વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(459 ) ભારતના ૧૫મા વડા પ્રધાન , ગુજરાતના સપૂત શ્રી, નરેન્દ્ર મોદીને હાર્દીક અભિનંદન અને શુભેચ્છાઓ

Modi govt-2  years
Shri Narendra Modi sworn as 15th Prime Minister of India 0n 26th May 2014 at the venue of Rashtrpati Bhavan, New Delhi

સોમવાર,તારીખ ૨૬મી મે ૨૦૧૪ ના રોજ  વી.વી.આઈ..પી. વી.આઈ.પી .સહીત લગભગ ૪૦૦૦ આમંત્રિત મહેમાનોની જંગી હાજરી વચ્ચે શ્રી નરેન્દ્ર મોદીની વડા પ્રધાન તરીકેનો રંગારંગ  શપથવિધિ  કાર્યક્રમ  પુરેપુઆ દબદબા વચ્ચે યોજાઈ ગયો . આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવનના વિશાળ પટાંગણમા શ્રી મોદી અને એમની કેબિનેટના કેટલાક સભ્યોને રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ ભારતના સંવિધાનને વફાદાર રહેવાના શપથ લેવડાવ્યા હતા .

આ આખા એ પ્રસંગને આવરી લેતો યુ-ટ્યુબ વિડીયો નીચે મુક્યો છે .
 
વિડીયોના અંતમાં દેશના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આ સમારોહમાં હાજર રહેલ શાર્ક દેશના વડાઓ સાથે શ્રી મોદી અને રાષ્ટ્રપતિ જોઈ શકાશે .

——————————-

ગુજરાત સમાચારમાં પ્રગટ આ અહેવાલ પણ વાંચો .

ભારતમાં ઢળતી સાંજે મોદી યુગનો સૂર્યોદય,15 મા PMનો દિલ્હીમાં ભવ્યાતિભવ્ય શપથવિધિ

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/indian-prime-minister-narendra-modi-bjp-s-politics

——————————————-

બીજા રાજકીય નેતાઓ સામે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વિશિષ્ટતા 

આ આપણને આશ્ચર્યમાં મૂકી દે એવી વાત છે કે મોદીની વડા પ્રધાન તરીકેની આ રંગારાગ શપથવિધિમાં હાજર રહેવા તેમના ભાઈઓ , બહેનોને કે માતાને પણ સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. મોદીના બહેન વાસંતીબેન કે જેઓ શ્રી મોદી જ્યારે પહેલીવાર ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમને રાજતિલક કર્યું હતું એમને મોદી જ્યારે પી.એમ. બન્યા ત્યારે એકના એક આ બહેનને પણ તેમના શપથવિધિ સમારંભમાં હાજર રહેવા કોઈ સત્તાવાર  આમંત્રણ અપાયું નહતું .

શ્રી મોદીના આ સૌ કુટુંબીજનોએ ગાંધીનગરમાં રહેતા એમના નાના ભાઈને ત્યાં એમનાં વયોવૃદ્ધ માતા હીરા બા સાથે ટી.વી. ઉપર આ આખો કાર્યક્રમ સમુહમાં નિહાળ્યો હતો એ પ્રસંગનો વિડીયો નીચે મુકવામાં આવ્યો છે  .

આ વિડીયોમાં શ્રી મોદીના ભાઈને દુરથી ટી.વી ઉપર એમના ભાઈને શપથ લેતા નિહાળીને એમની આંખમાંથી આંસું આવતું જે દ્રશ્ય અને આતુર નયને આ દ્રશ્ય નિહાળી રહેલ એમની માતાનું જે દ્રશ્ય બતાવાયું છે એ દિલને હલાવી જાય છે .

આ વિડીયોમાં બતાવાતી સ્ટ્રીપમાં શ્રી મોદી સાથે શપથ લેનાર એમની કેબિનેટના અન્ય સાથીઓના ફોટા અને એમને આપેલ પોર્ટફોલીઓ પણ જોઈ અને જાણી શકાશે .

આ બતાવે છે કે સરદાર પટેલની જેમ શ્રી નરેન્દ્ર મોદીએ એમના વડા પ્રધાનના સતાના કેન્દ્રથી એમના કુટુંબીજનોને દુર રાખવાનો સજાગ પ્રયાસ કર્યો છે .

શ્રી મોદીના વ્યક્તિત્વની આજ તો ખૂબી છે  . આપણે બીજા નેતાઓને એમના કુટુંબીજનોને અને પ્રિય જનોને રાજકારણમાં ઊંચા સ્થાને બેસાડતા જોઈએ છીએ અને જોયા છે .આની સામે શ્રી મોદી આવા પ્રકારના કુટુંબપ્રેમથી પર છે . શ્રી મોદી ૧૦૦ ટકા ફક્ત ભારત માતાની સેવા માટે દિલથી સમર્પિત છે .

શ્રી મોદીની આવી વિશિષ્ટ પ્રકારની દેશભક્તિને  માટે એમને ધન્યવાદ ઘટે છે .

—————————————————

Namo-victory- mother's blessings -1

શ્રી મોદીને માતાએ આપેલ વિદાય અને શ્રી મોદીની દિનચર્યા –

 દિકરો ઉંમરમાં કે બુદ્ધિમાં કે પદમાં ગમે તેટલો મોટો અને મહાન બની જાય છતાં પણ પોતાના મા પાસે તો તે નાનકડો બાળક જ હોય છે .

