ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
( 723 ) મળવા જેવા માણસ….ડો. મહેશ રાવલ….પરિચય ……..શ્રી પી.કે. દાવડા
હું હવે મારી દશાની વાત પણ કરતો નથી
કેમ છો? પૂછીજનારા ક્યાં મજામાં હોય છે
* * * * *
અરથ લાગણીનો સમજતાં થયાં છે
હવે, પથ્થરો પણ પલળતાં થયાં છે
બરડ હોય એનું બટકવું સહજ છે
સમય પારખી, લોક નમતાં થયાં છે
* * * * *
ઠીકઠાક છે સઘળું તો આ રઘવાટ શેનો છે
છો સાવ હળવા ફૂલ, તો આ ભાર શેનો છે ?
* * * * *
ગઝલોના આ ગમી જાય એવા શેરના રચયિતા અભ્યાસે અને વ્યવસાયે એક ડોક્ટર ડો.મહેશ રાવલ છે. મૂળ સૌરાષ્ટ્રના વતની પણ હાલ ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયામાં સપત્ની અને બે પુત્ર અને એમના પરિવાર સાથે સંયુક્ત કુટુંબમાં રહી એમની ગઝલના આ શેરને ચરિતાર્થ કરી બતાવ્યું છે.
“મારૂં” નહીં પણ “આપણું” એ જીવન શૈલી જ સુખદાયક છે.”
“સંયુક્ત છે એ શ્રેષ્ઠ છે અને જે શ્રેષ્ઠ છે, એજ સંયુક્ત છે..!”
આવું અનોખું વ્યક્તિત્વ ધરાવનાર ગઝલકાર ડો. મહેશ રાવલનો પરિચય ,ફ્રીમોન્ટ ના નિવાસી મારા મિત્ર શ્રી પી.કે.દાવડાજીએ એમની ખુબ જાણીતી
“મળવા જેવા માણસ ” ની શ્રેણીમાં કરાવ્યો છે એને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનદ થાય છે.
આ પરિચય લેખ મોકલતાં એમના ઈ-મેલમાં શ્રી દાવડાજી લખે છે …..
“આજે હું એક એવી વ્યક્તિનો પરિચય કરાવું છું કે જે વ્યવસાયથી ડોકટર છે, પણ એમણે લખેલી ગઝલોમાં એટલી તાકાત છે કે ગમે તેવી વ્યક્તિના મોઢામાંથી વાહ વાહ નીકળી પડે. એમની ગઝલો, એમના મોઢે સાંભળવી એ એક લહાવો છે. મને એનો લાભ બે ત્રણ વાર મળ્યો છે .”
વિનોદ પટેલ
મળવા જેવા માણસ….ડો. મહેશ રાવલ….પરિચય ……..શ્રી પી.કે. દાવડા

મહેશભાઇનો જન્મ ૧૯૫૬માં, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગામમાંમધ્યમવર્ગી બ્રાહ્મણ કુટુંબમાં થયો. પિતા શ્રી વિનોદરાય, સરકારના લેન્ડ રેકર્ડવિભાગમાં સર્વેયર તરીકે દાખલ થઈ પોતાની સ્વચ્છ કારકીર્દીને લીધે લેન્ડરેકર્ડ સુપ્રિન્ટેન્ડન્ટના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચ્યા. નોકરી દરમ્યાન એમની કડક,શિસ્તના આગ્રહી અને ઇમાનદાર ઓફિસર તરીકેની છાપને લીધે એમની બદલીઅવાર–નવાર થતી અને કુટુંબને એ અગવડ ભોગવવી પડતી. મહેશભાઇનામાતુશ્રી જયાગૌરીબહેનને વાંચનનો બહુજ શોખ અને આજે ૮૩ વર્ષની વયેપણ,એ શોખ જળવાઇ રહ્યો છે.
મહેશભાઇનું પ્રાથમિક શાળાનું શિક્ષણ ધાંગધ્રા અને રાજકોટમાં થયું હતું. ચોથાધોરણમાં, સુલેખન અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ઇનામમાં તેમને ફૂલોનો હારપહેરાવી અને ગાંધીજીનો એક ફોટો આપવામાં આવેલો.બાળસહજ ઉત્સાહમાંમહેશભાઇ એ હાર પહેરેલો રાખી મિત્રોની ‘ટોળકી‘ સાથે સ્કૂલથી ઘરસુધી વાજતે–ગાજતે ચાલીને ગયેલા…! શાળાના સમયથી જ તેમણે પોતાની ભૂલ હોય તો,નિઃસંકોચ અને સરળતાથી સ્વીકારી લેવાની આદત કેળવી જે આજસુધી એમણેજાળવી રાખી છે.
