વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ઓક્ટોબર 2015

( 800 ) ન્યુ જર્સીના પટેલ ભાઈ ! ….. (લઘુ વાર્તા)…. વિનોદ પટેલ

Liquor Bar

ન્યુ જર્શીના પટેલ ભાઈ ! ….. (લઘુ વાર્તા)…. વિનોદ પટેલ

​લંડનથી અમેરિકા ફરવા માટે આવેલો એક મોટી ઉમરનો બ્રિટીશ ટ્યુરિસ્ટ ફરતો ફરતો ન્યુ જર્સીમાં આવ્યો .ન્યુ જર્સીના બહારથી સારા જણાતા એક લીકર બારમાં એ દાખલ થયો. બારમાં ગાંધી ટોપી, ઝભ્ભો ,બંડી અને ધોતિયું પહેરીને ઉભેલા શ્યામ વર્ણના એક હિંદુસ્તાનીને ત્યાં એણે જોયા .આ બારમાં બીજા અમેરિકન અને નોન અમેરિકન ગ્રાહકો પણ ત્યાં બેઠા બેઠા આરામથી લીકરની લિજ્જત માણી રહ્યા હતા.

ઘણા અંગ્રેજોને હોય છે એમ આ બ્રિટીશ જેન્ટલમેનના મનમાં પણ ભારતીયો પ્રત્યે ઊંડે ઊંડે ઘૃણાની લાગણી સ્ટોર થયેલી હતી .એટલે એણે આ ઇન્ડીયનનું અપમાન કરવાનું મનમાં નક્કી કર્યું.ધોતી-ટોપી પહેરેલા ભારતીય સામે મો બગાડતાં બગાડતાં બારમાં કામ કરી રહેલા અમેરિકન બાર ટેન્ડરને મોટા સત્તાવાહી અવાજે ઓર્ડર આપતાં એ બોલ્યો :

“બારટેન્ડર,ત્યાં ઉભેલા પેલા ઇન્ડીયન ગ્રાહક સિવાય મને અને બારમાં બેઠેલાં સૌને મારા તરફથી ફ્રી ટ્રીટ તરીકે મન ભરીને ડ્રીન્કસ પિવડાવ”.

ગ્રાહકોએ તાળીઓ પાડી બ્રિટીશ જેન્ટલમેંન(!)ના આ પ્રસ્તાવને વધાવી લીધો.

ઓર્ડર પ્રમાણે ધોતી ધારી પેલા ભારતીય સિવાય બાર ટેન્ડરએ બારમાં હાજર હતા એ સૌને ડ્રીન્કસનો પહેલો રાઉન્ડ સર્વ કર્યો.

આ બધું જોઈ રહેલા દેશી ભાઈએ મો પર સ્મિત સાથે આ બ્રિટીશ તરફ જોઈને એના જેટલા જ ઊંચા અવાજે કહ્યું “ થેંક્યું “!

આ દેશી ભાઈએ તો એની તરફ સ્મિત આપવાનું ચાલુ રાખ્યું.એની આ પ્રતિક્રિયા જોઇને બ્રિટીશ ટુરીસ્ટ ખરેખર અપસેટ થઇ ગયો અને ગુસ્સાના ભાવથી મોટેથી ઓર્ડર આપતાં બોલ્યો :

“ બારટેન્ડર આ દેશી સિવાય , મારા તરફથી ફરી ડ્રીન્કસનો એક બીજો રાઉન્ડ બધાં ગ્રાહકોને માટે થઇ જાય “

આ બ્રિટીશ જેન્ટલમેનને એમ હતું કે એની આ હરકતોથી ઇન્ડીયન  જો ગુસ્સે થાય તો એને મારા હાથનો સ્વાદ ચખાડવાની મજા આવી જાય !

પરંતુ આ દેશી ભાઈ તો જાણે કશું બન્યું જ નથી એમ એની તરફ સ્મિત જ આપતો રહ્યો અને ફરી મોટેથી બોલ્યો “ થેંક્યું વેરી મચ સર !” 

હવે તો આ બ્રિટીશ ગુસ્સાથી લગભગ ગાંડા જેવો થઇ ગયો . એની સહિષ્ણુતાની હદ આવી ગઈ .ડ્રીન્કસ આપી રહેલ અમેરિકન બાર ટેન્ડર તરફ ફરી એ બોલ્યો :

“આ ઇન્ડીયન ગ્રાહક તો ખરો છે . એના સિવાય બધાંને મેં બે વાર ડ્રીન્કસ સર્વ કરાવી બે વાર એનું અપમાન કર્યું પણ એ તો કશું બન્યું ના હોય એમ મારી સામે હસીને જોઈ રહ્યો છે અને દરેક વખતે ગુસ્સે થવાને બદલે “થેંક્યું ..થેંક્યું ..” કરી રહ્યો છે.એ ગાંડો થઇ ગયો છે કે શું ?“

આ બારમાં નોકરી કરતા અમેરિકન બાર ટેન્ડરે હસીને જવાબ આપ્યો :

“ના સાહેબ , તેઓ આ લીકર બાર ના માલિક જશભાઈ પટેલ છે . ન્યુ જર્સીમાં તેઓ “પટેલ ભાઈ “તરીકે પ્રખ્યાત છે !”

( 799 ) સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ……સ્મરણાંજલિ

૩૧મી ઓક્ટોમ્બર એટલે દેશના અને ગુજરાતના ગૌરવ સમા લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ દિવસ -સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ.

એમના રાજકીય ગુરુ મહાત્મા ગાંધીજીની સાથે રહીને સરદાર વલ્લભભાઇએ દેશની સ્વતંત્રતાની લડતમાં ભાગ લઈને દેશને આઝાદ કરવામાં એમનો સિંહ ફાળો આપ્યો હતો.સરદારને જો ગાંધીનો મેળાપ થયો ના હોત તો સરદાર વલ્લભભાઈ આજીવન એક વિલાયતી બેરીસ્ટર જ રહ્યા હોત .ગુજરાતના આ બે સપૂતોએ વિશ્વમાં ગુજરાતના નામને દિપાવ્યું છે એને ગૌરવ અપાવ્યું છે.

સરદાર વલ્લભભાઇ પટેલમાં એક અજોડ પ્રતિભા હતી.એમની અદ્વિતીય કાર્યક્ષમતા અને ચાણક્યને યાદ અપાવતી એમની એમની રાજકીય કુનેહથી તેઓ ખુબ જાણીતા થયા છે.આઝાદી પછી અનેક રજવાડાંઓમાં વિભાજીત દેશને એકીકરણથી એક અખંડ રાષ્ટ્ર બનાવીને સરદાર ઇતિહાસમાં બીસ્માર્કની જેમ અમર થઇ ગયા છે .

સરદારની દુરંદેશી અને રાજકીય કુનેહનો ખરેખર પરિચય દેશને રજવાડાંના એકીકરણ વખતે  એમણે અજમાવેલી સામ,દામ અને દંડ નીતિ દ્વારા થયો .

જાણીતા કટાર લેખક શ્રી જય વસાવડા લિખિત મને ખુબ ગમેલો એક સરસ  લેખ “સરદાર :ઉંચેરી પ્રતિભા ,ગગનચુંબી પ્રતિમા ” સરદારની રાજકીય કુનેહનો આબાદ ખ્યાલ આપે છે.આ લેખ નીચે પ્રસ્તુત કરેલ છે.

આ લેખમાં ભારતનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાની મના કરનાર કાશ્મીરની જેમ સ્વતંત્ર રહેવા માગનાર રાજસ્થાનના અલવર  રજવાડાના મહારાજાની શાન સરદાર કેવી રીતે ઠેકાણે લાવ્યા એનું એક ફિલ્મી કહાનીને યાદ અપાવે એવું બયાન એમની આગવી શૈલીમાં લેખકે કર્યું છે જે સરદારના અનોખા વ્યક્તિત્વને સમજવા માટે ખુબ ઉપયોગી બને એવું છે.

શ્રી  જય વસાવડાનો આ લેખ નીચે એમના આભાર સાથે પ્રસ્તુત છે .

વિનોદ પટેલ 

Sardar Statue

  સરદારઃ ઊંચેરી પ્રતિભા, ગગનચુંબી પ્રતિમા!

સ્પેકટ્રોમીટર- જય વસાવડા

સરદાર પટેલની યશકલગીમાં કેવી રીતે ઉમેરાયું હતું અલ્વર રાજ્યનું પીંછુ?