 શ્રી મોદી ગાંધીનગર ,અમદાવાદથી જ્યારે તારીખ ૨૨મી મે ૨૦૧૪ના રોજ દિલ્હી જવા રવાના થયા થયા એ પહેલાં એમનાં માતુશ્રી હિરાબાનાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતા .

હિરાબાએ પોતાનાં દિકરા નરેન્દ્ર મોદીને પ્રેમથી કંસાર જમાડયો હતો અને સાથે સાથે શુકનનાં રૂપિયા 101/- પણ પ્રેમથી ભેટ આપ્યા હતાં. જેનો નરેન્દ્ર મોદીએ પ્રેમથી આશિર્વાદ સ્વરૂપે સ્વીકાર કર્યો હતો.

મા હિરાબાએ પણ દિકરા નરેન્દ્ર મોદીને પ્રેમથી આલિંગન આપી દેશની સેવા કરવાના અને દેશને આગળ વધારવાનાં આશીર્વાદ પ્રદાન કર્યા હતા .

દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી જ્યારે એમના દિલ્હીના વડાપ્રધાન નિવાસ ૭-રેસકોર્ષ રોડમાં પહોંચશે તો પણ એમની દિનચર્યામાં કોઇ ઝાઝો ફેરફાર નહી થાય ફકત જવાબદારી અને દાયરો વધી જશે.

સવારે પ વાગ્‍યે ઉઠીને યોગથી શ્રી મોદીની દિનચર્યા શરૂ થાય છે અને તારીખ બદલવાની સાથે તેમની દિનચર્યા પુરી થાય છે. તેઓ રાત્રે ૧ર વાગ્‍યા પછી જ સુવે છે. ઉંઘ પણ ૩II થી ૪ કલાક લ્‍યે છે. ૮ થી ૯ કલાક કામ કરવાની તેમની ટેવ છે. સમય મળે ત્‍યારે તેઓ પુસ્‍તકો વાંચવાના શોખીન છે.

મોદી દિવસમાં મુલાકાતો અને રાત્રે પક્ષ તથા સરકારનું કામ કરે છે. મોદી એવુ માને છે કે જવાબદારી એવી રીતે વહેચવી જોઇએ કે કેપ્‍ટન બોજમુકત રહે.

શ્રી મોદી કાયમ એક કાર્ય યોજના સાથે કામ કરે છે. તેઓ દિવસે મોટાભાગનો સમય સાઉથ બ્‍લોકમાં ઓફિસમાં વિતાવશે. ૭-રેસકોર્ષ રોડ ઉપર નિવાસસ્‍થાનમાં સવારે અને સાંજે બેઠકો યોજશે.

મોદીના નજીકના વર્તુળો જણાવે છે કે, મોદીના મિત્રોની સંખ્‍યાથી વધુ તેમને ચાહવાવાળા લોકો છે. તેઓ એક અદ્વિતીય લોક ચાહના ધરાવતા દેશ નેતા તરીકે ઉભરી આવ્યા છે .

(માહિતી સૌજન્ય- સંદેશ )

 

————————————

ફેસબુક પર ઓબામા બાદ નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા બન્યા

namo=obama-face bookશ્રી નરેન્દ્ર મોદીનું ફેસબુક પેજ દુનિયાના ચૂંટાયેલા  નેતાઓમાં સૌથી ઝડપથી આગળ વધી રહેલુ   પેજ છે. દુનિયાભરના રાજનેતાઓમાં એમેરિકી  રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ તેમના  ફોલોઅર્સની સંખ્યા સૌથી વધારે થઈ ગઈ છે.  ફેસબુકે મંગળવારે આ જાણકારી આપી છે.

ફેસબુક અધિકારી એંડી સ્ટોનએ કહ્યું કે, મોદીનું  ફેસબુક પેજ દુનિયાભરના રાજનેતા કે  ચૂંટાયેલા અધિકારીઓના સૌથી ઝડપી દ્રષ્ટિએ  આગળ વધનારું પેજ છે.

ફેસબુક પર મોદી  ફોલોઅર્સની સંખ્યા ૧.૧૭૧ ટકા વધી રહી છે  જ્યારે ઓબામા આ મામલામાં માત્ર  ૦.૩૦૫  ટકા જ છે.

૭ એપ્રિલે ભારતીય લોકસભા ચૂંટણી પહેલા  ચરણમાં ફેસબુક પર મોદીને ફોલો કરનારા  લોકોની સંખ્યા ૧.૨૪ કરોડ જેટલી હતી.  મંગળવારે જ્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નરેન્દ્ર મોદીને દેશની સરકાર બનાવવા માટે  આમંત્રણ આપ્યુ ત્યારે તેમને ફોલો કરનારાની  સંખ્યા ૧.૫૨ કરોડથી પણ વધુ થઈ ગઈ. 

અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ મોદી  ફેસબુક દુનિયાના બીજા લોકપ્રિય રાજનેતા  બની ગયા છે.

સૌજન્ય- -ગુજરાત સમાચાર

——————————————–

શ્રી મોદીની જીવન ઝરમર અને રાજકીય કારકિદી
 
મિત્ર શ્રી સુરેશ જાનીના બ્લોગ  ગુજરાતી પ્રતિભા પરિચય ઉપર શ્રી મોદીના જીવનની ઝલક એમના આભાર

સાથે અહીં ક્લિક કરીને વાંચો .

