાં  દર્શન કરાવ્યાં હતાં.

શ્રી મેઘાણી અને એમના સર્જનનો  સવિસ્તર પરિચય

વિકિપીડિયાની આ લીંક ઉપર  જઈને મેળવો.

મેઘાણી એક સમર્થ લોક સાહિત્યકાર  

હું હાઈસ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારે ઝવેરચંદ મેઘાણી મારા એક પ્રિય લેખક હતા.લાઈબ્રેરીમાંથી સૌ પ્રથમ  એમની સૌરાષ્ટ્રની રસધારની વાર્તા શ્રેણીના બધા જ ભાગ લાવીને મેં રસથી વાંચી નાખેલા.એક ગામડામાંથી શહેરમાં અભ્યાસ કરવા આવેલો હું વિદ્યાર્થી હતો એટલે  એમની વાર્તાઓનું ગામઠી વસ્તુ અને વર્ણન મને બહું ગમતું.આ વાર્તાઓમાંથી  પ્રેરણા પામી મેં થોડી આ પ્રકારની વાર્તાઓ લખવા માટે હાથ પણ અજમાવેલો  એ અત્રે યાદ આવે છે.

આજની પોસ્ટમાં મેઘાણીના લોક પ્રિય પુસ્તક સૌરાષ્ટ્રની  રસધાર ભાગ-૧ માંથી  સૌને  ગમે એવી એક વાર્તા-આનું

નામ  તે ધણી-નો વાચકોને  મેઘાણી સાહિત્યનો સાસ્વાદ  કરાવવા માટે મુકેલ છે.મને આશા છે આપને એ ગમશે.

સંકલન- વિનોદ આર. પટેલ ,સાન ડિયેગો.

___________________________________________

આનું નામ તે ધણી – (વાર્તા )  સ્વ.ઝવેરચંદ મેઘાણી

દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા હતા. તેમાં મોતી જેવા દાણા ભૉં માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા.

શિયાળાની તડકીમાં ચળકતો, મૂઠી ફાટે તેવો બાજરો ખળમાં પડ્યો છે. જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે. લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોર એને પાપનો મનસૂબો ઊપડ્યો છે. એ વિચાર કરે છે કે ‘ઓહોહો ! મહેનત કરી-કરીને તૂટી ગયા મારા ભાઈયું : આ બાજરો પાક્યો અમારે પરસેવે : અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે !’ વળી થોડીક વાર થંભી ગયા, બાજરા સામે ટાંપી રહ્યા. ફરી વાર પેટમાંથી કૂડ બોલ્યું : ‘રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘરભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રે’શે, રાજભાગમાં નહિ તણાઈ જાય.’

અરધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા. સાથી ગાડું હાંકતો હતો; પોતે ગાડાની આગળ ચાલતા હતા; અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા.

ગામનાં પાદર ઢૂકડાં આવતાં હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ; અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું. જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળી મહેનત તો કરી. પણ ગાડું ઊંચું થયું નહિ. ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલવવા જાય તો છતરાયું થઈ જાય; તેમ પાછળ ખળું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહિ. આમ જગા પટેલને સાપે છછુંદર ગળ્યા જેવું થયું. સવાર પડશે – અજવાળું થશે – તો ફજેતો થશે, એવી બીકમાં હાંફળાફાંફળા થતા જગો પટેલ કોઈ વટેમાર્ગુની વાટ જોવા માંડ્યા. એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર – જેની ચોરી હતી તે – ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશિયો લઈ નીકળ્યા. ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું. ફક્ત દરબારની આંખો જ બહાર તગતગતી હતી.

જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે, ગરજવાનને અક્કલ ન હોય એ હિસાબે, દરબારને કોઈ વટેમાર્ગુ ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહિ પડે કે હું બાજરો છાનોમાનો લઈ જાઉં છું. એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે ‘એ જુવાન ! જરાક આ ગાડું સમું કરાવતો જા ને.’
અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ; એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા; પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા. દરબાર સમજી ગયા કે ‘મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનુંમાનું ગાડું ભરી લઈ જાય છે.’ પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોંઠો પડશે – શરમાશે. માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું, એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાંકી ગયા.

‘હશે ! હોય ! બિચારા રાતદિવસ ટાઢતડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તોયે શું થઈ ગયું ! એ પણ આપણી વસ્તી છે ને !’ આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા.

આ વાત બન્યા ને આશરે છ એક માસ થયા હશે. દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓસાણ પણ નથી. એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા-ગોદડાં લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે હા-ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈ કડવું વચન કીધું. એટલે પટેલને રીસ ચડી. પોતે બોલ્યા કે ‘મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી.’

હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ‘ત્યારે શીદને પડ્યો છો ? તને ક્યાંય બીજે મળતું નથી ? હાલ્યો જા ને !’

એટલે જગા પટેલ ને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી. પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે, ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચાં, રાચરચીલું અને ઢોરઢાંખર લઈ ગાડાં ભરી ડેલી પાસેથી નીકળ્યા. ગામનાં માણસો એમને વારવા-મનાવવા મંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી, એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઊતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખિજાઈને કહ્યું કે ‘દરબાર ! અમારી વહુઓ આણામાં બે સારાં ગોદડાં લાવી હોય છે તેય અમે વેઠે કાઢી દઈએ, અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ, તોય તમારો ત્રણ દોકડાનો અમને હડબડાવે ! ફફડાવે ! એ અમને નથી પરવડતું.’

દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી, અને પટેલને કહ્યું કે ‘બાપ ! તમે મારાં સોનાનાં ઝાડવાં છો. માફ કરો અને પાછા વળો.’

પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહિ. એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે ‘પટલ ! જાવ તો ભલે જાવ; પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતિયું વળાવે, તેવો ધણી ગોતજો, હો !’

આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ આંહીં પટેલના હાડોહાડમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કાંઈ બોલાયું નહિ. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે ‘આનું નામ તે ધણી ! જે ધણીની મેં ચોરી કરી હતી, તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ એ વાતમાંયે હું ભોંઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહિ ! અરે, આવો ધણી મને બીજે ક્યાં મળે ?’ એમ વિચારીને પટેલે ગાડાં ફેરવ્યાં.

(તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને આશરે પોણાસો વર્ષ થયાં હશે.- ઈ.સ. 1923 ની સાલમાં)

[ ‘સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1’ માંથી સાભાર ]

___________________________________________

મેઘાણીનું એક જાણીતું લોકગીત-ચારણ કન્યા

અભિષેક બ્લોગના આભાર સાથે નીચેની લીંક ઉપર આ ગીત વાંચવાનો અને સુંદર સ્વરે ઓડિયો ઉપર સાંભળવાનો

આનંદ લ્યો .આ ગીતમાં સ્વ.મેઘાણીની કવિત્વ પ્રતિભાનાં દર્શન થશે.

ચારણ કન્યા — ઝવેરચંદ મેઘાણી  

અભિષેક બ્લોગ : ચારણકન્યા – ઝવેરચંદ મેઘાણી

___________________________________________

ઝવેરચંદ મેઘાણી વિષે એક સુંદર સચિત્ર વેબ સાઈટ

સ્વ.ઝવેરચંદ મેઘાણીના સમગ્ર જીવનને આવરી લેતી  પુષ્કળ માહિતી અને અનેક તસ્વીરો ,જાણીતા ચિત્ર  કલાકારોએ દોરેલાં એમનાં આબેહુબ ચિત્રો વિગેરે પુષ્કળ દસ્તાવેજી માહિતી આ વેબ સાઈટમાં મુકવામાં આવી છે.વાચકોને એની મુલાકાત લેવા ભલામણ છે.

