મહાત્મા ગાંધીએ ગરીબો માટે દરિદ્ર નારાયણ શબ્દ શોધી કાઢ્યો.તેઓ ગરીબોના બેલી કહેવાયા.દેશના એવા જ ગરીબો માટે
એમના હૃદયમાં અનુકંપા રાખનાર દેશ સેવક સ્વામી વિવેકાનંદએ કહ્યું ભગવાનને મંદિરોમાં જઈને શોધવાનો કોઈ અર્થ નથી એ મંદીરની બહાર ગરીબોમાં વસે છે.આ વાતની પ્રતીતિ કરાવનાર એક ભેખધારી વ્યક્તિ બેંગ્લોરના નારાયણની એક દિલને શાતા આપે એવી વાત જે એક નેટ મિત્રએ ઈ-મેલમાં મને મોકલી એને એમના આભાર સાથે આજની પોસ્ટમાં મૂકી છે.
નારાયણની આ સત્યકથા વાંચીને તથા વાર્તાને અંતે૨૦૧૦ માં CNN HEROS 2010 ના ટોપ ટેન લીસ્ટમાં એવોર્ડ પ્રાપ્ત કરનાર નારાયણ અંગેના જે બે યુ-ટ્યુબ વિડીયો પોસ્ટ કરેલ છે એ નિહાળીને તમે નારાયણની હિમ્મત,તથા એના હૃદયની માનવતા નિહાળીને વારી જશો.તમને ખાતરી થશે કે આ સ્વાર્થી દુનિયામાંથી માનવતા હજુ સાવ મરી પરવારી નથી.
વાચકોના પ્રતિભાવ