નરેન્દ્ર મોદી, Narendra Modi ……..ગુજરાતી પ્રતિભા પરિચય બ્લોગ 

સાભાર -શ્રી સુરેશ જાની

———————

દિવ્ય ભાસ્કર , રવિવારની પૂર્તિમાં પ્રગટ ડૉ. ગુણવંત શાહનો શ્રી નરેન્દ્ર મોદીનો એક સરસ લેખ , આ અખબાર

અને ડૉ. શાહના સૌજન્યથી નીચેની  લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

નરેન્દ્ર મોદીના રોલ મોડલ કોણ ?…….. ડૉ. ગુણવંત શાહ

સાભાર- શ્રી ઉત્તમભાઈ ગજ્જર -એમના ઈ-મેલમાંથી

—————————————

શ્રી મોદી અગાઉ ભારતના વડા પ્રધાન પદે રહી ગયેલા ૧૪ વડા પ્રધાનોનું એમના

સમયકાળની વિગતો સાથેનું એક  ચિત્ર .

શ્રી મોદીની અગાઉના ૧૪મા વડા પ્રધાન શ્રી મનમોહનસિંહનો સમયકાળ

મેં 22, 2004 થી મેં 26 , 2014

Prime Ministers of India

ગુજરાતના સપૂત અને ભારતના નવા ૧૫મા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને હાર્દીક અભિનંદન અને એમના

ભારતના સ્વપ્નને સાકાર કરવામાં એ સફળ થાય એવી શુભ કામનાઓ .  

10 responses to “(459 ) ભારતના ૧૫મા વડા પ્રધાન , ગુજરાતના સપૂત શ્રી, નરેન્દ્ર મોદીને હાર્દીક અભિનંદન અને શુભેચ્છાઓ

  1. pragnaju મે 26, 2014 પર 1:52 પી એમ(PM)

    સ રસ સંકલન
    એક વાત ભવિષ્યવેત્તાની
    Nostradamus predictions for India in 2014 …. Modi as PM …
    Watch on YouTube

    http://www.youtube.com/watch?v=f5W88TGX_Ik&feature=player_detailpage&rel=0

    અને બીજો આજે જ મળેલા ઇ મૅઇલની(પત્ર લાંબો લાગે તો મઠારશો /લીક મળે તો જણાવશો)