JHAVERCHAND  MEGHANI 

http://www.jhaverchandmeghani.com/

આ વેબ સાઈટમાં મેઘાણીના દુખદ અવસાન પછી મહાત્મા ગાંધીજીએ એમને જે અંજલિ એ મુકવામાં આવી છે

એને  નીચે વાંચો.

ગાંધીજી ઉપરાંત સરદાર વલ્લભભાઈ ,કાકા કાલેલકર,રવિશંકર મહારાજ,ઉમાશંકર જોશી જેવા અનેક

મહાનુભાવોએ આપેલ અંજલિઓ (Tributes) એમાં સામેલ છે.

કવિ દુલા ભાયા કાગે નીચેનો દોહરો રચી અંજલી આપી હતી.

છ્ન્દાં ગીતાં ને સોરઠાં , સોરઠ સરવાણી,

એટલાં રોયાં રાતે આંસુએ, આજ મરતા મેઘાણી.

______________________________________

આ પોસ્ટને અંતે  સ્વ. ઝવેરચંદ મેઘાણીના સૌને બહુ ગમતા એક ગીતને નીચેના વિડીયોમાં માણીએ 

અને એમને સ્મરણાંજલિ આપીએ.  

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

(96)મહર્ષિ અરવિંદ ઘોષનો એમના પત્ની ઉપરનો એક યાદગાર પત્ર

મહર્ષિ અરવિંદ ઘોષથી કોણ અજાણ હોઈ શકે ?જે દિવસે ભારત આઝાદ થયું એ દિવસે એટલે કે ૧૫મી ઓગસ્ટે જેમનો જન્મ થયો એ અરવિંદ ઘોષે ,ભારતની આઝાદીની લડતમાં શરૂઆતમાં એક ક્રાંતિકારી નેતા તરીકે દેશને માટે મોટો ભોગ આપ્યો.

એક વિવાહિત સ્ત્રી હોવાં છતાં એક અવિવાહિતની જેમ રહી શ્રી અરવિંદને સાથ આપનાર એમનાં પત્ની મૃણાલીની ઘોષનો ત્યાગ પણ શ્રી અરવિંદ કરતાં જરાયે ઓછો ન કહેવાય.શ્રી અરવિંદનું પાછલું  જીવન આધ્યાત્મિક ઊંચાઈ સર કરવામાં વીત્યું હતું.બ્રહ્મર્ષિ .વિનોબા ભાવેએ એમને મહર્ષિ કહ્યા હતા..

શ્રી અરવિંદ વિષે જાણીતા વિચારક અને લેખક શ્રી ગુણવંત શાહે એમના પુસ્તક “ શક્યતાના શિલ્પી શ્રી અરવિંદ “ના આમુખમાં સરસ કહ્યું છે કે —

“શ્રી અરવિંદને હું શક્યતાના શિલ્પી કહું છું,તે એટલા માટે કે આપણી અંદર પડેલી અનંત શક્યતાઓનું દર્શન એમણે આપણી સમક્ષ મુક્યું છે .એમણે આપણને કોઈ નવો ધર્મ ન આપ્યો ,પણ એક નવા માનવનું એટલે કે અતિ માનવનું દર્શન આપ્યું .આપણા આદિ માનવ (પેટ્રીઆર્ક) મનુ  હતા . એ જ રીતે હવે પછીના કોસ્મિક માનવકુળના આદિ પુરુષ એટલે શ્રી અરવિંદ”

આવી અનોખી પ્રતિભાના માલિક મહર્ષિ અરવિંદનો (પૂર્વાશ્રમના શ્રી અરવિંદ ઘોષનો) તેમનાં પત્ની મૃણાલિનીને 1905માં લખાયેલો એક પ્રેરક પત્ર રીડ ગુજરાતી.કોમના આભાર સહીત આજની પોસ્ટમાં મુક્યો છે. આ પત્રની ગહનતા સહેજે સ્પર્શે તેવી છે. આશા છે  વિનોદ વિહારના વાચકો એને માણશે અને શ્રી અરવિંદના જીવનને વધુ જુદી રીતે સમજવામાં મદદરૂપ થશે.

આ પત્રનો અનુવાદ શ્રી રણધીર ઉપાધ્યાયે કર્યો છે.

સંકલન —વિનોદ આર. પટેલ ,સાન ડિયેગો .

_________________________________________________    

Shri Arvind Ghosh with his wife Mrulaanini

    

મહર્ષિ અરવિંદ ઘોષનો એમના પત્ની ઉપરનો એક યાદગાર પત્ર

 

પ્રિયતમા મૃણાલિની,

તમારો 24મી ઑગસ્ટનો પત્ર મળ્યો. તમારાં માતા-પિતા ઉપર ફરી પાછું એ જ દુઃખ આવી પડ્યું છે એ જાણી મને ખેદ થયો છે. ક્યા પુત્રનું અવસાન થયું છે એ તમે લખ્યું નથી. તમારાં માતા-પિતાના જીવનમાં દુઃખનો પ્રસંગ આવી પડ્યો છે, પણ એમાં શું થાય ? આપણે જીવનમાં સુખની શોધમાં નીકળીએ છીએ. એ સુખમાં જ દુઃખ રહેલું દેખાય છે. દુઃખ તો સદા સુખની સાથે જોડાયેલું હોય છે. આ નિયમ માત્ર પુત્ર વિશેની કામનાઓને જ લાગુ પડે છે એવું નથી. જીવનની બધી કામનાઓને એ લાગુ પડે છે. આનો એકમાત્ર ઉપાય છે – ધીર ચિત્તે સઘળાં સુખ અને દુઃખ ભગવાનનાં ચરણોમાં અર્પણ કરી દેવાં.

મેં વીસ રૂપિયાને બદલે દસ રૂપિયા વાંચેલા. એટલે જ મેં એમ લખેલું કે હું દસ રૂપિયા મોકલીશ. પંદરની જરૂર હશે તો પંદર પણ મોકલી શકીશ. આ મહિનામાં સરોજિનીએ તમારા માટે દાર્જિલિંગમાં જે સાડી ખરીદી છે તેના પૈસા મેં તેને મોકલી આપ્યા છે. ત્યાં તમે ઉછીના પૈસા લીધા છે તેની ખબર મને શી રીતે પડે ? જે પંદર રૂપિયા ખર્ચાયા છે તે મોકલ્યા છે. હજી બીજા ત્રણચાર રૂપિયાની જરૂર હશે તો આવતે મહિને મોકલી આપીશ.

હવે હું પેલી વાત ઉપર આવું છું જે મેં તમને અગાઉ કરી હતી. હું માનું છું કે આજ સુધીમાં તમને એ સમજાઈ ગયું હશે કે જે વ્યક્તિના ભાગ્ય સાથે તમારું ભાગ્ય જોડાયું છે તે એક અતિ અસામાન્ય વ્યક્તિ છે. મારાં જે મનોભાવના, જીવન-લક્ષ્ય અને કાર્યક્ષેત્ર છે એ કાંઈ આ દેશમાં અત્યારે સાધારણ લોકોનાં છે તેવાં નથી. હું બધી બાબતોમાં તેમનાથી ભિન્ન અને વિશિષ્ટ છું. સાધારણ લોકો અસાધારણ ભાવના, અસાધારણ પુરુષાર્થ અને અસાધારણ ઉચ્ચ આકાંક્ષાઓ ધરાવનાર વિશે કેવી વાતો કરે છે એ કદાચ તમે જાણતાં હશો. તેમની દષ્ટિએ એ ‘પાગલપણું’ ગણાય. પરંતુ જ્યારે એ પાગલ પોતાના કાર્યમાં સફળતા મેળવે છે ત્યારે લોકો તેને પ્રતિભાસંપન્ન મહાપુરુષ કહે છે. પરંતુ કેટલા માણસોના પ્રયત્નોને સફળતા મળી છે ? હજારોમાં પાંચ-સાત અસાધારણ હોય છે, અને તેમાંથી કદાચ એકાદને જ સફળતા મળે છે. મારા કાર્યક્ષેત્રમાં તો હું હજી પૂરો પ્રવેશેય પામી શક્યો નથી તો સફળતાની તો વાત જ આવતી નથી. તમારે પણ મને પાગલ ગણ્યા વિના છૂટકો નથી. કોઈ પણ સ્ત્રીનું પાગલના પનારે પડવું એ મહાદુર્ભાગ્ય જ ગણાય, કેમ કે સ્ત્રીઓની બધી આશાઓ સાંસારિક સુખ અને દુઃખમાં જ સમાઈ ગયેલી હોય છે. અને પાગલ માણસ પોતાની સ્ત્રીને સુખી કરી શકતો નથી. એ તો એને દુઃખી જ કરે છે.

