વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: જુલાઇ 2014

( 497 ) જો હું એમની આંખો બનું તો… ? …(વ્યક્તિ વિશેષ પરિચય)– અવંતિકા ગુણવંત

પહેલા અંધ લેકચરર ,પહેલા અંધ સેનેટ  સભ્ય ,પહેલા અંધ ગ્રેજ્યુએટ ટીચર અને પહેલા વિકલાંગ કમિશનર શ્રી ભાસ્કરભાઈ મહેતાનો જાણીતાં લેખિકા અવંતિકાબેન  ગુણવંત એ એમના ૨૦૦૯ માર્ચમાં લખાયેલ આ લેખમાં સુંદર પરિચય કરાવ્યો છે, એ વાંચતા જ મને ગયો .

મને લખવા માટે સતત પ્રેરણા આપનાર અવન્તીકાબેનની ૨૦૦૭ની મારી અમદાવાદની મુલાકાત દરમ્યાન મેં એમના નિવાસ સ્થાને  ત્રણ વાર મુલાકાત લીધી હતી અને એમના સ્નેહાળ આતિથ્યનો યાદગાર અનુભવ પ્રાપ્ત કર્યો હતો.

આ મુલાકાતો દરમ્યાન એમની સાથે જે આત્મીય ગોષ્ટી કરવાની તક મળી એમાં એમણે મને પ્રજ્ઞાચક્ષુ શ્રી ભાસ્કરભાઈના પ્રતિભાવંત વ્યક્તિત્વ અને એમના કુટુંબીજનો સાથેના એમના નજીકના સંબંધોની પણ વાત કરી હતી એ યાદ આવે છે .

આવા એક પ્રજ્ઞા ચક્ષુ શ્રી ભાસ્કરભાઈ મહેતાની બહુમુખી પ્રતિભાની સુંદર શબ્દોમાં વિગતો સાથે ઝાંખી કરાવતો અવન્તીકાબેનનો લેખ વિનોદ વિહારની ‘ અપંગનાં ઓજસ ‘ લેખ માળાની શ્રેણીમાં આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં મને આનંદ થાય છે .

આજે પણ ફોન ઉપર અવન્તીકાબેન સાથે થતી મારી વાતચીત ખુબ આનંદાયક અનુભૂતિ કરાવે છે .જો કે એમનું  સ્વાસ્થ્ય હાલ જોઈએ એવો  એમને સાથ  આપતું નથી એમ છતાં એમની લેખન યાત્રા વણથંભી ચાલુ રાખીને  એમની વિવિધ પત્રોમાં પ્રગટ થતી કોલમોના એમના અનેક  પ્રસંશકોને વાચનનો લાભ આપી રહ્યાં છે .

મને આશા છે આપને અવંતિકાબેનનો  પ્રજ્ઞાચક્ષુ ભાસ્કરભાઈની અદ્ભુત પ્રતિભાનો પરિચય કરાવતો આ પ્રેરક  લેખ વાચવો  જરૂર ગમશે .

વિનોદ પટેલ

=============================

 

જો હું એમની આંખો બનું તો… ? – અવંતિકા ગુણવંત

Bhaskarbhai Maheta and Pravinaben Mahea

Bhaskarbhai Maheta and Pravinaben Mahea

આપણે ત્યાં પહેલા બ્લાઈન્ડ લેકચરર કોણ ? ભાસ્કરભાઈ મહેતાપહેલા બ્લાઈન્ડ સેનેટ સભ્ય કોણ ? ભાસ્કરભાઈ મહેતાપહેલા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર કોણ ? ભાસ્કરભાઈ મહેતાઅને પહેલા વિકલાંગ કમિશનર કોણ ? ભાસ્કરભાઈ મહેતા….

ઈંગ્લૅન્ડમાં અંધ કેળવણી પ્રધાન છે, પરંતુ આપણે ત્યાં વિકલાંગની આવા ઊંચા પદ પર પ્રથમવાર નિમણૂંક થઈ છે. આજ સુધી જે સ્થાન પર ફક્ત આઈ.એ.એસ અધિકારીઓ જ બેસતા તે સ્થાન પ્રજ્ઞાચક્ષુ ભાસ્કરભાઈએ ગત સતત ત્રણ વર્ષો (2005-2008) સુધી શોભાવ્યું હતું. એ સમયે તેમના હાથ નીચે 25 કલેક્ટરો રહેતા. અથાગ પરિશ્રમ, અખૂટ આત્મવિશ્વાસ અને અસીમ શ્રદ્ધાથી એક એક ડગ આગળ વધતા ભાસ્કરભાઈના જીવન અને તેમના અનોખા પ્રસન્ન દાંપત્ય વિશે તમને જાણવું ચોક્કસ ગમશે.

તો ચાલો સૌપ્રથમ, ભાસ્કરભાઈના જીવન અને તેમના કાર્યક્ષેત્ર પર એક નજર કરીએ….

તેઓ મૂળ ભાવનગરના. 23 સપ્ટેમ્બર, 1950માં અમદાવાદમાં તેમનો જન્મ. માતા રંભાલક્ષ્મી અને પિતા યોગેન્દ્રભાઈ, એ.એમ.ટી.એસ.ના સામાન્ય કર્મચારી. ભાસ્કરભાઈને જન્મથી જ આંખના નૂર નહિ. એમના પછી 1952માં જન્મેલા નાના ભાઈ ગગનની આંખો પણ તેજહીન. એ જમાનામાં અંધજનો માટે શિક્ષણ અને પુનર્વસનની ખાસ વ્યવસ્થા ન હતી. સામાન્ય ઘરમાં બબ્બે બાળકો, માબાપનું તો હૈયું જ બેસી જાય ને ! પણ એમના નાનાજી અને દાદાજી અને આખા કુટુંબે આ બાળકોની સમસ્યાને પોતાની ગણી હતી અને શક્ય એટલી જવાબદારી સંભાળી લીધી હતી. ભાસ્કરભાઈ કહે છે કે એમના નાગર કુટુંબની સંસ્કારિતા અને શહેરમાં વસવાટ આ બે પરિબળોએ એમના શિક્ષણમાં સારો ભાગ ભજવ્યો.

એમના ઘરની નજીક જ અંધશાળા. વિનોદાબહેન દેસાઈ એનાં સંચાલિકા. એમને જોયાં ને રંભાલક્ષ્મીબહેનને પોતાના દીકરાઓ માટે માર્ગ દેખાયો. દીકરાઓને એમણે અંધશાળામાં દાખલ કર્યા. બે ભાઈઓ ચાલતા કાં તો બસમાં એકલા સ્કૂલે જતા.

તેઓ પરિવારમાં સમાજ સાથે રહેતા હતા. એમનાં માતાપિતા વગર સંકોચે પોતે જ્યાં જાય ત્યાં દીકરાઓને પોતાની સાથે લઈ જતા હતા. આમ એમનો ઉછેર સ્વાભાવિકપણે થતો હતો. તેઓ દેખતા છોકરાઓ સાથે ગિલ્લીદંડા અને લખોટી રમતા. ક્યારેક પડી જાય, વાગે પણ રમતાં અટકે નહિ. એક વાર બૉલ લેવા જતાં પાણીની ટાંકીમાં ઊંધા પડી ગયા હતા, પણ ચપળતા દાખવીને તરત ઊભા થઈ ગયા. એક વાર ભારે રોલર ફેરવતાં ગલુડિયાંને ચગદી નાખ્યા હતા. આની પાછળ કોઈ ગુનાવૃત્તિ નહિ, પણ તોફાન કરવાની મઝા આવે ને ના દેખવાના કારણે આવું થઈ જાય. તોફાની હોવાના કારણે નિશાળમાં સાહેબોનો માર ખાધો છે. પ્રિન્સિપાલ એમને તોફાની છોકરા તરીકે ઓળખે; પણ તેઓ એમના પ્રિય વિદ્યાર્થી હતા.

ભાસ્કરભાઈ માને છે, natural pleasure of life એમને મળી તેથી એનો વિકાસ નોર્મલ થયો. અન્ય અંધ બાળકોની જેમ એમને સંગીત કે નેતરકામ ના ગમે; તેમને ભણવાનું ગમતું. તેઓ બ્રેઈલ વાંચનમાં કાયમ આગળ રહેતા. ગુજરાત, મહારાષ્ટ્ર અને ઈન્ડિયા લેવલ પર બ્રેઈલ વાચનમાં પ્રથમ આવતા ને ઈનામ જીતતા. પછી એ જ સ્પર્ધાના એ નિર્ણાયક નિમાયા અને સ્પર્ધક મટી ગયા. અંધ સ્કૂલના આચાર્ય શ્રી હર્ષદભાઈ જોશી સાથે એમને પિતાપુત્ર જેવો સંબંધ. પોતાના પિતાની વાત ક્યારેક અવગણે પણ જોશીસાહેબની નહિ.

ભાસ્કરભાઈએ સાતમું ધોરણ પાસ કર્યું, પછી કહે મારે અંધસ્કૂલમાં નથી જવું, હું નોર્મલ સ્કૂલમાં ભણીશ; અને બહુ લોકોના વિરોધ વચ્ચે એમણે નૂતન ફેલોશીપમાં પ્રવેશ લીધો. આ પ્રવેશ એમના જીવનનો ટર્નિંગ પૉઈન્ટ હતો. અહીં એમને વિશાળ સર્કલ મળ્યું. લગભગ છસો-સાતસો બાળકો વચ્ચે ભણવાનું એટલે વાચાળતાનો વિકાસ થયો. સ્પર્ધા માટે પણ મોટું ગ્રાઉન્ડ મળ્યું.

સ્કૂલની પરીક્ષામાં બધા વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષા આપે જ્યારે ભાસ્કરભાઈ મૌખિક પરીક્ષા આપે. બધા વિકલ્પ સવાલો સાથે આખા પેપરના જવાબો એ કડકડાટ મોંએ બોલી જાય. તેઓ રાજ્યકક્ષાએ યુવક મહોત્સવમાં વક્તૃત્વ હરીફાઈમાં ઈનામો જીતે. આ બધી સફળતાના આધારે એમણે નિર્ણય કર્યો કે પોતે શિક્ષણનો વ્યવસાય અપનાવશે. એમની સ્કૂલમાં ટીચર ના આવે તો એ પિરિયડ લેવા જતા. નિબંધ કે વિચારવિસ્તાર કરાવીને એ આખા વર્ગને ભણવામાં રોકી રાખતા. આમ એમનો વિકાસ થતો ચાલ્યો.

મેટ્રિક પછી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રવેશ લીધો. બધી જ પરીક્ષાઓ ડિસ્ટિંકશન માર્ક્સ સાથે પાસ કરી. દરેક વખતે સ્કૉલરશિપ મળતી અને એમનું ભણવાનું ચાલુ રહેતું. તેઓ ફાઈનલ બી.એ.માં હતા ને પ્લુરસી થયો. મહિનાઓ સુધી જિંથરીની હૉસ્પિટલમાં સારવાર માટે રહેવું પડ્યું. એમના પિતા રડી પડ્યા કે હવે દીકરો બી.એ.ની પરીક્ષા નહિ આપી શકે, પણ, ભાસ્કરભાઈ કહે મારાથી એક વરસ ના બગાડાય, હું પરીક્ષા આપીશ.

માંદગીના લીધે શરીર કૃશ થઈ ગયું હતું. વધારે પરિશ્રમ કરવા પર અંકુશ હતો, પરંતુ દઢ સંકલ્પ શું નથી કરતો ? વિદ્વાન પ્રોફેસર ગૌતમભાઈ પટેલે તેમની ટ્યુશન ફી લીધા વગર પોતાના ઘરે ભણાવ્યા, જમાડ્યા અને ભાસ્કરભાઈ કૉલેજમાં પ્રથમ આવ્યા. પછી. યુ.જી.સી.ની સ્કોલરશિપ મળી ને એમ.એ. કર્યું. સંસ્કૃત કાલિદાસ મહોત્સવ ઉજ્જૈનમાં વકૃત્વસ્પર્ધામાં તૃતીય આવ્યા.

વિદ્યાર્થીજીવનમાં તેમણે નવનિર્માણના આંદોલનમાં ભાગ લીધો હતો, પોલીસનો માર ખાધો હતો અને જેલમાં ય ગયા હતા. સ્ટુડન્ટ વેલફેર બોર્ડની ચૂંટણી લડ્યા ને જીતેલા. તેઓ આનંદબજારના આયોજન કરતા. આમ અંધત્વના કારણે તેઓ ક્યાંય પાછા નથી પડ્યા. ઉત્સાહ-ઉમંગથી સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લેતા.

