ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું 27/07/2015 ના રોજ સાંજે મેઘાલયના પાટનગર શિલોંગમાં ભાષણ આપતી વખતે પડી ગયા બાદ હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું.
૮૩ વર્ષીય કલામ સાંજે ૬.૩૦ કલાકે આઇઆઇએમ, શિલોંગ ખાતે તેમના ભાષણ દરમિયાન પડી જતાં તેમને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાંના ડોક્ટર્સે જણાવ્યું હતું કે કલામને લવાયા ત્યારે તેઓ અચેતન અવસ્થામાં જ હતા. તેમની નાડીના ધબકારા બંધ હતા. ત્યાં એમને ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યા હતા .તેમનો નશ્વર દેહ આવતી કાલે સવારે દિલ્હી લવાશે.
શિલોંગ જતાં એમણેપહેલાં ટ્વીટ કર્યું હતું કે, ‘હું લિવેબલ પ્લેનેટ અર્થ વિષય પર લેક્ચર આપવા આઈઆઈએમ શિલોંગ જઈ રહ્યો છું.”
‘ભારત રત્ન’ અણુવિજ્ઞાની અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામએ પોખરણ અણુ ધડાકા તેમ જ ‘અગ્નિ’ અને ‘પૃથ્વી’ મિસાઇલો તૈયાર કરવામાં તેઓએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
સિવિલિયન સ્પેસ પ્રોગ્રામ અને મિલિટરી મિસાઇલ ડેવલપમેન્ટમાં સક્રિય ભૂમિકાના કારણે કલામે દેશના ‘મિસાઇલ મેન’નું બિરુદ મેળવ્યું હતું.કલામના માનમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે.
ડૉ. અબ્દુલ કલામના જીવનના સીમાચિહ્નો
– ૧૯૩૧ – ૧૫ ઓક્ટોબરના રોજ અબ્દુલ કલામનો જન્મ થયો – ૧૯૫૪ – સેંટ જોસેફ કોલેજ, તિરુચિરપ્પલ્લીમાંથી સ્નાતક થયા – ૧૯૫૫ – એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા મદ્રાસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ લીધો – ૧૯૬૦ – ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપ્મેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)ના એરોનોટિકલ ડેવલોપ્મેન્ટ એસ્ટાબલિશમેન્ટમાં મુખ્ય વૈજ્ઞાાનિક તરીકે જોડાયા – ૧૯૬૯ – ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)માં ટ્રાન્સફર થઇ – ૧૯૯૨ થી ૧૯૯૯- વડાપ્રધાનના મુખ્ય વિજ્ઞાાન સલાહકાર અને ડીઆરડીઓના સચિવ તરીકે સેવા આપી – ૨૦૦૨ થી ૨૦૦૭ ઃ ભારતના ૧૧માં રાષ્ટ્રપતિ તરીકે સેવા બજાવી
એક કાર્યક્રમને સંબોધતા કલામે જણાવ્યું હતું કે મારા જીવનમાં એક સૌથી મોટો અફસોસ મને રહી ગયો કે હું મારા માતા-પિતાને તેમના જીવનકાળમાં ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ ન કરાવી શક્યો. મારા પિતા જૈનુજાબ્દિન ૧૦૩ વર્ષ સુધી જીવ્યા અને મા આશિયામ્મા ૯૩ વર્ષ સુધી જીવિત રહ્યા. ઘરમાં હું નાનો હોવાથી મને બહુ પ્રેમ મળ્યો. ઉલ્લેખનીય છે કે કલામનું બાળપણ એવા ઘરમાં પસાર થયું કે જ્યાં રાત્રે માત્ર ફાનસ દ્વારા જ અજવાળુ કરવામાં આવતું.
રામેશ્વરમના ગરીબ માછીમાર પરિવારમાં જન્મેલા કલામ આકરી મહેનતથી સફળતાના શિખરે પહોંચ્યા હતા. મુસ્લિમ એવા કલામ કુરાનની સાથે સાથે ભગવદ્ ગીતાને પણ એટલી જ માન્યતા આપતા હતા .યંગ ઇન્ડિયા માટે બેસ્ટ સેલર પુસ્તકો લખનાર કલામ વીણા પણ સારી રીતે વગાડી લેતાં હતાં.વૈજ્ઞાનિક કે રાષ્ટ્રપતિ તરીકે કલામસૌથી પહેલાં દેશભક્ત હતા. કલામે તેમના જીવનમાં ફક્ત બે રજા લીધી હતી. તેમના માતા અને પિતાના નિધનના દિવસોએ.