    ‘…હવે જો આપણે નરેદ્ન્ર મોદીનું નામ લઈએ એટલે હરિૐ.
    આ હરિૐ શું છે?
    તમને ખબર નથી? ૐ તો બ્રહ્મ છે. પણ હરિ તો ૐ કરતાં પણ વિશેષ છે. એટલે પહેલાં હરિ બોલો અને પછી ૐ બોલો. વૈષ્ણવોની આ એક પ્રણાલી છે. અદ્યતન ધર્મનિરપેક્ષ કટારીયા અને દૃષ્ય-શ્રાવ્ય સંચાર માધ્યમોમાંના મૂર્ધન્યોમાં પણ, એક પ્રણાલી કહો તો પ્રણાલી, અને વરણાગીયપણું (ફેશન) કહો તો વરણાગીયાપણું, અસ્તિત્વ ધરાવે છે. તે દાખવે જ છૂટકો.
    આ ફેશન શું છે?
    આ એ ફેશન છે કે જો તમે નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરો તો તમારે બીજી કોઈ પણ વાત કરતાં પહેલાં, કે પછી વચ્ચે વચ્ચે, કે ગમે ત્યારે ૨૦૦૨ના દંગાની વાત નો ઉલ્લેખ કરવાનો અને કરવાનો જ. અને તેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક ગોદો નરેન્દ્ર મોદીને મારી દેવાનો જ.
    કારણ કે નરેન્દ્ર મોદી ભ્રમ છે. અને તેની પહેલાં, ૨૦૦૨ના દંગા એક માત્ર સત્ય છે.
    આ લેખમાં આ ઉપરાંત નરેન્દ્ર મોદીના કાર્યક્રમોને કથા કથિત રીતે તેની બુરાઈના રુપમાં વર્ણવવામાં આવ્યા છે. શબ્દોની પસંદગી અને વાક્ય રચના એવો સંદેશ આપે છે કે નરેન્દ્ર મોદી, પ્રજા સાથે એક રમત અને નાટક કરી રહ્યા છે. એટલે કે તેઓ જે વાત કરે છે તે બધી અસ્તિત્વહીન અને ફરેબ છે.
    આમ તો, આ લેખ અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ એ વિષયને લગતો છે. તો એમાં નરેન્દ્ર મોદી ની કથા કથિત બુરાઈઓને દોહરાવવાની શી જરુર છે? અનિવાર્ય રીતે આ ચર્ચા શૈક્ષણિક અને અર્થશાસ્ત્ર અને વિકાસ વિષે ના મુદ્દાઓથી સભર હોવી જોઈએ.
    અપ્રાસ્તુત્ય
    અમર્ત્યસેન કોણ હતા, ક્યાં જન્મ્યા, તેમના પિતાશ્રી કોણ હતા, તેમના પિતાશ્રી શું કરતા હતા, અમર્ત્યસેન કઈ જ્ઞાતિના હતા, શું ભણ્યા, શું શું વાંચ્યું, ક્યાં ક્યાં રહ્યા, શું કર્યું, કયા કયા પ્રમાણ પત્રો મેળવ્યા, કયા ચંદ્રકો મળ્યા, તેમની અત્યારની ઉંમર કેટલી, આવી વાતોને “અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ” ના વિષયમાં સ્થાન આપવું એ વિષયાંતર, તર્કહીન અને અપ્રસ્તુત્ય છે. એવું લાગે છે કે કદાચ લેખકભાઈ સંદેશો એ આપવા માગે છે, આવા ઉચ્ચ જ્ઞાતિમાં જન્મેલ, સુજ્ઞ પિતાશ્રીના સુજ્ઞ સુપુત્ર, વિદ્યાવિભૂષિત, ઈનામોથી નવાજીત માનનીય અર્થશાસ્ત્રી, જો નરેદ્ન્ર મોદીની કાર્ય શૈલી નો વિરોધ કરતું ઉચ્ચારણ કરે તો હે વાચકો તમે તેને બ્રહ્મ સત્ય છે એમ માનો.
    વૈજ્ઞાનિક રીતે જોઇએ તો તર્કશુદ્ધતા નક્કી કરવામાં “તર્ક શું છે તે મહત્વનું છે. તર્ક ક્યાંથી આવ્યો તેના આધારે નિર્ણય કરી શકાતો નથી.
    ૭૦ લીટીઓ અહીં પૂરી થઈ.
    ગોદા, નરેન્દ્રભાઈ મોદીને માર્યા પણ આંકડાઓ આપ્યા દેશના.
    વાત થઈ જીડીપી ની. જીડીપી એટલે શું? જોકે જે વાચકો સુજ્ઞ છે તેઓ જાણે છે. પણ જો સર્વાંગી વિકાસની ચર્ચા હોય તો જીડીપી જેવી ઘણી ટર્મીનોલોજી છે જેને ઉલ્લેખ થવો જોઇએ અને આ બે મહાનુભાવોએ કર્યો પણ હશે. જેમકે જનરલ ડોમેસ્ટીક કંઝંપ્શન, જનરલ ડોમેસ્ટીક પ્રાઈસ ઈન્ડેક્સ, ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્સન વિગેરે. ચલો આ વાત પણ જવા દઈએ,
    વાત કઈ કઠે છે? આંકડાઓમાં ગુજરાતની વાત ન થઈ. દેશની વાત થઈ. નરેન્દ્રભાઈ મોદીને ગોદા માર્યા છે તો દેશની વાત કરવાને બદલે ગુજરાતની અને બાકીના રાજ્યોની પ્રજા સ્થિતિની વાત પણ કરવી જોઇએ.