તેમણે આંતરાષ્ટ્રીય સ્તરે એક નિંબધ હરીફાઈમાં ભાગ લીધો ને તેમને જર્મની જવા મળેલું. જર્મની જતા પહેલાં વાતચીતની જર્મન ભાષા શીખી લીધેલી. સંસ્કૃત અને પ્રાકૃત સાથે એમ.એ.ની પરીક્ષા 72% માર્ક્સથી પાસ કરી, પછી બી.એડ.માં પ્રવેશ લીધો. એ દરમિયાન પ્રાંતિજની આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં લેક્ચરર તરીકે જોબ મળી. જોબની સાથે સાથે બી.એડ. ડિસ્ટિંકશન માર્ક્સ સાથે પાસ કર્યું. તે પછી એક વર્ષ સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અને પછી ઈડર કૉલેજમાં 17 વર્ષ અધ્યાપન કર્યું. એમની ઈડરની કૉલેજમાં નિમણૂક કરતી વખતે પસંદગી સમિતિ હિચકિચાટ અનુભવતી હતી કે આંખે જરાય ના દેખતી વ્યક્તિ કૉલેજમાં વિદ્યાર્થીઓને કાબુમાં રાખી શકશે ? ભાસ્કરભાઈ વિદ્યાર્થીઓના પ્રિય સર બન્યા. ભાસ્કરભાઈના માર્ગદર્શન નીચે એમ.એ.માં એન્ટાયર સંસ્કૃત લેવાની સગવડ શરૂ થઈ.

સાબરકાંઠામાં અંધજનો માટે ખાસ કામ નહોતું થયું, તેથી તેમણે રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા, ઈડર’ – શરૂ કર્યું. આજે ત્યાં 120 વ્યક્તિનો સ્ટાફ છે ને સવા કરોડનું બજેટ છે. અંધ ઉપરાંત મંદબુદ્ધિના, બહેરામૂંગા, મલ્ટીપલ ક્ષતિઓવાળાને પણ શિક્ષણ તથા તાલીમ અપાય છે. અભ્યાસ પછી નોકરી, લગ્ન વગેરે બાબતે સહાય કરાય છે. ભાસ્કરભાઈ માને છે કે માનવધર્મ જ શ્રેષ્ઠ છે. અન્યાય અને શોષણ સામે લડવા એ કાયમ તત્પર હોય છે. અધ્યાપક મંડળનું કામ હોય તો ય એ આગેવાની લેવા તૈયાર. અનામત આંદોલનમાં ય આગળ પડતો ભાગ લીધો હતો. પોલીસનો માર ખાધો હતો અને જેલમાં ગયા હતા.

વિકલાંગોના સ્વાવલંબન માટે વિકલાંગ ધારો પસાર કરાવવા લડત ચલાવી અને 20 વર્ષની લાંબી લડત પછી એ ધારો અમલમાં આવ્યો. આ ધારાની જોગવાઈ મુજબ વિકલાંગોને સમાન તક મળવી જોઈએ, એમના હકોનું રક્ષણ થવું જોઈએ અને એમને લગતાં કાર્યોમાં એમની તાકાતનો ઉપયોગ થવો જોઈએ. આ ધારાના પરિણામે ભાસ્કરભાઈ વિકલાંગ બોર્ડના કમિશનર થઈ શક્યા. આ પદ ગ્રહણ કરનાર તેઓ સૌ પ્રથમ વિકલાંગ છે. આજ સુધી આ જગ્યા પર આઈ.એ.એસ. અધિકારી નિમાતા. પરંતુ ભાસ્કરભાઈનું આજ સુધીનું કાર્ય અને સિદ્ધિ જોઈને એમની પસંદગી કરવામાં આવી.

ભાસ્કરભાઈ સમાધાન કરવામાં માને છે, પણ સિદ્ધાંતની બાંધછોડ કરવામાં નહિ. જ્યાં અન્યાય દેખાય ત્યાં નમ્રતાથી વિવેકપૂર્ણ રીતે વિરોધ કરે જ છે. તેઓ કહે છે, શા માટે ગભરાઓ છો ? બોલો, માગણી કરો તો પામશો.સરકારી હોદ્દા પર રહીને કામ કરવાનું કેવું લાગે છે ?’ મેં પૂછ્યું.અત્યાર સુધી એન.જી.ઓ. સાથે કામ કરેલું, હવે સરકારી રીતરસમ સાથે પરિચિત થાઉં છું. મારે આંખ નથી, પણ દિલ અને દિમાગ તો છે ને ? કાર્યમાં નિષ્ઠા અને વાણીવર્તનમાં વિવેક રાખીને આગળ વધવાનું છે. હું જો સારું કામ કરીશ તો જ બીજા વિકલાંગોની ઊંચી પોસ્ટ પર નિમણૂક થશે. લોકોને વિકલાંગોમાં વિશ્વાસ બેસશે અને અમારા માટે ખૂલેલા માર્ગ ખૂલેલા જ રહેશે.ભાસ્કરભાઈએ આંતરાષ્ટ્રીય કક્ષાએ ઢાકા, જર્મની, નેધરલેન્ડ, બૅંગકૉક તથા સિંગાપુરમાં સેમિનારમાં ભાગ લીધો છે. હવે થોડીક વાતો તેમની અર્ધાંગિની વિશે કરીએ.

સામાન્ય રીતે એવું મનાય છે કે માણસ પોતાના સુખ અને વિકાસ માટે લગ્ન કરે છે. દરેક વ્યક્તિ જીવનસાથી પસંદ કરતી વખતે એક જ ગણતરી કરે છે કે આ પાત્ર સાથે જીવન જોડવાથી મને શું મળશે ? માણસ બીજાને સુખી કરવા નહીં પણ પોતે જાતે સુખી થવા લગ્ન કરે છે. પણ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જે માત્ર પોતાનંી સુખ નહીં પણ બીજાનું હિત વાંછે છે. આવી જ વાત છે પ્રવીણાબહેનની. એ ગ્રજ્યુએટ થયાં ને ઘરમાં લગ્નની વાત ચાલી ત્યારે તેઓ કહે, ‘મારે લગ્ન નથી કરવાં. મારે તો અંધજનોનું કામ કરવું છે.’ ‘લગ્ન કર્યાં પછીય એ કામ થઈ શકે.પિતા બોલ્યા. તત્કાળ, પ્રવીણાબહેનના ભીતરમાંથી અવાજ આવ્યો, ‘હા, થઈ શકે અને એ માટે અંધજન સાથે લગ્ન કરવાં આવશ્યક છે.એમણે માતાપિતાને કહ્યું : હું કોઈ અંધજન સાથે લગ્ન કરીશ.પ્રતિષ્ઠિત, સાધનસંપન્ન વત્સલ માબાપ પોતાની ખોડખાંપણ વગરની સોહામણી શિક્ષિત દીકરી માટે અંધ મુરતિયો નહીં જ શોધે એની ખાતરી હતી તેથી પ્રવીણાબહેને જાતે અંધ યુવકની શોધ આદરી. સંઘર્ષભર્યા પંથે પ્રયાણ આરંભી દીધું.

અને એમની નજરમાં ભાસ્કરભાઈ વસ્યા. ભાસ્કરભાઈ જન્માંધ છે, પણ પ્રતિભાશાળી એવા છે કે બી.એ.માં ફર્સ્ટ કલાસ, એમ.એ.માં ફર્સ્ટ કલાસ, બી.એડમાં પણ ફર્સ્ટ કલાસ અને વિકલાંગતાના નામ પર નહીં પણ પોતાની શૈક્ષણિક લાયકાત પર કોલેજમાં નોકરી મેળવી હતી. પ્રવીણાબહેનને થયું આ યુવકને આંખો નથી છતાં પોતાના પ્રખર પુરુષાર્થ, દઢ મનોબળ અને તીવ્ર મેધાશક્તિથી આટલો આગળ વધ્યો છે. હવે જો હું એની આંખો બનું તો આ માણસ આભને આંબે.

સેવાના અભિલાષી પ્રેમાળ પ્રવીણાબહેને વિનયપૂર્વક ભાસ્કરભાઈ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ભાસ્કરભાઈએ ઘસીને ના પાડી દીધી અને કહ્યું, ‘લગ્ન તો સમાન વચ્ચે હોય, તમે દેખતાં છો તેથી મારા કરતાં ચડિયાતાં ગણાઓ. હું તમને ના પરણી શકું.પ્રવીણાબહેને કહ્યું : હું તમારી બુદ્ધિપ્રતિભા, તમારા સમગ્ર વ્યક્તિત્વનો આદર કરું છું ને તેથી તમારી જીવનસંગિની બનવાની હોંશ છે. પ્લીઝ ના ન પાડો.

ભાસ્કરભાઈએ સ્વસ્થ સૂરે કહ્યું : લગ્ન એ તો જીવનભરનો સાથ છે. એનો નિર્ણય આવેશ કે આદર્શની ઘેલછામાં ના લેવાય. અંધજન જોડે ડગ ભરવા એટલે શું એ જાણો છો ?’ ‘હું કોઈ આવેશ, ઘેલછા કે ભ્રમણામાં આવીને આ પ્રસ્તાવ નથી મૂકતી. અંધજનની મુશ્કેલીઓનો મને સ્પષ્ટ ખ્યાલ છે. તમારી આ મુશ્કેલીઓમાં હું સહભાગી થવા ઈચ્છું છું.દઢ સૂરે પ્રવીણાબહેને કહ્યું.

ભાસ્કરભાઈનાં બા રંભાબહેને કહ્યું, ‘ભાસ્કર સંપૂર્ણ અંધ છે, એનું આ અંધત્વ કોઈ રોગ નથી જે દવા કે ઓપરેશનથી મટે. એનો અંધાપો જરાય ઘટવાનો નથી કે નાબૂદ નથી થવાનો. એની સાથેનું સહજીવન અગ્નિપરીક્ષા હશે. પાછળથી તને આ લગ્ન માટે અફસોસ થશે. માટે તારો વિચાર પડતો મૂક.પણ પ્રવીણાબહેન તો મક્ક્મ હતાં. લગ્નની આગલી સાંજે રંભાબહેને ફરી વાર પ્રવીણાબહેનને કહ્યું, ‘હજી તું ના પાડી શકે છે, અત્યારે ના પાડીશ તો ખાસ દુ:ખ નહીં થાય. પણ પછીથી જો તું થાકીશ અને કલહકંકાસ કરીને તમે જુદાં પડશો તો એ ઘા બેઉને વસમો થઈ પડશે.

ભાસ્કરભાઈની આર્થિક સ્થિતિ તદ્દન સામાન્ય હતી. એવા ઘરસંસારમાં સફળતાપૂર્વક સમાવું એક પડકાર હતો, પણ પ્રવીણાબહેને કોઈ મુશ્કેલીને મુશ્કેલી માની જ નહીં. પ્રતિકૂળતા માટે એ તૈયાર જ હતાં. ભાસ્કરભાઈ ઈડરની કોલેજમાં પ્રોફેસર થયા. સામાન્ય ગૃહિણી કરતાં પ્રવીણાબહેનની ફરજોની યાદી લાંબી છે. તેઓ માત્ર ગૃહિણી થઈને સંતોષ માનનાર ન હતાં. ઈડરમાં અંધજનોના વિકાસનું કાર્ય તેમણે આરંભ્યું. એમની સંસ્થામાં વિકલાંગો માટે ઘણું નક્કર કામ થાય છે. સાથે સાથે ઘર, કુટુંબ અને સામાજિક વ્યવહારો તો ખરા જ. સેવા, સેવા નિરંતર સેવાના કારણે પ્રવીણાબહેનનું જીવન શું શુષ્ક બની ગયું છે ? મોજશોખ વણસંતોષાયેલા રહ્યા છે ?