સંકલન ..વિનોદ પટેલ
PM Narendra Modi condoles the passing away of former President of India, Dr. APJ Abdul Kalam
Biography Dr. APJ ABDUL KALAM by Mallika Sarabhai
બોલીવુડના પ્રખ્યાત ગીતકાર ગુલઝાર ડૉ. અબ્દુલ કલામની આત્મકથામાંથી એમની રસીલી ઝબાનમાં વાચન કરે છે એ નીચેના ઓડિયો-વિડીયોમાં સાંભળતાં તમને ખ્યાલ આવશે કે તેઓનું જીવન કેટલું ભવ્ય હતું.
Autobiography of Dr APJ Abdul Kalam By Gulzar Saab
An Inspirational and motivational speech “Address to the students of IIT Madras by Dr. A.P.J. Abdul Kalam”
કહ્યું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘશ્યું.
અખાના છપ્પાની એક પંક્તિ છે, “કહ્યું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘશ્યું.” ઘણીવાર સાહિત્યમાં લખનારા અને વાંચનારાની સમજમાં બહુ ફરક હોય છે. આપણા ધાર્મિક ગ્રંથોમાં કહેલી વાતોનું અર્થઘટન બાબાઓ, બાપુઓ અને બાપજીઓ પોત પોતાની સમજ પ્રમાણે કરતા હોય છે.
એક સાદો દાખલો લઈયે. બાળક કાનો ગોપિયોની મટકીઓને કાંકરી મારી ફોડી નાખતો. હવે એની એક સાદી સમજુતી એ હોય કે મનુષ્ય દેહ ધારણ કરીએ આવ્યા હોવાથી વિષ્ણુને મનુષ્યની જેમ વર્તવું જરૂરી હતું, એટલે સામાન્ય બાળકની જેમ અટકચાળું કરી, એ ગોપિયોની મટકી ફોડી નાખતો. એક વિદ્વાને કહ્યું છે કે કાનો બધી ગોપીઓની મટકી નહોતો ફોડતો, માત્ર જે ગોપીયો ગોકુલના દુધ, દહીં, માખણ વેંચવા મથુરાના માર્ગે જતી તેની જ મટકી ફોડતો. કાનો માનતો કે ગોકુલના દુધ, દહીં, માખણ પર ગોકુલના બાળકોનો હક્ક છે. મને વળી એક તુક્કો સુજ્યો કે ગોકુલનો ગરીબ એક કુંભાર પ્રભુભકત હતો, કાનો જો માટલી ફોડે તો કુંભારનું ગુજરાન ચાલે, એટલે મેં મારી એક કવિતામાં લખ્યું,
“ગરીબ ગામનો કુંભાર, એના છોરાં હતાં ચાર,
કાનો એક મટકી ફોડે, કુંભાર ચાર પૈસા જોડે,
તારી લીલા આ અજાણી, ભક્ત દાવડાએ જાણી.”
મને એકવાર જાણીતા બ્લોગર કેપ્ટન નરેન્દ્ર ફણસેએ કહ્યું હતું કે મોટાભાગના લખનારા, વાંચનારાઓને પોતાના માનસિક સ્તરના હોવાનું માનીને લખતા હોય છે. આધુનિક સાહિત્યમાં એમની વાતના અનેક પુરાવા મળી આવે છે, પણ આપણું આઝાદી પહેલાનું સાહિત્ય, અને તેમાંપણ કવિતાઓ બહુ સરળ ભાષામાં લખાયલી છે, જેથી બધા વાંચનારાની સમજ એક સરખી જ હોય છે.
આજથી આ આખું અઠવાડીયું રોજ એક સરળ શબ્દોવાળી કવિતા મોકલીશ. મને ખાત્રી છે કે તમને ગમશે.
વાચકોના પ્રતિભાવ