    જો તમે આ લેખ એક સંકલિત લેખ તરીકે પ્રગટ કર્યો હોય તો, આ સંકલન, પ્રાસ્તુત્યના પ્રમાણભાન સાથે પ્રતિબિંબિત થતું નથી.
    એક વાત સમજવા જેવી છે તે સમજી લો. તે એ છે કે સુજ્ઞ જનોમાં અને અસુજ્ઞ જનોમાં એક વર્ગ છે. અને તે એવો મોટો વર્ગ છે કે જે આંકડાઓને અને તારણોને ભ્રામક માને છે.
    આંકડાઓ બ્રહ્મ નથી. મોટે ભાગે આંકડાઓ ભ્રમ જ પેદા કરે છે.
    શંકરાચાર્યે આ વાત બીજી રીતે કરી છે. વેદ એ સત્ય છે. વેદ એ પ્રમાણ છે. પણ પ્રત્યક્ષ પ્રમાણનું શુ? શંકરાચાર્ય કહે છે. પ્રત્યક્ષ પ્રમાણ એ વેદથી પણ ઉપર છે. જો પ્રત્યક્ષ પ્રમાણ અને વેદપ્રમાણમાં વિરોધાભાસ હોય તો પ્રત્યક્ષ પ્રમાણ એ સત્ય છે. આપણે લાંબી વાત નહીં કરીએ, પણ શંકરાચાર્ય એક દાખલો આપે છે કે ધારો કે વેદ કહે કે અગ્નિ શીતલ છે. પણ પ્રત્યક્ષપણું એમ કહે છે કે અગ્નિ ઉષ્ણ છે. તો પ્રત્યક્ષ પ્રમાણ છે તેને સ્વિકારો.
    જો વાક્યુદ્ધની વાત કરતા હોઈએ તો મુદ્દાની જ વાત કરવી જોઇએ. શ્રી જગદીશ મહેતાએ અમર્ત્યસેન સાથે ઝગડો કેમ કર્યો તે દર્શાવવું એ અપ્રસ્તુત ગણવું જોઇએ. ભૂમિપુત્રે આવા પૂર્વગ્રહો પેદા કરવામાંથી દૂર રહેવું જોઇએ.
    જો નરેન્દ્ર મોદીને ગોદા મારવાની લાલચ ન રોકી શકાતી હોય અને બે મહાનુભાવોના ઝગડાનું કારણ નરેન્દ્ર મોદી છે, અને વાત, ગુજરાતના વિકાસના વિશ્લેષણની હોય, તો અમર્ત્યસેને ભલે દેશની વાત પણ કરી હોય, પણ તેનો ગુજરાતનો સંદર્ભ પણ બતાવવો જોઇએ.
    અમર્ત્યસેનને હિસાબે, માળખાકીય વિકાસ એટલે જ વિકાસ છે એમ નથી. એટલે કે ભણતર, તંદુરસ્તીમાં પણ વિકાસ થવો જોઇએ એમ લેખમાં જણાવ્યું છે. સંદેશ એવો છે ગુજરાતમાં ભણતર અને તંદુરસ્તીનો વિકાસ બીજા રાજ્યો જેવો નરેન્દ્ર મોદીએ કર્યો નથી. ભણતર, તંદુરસ્તી, ની સાથે સાથે સ્વચ્છતા, સભ્યતા, સંસ્કાર, વિગેરે પણ ઉમેરી શકાય.
    શિક્ષણ નો વ્યાપક અર્થ કરવો જોઇએ એટલે કે અક્ષરજ્ઞાન, વાચન, વિચાર, આચાર, સ્વભાવ, સંસ્કાર બધાનો સમાવેશ કરવો જોઇએ. બાકી જે વિકાસ રહ્યો, તે આર્થિક વિકાસ. આ આર્થિક વિકાસ, ઉત્પાદન અને નાણાની પ્રવાહિતા ઉપર આધાર રાખે છે.
    હવે શંકરાચાર્યના પ્રત્યક્ષ પ્રમાણને યાદ કરો.
    શું ગુજરાતમાં ગરીબો ને અવગણવામાં આવ્યા છે? અને તેઓ ગરીબ જ રહ્યા છે? જો આમ હોય તો ગરીબો વધી જવા જોઇએ અને મજુરીનો દર નીચે જવો જોઈએ. પણ અમારા મિત્ર બંસીભાઈ પટેલ કહે છે કે “અમે ૩૦૦ રૂપીયા આપવા તૈયાર છીએ પણ મજુરો મળતા નથી. મજુરો મેળવવા એક માથાનો દુખાવો છે.”
    આ વાત જવા દો.
    ગુજરાતમાં મજુરી કરવા માટે રાજસ્થાન, ઉત્તર ભારત, ઓરીસ્સા વિગેરે રાજ્યોમાંથી ઉત્તરોત્તર વધુને વધુ લોકો શા માટે આવે છે? મુંબઈ સિવાયના બીજા પ્રદેશોમાં ગુજરાતી મજુરો કેટલા? આ જ વાત નોકરીયાતોને લાગુ પડે છે.
    સાથે સાથે સંસ્કારની પણ વાત કરી લઈએ. મેં મુંબઈ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આસામ અને શિલોંગમાં કે દેશના બધા જ રાજ્યોમાં ત્યાંના પરપ્રાંતીયો, પોતાની દુકાનમાં કે ધંધામાં પોતાના પ્રાંતના લોકોને જ રાખે છે એવું જોયું છે.
    ગુજરાતીઓ જ્યારે પરપ્રાંતમાં હોય ત્યારે સ્થાનિકોને રાખે છે. એટલું જ નહીં તેઓ ત્યાંની સ્થાનિક ભાષા પણ શિખી જાય છે. આ એક સંસ્કાર છે અને તેના ઘણા સૂચિતાર્થો છે.