ભાસ્કરભાઈ ટીખળખોર છે. તેઓ કહે છે : બે હાથે મહેંદી મૂકવાને બદલે પ્રવીણા ગાય છે : મેંદી મૂકીને શું રે કરું વીરા, એનો જોનારો સુરદાસ રે….’ આ સાંભળીને રીસ ચડાવતાં પ્રવીણાબહેન કહે છે :મને મેંદી મૂકવી ગમતી જ નથી.’ ‘જીવનસફર કેવી રહી ?’ ‘આનંદોલ્લાસથી ઊભરાતા અમારા દામ્પત્યજીવનમાં અંધત્વ ક્યાંય આડે આવ્યું નથી. અંધત્વથી તેઓ મુક્ત થઈ ગયા છે, તેથી તો બીજાને અંધત્વમાંથી મુક્ત કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ…’

આપણે ભાસ્કરભાઈની સફળતાનો યશ પ્રવીણાબહેનને આપવા જઈએ તો પ્રવીણાબહેન તરત બોલી ઊઠે છે : એમણે ઓલરેડી એમની જાતને પ્રુવ કરી જ હતી.તેઓ ઉમેરે છે, ‘લગ્ન એ તો અંગત વાત છે. એનાં ગીત શું ગાવાનાં ? મને ગમ્યું એ મેં કયું. લગ્નનો નિર્ણય કરતી વખતે જેટલી હું ખુશ હતી એટલી આજે પચીસ વર્ષ પછી પણ છું. મારા નિર્ણય માટે મને કોઈ અફસોસ નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે લગ્ન કરીએ એટલે કામ પતી નથી જતું. પળેપળ સભાનપણે લગ્નને સાર્થક કરવા માણસે પ્રયત્ન કરવો પડે છે. ઘણી બાંધછોડ કરવી પડે છે અને જ્યારે પ્રથમ દષ્ટિએ અસમાન વચ્ચેનાં લગ્ન હોય ત્યારે સુખનો માર્ગ વિકટ હોય છે, હર ડગલે પડકાર ઊભા થાય છે છતાં ઉદારતા, ધીરજ, સમતા, સંયમ અને ખાસ તો પ્રેમથી ધારી સફળતા મળે છે. પ્રવીણાબહેનની દીકરી એમ.એ. થયા પછી લગ્ન કરી લંડન સેટલ થઈ છે. દીકરાઓ મનન અને હર્ષ પોતાની રીતે વિકાસ સાધી રહ્યા છે.

અત્યારે તો પ્રવીણાબહેન વિકલાંગો ઉપરાંત મંદબુદ્ધિના બાળકોને પણ એમની સંસ્થામાં દાખલ કરી રહ્યાં છે. તેઓ રાતદિવસ એકાકાર કરીને કામ કરી રહ્યા છે, અને ખુશ છે જિંદગીથી. તેમનાં બે દીકરા અને એક દીકરી શૈક્ષણિક ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે. આ સંસ્કારસંપન્ન, આનંદી, મિલનસાર કુટુંબને મળવું એ ય એક લ્હાવો છે.

=====================================

લેખિકા અવંતિકા ગુણવંત નો પરિચય 

avantika_gunvant

Avantika Gunvant

અગાઉ વિનોદ વિહારની તારીખ ૨૬મી જાન્યુઆરી, ૨૦૧૨ ની પોસ્ટમાં લેખિકા અવંતિકા ગુણવંત

અને એમના વાર્તા સાહિત્ય નો કરાવેલ પરિચય આ લીંક ઉપર ક્લિક કરીને વાંચો.

વિનોદ વિહારમાં આજ સુધી પ્રગટ અવંતિકાબેનની વાર્તાઓ/લેખો નો આસ્વાદ

 આ લીંક ઉપર ક્લિક કરીને માણો

સંપર્ક :

અવંતિકા ગુણવંત

‘શાશ્વત’., કે.એમ. જૈન ઉપાશ્રય સામે, ઓપેરા સોસાયટીની પાસે, પાલડી.

અમદાવાદ-380007.

ફોન : +91 79 26612505 

 અવંતિકાબેનના પુસ્તકોની યાદી….૨૦૦૯ સુધીની 

[1] આપણી પ્રસન્નતા આપણા હાથમાં [2] ગૃહગંગાને તીરે. [3] સપનાને દૂર શું નજીક શું ? [4] અભરે ભરી જિંદગી [5] પ્રેમ ! તારાં છે હજાર ધામ [6] કથા અને વ્યથા [7] માનવતાની મહેક [8] એકને આભ બીજાને ઉંબરો [9] સહજીવનનું પ્રથમ પગથિયું [10] ત્રીજી ઘંટડી [11] હરિ હાથ લેજે [12] સદગુણદર્શન [13] ધૂપસળીની ધૂમ્રસેર [14] તેજકુંવર ચીનમાં [15] તેજકુંવર નવો અવતાર

====================================

આભાર -સૌજન્ય. 

 શ્રીમતી અવન્તીકાબેન ગુણવંત, રીડ ગુજરાતી.કોમ

( 496 ) ભારતના રાષ્ટ્રગીત જન ગણ મન … અને વંદે માતરમ …નો ઈતિહાસ અને વિવાદ… ( એક સંકલિત હિન્દી લેખ )

 

વિનોદ વિહારના નિયમિત વાચક અને સ્નેહી મિત્ર શ્રી અશ્વિનભાઈ એમ. પટેલ ના ઈ-મેઈલમાં આપણી રાષ્ટ્રભાષા

હિન્દી ભાષામાં ભારતના રાષ્ટ્રગીત જન ગણ મન અધિનાયક ના ઇતિહાસની કહાની કહેતો લેખ મળ્યો .

આ લેખમાં જણાવેલી વિગતો સ્વતંત્ર ભારતના ઇતિહાસનો એક ભાગ છે જે વાંચવા અને વિચારવા જેવી હોઈ આ

લેખને હિન્દીમાં જ આજની પોસ્ટમાં અશ્વિનભાઈના આભાર સાથે પ્રગટ કરેલ છે .

ઘણાને કદાચ આ ઈતિહાસની વાત વિવાદાસ્પદ પણ લાગે તો નવાઈ નહિ  .

આપણા રાષ્ટ્રગીત અંગેની આ કહાનીમાં શું સત્ય છે અને રાષ્ટ્રગીત -જન ગણ મન … અને વંદે માતરમ

એ બે ગીતોમાંથી કયું હોવું જોઈએ એ વિષયની ચર્ચા કરતા આ હિન્દી લેખ અંગે આપનો અભિપ્રાય શું છે એ

આ પોસ્ટની કોમેન્ટ બોક્સમાં  જરૂર લખશો .

જય હિન્દ ……… વંદે માતરમ

વિનોદ પટેલ

સંપાદક , વિનોદ વિહાર 

======================================

ભારતના રાષ્ટ્રગીત જન ગણ મન … અને વંદે માતરમ  …નો ઈતિહાસ અને વિવાદ…  ( એક હિન્દી લેખ )

jan-gan-manजन गण मन की कहानी ……………………………….​.

सन 1911 तक भारत की राजधानी बंगाल हुआ करता था। सन 1905 में जब बंगाल विभाजन को लेकर अंग्रेजो के खिलाफ बंग-भंग आन्दोलन के विरोध में बंगाल के लोग उठ खड़े हुए तो अंग्रेजो ने अपने आपको बचाने के लिए के कलकत्ता से हटाकर राजधानी को दिल्ली ले गए और 1911 में दिल्ली को राजधानी घोषित कर दिया। पूरे भारत में उस समय लोग विद्रोह से भरे हुए थे तो अंग्रेजो ने अपने इंग्लॅण्ड के राजा को भारत आमंत्रित किया ताकि लोग शांत हो जाये। इंग्लैंड का राजा जोर्ज पंचम 1911 में भारत में आया। रविंद्रनाथ टैगोर पर दबाव बनाया गया कि तुम्हे एक गीत जोर्ज पंचम के स्वागत में लिखना ही होगा।

उस समय टैगोर का परिवार अंग्रेजों के काफी नजदीक हुआ करता था, उनके परिवार के बहुत से लोग ईस्ट इंडिया कंपनी के लिए काम किया करते थे, उनके बड़े भाई अवनींद्र नाथ टैगोर बहुत दिनों तक ईस्ट इंडिया कंपनी के कलकत्ता डिविजन के निदेशक (Director) रहे। उनके परिवार का बहुत पैसा ईस्ट इंडिया कंपनी में लगा हुआ था। और खुद रविन्द्र नाथ टैगोर की बहुत सहानुभूति थी अंग्रेजों के लिए। रविंद्रनाथ टैगोर ने मन से या बेमन से जो गीत लिखा उसके बोल है “जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता”। इस गीत के सारे के सारे शब्दों में अंग्रेजी राजा जोर्ज पंचम का गुणगान है, जिसका अर्थ समझने पर पता लगेगा कि ये तो हकीक़त में ही अंग्रेजो की खुशामद में लिखा गया था।

इस राष्ट्रगान का अर्थ कुछ इस तरह से होता है “भारत के नागरिक, भारत की जनता अपने मन से आपको भारत का भाग्य विधाता समझती है और मानती है। हे अधिनायक (Superhero) तुम्ही भारत के भाग्य विधाता हो। तुम्हारी जय हो ! जय हो ! जय हो ! तुम्हारे भारत आने से सभी प्रान्त पंजाब, सिंध, गुजरात, मराठा मतलब महारास्त्र, द्रविड़ मतलब दक्षिण भारत, उत्कल मतलब उड़ीसा, बंगाल आदि और जितनी भी नदिया जैसे यमुना और गंगा ये सभी हर्षित है, खुश है, प्रसन्न है , तुम्हारा नाम लेकर ही हम जागते है और तुम्हारे नाम का आशीर्वाद चाहते है। तुम्हारी ही हम गाथा गाते है। हे भारत के भाग्य विधाता (सुपर हीरो ) तुम्हारी जय हो जय हो जय हो। “

जोर्ज पंचम भारत आया 1911 में और उसके स्वागत में ये गीत गाया गया। जब वो इंग्लैंड चला गया तो उसने उस जन गण मन का अंग्रेजी में अनुवाद करवाया। क्योंकि जब भारत में उसका इस गीत से स्वागत हुआ था तब उसके समझ में नहीं आया था कि ये गीत क्यों गाया गया और इसका अर्थ क्या है। जब अंग्रेजी अनुवाद उसने सुना तो वह बोला कि इतना सम्मान और इतनी खुशामद तो मेरी आज तक इंग्लॅण्ड में भी किसी ने नहीं की। वह बहुत खुश हुआ। उसने आदेश दिया कि जिसने भी ये गीत उसके (जोर्ज पंचम के) लिए लिखा है उसे इंग्लैंड बुलाया जाये। रविन्द्र नाथ टैगोर इंग्लैंड गए। जोर्ज पंचम उस समय नोबल पुरस्कार समिति का अध्यक्ष भी था।

उसने रविन्द्र नाथ टैगोर को नोबल पुरस्कार से सम्मानित करने का फैसला किया। तो रविन्द्र नाथ टैगोर ने इस नोबल पुरस्कार को लेने से मना कर दिया। क्यों कि गाँधी जी ने बहुत बुरी तरह से रविन्द्रनाथ टेगोर को उनके इस गीत के लिए खूब डांटा था। टैगोर ने कहा की आप मुझे नोबल पुरस्कार देना ही चाहते हैं तो मैंने एक गीतांजलि नामक रचना लिखी है उस पर मुझे दे दो लेकिन इस गीत के नाम पर मत दो और यही प्रचारित किया जाये क़ि मुझे जो नोबेल पुरस्कार दिया गया है वो गीतांजलि नामक रचना के ऊपर दिया गया है। जोर्ज पंचम मान गया और रविन्द्र नाथ टैगोर को सन 1913 में गीतांजलि नामक रचना के ऊपर नोबल पुरस्कार दिया गया।

रविन्द्र नाथ टैगोर की ये सहानुभूति ख़त्म हुई 1919 में जब जलिया वाला कांड हुआ और गाँधी जी ने लगभग गाली की भाषा में उनको पत्र लिखा और कहा क़ि अभी भी तुम्हारी आँखों से अंग्रेजियत का पर्दा नहीं उतरेगा तो कब उतरेगा, तुम अंग्रेजों के इतने चाटुकार कैसे हो गए, तुम इनके इतने समर्थक कैसे हो गए ? फिर गाँधी जी स्वयं रविन्द्र नाथ टैगोर से मिलने गए और बहुत जोर से डाटा कि अभी तक तुम अंग्रेजो की अंध भक्ति में डूबे हुए हो ? तब जाकर रविंद्रनाथ टैगोर की नीद खुली। इस काण्ड का टैगोर ने विरोध किया और नोबल पुरस्कार अंग्रेजी हुकूमत को लौटा दिया। सन 1919 से पहले जितना कुछ भी रविन्द्र नाथ टैगोर ने लिखा वो अंग्रेजी सरकार के पक्ष में था और 1919 के बाद उनके लेख कुछ कुछ अंग्रेजो के खिलाफ होने लगे थे।