હિન્દુ ધર્મના સ્થાપકો ‘અસાધારણ’ની વાત સારી રીતે સમજ્યા હતા. એમને અસાધારણ ચારિત્ર્ય, અસાધારણ પુરુષાર્થ, મહાન ભાવનાઓ આ બધું અત્યંત પ્રિય હતું. અસાધારણ વ્યક્તિ પાગલ હોય કે મહાપુરુષ, એ લોકો તેનું બહુમાન કરતા. પરંતુ એના લીધે સ્ત્રીની ભયંકર દુર્દશા થાય છે. આ મુશ્કેલીને કેવી રીતે દૂર કરી શકાય ? ઋષિ-મુનિઓએ તો એનો પણ ઉપાય યોજ્યો છે. તેમણે સ્ત્રીઓને એમ કહ્યું છે કે, તમે એ વાત જાણી લો કે સ્ત્રી જાતિ માટે પરમ મંત્ર એક જ છે : ‘પતિઃ પરમો ગુરુ’ પતિ એ જ પરમ ગુરુ છે. સ્ત્રી પતિની સહધર્મિણી છે. પતિ જે કાર્ય સ્વધર્મ તરીકે સ્વીકારે, સ્ત્રીએ તેમાં સહાયભૂત થવું જોઈએ. માર્ગદર્શન આપવું જોઈએ. ઉત્સાહ પ્રેરવો જોઈએ. સ્ત્રીએ પતિને દેવતુલ્ય ગણવો જોઈએ. એના જ સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ માનવું જોઈએ. કાર્યક્ષેત્રની પસંદગી એ પુરુષનો અધિકાર છે. સહાય અને ઉત્સાહ આપવાં એ સ્ત્રીનો અધિકાર છે.

હવે મુદ્દો એ છે કે તમે હિન્દુ ધર્મે ચીંધેલા આ માર્ગને અપનાવવાનું પસંદ કરશો કે નવા સુધરેલા ધર્મનો માર્ગ અપનાવશો ? એક પાગલની સાથે તમારું લગ્ન થયું છે. એ તમારા પૂર્વજન્મના કર્મદોષોનું ફળ છે. પોતાના ભાગ્યના શરણે થવું અથવા પોતાના ભાગ્યની સાથે સમજૂતી કરી લેવી એ સારી વાત છે. પરંતુ તમે સમજૂતી કરશો કેવી રીતે ? અન્ય લોકોનો અભિપ્રાય માની તમે પણ તમારા પતિને ગાંડો, પાગલ ગણી મનમાંથી હઠાવી લેશો ? દૂર કરશો ? પાગલ માણસ તો એના પાગલપણાના રસ્તે ચાલ્યો જશે. એને ન રોકી શકાશે, ન પાછો વાળી શકાશે, કારણ કે એનો સ્વભાવ તમારા કરતાં વધારે બળવાન છે. ત્યારે તમે ખૂણામાં બેસી રડવા સિવાય બીજું કાંઈ નહીં કરો ? કે તમે પણ પાગલ માણસની પાગલ સ્ત્રી બનીને તેની સાથે જ ચાલશો ? મહાભારતમાં આંધળા રાજાની રાણીને પોતાની આંખે પાટા બાંધીને પોતે પણ અંધાપો ધારણ કર્યો હતો. એ રીતે તમે પણ પાગલ પતિની પાગલ પત્ની બનીને તેની સાથે જવાનું સ્વીકારશો ? તમારામાં બ્રહ્મોસમાજની કેળવણીના સંસ્કાર પડ્યા હોય તોય તમે તો હિન્દુ કુટુંબની કન્યા છો. હિન્દુ પૂર્વજોનું લોહી તમારી નસોમાં વહે છે, એટલે મને શંકા નથી કે તમે આ બીજો (હિન્દુ ધર્મનો) માર્ગ જ અપનાવશો.

મારામાં ત્રણ પ્રકારનું પાગલપણું છે. એમાં પહેલું પાગલપણું આ છે : હું દઢ વિશ્વાસથી એમ માનું છું કે ભગવાને જે ગુણ, પ્રતિભા, ઉચ્ચ કેળવણી અને જ્ઞાન મને પ્રદાન કર્યાં છે એ સર્વ ભગવાનનાં જ છે. એમની જ માલિકીનાં છે. મને તો પોતાના કુટુંબના નિભાવ માટે તથા અન્ય અત્યંત આવશ્યક વસ્તુઓ મેળવવા માટે જેટલું જરૂરી હોય તેટલું જ ખર્ચ કરવાનો અધિકાર છે. ત્યાર બાદ જે કાંઈ બાકી રહે તે ભગવાનને મારે પાછું આપી દેવું જોઈએ. હું જો મારી બધી જ આવક મારા માટે, મારાં સુખ અને ભોગ-વિલાસ માટે વાપરી નાખું તો હું ચોર કહેવાઉં. હિન્દુ શાસ્ત્રમાં કહ્યું છે કે જે વ્યક્તિ પ્રભુ પાસેથી ધન, સંપત્તિ લે છે પરંતુ પાછું આપતો નથી એ ચોર છે. આજ સુધી મેં ભગવાનને બે આના આપીને ચૌદ આના મારા માટે વાપર્યા છે અને મેં એમ માન્યું છે કે મેં (પ્રભુનો હિસાબ) બરાબર ચૂકવી દીધો છે. હું સાંસારિક ભોગવિલાસમાં રચ્યો-પચ્યો રહ્યો છું. એમાં મેં અડધું જીવન વૃથા ગુમાવ્યું છે. આ રીતે પશુ પણ પોતાનું અને પોતાના પરિવારનું પોષણ કરીને કૃતાર્થતા અનુભવે છે. હવે મને એ સમજાયું છે, એ અનુભૂતિ અને જ્ઞાન થયું છે કે અત્યાર લગી હું એક પશુ અને ચોરની જેમ જ કર્મ કરતો આવ્યો છું. મને એનો પરિતાપ થયો છે અને મારા માટે ઘૃણા પેદા થઈ છે. બસ, હવે આ બધું બંધ. આ પાપને હું પહેલી અને છેલ્લી વાર ત્યાગું છું. ભગવાનને આપવું એનો શો અર્થ છે ? એનો અર્થ એટલો જ કે ધન શુભ કાર્યમાં ખર્ચ કરવું. સરોજિની કે ઉષાને મેં જે પૈસા આપ્યા છે તેના માટે મારા મનમાં સંતાપ નથી. બીજાને મદદ કરવી એ તો પવિત્ર ફરજ છે. આશ્રય માટે આવેલ આશ્રિતને રક્ષણ આપવું એ તો એથીય મહાન ધર્મ છે. પરંતુ પોતાનાં ભાઈ-બહેનને આપવાથી કોઈ હિસાબ ચૂકતે થતો નથી. આ વિષમ કાળમાં સમગ્ર દેશ મારે આંગણે આશ્રિત છે. મારા આ દેશમાં ત્રીસ કરોડ ભાઈ-ભાંડુ છે. એમાંનાં ઘણાં ભૂખે મરી રહ્યાં છે. મોટા ભાગનાં અનેકાનેક દુઃખોથી પીડાય છે અને માંડ માંડ જીવે છે. એમનું પણ કલ્યાણ સાધવાનું છે.

