વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 28, 2015

( 666 ) મારાં સ્વ-રચિત વિચાર મુક્તકો ……મારી નોધપોથીમાંથી …

માનવ મનમાં રોજે રોજ કેટ કેટલા વિચારો આવે છે અને પસાર થઇ જતા હોય

છે ! સ્નાન કરતાં સાબુની ગોટી હાથમાંથી સરકી જાય એમ સ્તો !

માનવ, મન અને મનન અન્યોન્ય જોડાયેલાં હોય છે .

દરેક સર્જનનું મૂળ વિચાર છે અને વિચાર મન-મગજની પેદાશ છે.

મારા વિચાર મંથનના નવનીત સમાં ,મન-મગજમાંથી એ જતાં રહે

એ પહેલાં મારી નોંધપોથીમાં ટપકાવી લીધેલાંમાંથી કેટલાંક મુક્તકો

આજની પોસ્ટમાં મુક્યાં છે .આશા છે આપને એ વાચવાં –વિચારવાં ગમશે.

વિનોદ પટેલ

 Mari nodh Pothi

માનવ ઉડીને આજે પહોંચ્યો, મંગળના ગ્રહમાં ,ઉંચે અવકાશમાં ,

ના ચઢ્યો ,ખબર પૂછવા ,દુખી પડોશીના ઘરનાં, બે પગથીયાં .

================

સ્ત્રીઓને બસ ચાહતા રહો, બહુ સમજવાની જરૂર નથી,

પુરુષોને બસ સમજતા રહો,આપો આપ ચાહવા લાગશો.

===================

દુખો સહન કરી કરી , એ સહન કરવાની આદત પડી છે,

સુખો મળે છે એમાં ય ,દુઃખોની દહેશત લાગવા માંડી છે !

=====================

આમ તો જગતમાં રોજ લાખો લોકો મૃત્યુથી મરતાં હોય છે,

ઘરે મૃત્યુ દસ્તક દે ત્યારે જ, મૃત્યુની વિકરાળતા દેખાય છે. 

===================

સુરજ રોજ ઉગે છે એક સરખો પૂર્વ દિશામાં બધે,

પરંતુ નઝારો સવારોનો કેવો જુદો જુદો દીસે બધે,

પશ્ચિમમાં પાણી દુકાળ હોય તો પૂર્વમાં હોય ઘોડાપુર,

પર્યાવરણની ખૂબીઓ જોઈને આ બધી, અજબો ગજબ,

વિચાર આવે,ઓ પ્રભુ,તારી લીલાઓ કેટલી અગમ છે !

=================

જિંદગીમાં ધાર્યો બદલાવ જો તમે ચાહતા હો તો,

સંજોગો પ્રત્યેનો તમારો અભિગમ બદલવો જ પડે.

=====================

સદા વહી રહેલા જીવન પ્રવાહની આ અજબ કમાલ  છે !

વૃધ્ધાવસ્થામાં ચહેરાનો નકશો કેટલો બદલાઈ જાય છે !

==================

જિંદગી શું છે ? એ પ્રશ્નનો જવાબ એટલો સહેલો નથી

પણ જો જવાબ ટૂંકમાં આપું તો ,આ જિંદગી શું નથી !

=================

દુખ પછીનું સુખ, ખુશી લઈને આવે છે,

હાર પછીની જીત જ ગૌરવ અપાવે છે .

======================

મારી દિલી પ્રાર્થનાના પોકારથી પ્રભુ દુર નથી રહ્યો,

કર ગ્રહી, માર્ગદર્શક બની, એ જ મને સદા દોરી રહ્યો,

જીવન માર્ગ મારો ખાડા ટેકરાવાળો વિકટ ભલે રહ્યો ,

માર્ગના દરેક પગલે, મારી સાથે, પ્રભુ તું ચાલી રહ્યો.

===================.

પ્રભુ ,હું છું એક અદનો પામર મનુષ્ય ,

તું જ સંભાળી રહ્યો છે મારી આયુ દોર,

જેમ જીવાડે ત્યાં સુધી મારે જીવવું છે,

અને પછી તારામાં જ ભળી જવું છે.

===========

નથી મને કોઈ મહેચ્છાઓ સો વર્ષ જીવી જાઉં એવી,

થોડા વરસોની ભલેને હોય , જિંદગી હોય ખુશી ભરી.   

 

વિનોદ પટેલ