रविन्द्र नाथ टेगोर के बहनोई, सुरेन्द्र नाथ बनर्जी लन्दन में रहते थे और ICS ऑफिसर थे। अपने बहनोई को उन्होंने एक पत्र लिखा था (ये 1919 के बाद की घटना है) । इसमें उन्होंने लिखा है कि ये गीत ‘जन गण मन’ अंग्रेजो के द्वारा मुझ पर दबाव डलवाकर लिखवाया गया है। इसके शब्दों का अर्थ अच्छा नहीं है। इस गीत को नहीं गाया जाये तो अच्छा है। लेकिन अंत में उन्होंने लिख दिया कि इस चिठ्ठी को किसी को नहीं दिखाए क्योंकि मैं इसे सिर्फ आप तक सीमित रखना चाहता हूँ लेकिन जब कभी मेरी म्रत्यु हो जाये तो सबको बता दे। 7 अगस्त 1941 को रबिन्द्र नाथ टैगोर की मृत्यु के बाद इस पत्र को सुरेन्द्र नाथ बनर्जी ने ये पत्र सार्वजनिक किया, और सारे देश को ये कहा क़ि ये जन गन मन गीत न गाया जाये।

1941 तक कांग्रेस पार्टी थोड़ी उभर चुकी थी। लेकिन वह दो खेमो में बट गई। जिसमे एक खेमे के समर्थक बाल गंगाधर तिलक थे और दुसरे खेमे में मोती लाल नेहरु थे। मतभेद था सरकार बनाने को लेकर। मोती लाल नेहरु चाहते थे कि स्वतंत्र भारत की सरकार अंग्रेजो के साथ कोई संयोजक सरकार (Coalition Government) बने। जबकि गंगाधर तिलक कहते थे कि अंग्रेजो के साथ मिलकर सरकार बनाना तो भारत के लोगों को धोखा देना है। इस मतभेद के कारण लोकमान्य तिलक कांग्रेस से निकल गए और उन्होंने गरम दल बनाया। कोंग्रेस के दो हिस्से हो गए। एक नरम दल और एक गरम दल।

गरम दल के नेता थे लोकमान्य तिलक जैसे क्रन्तिकारी। वे हर जगह वन्दे मातरम गाया करते थे। और नरम दल के नेता थे मोती लाल नेहरु (यहाँ मैं स्पष्ट कर दूँ कि गांधीजी उस समय तक कांग्रेस की आजीवन सदस्यता से इस्तीफा दे चुके थे, वो किसी तरफ नहीं थे, लेकिन गाँधी जी दोनों पक्ष के लिए आदरणीय थे क्योंकि गाँधी जी देश के लोगों के आदरणीय थे)। लेकिन नरम दल वाले ज्यादातर अंग्रेजो के साथ रहते थे। उनके साथ रहना, उनको सुनना, उनकी बैठकों में शामिल होना। हर समय अंग्रेजो से समझौते में रहते थे। वन्देमातरम से अंग्रेजो को बहुत चिढ होती थी। नरम दल वाले गरम दल को चिढाने के लिए 1911 में लिखा गया गीत “जन गण मन” गाया करते थे और गरम दल वाले “वन्दे मातरम”।

नरम दल वाले अंग्रेजों के समर्थक थे और अंग्रेजों को ये गीत पसंद नहीं था तो अंग्रेजों के कहने पर नरम दल वालों ने उस समय एक हवा उड़ा दी कि मुसलमानों को वन्दे मातरम नहीं गाना चाहिए क्यों कि इसमें बुतपरस्ती (मूर्ति पूजा) है। और आप जानते है कि मुसलमान मूर्ति पूजा के कट्टर विरोधी है। उस समय मुस्लिम लीग भी बन गई थी जिसके प्रमुख मोहम्मद अली जिन्ना थे। उन्होंने भी इसका विरोध करना शुरू कर दिया क्योंकि जिन्ना भी देखने भर को (उस समय तक) भारतीय थे मन,कर्म और वचन से अंग्रेज ही थे उन्होंने भी अंग्रेजों के इशारे पर ये कहना शुरू किया और मुसलमानों को वन्दे मातरम गाने से मना कर दिया। जब भारत सन 1947 में स्वतंत्र हो गया तो जवाहर लाल नेहरु ने इसमें राजनीति कर डाली। संविधान सभा की बहस चली। संविधान सभा के 319 में से 318 सांसद ऐसे थे जिन्होंने बंकिम बाबु द्वारा लिखित वन्देमातरम को राष्ट्र गान स्वीकार करने पर सहमति जताई।

बस एक सांसद ने इस प्रस्ताव को नहीं माना। और उस एक सांसद का नाम था पंडित जवाहर लाल नेहरु। उनका तर्क था कि वन्दे मातरम गीत से मुसलमानों के दिल को चोट पहुचती है इसलिए इसे नहीं गाना चाहिए (दरअसल इस गीत से मुसलमानों को नहीं अंग्रेजों के दिल को चोट पहुंचती थी)। अब इस झगडे का फैसला कौन करे, तो वे पहुचे गाँधी जी के पास। गाँधी जी ने कहा कि जन गन मन के पक्ष में तो मैं भी नहीं हूँ और तुम (नेहरु ) वन्देमातरम के पक्ष में नहीं हो तो कोई तीसरा गीत तैयार किया जाये। तो महात्मा गाँधी ने तीसरा विकल्प झंडा गान के रूप में दिया “विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊँचा रहे हमारा”। लेकिन नेहरु जी उस पर भी तैयार नहीं हुए।

नेहरु जी का तर्क था कि झंडा गान ओर्केस्ट्रा पर नहीं बज सकता और जन गन मन ओर्केस्ट्रा पर बज सकता है। उस समय बात नहीं बनी तो नेहरु जी ने इस मुद्दे को गाँधी जी की मृत्यु तक टाले रखा और उनकी मृत्यु के बाद नेहरु जी ने जन गण मन को राष्ट्र गान घोषित कर दिया और जबरदस्ती भारतीयों पर इसे थोप दिया गया जबकि इसके जो बोल है उनका अर्थ कुछ और ही कहानी प्रस्तुत करते है, और दूसरा पक्ष नाराज न हो इसलिए वन्दे मातरम को राष्ट्रगीत बना दिया गया लेकिन कभी गया नहीं गया। नेहरु जी कोई ऐसा काम नहीं करना चाहते थे जिससे कि अंग्रेजों के दिल को चोट पहुंचे, मुसलमानों के वो इतने हिमायती कैसे हो सकते थे जिस आदमी ने पाकिस्तान बनवा दिया जब कि इस देश के मुसलमान पाकिस्तान नहीं चाहते थे, जन गण मन को इस लिए तरजीह दी गयी क्योंकि वो अंग्रेजों की भक्ति में गाया गया गीत था और वन्देमातरम इसलिए पीछे रह गया क्योंकि इस गीत से अंगेजों को दर्द होता था।

बीबीसी ने एक सर्वे किया था। उसने पूरे संसार में जितने भी भारत के लोग रहते थे, उनसे पुछा कि आपको दोनों में से कौन सा गीत ज्यादा पसंद है तो 99 % लोगों ने कहा वन्देमातरम। बीबीसी के इस सर्वे से एक बात और साफ़ हुई कि दुनिया के सबसे लोकप्रिय गीतों में दुसरे नंबर पर वन्देमातरम है। कई देश है जिनके लोगों को इसके बोल समझ में नहीं आते है लेकिन वो कहते है कि इसमें जो लय है उससे एक जज्बा पैदा होता है।

तो ये इतिहास है वन्दे मातरम का और जन गण मन का। अब ये आप को तय करना है कि आपको क्या गाना है ?

—————————–

 Source …http://www.pravasiduniya.com/jan-gan-man-ki-kahani

 

( 495 ) મળવા જેવા માણસ …( ૨૫ )….શ્રી પી .કે. દાવડા ( પરિચય )

શ્રી પી.કે.દાવડા લિખિત “મળવા જેવા માણસ ‘ ની પરિચય લેખમાળામાં આજ સુધીમાં તેઓએ એમના પરિચિત ૨૪ વ્યક્તિઓના પરિચય કરાવ્યા છે .

શ્રી દાવડાજી સાથે મારે એકવાર ફોનમાં વાતચીત થઇ ત્યારે મેં એમને કહ્યું હતું કે તમે બીજા મિત્રોના પરિચય કરાવો છો તો તમારો પણ પરિચય જાણવા અમે આતુર છીએ.તમારો પરિચય પણ તમે લખી મોકલો તો ઘણું સારું . 

મને ખુશી છે કે મારી અને અન્ય મિત્રોની માગણીનો સ્વીકાર કરીને એમની “મળવા જેવા માણસ” લેખમાળાના  ૨૫ મા (રજત) મણકા તરીકે એમનો પરિચય એમણે એમની ઈ-મેલમાં મોકલ્યો છે .

મને એમનો અલપઝલપ પરિચય તો એમના લેખો,ઈ-મેલ અને ફોનની વાતચીત ઉપરથી તો હતો જ .ફોનમાં એમના જીવનમાં થયેલા માઠા અનુભવોની પણ ઘણી વાતો એમણે મને કરેલી .

એમના વિશેની ઘણી નવી માહિતી સાથેનો એમનો પરિચય એમના જ શબ્દોમાં એમણે જે લખી મોકલ્યો છે એને વિનોદ વિહારની આજની પોસ્ટમાં પ્રગટ કરતાં આનંદ થાય છે . 

વિનોદ પટેલ

============================================

મારો પરિચય ……… પી .કે. દાવડા

 

P.K.DAVDA

P.K.DAVDA

મારો જન્મ ૧૦મી માર્ચ, ૧૯૩૬ ના મુંબઈમાં થયો હતો. પિતાનો અનાજના જથ્થાબંઘ વેપારનો વિશાળ પાયા ઉપર ધંધો હતો. પિતા માત્ર ચાર ધોરણ સુધી જ ભણેલા હતા. બાને માત્ર થોડું લખતા વાંચતાં  આવડતું. ૧૯૪૧માં પાંચ વર્ષની વયે મને નજીકની અંગ્રેજી શાળામાં દાખલ કર્યો હતો.

અમારૂં ઘર, મુંબઈના વિક્ટોરિયા ડોકથી માત્ર ૨૦૦ મીટર દૂર હતું. ૧૪મી એપ્રીલ, ૧૯૪૪ ના વિકટોરિયા ડોકમાં થયેલા બોંબના ધડાકામાં અમારી જીંદગી બદલાઈ ગઈ. પ્રભુ કૃપાએ અમારૂં આખું કુટુંબ હેમ-ખેમ બચી ગયું, બીજા અનેક કુટુંબોએ સ્વજનો ગુમાવેલા. બસ શરીર ઉપર પહેરેલા કપડા સિવાય બીજું બધું આગમાં સ્વાહા થઈ ગયું, મકાનની જગ્યાએ કાટમાળનો ઢગલો હતો.

તે સમયની અંગ્રેજ સરકારે થોડા દિવસમાં જ દરેક કુટુંબની ચોકસાઈ કરી તેમને વાજબી વળતર આપ્યું. અમે મુલુંડ નામના દૂરના પરામાં રહેવા ગયા. આ એક નાનકડું ગામડું હતું અને એમાં અંગ્રેજી કે ગુજરાતી શાળા ન હતી, એટલે મને ઘાટકોપર નામના બીજા એક પરાની ગુજરાતી શાળામાં દાખલ કર્યો. ટ્રેનમાં મુલુંડથી ઘાટકોપર વીસ મીનિટ લાગતી. મને શાળામાં લઈ જવા અને ઘરે લાવવા એક નોકરનો બંદોબસ્ત કરેલો. મેં ત્રણ વર્ષ અંગ્રેજી શાળામાં અભ્યાસ કરેલો, એટલે મને ગુજરાતી શાળાને અનુકૂળ બનાવવા પ્રાઈવેટ ટ્યુશનની પણ વ્યવસ્થા કરેલી. ચોથા ધોરણમાં આવ્યા પછી બધું વ્યવસ્થિત થઈ ગયુ.

