વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જુલાઇ 25, 2014

( 494 ) કહત કબીર ……સુનો ભાઈ મોદી ….રાષ્ટ્રીય ક્ષમા યાચના ……. આનંદરાવ લિંગાયત

વાચક મિત્રો,

લોસ એન્જેલસ નિવાસી , ૮૩ વર્ષે પણ યુવાન જેવો ઉત્સાહ અને કાર્યનિષ્ઠા ધરાવતા સાહિત્યકાર અને સમાજ સેવક મિત્ર શ્રી આનંદરાવ લિંગાયત એ એમના ઈ-મેલમાં  એક pdf ફોરમેટમાં ”રાષ્ટ્રીય ક્ષમા યાચના ” વિષે એક લેખ મોકલ્યો છે એ સૌ કોઈએ વાંચવા અને વિચારવા જેવો છે .

આ લેખમાં તેઓએ ભારતના હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને ભૂતકાળમાં સમાજમાં ઘર કરી ગયેલ અશ્પૃત્યતાના અમાનુષી કલંક અંગે ” રાષ્ટ્રીય ક્ષમા યાચના ‘ માટે અપીલ કરી છે .

આ લેખની શરૂઆતમાં તેઓ લખે છે કે ……….

‘સદીઓ પહેલાં આપના પૂર્વજોએ દ્રઢ કરેલી માન્યતાને લીધે સમાજના એક વર્ગે પેઢીઓ સુધી અમાનુષી યાતનાઓ વેઠી છે . એ વર્ગના હૈયામાં લાગેલા ઊંડા ઘા રૂઝવવા આજે રાષ્ટ્રીય ક્ષમા યાચના ( National Apology) માટેનો સમય પાકી ગયો છે .’

શ્રી આનંદરાવ નો આ આખો મનનીય લેખ નીચેની પિ.ડી.એફ. ફાઈલની લીંક ઉપર ક્લિક કરીને વાચવા વિનંતી છે .


કહત કબીર ……સુનો ભાઈ મોદી ….રાષ્ટ્રીય ક્ષમા યાચના …….

 

આ  પિ.ડી.એફ . ફાઈલના બીજા ભાગમાં – ડૉ . આંબેડકરના  જીવન પરિવર્તનની ઘડી – એ લેખ પણ  વાંચવા જેવો છે .

મને આશા છે આ લેખમાં  જણાવાયેલ શ્રી આંનદરાવના વિચારો સાથે ઘણા લોકો જરૂર સંમત  થશે .

લેખમાંના વિચારોનો સમાજમાં જેમ બને એમ વધુ પ્રચાર થાય એવી મારા મિત્ર શ્રી આનંદ રાવની ઈચ્છાને માન આપી વિનોદ વિહારની આજની પોસ્ટમાં આ પ્રેરક લેખ પ્રગટ કરતાં આનંદ થાય છે .

શ્રી આનંદરાવ લિંગાયત

શ્રી આનંદરાવ લિંગાયત

આ અગાઉ વિનોદ વિહારમાં  શ્રી આનંદરાવ લિંગાયત અને એમની વાર્તાઓનો કરાવેલ પરિચય 

આ લીંક  ઉપર  ક્લિક કરી વાં ચો.

 વિનોદ પટેલ