૧૯૭૨માં એમણે રાજકોટની જી.ટી.શેઠ હાઇસ્કૂલમાંથી S.S.C.ની પરીક્ષા પાસકરી,જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં B.S.A.M.{બેચલર ઇન સર્જરી એન્ડઆયુર્વેદિક મેડીસીન}માં એડમીશન મેળવ્યું. ૧૯૭૩ થી ૧૯૭૮ સુધી મેડીકલકોલેજના અભ્યાસ દરમ્યાન મહેશભાઇએ અભ્યાસ ઉપરાંત ઈત્તર પ્રવૃત્તિઓમાંપણ આગળ પડતો ભાગ લીધો. રમત ગમતના શોખને લીધે તેઓ કોલેજયુનિયનમાં જીમખાના સેક્રેટરી પણ બન્યા. ગીત–સંગીતના બચપણથીકેળવાયેલા શોખને અહીં યોગ્ય પ્લેટફોર્મ મળી ગયું. જામનગર યુનિ.ની ઇન્ટરકોલેજ હરીફાઇમાં, પોતાની જ લખેલી ગઝલ પોતાના જ અવાજમાં રજૂ કરીએમણે દ્વિતિય ઇનામ મેળવ્યું. એજ ગાળામાં, શ્રી મનહર ઉધાસનાં કંઠે ગવાયેલીજનાબ કૈલાસ પંડિતની, ચમન તુજને સુમન…ગઝલમાં મૃત્યુ વિષેનીપંક્તિઓએ મહેશભાઇના મનમાં વિચારોનું વાવાઝોડું ખડું કરી દીધું. બસત્યારથી એમના દિલ–ઓ–દિમાગનો કબ્જો ગઝલે લઇ લીધો.
૧૯૭૮માં, તેમણે લખેલી ગઝલો લઇ તેઓ બહુજ પ્રખ્યાત અને પ્રખરગઝલકાર શ્રી અમૃત ‘ઘાયલ‘ પાસે પહોંચી ગયા અને કહ્યું “જુઓ! આવું લખ્યુંછે” ઘાયલસાહેબે આશીર્વાદ આપ્યા અને થોડી શિખામણ પણ આપી અનેજોતજોતામાં મહેશભાઇનો પ્રથમ ગઝલસંગ્રહ “તુષાર” પ્રસિદ્ધ થયો અને એ પણકોલેજનાં છેલ્લા વર્ષમાં. બસ, પછી તો ગઝલની આ વણથંભી વણઝાર ચાલતીરહી અને હજી પણ ચાલ્યા જ કરે છે. ગઝલ સાહિત્યનો ઊંડો અભ્યાસ કરી છંદ,રદિફ, કાફિયા પર પકડ જમાવી. એમની ગઝલોમાં જેમ–જેમ નિખાર આવતોરહ્યો તેમ–તેમ ગુજરાતભરનાં સામયિકોમાં એમની ગઝલોને સ્થાન મળવાલાગ્યું. ડૉ.મહેશ રાવલ– નામની ગુજરાતભરમાં એક આગવી ઓળખ ઊભી થઇ.કવિ સંમેલનો,મુશાયરા,આકાશવાણી અને દૂરદર્શનના કાર્યક્રમો દ્વારા એમનીગઝલો લોકો સુધી પહોંચવા લાગી.
અભ્યાસ પૂર્ણ કરી, આજીવિકા માટે રાજકોટમાં ફેમિલી ફીઝીશ્યન તરીકે જનરલપ્રેક્ટીસ શરૂ કરી. સવારના ૯થી૧ અને સાંજે ૫થી૯ સુધી એકધારા ૩૫ વર્ષસુધી દવાખાનામાં હાજરી આપી, દર્દીઓને સાજા કરવા અને ફૂરસદના સમયમાંગઝલો લખવી અને લખેલી ગઝલો મઠારવી, એ નિત્યક્રમ બની ગયો. કદાચઆ ક્રમને લીધે જ, જેમ દવા કડવી હોય તેમ, મને મહેશભાઇની ગઝલોમાંજીવનની કડવી વાસ્તવિક્તાની સચ્ચાઇ જોવા મળે છે.

૧૯૮૧માં મહેશભાઇના લગ્ન સુરેન્દ્રનગરના “છીંકણીવાળા જાની” પરિવારનાહર્ષાબેન સાથે થયાં. દંપતિને સંતાનમાં ૨ પુત્રરત્ન છે. મોટો પુત્ર ભાવિન –મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે અને નાનો પુત્ર તુષાર – સોફટવૅર એન્જીનીયર છે. બન્ને પોતપોતાની કેરિયરમાં વેલ સેટલ્ડ છે.