    નહેરુએ સત્તાના લોભમાં મુંબઈમાં અભદ્ર ઉચ્ચારણો કરી મરાઠીઓને ગુજરાતી વિરુદ્ધ ભડકાવેલા અને દંગા કરાવેલા. એ બાદ કરતાં ગુજરાતીઓને પરપ્રાંતમાં ક્યારેય તકલીફ પડી નથી. તેમજ પરપ્રાંતીયોને ગુજરાતમાં ક્યારેય તકલીફ પડી નથી. આ ગુજરાતનું શિક્ષણ છે અને આ ગુજરાતના સંસ્કાર છે. નરેન્દ્ર મોદીએ તેને વિકસાવ્યા છે પણ બીજા રાજ્યોની જેમ ગુજરાતીઓને બહેકાવ્યા નથી.
    નરેન્દ્ર મોદીએ શિક્ષણ ને ૬૦ ટકાના સ્તરેથી ૮૦ ટકાના સ્તરે લઈ ગયા છે. “વાંચે ગુજરાત”, શાળા પ્રવેશ, આશ્રમ શાળાઓ, ખેલ મહાકુંભ, વિગેરે પ્રવૃત્તિઓ અમલમાં મુકી છે. આ બાબતોનો ઉલ્લેખ અને ચર્ચા હોવી જોઇએ.
    સખી માંડળો કરોડોનો રુપીયાનો ધંધો કરે છે. તે વિષે પણ ચર્ચા હોવી જોઈતી હતી. અમર્ત્યસેન આ બાબતમાં શું કહે છે તે આપણે જાણતા નથી. અને જો તેમણે આ બાબતો વિષે કંઈક કહ્યું હોય તો આ લેખમાં તેનો ઉલ્લેખ નથી. મારા ખ્યાલ પ્રમાણે ભૂમિપુત્રના કોઈપણ અંકમાં તેનો બીજાઓ દ્વારા પણ ઉલ્લેખ નથી.
    ખેતીની જમીન અને તેનું સંપાદન
    “ખેતીની જમીન અને તેનું સંપાદન” એમાં સમસ્યા કરતાં અનેક ગણું વધારે રાજકારણ છે. યાદ કરો, સાઠના દશકામાં ગાંધીનગર શહેર, અને તાલુકે તાલુકે બનેલી એવી ૧૮૨ ઔદ્યોગિક વસાહતો (જે મનુભાઈ શાહે ઉભી કરેલી) માં ખેતીની જમીન જ વપરાઈ છે. ગુજરાતમાં અસંખ્ય જંગલો કપાયાં છે. ૧૯૫૦ના દશકામાં પંચમહાલ જંગલોથી ભરચક હતું. ગોધરાથી લુણાવાડા ના રેલરોડ ઉપર ઘટાટોપ જંગલ હતું. બધા ડુંગરાઓ પણ વૃક્ષોથી ભરપૂર હતા. આ બધા જંગલો કપાઈ ગયા છે.
    નરેન્દ્ર મોદીએ આવું કશું કર્યું નથી. તેની નોંધ લેવી જોઇએ. નરેન્દ્ર મોદીએ ખરાબાની જમીનોને નવસાધ્ય કરી છે. એટલે કે અમર્ત્યસેન સહિત જે લોકોએ આ બાબતને લક્ષ્યમાં લીધી નથી તેઓ નરેન્દ્ર મોદીને વગોવવાની યોગ્યતા ધરાવતા નથી.
    પર્યાવરણ ઉપર પહેલો પ્રહાર
    એક વસ્તુ પર્યાવરણવાદીઓએ સમજી લેવી જોઇએ કે પર્યાવરણની સમતુલા ઉપર પહેલો પ્રહાર એટલે ખેતી. ભલે આ પ્રહાર પાંચ દશ હજાર વર્ષ પહેલાં થયો હોય પણ જો સમજણ આવી હોય તો તેમાં સુધારાને અવકાશ છે.
    બીજી એટલી જ મહત્વની વાત હોય તો ગામડા અને અલ્પમાળી મકાનોને લગતી છે. જો જમીનનું મૂલ્ય સમજાતું હોય તો ગ્રામ્ય સંસ્કૃતિની માનસિકતામાંથી અને જમીન ઉપર વ્યક્તિના માલિકીના હક્કોની માનસિકતામાંથી બહાર નિકળવું પડશે. માંસાહાર છોડવો પડશે. કારણ કે જેઓ માંસાહારી છે તેઓ શાકાહારી પ્રાણીઓને ખાય છે. શાકાહારી પ્રાણીઓનો ઉછેર કરવો પડે છે અને તેને માટે છ ગણી જમીન વપરાય છે.
    ઘરે ઘરે ગાય બાંધવી અને મફતમાં ગૌચરનો ચારો મેળવવો એ માનસિકતામાંથી પણ બહાર નિકળવું પડશે. હવે તો ગાયો ગૌશાળામાં જ શોભશે.
    બહુમાળી મકાનો બાંધી, જમીન ફાજલ કરવી પડશે. ગામડાઓને બહુમાળી સંકુલોમાં ફેરવવા પડશે. સ્વતંત્ર બંગલાઓ ટેનામેન્ટના મોહમાંથી દૂર થવું પડશે. જમીનનો ઉપયોગ મોટાભાગે વૃક્ષો માટે જ કરવો પડશે જેથી ફળો અને લાકડું મળી શકે. અનાજ અને શાક માટે અગાશીઓ, ગેલેરીઓ અને બહુમાળી બાંધકામનો ઉપયોગ કરવો પડશે.
    મોઢું ફુઆવીને ફરવાની જરુર નથી
    વાસ્તવમાં માળખાકીય વિકાસમાં દેશ શું કે ગુજરાત શું, પાશેરામાં પહેલી પૂણી પણ નથી. એટલે માળખાકીય સુવિધાઓમાં થતા વિકાસની બાબતમાં અત્યારથી જ મોઢું ફુલાવીને ફરવું તે ટૂંકી દૃષ્ટિ છે. (માળખાકીય બાંધકામમાં આપણે ૧૦૦ વર્ષ કરતાં પણ વધુ પાછળ છીએ)