આઠમા ધોરણથી મેં શાળાની પ્રવૃતિઓમાં વધારે ઉત્સાહથી ભાગ લેવાનું શરૂ કર્યું. દશમા ધોરણમાં હું Captain of the School ચૂંટાયો અને શાળામાં પહેલીવાર ઊનાળાની રજાઓમાં બાળકોને રજડપાટમાંથી બચાવવા વિવિધલક્ષી “ગ્રીષ્મ પ્રવૃતિ”નું આયોજન કર્યું. આ પ્રવૃતિને લીધે મને સારી પ્રસિધ્ધી મળી. આ દરમ્યાન જ મને માઈક હાથમાં લઈ લોકોને સંબોધવાની પ્રેક્ટીસ થઈ.

૧૯૫૩ માં S.S.C. પરિક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને મુંબઈની ખાલસા કોલેજમાં Science Branch માં દાખલ થયો. ઈંટર સાયન્સમાં પુરતા માર્કસ ન મળવાથી મને મુંબઈ કે મહારાષ્ટ્રની બાકીની ત્રણ એંજીનીઅરીંગ કોલેજોમાં એડમીશન ન મળ્યું. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં Faculty of Technology & Engineering માં સિવીલ એંજીનીઅરીંગમાં એડમીશન લીધું. પ્રથમ ત્રણ વર્ષ ફર્સ્ટ ક્લાસ અને છેલ્લા વર્ષમાં ડીસ્ટીંક્શન સાથે, યુનિવર્સિટીમાં ત્રીજા નંબરે આવી, ૧૯૬૧માં B.E.(Civil) ની ડીગ્રી મેળવી, ભણતર પૂરૂં કર્યું.

૧૯૫૩ થી ૧૯૬૧ નો સમય ગાળો મારા માટે ખૂબ જ પ્રતિકૂળ હતો. ૧૯૫૩ માં મારા બાપુજીને ધંધામાં ન પૂરી શકાય એટલું મોટું નુકશાન થયું (આજના હિસાબે ત્રીસ કરોડ રૂપિયા), એમની પેઢીએ દેવાળું કાઢ્યું. જાહોજલાલીવાળું અમારૂં કુટુંબ રાતોરાત ગરીબ થઇ ગયું. જાહોજલાલીના સમયમાં મારી બાએ સારા એવા ઘરેણાં કરાવેલા. આ ઘરેણાં વેંચીને આઠ વર્ષ સુધી કુટુંબનું ભરણપોષણ ચાલ્યું. મારૂં મેટ્રીક પછીનું શિક્ષણ અતિ ગરીબીમાં થયું. છેલ્લા વર્ષની છેલ્લી ટર્મની ફી ભરવા મારે મિત્રની મદદ લેવી પડેલી. ૧૯૫૩ પહેલા અને ૧૯૬૧ પછી મને આવી આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નથી.

૧૯૬૧ થી ૧૯૭૧ સુધી મુંબઈની ખૂબ જ જાણીતી કંપની Larsen & Toubro Ltd. ના Construction વિભાગ Engineering Construction Corporation માં નોકરી કરી. અહીં મને વિશાળ કદના ઓદ્યોગિક પ્રોજેકટસનાં બાંધકામનો અનુભવ મળ્યો. બાંધકામમાં આંતર-રાષ્ટ્રીય કક્ષાની ટેકનિક્સ શિખવાના મોકા સાથે આ કંપનીના આંતર-રાષ્ટ્રીય ભાગીદારો, જાપાની, ઈટાલીઅન, જર્મન, સ્વીસ અને અમેરિકન એંજીનીઅરો સાથે કામ કરવાનો મોકો મળ્યો. ૧૯૬૪ માં જ્યારે ભારતમાં પહેલીવાર જ PERT/CPM વિષય દાખલ કરવા PERT ના શોધક ચાર્લસ જોન્સ અને CPM ના શોધક ડો. સ્ટીવ ડીંબીકી ભારત આવેલા ત્યારે National Institute of Industrial Engineering (NITIE) એ આખા દેશમાંથી માત્ર ૧૮ જણને વિવિધ ક્ષેત્ર(રેલ્વે, એરલાઇન્સ, સ્ટીલ ઉદ્યોગ, માઈન્સ, કનસ્ટ્રક્શન વગેરે) માંથી ટ્રેનિંગ માટે પસંદ કરેલા, તેમાં મારી પસંદગી થઈ હતી.

Mr.P.K.Davda & Mrs. Chandralekha P.Davda- Young age photo

Mr.P.K.Davda & Mrs. Chandralekha P.Davda- Young age photo

 

૧૯૭૦ માં મારા લગ્ન એક હોમિયોપેથી ડોકટર ચંદ્ર્લેખા સાથે થયા. નોકરીમાં અનેક શહેરોમાં બદલી થતી, એમાંથી બચવા અને એક જ શહેરમા સ્થાયી થવા મેં ૧૯૭૨માં Larsen & Toubro Ltd. માંથી રાજીનામું આપ્યું અને P.K.DAVDA, Counsulting Structural Engineer નામ રાખી, સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. શરૂઆતના ત્રણ ચાર વર્ષ કઠણાઈઓ ભોગવી પણ પછી ખૂબ જ સફળતા મળી. ૧૯૭૭ માં Govt. of India ની Ministry of Finance તરફથી મને પ્રોપર્ટીના વેલ્યુઅર તરીકેનું લાઈસેંસ મળ્યું. ૧૯૮૫ સુધી Structural Engineer  અને Valuer બન્ને વિભાગોમાં કામ સંભાળ્યું. ૧૯૮૫ માં Structural Engineer તરીકેની પ્રેકટીસ બંધ કરી. ૧૯૯૪ માં મારો પુત્ર ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયો, ૧૯૯૮માં મારી દિકરી પણ વધુ અભ્યાસ માટે અમેરિકા ગઈ. ૨૦૦૦ માં મેં વેલ્યુઅર તરીકેની પ્રક્ટીસ પણ બંધ કરી, નિવૃતિ લીધી.

મારી પ્રોફેશનલ પ્રેકટીસ દરમ્યાન મેં Hospitals, Schools, Religious Places વગેરેને વિના વળતરે સેવાઓ આપેલી જેને લીધે મારા Social Contacts નો વ્યાપ વધ્યો હતો.

દિકરો M.S.(Computer Science) અને દિકરી Ph.D.(Pharmacy-PK/PD) કરી અમેરિકામાં જ સ્થાયી થઈ ગયા. ચારેક વાર હું અને મારી પત્ની બાળકોને મળવા અમેરિકા ફરી ગયા. બાળકો પણ દર વર્ષે ભારત આવી અમને મળી જતા. આખરે ૭૬ વર્ષની વયે આ ફેરા હવે નહિં ફાવે સમજી ૨૦૧૨ ના જાન્યુઆરીમાં કાયમી વસવાટ માટે અમેરિકા આવી ગયા.

૧૯૫૩ માં  શાળા છોડ્યા પછી, ગુજરાતીમાં એક પણ નિબંધ, લેખ, વાર્તા કે કવિતા લખેલા નહિં. જાન્યુઆરી ૨૦૧૦ માં  કોમપ્યુટરમાં ગુજરાતી ફોન્ટની પ્રેક્ટીસ કરવા રમત રમતમાં  “ઘર બેઠે ગિરધારી” નામે એક કવિતા લખી. લગભગ એ જ ગાળામાં , મને બ્લોગ એટલે શું એની  જાણ થઈ હતી, એટલે મેં શરૂઆત કરવા, આ કવિતા “રીડ ગુજરાતી”ના શ્રી મૃગેશ શાહને મોકલી આપી. એમણે એ ૨૯ જાન્યુઆરી ૨૦૧૦ના “રીડ ગુજરાતી”મા મુકી. સરસ કોમેંટ્સ મળ્યા. બસ થઈ ગઈ યાત્રાની શરૂઆત.

આ સમયગાળા દરમ્યાન, સર્ફીંગ કરતાં કરતાં મને શ્રી ભરત સૂચકના “ગુજરાતિ”, “બ્લોગની જાણ થઈ.  હું જેમ જેમ લખતો ગયો તેમ તેમ  લેખ અને કવિતા આ બ્લોગ્સમાં  મૂકવાનું શરૂ કર્યું. જાતે જ પોસ્ટ મૂકવાની સગવડ હોવાથી મને આ બ્લોગ વધારે માફક આવ્યો. મોટા ભાગના લખાણોને સારા પ્રતિભાવ મળવા લાવ્યા. આ બ્લોગને લીધે મારી બ્લોગ મૈત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ (સ્વપ્ન જેસાવરકર), શ્રી રમેશ પટેલ (આકાશદીપ), ડો. કિશોરભાઈ મોહનભાઇ પટેલ, બહેન પારૂ કૃષ્ણકાન્ત અને બહેન સીમા દવે સાથે થઈ. જોત જોતાંમા ૧૫૦ પોસ્ટ થઈ ગઈ.

આ સમયગાળા દરમ્યાન કેટલાક લેખ અને કાવ્યો અન્ય લોકોએ પોતાના બ્લોગમાં રીબ્લોગ કર્યા.  જાન્યુઆરી ૨૦૧૦થી જાન્યારી ૨૦૧૨ સુધી મુંબઈથી લેખ અને કવિતા ગુજરાતી બ્લોગમાં મૂકતો રહ્યો. મારા બ્લોગના કોઈપણ બે લખાણ ના વિષયમાં  ક્યાંયે દૂર દૂરનો પણ સંબંધ ન હતો. મનમાં  આવે એ વિષય પર, મનમાં  આવે તે લખતો. કંઈ પણ પ્લાનીંગ નહિં, કંઈ પણ એડીટીંગ નહિં. લોકોના પ્રતિભાવ પરથી સમજાઈ જતું કે મેં કેવું લખ્યું છે. મારા બધા જ લખાણ મારા જીવનમાં જોયેલી, અનુભવેલી, સાંભળેલી અને સમજેલી ઘટનાઓ પર આધારિત હતા. કોઈની લાગણીને ઠેસ ન પહોંચે એ વાતનું હું ખાસ ધ્યાન રાખતો.

કેટલાક મિત્રો મારૂં નામ પૂછે છે. મારૂં નામ પુરૂષોત્તમ છે, પણ શાળાના સમયથી જ મારા શિક્ષકો અને મિત્રો “પીકે” કહીને બોલાવતા. આજે મને પુરૂષોત્તમ નામે ભાગ્યે જ કોઈ ઓળખે છે એટલે મેં મારી ઓળખ જાળવવા “પીકે દાવડા” ચાલુ રાખ્યું. ૧૯૬૧ પછી, હું એંજીનીઅર હોવાથી, મારી બીજી ઓળખ “દાવડા સાહેબ” તરીકે બની, જે પહેલી ઓળખ કરતાં પણ વધારે પ્રચલિત છે. હવે તો મારી આ ઓળખ મેં પણ સહજપણે સ્વીકારી લીધી છે.

૨૦૧૨ના જન્યુઆરીમાં  હું કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યો. અહીંથી પણ મેં બ્લોગ્સ માટે લખવાનું ચાલુ રાખ્યું. અહીં આવ્યા બાદ મારા બ્લોગ મિત્રોમાં થોડી વ્યક્તિઓનો ઉમેરો થયો. આમાંના લગભગ બધા જ બ્લોગ જગતમાં ખૂબ જાણીતા છે. “અક્ષરનાદ” ના શ્રી જીગ્નેશ અધ્યારૂ, “ગદ્યસૂર” અને બીજા અનેક બ્લોગ્સના સંચાલક શ્રી સુરેશ જાની, “વિલિયમ્સ ટેલ્સ” ના શ્રી વલીભાઈ મુશા, “આકાશ દીપ” ના શ્રી રમેશ પટેલ, “ચંદ્ર પુકાર”ના ડો. ચંદ્રવદન મિસ્ત્રી, “વિનોદ વિહાર” ના શ્રી વિનોદભાઈ પટેલ, “હાસ્ય દરબાર” ના ડો.રાજેન્દ્ર ત્રિવેદી, “વિજય નું ચિંતન જગત” ના શ્રી વિજય શાહ, “શબ્દોનું સર્જન” ના બહેન પ્રજ્ઞા દાદભાવાલા, “Net-ગુર્જરી”ના શ્રી જુગલકિશોર વ્યાસ, અને “નિરવ રવે”ના બહેન પ્રજ્ઞા વ્યાસ. આ બધા મહાનુભવોએ મને ખૂબ ઉત્સાહ આપી લખવાનું ચાલુ રાખવા પ્રેર્યો છે, નહિં તો કદાચ થાકી જઈ ને મેં બ્લોગ્સમા લખવાનું બંધ કર્યું હોત.