બોલો, ત્યારે તમે શું કહો છો ? આ સંજોગોમાં તમે મારી સાથે ચાલશો ? મારા આદર્શનાં સહભાગી બની સાચાં સહધર્મિણી થશો ? આપણે સાધારણ માણસની જેમ જ ખાઈશું, પહેરીશું. જેની ખરી જરૂર હશે તે જ ખરીદીશું. ત્યાર પછી જે કાંઈ બાકી રહેશે તે પ્રભુને અર્પણ કરીશું. આ મારી ઈચ્છા છે. જો તમે પણ આમાં સંમતિ આપશો, ત્યાગ કરવાનું સ્વીકાર કરશો તો મારી ઈચ્છા-અભિલાષા પૂર્ણ થશે. તમે કહો છો ને કે, ‘મારી કોઈ પ્રગતિ થઈ નથી’ લો, આ રહ્યો પ્રગતિનો માર્ગ. તમે આ માર્ગ અપનાવશો ?

બીજું પાગલપણું તો મને હમણાં હમણાં જ વળગ્યું છે. એ છે ભગવાનનો સાક્ષાત્કાર કરવાનું. મારે કોઈ પણ રીતે ભગવાનનાં સાક્ષાત દર્શન કરવાં છે. આજકાલ ધર્મ એટલે વાતવાતમાં ભગવાનનું નામ લેવું. જાહેરમાં પ્રાર્થના કરવી અને લોકોને એમ બતાવવું કે પોતે ધાર્મિક છે. આમ ધાર્મિકતાનું પ્રદર્શન કરવામાં ધર્મ આવી જાય છે ? મને એવો ધર્મ નથી જોઈતો. જો સાચે જ ઈશ્વર હોય તો એના અસ્તિત્વનો અનુભવ કરવા માટે, એનું સાક્ષાત દર્શન કરવા માટે, એને પ્રત્યક્ષ મળવા માટે કોઈ ને કોઈ માર્ગ હોવો જ જોઈએ. એ માર્ગ ગમે તેટલો દુર્ગમ કેમ ન હોય, મેં એ માર્ગે જવાનો દઢ સંકલ્પ કર્યો છે. હિન્દુ ધર્મ કહે છે કે એ માર્ગ આપણા શરીરમાં છે, આપણા મનમાં, અંતરમાં છે. એ માર્ગે આગળ વધવાના નિયમો પણ હિન્દુ શાસ્ત્રે બતાવ્યા છે. એ સર્વવિદિત છે. મેં તો એ નિયમોનું પાલન કરવાનું પણ શરૂ કરી દીધું છે. કેવળ એક જ માસમાં મેં અનુભવ કર્યો છે કે હિન્દુ ધર્મ જે વાત કરે છે તે જરાયે ખોટી નથી. એણે જે ચિહ્નો વિશે કહ્યું છે તે સર્વનું મને જ્ઞાન થયું છે. હવે તમને પણ એ જ માર્ગે લઈ જવાની મારી ઈચ્છા છે. તમે મારી સાથે એકદમ ચાલી નહીં શકો, કારણ કે તમને એ માર્ગનું જોઈએ તેટલું જ્ઞાન નથી. પરંતુ મને અનુસરવામાં કોઈ વાંધો નથી. આ માર્ગ ઉપર ચાલવાથી સર્વને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એ માર્ગ પ્રત્યે અભિમુખ થવું એ તમારી પોતાની ઈચ્છા ઉપર આધાર રાખે છે. તમારો હાથ પકડીને, તમને ખેંચીને કોઈ લઈ જઈ શકશે નહીં. આના વિશે તમારી અનુમતિ હશે તો હું તમને વિશેષ લખીશ.

મારું ત્રીજું પાગલપણું એ છે કે સ્વદેશને હું મા તરીકે જોઉં છું. સ્વદેશ મારી મા છે. સામાન્ય લોકો સ્વદેશને એક જડ વસ્તુ, અમુક મેદાનો, ખેતરો, જંગલો, પર્વતો અને નદીઓનો બનેલો સમૂહ ગણે છે. હું સ્વદેશની ભક્તિ કરું છું. પૂજા કરું છું. માની છાતી ઉપર બેસીને કોઈ રાક્ષસ એનું લોહી પીવા માટે તૈયાર થયો હોય ત્યારે એનું સંતાન શું કરે ? શું એ સંતાન નિશ્ચિંત થઈ ભોજન કરવા બેસશે ? પત્ની અને બાળકો સાથે આમોદ-પ્રમોદ કરશે ? કે પછી માતાનું રક્ષણ કરવા દોડી જશે ? હું જાણી ગયો છું કે મારી પાસે આ દેશના પતિત લોકોનો ઉદ્ધાર કરવાનું બળ છે, સામર્થ્ય છે. એ કાંઈ શારીરિક બળ નથી. હું કાંઈ તલવાર કે બંદૂક લઈ લડવા જવાની તૈયારી કરતો નથી. પણ જ્ઞાનનું બળ છે. ક્ષાત્રતેજ એ જ કાંઈ એકમાત્ર તેજ નથી. બ્રહ્મતેજ પણ છે અને તેજ જ્ઞાનની ઉપર પ્રતિષ્ઠિત છે. આ ભાવના મારામાં નવી નથી. આજકાલની નથી. હું તો આ ભાવનાને લઈને જન્મ્યો છું. એ મારી નસેનસમાં છે. અણુએ અણુમાં છે. સર્વત્ર ઓતપ્રોત છે. આ ભાવનાને, જીવન-કર્તવ્યને, મહાધ્યેયને સાધવા અને પરિપૂર્ણ કરવા માટે ભગવાને મને આ પૃથ્વી પર મોકલ્યો છે. હું જ્યારે 14 વર્ષનો થયો ત્યારે એનાં દઢ અને સ્થિર મૂળ નખાઈ ગયેલાં હતાં. મારી માસીની વાત સાંભળીને તમે એમ માની લીધું છે કે અમુક દુષ્ટ માનવીઓ તમારા ભલા-ભોળા સ્વામીને કુમાર્ગે ખેંચી ગયા છે. પરંતુ તમારા એ જ ભલા-ભોળા સ્વામીએ એ લોકોને અને બીજા સેંકડો લોકોને એ જ માર્ગે – કુમાર્ગે કહો કે સુમાર્ગે – ચડાવ્યા છે. અને હજી બીજા હજારોને ચડાવશે. હું એમ નથી કહેતો કે મારા જીવનકાળ દરમિયાન આ કાર્ય પૂર્ણ રીતે સધાશે. પરંતુ એટલું નિશ્ચિત છે કે એ જરૂર સિદ્ધ થશે.

