વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 12, 2012

(108) દરિદ્રનારાયણમાં નારાયણ જોનાર નારાયણની માનવતાપૂર્ણ હદય સ્પર્શી કથા

મહાત્મા ગાંધીએ ગરીબો માટે દરિદ્ર નારાયણ શબ્દ શોધી કાઢ્યો.તેઓ ગરીબોના બેલી  કહેવાયા.દેશના એવા જ ગરીબો માટે

એમના હૃદયમાં અનુકંપા રાખનાર દેશ સેવક સ્વામી વિવેકાનંદએ કહ્યું ભગવાનને મંદિરોમાં જઈને શોધવાનો  કોઈ અર્થ નથી એ મંદીરની બહાર ગરીબોમાં વસે છે.આ વાતની પ્રતીતિ કરાવનાર એક ભેખધારી વ્યક્તિ બેંગ્લોરના નારાયણની એક દિલને શાતા આપે એવી વાત જે એક નેટ મિત્રએ ઈ-મેલમાં મને મોકલી એને એમના આભાર સાથે આજની પોસ્ટમાં મૂકી છે. 

નારાયણની આ સત્યકથા વાંચીને તથા વાર્તાને અંતે૨૦૧૦ માં CNN HEROS 2010 ના ટોપ ટેન લીસ્ટમાં  એવોર્ડ પ્રાપ્ત કરનાર નારાયણ અંગેના જે  બે યુ-ટ્યુબ  વિડીયો પોસ્ટ કરેલ છે એ નિહાળીને તમે નારાયણની હિમ્મત,તથા એના હૃદયની માનવતા નિહાળીને વારી જશો.તમને ખાતરી થશે કે આ સ્વાર્થી દુનિયામાંથી  માનવતા હજુ સાવ મરી પરવારી નથી.

વિનોદ આર. પટેલ 

______________________________________________________

તું હવે સરનામું પાકું આપ બસ,
રોજ મંદિરનો મને ધક્કો પડે.
(ગૌરાંગ ઠાકર)

ખુદમાં પ્રકાશું છું ને સૌમાં હું પ્રકાશું,

એવી રીતે ‘એ’ દેખાઈ  દેતા તો નથી ને?

[અશરફ ડબાવાલા ]

તાજ હોટેલ, બેંગલોરનો ખ્યાતિપ્રાપ્ત શેફ નારાયણ ક્રિશ્નન ટૂંક

સમયમાં જ સ્વીત્ઝર્લેન્ડ જવાનો હતો એટલે પોતાના કુટુંબી જનોને

મળવા એ મદુરાઇ પહોંચ્યો હતો. એ સમયે , રસ્તા પર એણે

માનસિક રીતે બીમાર એવા એક માણસને અસહ્ય ભુખને લીધે

પોતાનું જ મળ ફંફોસતા જોયો ! બુદ્ધ અને મહાવીરના જીવનની જેમ

એ એક જ દ્રશ્યએ નારાયણના જીવનની દિશા બદલી નાંખી.

“અંદર મુરત પર ચડે ઘી, પૂરી, મિષ્ઠાન…

મંદિર કે બાહર ખડા ઈશ્વર માગે દાન…”

– નિદા ફાજલી.

“ હોટેલોમાં ફૂડ તો મળે છે, ખુશી નથી મળતી. તમે જ્યારે એક

ભુખ્યાને ભોજન આપો છો, ત્યારે એ વાત તમને અપાર ખુશી આપે

છે. ”

નારાયણે ઝળહળતી કારકિર્દી છોડી દીધી અને રસ્તે રઝળતા,

માનસિક રીતે અસ્થિર લોકોને દરરોજ ત્રણેય વખત નું ભોજન

પહોંચાડવા નો નિર્ધાર કર્યો. એના મા-બાપને સગાવ્હાલાઓએ

સલાહ આપી કે એમણે પોતાના દીકરાને કોઈ મનોચિકિત્સક પાસે

લઇ જવો જોઈએ, પણ જ્યારે એમણે નારાયણનું કામ જોયું અને એ

ભૂખ્યા જનોના ચહેરા પરનો આનંદ જોયો ત્યારે એની માએ કહ્યું , ‘

તું એ લોકોને ખવડાવવાનું ચાલુ રાખ, હું તને ખવડાવવાનું ચાલુ

રાખીશ !’