બ્લોગ્સે મને નિવૃત્તિમાં  પ્રવૃતિ પૂરી પાડી છે. અમેરિકામાં  મારી એકલતા દૂર કરવાનું માધ્યમ આપ્યું છે. ભારત, અમેરિકા, યુ.કે., કેનેડા, ઓસ્ટ્રેલીઆ, આફ્રીકા અને મિડલ ઈસ્ટના લોકો સાથે સંપર્ક કરાવ્યો છે. અનેક લોકો મને માનથી  દાવડા સાહેબ કહી સંબોધે છે. જીવનના ૭૯ મા વર્ષમા આનાથી વિશેષ જોઈએ પણ શું?

-પી. કે. દાવડા

====================================== 

 

વિનોદ વિહારમાં પ્રગટ થયેલા શ્રી પી .કે .દાવડા ના કેટલાક લેખો ,કાવ્યો વી. સાહિત્ય સામગ્રી

વાંચવા માટે આ લીંક ઉપર ક્લિક કરો .

 

( 494 ) કહત કબીર ……સુનો ભાઈ મોદી ….રાષ્ટ્રીય ક્ષમા યાચના ……. આનંદરાવ લિંગાયત

વાચક મિત્રો,

લોસ એન્જેલસ નિવાસી , ૮૩ વર્ષે પણ યુવાન જેવો ઉત્સાહ અને કાર્યનિષ્ઠા ધરાવતા સાહિત્યકાર અને સમાજ સેવક મિત્ર શ્રી આનંદરાવ લિંગાયત એ એમના ઈ-મેલમાં  એક pdf ફોરમેટમાં ”રાષ્ટ્રીય ક્ષમા યાચના ” વિષે એક લેખ મોકલ્યો છે એ સૌ કોઈએ વાંચવા અને વિચારવા જેવો છે .

આ લેખમાં તેઓએ ભારતના હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને ભૂતકાળમાં સમાજમાં ઘર કરી ગયેલ અશ્પૃત્યતાના અમાનુષી કલંક અંગે ” રાષ્ટ્રીય ક્ષમા યાચના ‘ માટે અપીલ કરી છે .

આ લેખની શરૂઆતમાં તેઓ લખે છે કે ……….

‘સદીઓ પહેલાં આપના પૂર્વજોએ દ્રઢ કરેલી માન્યતાને લીધે સમાજના એક વર્ગે પેઢીઓ સુધી અમાનુષી યાતનાઓ વેઠી છે . એ વર્ગના હૈયામાં લાગેલા ઊંડા ઘા રૂઝવવા આજે રાષ્ટ્રીય ક્ષમા યાચના ( National Apology) માટેનો સમય પાકી ગયો છે .’

શ્રી આનંદરાવ નો આ આખો મનનીય લેખ નીચેની પિ.ડી.એફ. ફાઈલની લીંક ઉપર ક્લિક કરીને વાચવા વિનંતી છે .


કહત કબીર ……સુનો ભાઈ મોદી ….રાષ્ટ્રીય ક્ષમા યાચના …….

 

આ  પિ.ડી.એફ . ફાઈલના બીજા ભાગમાં – ડૉ . આંબેડકરના  જીવન પરિવર્તનની ઘડી – એ લેખ પણ  વાંચવા જેવો છે .

મને આશા છે આ લેખમાં  જણાવાયેલ શ્રી આંનદરાવના વિચારો સાથે ઘણા લોકો જરૂર સંમત  થશે .

લેખમાંના વિચારોનો સમાજમાં જેમ બને એમ વધુ પ્રચાર થાય એવી મારા મિત્ર શ્રી આનંદ રાવની ઈચ્છાને માન આપી વિનોદ વિહારની આજની પોસ્ટમાં આ પ્રેરક લેખ પ્રગટ કરતાં આનંદ થાય છે .

શ્રી આનંદરાવ લિંગાયત

શ્રી આનંદરાવ લિંગાયત

આ અગાઉ વિનોદ વિહારમાં  શ્રી આનંદરાવ લિંગાયત અને એમની વાર્તાઓનો કરાવેલ પરિચય 

આ લીંક  ઉપર  ક્લિક કરી વાં ચો.

 વિનોદ પટેલ

( 493 ) બાયપાસ સર્જરી……..એક સામાજિક વાર્તા …… – ડૉ. કલ્પના દવે

આ વાર્તામાં લેખિકાએ આબાદ રીતે રચેલ નાજુક સંબંધોના તાણાવાણાની એક બાજુએ  છે જીવન સંધ્યાએ પહોંચેલ  માતા પિતા , રમણભાઈ અને મનોરમાબેન અને બીજી બાજુ છે એમનો દીકરો અશોક અને અને એની સ્વતંત્ર વિચારો ધરાવતી કહેવાતી સુશિક્ષિત આધુનિક  પત્ની નીના .

આ બધા કુટુંબીજનો વચ્ચે પ્રેમના સંબંધોનો સેતુ એક વ્યક્તિની ગેર સમજથી ખોરવાઈ જાય છે અને રમણભાઈની માંદગી કુટુંબીજનોને  ફરી પ્રેમના તંતુથી જોડી દે છે અને આ રીતે વાર્તાનો સુખાંત આવે છે .

 આ વાર્તાનો સાર લેખિકાએ એના અંતિમ વાક્યોમાં આપી દીધો છે એ આ છે ……

યુવા સંતાનો સાથે રહે કે નોખાં, પ્રેમનો સેતુ બાંધવો જરૂરી છે.

ગેરસમજની ઊંડી ખીણ સંબંધના વૃક્ષને જડમૂળથી ઉખેડી નાખે છે.

 આજે આપણા સમાજમાં બાંધી મુઠ્ઠી રાખીને ઘરની વાત મનમાં ધરબી રાખીને જાતે સહન કરીને પણ સંતાનોની આબરુની ચિંતા કરતા અને જાતે ખમી ખાતા રમણભાઈ અને મનોરમાબેન જેવા ઘણા માતા -પિતા  મળી આવશે .  

વિનોદ પટેલ

================================================

 

મારું આકાશ ક્યાં?… – ડૉ. કલ્પના દવે

BYPASS SURJARI‘સવિતાબહેન સાંભળ્યું? આ રમણભાઈનો અશોક નોખો થઈ ગયો!’ પાડોશી કાંતાબહેને ચિંતિત સ્વરે સવિતાબહેનને કહ્યું.

‘શું વાત કરો છો? મનોરમાબહેન તો દીકરીની સુવાવડ કરવા અમેરિકા ગયાં છેને! આટલું બધું ભણેલો, સમજુ અશોક કેમ અચાનક જુદો થઈ ગયો?’ આશ્ર્ચર્યચકિત ભાવે સવિતાબહેન બોલ્યાં.

‘સાંભળ્યું છે કે રમણભાઈ અને અશોકની વહુ વચ્ચે કોઈ વાતે મોટો ઝઘડો થયો અને અશોક જુદો થઈ ગયો.’

‘પણ, પોતાની મમ્મી આવ્યા પછી અશોકથી જુદા નહોતું થવાતું? આટલી ઉંમરે બાપાને આ રીતે એકલા છોડીને ગયો. થોડું સમજાવટથી કામ લીધું હોત – જરા મમ્મીની રાહ જોઈ હોત, આવી શી ઉતાવળ કરવાની?’

‘આ અશોકની અપટુડેટ વહુ તો ભારે જબરી નીકળી. બિચારા રમણભાઈ… પોતાનું દુ:ખ કોને કહે? આમે પહેલેથી જ રાંક સ્વભાવના છે. કાંતાબહેને આર્દ્ર સ્વરે કહ્યું.

‘આપણે પાડોશમાં વર્ષોથી રહીએ છીએ એટલે રમણભાઈ માટે આપણો જીવ બળે પણ સાચું કહું કાંતાબહેન, આપણાથી કોઈના ઘરની વાતમાં થોડું માથું મરાય. ને મનોરમાબહેન હોય તો એની સાથે પેટછૂટી વાત થાય…

કાંતાબહેન અને સવિતાબહેન બંને આ વાતથી દુ:ખી હતાં કે અશોક અચાનક જુદો થઈ ગયો અને રમણભાઈ બિચારા એકલા – પરવશ થઈ ગયા.

મુલુંડની શ્રીનિવાસ ચાલમાં અત્યારે ‘અશોક જુદો થઈ ગયો’ આ જ વાત બધાને મોઢે થતી હતી પણ રમણભાઈ સામે મળે ત્યારે કોઈ કશું બોલી શકતું નહીં. માત્ર એક જ સવાલ પુછાતો, તમારી તબિયત સાચવજો અને મનોરમાબહેન ક્યારે આવવાના છે?

શનિવારે રાત્રે મનોરમાબહેને અમેરિકાથી ફોન કર્યો. થોડી ખબરઅંતર પૂછીને તેમણે કહ્યું: ‘નીનાવહુ કેમ છે? જરા અશોકને ફોન આપો.’

રમણભાઈએ ટૂંકમાં પતાવ્યું – ‘બધા મજામાં છે. એ લોકો બહાર ગયાં છે.’

‘હું બુધવારની ફલાઈટમાં રાત્રે સાડાદસ વાગે મુંબઈ પહોંચીશ. લો, પ્રાચી દીકરી સાથે વાત કરો.’

પ્રાચીએ કહ્યું: ‘પપ્પા, તમે કેમ છો? બેબીને રમાડવા જલદી અમેરિકા આવજો. બેબીના ફોટા મમ્મી સાથે મોકલાવું છું. અશોક ક્યાં છે, જરા કામ છે.’

‘બેટા… આજે એને ઓફિસથી મોડું થશે અને નીના તેની બહેનપણીને ત્યાં ગઈ છે.’

‘પપ્પા તમે ને મમ્મી પાછાં જલદી આવજો.’

માંડ સ્વસ્થતા જાળવતાં રમણભાઈએ કહ્યું, ‘હા… બેટા, અમે જરૂરથી આવીશું.’ પ્રાચી સાથે વધુ વાત કરવા જઈશ તો કદાચ લાગણીશીલ થઈ જવાશે એ વિચારે તેમણે કહ્યું, ‘બેટા. જયશ્રીકૃષ્ણ, ફોન મૂકું છું. મમ્મી કઈ ફલાઈટમાં કેટલા વાગે આવશે એની વિગતનો ઈમેઈલ કરી દેજે.’

ફોન મૂકતાં જ રમણભાઈ રડી પડ્યા . દાંપત્યજીવનના ચાર દાયકા પછી આ પહેલો પ્રસંગ હતો કે તેઓ સાવ એકલા હતા. હસતે મોઢે કુટુંબની જવાબદારી ઝીલનારી પ્રેમાળ પત્નીની ગેરહાજરી તેમને ખૂબ સાલતી હતી. ઘડીકમાં શ્રીનાથજીના ફોટા સામે તો ઘડીકમાં મનોરમાબહેન-અશોક-નીનાવહુ, પ્રાચી અને જમાઈના ફેમિલી ફોટા સાથે તેઓ સ્થિર નજરે જોઈ રહ્યા… ‘મનુ… જો અશોક આપણને છોડીને ચાલ્યો ગયો… હવે જીવનનો ભાર કેવી રીતે વેંઢારશું…’

તે દિવસે બનેલી ઘટના યાદ આવતાં ફરી તેમનું અંતર વલોવાઈ ગયું, પણ તરત અશોકના આંખની ભીનાશ અને પ્રાચીના મીઠા શબ્દો તેમના મનમાં પડઘાયા… મનોરમાબહેનનો હસમુખો ચહેરો તેમની નજર સામે તરવરી રહ્યો. રમણભાઈ ઊઠ્યા, માટલામાંથી ઠંડું પાણી પીધું, હાથમાં માળા લઈને પ્રભુસ્મરણ કરવા લાગ્યા.

