વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: એપ્રિલ 2014

( 443 ) પહેલી મે , ગુજરાતના સ્થાપના દિને અભિનંદન અને શુભેચ્છાઓ

 

Jay Jay Garvi Gujarat -Narmad

આજે ૧ લી  મે, ૨૦૧૪ એટલે આપણા વતન ગરવી ગુજરાતનો  ૫૪મો જન્મ દિવસ .        

આજથી ૫૪ પહેલાં ૧ લી મે ,૧૯૬૦ના રોજ , ગાંધીની પુણ્ય ભૂમિ સાબરમતિ આશ્રમમાં,

ગાંધી ભક્ત પૂજ્ય રવિશંકર મહારાજે મંગલ દીપ પ્રગટાવ્યા બાદ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી .

પ્રથમ મુખ્યમંત્રી તરીકે , ડો જીવરાજ મહેતાએ શપથ લીધા અને અમદાવાદ રાજધાની બનાવી

૧૯૭૦માં સરકારે નવા સચિવાલયમાં કામ શરૂ કર્યું જેને હાલ વિસ્તારીને મોટું બનાવવામાં આવ્યું છે .

ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે આગેવાન નેતા ભેટ આપેલ છે,

મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ .

ગાંધીજીની આગેવાની નીચે દેશ સ્વતંત્ર થયો અને સરદારે દેશને ટુકડાઓમાં વિભાજીત થતો બચાવીને

એક અવિભાજ્ય દેશનું સર્જન કરીને દેશની ખુબ જ મોટી સેવા બજાવી છે .

ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર ઉપરાંત મોરારજી દેસાઈ, વૈજ્ઞાની ડૉ.વિક્રમ સારાભાઈ અને ઉદ્યોગ વીર

ધીરુભાઈ અંબાણીની પણ ભેટ દેશને આપી છે ,જેના માટે ઋણી દેશ હંમેશાં એમને યાદ કરતો રહેશે.

Gujrat- Gandhi Sardar ........

ગુજરાતના હાલના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એમના સતત વિક્રમી ૧૩ વર્ષની મુદત દરમ્યાન સુંદર રાજ્ય

વહીવટ કરીને ગુજરાતની સિકલ બદલી નાખી છે  અને વિશ્વમાં ગુજરાતના નામને ગુંજતું કર્યું છે .

NaMo- Victory sign

આ શ્રી નરેન્દ્ર મોદી ભાજપના વડા પ્રધાનના એક ઉમેદવાર તરીકે  હાલ ચૂંટણી જંગ લડી રહ્યા છે .

વડા પ્રધાન પદે ચૂંટાઈ  આવવાની એમના માટે પૂરી શક્યતાઓ દેખાય છે .

આપણે ગુજરાતના આ સપૂતની  સફળતા માટે અને ગાંધી અને સરદાર પછી એક કાર્યદક્ષ સ્વચ્છ

દેશનેતા ગુજરાત દેશને ભેટ આપે એ માટે એમને શુભેચ્છાઓ પાઠવીએ. 

વિનોદ પટેલ

————————————————–

મહેકતું ગુજરાત  ….. કાવ્ય …. શ્રી રમેશ પટેલ

આજની ગુજરાતના 54 મા સ્થાપના દિનની પોસ્ટમાં કરોના ,કેલીફોર્નીયા નિવાસી કવિ મિત્ર  શ્રી રમેશભાઈ

‘આકાશદીપ’ની  ‘મહેકતું ગુજરાત’ નામની કાવ્ય રચના પ્રસ્તુત કરતાં આનંદ થાય છે .

રમેશભાઈની આ ભાવવાહી ગીત રચનાને લેસ્ટર ,યુ.કે. નિવાસી શ્રી દિલીપ ગજ્જર અને એમના

સાથીઓએ રસીલા સૂરોમાં એક કલાત્મક ઓડિયોમાં ગુંજતું કર્યું છે  .

આ ઓડિયોની વિશિષ્ટતા એ છે કે એમાં દિલીપભાઈએ ગુજરાતને લગતાં

રંગીન ચિત્રોને કલાત્મક સરસ મઢી લીધાં છે .

કવિ મિત્ર શ્રી રમેશ પટેલએ એમના આ સુંદર કાવ્યમાં આપણા ગરવી ગુજરાત અને

એના ખમીરવંતા ગુજરાતીઓની સુંદર પહેચાન કરાવી છે .

મહેકતું ગુજરાત

ગાજે  મેહૂલીઓ  ને  સાવજની  દહાડ
જાણજો  એજ  મારું  વતન  ગુજરાત

જ્યોતને  અજવાળે  રમે  ભક્તિ શ્રધ્ધા
આંખની  અમીથી  વહે  દાનની  ગંગા
પ્રભાતીયાના  સૂરે  જ્યાં પ્રગટે પ્રભાત
જાણજો  એજ  મારું  વતન   ગુજરાત

શીખવ્યા  સાગરે  સૌને સાહસના પાઠ
ને સાબરે  પ્રગટાવી આઝાદીની આગ
ગૂંજે  જય  સોમનાથની હાકો દિનરાત
જાણજો  એજ   મારું  વતન ગુજરાત

શોભતો   કચ્છડો   મારો  શરદની   રાત
વલસાડી   કેરી  જેવા   કોયલના   ગાન
ચરોતરી ખમીર ને ઑલી પટોળાની  ભાત
જાણજો   એજ   મારું  વતન    ગુજરાત

તાપીના  તટ  ને પાવન  નર્મદાના ઘાટ
મહીથી મહીમાવંત, મારું  ગરવું ગુજરાત
ઘૂમતા   મેળાંમાં    લોક  ભૂલીને  જાત
જાણજો   એજ   મારું   વતન  ગુજરાત

છે  ગાંધી  સરદાર મારી  ગુર્જરીના  નેત્ર
દીપતિ   સંસ્કૃતિ  મારી  થઈ   વિશ્વામિત્ર
સુદામાની પોટલીએ દીધી સખાની યાદ
જાણજો   એજ   મારું  વતન  ગુજરાત

ના  પૂછશો  ભાઈ  કોઈને,  કેવડું  મોટું ગુજરાત
જ્યાં  જ્યાં  વસે  ગુજરાતી ત્યાં મહેકતું ગુજરાત

—રમેશ પટેલ ( આકાશદીપ )

——————

‘મહેકતું ગુજરાત’ Audio

રજૂઆત- ચેતુ ઘીયા  શાહ,  ગાયકો- દિલીપ ગજજર  અને રોશની શેલત (અમદાવાદ )

સંગીતકાર- નારાયણ ખરે, અમદાવાદ, ગુજરાત

————————————–

આભાર- સૌજન્ય ….શ્રી રમેશ પટેલ ,આકાશદીપ

 શ્રી દિલીપ ગજ્જર  II લેસ્ટરગુર્જરી

આજના ગુજરાત દિનની ઉજવણીને અનુરૂપ કવિ રમેશ ગુપ્તા  લિખિત ગુજરાતના

‘રાષ્ટ્રગીત’ જેવું આ ગુજરાતી ગીત મન્નાડે ના સુરીલા સ્વરે માણો .