ખાસ નોંધવા જેવી વાત એ છે કે, આજના Nuclear Familiesના સમયમાં પણએમનો પરિવાર મહેશભાઇ, એમના પત્ની, એમના બન્ને સુપુત્રો, બન્ને પુત્રવધૂ અને બે પૌત્રીઓ – બધા સંયુક્ત કુટુંબ તરીકે સાથેજ, કેલિફોર્નીયાનાં ફ્રિમોન્ટશહેરમાં રહે છે.

૧૯૯૫માં મહેશભાઇનો બીજો ગઝલ સંગ્રહ ‘અભિવ્યક્તિ‘ પ્રસિદ્ધ થયો.
અનેક વિષયોને આવરી લેતી વાસ્તવિક જીવનને સ્પર્શતી ગઝલોનો સિલસિલોવણથંભ્યો ચાલુ રહ્યો. ૨૦૦૬માં એમનો ત્રીજો ગઝલ સંગ્રહ ‘નવેસર‘ પ્રકાશિતથયો જેણે ગુજરાતી ગઝલોના ક્ષેત્રમાં એમને અલગ ઓળખ આપી. હાલમાં જ૨૦૧૪ના અંતમાં તેમનો ચોથો ગઝલ સંગ્રહ ‘ખરેખર‘ પ્રકાશિત થયો.
આમ,ચાર ચાર માતબર ગઝલ સંગ્રહો ગુજરાતને આપીને પણ મહેશભાઇ બેસી નથીરહ્યા.અર્વાચિન ઈ–યુગ સાથે કદમ મિલાવી એમણે પોતાનાં બે બ્લોગ
શરૂ કર્યા અને પોતાની ગઝલો લોકો સુધીપહોંચાડી રહ્યા છે.
આ ઉપરાંત, એમણે પોતાના અવાજમાં ગઝલો રજુ કરતી “શબ્દસ્વર” નામે CDપણ બહાર પાડી. આમાં ગઝલ પઠન અને તરન્નુમ એમ બન્ને પ્રયોગ કર્યા છે.એમના પોતાના બ્લોગ સિવાય ટહુકો.કૉમ,લયસ્તરો અને વૅબગુર્જરી જેવાજાણીતા ગુજરાતી બ્લોગ્સ અને બીજા અનેક ગુજરાતી બ્લોગ્સમાં એમની ઘણીગઝલો પ્રસિદ્ધ થઈ છે અને થઈ રહી છે જેને અનેક પ્રતિભાવો મળ્યા છે.
ડૉ.મહેશ રાવલનો ખરો પરિચય આ નાનકડા લેખમાં આપવો શક્ય નથી.એમનેપારખવા તો, તમારે એમની ગઝલોનો આસ્વાદ જ લેવો પડે. એમની ગઝલોનાવિષયથી માંડીને ગઝલોનું બંધારણ,એમાં વપરાયેલા શબ્દો વગેરે એમનેસાધારણ ગઝલ લખનારાઓથી અલગ પાડે છે. એમની કોઇપણ પંક્તિનોકોઇપણ શબ્દ બદલીને તમે એને મઠારી ન શકો, એમની પંક્તિ જ Full and Final. વ્યવસાયે ડૉક્ટર હોવાથી એમના વિચારોની deliveryમાં surgical preacision છે. તેઓ જીવનની કડવી સચ્ચાઇઓને અસલ સ્વરૂપમાં જ વ્યક્તકરે છે.માનવીય સંવેદના,સંબંધોના સમીકરણ,લાગણી, સ્વાર્થ અને એનાછળકપટને સરળ શબ્દોમાં, ગઝલના બંધારણ અને પરંપરામાં ગુંથીને રજુ કરેછે. એ પુડીંગનો સ્વાદ તો ચાખવાથી જ ખબર પડે !
તો ચાલો, અહીં થોડા ઉદાહરણ આપું…
આ પંક્તિઓ જુઓ,
હું હવે મારી દશાની વાત પણ કરતો નથી
કેમ છો? પૂછીજનારા ક્યાં મજામાં હોય છે
લોકોના ઉપરછલ્લા વ્યવહારને આનાથી વધારે કઇ રીતે ઉઘાડા પાડી શકાય?
અને હવે આ જુઓ,
મજલ કાપીને બેઠો છું
મને, માપીને બેઠો છું
ઉઘાડા દ્વાર જેવો થઇ
બધું આપીને બેઠો છું
– હવે મારૂં કોઇ શું બગાડી લેશે, હવે મારી પાસે લૂટાવા જેવું વધ્યું જ શું છે !