એક ફિલ્મી કહાની લાગે એવી આ સત્યકથા છેઃ

ભારત આઝાદ થયું, ત્યારે રજવાડાંઓના એકીકરણનો પડકાર ઉભો થયો હતો, એ વાત તો જાણે જૂની થઈ ગઈ છે. રસિક સુજ્ઞજનો હૈદ્રાબાદ કે જૂનાગઢની તવારિખી દાસ્તાનો વાગોળતા થાકતા નથી.

પણ કાશ્મીરની જેમ સ્વતંત્ર રહેવાની ખુજલી ઉપડી હોય એવા બીજા કેટલાક રાજ્યો ય હતા. એક હતું રાજસ્થાનનું અલ્વર. અલ્વરના મહારાજાએ ભારતનો રાષ્ટ્રઘ્વજ ફરકાવવાનો ઈન્કાર કરીને પોતાનો જ પચરંગી ઘ્વજ ફરકાવવાનો ચાલુ રાખ્યો હતો. મહારાજા પાર્લામેન્ટમાં નોમેની હતા, પણ ભારત સરકારની નીતિઓ વિરૂઘ્ધ ઝેર ઓકતા. અલ્વરના દીવાન આ જ પ્રવૃત્તિ રાજ્યમાં કરતા. કહેવાય છે કે પાકિસ્તાનને વિવાદનો મુદ્દો મળે એ માટે મહારાજાએ કોમવાદી વલણ શરૂ કરી,લધુમતીઓને રંજાડવાનું શરૂ કરેલું. શુઘ્ધિ અભિયાન અંતર્ગત કબ્રસ્તાનોનો સફાયો બોલાવી દેવાયો હતો.

સરદાર પટેલ દિલ્હી બેઠે બેઠે બસ તમાશો ચૂપચાપ જોતા હતા. રજવાડાની આંતરિક બાબતોમાં સીધી દખલગીરી કરે, તો બીજા રાજાઓ નારાજ થઈ જાય.એવામાં અચાનક ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજીની હત્યા થઈ ગઈ. દેશ જ નહિ, સરદાર પણ ખળભળી ઉઠયા.

સરદારપ્રેમીઓએ ગાંધીજીએ નેહરૂ ખાતર કરેલા અન્યાયની સાથો સાથ ન્યાય પુરતું ય એ યાદ રાખવું જોઈએ કે ગાંધી ન હોત તો વલ્લભભાઈ પટેલ એક વિલાયતી બેરિસ્ટર જ રહ્યા હોત, સરદાર નહિ. જૈફ ઊંમરે સરદાર માટે ગાંધીની વિદાય એવો વ્યક્તિગત ઝટકો હતો કે થોડા સપ્તાહો પછી એમને જબરો હાર્ટ એટેક આવેલો!

ગાંધીજીના અવસાન બાદ સંયુક્ત રાષ્ટ્રમાં બધા દેશોના ઘ્વજ અડધી કાઢીએ ફરક્યા, પણ અલ્વરે તુમાખીથી પોતાનો ઝંડો નીચે ન કર્યો. લોકોમાં સ્વાભાવિક ગણગણાટ થયો. ત્રીજી ફેબુ્રઆરીએ દેખાવ ખાતર મહારાજાએ એક શોકસભા ગોઠવી. જેમાં એ હાજર રહ્યા, પણ બોલવાથી કતરાતા રહ્યા. બીજે દિવસે સવારે સરદારે મહારાજાને દિલ્હી તેડાવ્યા. એ જ રાત્રે ૯ વાગે ઓલ ઈન્ડિયા રેડિયો પર હેડલાઈન ન્યુઝ હતાઃ ગાંધીજીની હત્યામાં હાથ ધરાવતા કાવતરાંખોર તરીકે અલવરના મહારાજા શકમંદ સાબિત થયા છે. એમને દિલ્હી છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ભારત સરકારના ગૃહખાતાએ આ મામલે મહારાજા અને દીવાનની સંડોવણીની તપાસ શરૂ કરાવી છે, અને અન્ય રજવાડાઓની સંમતિથી અલ્વરના એડમિનિસ્ટ્રેશન માટે ભારત સરકારના એક પ્રતિનિધિની નિયુક્તિ થઈ છે!

૧૦ દિવસ પછી દિલ્હીથી નિમાયેલા વહીવટદારે અલ્વરના મંત્રાલય પર તિરંગો ફરકાવ્યો, અને નિવેદન જાહેર કર્યું કે ‘આ તો છ મહીના પહેલા જ થઈ જવાની જરૂર હતી!’ એ ઘટનાના પાંચ દિવસ પછી સરદાર પટેલ ખુદ અલ્વર પહોંચ્યા. ૧૯૪૦માં સ્ટેટની મુલાકાતે આવેલા બ્રિટિશ વાઈસરોયનું જે દબદબાથી મહારાજાએ સ્વાગત કરેલું, એથી યે વઘુ ભપકાદાર રીતે સરદારનું સ્વાગત થયું. સાંજે રાજ રિશિ કોલેજના ગ્રાઉન્ડમાં સરદારે પોતાની લાક્ષણિક કટાક્ષમિશ્રિત ધારદાર બાનીમાં પ્રવચન આપ્યું. પુરૂં કરતાં પહેલા ઉધામા કરવા માંગતા મહારાજાપ્રેમી તત્વોને ચીમકી પણ આપી દીધી:

‘‘તમારામાંના ઘણાય પાસે ચકચકતી તલવારો હશે, પણ હવે એનું મહત્વ ઝાડૂ જેટલું ય રહ્યું નથી. સાવરણીથી કમ સે કમ કચરો તો વળાય, તલવારથી તો એ ય ન થાય!’’

અલ્વર વિમાની મથકે ઉતરતાવેંત સરદારે મહારાજાના સાળાને બોલાવ્યા હતા. કહેલું કે ‘તમારા બહેન (મહારાણી)ને કહેજો, એમના પતિની ચિંતા ન કરે. એ સુરક્ષિત છે.’ પછીના થોડાક દિવસોમાં બે ઘટનાઓ બની. હજુ ગાંધીહત્યાની જાંચ ચાલુ હતી, ત્યાં જ ૧૮ માર્ચે અલ્વરના મહારાજાએ ભરતપુર, ધોલપુર અને કરૌલીના બનેલા ‘મત્સ્ય’ યુનિયન (જેમ જામનગર, ભાવનગર, ગોંડલ, મોરબી વગેરેને ભેળવીને એક સૌરાષ્ટ્ર રચવામાં આવેલું તેમ!) સાથે ભળી જઈને ભારત સાથે જોડાણ કરતાં દસ્તાવેજ પર સહી કરી આપી હતી! એ પછી તરત જ એવી જાહેરાત થઈ હતી કે ગાંધી હત્યામાં અલ્વરના મહારાજાની કોઈ સંડોવણી નથી, એવું તપાસ કરતા જાણવા મળ્યું છે. એટલે એમને નિર્દોષ ઠેરવી મુક્ત કરાયા છે!

આજે, અલ્વર રાજસ્થાન ટુરિઝમની જાહેરાતોમાં વિદેશી સહેલાણીઓને ભારતમાં આકર્ષે છે! ત્યાં ભારતીય વાઘોનું સારિસ્કા અભ્યારણ્ય છે.
* * *
પાઠ પુરો થાય અને વિદ્યાર્થીઓને સ્વાઘ્યાય મળે, એમ અહીં કેટલીક શીખ લેવા જેવી છે. સરદારે અલ્વરને ભારતમાં ભેળવવા માટે કોઈ ઉતાવળિયું પગલું ભર્યું નહોતું. ૭ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ અન્ય રાજાઓને આપેલા વચન મુજબ એ આંતરિક મામલામાં દખલ કરીને માંડ એકઠા થયેલા અન્ય રજવાડાઓમાં ચણભણ કરવા માંગતા નહોતા. પણ દેશહિતને ખાતર ગાંધીહત્યા જેવી અંગત આઘાત આપતી ટ્રેજડીમાંથી પણ તત્કાળ સ્ટ્રેટેજી બનાવતા એમને ખચકાટ થયો નહોતો! (આભિજાત્ય, સિઘ્ધાંતો, સૌજન્ય આ બઘું ડાઈનિંગ ટેબલ પરની ડિબેટ્સ કે બ્લોગ પરના બખાળાઓમાં શોભે- કૃષ્ણ, ચાણક્ય કે સરદાર એવી સુંવાળી સૂફિયાણી સલાહોની ચિંતા કરે તો પરિત્રાણાય સાઘુનામ, વિનાશાય ચ દુષ્ક્રિતામનું કામ ક્યારે કરે?) શોક-વિષાદની એ પળોમાં પણ સરદાર સ્વસ્થ ચિત્તે એક અખંડ ભારત અંગેની વ્યૂહરચના કોઠાસૂઝથી વિચારી શક્યા હતા. આકસ્મિક ઘટનાનું તકમાં રૂપાંતર કરી શક્યા હતા.