પહેલી મે, ૨૦૧૪ ના ગુજરાતના ૫૪ મા જન્મ દિવસે

વિનોદ વિહારના તમામ વાંચકોને અભિનંદન.

ગુજરાત દિનની ઘણી ઘણી શુભેચ્છાઓ .

જય ભારત… જય ગુજરાત… જય જય ગરવી ગુજરાત

વિનોદ પટેલ

( 442 ) સ્વ. સુમન અજમેરીને શ્રધ્ધાંજલિ ……– નવીન બેન્કર ( હ્યુસ્ટન )

હ્યુસ્ટન,યુ.એસ.એ. માં રહીને એમની વિવિધ સાહિત્ય રચનાઓથી ગુજરાતી ભાષાની મુક રીતે સેવા કરનાર સાહિત્યસર્જક,કવિ, ગઝલકાર સુમન અજમેરીનું તાંજેતરમાં અમદાવાદની મુલાકાત દરમ્યાન દુખદ અવસાન થયું .

હ્યુસ્ટન નિવાસી મિત્ર શ્રી નવીન બેન્કરનો એમના આ નજીકના મિત્ર સાહિત્યકાર સુમન અજમેરીને સુંદર શબ્દોમાં શ્રધાંજલિ આપતો લેખ આંજની પોસ્ટમાં શ્રી બેન્કર ના આભાર સાથે  પ્રસ્તુત કરું છું . આના ઉપરથી  શબ્દોના શિલ્પી સ્વ. અજમેરીનો પરિચય વાચકોને થશે .

શ્રી નવીન બેન્કર પોતે પણ એક સારા ગજાના સાહિત્યકાર છે.

એમના બ્લોગ –  એક અનુભૂતિ :એક એહસાસ ની આ લીંક 

http://navinbanker.gujaratisahityasarita.org/

ની મુલાકાત લઈ એમાં મુકેલ સાહિત્ય સામગ્રી વાંચવાથી એની પ્રતીતિ થઇ જશે  .

શ્રી નવીન બેન્કર વિનોદ વિહારના નિયમિત વાચક-પ્રસંશક પણ છે અને એમના પ્રતિભાવોથી મને પ્રેરણા

આપતા રહે છે .

હ્યુસ્ટનના સાહિત્ય રસિકોની જાણીતા સંસ્થા ગુજરાતી સાહિત્ય સરિતાના તેઓ એક સક્રિય સભ્ય છે .

એમના આ પ્રસ્તુત લેખમાં એક મિત્ર ગુમાવ્યાનું એમના દિલનું દર્દ જણાઈ આવે છે .

પરમાત્મા સ્વ. સાહિત્યકાર સુમન અજમેરીના આત્માને શાંતિ આપે અને એમના નજીકના

કુટુંબીજનો/સ્નેહીજનોને એમની વિદાયથી આવી પડેલ ખોટ સહન કરવાની શક્તિ બક્ષે .

વિનોદ પટેલ

———————————————————————

 મિત્રો,

આ સાથે , આપણા સદગત મિત્ર, આદરણીય સુમનભાઇ અજમેરીને શ્રધ્ધાંજલિ આપતો એક લેખ મોકલું છું.

આ લેખને અન્ય મિત્રોને ફોરવર્ડ કરશો ?– નવીન બેન્કર

——————————————–

સ્વ. સુમન અજમેરીને શ્રધ્ધાંજલિ  ……નવીન બેન્કર ( હ્યુસ્ટન )

