વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ડિસેમ્બર 2012

( 155 ) વર્ડપ્રેસનો ૨૦૧૨ વર્ષ માટેનો રીપોર્ટ

વિનોદ વિહાર બ્લોગના વાચક મિત્રો,

વર્ડ પ્રેસ.કોમ સંસ્થાએ એના નિષ્ણાત આંકડાશાસ્ત્રીઓ દ્વારા મારા ગુજરાતી બ્લોગ વિનોદ વિહારની ગત વર્ષ

૨૦૧૨ દરમ્યાનની કામગીરી અંગે તૈયાર કરેલ વાર્ષિક રીપોર્ટ મોકલ્યો છે .

આ વર્ડપ્રેસનો ૨૦૧૨ વર્ષ માટેનો રીપોર્ટ આપની જાણ માટે આજની પોસ્ટમાં નીચે રજુ કરેલ છે .

વિનોદ વિહાર માટેના વર્ડ પ્રેસના આ રીપોર્ટની આ રહી કેટલીક વિશિષ્ટતાઓ

This blog had 42,000 views in 2012.

4,329 films were submitted to the 2012 Cannes Film Festival.
If each view were a film, this blog would power 10 Film Festivals

In 2012, there were 132 new posts, growing the total archive of this blog to 155 posts.

The visitors of this blog are spread in 93 countries in all !

Most visitors came from India . The United States & United Kingdom were not far behind.

આ રીપોર્ટ વાંચીને વાચકોને પોતાનો અભિપ્રાય જણાવવા અને મારા બ્લોગને હજુ વધુ સારો બનાવવા અંગે પોતાના

કોઈ સૂચન હોય તો જણાવવા વિનંતી છે.

I thank WordPress.com also for preparing such a nice Report for my Blog Vinod Vihar for 2012..

વિનોદ વિહાર બ્લોગને ૨૦૧૨ના વર્ષ દરમ્યાન આપેલ સહકાર બદલ સૌ વાચક મિત્રોનો આભારી છું.

“મૈ તો અકેલા હી ચલા જાનિબ-એ મંઝિલ મગર,
લોગ સાથ આતે રહે ઔર કારવાં બનતા ગયા.”

I wish you all a HAPPY NEW YEAR 2013.

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ” મરીઝ “

એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે .

–”મરીઝ ‘

MAY GOD BLESS YOU ALL IN THE NEW YEAR 2013

Enjoy this beautiful you-tube video and start the New Year 2013 with good thoughts .

વિનોદ આર.પટેલ

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

4,329 films were submitted to the 2012 Cannes Film Festival. This blog had 42,000 views in 2012. If each view were a film, this blog would power 10 Film Festivals

Click here to see the complete report.

(154 ) વિપુલ સમૃધ્ધિનાં દુષણો…………- કેલિડોસ્કોપ………લેખક-મોહમ્મદ માંકડ

દરેક માણસના લોહીમાં પશુના લોહીનો અંશ પડેલો જ હોય છે, પરંતુ જ્યાં સુધી એને એની જરૂરિયાત જેટલું જ ખાવા મળે છે ત્યાં સુધી પોતાનું પોત એ પ્રકાશતું નથી. જરૂરિયાતથી વધારે, વિપુલ પ્રમાણમાં જ્યારે એને વસ્તુઓની પ્રાપ્તિ થાય છે ત્યારે જ એનામાં રહેલા પશુઓનાં લક્ષણો સપાટી ઉપર આવે છે

આજનો માણસ બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે. એક ભાગ અતિસમૃદ્ધ કે પૈસાદારોનો છે, તો બીજો ભાગ ગરીબોનો છે. મધ્યમ વર્ગનો માણસ આ બન્નેની વચ્ચે ક્યારેક પીસાઈ રહ્યો છે, તો ક્યારેક રબ્બર બેન્ડની જેમ ખેંચાઈ રહ્યો છે.

માણસ જ્યારે એક તરફ સમૃદ્ધિની છોળો ઊડતી જુએ છે અને બીજી તરફ દારુણ ગરીબી અને ભૂખમરો જુએ છે ત્યારે સ્વાભાવિક રીતે જ માને છે કે સમૃદ્ધિમાં સુખ સિવાય કશું નથી અને ગરીબીમાં દુઃખ સિવાય કશું નથી, પરંતુ એ બેમાંથી એકેય સ્થિતિમાં સાચું સુખ રહેલું નથી એવું એને અનુભવે સમજાય છે. સુખી થવું હોય તો એને ખપ પૂરતી વસ્તુઓ મળી રહે એટલે એ સુખી થઈ શકે છે, કારણ કે માણસ પાસે જરૂરિયાત કરતાં વસ્તુઓ વધી જાય છે ત્યારે એનાં દૂષણોથી એ ભાગ્યે જ બચી શકે છે.

સમૃદ્ધિને માણસ સંયમથી જીતી શકે છે, પરંતુ સમૃદ્ધિ આવે છે ત્યારે ‘સંયમ’ નામનું એ શસ્ત્ર મોટે ભાગે બૂઠું થઈ જાય છે અને સમૃદ્ધિની સાથે જ માણસના જીવનમાં અનેક દૂષણો અને વિકૃતિઓ પણ દાખલ થઈ જાય છે, જે છેવટે એના જીવનને પાયમાલ કરી નાખે છે.

સો-સવાસો વર્ષ પહેલાં ટોલ્સ્ટોયે લખેલી એક નાનકડી વાર્તા આપણને આ બાબતમાં ઘણું કહી જાય છે. મૂળ રશિયન ભાષામાં લખાયેલી અને અંગ્રેજીમાં ભાષાંતર થયેલી એ વાર્તાનો સાર કાંઈક આ પ્રમાણે છે.

એક ગરીબ ખેડૂત વહેલી સવારે ઘોડાઓ લઈને પોતાનું ખેતર ખેડવા ગયો. સાથે લાવેલું ભાથું-જેમાં ફક્ત એક રોટલો જ હતો અને ફાળિયામાં વીંટાળીને સાચવીને શેઢાની ઝાડીમાં મૂક્યું.

બપોર થતાં રોટલો ખાઈને થોડો આરામ કરવાના ઇરાદે થાકી ગયેલા ઘોડાઓને વિરામ આપીને એણે ચરવા માટે છોડી મૂક્યા. ઝાડી પાસે જઈને રોટલો રાખેલો એ ફાળિયું એણે ઉપાડયું તો એ ફાળિયું તો ખાલી હતું. એમાંનો રોટલો તો કોઈ ચોરી ગયું હતું. આશ્ચર્યની વાત તો એ હતી કે ખેતરમાં એના પોતાના સિવાય બીજું કોઈ તો આવ્યું જ નહોતું અને છતાં ભાથાનો રોટલો ચોરાઈ ગયો હતો. એણે રોટલાની ઘણી તપાસ કરી પણ બધું વ્યર્થ હતું. રોટલો ચોરાઈ ગયો હતો એ હકીકતનો સ્વીકાર કર્યે જ છૂટકો હતો. એનો લૂખો સૂકો રોટલો પણ ચોરાઈ ગયો હતો એટલે એનું દુઃખ તો એને હતું જ, પરંતુ એથી એ એટલો ઉશ્કેરાઈ ગયો નહોતો કે ગાળાગાળી કરવા લાગ્યો નહોતો. ઊલટાનું એણે તો સ્વસ્થતાપૂર્વક સ્વીકારી લીધું કે જેણે એ રોટલો લીધો હશે એને એની જરૂર હશે અને એથી એનું પેટ તો ભરાશેને!

પોતે ભૂખ્યો હતો છતાં માત્ર પાણી પીને સંતોષ માનીને ફરી એ કામે લાગી ગયો હતો.

વાર્તામાં આગળ વધતાં ટોલ્સ્ટોય અહીં Evil-શેતાની તત્ત્વને કથાવસ્તુ તરીકે લઈ આવે છે. વાર્તામાં ટોલ્સ્ટોય કહે છે કે ખેડૂત જ્યારે ખેડ કરતો હતો ત્યારે શેતાનની સોબતમાં રહેતા એક વિઘ્નસંતોષી અને ઈર્ષ્યાખોર સેવક જેવા શેતાનના મદદગાર સાથીદારે એના રોટલાને ગૂમ કરી દીધો હતો.

શેતાનના એ સાથીદારે ખેડૂતને ચીડવીને ખૂબ જ ગુસ્સે કરવાના ઇરાદાથી એનો રોટલો ગુમ કરી દીધો હતો. એને હતું કે ખેડૂત ભૂખ્યો થશે એટલે ગુસ્સે થશે અને પોતાના મગજ ઉપરનો કાબૂ ગુમાવીને ઈશ્વર, શેતાન અને આખી દુનિયાને ગાળો આપશે. બધા સાથે ઝઘડા શરૂ કરશે, પરંતુ ખેડૂતે તો માત્ર પાણી પીને સંતોષ માની લીધો. કોઈના ઉપર ગુસ્સે થવાના બદલે એ તો પોતાના કામે લાગી ગયો. એ રીતે શેતાનના સાથીદારની કોઈ કારી ફાવી નહીં.

પેલા સાથીદારે શેતાનને જેવી આ વાત કરી કે શેતાનનો ગુસ્સો તો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે એને ધમકાવતાં કહ્યું કે તને તારું કામ આવડતું નથી. બધા આ રીતે જ વર્ત્યા કરશે તો આપણું તો કાંઈ ચાલશે જ નહીં, હું તને ત્રણ વરસનો સમય આપું છું. જો તું એને તારી જાળમાં ફસાવવામાં સફળ નહીં થાય તો મારે તને ફાંસીએ લટકાવી દેવો પડશે.

શેતાનની ધમકીથી એના સેવક અને ચાકર જેવો આ સાથીદાર ખૂબ મૂંઝાયો. ખૂબ વિચારને અંતે ખેડૂતને ફસાવવાની એક સચોટ યોજના તેણે ઘડી કાઢી.

મનુષ્યદેહ ધારણ કરીને ખેડૂતને ત્યાં એ એક મજૂર તરીકે રહેવા લાગ્યો. ખેડૂતને નાની-મોટી બધી વાતમાં એ મદદ કરવા લાગ્યો અને એમ કરીને ખેડૂતનો ઠીક ઠીક વિશ્વાસ એણે સંપાદન કરી લીધો. પહેલે જ વર્ષે દુષ્કાળ પડયો. બધા ખેડૂતોનો પાક સુકાઈ ગયો, પણ ખેડૂતને ખૂબ સારો પાક ઊતર્યો. શેતાનના સાથીદારોએ પહેલેથી જ ખેતરના નીચાણવાળા, કાદવવાળા ભાગમાં વાવણી કરવાની સલાહ આપી હતી. ખેડૂતને તો આખું વરસ ખાધા પછીએ દાણા વધે એટલો સારો પાક થયો હતો.

બીજા વરસે શેતાનના આ સાથીદારે ખેડૂતને ઊંચા અને ઢોળાવવાળા ભાગમાં વાવણી કરવાની સલાહ આપી. અગાઉના વર્ષે દુષ્કાળ પડયો હતો, પરંતુ આ વર્ષે એથી તદ્દન ઊલટું બન્યું અને અતિ વરસાદ પડયો. સખત વરસાદને કારણે બીજા ખેડૂતોનો માલ ધોવાઈ ગયો અને સડી પણ ગયો, પરંતુ આ ગરીબ ખેડૂતનું નસીબ બીજા વર્ષે પણ ખીલી ઊઠયું. પહેલા વર્ષ કરતાંય પાક વધારે આવ્યો. વધારામાં દાણાનું શું કરવું એનો એણે વિચાર કરવો પડે એમ હતું.

હવે શેતાનના સાથીદારની શેતાની શરૂ થઈ. દાણા બીજા વર્ષ માટે સાચવી રાખવાનું કે બીજા ખેડૂતોને મદદરૂપ થવાનું શીખવવાના બદલે એણે ખેડૂતને અનાજ કોહવડાવીને એમાંથી દારૂ બનાવતાં શીખવ્યું.

બહુ જ થોડા સમયમાં ખેડૂતને એણે દારૂનો પાકો વ્યસની બનાવી દીધો. બહુ જલદી ઓળખીતા પાળખીતા મિત્રો અને સંબંધીઓની મહેફિલ એને ત્યાં જામવા માંડી. ખેડૂત હવે એની પત્ની પાસે પણ દારૂ પીરસાવીને મહેમાનોની સરભરા કરાવતો હતો અને નશામાં છાકટો બનીને પત્ની સાથે સામાન્ય કારણસર પણ ઝઘડવા લાગતો હતો.

ગરીબ હતો ત્યારે પોતાનો લૂખો સૂકો રોટલો ચોરાઈ ગયો હતો છતાં જે ખેડૂતે એ ચોરી કરનારનું ખરાબ ઇચ્છયું નહોતું એ હવે વાત વાતમાં ઝઘડા ઉપર ઊતરી આવતો હતો.

આ વખતે શેતાન પોતાના સાથીદારના કામની કમાલ જોઈને ખૂબ રાજી થયો. એણે જોયું કે ખેડૂત અને એના મહેમાનો દારૂના નશામાં ગમે તેવો બકવાસ કરતા હતા. એકબીજા માટે હલકામાં હલકી ભાષા વાપરતા હતા અને ઘૂરકિયાં કરીને અંદરોઅંદર લડતા હતા. શેતાને પોતાના સાથીદારને એ બદલ શાબાશી આપી.

દારૂની ત્રણ-ત્રણ પ્યાલીઓ ચડાવીને યજમાન ખેડૂત મહેમાનોને વળાવવા ગયો ત્યારે તો એ લથડિયું ખાઈને ઊંધા મોંએ ગટરમાં જ પડયો અને ભૂંડની જેમ આળોટવા લાગ્યો.

આ જોઈને શેતાને ખૂબ જ આનંદિત થઈને કહ્યું, “વાહ! તેં તો અદ્ભુત કામ કર્યું છે, પણ એ તો કહે કે તેં આ પીણું બનાવ્યું છે કઈ રીતે? મને લાગે છે કે તેં આ પીણું બનાવવા માટે પહેલાં શિયાળનું લોહી લીધું હશે, જેનાથી ખેડૂતો એકબીજાને જૂઠી વાતો કરીને છેતરતાં શીખ્યા. પછી એમાં તે વરુનું લોહી ઉમેર્યું હશે અને છેલ્લે ભૂંડનું લોહી નાખ્યું હશે, જેથી તેઓ ભૂંડની જેમ આળોટતાં થઈ જાય.”

સેવક સાથીએ જવાબ આપ્યો, “ના, માલિક, મેં તો એવું કાંઈએ કર્યું નથી. મેં તો ફક્ત ખેડૂત પાસે એની જરૂરિયાત કરતાં વધારે અનાજ ભેગું થાય એટલી જ ગોઠવણ કરી હતી. દરેક માણસના લોહીમાં પશુના લોહીનો અંશ પડેલો જ હોય છે, પરંતુ જ્યાં સુધી એને એની જરૂરિયાત જેટલું જ ખાવા મળે છે ત્યાં સુધી પોતાનું પોત એ પ્રકાશતું નથી. જરૂરિયાતથી વધારે, વિપુલ પ્રમાણમાં જ્યારે એને વસ્તુઓની પ્રાપ્તિ થાય છે ત્યારે જ એનામાં રહેલા પશુઓનાં લક્ષણો સપાટી ઉપર આવે છે. ખેડૂતને ત્યાં જ્યારે જરૂર કરતાં વધારે દાણા પાક્યા ત્યારે એમાંથી દારૂ બનાવીને મોજ માણવાનો મેં ચીંધેલો રસ્તો એણે અખત્યાર કર્યો.

જ્યારે ધરતીએ આપેલા દાણાની અમૂલ્ય ભેટને એણે દારૂમાં પરિવર્તિત કરી ત્યારે એનામાં વસેલું શિયાળનું, વરુનું તથા જંગલી ભૂંડનું લોહી બહાર આવ્યું. હવે જો તે આ રીતે જ જીવવાનું ચાલુ રાખશે તો પશુ જેવો થઈ જશે.

શેતાને સફળતા બદલ પોતાના સાથીદારને શાબાશી આપીને એની પીઠ થાબડી.

ટોલ્સ્ટોયની આ વાર્તા આટલાં વર્ષો પછી પણ એટલી જ પ્રસ્તુત છે. સમૃદ્ધિમાં શેતાન દાખલ થયા વિના રહેતો જ નથી અને આજે તો અગાઉ ક્યારેય નહોતાં એટલાં બધાં મનોરંજનનાં સાધનો ઉપલબ્ધ થયાં છે. ટોલ્સ્ટોયના જ શબ્દોમાં કહીએ તો મનોરંજનનાં એ સાધનો પાછળ પાગલ થનાર આજના માણસને જોઈને શેતાન જરૂર હરખાતો હશે કે કુદરતે આપેલી અમૂલ્ય ભેટને આજનો માણસ પોતાના ક્ષણિક આનંદ માટે કેવી વિકૃત બનાવી રહ્યો છે!

સમૃદ્ધિ અને વિપુલતા માણસમાં રહેલી માણસાઈ અને એના સંસ્કારોને છીનવી લે છે. એનામાં વસેલાં પશુઓનાં લક્ષણોને સપાટી પર લઈ આવે છે. આજે શરાબની મહેફિલો, હુક્કાબાર ડ્રગ્ઝ વગેરેનો જે રીતે વધારો થઈ રહ્યો છે એ વિપુલ સમૃદ્ધિનું પરિણામ છે અને એમાં પુરુષો સાથે જે રીતે વધુ ને વધુ સ્ત્રીઓ જોડાઈ રહી છે તે તેની પરાકાષ્ટા સૂચવે છે.

સૌજન્ય -કેલિડોસ્કોપ ,સંદેશ

Suresh Dalal-Quote

( 153 ) Merry Christmas and Happy New Year 2013

TO ALL FAMILY MEMBERS  AND FRIENDS ,

Wishing you a Merry Christmas

MERRY CHRISTMAS & HAPPY NEW YEAR 2013  -Video

Nice Christmas song of Celine Dion with few pictures of Xmas and Santa.

Glory to God in to highest; and on earth peace to man of good will !

Wishing you and your family

Merry Christmas

&

Happy New Year 2013

May GOD Bless You All

Vinod Patel

________________________________________

Snow Village 3D Screensaver

Rendiar -merry christmas

( 152 ) વિજયી બનનાર ગુજરાતના સુકાની નરેન્દ્ર મોદીને અભિનંદન

સતત ત્રણ વાર વિજયી બનનાર મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી

સતત ત્રણ વાર વિજયી બનનાર મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભાજપને ફરી એકવાર જંગી બહુમતીથી વિજયી બનાવી છે .

ગુજરાતમાં ૧૮૨ બેઠકોની વિધાનસભા માટે બે તબક્કે થયેલી ચૂંટણીમાં શાસક ભાજપે ૧૧૫ બેઠકો પર જીત મેળવી લઈને

બહુમતી પ્રાપ્ત કરી છે.આમ, ગુજરાતમાં બીજા પાંચ વર્ષ માટે ભાજપ પક્ષે સત્તા જાળવી રાખી છે .

મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે ૬૧ બેઠક જીતી છે.૨૦૦૭ની ચૂંટણીમાં મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે ૧૧૭ બેઠકો જીતી હતી જ્યારે

કોંગ્રેસના ઉમેદવારોએ ૫૯ બેઠકો જીતી હતી .આમ, ભાજપને બે સીટનું નુકસાન થયું છે જ્યારે કોંગ્રેસને બે સીટનો ફાયદો

થયો છે.

ભાજપમાંથી છૂટા થઈને ગુજરાત પરિવર્તન પાર્ટી નામે અલગ પક્ષ રચનાર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ (૮૩)

વિસાવદરમાંથી જીતી ગયા છે.તેમની પાર્ટીએ માત્ર ત્રણ  જ બેઠક જીતી છે .

૭ ઑક્ટોબર ૨૦૦૧ના દિવસે ગાદીનશીન થયેલા નરેન્દ્ર મોદી જુલાઈ ૨૦૦૭માં ૨૦૬૩ દિવસ સળંગ સત્તા પર રહીને લાંબો

સમય ગુજરાત ખાતે સત્તા પર રહેવાનો રેકૉર્ડ બનાવી ચૂક્યા હતા.