હવે હું તમને પૂછું છું કે તમે આના વિશે શું વિચારો છો. સ્ત્રી તો પતિની શક્તિ છે. શું તમે ઉષાનાં શિષ્યા બની બાદશાહી ઢબની પૂજામાં બેસીને મંત્રો જપશો ? તમે ઉદાસીન બની તમારા પતિની શક્તિનો વ્યય કરશો ? તેને ઘટાડશો ? કે પછી સહાનુભૂતિ અને ઉત્સાહ દ્વારા એને બમણી કરશો ? તમે એમ કહેશો કે, ‘આવાં મહાન કાર્યોમાં મારા જેવી સામાન્ય કક્ષાની સ્ત્રી શું કરી શકે ? મારામાં મનોબળ નથી, બુદ્ધિ નથી અને તમારી બધી વાતોનો વિચાર કરતાંય મને તો ભય લાગે છે.’ એમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ સરળ છે. તમે ભગવાનનો આશ્રય લો. એક વાર પ્રભુપ્રાપ્તિની સાધનામાં પ્રવેશ કરો. તમારામાં જે ઊણપ છે તે ભગવાન પૂરી કરશે. જે વ્યક્તિ ભગવાનનો આશ્રય લે છે તેનો ભય ધીરે ધીરે દૂર થાય છે. તમે મારામાં વિશ્વાસ મૂકો. જો તમે બીજા માણસોની વાત સાંભળવાનું બંધ કરીને ફક્ત મારી જ વાત સાંભળતાં થશો તો હું તમને મારું બળ પણ આપી શકીશ. એથી મારું બળ ઓછું નહીં થાય. ઊલટું વધશે. આપણે કહીએ છીએ કે સ્ત્રી એ પતિની શક્તિ છે. એનું બળ છે. એનો અર્થ એટલો જ કે જો પતિ પોતાની પત્નીમાં પોતાની પ્રતિમૂર્તિ જુએ અને પોતાની મહેચ્છાઓનો પ્રતિધ્વનિ તેનામાં સાંભળે તો એની શક્તિ એનું બળ બમણું થાય.

તમને પ્રશ્ન કરું. અત્યારે તમે જેવાં છો તેવાં જ હંમેશાં રહેશો ? તમે ના કહેશો, પણ સાથે જ ઉમેરશો કે, ‘હું અત્યારે તો સારાં કપડાં પહેરીશ, સારું સારું ખાઈશ, પીશ, હસીશ, રમીશ અને પ્રત્યેક પ્રકારનું સુખ ભોગવીશ.’ પરંતુ આ પ્રકારની મનઃસ્થિતિ ઉન્નતિ કે વિકાસ કરનારી ન ગણાય. સાંપ્રત સમયમાં આપણી સ્ત્રીઓનું જીવન સંકીર્ણ અને ધિક્કારવાલાયક થઈ ગયું છે. તમે આ બધું છોડી દો. મારું અનુસરણ કરો. આપણે તો ભગવાનનું કાર્ય કરવા આવ્યાં છીએ. આવો, આપણે એ કાર્યનો શુભારંભ કરીએ.

તમારા સ્વભાવમાં એક દોષ છે. તમે ઘણાં જ સરળ છો. વધારે પડતાં સરળ છો. કોઈક કંઈક કહે તો તેને તમે ધ્યાનપૂર્વક સાંભળો છો અને એને માની લો છો. તેથી તમારું મન સદા અસ્વસ્થ રહે છે. તમારી વિવેક-બુદ્ધિ વિકાસ પામતી નથી. તમે તમારા કામમાં એકાગ્ર બની શકતાં નથી. આમાં સુધારો કરવો પડશે. તમારે એક જ માણસની વાત ધ્યાનથી સાંભળીને જ્ઞાનસંપાદન કરવું જોઈએ. તમારે એક જ લક્ષ્ય રાખવું જોઈએ અને સ્થિર ચિત્ત વડે કાર્ય-સાધના કરવી જોઈએ. લોકોની નિંદા, કટાક્ષ, વિરોધ પ્રત્યે ઉદાસીન બની ભક્તની સંનિષ્ઠાથી કાર્યસાધનામાં તન્મય રહેવું જોઈએ. એક બીજો પણ દોષ છે. પરંતુ તે તમારા સ્વભાવનો દોષ નથી. સમયનો દોષ છે. આજે દેશમાં એવો સમય આવ્યો છે કે લોકો કોઈ પણ ગંભીર વાતને ગંભીરતાપૂર્વક સાંભળી શકતા નથી, સાંભળવાની ક્ષમતા ધરાવતા નથી. ધર્મ, પરોપકાર, ઉચ્ચાકાંક્ષા, મહાન પુરુષાર્થ, દેશોદ્ધાર આ સર્વ ઉચ્ચ અને મહાન છે. તેમને લોકો હસી-મજાકમાં ઉડાવી દે છે. બ્રહ્મોસમાજની તમારી શાળામાંથી આ દોષ તમારામાં આવ્યો છે. બારીનમાં પણ આ દોષ છે. આપણા સૌમાં થોડે અંશે આ દોષ દષ્ટિગોચર થાય છે. પરંતુ દેવધરના લોકોમાં તો એણે આશ્ચર્યજનક વૃદ્ધિ કરી છે. આ મનોવિકારને ખૂબ જ દઢતાથી દૂર કરવો પડશે. એક વાર વિચાર કરવાનો અભ્યાસ કેળવાશે, પછી તો તમારો મૂળ સ્વભાવ જાગ્રત થશે. સ્વભાવતઃ તમે પરોપકારી છો. સ્વાર્થત્યાગની વૃત્તિ તમારામાં વિદ્યમાન છે. માત્ર મનોબળનો અભાવ છે. ભગવાનની ભક્તિ કરવાથી એ બળ તમે પાછું મેળવી લેશો.

તમને મારે જે ગુપ્ત વાત કહેવાની હતી તે આ છે. કોઈને આ વાત કરશો નહીં. મારી માન્યતાઓ વિશે વિચાર કરજો. તમારે માટે ભયનું કોઈ કારણ નથી. તમારે વિચારવાનું વિશેષ છે. શરૂઆતમાં તમે રોજ અડધો કલાક પ્રભુનું ધ્યાન ધરજો. એમના પ્રત્યે પ્રાર્થનારૂપે તમારી અદમ્ય ઈચ્છા વ્યક્ત કરજો. બસ, તમે આટલું જ કરજો. બસ, તમારે આટલું જ કરવાનું રહેશે. વિશેષ કંઈ જ નહીં. ધીરે ધીરે મન તૈયાર થઈ જશે. ભગવાન સમક્ષ આ પ્રમાણે પ્રાર્થના કરશો : ‘હું પતિના જીવનમાં, તેમના ધ્યેયમાં, તેમના ઈશ્વર-પ્રાપ્તિના પ્રયત્નોમાં, સાધનામાં અવરોધરૂપ ન બનું. સદા સર્વદા સહાયભૂત થાઉં. સાધનરૂપ બનું.’ આટલું કરશો ?

તમારો અરવિંદ.

________________________________________________________________

મહર્ષિ  શ્રી  અરવિંદને ભવ્ય અંજલિ એક સુંદર વિડીયોમાં

નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં શ્રી અરવિંદના જીવનની બાળપણથી માંડીને છેલ્લી સમાધી સુધીની

ઘણી તસ્વીરો જોવા મળશે. અરવિંદ આશ્રમ ,પાન્ડીચેરીનાં ઘણાં  દ્રશ્યો જોવા મળશે.આ વિડિયોનું 

ભાવવાહી ગીત-સંગીત તમારા હૃદયને આદ્ર કરશે.

તો માણો આ  સરસ વિડીયો —

HOMAGE TO SRI AUROBINDO

(95) કવિતાના કુછંદે ચડેલા હસુભાઈ-વાતનું વતેસર – ડો. રઈશ મનીઆર (હાસ્ય યાત્રા ભાગ-4)

વિનોદ વિહારની હાસ્ય યાત્રા શ્રેણીમાં આજની પોસ્ટમાં

જાણીતા ગઝલકાર ડો.રઈશ મનીઆરના 

ક હાસ્ય લેખ અને એમની ત્રણ હઝલોના વિડીયો દ્વારા 

મનોરંજક  સામગ્રી પીરસવાનો પ્રયત્ન કરેલ છે.આશા

છે આપને એ ગમશે.