આજે નારાયણ દરરોજ ૪૫૦ માનસિક અસ્થિર લોકોને ત્રણ ટાઈમ

નું ભોજન પૂરું પાડે છે ! એટલું જ નહિ, સમયાંતરે એમના માટે

શેવિંગની ને વાળ કપાવવાની પણ વ્યવસ્થા કરે છે.

“એવા દિવસો વારંવાર આવતા હતા કે જ્યારે તપેલાના તળિયા

દેખાતા હોય અને કાલે ખવડાવીશું શું એની સુઝ પણ પડતી ના

હોય. પણ યાદ રાખજો, સાધનોના અભાવે દુનિયામાં કોઈ સારું કામ

અટકી પડ્યું નથી. જો એ અટકી પડ્યું હોય તો કદાચ એ એટલું

ઉમદા કામ નથી જેટલું આપણને લાગે છે.” ભૂખ્યાંની ભુખ

ભાંગવાની નારાયણની આ ભુખ આજે “અક્ષય” (ટ્રસ્ટ) થઇ ગઈ છે.

જેમને પોતે ભૂખ્યા હોવાં છતા ખોરાક શોધવાની ય સુઝ નથી એવા

લોકોના મો માં ભોજન મૂકી, એમની આંખોમાં હર્ષના આંસુ જોવા એ

નારાયણની હવે “ફુલ ટાઈમ જોબ” છે.

एक पथ्थर सिर्फ एक बार मंदिर जाता है और भगवान बन जाता है ..

हम इंसान हर रोज़ मंदिर जाते है फिर भी पथ्थर ही रहते है ..!

 

મધર ટેરેસા ને યાદ કરું છું ત્યારે મને સમજાય છે કે મારું કામ તો

કશું જ નથી. પણ એક વ્યક્તિ તરીકે તમે મદદ નું કોઇ પણ કાર્ય કરો

છો તો એ કાર્ય મહાન છે. દુનિયામાં દરેક માણસ જો દરરોજ ફક્ત

એક જ માણસ ને મદદ કરવાનું નક્કી કરે, તો “અક્ષય ટ્રસ્ટ” જેવા

NGO ની કોઈ જ જરૂર નહિ રહે !”

૨૦૧૦ માં CNN HEROS 2010 ના ટોપ ટેન લીસ્ટમાં માં

નારાયણનું નામ હતું. આ ખ્યાતીને લીધે IIM-બેંગલોર માં જવાની

એની ઝંખના પૂરી થઇ….. અલબત્ત, સ્ટુડન્ટ તરીકે તો નહિ, પણ

એના વિદ્યાર્થીઓ સામે પ્રવચન આપનાર મહાનુભાવ તરીકે !

http://www.akshayatrust.org/

_____________________________________________________________________

૨૦૧૦ માં CNN HEROS 2010 ના ટોપ ટેન લીસ્ટમાં  જે નું નામ

ટોચ ઉપર હતું એ નારાયણને અમેરિકામાં એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો એ સમારંભનો નીચેનો વિડીયો

એના ગરીબો માટેના ત્યાગ અને કાર્ય અંગે  ઘણી માહિતી પૂરી પાડે છે.

બીજા વિડીયોમાં નારાયણનો  CNN ચેનલના એન્કર સાથેનો ઈન્ટરવ્યું બતાવ્યો છે.

Narayanan Krishnan 2010 CNN Heroes Recieves Award

CNN Top 10 Hero Krishnan’s interview in CNN International

___________________________________________________

A NICE QUOTE TO CONTEMLPATE