    મોરારજી દેસાઈએ જ્યારે ખાદીના વપરાશને સરકારી ઓફીસોમાં ફરજીયાત કર્યો, ત્યારે કેટલાક અર્થશાસ્ત્રીઓએ બળાપો વ્યક્ત કર્યો કે, જો બધા ખાદી પહેરશે તો મીલના કાપડનું શું કરીશું? જવાબ હતો, કે મીલના કાપડને નિકાસ કરીશું અને વિદેશી હુંડીયામણ રળીશું. તો સામો સવાલ હતો કે તો પછી વિદેશી હુંડીયામણ નો ભરાવો થઈ જશે. આ વિદેશી હુંડીયામણનું કરીશું?
    વાત ગધુભાઈને તાવ આવે એવી હતી એટલે વાત જવા દો.
    નરેન્દ્ર મોદીનું મગજ કેવું ચાલે છે તે જુઓ.
    નરેન્દ્ર મોદી પાસે એક કંપની આવી. તેને ટાયરનું કારખાનું નાખવું હતું. નરેન્દ્ર મોદીએ પૂછ્યું રબર ક્યાંથી લાવશો? તેણે કહ્યું કેરાલામાંથી. નરેન્દ્ર મોદીએ કહ્યું ના તમે અહીં જ રબર વાવો. અને ટાયર પણ બનાવો. અને તેમ થયું.
    નરેન્દ્ર મોદીએ પતંગના કારીગરોને પૂછ્યું પતંગમાં કોનો કોનો હિસ્સો હોય છે? ગણત્રી કરીને તેઓએ કહ્યું ૨૯ જાતના કામ હોય છે. કાગળ, વાંસ, દોરા, રીલ, ફીરકી, જુદા જુદા કટીંગ, જોડાણો, ગુંદર, કાતર, જુદા જુદા ટ્રાન્સપોર્ટ, વેપારી, એજન્ટો, વિગેરે.
    નરેન્દ્ર મોદીએ પૂછ્યું વાંસ ક્યાંથી આવે છે?
    “આસામથી.
    નરેન્દ્ર મોદી; “આપણે ત્યાં પણ વાંસ ઉગે છે. આસામથી શા માટે લાવવો પડે છે?
    “આસામના વાંસમાં બે ગાંઠો વચ્ચે વધુ અંતર હોય છે. તેથી સારા પતંગ બને છે.
    નરેન્દ્ર મોદી; “આપણા કૃષિવૈજ્ઞાનિકોએ સંશોધન કરીને એવા વાંસ બનાવવા જોઇએ.
    (ગુજરાતના કૃષિવૈજ્ઞાનિકોએ તે કામ કર્યું)
    નરેન્દ્ર મોદીએ કહ્યું શેરડીમાં પણ બે ગાંઠો વચ્ચેનું અંતર વધારી શકાય. ગુજરાતના કૃષિ વૈજ્ઞાનિકોએ તે કામ પણ કર્યું. શેરડીના સાંઠાએ ૨૦ ટકા વધુ રસ આપ્યો.
    આવી તો ઘણી વાતો છે જેમાં નરેન્દ્ર મોદીએ અંગત રસ લીધો. નરેન્દ્ર મોદીની આ માનસિકતા છે. આની તમે નોંધ લીધી? નરેન્દ્ર મોદી જેતે વિસ્તારના સ્વાવલંબનમાં માને છે અને જ્યાં શક્ય છે ત્યાં તે પ્રમાણે વર્તે છે, જેથી ટ્રાન્સ્પોર્ટના અનુત્પાદક ખર્ચાઓ ઘટાડી શકાય. આને આપણે ગાંધી વાદ કહી શકીએ. મને એવું લાગે છે કે કેટલાક ગાંધીવાદીઓ કરતાં નરેન્દ્ર મોદી ગાંધીની વધુ નજીક છે.
    નરેન્દ્ર મોદીના સદ્ભાવના આંદોલનને પણ જ્યારે અવળ અને વક્ર દૃષ્ટિકોણથી જોવામાં આવે તો બીજી આશા તો રાખી જ કેમ શકાય? મને લાગે છે કે નરેન્દ્ર મોદીને સમજવામાં ગાંધીપ્રબોધિત દૃષ્ટિકોણ રાખવામાં આવતો નથી.
    હવે તમે એક અચરજની વાત જુઓ. ખાદી ગ્રામોદ્યોગવાળી સંસ્થાની, ખાદી વિચાર પરત્વેની સમજણ કેવી છે?
    ગુજરાતમાં ખાદી ભંડારની ખાદી
    ખાદી ભંડારમાં ખાદી લેવા જઈએ તો પરપ્રાંતની ખાદી ખડકેલી હોય. ગુજરાતની ખાદી તો નામ માત્રની હોય. પરપ્રાંતની ખાદીને ગુજરાતમાં લાવીને વેચવી એ ગાંધી વિચારધારાથી વિપરીત છે. જે તે વિસ્તારની ખાદી તે જ વિસ્તારમાં વેચાવી જોઇએ. કારણ કે ખાદી જે તે વિસ્તારના વસ્ત્રમાટેના સ્વાવલંબન માટે છે.
    પરપ્રાંતની ખાદી એ ખરેખર ખાદી છે કે કેમ? પરપ્રાંતની ખાદીનું પોત જોઈને તો પરપ્રાંતની ખાદી, ખાદી પરત્વે શંકા ઉભી કરે તેવી હોય છે. એટલું જ નહીં જો પરપ્રાંતના લોકો ખાદી ન પહેરતા હોય અથવા ઓછી ખાદી પહેરતા હોય તો પરપ્રાંતની ખાદી ગુજરાત માટે ખાદી કહેવાય જ નહીં. વાસ્તવમાં ખાદી તો જીલ્લા કક્ષાની, તાલુકા કક્ષાની અને ગ્રામ્ય કક્ષાની હોવી જોઇએ. ખરી ખાદી તો ગ્રામ્ય કક્ષાની જ કહેવાય.
    ચાલો જોઇએ ભૂમિપુત્રનો પ્રતિભાવ કેવો છે.
    શિરીષ મોહનલાલ દવે
    એ-૮૪, જ્યુપીટર ટાવર, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪.
    ફોન નં. ૦૭૯- ૨૬૮૫૫૫૫૪