Suman Ajmeri- Photo courtesy- Gujarati Sahity Sarita

Suman Ajmeri-
Photo courtesy- Gujarati Sahity Sarita

ગઇકાલે બપોરે ચાર વાગ્યે, હ્યુસ્ટન સાહિત્ય સરિતાના એક સાહિત્યપ્રેમી મિત્રને ત્યાં ચર્ચા-વાર્તાલાપ દરમ્યાન એ મિત્રએ કહ્યું-‘ આપણી સંસ્થામાં ખરેખર સાહિત્યસર્જક, કવિ, ગઝલકાર કેટલા ? અને…સર્વાનુમતે, જે નામો આવ્યા એમાં સુમન અજમેરી પ્રથમ નંબરે હતા. એ વખતે અમને કોઈને સુમનભાઇ અમદાવાદ ગયા છે, બિમાર છે અને ત્યાં એમણે છેલ્લા શ્વાસ લીધા છે એની  ખબર ન હતી.
સુમન અજમેરી મારાથી છ વર્ષે મોટા. ૧૯૩૫ની ચોથી સપ્ટેમ્બરે અમરેલી જીલ્લાના વાવેરા ગામે જન્મેલા શ્રી. સુમનભાઇ વ્યવસાયે શિક્ષક, લેક્ચરર, પ્રોફેસર. શૈક્ષણિક ક્ષેત્રે ૪૨ વર્ષ સેવા આપીને નિવૃત્ત થયેલા. સૌ પ્રથમ સુમનભાઇને અમદાવાદ ખાતે, ગુજરાત સમાચાર પ્રેસ પાસે આવેલા તેમના નિવાસસ્થાને ૩૫ વર્ષ પહેલાં મળેલો. અને..એ પછી, અમારી હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની મીટીંગોમાં અવારનવાર એમની કૃતિઓ અને વિદ્વત્તાનો અમને લાભ મળતો.
એમનાં કાવ્યોને સમજવાનું મારું ગજૂ નહીં. પણ એમના વાર્તાસંગ્રહો ‘દાવ તારો,દાવ મારો’, ‘તાતા પાની’, ‘કેટરીના, ‘તલાશ’,  વગેરે મેં વાંચેલા. ‘માણસનું ચિત્ર કંડારતા કાવ્યો’ તથા આદિલ મન્સૂરિ વિશેનું એમનું એક પુસ્તક પણ મને તેમણે મોકલેલા. એમની બાય પાસ સર્જરિ કરાવેલી ત્યારે, થોડા વર્ષો પહેલાં, હ્યુસ્ટનની મેમોરિયલ હોસ્પિટલના બિ્છાનેથી ફોન કરીને મને બોલાવેલો અને તેમની કેટલીક હસ્તપ્રતો મને સારા અક્ષરે લખી, મઠારી અને ગુજરાતના વિવિધ સામયિકોમાં મેઇલ કરવા આપેલી. સાથે દરેક સામયિકના તંત્રીશ્રીના નામ-સરનામા અને અંગત પત્રો પણ ખરા જ. મને યાદ છે કે ૩૩ સરનામા હતા. અને એ પોસ્ટ કરવા માટે પોસ્ટેજના પૈસા પણ આગ્રહ કરીને મારા ખમીસના ઉપલા ખિસ્સામાં એમણે મૂકી દીધેલા. મને એ કૃતિઓ સારા અક્ષરે લખી, ઝેરોક્ષ કરી, સરનામાવાળા પરબીડીયા કરી, પોસ્ટ ઓફીસમાં જઈ, લાઇનમાં ઉભા રહી, વજન કરાવીને  મેઇલ કરવામાં અઠવાડીયુ લાગી ગયેલું.
પછી તો હોસ્પિટલમાં  બપોરના સમયે મારે અવારનવાર જવાનું થતું, એમના પત્ની કવિતાબેન સાથે પણ કાવ્યો અંગે, પુસ્તકો અંગે વાતો થતી. વીસ વર્ષના આ સંબંધ દરમ્યાન, અમે મીટીંગોમાં મળતા, ફોન પર કલાકો સુધી વાતો કરતા પણ એક જ શહેરમાં રહેવા છતાં અમે પરસ્પરના નિવાસસ્થાને જઈ શક્યા ન હતા. છેલ્લા થોડા સમયથી એમના દીકરાને ત્યાં ફોન કરતાં, મોટેભાગે તો એમના પત્ની સાથે જ , સુમનભાઇના ખબરઅંતર પુછવાનું થતું.
સુમનભાઇ ગુજરાતી ભાષાને સમૃધ્ધ કરનાર, શબ્દના પૂર્ણ સમયના આરાધક હતા. તેમણે શબ્દ અને કેવળ શબ્દની જ માળા જપી છે. છાંદસ-અછાંદસ કાવ્યો, ગઝલો, ગીતો, બાળકાવ્યો, કિશોરકાવ્યો, ખંડકાવ્યો, સોનેટો વાર્તાઓ, વિવેચનો, પ્રસ્તાવનાઓ, ઘણું ઘણું લખ્યું છે. એમના બે-ત્રણ પુસ્તકોની પ્રસ્તાવના લખવાનો તેમણે મને પણ પ્રેમાગ્રહ કરેલો, પણ હું એ માટે મારી લાયકાત ન સમજતો હોવાથી મેં મારી અસમર્થતા પ્રગટ કરી હતી. મારા અને એમની વચ્ચે કોઇ સામ્ય હોય તો એ વૃત્તાંત- અહેવાલ લેખન નું ક્ષેત્ર હતું. તેઓ શબ્દની વિધાયક શક્તિના તરફદાર હતા. શબ્દમાં માનવના ધર્મ, કર્મ, ઇમાન, ઇબાદત હોવાની તેમને શ્રધ્ધા હતી, ૧૯૭૦ની આસપાસમાં, ગુજરાત સમાચાર પ્રકાશિત અને યશવંત મહેતાના સંપાદન હેઠળ પ્રગટ થતા ‘શ્રીરંગ’ ડાયજેસ્ટ્ના કોઇ અંકમાં મારી ટૂંકી વાર્તા ‘મઝહબ ‘ પ્રગટ થયેલી ત્યારે એમણે મને પત્ર પણ લખેલો એવું સ્મરણ છે.
કવિતા એ એમના લેખનનો મુખ્ય વિષય રહ્યો હતો. કાવ્યની બધી પ્રવર્તમાન શૈલીઓમાં તેમણે રચનાકાર્ય કરેલું છે. તેઓશ્રી કાવ્યશાસ્ત્રના દરેક ક્ષેત્રમાં દક્ષતા અને ગહન આંતરસુઝ ધરાવતા સફળ સર્જક હતા. એમના કાવ્યોનો ઉપાડ, ભાવનિરુપણ પ્રાસ, લય, ઢાળ…બધું જ પ્રભાવક છે. ગીતોમાં પણ પ્રણય, રાષ્ટ્રપ્રેમ, અને ચિંતન જેવું વિષય-વૈવિધ્ય ઉડીને આંખે વળગે છે. હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના કેટલાક નવા નવા કવિઓએ તેમની અને  જનાબ અબ્દુલ રઝાક મેઘાણી ( રસિક મેઘાણી ) પાસેથી છંદનું જ્ઞાન મેળવીને પોતાની કાવ્યસમૃધ્ધીને વિકસાવી છે. આજકાલ ઘણાં ગઝલો લખે છે, શાયરીઓ લખવાની તો જાણે એક ફેશન થઈ ગઈ છે. ઇન્ટરનેટના ઉપયોગ પછી અને બ્લોગ સાહિત્યનો વપરાશ થતાં, આ ક્ષેત્રે ઘણું લખાય છે અને ઇ-મેઇલ મારફતે મોકલાય છે પણ, ગઝલના આંતરસ્વરુપ અંગેની સભાનતા જે સુમનભાઇના લખાણોમાં જોવા મળતી હતી એ, આજના મોટાભાગના સર્જકોમાં જોવા મળતી નથી. ગઝલના મિજાજની પરંપરાનો કાળજીપૂર્વકનો અભ્યાસ , શીખાઉ ગઝલકારોના સર્જનમાં જણાતો નથી.
શબ્દસાધનાની ધૂણી ધખાવીને સિધ્ધીના શિખરો સર કરનાર, અસાધારણ સર્જકપ્રતિભા ધરાવતો એક પીઢ, સાચો સાહિત્યકાર, કવિ, ગઝલકાર હવે આપણી વચ્ચે નથી રહ્યો એનું તીવ્ર દુઃખ હું અનુભવું છું.
છેલ્લે એક વાત લખ્યા વગર મારાથી રહેવાતું નથી. હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની દરેક મીટીંગમાં એમને પોતાની કૃતિ વાંચવા માટે જે સમયમર્યાદા પાળવી પડતી એ ઓછી જ લાગતી. મને કાયમ કહે-‘ નવીનભાઇ, કો-ઓર્ડીનેટરને કહો ને કે એકાદ વખત એક મીટીંગ ખાસ મારી કૃતિઓ અને વિશેષ તો ‘ખંડકાવ્ય’ રજૂ કરવા માટે  રાખે.’. અને..હું એમને કહું કે સુમનભાઇ, તમારું ખંડકાવ્ય સમજી શકે કે પચાવી શકે એવા કાવ્યરસિકો આમાં  ભાગ્યે જ એકાદ-બે હશે. એટલે એ વાત પડતી મૂકો.’
ખંડકાવ્ય વાંચવાની તેમની એ ઇચ્છા અધૂરી જ રહી ગઈ.
પરમકૃપાળુ પરમાત્મા આટલું અપાર સાહિત્યસર્જન કરનાર સાચા કવિના
આત્માને પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
નવીન બેન્કર. (હ્યુસ્ટન)
 
  Navin Banker                                  .
713-955-6226
http://navinbanker.gujaratisahityasarita.org/
============================================

સ્વ. સુમન અજમેરીની કાવ્ય/ગઝલ પ્રસાદી

ગુલે ગુલે થઈ ગઈ જવાની જંગ માગે છે

ન’તો જાણ્યો કદી એવો રવાની રંગ માગે છે

——————————–

  ધૂળનું ઘર, ધૂળના પથ,ધૂળ મિસૃત  ખાનપાન

   ધૂળમાં  રગદોળી  આ   શ્વાસની  સૌ  બાંધણી

પ્રો સુમન અજ્મેરી 

————————————-

સજી સોળ શૃંગાર સખીરી, બેઠી રમણ કાજે

ખુલ્લી આંખે ભાળું કેવાં,સપના નેણ સજાવે

ભર્યું ભર્યું મલપતુ હૈયું, કોના ખ્યાલે મદમાતું

પુલક પુલક આ મુખડે મીઠી, યાદ સરે ઝલકાતી

સખીરી હું તો ઘેલી ઘેલી થાતી

પ્રો સુમન અજ્મેરી

——————

સૌજન્ય- ગુગલ

=================================

વેબ ગુર્જરી બ્લોગમાં ….