મનોરમા બુધવારે આવશે. આ વિચારોમાં તથા તેના આગમનની તૈયારીમાં એક અઠવાડિયું તો ક્યાંય પસાર થઈ ગયું. ટિફિનવાળા પાસેથી મનોરમાબહેનને ભાવતા થેપલાં અને મરચાંનું શાક, પુલાવ-કઢી મગાવીને રમણભાઈએ તે દિવસે ડાઈનિંગ ટેબલ સરસ રીતે સજાવી દીધું અને ફલાઈટ આવવાના દોઢ કલાક પહેલાં જ રમણભાઈ એરપોર્ટ પહોંચી ગયા.

આમ તો ચાર મહિના જ થયા હતા, પણ મનોરમાબહેન કોઈ વાર રમણભાઈને એકલા મૂકીને ક્યાંય ગયાં ન હતાં. લાંબી પ્રતીક્ષા પછીની મિલનની ઘડીઓમાં જે સુખદ સ્પંદનો હોય છે તે આજે ત્રેસઠ વરસે રમણભાઈ અનુભવી રહ્યા હતા. બંનેના મિલનમાં સહભાગી થવા તે દિવસે એર ઈન્ડિયાની ફલાઈટે પણ સમયસર ઉતરાણ કર્યું.

‘અશોક મને લેવા નથી આવ્યો’ સામાન ઘસડીને લાવતાં બહાર પગ મૂકતાં જ મનોરમાબહેને પૂછ્યું.

‘અશોક બહારગામ ગયો છે’, રમણભાઈએ ટૂંકમાં પતાવ્યું.

‘અને નીનાવહુ?’

‘ઘરે ચાલને, પછી વાત કરજે બધી.’

‘અશોક ન આવે તેવું બને જ નહીં. એ બહારગામ ગયો હોય તો નીના તો આવે જ ને.’

‘તું ઘરે આવ, તને બધું સમજાવીશ.’

‘શું થયું છે? બધું ક્ષેમકુશળ તો છેને?’ પછી રમણભાઈના મોં સામે તાકી રહેતાં થોડીવારે પૂછ્યું: ‘તમે કેટલા બધા લેવાઈ ગયા છો? તબિયત તો ઠીક છે ને?’

‘બધું ઠીક છે… ઠીક થઈ જશે. તું આવી ગઈને!’ આટલું માંડ માંડ બોલતાં રમણભાઈએ બધો સામાન ટેક્સીમાં ગોઠવ્યો.

ટેક્સીમાં મનોરમાબહેને પ્રાચીના ઘર વિશે, તેની નાની દીકરી રૂપા વિશે ખૂબ વાતો કરી. મનોરમાબહેનની ઉમંગભરી વાતો સાંભળીને આજે ત્રણ મહિને રમણભાઈ હળવાશ અનુભવી રહ્યા.

ટેક્સી ઘર પાસે આવીને ઊભી રહી ત્યારે રાતના સાડાબાર વાગ્યા હતા. શ્રીનિવાસ ચાલ અત્યારે જંપીને સૂતી હતી. રમણભાઈએ ઘરનો દરવાજો ખોલતાં કહ્યું:

‘મનુ, હું જે વાત કરું છું તે શાંત ચિત્તે સાંભળજે. અશોક અને નીનાવહુ જુદાં થઈ ગયાં છે એટલે તને આવકાર આપવા હમણાં મારા સિવાય ઘરમાં બીજું કોઈ નથી.’

માથે વીજળી પડી હોય તેમ બેબાકળા થતાં મનોરમાબહેને કહ્યું: ‘હે…? કેમ? એકદમ શું થઈ ગયું?’

‘તું અકળાઈ ન જા. બધી વાતો હું તને કહીશ . ઘરમાં પગ મૂકતાં જ મનોરમાબહેન રડી પડ્યાં. મનોરમાબહેનનો વલોપાત રમણભાઈ માટે અસહ્ય થઈ પડ્યો, તેમની આંખો પણ ભીની થઈ ગઈ.

મનોરમાબહેને કહ્યું:

‘મને કહો તો ખરા… શું થયું હતું? અશોકે કેમ અચાનક આવું કર્યું?’

‘મનુ, નીનાવહુ જરા બોલવામાં ઉદ્ધત છે એ તો આપણે સહન કરી લઈએ પણ તે દિવસે એનો ભાઈ આવ્યો હતો. તેના ભાઈએ અશોક પાસે ૫૦,૦૦૦ રૂ. એના ધંધા માટે માગ્યા. હું ત્યાં બેઠો હતો એટલે મેં કહ્યું અશોક, તુષારે આગળ પૈસા ઉધાર લીધા હતા તે આપ્યા નથી એટલે વિચાર કરીને આપજે.’

મેં દીકરાને સાચી સલાહ આપી, પણ મનુ તે વખતે નીનાએ એના ભાઈ તુષારના દેખતાં જ મારું અપમાન કર્યું, ન બોલવાના શબ્દો બોલી…

અશોક મને તરત બેડરૂમમાં લઈ આવ્યો. તે દિવસે અશોકે તુષારને પૈસા ન આપ્યા એટલે નીનાવહુએ ઉગ્ર રૂપ લીધું. તેણે કહ્યું, મારા પપ્પાએ મારા નામે જે બ્લોક રાખ્યો છે હું ત્યાં જઉં છું. તારે આવવું હોય તો આવ નહીં તો હું આ ચાલી… મારે ભેગા રહેવું નથી.’

આઠ-દસ દિવસ પછી અશોકે મને કહ્યું: ‘પપ્પા અમે નીનાના ખાલી પડેલા બ્લોકમાં શિફટ થઈએ છીએ. જો હું નીના સાથે નહીં જાઉં તો અમારા લગ્નજીવન પર તેની અસર થશે. “

હું કશું ન બોલી શક્યો. અને મારી નજર સામે અશોક અને નીના ઘર છોડીને નીનાના બ્લોક પર જતાં રહ્યાં.’

મનોરમાબહેન ખૂબ દુ:ખી થઈ ગયાં. એમની નજર સામે પુત્રપ્રેમનાં અનેક સંસ્મરણો તાજાં થયાં. બે દીકરીઓને સાસરે વળાવી એમનું નસીબ તેમને અમેરિકા લઈ ગયું. એમ.બી.એ. થયેલો સારું કમાતો અશોક કદીયે કોઈને શોક આપે નહીં કે શોક કરે નહીં તેવો વહાલસોયો દીકરો આમ જરા વાંકું પડતાં જુદો થઈ ગયો! પોતાનું હૈયું ઠાલવતાં મનોરમાબહેને કહ્યું :

‘લગ્નજીવનના ચાર દાયકાના સહજીવનમાં મેં ક્યારેય આટલી હતાશા અનુભવી નથી… આપણે હવે સાવ એકલાં થઈ ગયાં! આપણું કોઈ નહીં? આ ઉંમરે મા-બાપને યુવાન સંતાનોની વધુ જરૂર હોય છે… સંતાનોને પ્રેમથી ઉછેર્યાં, સારું શિક્ષણ આપ્યું. અને આજે પાંખોમાં જોર આવતાં માળો છોડીને સહુ ચાલી ગયાં… બાળકો વિનાનું આ ઘર કેવું ખાલીખમ લાગે છે!’

રમણભાઈ મૂંઝવણમાં હતા, એ કયા મોઢે પત્નીને સાંત્વના આપે? અશોકના ગયા પછી આ અઢી મહિના એમણે કેવી રીતે પસાર કર્યા હતા એ એમનું જ મન જાણતું હતું.

ઘણા દિવસો પછી રમણભાઈએ અને મનોરમાબહેને સાથે બેસીને ખાધું અને આવેલી પરિસ્થિતિનો સામનો કરવા મન મજબૂત બનાવ્યું.

અશોક ચેન્નઈ ગયો હતો. શનિવારે આવ્યો ત્યારે તેને ઓફિસમાં મેસેજ મળ્યો કે મમ્મી અમેરિકાથી આવી ગઈ છે. રવિવારે સવારે અશોક અને નીના મળવા આવ્યાં. મનોરમાબહેને તૂટેલા તારને જોડવાના નિરર્થક પ્રયત્નો કર્યા, પણ બેંકમાં ઊંચો પગાર પાડતી નીનાવહુને હવે સાસુ-સસરાના બંધનથી પર સ્વતંત્ર રહેવું હતું.

શ્રીનિવાસ ચાલના પાડોશીઓ રમણભાઈ અને મનોરમાબહેનને એકલું ન લાગે તે માટે અવારનવાર મળવા આવતા. પોતાનાં નાનાં બાળકોને મનોરમાબહેનને ઘરે રમવા મોકલતા. પોતાના સંતાનોથી વછૂટેલાં માતા-પિતાનો ઝુરાપો, તેની વેદના તો રમણભાઈ અને મનોરમાબહેનના ચહેરા પર લીંપાયેલી રહેતી.

માનસિક તાણ અને હૃદયમાં વેદનાનો ડુંગર અસહ્ય બનતાં રમણભાઈને હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો. કાંતાબહેન અને તેના પતિ તરત જ મદદે દોડી આવ્યાં. રમણભાઈને નજીકના એક પ્રાયવેટ નર્સિંગહોમમાં ખસેડ્યા. મનોરમાબહેને અશોકને ફોન કરીને જણાવ્યું કે તારા પપ્પાને એટેક આવ્યો છે ને હમણાં નર્સિંગહોમમાં છે.

અશોકે કહ્યું: ‘મમ્મી, તું જરાય ગભરાતી નહીં, હું હમણાં જ આવું છું.’

ડૉક્ટરે રમણભાઈના રિપોર્ટ્સ અને તપાસના અંતે નિદાન કર્યું કે ‘બાયપાસ સર્જરી કરાવવી પડશે. કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જાઓ.

મનોરમાબહેન તદ્દન ભાંગી પડ્યાં હતાં. અશોકે દૃઢ સ્વરે ડૉક્ટરને કહ્યું: ‘ડૉક્ટર, તમે જ્યાં કહેશો તે હોસ્પિટલમાં જઈશું. ભલે ગમે તેટલો ખર્ચ થાય, મારા ડેડીની બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ થવી જોઈએ?

નીનાવહુએ તરત જ સૂર પુરાવ્યો, ‘મમ્મી અમે તમારી સાથે જ છીએ. હવે હું તમને એકલાં મૂકીને ક્યાંય નહીં જઉં. પપ્પા, જ્યાં સુધી તમે ઘરે નહીં આવો હું તમારી નજર આગળથી ખસીશ નહીં.’

ભૂતકાળની કોઈ ઘટનાનું સ્મરણ અસ્થાને હતું. સંતાનોની હૂંફને ઝંખતાં મનોરમાબહેનને શ્રદ્ધાનું – પ્રેમનું નવું આકાશ મળી ગયું હતું.

કાંતાબહેન સ્વગત બબડ્યાં: ‘પોતાના માણસની સાચી પરખ આપત્તિકાળમાં જ થાય છે. આ વાત અશોકે સિદ્ધ કરી બતાવી. અશોક વિશે આપણા મનમાં કેવી ગેરસમજ હતી! પણ દરેક સંતાનોને માતા-પિતા માટે લાગણી હોય છે. તેમની પ્રીતનાં પારખાં ન હોય!

યુવા સંતાનો સાથે રહે કે નોખાં, પ્રેમનો સેતુ બાંધવો જરૂરી છે.

ગેરસમજની ઊંડી ખીણ સંબંધના વૃક્ષને જડમૂળથી ઉખેડી નાખે છે.

 

  ——————————————

આભાર …સૌજન્ય ..ડૉ. કલ્પના દવે …. મુંબઈ સમાચાર 

 

 

( 492 ) વૃદ્ધાવસ્થામાં જીવન સાફલ્ય ……ચિંતન લેખ ……વિદ્યુત જોષી

 

વૃદ્ધાવસ્થામાં જીવન સાફલ્ય ……..વિદ્યુત જોષી

 

Vrudhdhtvએક સમય હતો કે ભારતમાં સરેરાશ જીવન ૪૩ વર્ષનું હતું. તે સમયે ૬૦ વર્ષથી વધુ કોઇ જીવે તો તેની ષષ્ઠી પૂર્તિ‌ ઊજવાતી. આજે સરેરાશ જીવન ૬૪થી વધી ગયું છે. એટલું જ નહીં વિશ્વમાં ૬પ વર્ષથી વધુ જીવતા લોકોમાંથી ૩૩ ટકા લોકો ચીન અને ભારતમાં રહે છે. સંખ્યાની દૃષ્ટિએ જોઇએ તો આ સંખ્યા ૨૦૦૮માં ૧૬.૬ કરોડ હતી. ૨૦૪૦માં આ વસતી બંને દેશોમાં વધીને પપ.૧ કરોડ થઇ જશે. ભારતમાં ૨૨ કરોડ વૃદ્ધો તે સમયે હશે. આમાંના મોટાભાગના લોકો આર્થિ‌ક વ્યવસાયની રીતે નિષ્ક્રય હશે પરંતુ તેમના રખરખાવની સમસ્યાઓ વધી ગઇ હશે.