અને, મહેશભાઇ સમયમાં કેવો બદલાય છે એની કલ્પના કરતાં કહે છે,
અરથ લાગણીનો સમજતાં થયાં છે
હવે,પથ્થરો પણ પલળતાં થયાં છે
બરડ હોય એનું બટકવું સહજ છે
સમય પારખી, લોક નમતાં થયાં છે
અને આ પંક્તિઓમાં તેઓ બેબાક સવાલ પૂછે છે –
ઠીકઠાક છે સઘળું તો આ રઘવાટ શેનો છે
છો સાવ હળવા ફૂલ, તો આ ભાર શેનો છે ?
–છે ને જવાબ આપવો મુશ્કેલ..!
આપણી રોજીંદી,બોલચાલની ભાષામાં એમણે આવી સમજવા જેવી ઘણી વાતોપોતાની ગઝલોમાં કહી છે. એમની ગઝલોમાં સવાલ છે,શીખ છે,સ્વીકાર છે, તોસત્યનો રણકાર અને ખુમારીનો ફુત્કાર પણ છે. પરંપરાને વળગીને લખાતીએમની ગઝલોમાં રદિફ–કાફિયાનું નાવિન્ય, અને છંદનું પરફેક્શન તથા સરળ–સહજ બોલચાલની ભાષા સાથે તળપદા શબ્દોનું સાયુજ્ય એ જમા પાસું છે.
એટલે જ, ગુજરાતી ગઝલોને લોકોના હૈયે અને હોઠે રમતી કરનાર મખમલીઅવાજનાં માલિક શ્રી મનહર ઉધાસનાં “અભિલાષા” આલ્બમમાં
લાગણી જેવું જરાપણ હોય તો પાછાં વળો
નીકળે એવું નિવારણ હોય તો પાછાં વળો
અને
“અલંકાર” આલ્બમમાં,
તબક્કે–તબક્કે તફાવત નડે છે
મને, માત્ર મારી શરાફત નડે છે
એમ,બબ્બે આલ્બમમાં એમની ગઝલોનો સમાવેશ થયો અને મહેશભાઇનેઆંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ મળી. અમેરિકામાં ખૂબજ લોકપ્રિય ‘રેડીઓ જિંદગી‘ એથોડા સમય પહેલા જ એમનો એક કલાકનો ઇન્ટરવ્યુ પ્રસારિત કર્યો હતો.
આવા ઉચ્ચ દરજ્જાના સાહિત્યકાર હોવા છતાં એમની નમ્રતા જોઇને હું તોઆશ્ચર્યચકિત થઇ ગયો. કોઇ ડોળ નહીં, કોઇ આડંબર નહીં, નકરો સામાન્યમાણસ હોવાનો અહેસાસ !
મહેશભાઇના કહેવા મુજબ, “સમાજમાં રહીને વ્યવસાય કર્યો, સમાજ સાથે રહ્યોઅને સમાજ પાસેથી જે શીખ્યો તે ગઝલ દ્વારા રજુ કર્યું !”
તેઓ માને છે કે,
“જેવી ભાવના એવું ફળ” એજ એમના કર્મનો સિદ્ધાન્ત છે.
“મારૂં” નહીં પણ “આપણું” એ જીવન શૈલી જ સુખદાયક છે.”
“સંયુક્ત છે એ શ્રેષ્ઠ છે અને જે શ્રેષ્ઠ છે, એજ સંયુક્ત છે..!”
–પી.કે.દાવડા,ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા
Like this:
Like Loading...
Related
તેમની સુંદર ગઝલો માણતા હતા .
પણ મા શ્રી દાવડાજીના લત્તામા રહેતા હોવાથી
ડો. મહેશ રાવલનો
અને
તેમના સંયુક્ત કુટુંબ વિષે વાંચી આનંદ થયો.
તેઓ શારીરિક એવં માનસિક રીતે સ્વસ્થ થઈ શુધ્ધબુધ્ધિ થવાથી શાંત દેખાય છે.
ધન્યવાદ પ્રેરણાદાયી જીવન પરીચય માટે મા દાવડાજી
હંમણા એલોપથી દવાઓ અમેરીકામા મરણનું મુખ્ય કારણ બન્યું છે ( ઇંટરનેટ માહિતી પ્રમાણે)
ત્યારે તેઓ સાથે ચર્ચા કરી સ્વસ્થ આહાર વિહાર અને આયુર્વેદના સિધ્ધાંતો વિષે દાવડાજી લખે તેવી વિનંતિ
LikeLike