લુચ્ચાઈ અને વ્યૂહાત્મકતા વચ્ચેની પાતળી ભેદરેખા ઈરાદાની હોય છે. સરદારે પોતાના ફાયદા માટે નહિ, પણ સમગ્ર દેશના ભવિષ્ય ખાતર ગાંધીજીની લાશનો પણ ઉપયોગ કરવામાં લગીરે શરમ રાખી નહોતી. એમનું ઈન્ટેલીજન્સ નેટવર્ક પર્સનલ રિલેશન્સ પર હતું, પગાર પર નહિ. એટલે મહારાજાને ભીડવવા પુરતી- ભેદી માહિતી એમની પાસે તૈયાર પડી હતી. ગાંધીહત્યા પછીના રાષ્ટ્રીય સ્તબ્ધતાના વાતાવરણમાં મહારાજા કંઈ પણ આડુંઅવળું કરે, તો પ્રજા જ એમને જોખી લે. ટાઈમિંગ પરફેક્ટ હતું. ફ્રેકચર થયું હોય તો ય ઘર-ઓફિસના કામ ભૂલી જવાય એવી આપણી પરિસ્થિતિ વચ્ચે સરદાર સગા બાપથી વિશેષ ગાંધીના નિધન સમયે દેશ માટેના એમના એજેન્ડામાં ફોકસ્ડ હતા. વેવલાઈ એમની નક્કર પટલાઇ સાથે ટકી ન શકે. એટલે સ્તો ભારત વિભાજન અનિવાર્ય છે, એ લાગણીશીલ ગાંધીની પહેલાં એ તત્કાલીન સ્થિતિ મુજબ સમજી ગયા હતા, અને કઠોરતાથી ભાગલાનો પ્રસ્તાવ સ્વીકારી દેશના બે ઉભા ફાડિયા થાય એને બદલે સરહદી ચોથિયાં પ્રદેશો ગુમાવીને પણ બાકીના વિરાટ ભારતને વિકસીત કરવા બચાવવામાં સફળ થયા હતા.

પણ આ મક્કમતા પાછળ એક નિર્મળ સંવેદનશીલતાની સરવાણી સૂકાઇ નહોતી. આ પારાવાર ટેન્શન અને ધમાલ વચ્ચે એ અલ્વરના એક યુવાન મહારાણીની માનસિક પરેશાની અને એમને કોઠે ટાઢક આપતો સંદેશો પહોંચાડવાની કાળજી ભૂલ્યા નહોતા ! આવી ચોકસાઇપૂર્વકની ચીવટને લીધે સ્તો બ્યૂરોક્રેટ્સ પણ સરદારનો પડ્યો બોલ ઝીલવા તત્પર હતા.

સરદારને સગવડ મુજબ હિન્દુવાદી (કોમી રમખાણોમાં સંડોવાયેલા મુસ્લીમો સાથે કડક હાથેકામ લેવા કે સોમનાથના જીર્ણોઘ્ધાર બદલ) કે લધુમતીવાદી (આરએસએસની ઉગ્ર ટીકા કરનાર, બંધારણમાં માઇનોરિટીઝ માટેની કલમો રજૂ કરનાર) કે પછી મૂડીવાદી (બિરલાઓના દોસ્ત, ઉદાર આર્થિક નીતિના ચુસ્ત હિમાયતી, લાયસન્સરાજના ચુસ્ત વિરોધી, સામ્યવાદી મજૂર આંદોલનને ઉગતા જ ડામી દેનાર)ના લેબલ લગાડી જોવામાં જોનારને કદાચ સરળતા થાય છે. પણ સરદાર માત્ર એક જ વાદમાં માનતા હતા. રાષ્ટ્રવાદ ! એ માટે જે કંઇ જરૂરી હતું એ એમણે સ્વીકાર્યુ અને તીનપાટિયાઓની ટીકા કે ચુગલખોરીની પરવા વિના કરી બતાવ્યું !
જસ્ટ થિંક, હાડોહાડ ‘જેહાદી’ પ્રકૃતિના અને પાકિસ્તાન સાથે ભળી હિન્દુઓને પરેશાન કરનાર હૈદ્રાબાદના નિઝામ કે ભગવા રંગે રંગાયેલા ગણાતા અલ્વરના મહારાજાને સરદારે એક જ દવાનો ડોઝ પીવડાવ્યો. બંને પાસેથી યુક્તિપૂર્વક એમના રાજ્યો ખાલસા કરાવ્યા. પોતાના માટે ? હિન્દુ કાર્ડ કે મુસ્લીમ કાર્ડ માટે ? જી ના. સ્વતંત્ર સાર્વભૌમ સંવૈધાનિક ભારત માટે ! હિન્દુ-મુસ્લિમ સેન્ટીમેન્ટસની રાજકીય પરવા વિના રોકડું પરખાવી દેવાનો એમનો સ્પષ્ટ વક્તા સ્વભાવ હતો !

એટલે જ જો સરદાર જીવતા હોત અને ભારતના સુકાની બન્યા હોત, તો આર્થિક ઉદારીકરણ ૪૦ વર્ષ પહેલાં થયું હોત. આજે જે ચીન કરે છે, એ ક્યારનુંય ભારત લેબર ઓરિયેન્ટેડ એક્સપોર્ટથી કરી ચૂક્યું હોત અને સામ્યવાદી રશિયાને બદલે વાજબી રીતે મૂડીવાદી અમેરિકાની સાથે જોડાણ કરી ચુક્યું હોત, એવા ઉદ્યોગપતિઓના મિત્ર અને મહારાજાઓના રાઝદાર ગણાતા સરદાર ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ ગુજરી ગયા.

આજીવન કોંગ્રેસ પાર્ટીના ખજાનચી રહેલો આ પાવરફૂલ પટેલ ભાયડો, જે ભારતવર્ષનો નાયબ વડાપ્રધાન હતો. એ ગુજરી ગયો ત્યારે મિલકતમાં હાથે કાંતેલા કપડા, ૩૦ વર્ષ જૂની એક ઘડિયાળ, તૂટેલી દાંડી સાંધેલા ચશ્મા મુકતો ગયો !
સરદારની સતત સાથે રહેલા દીકરી મણીબહેને ૧૯૮૫માં એક ઇન્ટરવ્યુમાં કહેલું કે મૃત્યુના ત્રણ દિવસ પહેલાં ૧૨ ડિસેમ્બરે સરદાર દિલ્હીથી મુંબઇ જવા નીકળેલા, ત્યારે મણિબહેનને બોલાવીને એક બોક્સ આપેલું. સૂચના આપી કે મને કંઇ થાય તો આ બોક્સ જવાહરને પહોંચતું કરવું. આમાં જે કંઇ છે, એ કોંગ્રેસનું છે. સરદારના નિધન પછી થોડા દિવસે મણિબહેન નહેરૂને મળવા ગયા. ઉઘાડયા વિનાનું બંધ બોક્સ એમને આપ્યું. પેટી એમની હાજરીમાં જ ઉઘાડવામાં આવી. એમાં (એ જમાનાના) ૨૦ લાખથી વઘુ રૂપિયા હતા. જેનો ઉપયોગ નહેરૂએ ૧૯૫૨ની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં પક્ષને જીતાડવા કર્યો હતો !