સ્વ. સુમન અજમેરીને શ્રધ્ધાંજલિ

અહીં ક્લિક કરીને વાંચો

( 441 ) શ્રી સુરેશ જાની- એક મળવા જેવા માણસ ….. પી.કે.દાવડા

 શ્રી પી.કે.દાવડાજી એ એમની લોક પ્રિય થતી જતી મિત્ર પરિચય શ્રેણીમાં “મળવા જેવા માણસ “ અન્વયે એમણે મારા સહૃદયી મિત્ર શ્રી સુરેશભાઈ જાનીનો પરિચય કરાવતો એક સુંદર અને પ્રેરક લેખ લખી મોકલ્યો છે .

આ લેખને શ્રી દાવડા અને શ્રી સુરેશભાઈના આભાર સાથે આજની વિનોદ વિહારની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે .

શ્રી સુરેશભાઈને એકલે હાથે સાત બ્લોગનું સંચાલન કરતા જોઈને જ મને વિનોદ વિહાર બ્લોગ શરુ કરવાની પ્રેરણા જાગી હતી .એમની સાથેનો સંપર્ક હંમેશાં આનંદદાયી રહ્યો છે .શ્રી સુરેશભાઈએ જ મને વખતોવખત આ બ્લોગ માટે જરૂરી બ્લોગીંગની ટેકનીકોનું જ્ઞાન અને માર્ગદર્શન પુરું પાડ્યું છે ,એ બદલ હું એમનો અત્યંત આભારી છું

શ્રી સુરેશભાઈને હું રૂબરૂ તો કદી મળ્યો નથી પણ મળવા જેવા માણસ છે એમાં કોઈ શંકા નથી .ઈ-મેલથી તો અમારો માનસિક મેળાપ લગભગ રોજ થતો રહે છે .

એમના બ્લોગોના માધ્યમથી એમણે ગુજરાતી ભાષાની અમુલ્ય સેવા કરી છે . વૃધ્ધાવસ્થામાં પણ એક બાળકની માફક આધુનિક સમયની વિદ્યાઓ વિષે નવું નવું શીખે છે  અને એમના બ્લોગ મારફતે સૌને શીખવા પ્રેરણા આપતા રહે છે .

ઈ-વિદ્યાલયની શરૂઆતમાં અને આજે પણ ખુબ ઉત્સાહી લંડન નિવાસી બેન હિરલને તેઓ ખુબ સહકાર અને માર્ગદર્શન આપતા રહે છે. આવા અનોખા સહૃદયી મિત્ર શ્રી સુરેશભાઈનો પરિચય કરાવવા બદલ શ્રી દાવડાજીને અભિનંદન અને  ધન્યવાદ .

વિનોદ પટેલ

————————————–

શ્રી સુરેશ જાની- એક મળવા જેવા માણસ ….. પી.કે.દાવડા

 Sureshbhai Jani in contemplating mood

                                                    

સુરેશભાઈનો જ્ન્મ એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં, ૧૯૪૩ માં અમદાવાદમાં થયો હતો. એમના પિતા જ્યારે ૧૯૫૫ માં રેલ્વેની નોકરીમાંથી રીટાયર્ડ થયા ત્યારે તેમનો ૨૫૦ રૂપિયા પગાર હતો. શાળામાં તો ચાલતા જતા હતા’ પણ દૂર આવેલી એંજીનીઅરીંગ  કોલેજમાં જવા  સુરેશભાઈને બસ ભાડા માટે રોજ ૧૦ પૈસા મળતા . નોટબુક્સ, પુસ્તકો વગેરે શાળામાંથી અથવા જ્ઞાતિ ટ્રસ્ટમાંથી મફત મળતા. એક સમય એવો હતો કે એ વખતે એમને મળતી ૧૦૦/-રૂ ની પોસ્ટ મેટ્રિક્યુલેશન સ્કોલરશીપ ઘરમાં ગાડાના પૈડા જેવી હતી.

સુરેશભાઈ એમના પિતા વિશે કહે છે, “બાપુજી સાવ સામાન્ય સ્થિતિના પણ દિલના અમીર.  લોકો એમને ધરમનો કાંટો ગણતા. અનેક લોકો એમની સલાહ લેવા આવતા​.એમણે અનેક લોકોને એમના પ્રશ્નો ઉકેલવામાં મદદ કરી હતી. એમની ધાર્મિકતા એ જમાનાના માણસો કરતાં બહુ અલગ હતી. એમણે કદી અમને મંદિર જવાનો  કે ચીલાચાલુ પૂજાનો આગ્રહ રાખ્યો ન હતો. તેઓ શ્રી. અરવિંદની ફિલસુફી સાથે આત્મસાત થયા હતા; અને રેલ્વેની નોકરીને કારણે મળતા ફ્રી પાસને લીધે અમને બે વખત પોન્ડિચેરી લઈ ગયા  હતા.”  એમના માતા વિશે તેઓ કહે છે, “મા ચાર જ ચોપડી ભણેલા, પણ વાંચનના શોખીન. ક.મા.મુન્શી; ર.વ.દેસાઈ , ધૂમકેતુ ના મોટા ભાગના પુસ્તકો વાંચેલા. અનેક ગીતો, ભજનો, સ્તોત્રો , ગીતાના અધ્યાયો મોંઢે કડકડાટ. ઘરના કામના ઢસરડા અને પાચ સંતાનોના ઉછેરની જવાબદારી પણ ક્યારે પણ ફરિયાદ ન કરેલી. એ પેઢીની ખાનદાની અલગ હતી.”

અભ્યાસમાં સુરેશભાઈ ખૂબ જ હોશિયાર હતા, હંમેશાં બહુ જ ઊંચા માર્કસ મેળવી પાસ થતા. મેથ્સ અને સાયન્સમાં એમને એટલો રસ હતો કે એ હંમેશાં પોતાની કક્ષા કરતાં ખૂબ જ આગળ રહેતા. દસમા ધોરણમા બનેલો એક પ્રસંગ સુરેશભાઈના શબ્દોમાં જ કહું તો “દસમાં ધોરણમાં મને ગણીતમાં ૯૯ માર્કસ આવ્યા.  મેં બારમાંથી આઠ સવાલ નહીં, પણ બારે બાર સવાલના જવાબ આપ્યા હતા. હું અમારા ગણીતના શિક્ષક શ્રી. ચીતાણીયા સાહેબ પાસે ગયો. અને પુછ્યું, મને એક માર્ક ઓછો શા માટે આપ્યો છે? સાહેબે કહ્યું,” જો, ભાઈ! ઉત્તરવહીમાં તેં પહેલા પાને લખ્યું છે કે – ગમે તે આઠ ઉત્તર તપાસો. આ તારું અભિમાન બતાવે છે. એ તારા અભિમાનનો એક માર્ક મેં કાપ્યો.  તારી હોંશીયારી તને જીવનમાં કામ લાગશે; તેના કરતાં વધારે આ અભિમાન તને વધારે નડશે. ” સુરેશભાઈએ શિક્ષકની આ વાત જીવનભર માટે યાદ રાખી લીધી.

દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા, અમદાવાદ, માંથી એસ.એસ.સી. પાસ કરી સુરેશભાઇએ બે વર્ષ માટે ગુજરાત કોલેજ, અમદાવાદમાં અભ્યાસ કર્યો. આ સમય દરમ્યાન એમને ફીઝીક્સ અને મેથ્સમાં એટલો રસ પડ્યો કે એમણે વૈજ્ઞાનિક બનવાનો મનોમન નિર્ણય કરી લીધો હતો, પણ કુટુંબના આગ્રહને વશ થઈ એમણે અમદાવાદની એલ.ડી. કોલેજ ઓફ એંજીનીરીંગમાં ત્રણ વર્ષનો બી.ઈ.(મિકેનીકલ) નો અભ્યાસ કર્યો. ત્યારબાદ એક વર્ષ વધારે અભ્યાસ કરી બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)ની ડિગ્રી પણ મેળવી લીધી. જો સુરેશભાઈનું મનનું ધાર્યું થાત તો ભારતને એક પ્રતિભાશાળી વૈજ્ઞાનિક મળત.

૧૯૬૫ માં અમદાવાદ ઈલેક્ટ્રીસીટી કંપનીમાં આસીસ્ટંટ એંજીનીઅર તરીકે નોકરીની શરૂઆત કરી અને છેક ૨૦૦૦ માં સાબરમતી પાવર સ્ટેશનના જનરલ મેનેજર તરીકે નિવૃતિ લીધી. નોકરી દરમ્યાન એમણે પાવર એંજીનીઅરીંગના વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું, ત્રણ પાવર સ્ટેશનોના બાંધકામમાં સક્રીય કામગીરી બજાવી. બે વર્ષ માટે વીજ ચોરી પકડવાનું કામ પણ કર્યું. બે વર્ષ માટે ઝોનલ મેનેજરનું ખૂબ જ જવાબદારીવાળું કામ પણ સંભાળ્યું, ૨૦૦૦ની સાલમાં નિવૃત થયા ત્યારે તેઓ જનરલ મેનેજરના પદ પર હતા. ( રિપિટ થાય છે )

નોકરી દરમ્યાન સુરેશભાઈ પરિસ્થિતિનો તાગ કાઢી એમા ઉત્પાદકતા વધારવા હંમેશાં Time and Motion Studies  અને Inventory control નો ઉપયોગ કરતા. માત્ર પોતાના ઉપરી અધિકારીયો જ નહિં પણ પોતાના હાથ નીચેના માણસો પાસેથી નવું નવું શીખવા ઉત્સુક રહેતા. કોઈપણ મુસ્કેલીનો તેઓ કાયમી ઈલાજ કાઢવા પ્રયત્નશીલ રહેતા. 

ઉદ્યોગોમાં અકસ્માતોને સંપૂર્ણપણે નિવારી શકાતા નથી. એમના હાથ નીચેના કામોમાં જ્યારે પણ અક્સ્માતમાં કોઈ કામદારને ઈજા થતી, ત્યારે સુરેશભાઈ માનસિક રીતે ખૂબ જ વિક્ષુબ્ધ થતા.

નિવૃતિબાદ સુરેશભાઇ શેષ જીવન પસાર કરવા અમેરિકા આવી ગયા. અમેરિકા આવીને જેમ દુલા ભાયા કાગને ઇચ્છા થઈ (કરને બાળક કાગડા) તેમ સુરેશભાઈની પણ ફરીથી બાળક બની જઈ, આનંદમાં શેષ જીવન ગુજારવાની ઈચ્છા થઈ. એમણે લખ્યું,

“બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે.

સંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે. ”

પબ્લીક લાયબ્રેરીમાંથી બાળકોના વિભાગમાંથી પુસ્તકો મેળવી વાંચવાના શરૂ કરી દીધા. Origami માં પણ એમણે પુષ્કળ હાથ અજમાવ્યો. શાળામાં હતા ત્યારથી જ સાહિત્યમાં રસ તો હતો જ, પણ નિવૃતિમાં આ તેમણે પ્રવૃતિ બની ગઈ. નિબંધ, લેખ, કવિતા, ટુંકી વાર્તા અને નવલકથા, આમ સાહિત્યના બધા પ્રકારોમાં એમણે હાથ અજમાવ્યો. ૨૦૦૬ માં બ્લોગ્સમાં ગુજરાતીમાં લખવાની સુવિધા થઈ જતાં સુરેશભાઈને મોકળું મેદાન મળી ગયું. એમણે ૨૦૦૬ માં જ સાત બ્લોગ્સમાં લખવાની શરૂઆત કરી દીધી, આમાંના ઘણા બ્લોગ્સ તો એમણે જ શરૂ કરેલા. બ્લોગ્સની બાબતમાં તેઓ એટલા બધા ઉત્સાહી હતા કે જે કોઈ મિત્રને પોતાનો બ્લોગ શરૂ કરવો હોય તેને પુરજોશથી મદદ કરવામાં લાગી જતા. એંજીનીઅર હોવાથી કોમપ્યુટરની નવી નવી તરકીબો પોતે સમજી લઈને મિત્રોને પણ શિખવવાનો એમનો શોખ આજે પણ ચાલુ જ છે, અને એટલા માટે જ સુરેશભાઈ બ્લોગ જગતમાં સુરેશદાદા અથવા ફક્ત દાદા ના હુલામણા નામે ઓળખાય છે.

એમના છેલ્લા આઠ-દશ વર્ષના કાર્યોને આ નાનકડા લેખમાં સમાવી લેવાનું શક્ય નથી, પણ માત્ર ન ભૂલાય એવા થોડા કાર્યોનો ઉલ્લેખ કરવો હોય તો એમના બ્લોગ, “ગુજરાતી પ્રતિભા પરિચય” નો ઉલ્લેખ કરવો જ પડે. આ બ્લોગમાં એમણે ૫૪૫ જેટલા ગુજરાતી મહાનુભવોનો પરિચય કરાવ્યો છે. એમના બીજા એક જાણીતા બ્લોગ્સનું નામ છે સૂર સાધના’ જે  ત્રણ જૂના બ્લોગ –‘અંતરની વાણી’, ‘કાવ્યસુર’ અને ‘ગદ્યસુર’ નો સમન્વય છે. એમણે લખેલી ૬ ઈ-બુકમાથી એમના હ્રદયની ખૂબ જ નજીક ઈબુકનું નામ છે – “બની આઝાદ”. આ પુસ્તકમાં એમણે સ્વાનુભવ આધારિત જીવનની ફીલોસોફી વણી લીધી છે.

હાલમાં સુરેશભાઈ વધારે આંતરમુખ થઈ, થોડા ગંભીર વિષયોના વિચારોમાં વ્યસ્ત છે, છતાં પણ લંડનથી બહેન હીરલ શાહે શરૂ કરેલી ઈ-વિદ્યાલયને પગભેર કરવામાં સક્રીય મદદ કરે છે, અને કોમપ્યુટર માટે નવા સોફટવેર બનાવવા અને મોજુદા સોફટવેર્સ પર હાથ અજમાવવાનું કાર્ય તો ચાલુ જ છે.

એમની સલાહ છે,

ભૂતકાળ વાગોળવામાં કે ભવિષ્યની ચિંતા કરવામાં સમય ન ગાળતા.

Live this moment powerfully.

-પી. કે. દાવડા

 

Jerry Brown Delta Flight 15… (True story)

THIS IS A MUST READ. FANTASTIC AND INSPIRATIONAL.

It is almost 11 yrs since 9/11 and here is a wonderful story about that terrible day.

Chiman Patel ‘chaman’
Thanks Chimanbhai for forwarding this True Story  by e-mail – Vinod Patel

 UNBELIEVEABLE, OF COURSE WITHOUT THE INTERNET MOST PEOPLE WOULD NEVER HAVE HEARD ABOUT THIS. THE PRESS IS ALWAYS TOO BUSY REPORTING NEGATIVE EVENTS TO TAKE THE TIME TO REPORT ABOUT THE GOOD THINGS PEOPLE DO EVERY DAY!

Jerry Brown Delta Flight 15… (true story)

Here is an amazing story from a flight attendant on Delta Flight 15, written following 9-11:

On the morning of Tuesday, September 11, we were about 5 hours out of Frankfurt, flying over theNorth Atlantic.

All of a sudden the curtains parted and I was told to go to the cockpit, immediately, to see the captain. As soon as I got there I noticed that the crew had that “All Business” look on their faces. The captain handed me a printed message. It was from Delta’s main office in   Atlanta and simply read, “All airways over the Continental United States” are closed to commercial air traffic. Land ASAP at the nearest airport. Advise your destination.”

No one said a word about what this could mean. We knew it was a serious situation and we needed to find terra firma quickly. The captain determined that the nearest airport was 400 miles behind us inGander, New Foundland.

He requested approval for a route change from the Canadian traffic controller and approval was granted immediately — no questions asked.  We found out later, of course, why there was no hesitation in approving our request.

While the flight crew prepared the airplane for landing, another message arrived from Atlanta telling us about some terrorist activity in the New York area. A few minutes later word came in about the hijackings.

We decided to LIE to the passengers while we were still in the air. We told them the plane had a simple instrument problem and that we needed to land at the nearest airport in Gander, New Foundland, to have it
checked out.

We promised to give more information after landing in Gander. There was much grumbling among the passengers, but that’s nothing new! Forty minutes later, we landed in Gander. Local time at Ganderwas
12:30 PM! … that’s 11:00 AM EST.

There were already about 20 other airplanes on the ground from all over the world that had taken this detour on their way to the U.S.

After we parked on the ramp, the captain made the following announcement: “Ladies and gentlemen, you must be wondering if all these airplanes around us have the same instrument problem as we have. The
reality is that we are here for another reason.” Then he went on to explain the little bit we knew about the situation in the U.S. There were loud gasps and stares of disbelief. The captain informed passengers that Ground control in Gander told us to stay put.

The Canadian Government was in charge of our situation and no one was allowed to get off the aircraft. No one on the ground was allowed to come near any of the air crafts. Only airport police would come around periodically, look us over and go on to the next airplane. In the next hour or so more planes landed and Gander ended up with 53 airplanes from all over the world, 27 of which wereU.S. commercial jets.

Meanwhile, bits of news started to come in over the aircraft radio and for the first time we learned that airplanes were flown into the World Trade Center in New York and into the Pentagon in DC. People were
trying to use their cell phones, but were unable to connect due to a different cell system in Canada. Some did get through, but were only able to get to the Canadian operator who would tell them that the lines
to the U.S. were either blocked or jammed.

Sometime in the evening the news filtered to us that the World Trade Center buildings had collapsed and that a fourth hijacking had resulted in a crash. By now the passengers were emotionally and physically
exhausted, not to mention frightened, but everyone stayed amazingly calm. We had only to look out the window at the 52 other stranded aircraft to realize that we were not the only ones in this predicament.

We had been told earlier that they would be allowing people off the planes one plane at a time. At 6 PM, Gander airport told us that our turn to deplane would be 11 am the next morning. Passengers were not happy, but they simply resigned themselves to this news without much noise and started to prepare themselves to spend the night on the airplane.

Gander had promised us medical attention, if needed, water, and lavatory servicing. And they were true to their word. Fortunately we had no medical situations to worry about. We did have a young lady who was 33 weeks into her pregnancy. We took REALLY good care of her. The night passed without incident despite the uncomfortable sleeping arrangements.

About 10:30 on the morning of the 12th a convoy of school buses showed up. We got off the plane and were taken to the terminal where we went through Immigration and Customs and then had to register with the Red Cross.

After that we (the crew) were separated from the passengers and were taken in vans to a small hotel. We had no idea where our passengers were going. We learned from the Red Cross that the town ofGander has a population of 10,400 people and they had about 10,500 passengers to take care of from all the airplanes that were forced into Gander! We were told to just relax at the hotel and we would be contacted when the U.S. airports opened again, but not to expect that call for a while.

We found out the total scope of the terror back home only after getting to our hotel and turning on the TV, 24 hours after it all started.

Meanwhile, we had lots of time on our hands and found that the people of Gander were extremely friendly. They started calling us the “plane people.” We enjoyed their hospitality, explored the town of Gander and ended up having a pretty good time.

Two days later, we got that call and were taken back to the Gander airport. Back on the plane, we were reunited with the passengers and found out what they had been doing for the past two days. What we found
out was incredible.

Gander and all the surrounding communities (within MATCH about a 75 Kilometer radius) had closed all high schools, meeting halls, lodges, and any other large gathering places. They converted all these facilities to mass lodging areas for all the stranded travelers. Some
had cots set up, some had mats with sleeping bags and pillows set up.

ALL the high school students were required to volunteer their time to take care of the “guests.” Our 218 passengers ended up in a town called Lewisporte, about 45 kilometers from Gander where they were put up in a high school. If any women wanted to be in a women-only facility, that was arranged. Families were kept together. All the elderly passengers were taken to private homes.

Remember that young pregnant lady? She was put up in a private home right across the street from a 24-hour Urgent Care facility. There was a dentist on call and both male and female nurses remained with the
crowd for the duration.

Phone calls and e-mails to the U.S. and around the world were available to everyone once a day. During the day, passengers were offered “Excursion” trips. Some people went on boat cruises of the lakes and
harbors. Some went for hikes in the local forests. Local bakeries stayed open to make fresh bread for the guests.

Food was prepared by all the residents and brought to the schools. People were driven to restaurants of their choice and offered wonderful meals. Everyone was given tokens for local laundry mats to wash their
clothes, since luggage was still on the aircraft. In other words, every single need was met for those stranded travelers.

Passengers were crying while telling us these stories. Finally, when they were told that U.S. airports had reopened, they were delivered to the airport right on time and without a single passenger missing or late. The local Red Cross had all the information about the whereabouts of each and every passenger and knew which plane they needed to be on and when all the planes were leaving. They coordinated everything
beautifully. It was absolutely incredible.

When passengers came on board, it was like they had been on a cruise. Everyone knew each other by name. They were swapping stories of their stay, impressing each other with who had the better time. Our flight
back to Atlanta looked like a chartered party flight. The crew just stayed out of their way. It was mind-boggling.

Passengers had totally bonded and were calling each other by their first names, exchanging phone numbers, addresses, and email addresses.
And then a very unusual thing happened.

One of our passengers approached me and asked if he could make an announcement over the PA system. We never, ever allow that. But this time was different. I said “of course” and handed him the mike. He picked up the PA and reminded everyone about what they had just gone through in the last few days. He reminded them of the hospitality they had received at the hands of total strangers. He continued by saying    that he would like to do something in return for the good folks of Lewisporte.

“He said he was going to set up a Trust Fund under the name of DELTA 15 (our flight number). The purpose of the trust fund is to provide college scholarships for the high school students of Lewisporte. He asked for donations of any amount from his fellow travelers. When the paper with donations got back to us with the amounts, names, phone numbers and addresses, the total was for more than $14,000!

“The gentleman, a MD from Virginia, promised to match the donations and to start the administrative work on the scholarship. He also said that he would forward this proposal to Delta Corporate and ask them to donate as well.

As I write this account, the trust fund is at more than $1.5 million and has assisted 134 students in college education.

“I just wanted to share this story because we need good stories right now. It gives me a little bit of hope to know that some people in a faraway place were kind to some strangers who literally dropped in on
them.

It reminds me how much good there is in the world.”

“In spite of all the rotten things we see going on in to days world this story confirms that there are still a lot of good and Godly people in the world and when things get bad, they will come forward.

“God Bless America… and God Bless the Canadians.”

(439 ) ” જિંદગી ” વિષય ઉપરની મારી કેટલીક સ્વ-રચિત વિચાર ક્ન્ડીકાઓ — મારી નોધપોથીમાથી

  •  

મેં અગાઉ જણાવ્યું છે એમ મારા મનમાં આવતા વિચારોનાં વાદળ વિખરાઈ જાય -ભૂલાઈ જાય

એ પહેલાં નોધપોથીમાં ટપકાવી લેવાની મને ટેવ છે .

અવારનવાર વિનોદ વિહારના માધ્યમથી એમાંથી કેટલીક આવી વિચાર ક્ન્ડીકાઓ

આપને ” મારી નોધપોથીમાંથી ” એ શ્રેણીમાં જણાવતો રહું છું ,

મને ખબર નથી આપને એ ગમે છે કે નહિ પણ મને એ આપની સાથે શેર કરવી ગમે છે  .

તો આજની પોસ્ટમાં વાંચો “મારી નોધપોથીમાં ” કેદ થયેલી ” જિંદગી ”

વિષય ઉપરની કાવ્યમય સ્વરૂપમાં મારી કેટલીક વિચાર ક્ન્ડીકાઓ .

વિનોદ પટેલ

————————-

SONY DSC

કેવી બદલાઈ ગઈ છે જિંદગી !

રોજ બદલાતી રહેતી આ દુનિયામાં

કેટલું બધું બદલાઈ ગયું  છે આજે .

સોસીયલ મીડીયાના આ સાધનોએ,

હદ કરી નાખી , કહેવાની વાત નહિ .

માણસો થયા ગાંડા ફોન થઇ ગયા સ્માર્ટ .

કાગળો હાથે લખવાની એ મજા ,

ટપાલીની રાહ જોતા’તા એ ઇન્તજાર ,

ઈમેલ અને સ્કાઈપે બગાડી નાખ્યો છે !

રેડિયો બિચારો આજે ભૂલાઈ ગયો છે ,

અભરાઈએ ચડીને રડી રહ્યો છે ,

આઈ પોડમા આજે તો સંગીત કેદ થયું છે !

આપણે પણ કેવા જમાનાના કેદી થયા છીએ !

કેવી બદલાઈ ગઈ છે આપણી આ જિંદગી !

—————————————-

આંસું એક પ્રાર્થના

દુઃખમાં આવતાં આંસુઓ એ પ્રભુને કરેલી એક ઉત્તમ પ્રાર્થના છે

કેમ કે મુક વાણી અને આંસુઓ પ્રભુ પાસે જલ્દી પહોંચી જાય છે  

—————————————–

સ્વજનની છબી

જિંદગીની આ તો કેવી છે કરુણતા કે-

રોજ નજર સમક્ષ રહેતાં પ્રિય જનો, 

એક દિન આપણી વિદાય લે પછી,

છબીઓમાં મઢાઈ ભીંતે લટકાય છે !.

————————————————-

જિંદગી–સાપ સીડીની રમત

જિંદગીમાં સૌ સાપ સીડીની એક રમત રમી રહયા છીએ

માનીએ જ્યારે કે ચડીશું ત્યારે જ નીચે પટકાઈએ .છીએ

=========================

આ કાવ્યમાં આપણી જિંદગીને એક કિનારેથી બીજા કિનારે જવા માગતી એક

નાવ-નાવડી સાથે સરખાવવામાં આવી છે .

આપણી જિંદગીની નાવ જન્મના એક કિનારેથી લાંગર છોડીને સસાર સાગરમાં

નીકળી પડે છે અને એનું લાંગરવાનું અંતિમ સ્થાન સામો કિનારો એટલે કે મૃત્યું છે  .

આ બે કિનારાઓ વચ્ચે આ નાવડીને અનેક ઝંઝાવાતોનો સામનો કરવાનો આવે છે .

એ બધા વચ્ચેથી માર્ગ કરીને ધૈર્યથી હોડીને આગળ હંકારતા રહી અંતિમ કિનારે

જઈને હોડીને સુખરૂપ લાંગરવાનું આપની જિંદગીનું એક ધ્યેય છે .

જન્મ અને મૃત્યું એ બે અંતિમ કિનારા વચ્ચે આપણે જે જીવીએ છીએ

એનું જ નામ તો છે જિંદગી !

આ વિચારમાંથી નીચેના કાવ્યનો પ્રસવ થયો છે .  

—————————–

જિંદગીની નાવ

જિંદગીની આ નાજુક નાવડી મારી

એક કિનારેથી લંગર છોડી ઉપડી ચુકી છે

સંસાર સાગરમાં આગળ ધપી રહી છે

રાહના જટિલ તોફાનો -પડકારોને હંફાવતી

ભલેને હાલક ડોલક થતી હોય તો પણ

અડગ નિશ્ચય,શ્રધા અને પ્રભુની કૃપાએ 

આગળ ને આગળ બસ ધપી જ રહી છે

ખબર નથી કેમ ક્યારે અને કેવી રીતે

સામે અંતિમ કિનારે પહોંચીને એ લાંગરશે !

—————————–

છેલ્લે, એક હાઈકુ

પ્રભુના હસ્તાક્ષર

વીજ ચમકી,

આકાશમાં, પ્રભુએ

કર્યાં હસ્તાક્ષર !

વિનોદ પટેલ

 

( 438 ) શ્રી પી.કે.દાવડાજી સાથેનો સત્સંગ- વિડીયોમાં / શ્રી. ત્રિગુણાતીત પંચોલી સાથે સંવાદનો વિડીયો … સંવાદ દાતા શ્રી સુરેશ જાની

Old Age-2

શ્રી દાવડાજી અમેરિકા નિવાસી બન્યા પછી આપણને એમની લગભગ ૮૦ વર્ષની ઉંમરે એમના નિવૃતિના સમયના ફાલ જેવા અનેક  પ્રેરક લેખો, કાવ્યો ,છપ્પા વિગેરે સાહિત્ય સામગ્રીથી  સુપરિચિત છે  .

આજની પોસ્ટમાં તમે એમને મોરારી બાપુની અદાથી તમારી સાથે સત્સંગ કરતા નજરે નિહાળી શકશો  .

ઈ-મેલમાં એમનો આ સત્સંગનો વિડીયો મોકલતાં તેઓ લખે છે …..

મિત્રો ,

તમે દાવડા બાપુને સતસંગ-૧ માં સાંભળ્યા. હવે સતસંગ-૨ માં દાવડા બાપુ જીવનની કેટલીક સચ્ચાઈઓ  શબ્દોમાં કહે છે, એ સાંભળશો તો સમજશો .

હરિ ઓમ…

પી.કે.દાવડા

તો નીચેના વિડીયોમાં દાવડા બાપુના સત્સંગનો લાભ લો અને એમની સાથે .હરિ ઓમ…

હરિ ઓમ… એમ જપતા પણ રહો  .

શ્રી પી.કે.દાવડાજી સાથેનો સત્સંગ હવે વિડીયોમાં(  સતસંગ-૨ )

——————————————-

શ્રી. ત્રિગુણાતીત પંચોલી સાથે એક સંવાદ … સંવાદ દાતા શ્રી સુરેશ જાની

શ્રી દાવડાજીના સત્સંગનો ઉપરનો વિડીયો જોઈને મને એક વાર મિત્ર શ્રી  સુરેશ જાનીએ વયોવૃદ્ધ વડીલ શ્રી ત્રિગુણાતીત પંચોલી સાથે એમના સાન એન્ટોનિયોના નિવાસ સ્થાને જઈને લીધેલ ઇન્ટરવ્યુની વિડીયોની લીંક ઈ-મેલમાં એમણે મને મોકલી હતી એ વિડીયો યાદ આવ્યો .

જૂની ઈ-મેલોનો ઢગ ફંફોસી એ વિડીયો શોધી કાઢીને એને સૌ વાચકો સાથે આજની પોસ્ટમાં શેર કરતાં આનદ થાય છે  .

શ્રી સુરેશભાઈએ વિડીયોની શરૂઆતમાં વડીલ પંચોલીનો જે પરિચય કરાવ્યો છે એ પ્રમાણે હાલ એમની ઉંમર ૯૬ વર્ષ ( જન્મ તારીખ- જુન ૨૦ ,૧૯૧૮ )ની છે .

૧૯૮૪માં ભારતથી અમેરિકા આવીને શ્રી પંચોલી એમની દીકરી પ્રતિભા અને જમાઈ રવીન્દ્ર સાથે એમના સાન એન્ટોનિયો , ટેક્સાસ , યુ.એસ.એ ખાતે આવેલ આવેલ નિવાસ સ્થાને નિવૃતિનો સમય માણી રહ્યા છે .

સીનીયર મંડળ , સાન એન્ટોનિયો ની પ્રવૃતિમાં તેઓ ઉલટથી ભાગ લઇ રહ્યા છે .

ભારતમાં હતા ત્યારે તેઓ સ્વ. કળા ગુરુ રવિશંકર રાવલના પહેલા પ્રિય વિદ્યાર્થી હતા . સુરેશભાઈને વડીલ પંચોલીનો પરિચય કલાગુરુ રવિશંકરના અમેરિકા રહેતા ૮૪ વર્ષના ડૉ . કનક રાવળ દ્વારા થયો હતો અને કનકભાઈએ જ સુરેશભાઈને આ વડીલને સાન એન્ટોનિયો જઈને મળવાનું સૂચન કર્યું હતું .

અમદાવાદમાં શ્રી શ્રેયસ સંસ્થા ,અને આશિષ શાળા ,અમદાવાદ એમનું કાર્ય ક્ષેત્ર રહ્યું હતું .

આ વિડીયોમાં ૯૬ વર્ષના શ્રી ત્રિગુણાતીત પંચોલી જે સ્વસ્થતાથી સુરેશભાઈએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપે છે એ સાંભળીને તમને જરૂર અચંબો થશે .આ સંવાદમાં એમના જીવનભરના અનુભવોનો નિચોડ તમને જણાશે .

શ્રી. ત્રિગુણાતીત પંચોલી સાથે એક સંવાદ … સંવાદ દાતા શ્રી સુરેશ જાની

જીવનના સંધ્યા કાળમાં મોટી વયે અમેરિકામાં અને બીજે નિવૃતિનો સમય પસાર કરી રહેલા

મારા જેવા અનેક વયસ્ક સીનીયરો માટે શ્રી પંચોલી એક પ્રેરણામુર્તી રૂપ છે .

૯૬ વર્ષના મુરબ્બી વડીલ શ્રી ગુણાતીત રવિશંકર પંચોલીને મારાં હાર્દીક પ્રણામ અને એમના

નિરામય દીર્ઘાયુ માટે અનેક શુભેચ્છાઓ .

  આજની આ પોસ્ટને શક્ય બનાવવા માટે શ્રી પી.કે.દાવડાજી , વડીલ શ્રી ગુણાતીત રવિશંકર

પંચોલી  અને શ્રી સુરેશભાઈ જાની નો આભારી છું  .  

વિનોદ પટેલ