વિનોદ પટેલ   

_____________________________________________________________

કવિતાના કુછંદે ચડેલા હસુભાઈ-વાતનું વતેસર

કવિતાના કુછંદે ચડેલા હસુભાઈને આખો દિવસ ગામવાળા વેઠતા. રાતે હેમાબહેને  એકલા હાથે ઝીંક ઝીલવી પડતી. જાણે એમને સનેપાત કે વળગાડ થયો હોય એવી હાલત હતી. હસુભાઈ રાત્રે ઊઠી ઊઠી’ મારી કવિતા.. મારી કવિતા’ એમ બોલતા એટલે  હેમાબહેન આડોશપાડોશમાં ૧૪થી ૫૪ વરસની જેટલી ચિ. કવિતા, કવિતાભાભી અને  કવિતાકાકી હતી એ બધી સાથે ઝઘડી આવ્યાં. પણ હસુભાઈ તો પોતાની શાયરીઓ અને ડાયરીઓના  પ્રેમમાં હતા. એક ડાયરી હેમાબહેને બાળી નાખી તો બાકીની ડાયરીઓની દસ દસ ઝેરોક્સ  કરાવી લીધી.

કોઈએ હેમાબહેનને બાધાઆખડી કરાવવાની સલાહ આપી. નવા શ્રોતા મળવાની લાલચે  હસુભાઈએ પૂરો સહકાર આપ્યો. જ્યોતિષીઓએ એમની કુંડળી જોઈને જ હાથ ઊંચા કરી દીધા તો એમને ભૂવા પાસે લઈ જવામાં આવ્યા. ભૂવાએ કહ્યું, “એમનો પગ કૂંડાળામાં પડી ગયો છે. આ  મંત્રેલા દાણા ખવડાવો, એમની સાત પેઢી સુધી કોઈ કવિતા નહીં લખી શકે.” ભૂવાએ  આપેલા મંત્રેલા દાણા તો હસુભાઈ પોપકોર્નની જેમ ખાઈ જતાં છતાં એમના મનમાં ધાણીની જેમ  કવિતા ફૂટતી જ રહી. હસુભાઈ વાતવાતમાં એ ભૂવાને થોડા સીંગદાણા આપી આવ્યા હતા. વાતવાતમાં ભૂવાએ બેચાર દાણા ખાઈ લીધા પછી કહે છે કે એ ભૂવો પણ જાદુટોણા, જંતરમંતર છોડી સોનેટ અને ખંડકાવ્યોના રવાડે ચડી ગયો. આમ કુંડળીથી કૂંડાળા  સુધીના પ્રયાસો ફ્લોપ ગયા.

પછી હસુભાઈને પાગલોની હોસ્પિટલમાં, પાગલોના ડોક્ટર પાસે લઈ જવામાં  આવ્યા. ડોક્ટરે હિસ્ટ્રી શીટ કાઢી પેન લઈ પૂછયું, “નામ?” હસુભાઈ બોલ્યા, “શેક્સપિયરે કહ્યું હતું વોટ ઇઝ ધેર ઇન નેમ?” ડોક્ટરને તો આ રોજનું હતું. એટલે એમણે આગળ ચલાવ્યું, “બે  સગાં, સંબંધી, સ્વજનનાં નામ લખાવો.” હસુભાઈ બોલ્યા, “કાલિદાસ, ટાગોર..” ડોક્ટરે પહેલો સવાલ પૂછયો, “કેવું લાગે છે?” હસુભાઈએ કહ્યું, “મનમાં વસંત છે, મજા અનંત છે, સઘળું જીવંત  છે.” ડોક્ટર કહ્યું, “કેસ અર્જન્ટ છે. ગોળી ખાવી પડશે. તમને મેનિયા નામની  બીમારી થઈ છે.” હસુભાઈ બોલ્યા, “ધારો કે મને એ બીમારી હોય તો મને એ બીમારીથી કોઈ  પ્રોબ્લેમ જ નથી. હું તો કહું છું તમે પણ આ બીમારીની મજા માણી જુઓ ડોક્ટરસાહેબ! શું  જલસા છે! આખો દિવસ પેશન્ટો જોઈ જોઈને માથું નથી પાકી જતું  તમારું?” ડોક્ટર મોંથી ‘ના’ બોલ્યા પણ એમનું ડોકું ‘હા’માં ધૂણ્યું. હસુભાઈએ  ઊલટો વાર કર્યો. “તમે બધાને પૂછો છો કે તમને કેવું લાગે છે તો તમે જ પોતે કહો કે  તમને કેવું લાગે છે?” ડોક્ટરનું મોં જરા પડી ગયું, એ કહેવા લાગ્યા, “જુઓ હું ડોક્ટર છું, તમારી સારવાર કરી રહ્યો છું અને દર્દી તમે છો. આ સવાલ પૂછવાનો હક ફક્ત મને  છે.” “હું મેન્ટલી ઈલ છું, એવું તમે કઈ રીતે કહી શકો?” જુઓ! શું હું તમારી જેમ કારણ વગર હસું છું?

હસુભાઈએ જવાબ આપ્યો, “પણ હું તો કારણ વગર હસું છું, એટલે કે મારું  તો નામ જ હસુ છે. પણ સાચું બોલો ડોક્ટરસાહેબ, તમે હસી શકતા  નથી, કેમ કે તમારો જ મૂડ ખરાબ છે. દવાની જરૂરત મને નથી, તમને  છે.”

કોઈ પેશન્ટને કથની સંભળાવતા ડૂમો ભરાય તો પેશન્ટને પીવા માટે ડોક્ટર ટેબલ  પર બે ગ્લાસ પાણી મુકાવી રાખતાં. અજાણતાં જ ડોક્ટર એ બંને ગ્લાસ પાણી પી ગયા. બીજું  કશું હોત તો એ પણ પી ગયા હોત!

ડોક્ટરે કહ્યું, “એટલે તમે મને સલાહ આપો છો!”

હસુભાઈએ કહ્યું, “ના સાહેબ, હું ક્યાંથી તમને સલાહ આપી શકું? સલાહ આપવાના પૈસા તો તમે લીધા છે અને તમારું જીવન આમેય મને તો ખરાબ લાગે છે. તમને કદી આપઘાત કરવાનું મન નથી થતું?”

ડોક્ટરનું છઠ્ઠે માળે ક્લિનિક હતું. બારી ખુલ્લી હતી. ડોક્ટરે ઊભા થઈ જલદી  બારી બંધ કરી દીધી. પડદો બંધ કરી દીધો અને છાતી પર ટપલી મારી “ઓલ ઈઝ  વેલ, ઓલ ઈઝ વેલ” બોલવા લાગ્યા. પણ સ્થિતિ ઓલ વેલ ન જણાતાં  વોર્ડબોયને બૂમ પાડી “કાલિદાસ, આ મરીઝને દાખલ કરો! પેલા રવીન્દ્રની  બાજુમાં પથારી કરજો. કાલે એને શોક આપવાનો છે.”

પણ, દાખલ થયેલા હસુભાઈએ જબરી દખલ મચાવી. હસુભાઈએ તો રાત્રે જ મેન્ટલ હોસ્પિટલમાં મુશાયરો કર્યો. બધાને ઉંઘાડી ભાગીને ઘરે આવી ગયા. સોસાયટીમાં હસુભાઈની કવિતાઓનો ત્રાસ ફરી શરૂ થયો.

એટલે અંતિમ ઉપાય તરીકે મેં દક્ષિણ ગુજરાત નવોદિત કવિ સંગઠનની અઠવાડિક મિટિંગમાં જઈ એમનો સંપર્ક કર્યો અને  કહ્યું, “અમારા બિલ્ડિંગમાં એક કાવ્યપ્રેમી સજ્જન વસે છે. જો તમે એની એક કવિતા સાંભળો તો એ તમારી એક ડઝન કવિતા સાંભળે છે.”