સરદાર પટેલ જેવા પોતાની નિષ્ઠા, જ્ઞાન, સચ્ચાઇ, દૂરંદેશી મુજબ વખાણ કે ટીકા કરતાં માણસને કોઇ વ્યકિતગત લાભાલાભ કે ગમા-અણગમાની ખેવના નથી હોતી- એ સમજવા જેટલો ઊંચો આપણો સંકુચિત સમાજ ત્યારે પણ નહોતો, અને પોતાની વૃત્તિઓની ફૂટપટ્ટીથી બીજાને માપ્યા કરતો સમાજ આજે ય સરદારને પૂરા સમજી શકે તેમ નથી! સરદારને ય આ ખબર હતી, એટલે એમણે ટોળાઓની ઉપેક્ષા કરવાનું અને બુદ્ધિજીવીઓથી અંતર રાખવાનું શીખી લીઘુ હતું!
* * *
બાઉન્ડ્રી લાઇન પર બેટસમેનને ઝીલાવી દેવા માટે ઉસ્તાદ બોલર લલચામણો ફૂલટોસ નાખે અને બુદ્ધુ બેટસમેન એ ટ્રેપમાં આઉટ થાય, એમ ગુજરાતમાં ચૂંટણી ટાણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા તટે વિશ્વનું સૌથી ઊંચુ સરદાર પટેલનું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનાવવાની ઘોષણા કરી અને સરદારની મૌન રહેવાની વિચક્ષણતા ભૂલી ચૂકેલા વિપક્ષી આગેવાનો એની સામે ફરિયાદ કરવામાં કોટ એન્ડ બોલ્ડ થઇ ગયા! ઓનેસ્ટલી સ્પીકિંગ, બંગાળ માટે સ્વામી વિવેકાનંદનું હોય કે મહારાષ્ટ્રમાં શિવાજીનું હોય- એથી અનેકગણું મહાન પ્રદાન સમગ્ર દેશ માટે સરદાર પટેલનું છે. પણ એમની સાદાઇ એટલી કે આ ખબર મોટે ભાગે ગુજરાતીઓને જ હોય છે. જે ભારત માટે સરદારે લોહીપાણીવીર્યપસીનો એક કર્યા એ ભારતને ખાસ છે નહિં! જગતમાં તો સરદાર ભારતના બિસ્માર્ક કહેવાય છે, પણ બંનેના કામનો સ્કેલ અને ચેલેન્જ સરખાવો તો જર્મનીના ઓટો વાન બિસ્માર્કને યુરોપના સરદાર પટેલ એમ કહેવું જોઇએ. ગીતાથી ગાંધી સુધીની મેનેજમેન્ટ થિયરીઝ સ્ટડી કરતા અભ્યાસુઓ સરદારના લીડરશિપ ફન્ડા પર કદી કોર્પોરેટ વર્કશોપ કરતા નથી!

ઇનફ. જયારે જે ભાષામાં દુનિયા સમજતી હોય, એમાં એને સમજાવવી જોઇએ. ગાંધીજીએ પણ કોમ્યુનિકેશન ખાતર રામઘૂનથી ચરખા સુધીનું ‘મોકટેલ’ (બાપુમાં કોકટેલ તો ન કહેવાય ને!) મોડેલ બનાવ્યું હતું, અને લોકોને આકર્ષ્યા હતાં. ડફોળેશ્વરો સરદારનું સૌથી ઉંચુ પૂતળુ ગુજરાતમાં બને એ વિચારમાત્રથી ‘આગબબૂલા’ થઇને એને ડિઝનીલેન્ડના કાર્ટુન સાથે સરખાવે છે! છેલ્લાં ૫૪ વર્ષમાં ૬૦ અબજ (દુનિયાની કુલ વસતિના ૧૦ ગણા!) લોકો ડિઝનીલેન્ડની મુલાકાતે આવી ચૂકયા છે! સ્ટેચ્યુ ઓફ લિબર્ટી માત્ર પૂતળું નથી. અમેરિકન પ્રજાના મિજાજની ઓળખ છે. અમેરિકનો શેરીએ શેરીએ લિંકનના પૂતળા નથી મુકતા, પણ લાર્જર ધેન લાઇફ લિંકન મેમોરિયલ બનાવવાનું ચૂકયા નથી. લિબર્ટી જેટલી જ ઇન્ટરનેશનલી અપીલિંગ ફીલિંગ યુનિટીની છે. એ નામનો પ્રાસ મળે, તો આપો આપ જ રેડીમેઇડ બ્રાન્ડિંગ થતું જાય!

ગુજરાત સરદારની એક પ્રચંડ પ્રતિમા બનાવે, એમાં અને માયાવતી શેરીએ શેરીએ પોતાના પર્સવાળા પૂતળાઓ ખડકી દે- તેમાં બુનિયાદી ફર્ક છે. કોઇનું ઋણ ચૂકવવાનું ભુલાઇ જાય, તો ખાનદાન માણસ સામે ચાલીને ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત એ પાછું વાળે. ઇતિહાસ બોધ ન ધરાવતાં ભારતીયો પૂતળા પર્યટનના બહાને પણ રજવાડાંની એકતા અને રાષ્ટ્ર નિર્માણ વિશે જાણે, કે પરદેશીઓ સોવેનિયર તરીકે સરદારનું મિનીએચર સાથે લઇ જાય એ તો રળિયામણી ઘડી છે. જગત આજે બ્રાન્ડિંગ અને માર્કેટિંગની ભાષા સમજે છે. એ ઝંઝાવાત સામે ઉખડી જવાને બદલે એ જ પવન સઢમાં ભરી વ્હાણને મંજિલે પહોંચાડનાર કસબી કપ્તાન ગણાય! હજાર કરોડ તો પાણીદાર ગુજરાતીઓ પાટું મારીને ઉભા કરી લેશે, પણ હજાર કરોડ માનવીઓમાં બીજો સરદાર પટેલ વાયડા વિવેચનોથી પેદા નહિં થાય!

ફાસ્ટ ફોરવર્ડ

‘જે સમાજ પોતાના નાયકનું સમયસર સન્માન કરતો નથી, સમય એ સમાજને અપમાનને લાયક ગણે છે.’

સૌજન્ય- સાભારગુજરાત સમાચાર.કોમા અને શ્રી જય વસાવડા 

ગુજરાતી સાપ્તાહિક સાધના વીકલી ના સૌજન્ય અને આભાર સાથે એની નીચેની લીંક પર ક્લિક કરીને સરદાર વલ્લભભાઈના બાળપણથી લઈ અંત સુધીના જીવનની વિશિષ્ટતા અને વિવિધતા આલેખતા પ્રસંગો માણો.

સરદાર પટેલના પ્રેરક જીવન પ્રસંગો

Sardar Vallbhbhai- Quote

અગાઉ વિનોદ વિહારમાં સરદાર વલ્લભભાઈ પટેલ ના જન્મ દિને એમના જીવન વિશેની વિસ્તૃત માહિતી, વિડીયો અને ચિત્રો સાથે વિવિધ પોસ્ટમાં રજુ કરી એમને શ્રધાંજલિ આપી છે .

આ બધી પોસ્ટની લીંક નીચે ક્લિક કરી એને પણ માણો . 

(567 )અખંડ ભારતના શિલ્પી -સરદાર વલ્લભભાઈ પટેલ -એક સ્મરણાંજલિ   

(569 )સરદાર પટેલની ૧૩૯ જન્મ જયંતી-એક શ્રધાંજલિ 

(448 ) અખંડ ભારતના ઘડવૈયા … લેખક ..શ્રી પી.કે.દાવડા 

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈની જન્મ જયંતી 

મારા કવિ મિત્ર શ્રી ….રમેશ પટેલ(આકાશદીપ) નું  સરદાર વિશેનું એક ગમતીલું કાવ્ય એમના આભાર સાથે અહીં પ્રસ્તુત કરું છું. 

અડિખમ ઐક્ય પ્રતિક તું નરબંકો

તૂટ્યા બંધન ગુલામી જ ભાગી

પડ્યા ભાગલા દેશ બહુદુઃખી

અલગ જ પાંચસો સાઠ રજવાડાં

ભિન્ન જ ધર્મ જાણે સૂર નોંખા

સ્વપ્ન જ ભવ્ય રે વલ્લભ તારું

અખંડ ભારત જ વિશ્વ અજવાળું

કુશળ વહીવટી સ્વમાન સોટી

ધન્ય જ મુત્સદી ઝીલી કસોટી

દ્રષ્ટા અમર શિલ્પી હો વધાઈ

વતનનું વ્હાલ એ મૂડી સવાઈ

ગજગજ ફૂલતી છાતી જ છત્રી

નમું અખંડ મા ભારત જ મૂર્તિ

હર ઉર રંગ ત્રિરંગ નવ જશ્ન

ગુર્જર લાલ તું ભારત જ રત્ન

યુગ ગાંધી તણો ઉજ્જવલ ડંકો

અડીખમ ઐક્ય પ્રતિક તું નરબંકો

રમેશ પટેલ(આકાશદીપ)

લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની  જન્મ જયંતી પ્રસંગે એમને ભાવસભર 

હાર્દિક સ્મરણાંજલિ  

( 798 ) વિરાટ વિશ્વાસ ….ચિંતન લેખ …. લેખક –ડો.પ્રકાશ ગજ્જર

 વિનોદ વિહારની આ અગાઉની પોસ્ટ નંબર ( 797 ) માં તમોએ ડો. પ્રકાશ ગજ્જર નો એક પ્રેરક ચિંતન લેખ“ચિંતાને રામ રામ “ વાંચ્યો હશે .

આજની પોસ્ટમાં ડો. પ્રકાશ ગજ્જરનો  જ બીજો લેખ” વિરાટ વિશ્વાસ …” એવો જ પ્રેરણાદાયી લેખ પ્રગટ કર્યો છે .આપને એ જરૂર વાંચવો ગમશે.

એક જ માતૃ સંસ્થા “સર્વ વિદ્યાલય-કડી “ના સહ અધ્યાયી મિત્ર ડો.પ્રકાશ ગજ્જરે એમના કોઈ પણ પ્રસિદ્ધ પુસ્તક કે અન્ય મેગેજીન કે બ્લોગોમાં પ્રગટ એમના કોઈ પણ લેખને વિનોદ વિહારમાં પ્રસિદ્ધ કરવાની સંમતિ આપવા બદલ હું એમનો આભારી છું .એમની મૈત્રી તાજી કરતાં આનદ અનુભવું છું.

વિનોદ પટેલ

============================================

વિરાટ વિશ્વાસ …. લેખક –શ્રી પ્રકાશ ગજ્જર

[ આજે “પ્રેરણાનો પ્રકાશ” વિભાગમાં અગાઉ “જનકલ્યાણ” સામાયિક (વર્ષઃ ૧૯૯૬) માં પ્રગટ થયેલ, પ્રકાશ ગજ્જર રચિત “વિરાટ વિશ્વાસ” માં જીવનનાં જરુરી એવી સફળતા ના પાયામાં રહેલા “આત્મવિશ્વાસ” જેવા અગત્યના પરિબળ ની આવશ્યકતા તેમજ તેને વિકસાવવાની રીત ને જગતના સર્વોતમ મહાનુભાવો ના અંગત અનુભવો ના વિવિધ ઉદાહરણો આપી ને સરસ રીતે રજુ કરી છે.]

સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકનંદ જ્યારે વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા અમેરીકા જતા હતા, ત્યારે હસ્તિનાપુરના રાજાએ એમને કહ્યું:

‘તમારે એક માર્ગદર્શક સાથે રાખવો જોઇએ.’     

‘શા માટે?’

‘પરદેશમાં જવાનું છે. તમે સાવ અજાણ્યા. કોઈ માર્ગદર્શક હોય તો સારું’

‘એવો માર્ગદર્શક તો છે.’     

‘ક્યાં છે?’

‘અહીં !’ પોતાના હ્રદય તરફ આંગળી ચીંધતા સ્વામીજીએ જવાબ આપ્યો.

એમનો અભિપ્રાય આત્મવિશ્વાસથી અણુંપ્રાણિત હતો એ સમજાય છે?

મહા પુરુષોનો આત્મવિશ્વાસ એટ્લોજ મહાન હોય છે, જેટલા એ મહાન હોય છે. આ બન્ને વચ્ચે એટલો ગાઢ સંબંધ હોય છે કે કોઈ માણસ પોતાની મહાનતા ને જગાડવા આત્મવિશ્વાસ ને જગાડીને યોગ્ય પરિણામો પ્રગટાવી શકે છે.

અબ્રાહિમ લિંકન

લિંકન અમેરીકામાંથી ગુલામીપ્રથા નાબુદ કરવાના મતનો હતો.

આ મુદ્દા પર ગૃહયુધ્ધ થયું ને હજારો માણસો મરાયા. વિરોધપક્ષના નેતા બ્રિયાને કહ્યું:  ‘આ સારું કહેવાય?’

‘આ કતલનો હું પણ વિરોધી છું. ભાઈઓ – ભાઈઓ વચ્ચેના વેર નો હું પણ વિરોધી છું. પણ ગુલામી ગઈ એનો મને આનંદ છે.’

‘પણ ખોટા બલિદાનો દેવાયા ને?’

‘એ બલિદાનો એળે પણ નથી ગયા. આપણે તો એટ્લું જ સમજવાનું કે માનવતાના મહાન આદર્શ માટે જ આ બધું થઈ ગયું છે. દ્ઢ નિશ્ચયની સામે આખા સંસાર ને ઝુકી જવું પડે છે તેની ખાતરી થઈ ગઈ.’

આવી ઊંચી ભૂમિકા ભલે દરેક માણસ બતાવી ન શકે. પણ એના અંગત હિતો વિશ્વની સાથે ન ટ્કરાય એ રીતે દ્દ્ઢતા ધારણ કરે અને આત્મવિશ્વાસથી ચાલે તો એને માટે મુશ્કેલ શું કહેવાય?

રાણા પ્રતાપ, શિવાજી ને વીર દુર્ગાદાસનાં નામ તમને તરત જ યાદ આવશે.

દુર્ગાદાસની આસપાસ જે વિષમતાઓ વ્યાપી હતી તેનાથી કોઈ પણ થાકી જાય. પણ દુર્ગાદાસ હાર્યા નહિ ને છેક સુધી લડત આપી ને ઔરંગઝેબને હંફાવ્યો.

એને નીચે પાડવા માટે અનેક ભેદનીતીઓ અજમાવવામાં આવી. પાર વગરનાં પ્રલોભનો અપાયાં .

પણ એ વીર અડગ રહ્યો ને છેવટે દુશ્મનને ઝુકવું જ પડ્યુ.

દ્દ્ઢ નિશ્ચય અને આત્મવિશ્વાસવાળો કશાયથી ડરતો નથી, એ સત્ય એણે ફરી એક વાર દુનિયા સામે સ્પષ્ટ કરી આપ્યું.

પ્રફુલચંદ્ર રોય

પ્રફુલચંદ્ર રોય

પ્રફુલચંદ્ર રોયની ગણતરી વિશ્વના મહાન રસાયણશાસ્ત્રીઓમાં થાય છે. પેટે પાટા બાંધીને એ સંશોધનો કર્યા કરતા.

એમના ફોઈ એમને વારતાઃ ‘પ્રફુલ, તારા શરીરની તો જરા કાળજી રાખ.’

‘તો મારા સંશોધનકાર્યનું શું થાય?’     

‘બીજું કોઈ એ કરશે. પણ તારું શરીર તો જો !’

‘શરીર તો આમ પણ જવાનું છે તો શું એને યોગ્ય ઉપયોગમાં લઈ ઘસી નાખવું શું બરોબર નથી?’

ને… ખરેખર એમણે જાતને ઘસી નાખી. પણ રસાયણશાસ્ત્રનો પાયો નાખી દીધો. જે કામમાં સફળ થવું હોય એમાં આખા અસ્તિત્વને જોડી દેવું પડે.

વિલિયમ પિટ્ટ

વિલિયમ પિટ્ટ ને જ્યારે બ્રિટનની પાર્લામેન્ટે વડાપ્રધાન પદે થી ફેંકી દીધો ત્યારે આ વીર નર સહેજ પણ હતાશ નહિ થયેલો.

નેતાઓ એને મળવા ગયા. એક નેતાએ લુખ્ખા વિવેકથી કહ્યું:  ‘બહું બૂરું થયું’

આ વાત સાંભળીને બધા ચોંકી ગયા. છતાં એક જણે વિવેક કર્યોઃ  ‘તમારા જેવો માણસ નહિ મળે.’

‘નહિ જ મળૅ. પાર્લામેન્ટ્ની ભૂલ થઈ. ભયંકર ભૂલ થઈ. તમને મારા વગર નહિ ચાલે. આજે તમે મને ભલે ઘેર બેસાડ્યો, પણ કાલે તમારે મને પાછો બોલાવવો જ પડશે.’