કેવી રીતે વૃદ્ધત્વની સમસ્યાઓ હલ કરવી તે મુદ્દો વૃદ્ધત્વ વિદ્યા (ગેરન્ટોલોજી)નો અભ્યાસ વિષય બને છે. વૃદ્ધત્વ વિદ્યાએ અભ્યાસો કરીને જે જ્ઞાન આપ્યું છે તેના આધારે વિવિધ સરકારોએ વૃદ્ધો વિશેની નીતિ પણ બનાવી છે. ભારત સરકારે પણ વરિષ્ઠ નાગરિકો માટે નીતિનું ઘડતર કર્યું છે. સામાન્ય રીતે જ્યારે વૃદ્ધોના રખરખાવની વાત આવે છે ત્યારે બે અલગ અભિગમો જોવા મળે છે. પ્રથમ અભિગમ અથવા દૃષ્ટિકોણ જન રંજની (પોપ્યુલર) દૃષ્ટિકોણ છે. આ દૃષ્ટિકોણ મુજબ નવી પેઢી જૂની પેઢીનું માન નથી જાળવતી.

જે મા-બાપે તેમનું લાલન-પાલન કર્યું તેમની જરૂરિયાતોનું ધ્યાન જ બાળકો નથી રાખતા. વહુ ખાવાનું નથી આપતી જેવી ચર્ચાઓ આવે છે. કથાકારો-વાર્તાકારો આ પ્રકારની વાતો પણ કરે છે કે જ્યાં બાળકોએ ઘરડા મા-બાપને તરછોડયાં હોય અને તેઓ અસલામત જીવન જીવતાં હોય. આ સાથે જ કવિઓ બાળકોને સલાહ પણ આપે છે, ‘ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં.’ આ બધી લાગણીસભર રચનાઓ સાહિ‌ત્ય તરીકે સારી લાગે છે. પરંતુ તેનાથી સમસ્યા સુધરતી નથી વકરે છે. વળી, આ દૃષ્ટિ એકાંગી છે. જેમણે બાળકોનો વાંક કાઢયો તેમને બાળકોને કદી પૂછ્યું જ નથી.

આવી કથાઓ કહે છે કે છતે સંતાને વૃદ્ધોને વૃદ્ધાશ્રમોમાં જવું પડે છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે વૃદ્ધાશ્રમોમાં રહેતા માત્ર ૨૨ ટકા વૃદ્ધો જ એવા છે કે જેમના બાળકો અહીં રહે છે, સક્ષમ છે છતાં તેમને વૃદ્ધાશ્રમોમાં રહેવું પડે છે. બાકીના ૭૮ ટકા વૃદ્ધો એવા છે જેમના બાળકો ક્યાં તો નથી, અથવા તો પરદેશમાં છે, અથવા તો આ વૃદ્ધો અપરિણીત કે બાળકો વિનાના છે. એટલે આ લાગણીનું મહત્ત્વ માત્ર ૨૨ ટકા પૂરતું છે તેમ કહી શકાય. હા, લાગણીથી વાત કહેવાય એટલે આંખ ભીની થાય અને કથા ચોટદાર બને.

બીજો અભિગમ અથવા તો દૃષ્ટિકોણ વૈજ્ઞાનિક છે. આ અભિગમમાં માનવામાં આવે છે કે શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ અને મહિ‌લાઓની નોકરીઓથી કુટુંબો નાનાં થવા લાગ્યાં છે. આથી પહેલાં જે કામો કુટુંબમાં થતાં તે હવે કુટુંબ બહાર કરવા માટે સંસ્થાઓ ઊભી થવા લાગી છે. જેમ કે પહેલાં ધાર્મિ‌ક કામ કુટુંબમાં થતું. હવે સંપ્રદાયો ઊભા થયા છે. પહેલાં ભોજન તૈયાર કરવાનું કામ માત્ર કુટુંબમાં થતું. હવે આ કામ કુટુંબ બહાર હોટલો, લોજો અને તૈયાર ખોરાક બનાવનારી સંસ્થાઓ પાસે જવા લાગ્યું છે. પહેલાં આપણે અથાણાં કુટુંબમાં બનાવતાં. હવે તૈયાર લાવીએ છીએ.

પહેલાં પ્રસૂતિનું કામ કુટુંબમાં થતું. હવે નર્સિંગ હોમમાં થાય છે. પહેલાં બાળઉછેરનું કામ કુટુંબમાં થતું, હવે પ્લે હાઉસમાં થાય છે. આ બધાં કામો કુટુંબ બહાર ગયાં તેને આપણે ખરાબ નથી ગણતા. પરંતુ તેમાં ગર્વ લઇએ છીએ. આ રીતે વૃદ્ધોના રખરખાવનું કામ કુટુંબ બહાર જાય છે એટલે વૃદ્ધાશ્રમોમાં જાય છે તેને આપણે કુટુંબનાં મૂલ્યોનું કે નીતિનું પતન કઇ રીતે કહી શકીએ? હકીકત તો એ છે કે હજી વધુ ને વધુ કામો કુટુંબ બહાર જવાનાં છે. આથી નૈતિક પતન તરીકે વૃદ્ધોના પ્રશ્નોને જોવાને બદલે કુટુંબ બહાર જતાં કાર્યો તરીકે જોઇએ તે કામો કુટુંબ બહાર વધુ સારી રીતે થાય અને તે માટે સારી સંસ્થાકીય રચનાઓ થાય તેવા પ્રયાસો થવા જોઇએ. આ બીજા પ્રકારના અભિગમનું એક પુસ્તક તાજેતરમાં બહાર પડયું.

પ્રવીણ પંડયા નામના એક નિવૃત્ત પ્રોફેસર અને અત્યારે રક્તપિત્તનું સામાજિક કામ કરનારને લાગ્યું કે તેમના દાંપત્યજીવનનાં પચાસ વર્ષે તેઓ વૃદ્ધોની સમસ્યા માટે એક પુસ્તક લોકોને ભેટ આપવા માગે છે. આ માટે ગુજરાત કોલેજના પ્રોફેસર ભાનુબહેન કાપડિયાએ વૃદ્ધાવસ્થામાં જીવન સાફલ્ય નામનું વૈજ્ઞાનિક અભિગમ પર આધારિત પુસ્તક લખી આપ્યું. ગુર્જર પ્રકાશનના મનુભાઇએ મહેનત લઇને છાપ્યું. ડો. ભાનુબહેન કાપડિયાએ આ પુસ્તકમાં કોઇ ભાવાત્મક કથાઓ નથી આપી. પરંતુ તેમણે વૃદ્ધત્વનો વૈજ્ઞાનિક અર્થ, પ્રકારો, વૃદ્ધત્વનો ઇતિહાસ, વૃદ્ધોના સ્વાસ્થ્ય વિષયક પ્રશ્નો તથા તેના તબીબી ઉપાયો, વૃદ્ધોના સામાજિક, આર્થિ‌ક પ્રશ્નો અને ઉપાયો (જેમ કે વિલ ક્યારે અને કેવી રીતે બનાવવું).

વૃદ્ધોના માનવ અધિકારો તથા તેમના માટેની કલ્યાણ નીતિઓ તથા વિવિધ સરકારી કાર્યક્રમો, વૃદ્ધોને મળતી વિશેષ સગવડો તથા લાભો (જેમ કે રેલવે તથા વિમાનમાં સસ્તું ભાડું), વૃદ્ધોને મદદરૂપ સંસ્થાઓ, ગુજરાતમાં વૃદ્ધાશ્રમોની વિગતો રજૂ કરી છે. આજે વૃદ્ધોને માત્ર રહેઠાણ અને ભોજન જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય સેવા, સામાજિક નેટવર્ક, વાચનાલય, પ્રવાસન, મનોરંજન, ધાર્મિ‌ક પ્રવચનો, ફુરસદની પ્રવૃત્તિ વગેરે અનેક કામો આજના વૃદ્ધાશ્રમો કરે છે. હવે વૃદ્ધાશ્રમો માત્ર અનાથાશ્રમો કે અશક્તાશ્રમો નથી. તે વૃદ્ધોના જીવનની બધી જ જરૂરો સંતોષે તેવી સંસ્થાઓ છે. ઘરમાં વહુ ઘેર ન હોવાથી વૃદ્ધને કદાચ બપોરે ચા ન મળે કે તબીબી સેવા ન મળે, પરંતુ આ બધી જ સેવાઓ વૃદ્ધાશ્રમોમાં મળી રહે છે.

આ પુસ્તકમાં કુટુંબમાં જીવન જીવવા વૃદ્ધોએ પોતે શું કાળજી લેવી તેની વાતો પણ કહી છે. તેમાં સંતાનો સાથે વહાલપ કેળવીએ (ખાસ કરીને વહુની કાયમ ટીકા ન કરીએ). તમારું હલનચલન અન્યને બાધારૂપ ન નીવડે તે જોવું. ધાર્મિ‌ક અને સાહિ‌ત્યિક પુસ્તકો વાંચવામાં રસ કેળવવો, ખોરાક વિશે શું કાળજી લેવી (ચટાકા ન રાખવા). શરીર સાથ આપે ત્યાં સુધી પોતાનું કામ પોતે કરવું, વાતો કરી આનંદ મેળવો. પરંતુ ટીકાખોર ન બનો. વ્યસનથી દૂર રહો તથા કુટુંબની આર્થિ‌ક સ્થિતિને અનુકૂળ બનો વગેરે બાબતો કહી છે. આ બધી બાબતો વૃદ્ધોએ પોતાની જીવનશૈલી કઇ રીતે બદલાવી તે અંગે ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું છે.’


vidyutj@gmail.com

========================================

સૌજન્ય-આભાર. શ્રી વિદ્યુત જોશી ….. દિવ્ય ભાસ્કર  

===========================

ઘરડા માણસોને અનુલક્ષીને  લખાયેલ શ્રી હરનીશ જાનીની એક રમુજી કાવ્ય રચના .

જાણીતા હાસ્ય લેખક શ્રી હરનીશ જાની અને હાસ્ય દરબારના આભાર સાથે નીચે પ્રસ્તુત છે તમને

માણવી ગમે એવી ઘરડા માણસોની પરિસ્થિતિનું આબાદ  ચિત્ર રજુ કરતી એક કાવ્ય રચના .(હઝલ !)

ગોલ્ડન એઈજ – હરનિશ જાની

ઉમ્મર વધે, શરીર કળે. એમ પણ બને.
મનમાં તોય જુવાની ફુટે, એમ પણ બને.

વાંદરો જેટલો ઘરડો, ગુલાંટ તેટલી મોટી,
બુઢ્ઢો ભોંયે પછડાય, એમ પણ બને.

બરબાદ કરી જવાની જેની પાછળ, સામી મળે
‘કેમ છો, બહેન?’ પુછાય, એમ પણ બને.

કરવટેં બદલતે રહે, સારી રાત ભર,
પ્રેમ નહીં; પેટમાં ગેસ હોય, એમ પણ બને. ’

હીયરીંગ એઈડ વાપરો છો?’ ના આપણને ન મળે
‘ ફીયરીંગ એઈડ?’ સંભળાય, એમ પણ બને.

નવાઈની વાત પડોશણ કરતાં પત્ની રુપાળી લાગે
ચશ્માં ન પહેર્યાં હોય, એમ પણ બને.

’ ઓલ્ડ એઈજ ઈઝ ગોલ્ડન‘ કહેનારને મારવા
હાથેય ન ઉંચકાય, એમ પણ બને.

– હરનિશ જાની

હરનીશભાઈનો  પરીચય વાંચવા અહીં ‘ક્લીક’ કરો. 

————————————————-

સૌજન્ય /આભાર ..શ્રી હરનીશ જાની અને હાસ્ય દરબાર