ગુજરાતમાં ભાજપ પક્ષએ 1995માં સતા ગ્રહણ કરી ત્યારબાદ સતત પાંચમી વખત આ જીત મળી છે .આમ ગુજરાતમાં

વિરોધી કોંગ્રેસ પક્ષ ૧૭ વર્ષથી ગુજરાતમાં સતા મેળવવાના બધા જ પ્રયત્નો કરવા છતાં સતા હાંસલ કરી શક્યો નથી .

 7 મી ઓક્ટોબર, 2001 માં મુખ્યમંત્રી પદ મેળવ્યા પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2002, 2007 અને આ વખતે 2012માં

ચૂંટણીઓ યોજાઈ   એમાં શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સતત ત્રીજી વખત સત્તા મળતાં એમણે હેટ્રીક નોંધાવી છે.

 આ વિજયથી સમગ્ર પક્ષમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ સર્જાયુ છે.ગુજરાતભરમાં ભાજપના કાર્યાલયોમાં અને તેની બહાર

કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહ વ્યાપી ગયો છે. સૌએ ફટાકડા ફોડી ઢોલ-નગારા વગાડીને નાચીને પોતના આનંદની

અભિવ્યક્તી કરી હતી .વિદેશમાં રહેતા ગુજરાતીઓમાં પણ મોદીના આ વિજયથી આનંદ ફેલાયો છે.

૨૫ ડિસેંબરે ભાજપના નવા ચૂંટાયેલા વિધાનસભ્યો વિધિસર નરેન્દ્ર મોદીને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી

કાઢશે.મોદીની  મુખ્ય પ્રધાન તરીકેની શપથ ગ્રહણ વિધિ સમારંભ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં 26 મી ડિસેમ્બર

૨૦૧૨ના દિવસે યોજાય એવી ધારણા છે.

 નરેન્દ્ર મોદીએ ભાજપને સત્તા અપાવવા બદલ ગુજરાતની ૬ કરોડની જનતાનો આભાર માન્યો છે અને એમની નેતાગીરીમાં

આવતા પાચ વર્ષોમાં ભવ્ય ગુજરાતના નિર્માણનું સ્વપ્ન સાકાર કરવાની ખાતરી આપી છે..

વિજય મેળવ્યા બાદ નરેન્દ્ર મોદીએ એમનાં પૂજ્ય માતુશ્રી હિરાબેનની મુલાકાત લઈને એમના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.

આ ચૂંટણીમાં એમના કટ્ટર વિરોધી બની ભાજપમાંથી છૂટા થઈને ગુજરાત પરિવર્તન પાર્ટી નામે અલગ પક્ષ રચનાર ભૂતપૂર્વ

મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ (૮૩)ના ગાંધીનગરના નિવાસ સ્થાને જઈને એમના પણ આશીર્વાદ એમણે પ્રાપ્ત કર્યા એ

મોદીની ખેલદિલી બતાવે છે .

વિજય પછી એમની માતા હિરાબેનના આશીર્વાદ મેળવતા શ્રી નરેન્દ્ર મોદી

વિજય પછી એમની માતા હિરાબેનના આશીર્વાદ મેળવતા શ્રી નરેન્દ્ર મોદી

વિજય પછી કેશુભાઈ પટેલને ત્યાં જઈને આશીર્વાદ લેતા અને મો મીઠું કરાવતા નરેન્દ્ર મોદી

વિજય પછી કેશુભાઈ પટેલને ત્યાં જઈને આશીર્વાદ લેતા અને મો મીઠું કરાવતા નરેન્દ્ર મોદી

આ અગાઉ શ્રી નરેન્દ્ર મોદી વિશેની મારી પોસ્ટ નમ્બર  145 – નરેન્દ્ર મોદી અને એમનું અનોખું વ્યક્તિત્વ અહીં વાંચો 

___________________________________________________________________

શ્રી નરેન્દ્ર મોદી અંગે શ્રી ઉત્તમભાઈ ગજ્જર તરફથી ઈ-મેલમાં શ્રી મૃગાંક શાહની સુંદર કાવ્ય રચના પ્રાપ્ત થઇ છે  એ

મને ખુબ ગમી છે .આ કાવ્ય રચનાને શ્રી મૃગાંક શાહ અને મિત્ર શ્રી ઉત્તમભાઈના  આભાર સાથે નીચે રજુ કરું છું.

કોંગ્રેસના ભ્રષ્ટાચારે  આખા દેશની ઘોર ખોદી  છે,

દેશને વિકાસની દિશા બતાવનાર એકમાત્ર મોદી છે.

દિલ્હીની ગાદી પર બેઠેલા બધા મહમ્મદ લોદી છે,

ગદ્દારોને એમની જગ્યા બતાવે એવા એકમાત્ર મોદી છે.

કેન્દ્રના સત્તાવાળાઓએ તો ગુજરાતની પ્રગતી રોકી છે,

ગુજરાતને પ્રગતિના પંથે આગળ લઈ જનાર માત્ર મોદી છે.

વારસાગત શાસન ચલાવનારા લોકશાહીના વિરોધી છે,

જેને આગળ પાછળ કોઈ વારસ જ નથી એ માત્ર મોદી છે.

કોલગેટ ને ટુજી જેવા કૌભાંડોમાં દેશને અબજોની ચોંટી છે,

‘ખાય નહિ અને કોઈને ખાવા ના દે’ એવા એકમાત્ર મોદી છે.

પાકિસ્તાન અને ચીનની રોજની ધમકીઓ કેટલી ખોટી છે,

એ બંનેને મુંહતોડ જવાબ આપી શકે એવા એકમાત્ર મોદી છે.

ગુજરાતમાં જે આવે એને માટે પુરતી રોજીરોટી છે,

ભારત દેશના પીએમ બની શકે એવા એકમાત્ર મોદી છે.

–મૃગાંક શાહ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત  ત્રીજી વાર વિજયી

બનીને હેટ્રિક સર્જનાર ગુજરાતના સુકાની નરેન્દ્ર મોદીને

અભિનંદન અને અનેક શુભેચ્છાઓ

સંકલન- વિનોદ પટેલ 

( 151 )આજના સમયની એક સમસ્યા – મલ્ટીટાસ્કિંગ (Multi tasking)

આ એકવીસમી સદીમાં લોકો મલ્ટીટાસ્કર એટલે કે બે થી વધુ કામો એક સાથે કરવામાં માનતા થઇ ગયા છે .તેઓ એમ માને છે કે આજની ખુબ ઝડપથી બદલાતી દુનિયામાં મલ્ટિ-ટાસ્કિંગ કરવું એ એક જરૂરીયાત બની ગઈ છે, અને એ જો ન કરીએ તો ફેંકાઇ જઈએ .

આ અગાઉ જેમના બે લેખો આ બ્લોગમાં પોસ્ટ થઇ ચુક્યા એ વિનોદ વિહારના શુભેચ્છક મિત્ર લેખક શ્રી પી.કે.દાવડાનો મલ્ટીટાસ્કિંગ અંગેનો સુંદર લેખ એમના આભાર સાથે આજની પોસ્ટમાં મુકવામાં આવ્યો છે .

એક વસ્તુ નક્કી છે કે એક કરતાં વધુ કામ એક સાથે કરવામાં આપણું એટેન્શન સ્પાન દરેક કામમાં વહેંચાઈ જાય છે અને કામમાં જોઈએ એવી બરકત આવતી નથી.દરેક માણસની મગજની શક્તિ એક સરખી નથી હોતી અને એકથી વધુ કામ કરવા માટે માણસના મગજની મર્યાદા નડતી હોય છે .આ વિચારની  પૂર્તિ કરતો યુ-ટ્યુબનો એક સરસ વિડીયો The Brain Cannot Multi-task  શ્રી દાવડાના લેખ પછી નીચે મુક્યો છે,એ તમને જરૂર ગમશે

વિનોદ આર. પટેલ     

_____________________________________________________________

multitasking

                                                             ( Photo courtesy- Google image )

આજકાલ આપણી કોઈપણ કામ કરવાની એકાગ્રતા ઘટતી જાય છે. આનુ કારણ એક જ સમયમાં એકથી વધારે કામો કરી લેવાની વૃત્તિ (Multi tasking) માં થઈ રહેલો વધારો છે. આજે દુનિયા ઝડપી થઈ રહી છે, એટલાં બધાં કામો કરવાની ઈચ્છા થાય છે કે ૨૪ કલાકનો દિવસ પૂરો થતો નથી, એટલે એકી સમયે એકથી વધારે કામ કરવાની વૃત્તિ કેળવાય છે.

આજે માહિતીના ઘોડાપૂર અને સંપર્કના સાધનોની સગવડ માણસના મગજને થકાવી દેવા સમર્થ છે. આવી પરીસ્થિતિમાં કોઈપણ વસ્તુ ઉપર સંપૂર્ણ ધ્યાન આપવાનું શક્ય જ નથી. આજની પરીસ્થિતિનેroller coaster સાથે સરખાવી શકાય. એકવાર એમાં સવાર થયા તો વચ્ચે ઉતરી જવાનું લગભગ અશક્ય છે.

આની શરૂઆત રેડિયોના આગમનથી થઈ ગઈ હતી. લોકો રેડિયો સાંભળતા સાંભળતા બીજું કામ કરતાં શિખી ગયા. ટેલિફોનનું પણ લગભગ આવું જ થયું. સ્પીકો ફોન ચાલુ રાખી, ફોનપર વાતચીત કરતાં કરતાં શાક સમારતી ગૃહિણીઓ બધાએ જોઈ હશે. ટી.વી.નું પણ આવું જ છે. મોબાઈલ પર વાત કરતાં કરતાં કાર ચલાવવાનું જોખમ ભરેલું કામ પણ આજકાલ સામાન્ય છે.

SMS અને Text Message, Twitter અને Facebookયુવાનોનો કેટલો સમય લઈ લે છે એની કલ્પના કરવી મુશ્કેલ છે. જ્યારે લોકો ટી.વી. જોતાં જોતાં ટેલીફોન પર વાત કરતા હોય છે ત્યારે એ કોનું સાંભળે છે એ સમજવું મારા માટે મુશ્કેલ છે.કેટલાક લોકો આમાંથી છૂટવાનો વિચાર કરે છે. પ્રયત્ન પણ કરે છે. કેટલાક લોકો મોબાઈલ ઘરે મૂકી સવારના ફરવા જાય છે,કેટલાક લોકો મોબાઈલ બંધ કરી યોગા કરે છે.પ્રત્યેક પ્રયત્ન દિમાગને થોડો આરામ આપવા માટે છે.

આજની યુવા પેઢી આવી વસ્તુઓથી ટેવાઈ ગઈ હોય છે, એટલે એમને આવા પ્રયત્નો કરવા પડતા નથી.જો કે એમની એકાગ્રતાની ક્ષમતા વત્તે ઓછે અંશે ઓછી થઈ જાય છે.

એ હકિકત છે કે જ્યારે આપણે લેપટોપ લઈને બેસીએ છીએ ત્યારે જાણે આખી દુનિયાને ખોળામાં લઈને બેસીએ છીએ. આવે વખતે દુનિયા જોડે વાતચીત કરવાની લાલચ આપણે રોકી શકતા નથી.

આ બધાની એક આડ અસર એ છે કે એસ.એમ.એસ. ના ટુંકા ટુંકા વાક્યોની આદત પડ્યા પછી આપણે લાંબા વાક્યો બોલી કે લખી શકતા નથી. MTV ના તાલ પર નાચતા થયા પછી, આપણી શબ્દોની જરૂરીઆત ઘટી જાય છે.

કેટલાક લોકો માને છે કે multitasking થી કાર્યક્ષમતા વધે છે. હકીકતમાં આવું નથી. દરેક કામમાં ૧૦૦ % એકાગ્રહતાના અભાવથી રહી ગયેલી ભૂલો સુધારવામાં પછીથી વધારે સમય આપવો પડે છે. શિક્ષણ માટેની કોન્ફરંસમાં જઈ,લેપટોપ પર ઈ-મેલ ચેક કરતા લોકો બન્ને વસ્તુને પુરતો ન્યાય આપી શકતા નથી.

હવે લોકોને આ સમજાવા લાગ્યું છે, પણ માહિતીના યુગમા આપણે પાછળ ન રહી જઈએ એ બીકમાં આમાં થી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા નથી. વળી ઈ-મેલનો જવાબ ન આપવો એ કોઈને પરવડે એવું નથી, પણ મુશીબત એ છે કે જવાબ આપવા જેટલો સમય આપણે ફાળવી શકીએ એટલા સમયમાં બીજા એનાથી પણ વધારે ઈ-મેલ આપણને આવી ચૂક્યા હોય છે.

જ્યારે પણ કોઇ નવી શોધ થાય છે ત્યારે આપણે ઉત્સાહમાં આવી જઈ એનો જોરદાર સ્વાગત કરીએ છીએ. થોડા વર્ષોના અનુભવ પછી જ્યારે એના ગેરફાયદા સામે આવે છે, ત્યારે આપણે એનાથી એટલા ટેવાઈ ગયા હોઈએ છીએ કે ગેરફાયદાને નજરઅંદાઝ કરીએ છીએ. દા.ત. ટી.વી.

આ બધામાંથી થોડેઘણે અંશે બહાર આવવાનો એક સરળ ઉપાય છે. જેમ આપણે આપણી તંદુરસ્તી માટે એકટાણા અપવાસ કરીએ છીએ, તેમ ક્યારેક ટી.વી. ને તો ક્યારેક લેપટોપને, ક્યારેક મોબાઈલને તો ક્યારેક કારને છૂટી આપી, એનાથી બચેલો સમય આપણે એવી પ્રવૃત્તિમાં ગાળીએ કે જે આપણે કરવા ઈચ્છીએ છીએ પણ સમયના અભાવે કરી શકતા નથી.

પી.કે. દાવડા

_______________________________________________________________

The Brain Cannot Multi-task — વીડિઓ .

(150) અમેરિકામાં શાળા –કોલેજોમાં વધતી જતી હિંસાખોરી ક્યારે દુર થશે ?

President-Barack-Obama-wipes-a-tear-as-he-speaks-about-shooting-at-Sandy-Hook-Elemetary-School-in-Newtown .Conn.
President-Barack-Obama-wipes-a-tear-as-he-speaks-about-shooting-at-Sandy-Hook-Elemetary-School-in-Newtown .Conn.

હાલ અમેરિકામાં ચોમેર ક્રીસમસની શાનદાર ઉજવણી કરવા માટે  આનંદનો માહોલ ચાલી રહ્યો છે. આવા ઉત્સાહના વાતાવરણ વચ્ચે તારીખ ૧૪મી ડિસેમ્બર ૨૦૧૨ની એ ગોઝારા શુક્રવારની સવારે ક્નેટીકટના ન્યુ ટાઉન  શહેરમાં આવેલ Sandy hook Elementary School માં એક માર્ગ ભૂલેલા ૨૦ વર્ષીય જુવાન આદમએ કરેલ ઘાતકી ગોળીબારમાં જોતજોતામાં ૨૦ નિર્દોષ બાળકો અને ૬ સ્કુલના હિમતવાન શિક્ષકો મૃત્યુને ભેટી ગયાં. આખા દેશમાં હાહાકાર ફેલાઈ ગયો.

અકાળે મોતને ભેટેલ આ વીસ વિદ્યાર્થીઓ મોટા ભાગનાં છ થી સાત વર્ષની કુમળી વયનાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી ૧૨ બાલિકાઓ અને આઠ બાળકો હતાં . એમનાં માં-બાપ જેઓ સવારે વહેલા ઉઠી એમને શાળામાં મૂકી આવ્યાં હશે તેઓ  એમને ફરી હસતાં કુદતાં પાછાં જોવા નહી મળે એથી એમના હૃદયમાં થતા દુખની  કલ્પના કરતાં જ આપણું હૃદય ભારે થાય છે.ટીવી ઉપર બતાવતાં દ્રશ્યો દિલમાં  કમકમાટી અને કરુણા ઉપજાવે છે.શું ગુનો કર્યો હશે આ ફૂલ જેવાં બાળકોએ કે એ ખીલે એ પહેલાં જ મુરઝાઈ ગયાં !

છેલ્લા ચાર વર્ષમાં સ્કુલોમાં ,થીયેટરમાં ,સ્ટોરોમાં કેટલા બધાં માણસો ગનથી મોતને શરણ થયાં!આમ કેમ થતું હશે?. આજે અમેરિકામાં ૨૦૦ મીલીયનથી વધુ ગન સરક્યુંલેશનમાં છે . આવા બનાવો બને છે ત્યારે ચોમેર ગન કન્ટ્રોલના કાયદામાં મૂળભૂત ફેરફાર કરવાની વાતો જોર શોરથી શરુ થાય છે અને થોડા દિવસોમાં આવો બીજો બનાવ બને ત્યાં સુધી રાજકારણ ખેલાય છે અને બધું ભૂલાઈ જાય છે.જેમ ચાલે છે એમ ચાલ્યા કરે છે.હાલ અમેરિકામાં બંધારણમાં આપેલ વ્યક્તિ સ્વાત્રન્ત્યના   હક્કને લીધે ગન ખરીદવી એ સ્ટોરમાં જઈને કેન્ડી ખરીદવા જેવું સહેલું બની ગયું છે.

આજના  માહોલમાં જનતામાં આવી હિંસા રોકવા માટે જાગૃતિની હવા ફેલાઈ રહી છે.દેશના પ્રેસિડન્ટ અને કેટલાંક રાજકીય વર્તુળોમાં ગન રાખવાના કાયદામાં જરૂરી ફેરફારો કરવાની વાતો શરુ થઇ છે.જોઈએ છીએ એ કઈક મૂર્ત સ્વરૂપ ધારણ કરે છે કે પછી આગળ બનતું આવ્યું છે એમ આરંભે શુરો ગુજરાતીની કહેવત છે એ મુજબ જેમ હાલે છે એમ હાલતું રહે છે.

આ સંદર્ભમાં હ્યુસ્ટન રહેતા મારા મિત્ર શ્રી પદ્મકાંત ખંભાતી તરફથી મને એક ઈ-મેલ મળ્યો છે એને નીચે મુકેલ છે જે વિચારવા જેવો અને અમલ કરવા જેવો છે.

Namaste to all,

Don’t you think this is our job, parents’ job, society’s job to change the thoughts about the GUNS?

 
It takes a village to do that, particularly in USA ,when our country USA is having so much VIOLENCE everywhere.

I would suggest from Hindu Organisations  and temples to start Signature Campaign against such violence and show to our local, State and Federal Politicians our, Hindus’ feelings and actions.

 
Please do something URGENT NOW when it is FRESH and hot topic here. Otherwise we all know that a big TALK and no actions!!!

If you ask me “What are you doing , just suggesting?, I would, YES suggest all temples and organizations to have one preliminary meeting by HGH ( I can say this being one Founder of this active organization)

Thanks
Padmakant Khambhati

મિત્ર શ્રી ખંભાતીની માફક આ દેશના એક જાગૃત નાગરિક તરીકે બીજાંઓએ પણ તેઓ જે સંસ્થા સાથે જોડાયેલ હોય એમાં સંગઠિત  રીતે આવી ઝુંબેશ શરુ કરવી જોઈએ.

આ ગમખ્વાર હત્યાકાંડનો ભોગ બનેલ સૌ કમનશીબ 20 બાળકો અને 6 શિક્ષકોના આત્માને

પ્રભુ શાંતિ બક્ષે એ જ પ્રાર્થના .

વિનોદ આર. પટેલ

_______________________________________________________

Dear-God-violance-in-the-school-Photo Courtesy Mr. Khambhati
Dear-God-violance-in-the-school-Photo Courtesy Mr. Khambhati
Makeshift memorial at Sandy Hook Elementary,New Town, Conn.
Makeshift memorial at Sandy Hook Elementary,New Town, Conn.

President Obama’s Speech At Sandy Hook Vigil: ‘These Tragedies Must End’