અને… ખરેખર પિટ્ટને પાછો બોલાવવો જ પડ્યો. અગાઉ જ્યારે પિટ્ટૅ પોતાની અનિવાર્યતાની વાત કરી હતી ત્યારે ઘણાને તેમાં કોરું અભિમાન દેખાયેલું. પણ રાજ્યની ધુરા નવેસરથી સંભાળીને એને પોતાના આ દાવાને સાબિત કરી બતાવ્યો ત્યારે સહુને લાગ્યું કે એનો આત્મવિશ્વાસ પોકળ પાયા પર નહતો ઊભો.

‘તમે બોલતા હતા તે સાચું પાડી બતાવ્યું.’  પેલા નેતાએ પછીથી પિટ્ટ્ને કહ્યુ.

‘સાચું જ પડે ને, હું બનાવટી વાણી બોલતો ન હતો.’

‘તમેતો જાણૅ ભાવિ ભાખતા હતા.’

‘તમે જે શબ્દો વાપરો તે. મને તો આટલી ખબર હતી કે મારે દેશની નૌકાને તારવાની છે. એ માટે મારી પાસે શક્તિ પણ હતી. પછી મારે સંકોચાવાનું શું કારણ? જેને પોતાની જાત પર વિશ્વાસ નથી તેના પર કોણ વિશ્વાસ કરે?’

ને…. તમે જોશો કે કેટલાય જણા પોતાની જાત પર રતિભારેય વિશ્વાસ નથી ધરાવતા. તમને આવા વાક્યો ઠેર-ઠેર સાંભળવા મળશેઃ  ‘હું તો સાવ સામાન્ય છું’,   ‘મારામાં કોઈ શક્તિ નથી’,   ‘કંઈ કરી શકું એમ નથી’,   ‘મારું ભાવિ અંધકારમય છે.’

આવા વિચારો ધરાવનારનું ભાવિ અંધકારમય ન હોય તો જ આશ્ચર્ય થાય. ધારો કે, તમે આજ સુધી કોઇ નક્કર કામ કરી શક્યા નથી, એનો અર્થ એ નથી કે તમે ભવિષ્યમાં પણ કંઈ નહિ કરી શકો. આ બધો સમય તો અંધારામાં વિત્યો. હવે શું? અરે, આજે એ સમય આવ્યો છે કે તમે તમારી વિચારધારાને બદલી નાખો. નિષ્ફળતાના વિચારો ને સાવ દેશવટો આપી દો. તમે કંઈક તો કરી શકો તેમ છો જ એ વિચાર પર દ્દ્ઢ થાવ.

વિક્ટર બોર્જ

બોર્જ નામનો એક માણસ. મૂળ તો એ જંગલમાં ભમનારો ને ઢોરા ચારનારો. અચાનક એ રેડિયો પર આવ્યો. પછી તો એક કોમેડીયન તરીકે આખા જગતમાં વિખ્યાત થઈ ગયો. એક જણે પૂછ્યું: ‘તમારા લાંબા જીવન દરમિયાન માનવજાત વિશે તમારો શો મત બંધાયો?’‘માણસો બહુંજ સારા છે’   ‘ખરેખર?’

‘હા, મને મળનારો એક એક માણસ મને ગમ્યો છે.’      ‘આશ્ચર્ય કહેવાય !’      ‘માણસો એ મને પણ ખુબ ગમાડ્યો છે ને ! જગત તમારી ઈચ્છાઓ ના પડઘા પાડે છે. મને પણ આ જ અનુભવ થયો.’

તમને પણ એવોજ અનુભવ થશે. તમે જો આનંદી હશો તો જગત તમને આનંદમય લાગશે. અને જો તમે મોં પર કંટાળૉ રાખી ફરશો તો તમને સર્વત્ર કંટાળા ના જ દર્શન થશે. જેવો તમારો અભિગમ.

એક મિત્રની ઓફિસમાંથી હું ઊભો થવા જતો હતો ત્યાં કહેઃ ‘તમે કલાકેક રોકાઓ.’      ‘કેમ?’     ‘ઈન્ટરવ્યું લેવાનો છે. તમે ઈન્ટરવ્યુ લો.’

ઈન્ટરવ્યુ શરુ થયો. એક બહેન આવ્યાં. એમના આવતાની સાથે જ જાણે ઓફિસ ઝગમગ થઈ ગઈ . હસતો ચહેરો, હસતી આંખો, રોમ રોમમાં વીજ્ઝબકાર હતા. કેટલાક માણસો ના આકાર જ સફળતાપ્રેરક હોય છે. અમે એ બહેનને બહાર બેસાડ્યા. બીજા બધાના ઈન્ટરવ્યુ લીધા. પણ પસંદ તો મે પેલાને જ કર્યા. મિત્રે હસીને કહ્યુઃ  ‘સ્માર્ટ છે એટલા માટે?’       ‘ના, સારા ટાઈપિસ્ટ છે માટે.’

‘બીજી પણ સારી ટાઈપીસ્ટ જરુર હતી, પણ આમના વ્યક્તિત્વમાં જે આભા છે તે તારી ઓફીસના વાતાવરણ ને બદલી નાખશે.’       ‘એટલું જ ને?’

‘એટલું જ નહિ, એમનામાં કંઈક એવું તત્વ હતું કે જેનો સામનો તું પણ નહિ કરી શક્યો હોય.’

‘સાચી વાત છે, એમના પગલા અધિકારની ભાષા બોલતા હતા.’

ભીખ ના માંગશો. અધિકાર દર્શાવો. – આમ, હું વારંવાર કહું છું. તે આ કારણે. ભીખ ક્યાં સુધી ચાલશે? વારંવાર કોણ આપશે? એ રીતે જીવવાનો અર્થ પણ શો? તાકાતવાળા બનો. અધિકારી થાઓ. જગતને તમારી વાત માનવી જ પડશે. રેડિયોઘર ઉપર નાટકસ્પર્ધા માટે માણસો પસંદ કરવાના હતા. એક કિશોરીને મે કહ્યુઃ ‘તું જા.’      ‘ના આવતી સાલ જઈશ.’      ‘કેમ ?’       ‘મને લાગે છે કે હજી થોડી કચાશ છે.’

‘તેથી શું?’  ‘પ્રયત્ન કરી ને પાછા નથી પડવું. આવતા વર્ષ પહેલાં પૂરી તૈયારીઓ થઈ જશે. કડકમાં કડક પરિક્ષક પણ મને ના નહિ પાડી શકે.’

ને…. ખરેખર, બીજા વર્ષે એમજ થયું. એની સાધના ફળી. માટે જ હું કહું છું કે પદ પ્રાપ્ત કરતા પહેલાં લાયક બનો. તમારી શક્તિઓ ને કેળવી એટલા ઉંચી કક્ષાએ લઈ જાઓ કે પદ પોતે જ સામે પગલે તમને શોધતું આવે. બનાવટી આત્મવિશ્વાસ કરતાં શક્તિમાંથી જન્મેલ સ્વ-શ્રધ્ધા વધુ મહત્વની છે.

એડ્મંડ હિલારી

હિલારી ને એવરેસ્ટ ઉપર આરોહણ કરવું હતું. ત્યારે તેની પત્ની એ જ એને ના પાડતા કહેલુઃ ‘તમે ના જશો.’      ‘કેમ?’  ‘આપણી પાસે કોઈ સાધન નથી.’ ‘તેથી શું? જવાનો નિર્ણય હશે તો સાધનો ગમે ત્યાંથી આવી જશે.’   ‘પણ આપણી હેસિયત શું?’  ‘આત્મશ્રધ્ધાથી મોટી કોઈ હેસિયત નથી. બળ મારા પુરતુ છે. બીજા સાધનની ચિંતા નથી.’ આત્મવિશ્વાસ બીજી કોઈ પણ બાબત કરતાં વધું સશક્ત છે. તેનસિંગની સાથે મળી ને તેણૅ એવરેસ્ટ શિખરને સર કર્યું જ.

હન્ટ એવરેસ્ટ ઉપર ચઢાઈ કરવાની તૈયારી કરતો હતો ત્યારે જાણીતા પર્વતખેડુને નિમંત્રણ આપ્યું. પેલાએ જવાબ આપ્યોઃ ‘એ મારી હિંમત નહી.’ ‘પણ તમારા અનુભવ તો છે ને?’ ‘એ તો આલ્પ્સ ના અનુભવ, એવરેસ્ટ પાસે તેનુ શું ગજુ?’ આ તો તાકાત બહાર ની વાત છે.’ એની નિરાશાવાદી વાત સાંભળી ને એણે હિલારી ને પસંદ કર્યો. એ વિશ્વવિખ્યાત બની ગયો, પેલો પસ્તાઈ રહ્યો.

