સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસના બ્લોગ niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક માં સરળ સંસ્કૃત ભાષામાં સ્તુતિ-દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર- પોસ્ટ થયેલી છે એ મને ગમી ગઈ .એમના આભાર સાથે એમની નોધ સહિત આ સ્તુતિ આજની પોસ્ટમાં પ્રસ્તુત કરી છે .
આ સ્તુતિ વાંચીને મને અમદાવાદમાં નવરાત્રી વખતે મારા રહેઠાણની સામેના સોસાયટીના કોમન પ્લોટમાં વચ્ચોવચ માતાજીની પ્રતિમા મૂકી તેની ફરતે ગરબે ગવાતા હતા એ વખતે ગુજરાતીમાં ગવાતી વિશ્વંભરી સ્તુતિનું સ્મરણ થઇ આવ્યું . આ સ્તુતિને પણ નીચે વિડીયો સાથે મૂકી છે.
હવે આજની આધુનિક ગરબા શૈલીમાં તો નવરાત્રિનાં રંગ રૂપ અને સ્વરૂપ બધું બદલાઈ ગયું છે. હવે નવરાત્રીમાં માત્ર ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ પૂરતા સીમિત નથી રહ્યાં પણ હવે ફેશન માટે પણ એટલા જ સભાન થયા છે. રોજના નવા ડિઝાઈનર ચણિયાચોળી કે ધોતી કેડિયાની સાથે સાથે રોજ નવા ટેટુ ચિતરાવવાનો પણ ક્રેઝ પણ જુવાન ખેલૈયાઓમાં જાગ્યો છે.
નવરાત્રી પર્વના આખરી દિવસોમાં ચાલો આ બે સ્તુતિને ભક્તિપૂર્વક ગાઈએ અને જગત જનની ની આરાધના કરી આ પર્વને ઉજવીએ .
વિનોદ પટેલ
============================================
દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર
[આજે દુર્ગા અષ્ટમીના દિવસે પ્રસ્તુત છે દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર… ભક્ત નતમસ્તક માતાજીને કહે છે કે હે માં, હું મંત્ર, યંત્ર કે સ્તુતિ નથી જાણતો, તારું આહ્વાન કે ધ્યાન પણ નથી જાણતો. બસ એટલું જ જાણું છું કે તારા ચરણમાં, તારી શરણમાં જ મારા ક્લેશનું હરણ થશે. બાળપણથી લઈને અભ્યાસ પૂર્ણ થયો ત્યાં સુધી દર નવરાત્રીના દિવસોમાં રાત્રે આ ક્ષમાપનનો ભક્તિપૂર્વક પાઠ કરતાં. માતા સર્વેને પોતાનામાં રહેલા અસુર સામે લડવા સિંહ બનવાની શક્તિ આપે. બીજાની બુરાઈઓ સામે તો આપણે સરળતાથી લડી શકીએ પરંતુ પોતાના અવગુણ સામે લડવા સિંહ બનવું પડે જે માતાનું જ વાહન છે. સ્વની સામે લડવાની હિંમત હોય તો શક્તિ તેની સાથે જ આવે છે એ આ વાતનું સૂચન છે.–સુશ્રી પ્રજ્ઞા વ્યાસ ]
દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર
ન મન્ત્રં નો યન્ત્રં તદપિ ચ ન જાને સ્તુતિમહો ન ચાહ્યાનં ધ્યાનં તદપિ ચ ન જાને સ્તુતિકથાઃ | ન જાને મુદ્રાસ્તે તદપિ ચ ન જાને વિલપનં પરં જાને માતસ્ત્વદનુશરણં ક્લેશહરણમ્ ||૧||
આભાર
બીજી પણ ભાવવાહી સ્તુતીઓનું સુંદર સંકલન
LikeLike
સુંદર સ્તુતી………….
LikeLike
સુંદર સંકલન
Ramesh Patel(Aakashdeep)
LikeLike