માં વિવિધ પ્રકારના ચેહરાઓ માં એક પ્રકાર મનમોહન ચેહરા કેવા હોય એ વિષે આ પ્રમાણે લખ્યું છે .
“મનમોહન ચેહરા :
આ પ્રકારના ચેહરાઓમાં અન્ય કોઇ ખુલાસાની જરૂર જ નથી. મરી જાઓ તો ય કોઇ હાવભાવ ન આવે.જન્મ વખતે ચેહરા પર જે માલ મૂકાયો હોય, એ આજ સુધી બદલાયો નથી. ઉપરથી જ ડીઝાઇન આવી હોય છે.નામ ‘મનમોહન’ પણ આપણા મનને કે તનને મોહી લે, એવો એકે ય વળાંક ચેહરામાં ઉમેરાતો નથી. આવા ચેહરાને અવાજ સાથે સીધો સંબંધ હોવાથી એ ય નીકળતો નથી. અલબત્ત, કહેવાય છે કે, આવા ચેહરાઓ બેસણાંમાં વાપરવાના બહુ કામમાં આવે છે,તમે રડો કે મરો, મનમોહન ચેહરાઓમાં લાઈફટાઈમની વૉરન્ટી હોય. હોઠ પણ જમવા ટાણે ખુલે. “
ગાંધીજીના ત્રણ વાંદરા અને મનમોહનસિંહ —સોનિયાજી
બુરા મત દેખો …..બુરા મત સુનો …. બુરા મત બોલો
સુપર સ્ટાર અમિતાભ બચ્ચનનો ” કોન બનેગા કરોડપતિ ” ટી.વી.પ્રોગ્રામ બહું લોકપ્રિય છે . આ પ્રોગ્રામ ઉપરથી એક પેરડી ” કોન બનેગા રોડ પતિ ” નીચેના વિડીયોમાં મુગા વડા પ્રધાન મનમોહનસિંહને હોટ સીટમાં બેસાડીને કરવામાં આવી છે એ ખુબ મજાની છે .
Kaun Banega Roadpati – Mr. PM Singh
આપણે જાણીએ છીએ કે ૨૦૦૪માં કોંગ્રેસના નેતાઓએ ઈટાલીમાં જન્મેલ સોનિયા ગાંધીની આ દેશના વડા પ્રધાન તરીકે પસંદગી કરી હતી . પરંતુ સોનિયાજીએ મનમોહનસિંહને આ પદ સોંપ્યું હતું .કોંગ્રેસના આ નેતા સોનિયાજીને હજુ હિન્દીમાં બોલવું બહું ફાવતું નથી અને કોઈવાર એમનું પ્રવચન હાસ્ય ઉપજાવતું હોય છે .
ભારતમાં એક જાણીતા હાસ્યના ટી.વી. પ્રોગ્રામમાં મનમોહનસિંહ અને સોન્યાજી વચ્ચે થયેલ જે રમુજી સંવાદ રજુ કર્યો છે એનો હાસ્યથી ભરપુર નીચેનો વિડીયો માણો .
સત્યયુગમાં શ્રવણ કાવડમાં
પોતાના માતા પિતાને
યાત્રા કરવા લઈ ગયો હતો.
આ વાત તો બધા જાણે છે.
પણ આ હડહડતા કળિયુગમાં ૫૨ વર્ષના શ્રવણને એના માબાપ સાચવે; બહાર લઈ જાય – એ વાત માનવા જેવી લાગે છે?
મિત્ર શ્રી સુરેશભાઈ જાનીના બ્લોગ સૂર સાધનામાં આ પ્રેરક વાત વાંચી જે દિલને સ્પર્શી ગઈ .
સુરેશભાઈના આભાર સાથે વિ.વિ .ના વાચકો માટે એને રી-બ્લોગ કરતાં આનંદ થાય છે .
સત્યયુગમાં શ્રવણ કાવડમાં
પોતાના માતા પિતાને
યાત્રા કરવા લઈ ગયો હતો.
આ વાત તો બધા જાણે છે.
પણ આ હડહડતા કળિયુગમાં ૫૨ વર્ષના શ્રવણને એના માબાપ સાચવે; બહાર લઈ જાય – એ વાત માનવા જેવી લાગે છે?
શ્રી. અને શ્રીમતિ દલાલનો ૫૨ વર્ષનો પુત્ર જન્મથી ‘સેરેબ્રલ પાલ્સી’ નામના અસાધ્ય રોગનો ભોગ અનેલો છે. આવા બાળકને મા બાપ મોટી ઉમર સુધી પાળે; એ આ યુગમાં માની ન શકાય એવી વાત તો છે જ.
પણ એનાથી વધારે પ્રશંસનીય હકીકત એ છે કે, જયંતિભાઈ મુંબાઈના એક સફળ ઉદ્યોગપતિ અને જાણીતા સાહિત્યકાર છે. આ દીકરાની ચાકરી માટે ખાસ નર્સ/ નોકર રાખી શકે તેમ છે. પણ એ દીકરાને તેઓ સહેજ પણ અવગણતા નથી – એને બાજુએ હડસેલી દીધો નથી.
માનવતાના આ અમૂલ્ય ઉદાહરણ માટે વસુમતીબેન અને જયંતિ ભાઈને સો સલામ.
વાચકોના પ્રતિભાવ