કાયર લોકો પોતેજ પોતાનું બુરુ કરે છે એમ કહેવાય છે તે આવા અનેક ઉદાહરણૉ ને લીધે. ધારો કે તમારી સામે એક આહવાન ઉભુ છે. એ તમારી શક્તિઓ ને લલકારે છે. એ આહવાનની ઉંચાઈ જોઈને તેની સામે ઝુકી જવું ન જોઈએ. ખરો ડુંગરખેડું એ જ કહેવાય જે ઊંચા પહાડ સામે ઊન્ન્ત મસ્તકે જુએ. ને પોતે ક્યાં ઊભો છે એમ તપાસે તે શું કરી શકવાનો હતો.

અખિલ ભારતીય નાગરિક પરિષદમાં ગુજરાતના એક સભ્ય તરીકે મારે દિલ્હી જવાનું થયેલું. એના સંચાલક હતા ડો. ઝાકીરહુસેન. અતિશય વૃધ્ધ ઉમ્મરના એ માણસનું વ્યક્તિત્વ એવું તો મોહક હતું કે જુવાનિયા એમને સાંભળ્યા જ કરતા. મને એમની સાથે વાતો કરવાની થોડી તક મળી હતી. મારા સ્વભાવ પ્રમાણે એમને પુછ્યુ પણ ખરુઃ  ‘આપની મોહકતા નું રહસ્ય શું છે?’

‘મારો વ્યવહાર એટલો સ્વભાવિક બની ગયો છે કે મને આ વિષે કદી વિચાર જ નથી આવ્યો.’  ‘એમ નહિ છટકવા દઉં.’  ‘સાચું કહું? છેક પહેલેથી જ મે આ જીવન ને ‘કંઈક’ બનાવવા નો વિચાર કર્યો હતો. એટલે જ હું મહાપુરુષો નો સંપર્ક સાધવા માંડ્યો.’  ‘પછી?’ ‘એમના જે ગુણો મને આકર્ષક લાગે તે હું મારા જીવનમાં ઉતારવા માંડ્યો. આ રીતે મારાંમાં અનેક તેજ ભેગા થયા હોય એવો ભ્રમ થાય છે !’

પ્રત્યેક વ્યક્તિને પોતાની આભા હોય છે. તમારા વ્યક્તિત્વની કઈ આભા છે તેનો વિચાર કર્યો છે ખરો?

એક બંગાલી ગીત નો સાર એવો છે કે, ‘આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ તો માનવી જ છે.’ આ કવિતા કે કલ્પના છે એમ ન માનશો. આ એક હકીકત છે.

સંસારમાં મનુષ્ય હોવા છ્તાં એણે જ પોતાની કેવી ભંગાર હાલત કરી મૂકી છે !

કહે છે કે બધાં પશું એકઠા મળી ને ભગવાન પાસે ગયાં . ભગવાને પુછ્યું: ‘કેમ આવ્યા છો?’      ‘અમને ચાર પગે કેમ ચલાવો છો? અમને બે હાથની વ્યવસ્થા આપો.’

‘ના. એ વરદાન માણસને જ મળે. તમારે નીચું માથું રાખી ચાર પગે જ ચાલવાનું છે.’

આપણો જન્મ મનુષ્ય તરીકે નો ઍટલા માટે થયો છે કે આપણે ટટ્ટાર ગરદન રાખી ને ચાલી શકીએ ને પોતાના હાથનો ઉપયોગ કરીને આ ધરતી ઉપર કશુંક નવસર્જન કરી શકીએ. ગમે તેમ સૂકા તરણા જેવું જીવન જીવવાનો અર્થ જ શો છે?

સ્વામી રામતીર્થ સરદાર પૂરણસિંહને કહેઃ ‘આખા જગતને તારે સુધારવાનું છે.’ ‘મારે?’ ‘હા, તારે જ, આ જગતનો સંપૂર્ણ ઉધ્ધાર તારે જ કરવાનો છે.’ ‘મારા જેવો તુચ્છ માણસ શું કરી શકે?’‘આ તુચ્છ વિચારને દુર કર.’ ‘મારે માટે એ મુશ્કેલ છે.’ ‘તો તું કઈ જ નહિ કરી શકે. ગમે તે રીતે ય આ લઘુતાગ્રંથિ ને તોડી નાખ.’ હીનતા નો ભાવ તમને ક્યાંય નો નહિ રાખે. એ એક એવું વજ્જ્રર પડ છે તમારી તમામ શક્તિ ને તોડી નાખશે. ગમે તે થાય પણ એ ભાવના માંથી મુક્ત તો થઈ જ જાવ.

હેન્રી કૈઝર

હેન્રી કૈઝર નાનો હતો ત્યારે તેના પિતાએ પૂછેલું: ‘તું શું થવા માગે છે?’       ‘દુનિયાનો સૌથી મોટૉ કોન્ટ્રાક્ટર’      ‘આપણી પાસે પૈસા તો નથી’       ‘ઈચ્છા ને શ્રધ્ધા હશે તો બધું જ મળી રહેશે.’

આજે એની કંપની પાસે એટલા પૈસા છે કે ચંદ્ર-મંગળને પણ એ ખરીદી શકે છે! એક સામાન્ય માણસ ના છોકરા પાસે આટલી સફળતા, સિધ્ધી અને દોલત આવી ક્યાંથી? માણસને આત્મવિશ્વાસના પ્રમાણમાં જ સફળતા પ્રાપ્ત થાય છે. આ નિયમ ને તમારા જીવનમાં પણ ક્રિયાશીલ બનાવો. તમારી આત્મશ્રધ્ધા એટલા પ્રમાણમાં વધારો કે દુનિયાનો કોઈ પણ અવરોધ તમારી સામે ટકી ન શકે.

કાન્હોજી આંગ્રેને અંગ્રેજો પણ એડમિરલના માનવંતા નામે ઓળખતા. આ કટ્ટા દુશ્મનની પણ એ લોકો અદબ જાળવતા. આરબ ચાંચિયા આંગ્રેના વહાણની ધજા જોઈને નાસવા ભાગતા. એનો એક મંત્ર હતો કે ગમે તેવું તોફાન જોઈને પણ અકળાવું નહિ. એના જીવનમાંય અસંખ્ય તોફાન આવેલા. એમ અકળાય તો એ આંગ્રે શાનો? સંસારસાગરમાં પ્રવાસ કરનારો કોઈ માણાસ સાગરી તોફાનો થી અલિપ્ત રહી શકતો જ નથી. તોફાન ગમે તેવું આવે, તેનાથી અકળાવાની સાફ સાફ ના પાડી દેજો. નિરંતર ઝુઝતા રહેવું પણ તોફાન ને તાબે થવાનું વિચારવું જ નહિ.

મહારાણા શિવાજી

શિવાજી સાહિસ્તખાન સામે ભિડાઈ ગયો ત્યારે એની પાસે હથિયારમાં ફક્ત વાધ-નખ હતાં. વામનજી જેવા શિવાજીએ પહાડ જેવા સાહિસ્ત ને પળવારમાં ઢાળી દીધો ! મોગલોમાં કાળૉ કકળાટ વ્યાપી ગયો. શિવાજી અપાર દોલત લઈને કિલ્લા ભેગા થઈ ગયા. રવાજી નામના સરદારે કહ્યું: ‘તમારી પાસે હથિયાર તો હતા જ નહિ.’       ‘આ રહ્યા ને ! ?’ મોગલોનાં લૂંટેલા હ્થિયાર બતાવતાં કહ્યું.      ‘આ તો પાછ્ળ થી આવ્યાં’      ‘મારી પાસે શ્રધ્ધા હતી ને? બાકીનાં શસ્ત્રો અચાનક ઉમેરાઈ ગયા.’ આત્મવિશ્વાસ તમામ આયુધોનું બળ તમારામાં લાવી મૂકે છે. આ માટે તમારે મન ને વારંવાર ટકોરવાનું રહે છે. એને સમજાવવાનું કે પોતાની જાતમાં શ્રધ્ધા કેળવ્યા વગર આપણો કોઈ આરો નથી’

મુંબઈ અને પૂના વચ્ચે રેલમાર્ગ બનાવવાનો હતો. આની પ્રાથમિક મોજણી નું કામ ભારતીય ઈજનેર ને સોંપવામાં આવ્યુ. અંગ્રેજ ઉપરી ને એણે બીજે દિવસે કહ્યું: ‘આ રેલ્વે નહિ થઈ શકે.’       ‘કેમ?’      ‘વચ્ચે અસંખ્ય ડુંગરા અને ખીણો આવે છે.’      ‘અંગ્રેજ ઇજનેરે જાતે આ કામ હાથમાં લીધું અને રેલ્વે બનાવી જ. આમાં એણે અંગ્રેજી પ્રજાનું ખમીર બતાવ્યું ને?