    Like

  2. Anila Patel મે 26, 2014 પર 3:42 પી એમ(PM)

    Narendra modineto jetala dhanyvad apie etala ochha chhe..
    Pragya didie je patrni link mooki chhe te pan kharekhar adbhoot chhe. Kasotito kanchanij thay ane jetali kasoti Modini thai etala e shudhdh sonu thaine sauni same avi gaya. Ane hajuye e parasmanij thai raheshe emana sankarone karane. Shapathvidhina mokalayela aamantranthij emana sanskar dipi uthya eto sau koi joi shakya.

    Like

  3. pragnaju મે 26, 2014 પર 7:13 પી એમ(PM)

     આનંદ આનંદ  અમે GSTV.in  પર પ્રોગ્રામ માણ્યો હતો HOME January 7, 2014January 8, 2014January 9, 2014January 10, 2014January 11, 2014January 12, 2014January 13, 2014January 14, … View on gstv.in Preview by Yahoo  

    Like

  4. Ramesh Patel મે 26, 2014 પર 7:32 પી એમ(PM)

    જનકલ્યાણ જપ હો તવ ભક્તિ

    પ્રાથુ ભારત મૈયા દેજો શક્તિ

    છે વિશ્વધરોહર ભૂમિ અમનની

    વિશ્વશાન્તિ એ આશ વતનની

    વડનગર ગુર્જરી ભોમ મહાભાગી

    નમતો જ નમો રાજઘાટે ત્યાગી

    રમેશ પટેલ(આકાશદીપ)
    ખૂબ જ સુંદર સંકલન..વિગતે માહિતી માણી..શ્રી નરેન્દ્રભાઈ મોદી..દેશ માટે જ જન્મેલું..અવતરેલું વ્યક્તિત્ત્વ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  5. Vinod R. Patel મે 26, 2014 પર 7:34 પી એમ(PM)

    Message from The Prime Minister Modi in updated PM Office website

    http://www.pmindia.nic.in/pmmessage.php

    Message from The Prime Minister

    My dear fellow Indians and citizens of the world,

    Namaste!

    A very warm welcome to the official website of the Prime Minister of India.

    On 16th May 2014 the people of India gave their verdict. They delivered a mandate for development, good governance and stability. As we devote ourselves to take India’s development journey to newer heights, we seek your support, blessings and active participation. Together we will script a glorious future for India. Let us together dream of a strong, developed and inclusive India that actively engages with the global community to strengthen the cause of world peace and development.

    I envision this website as a very important medium of direct communication between us. I am a firm believer in the power of technology and social media to communicate with people across the world. I hope this platform creates opportunities to listen, learn and share one’s views.

    Through this website you will also get all the latest information about my speeches, schedules, foreign visits and lot more. I will also keep informing you about innovative initiatives undertaken by the Government of India.

    Yours,
    Narendra Modi

    Like

  6. smdave1940 મે 27, 2014 પર 8:42 એ એમ (AM)

    Thank you Vinodbhai for reproducing a part of my article.

    Like

  7. Kantilal Patel મે 28, 2014 પર 4:00 એ એમ (AM)

    આપશ્રીના બધાજ ન્યુજ વાચવાની મજા આવે છે.
    હું યોગ માં એટલો બધો વ્યવસાય માં રહું છું છતાં પણ આપની તરફના બધાજ મેસેજ
    વાંચ્યા પછીજ નિંદર આવે છે.
    નરેદ્ર મોદી સાહેબને હુ વર્ષોથી આોળખુ છું જ્યારથી જનસંગ સાથે જોડાયેલો, આજે
    પણ હુ મારી જાતને જનસંગીજ કહી રહ્યો છું.
    ભગવાન આપને ઘણુ જીવાડે મનુષ્યની સેવાકરાવા માટે.
    કાન્તી પટેલ, બોરીવલી, મુંબઇ.હરિ ૐ નમ:શિવાય….
    ફોન:Resi 022-28906815
    mob: 09820667320
    kdpatelyoga@gmail,com.

    2014-05-27 2:32 GMT+05:30 “વિનોદ વિહાર” :

    > Vinod R. Patel posted: ” સોમવાર,તારીખ ૨૬મી મે ૨૦૧૪ ના રોજ
    > વી.વી.આઈ..પી. વી.આઈ.પી .સહીત લગભગ ૪૦૦૦ આમંત્રિત મહેમાનોની જંગી હાજરી વચ્ચે
    > શ્રી નરેન્દ્ર મોદીની વડા પ્રધાન તરીકેનો રંગારંગ શપથવિધિ
    > કાર્યક્રમ પુરેપુઆ દબદબા વચ્ચે યોજાઈ ગયો . આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવનના
    > વિશાળ પટાંગણમા”

    Like

  8. chandravadan મે 28, 2014 પર 7:51 એ એમ (AM)

    Congratulations to Modiji to be the 15th PM of India.
    May the FUTURE of India be BRIGHTER with Modiji.
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

    Like

  9. Vinod R. Patel મે 28, 2014 પર 6:17 પી એમ(PM)

    E-MAIL COMMENT FROM AATTAJI- 
    Himatlal joshi To Vinod Patel

    પ્રિય વિનોદ ભાઈ ગુજરાતના સપુત અને બીજાઓને સહી કરતા જોયા .એક બેનતો ખીલેલા કમળ વાળી સાડી પહેરીને આવેલાં . વિનોદભાઈ તમે આ બધું બતાવ્યું .એ બદલ હું તમારો આભાર માનું છું।

    Ataai
    ~sacha hai dost hagiz juta ho nahi sakta
    jal jaega sona firbhi kaalaa ho nahi sakta
    Teachers open door, But you must enter by yourself.

    Like

  10. ગોદડિયો ચોરો… જૂન 6, 2014 પર 9:10 એ એમ (AM)

    આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

    ગરવી ગુજરાતના સપુત એવા નરેન્દ્રભાઇ ભવ્ય ભારતના સારથિ બન્યા

    હવે ભવ્ય ભારતની ગૌર્વ ગાથા જગતભરમાં ગવાશે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: