વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 26, 2014

(459 ) ભારતના ૧૫મા વડા પ્રધાન , ગુજરાતના સપૂત શ્રી, નરેન્દ્ર મોદીને હાર્દીક અભિનંદન અને શુભેચ્છાઓ

Modi govt-2  years
Shri Narendra Modi sworn as 15th Prime Minister of India 0n 26th May 2014 at the venue of Rashtrpati Bhavan, New Delhi

સોમવાર,તારીખ ૨૬મી મે ૨૦૧૪ ના રોજ  વી.વી.આઈ..પી. વી.આઈ.પી .સહીત લગભગ ૪૦૦૦ આમંત્રિત મહેમાનોની જંગી હાજરી વચ્ચે શ્રી નરેન્દ્ર મોદીની વડા પ્રધાન તરીકેનો રંગારંગ  શપથવિધિ  કાર્યક્રમ  પુરેપુઆ દબદબા વચ્ચે યોજાઈ ગયો . આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવનના વિશાળ પટાંગણમા શ્રી મોદી અને એમની કેબિનેટના કેટલાક સભ્યોને રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ ભારતના સંવિધાનને વફાદાર રહેવાના શપથ લેવડાવ્યા હતા .

આ આખા એ પ્રસંગને આવરી લેતો યુ-ટ્યુબ વિડીયો નીચે મુક્યો છે .
 
વિડીયોના અંતમાં દેશના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આ સમારોહમાં હાજર રહેલ શાર્ક દેશના વડાઓ સાથે શ્રી મોદી અને રાષ્ટ્રપતિ જોઈ શકાશે .

——————————-

ગુજરાત સમાચારમાં પ્રગટ આ અહેવાલ પણ વાંચો .

ભારતમાં ઢળતી સાંજે મોદી યુગનો સૂર્યોદય,15 મા PMનો દિલ્હીમાં ભવ્યાતિભવ્ય શપથવિધિ

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/indian-prime-minister-narendra-modi-bjp-s-politics

——————————————-

બીજા રાજકીય નેતાઓ સામે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વિશિષ્ટતા 

આ આપણને આશ્ચર્યમાં મૂકી દે એવી વાત છે કે મોદીની વડા પ્રધાન તરીકેની આ રંગારાગ શપથવિધિમાં હાજર રહેવા તેમના ભાઈઓ , બહેનોને કે માતાને પણ સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. મોદીના બહેન વાસંતીબેન કે જેઓ શ્રી મોદી જ્યારે પહેલીવાર ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમને રાજતિલક કર્યું હતું એમને મોદી જ્યારે પી.એમ. બન્યા ત્યારે એકના એક આ બહેનને પણ તેમના શપથવિધિ સમારંભમાં હાજર રહેવા કોઈ સત્તાવાર  આમંત્રણ અપાયું નહતું .

શ્રી મોદીના આ સૌ કુટુંબીજનોએ ગાંધીનગરમાં રહેતા એમના નાના ભાઈને ત્યાં એમનાં વયોવૃદ્ધ માતા હીરા બા સાથે ટી.વી. ઉપર આ આખો કાર્યક્રમ સમુહમાં નિહાળ્યો હતો એ પ્રસંગનો વિડીયો નીચે મુકવામાં આવ્યો છે  .

આ વિડીયોમાં શ્રી મોદીના ભાઈને દુરથી ટી.વી ઉપર એમના ભાઈને શપથ લેતા નિહાળીને એમની આંખમાંથી આંસું આવતું જે દ્રશ્ય અને આતુર નયને આ દ્રશ્ય નિહાળી રહેલ એમની માતાનું જે દ્રશ્ય બતાવાયું છે એ દિલને હલાવી જાય છે .

આ વિડીયોમાં બતાવાતી સ્ટ્રીપમાં શ્રી મોદી સાથે શપથ લેનાર એમની કેબિનેટના અન્ય સાથીઓના ફોટા અને એમને આપેલ પોર્ટફોલીઓ પણ જોઈ અને જાણી શકાશે .

આ બતાવે છે કે સરદાર પટેલની જેમ શ્રી નરેન્દ્ર મોદીએ એમના વડા પ્રધાનના સતાના કેન્દ્રથી એમના કુટુંબીજનોને દુર રાખવાનો સજાગ પ્રયાસ કર્યો છે .

શ્રી મોદીના વ્યક્તિત્વની આજ તો ખૂબી છે  . આપણે બીજા નેતાઓને એમના કુટુંબીજનોને અને પ્રિય જનોને રાજકારણમાં ઊંચા સ્થાને બેસાડતા જોઈએ છીએ અને જોયા છે .આની સામે શ્રી મોદી આવા પ્રકારના કુટુંબપ્રેમથી પર છે . શ્રી મોદી ૧૦૦ ટકા ફક્ત ભારત માતાની સેવા માટે દિલથી સમર્પિત છે .

શ્રી મોદીની આવી વિશિષ્ટ પ્રકારની દેશભક્તિને  માટે એમને ધન્યવાદ ઘટે છે .

—————————————————

Namo-victory- mother's blessings -1

શ્રી મોદીને માતાએ આપેલ વિદાય અને શ્રી મોદીની દિનચર્યા –

 દિકરો ઉંમરમાં કે બુદ્ધિમાં કે પદમાં ગમે તેટલો મોટો અને મહાન બની જાય છતાં પણ પોતાના મા પાસે તો તે નાનકડો બાળક જ હોય છે .

 શ્રી મોદી ગાંધીનગર ,અમદાવાદથી જ્યારે તારીખ ૨૨મી મે ૨૦૧૪ના રોજ દિલ્હી જવા રવાના થયા થયા એ પહેલાં એમનાં માતુશ્રી હિરાબાનાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતા .

હિરાબાએ પોતાનાં દિકરા નરેન્દ્ર મોદીને પ્રેમથી કંસાર જમાડયો હતો અને સાથે સાથે શુકનનાં રૂપિયા 101/- પણ પ્રેમથી ભેટ આપ્યા હતાં. જેનો નરેન્દ્ર મોદીએ પ્રેમથી આશિર્વાદ સ્વરૂપે સ્વીકાર કર્યો હતો.

મા હિરાબાએ પણ દિકરા નરેન્દ્ર મોદીને પ્રેમથી આલિંગન આપી દેશની સેવા કરવાના અને દેશને આગળ વધારવાનાં આશીર્વાદ પ્રદાન કર્યા હતા .

દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી જ્યારે એમના દિલ્હીના વડાપ્રધાન નિવાસ ૭-રેસકોર્ષ રોડમાં પહોંચશે તો પણ એમની દિનચર્યામાં કોઇ ઝાઝો ફેરફાર નહી થાય ફકત જવાબદારી અને દાયરો વધી જશે.

સવારે પ વાગ્‍યે ઉઠીને યોગથી શ્રી મોદીની દિનચર્યા શરૂ થાય છે અને તારીખ બદલવાની સાથે તેમની દિનચર્યા પુરી થાય છે. તેઓ રાત્રે ૧ર વાગ્‍યા પછી જ સુવે છે. ઉંઘ પણ ૩II થી ૪ કલાક લ્‍યે છે. ૮ થી ૯ કલાક કામ કરવાની તેમની ટેવ છે. સમય મળે ત્‍યારે તેઓ પુસ્‍તકો વાંચવાના શોખીન છે.

મોદી દિવસમાં મુલાકાતો અને રાત્રે પક્ષ તથા સરકારનું કામ કરે છે. મોદી એવુ માને છે કે જવાબદારી એવી રીતે વહેચવી જોઇએ કે કેપ્‍ટન બોજમુકત રહે.

શ્રી મોદી કાયમ એક કાર્ય યોજના સાથે કામ કરે છે. તેઓ દિવસે મોટાભાગનો સમય સાઉથ બ્‍લોકમાં ઓફિસમાં વિતાવશે. ૭-રેસકોર્ષ રોડ ઉપર નિવાસસ્‍થાનમાં સવારે અને સાંજે બેઠકો યોજશે.

મોદીના નજીકના વર્તુળો જણાવે છે કે, મોદીના મિત્રોની સંખ્‍યાથી વધુ તેમને ચાહવાવાળા લોકો છે. તેઓ એક અદ્વિતીય લોક ચાહના ધરાવતા દેશ નેતા તરીકે ઉભરી આવ્યા છે .

(માહિતી સૌજન્ય- સંદેશ )

 

————————————

ફેસબુક પર ઓબામા બાદ નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા બન્યા

namo=obama-face bookશ્રી નરેન્દ્ર મોદીનું ફેસબુક પેજ દુનિયાના ચૂંટાયેલા  નેતાઓમાં સૌથી ઝડપથી આગળ વધી રહેલુ   પેજ છે. દુનિયાભરના રાજનેતાઓમાં એમેરિકી  રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ તેમના  ફોલોઅર્સની સંખ્યા સૌથી વધારે થઈ ગઈ છે.  ફેસબુકે મંગળવારે આ જાણકારી આપી છે.

ફેસબુક અધિકારી એંડી સ્ટોનએ કહ્યું કે, મોદીનું  ફેસબુક પેજ દુનિયાભરના રાજનેતા કે  ચૂંટાયેલા અધિકારીઓના સૌથી ઝડપી દ્રષ્ટિએ  આગળ વધનારું પેજ છે.

ફેસબુક પર મોદી  ફોલોઅર્સની સંખ્યા ૧.૧૭૧ ટકા વધી રહી છે  જ્યારે ઓબામા આ મામલામાં માત્ર  ૦.૩૦૫  ટકા જ છે.

૭ એપ્રિલે ભારતીય લોકસભા ચૂંટણી પહેલા  ચરણમાં ફેસબુક પર મોદીને ફોલો કરનારા  લોકોની સંખ્યા ૧.૨૪ કરોડ જેટલી હતી.  મંગળવારે જ્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નરેન્દ્ર મોદીને દેશની સરકાર બનાવવા માટે  આમંત્રણ આપ્યુ ત્યારે તેમને ફોલો કરનારાની  સંખ્યા ૧.૫૨ કરોડથી પણ વધુ થઈ ગઈ. 

અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ મોદી  ફેસબુક દુનિયાના બીજા લોકપ્રિય રાજનેતા  બની ગયા છે.

સૌજન્ય- -ગુજરાત સમાચાર

——————————————–

શ્રી મોદીની જીવન ઝરમર અને રાજકીય કારકિદી
 
મિત્ર શ્રી સુરેશ જાનીના બ્લોગ  ગુજરાતી પ્રતિભા પરિચય ઉપર શ્રી મોદીના જીવનની ઝલક એમના આભાર

સાથે અહીં ક્લિક કરીને વાંચો .

નરેન્દ્ર મોદી, Narendra Modi ……..ગુજરાતી પ્રતિભા પરિચય બ્લોગ 

સાભાર -શ્રી સુરેશ જાની

———————

દિવ્ય ભાસ્કર , રવિવારની પૂર્તિમાં પ્રગટ ડૉ. ગુણવંત શાહનો શ્રી નરેન્દ્ર મોદીનો એક સરસ લેખ , આ અખબાર

અને ડૉ. શાહના સૌજન્યથી નીચેની  લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

નરેન્દ્ર મોદીના રોલ મોડલ કોણ ?…….. ડૉ. ગુણવંત શાહ

સાભાર- શ્રી ઉત્તમભાઈ ગજ્જર -એમના ઈ-મેલમાંથી

—————————————

શ્રી મોદી અગાઉ ભારતના વડા પ્રધાન પદે રહી ગયેલા ૧૪ વડા પ્રધાનોનું એમના

સમયકાળની વિગતો સાથેનું એક  ચિત્ર .

શ્રી મોદીની અગાઉના ૧૪મા વડા પ્રધાન શ્રી મનમોહનસિંહનો સમયકાળ

મેં 22, 2004 થી મેં 26 , 2014

Prime Ministers of India

ગુજરાતના સપૂત અને ભારતના નવા ૧૫મા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને હાર્દીક અભિનંદન અને એમના

ભારતના સ્વપ્નને સાકાર કરવામાં એ સફળ થાય એવી શુભ કામનાઓ .