મારી વાત સાંભળી એક કવિ જેનો પોતાનો છકડો હતો તે તરત જ એમની આખી ૨૩ જણાંની મંડળીને છકડામાં બેસાડી લઈ આવી ગયા. દરેકે હસુભાઈને વિનંતી કરીને એમની એક કવિતા ધીરજથી સાંભળી અને બદલામાં બાર બાર કવિતા ખુન્નસથી સંભળાવી.

ત્રેવીસ ગુણ્યા બાર બસો છોત્તેર કવિતા એકસામટી સાંભળીને હસુભાઈનો કવિતાજ્વર તત્કાળ ઊતરી ગયો.

હવે સોસાયટીમાં કામવાળી આશાબાઈ અને ધોબી, માળી સહિત  બધાએ એક-બે કવિતા મોઢે કરી લીધી છે અને જેવા હસુભાઈ દેખાય કે તરત જ બધા ‘એક  તાજી કવિતા છે’ કહી ચાલુ પડી જવાનું શરૂ કર્યું.

હવે હસુભાઈ દાદર પર જ અવરજવર  કરે છે અને એક દિવસ મને કહેતા હતા કે ઘરાક મળે તો ફ્લેટ કાઢી નાખવો છે.

amiraeesh@yahoo.co.in

_________________________________________________________

ડો. રઈશ મનીઆરનો હાસ્ય રસ

ડો.રઈશ મનીઆર એક લોક પ્રિય ગઝલકાર છે.એમની લખેલી કેટલીક જાણીતી ગઝલો 

અહીં લય સ્તરોમાં વાંચી શકાશે. 

એમની હઝલો (હાસ્ય મિશ્રિતગઝલો ) પણ એટલી જ વખણાઈ છે.

નીચેના ત્રણ યુ-ટ્યુબ વિડીયોમાં આવી ત્રણ  હઝલો એમના મુખે સાંભળો અને અને હળવા થાઓ.

1. પન્નીને પહ્તાય તો કે’ટો ની

 

2.અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી

3.રોજ એ રોજ જગથી કશુક જુદું  જ કરવા જાય છે 

__________________________________________________

ડો.રઈશ મનીઆરનો પરિચય મારા સહૃદયી

મિત્ર શ્રી સુરેશભાઈ જાનીના ખુબ વંચાતા બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચયમાં વાંચવા નીચે ક્લિક કરો.

(ડો.રઈશ મનીઆર અને એમની ગઝલોનો પરિચય )

______________________________________________________

(94) ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય– લેખક શ્રી વિનોદભાઈ માછી

બુધવાર,તા.૧૯મી સપ્ટેમ્બર,૨૦૧૨ના રોજ ગણેશ ચતુર્થીને  દિવસે શરુ થયેલ

ગણેશોત્સવ ,તારીખ ૨૮મી  સપ્ટેમ્બર ૨૦૧૨ ,અનંત ચતુર્થીના  દિવસે પૂરો થશે .

ગણેશોત્સવના  આ માહોલમાં ,શ્રી વિનોદભાઈ માછીનો એક ખુબ જ સુંદર લેખ – 

“ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય” મારા એક મિત્ર શ્રી વિપુલ દેસાઈના

બ્લોગ “સુરતીનું ઊંધિયું” માં વાંચવામાં આવ્યો જે મને ખુબ ગમ્યો.

શ્રી વિનોદભાઈ માછીના આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો ઉપરના ઘણા લેખો બ્લોગો

અને સામયિકોમાં  અવારનવાર પ્રગટ થતા રહે છે .ભારતની આધ્યાત્મિક વિરાસતના એમના ઊંડા અભ્યાસની 

 પ્રતીતિ એમના લેખોમાંથી થતી હોય છે.

આ લેખમાં ગણપતિબાપા વિશે તેમણે જે માહિતી આપી છે એ ઘણી જ  પ્રસંશીય છે .

આવો સુંદર લેખ લખવા માટે તેઓને અભિનંદન ઘટે છે.

હાલ જે ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે એના માહોલમાં શ્રી વિનોદભાઈ માછીનો

ગણપતી વિશેનો ઉપરોક્ત લેખ, એમના અને શ્રી વિપુલ દેસાઈના આભાર સાથે 

આજની પોસ્ટમાં મુક્યો છે .મને આશા છે વાચકોને એ જરૂર

ગમશે અને એમાંથી શ્રી ગણપતિ ભગવાન વિશે ઘણી નવી માહિતી જાણવા મળશે.

સંકલન – વિનોદ આર. પટેલ

________________________________________________

 

શ્રી વિનોદભાઈ માછીનો આ ધાર્મિક લેખ નીચેની પી.ડી.એફ. ફાઈલ ખોલીને વાંચો.

ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય

_________________________________________________

શ્રી ગણેશ સ્તુતિ

વિઘ્નેશ્વરાય વરદાય સુર પ્રિયાય

લંબોદરાય સકલાય જગદ્વિતાય

નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભુતાય

ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે

આ   સ્તુતિને નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં સુંદર સ્વર અને સંગીતમાં સાંભળીને વિઘ્ન હરતા ગૌરીસુત 

શ્રી ગણેશની ભક્તિ ભાવથી સ્તુતિ કરી પાવન થઈએ.

Shri Ganesh Stuti ( A Must Listen )

http://www.youtube.com/watch?feature=player_detailpage&v=osAFujJT3wE

_______________________________________________________________

આ ગણેશોત્સવ સર્વત્ર ઉજવાઈ રહ્યો છે એના માહોલમાં ગણનાથ ગણપતિનાં વિવિધ

નામો  દર્શાવતા સંગીત મઢ્યા ગીત સાથેના  નીચેના સુંદર  યુ-ટ્યુબ વીડીયો નિહાળીને

શ્રી ગણેશના આશીર્વાદ માટે પ્રાર્થના કરો. આ વિડીયોમાં ગણેશનાં જુદાં જુદાં સ્વરૂપો અને 

ઉત્સવનાં વિવિધ દ્રશ્યો પણ જોવા મળશે .

Ganapati Song : The best in this century!

http://www.youtube.com/watch?feature=player_detailpage&v=Mq00BSNbsI0

___________________________________________________________

કલાકાર શ્રી નીતીશ ભારતીનાં અજબ ગણેશ રેખા ચિત્રો 

નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં કલાકાર નીતીશ ભારતીએ એમની સૂઝ બુઝથી ત્વરિત ગતિએ રેખાઓ દોરીને

ભગવાન શ્રી ગણેશજીનાં જુદાં  જુદાં કલાત્મક રેખાકનો  કાગળ ઉપર ઉતાર્યાં છે એ જોઇને તમે તાજુબ થશો

અને આ કલાકારને મનથી બિરદાવશો .

Nitish Bharti doing AKSHAR GANESH

__________________________________________________________

મારા મિત્ર, કરોના, કેલીફોર્નીયા નિવાસી શ્રી રમેશભાઈ પટેલના બ્લોગ આકાશદીપમાંથી ગણપતિ બાપાની 

એક સરસ કાવ્ય રચના એમના આભાર સાથે નીચે મુકેલ છે.   

વિઘ્નહર્તા ગણનાથ ગણેશ….રમેશ પટેલ(આકાશદીપ)  

માત પાર્વતી પિતા મહેશ

વિઘ્નહર્તા ગણનાથ ગણેશ

શુભ સુમંગલ સ્મરણ મીઠા

રિધ્ધિ સિધ્ધિ સહ આજ દીઠા

સૂરજ દેવ સમ તેજ પ્રભા

આનંદ હિતકારી દેવ સદા

નત મસ્તકે જોડી હાથ

પ્રથમ વંદીએ દેજો સાથ

સર્વ લોકે સર્વ કાળે ફરકતી યશ ધ્વજા સદા તમારી

યુગો યુગોથી સંસાર સઘળો ગાયે ગાથા તવ પ્રભાવી

દેજો શક્તિ એવી અમને ઝીલવા સંસ્કાર આ કલમથી

સ્વ ને જગાડી અર્પજો પ્રેરણા સીંચવા ઉજ્જવળ ભાવી

રમેશ પટેલ(આકાશદીપ)

.

(93 ) મિચ્છામી દુક્કડમ – જૈન ધર્મનો અપનાવવા જેવો ક્ષમાપનાનો ગુણ

 

હિન્દુ અને જૈન ધર્મના બે મોટા ધાર્મિક પર્વની ઉજવણી

બુધવાર,તા.૧૯મી, સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ ખુબ

આનંદ,ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી.

આ દિવસે ગણેશચતુર્થીનો દિવસ હોવાથી હિંદુ ધર્મના ધાર્મિક

જનોએ વિઘ્નહર્તા દેવ ગણપતિનું,સ્થાપન,અર્ચન અને પૂજન

કર્યું,જ્યારેપર્યૂષણ પર્વનો આ છેલ્લો દિવસ હોવાથી જૈન

બંધુઓએ દેરાસરોમાં સાંજે પ્રતિકમણ બાદ એક બીજાને

મિચ્છામી દુકડમ પાઠવ્યાં.

જૈન ધર્મનો મિચ્છામી દુક્કડમનો વિચાર બધા જ ધર્મના

લોકોએ અપનાવવા જેવો સુંદર વિચાર છે. આમાં મન ,વચન

અને કાયાથી કર્મ કરતાં, કરાવતાં જાણે ,અજાણે થયેલા

દોષોમાટે એક બીજાની માફી એટલે કે ક્ષમા માગવાનો અને

આપવાનો ઉમદા ભાવ સમાયેલો છે.

ખરા દોષી,ખરા વેરી અને ખરા અપરાધીને પણ ક્ષમા આપવી

એટલે મિચ્છામી દુક્કડમ.

ક્ષમા એ સંયમનો સર્વોપરી પ્રકાર છે.ક્ષ એટલે ગાંઠ અને મા

એટલે નષ્ટ કરવું.આમ માનવ સંબંધોમાં પડેલી ગાંઠને દુર

કરવાનું ક્ષમાપના કામ કરે છે.

આજે એકવીસમી સદીમાં વ્યક્તિ સ્વાર્થી બનતો જાય છે.

વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં ખોટા અહમને લીધે ગાંઠો

પડતી જાય છે.એનાથી જીવન શુષ્ક બની રહ્યું છે. ક્ષમા

ભાંગેલાં હૈયાને સાંધવાનું કામ કરે છે. શાસ્ત્ર ગ્રંથોમાં ક્ષમાના

પાંચ પ્રકાર દર્શાવ્યા છે.

૧. ઉપકાર ક્ષમા ૨.અપરાધ ક્ષમા ૩.વિપાક ક્ષમા ૪.વચન

ક્ષમા અને ૫.ધર્મ ક્ષમા .

વળી, એમ પણ કહેવાયું છે કે “ ક્ષમા વીરસ્ય ભૂષણમ “ એટલે

કે ક્ષમા આપનાર વ્યક્તિ એક વીર જેવો છે અને ક્ષમા એ એનું

ઘરેણું –ઝવેરાત છે.આપણને કોઈના પ્રત્યે ફરિયાદ,દોષ કે

વાંક દેખાતો હોય ત્યારે એના પ્રત્યે નકારાત્મક વિચારો

લાવવાને બદલે જો ક્ષમાની ભાવના મનમાં કેળવીએ તો એના

પ્રત્યેની નકારત્મક ભાવના દુર થતાં સકારત્મક વિચારોથી

આપણી દ્રષ્ટિ સ્ફટિક શી ઉજ્જવળ થતાં આપણું હૃદય હલકું

ફૂલ થઇ જાય છે.

જ્યારે પણ કોઈ એના વ્યક્તિગત સંબંધોમાં ભૂલ કરે ત્યારે

ઉપરથી ભલે ન બતાવે પણ કરેલ ભૂલ માટે એનો અંતરાત્મા

અંદરથી દુભાતો હોય છે .મનમાં એ કૈક હીણપતની લાગણી

અનુભવતો જ હોય છે.

આવા સમયે આપણા અહમને ભૂલીને આવી વ્યક્તિને ક્ષમા

આપવાથી ક્ષમા આપનાર અને મેળવનાર એમ બન્નેના

દિલમાં શાંતિની લાગણી જન્મે છે.એનો એ દિવસ નિરાશાને

બદલે ઉત્સાહમય અને આનંદમય બની જાય છે.હૃદયમાં નવો

પ્રકાશ રેલાય છે.

જ્યારે આપણે ક્ષમા આપીએ છીએ ત્યારે આપણો એ વ્યક્તિ

તરફનો ગુસ્સો ગાયબ થઇ જાય છે .એના માટેની હીન લાગણી

ઓછી થાય છે,એટલે ખરી રીતે ક્ષમા આપનારને પણ એટલો

જ ફાયદો થાય છે જેટલો ક્ષમા લેનારને થાય છે.

કોઈના પણ પ્રત્યે ગુસ્સો કરવો એ બહું ખરાબ વસ્તુ છે.

ગુસ્સાથી હૃદયના ધબકારા વધુ જાય છે ,મનની શાંતિ હણાઈ

જતા તમારો સમય વિસંવાદિત રીતે પસાર થાય છે.ક્ષમા

આપવાથી ગુસ્સાને લીધે હૃદય ઉપર જે ખોટું દબાણ હોય એ

દુર થતાં રાહતનો અનુભવ થાય છે.

ગુસ્સો  કરવો એ ખરાબ ગુણ છે.કામ, ક્રોધ .લોભ ,મોહ,માયા

અને મત્સર એ માણસો માટે છ દુશ્મનો  છે.ક્રોધથી દુર રહેવામાં

મજા છે.ભૂલથી જો કોઈવાર ક્રોધ થઇ  જાય તો અહમને ભૂલી

તરત  એને માટે ક્ષમા આપવાની તૈયારી બતાવવી જોઈએ.

બધાં પ્રત્યે પ્રેમ રાખવાથી પ્રભુ રાજી રહે છે.પ્રેમ આપો, પ્રેમ

લ્યો અને ક્ષમા કરો તો જીવનમાં નિરાશાને બદલે નવો ઉત્સાહ

જણાશે અને એથી શારીરિક અને માનસિક રીતે ફાયદો થશે.

પરમ કૃપાલુ પરમાત્મા તમારી ઘણી ભૂલો માટે તમને માફ

કરતો હોય છે તો એના બદલામાં આપણે પામર માનવો એક

બીજાની ભૂલો માટે એક બીજાને માફ કેમ ન કરી શકીએ ?

મનુષ્યનું  આ જીવન ક્ષણ ભંગુર છે .આપણે આ જગતમાંથી

ક્યારે વિદાય લઈશું એ કોઈ જાણતું નથી.તો નાહકનાં

વેર ઝેર ઉભાં કરી જીવનને કલુષિત બનાવીને જવાથી શો 

ફાયદો છે ?    

જૈન ધર્મની આ ઉમદા પરંપરા અપનાવીને ,

મારાથી મન,વચન અને કર્મથી જાણે  કે અજાણે થયેલ ભૂલથી

કોઈની લાગણી દુભાયી હોયતો એને માટે હું માફી માગું છું. 

મિત્ર વિપુલ દેસાઈના શબ્દોમાં –

પ્રેનથી નહીં, પ્રેમથી 

હોઠથી નહીં,હૈયાથી ,

અક્ષરથી નહીં,અંતરથી 

શબ્દોથી નહીં,સ્નેહથી 

ફક્ત વચન અને કાયાથી નહીં,

પણ મનથી …..

સહુને દિલથી મિચ્છામી દુક્કડમ  

વિનોદ આર પટેલ ,સાન ડિયેગો 

____________________________________________________________