અપરાજયે અને આત્મવિશ્વાસે જ આ વિશ્વમાં બધી સિધ્ધીઓ સરળ બનાવી છે. જગતમાં કોઈ પણ માણસ જે પણ પ્રદેશમાં વિજય હાંસિલ કરે છે તે આવી શ્રધ્ધાને કારણે જ. આખી ને આખી પ્રજા વિજય પ્રાપ્ત કરે છે એ પણ આવા કારણે જ. સામે છેડે સર્વદા ઢીલાશમાં રહેતી પ્રજા માર ખાતી આવે છે.

‘વનસ્પતિ માં જીવ છે’ તે સાબિત કરવા માટે જગદીશચંદ્ર બોઝે પોતાનું જીવન હોડમાં મુક્યું હતું. એક સાથી વૈજ્ઞાનીકે કહ્યુઃ ‘આનો અર્થ શો?’      ‘આ સિધ્ધાંત જો શોધી શકાય તો આખા વિજ્ઞાન ને એક નવો વળાંક આપી શકાય’      ‘આ કામ અશક્ય છે.’       ‘માટેજ તે માટે મથવું જોઈએ.’ એ સફળ થયા. એમણે સાબિત કર્યું કે આત્મવિશ્વાસ અશક્ય ને પણા શક્ય બનાવે છે. જે એમને માટે બન્યું તે તમારા માટે કેમ ના બને? આજે તમારી સામે કોઈ અશક્ય વાત છે? જો તમને અનેક લોકોએ કહ્યું હોય કે તે બની શકે તેમ જ નથી, તો આનંદ પામજોઃ કારણકે, જગતની અશક્યતાઓમાં જ શક્યતાના બીજ રોપાયેલા હોય છે.

હેન્રી ફૉર્ડ કહેતોઃ ‘કોઈ જ્યારે એમ બોલે કે ‘એ અશક્ય છે’ ત્યારે હું ખાસ તપાસ કરતો કે બોલનારો શાને અશક્ય માને છે. હું આ વિષે તરત જ સંશોધન કરતો અને અશક્ય બાબત ને શક્ય કરીને જ જંપતો.’ તમારા અંગત જીવન પ્રત્યે પણ આ જ રવૈયો રાખજો. કશાનેય અશક્ય માનતા નહિ. આત્મવિશ્વાસીઓને ઓળખીને અવિચલ આત્મવિશ્વાસના એવા જ અજેય અનુસરનારા બનજો. ગમે તેવા વિરોધને પણ ગણનામાં લેતા નહિ.

ગુરુદેવ ટાગોર નાના હતા ત્યારે તેમના પિતાની સાથે હિમાલયમાં ગયેલા. ત્યાં એક વહેલી પરોઢે જાગી ગયા. પિતાજી ને બાજુમાં ન જોતાં તે ઝરુખામાં આવ્યા. એ ત્યાં આરામખુરશીમાં બેઠા હતા. રવિએ પુછ્યું:  ‘અહીં બેઠા છો?’       ‘હા બેટા!’      ‘તમને ડર નથી લાગતો?’      ‘ડર વળી શાનો?’      ‘અંધારાનો?’       ‘શા માટે લાગે? હું તો અંધકારનો પાલવ પકડીને આવી રહેલા પ્રકાશ તરફ જોઈ રહ્યો છું. આવા તેજભર્યા અંધકારનો ડર શી રીતે લાગે?’

ગમે તેવો અંધકાર ભલે હોય, તમેય તેના પાલવમાં રમતા પ્રકાશનું આરાધન કરજો. ગમે તેવી વિકટ પળોમાં પણ તમારા આત્મવિશ્વાસ ને ખોતાં નહી. શક્ય છે કે જે પળે તમને તુટી જવાનો ડર લાગતો હોય તે જ પળ નવસંધાનની હોય. આવા અણીના સમયે જ ટકી રહેવું અગત્યનું છે. કોઈ પણ સંજોગોમાં તમારે એટલી સહનશક્તિ તો કેળવવીજ જોઈએ. એવી એક પળને તમે સંભાળશો તો આગળની હજારો પળ તમને સંભાળી લેશે એમાં જરાય શંકા નથી.

સફળતા તમારો જન્મસિધ્ધ અધિકાર છે. પૂર્ણ સ્વતંત્રતા કદાચ શક્ય નથી, પરંતું સફળતા તો તમે માગો એટલી મળે. તમે એટલા સમજણશીલ છો જ કે દરેક વસ્તુની જેમ સફળતા ના મૂલ્યને ચૂકવવા તૈયાર પણ છો.

એક એવો વિરાટ વિશ્વાસ જગાડો તમારી અંદર કે જગતનો કોઈ વિરોધ તમારી સામે ટકી ન શકે. પછી તો સમગ્ર જગત તમારું જ છે!

સૌજન્ય -શ્રી પ્રેમલ શાહ,  સાહિત્ય સંચય બ્લોગ 

સફળતાનો મહામંત્ર – ડૉ. પ્રકાશ ગજ્જર

હકસ્લે નામનો એક મોટો ચિંતક.

એને એના ભત્રીજાએ પૂછ્યું : ‘સફળ થવા માટે આમ તો અનેક ગુણ જોઈએ. પણ કોઈ એવો ગુણ ખરો કે જેના વગર ચાલે જ નહીં ?’

‘છે, એવો એક ગુણ ચોક્કસ છે. મેં જેટલા નિષ્ફળ માણસોનો અભ્યાસ કર્યો છે એ બધામાં મને એક દુર્ગુણ ખાસ દેખાયો છે.’
‘દુર્ગુણ ? બહુ મોટી વાત થઈ ગઈ.’

‘હા, દુર્ગુણ જ. એ લોકોએ સમયસર કરવા જેવું કામ સમય પર નહોતું કર્યું. આનો અર્થ એ થયો કે શ્રેષ્ઠ ગુણ છે – જે તે ટાંકણે કામ પતાવવાની સજ્જતા; અણગમો હોય, મન ના તૈયાર થતું હોય તોય કામ પતાવવાની તૈયારી, લાગી જવાની તીવ્રતા.’

સરસ નિયમ આપ્યો છે એણે. સફળ થવા માટે વ્યક્તિએ આટલું તો કરવું જ રહ્યું :

(1) જે કામ કરવાનું હોય એ કરવું જ.

(2) જે કામ જે વખતે કરવાનું હોય એ જ વખતે કરવું.

(3) મન તૈયાર ના થતું હોય તો પણ કામ કરવું.

નિષ્ફળ માણસો સાથે વાત કરવામાં સમય ના બગાડાય. છતાં તમે કોઈ વખત ફસાઈ પડો ને તમારે એમની કરમકહાણી સાંભળવી પડે તો તમે નોંધ કરજો કે એ લોકો સંજોગોને, સાધનોને, બીજા લોકોને, ભાગ્યને અથવા તો એ બધાં પરિબળોને એકી સાથે દોષ આપવાના. પણ એ લોકો એ હકીકતનો સ્વીકાર નહીં કરે કે ખરા ટાંકણે પોતે કામ કર્યું નહોતું ને પછી નિષ્ફળ ગયા એટલે ફરિયાદ કરવા નીકળી પડ્યા હતા.

એક રીતે જોતાં સફળ થવાનું આટલું સરળ હોવા છતાં લોકો નિષ્ફળ જાય છે, એ જોઈ દયા આવે છે. જાણે એમણે હાથે કરીને નિષ્ફળ જવાનું પસંદ કર્યું હતું એવું લાગે છે.

સમયસર કામ ના કરવું એ નિષ્ફળતાનું મોટું કારણ. એ જ રીતે એ વિષે જ્ઞાન મળે તે પછી પણ જૂની આળસમાં રહેવું એ પણ મોટું કારણ. કાલ સુધી થયું એ થયું; અત્યારે જરૂર છે સાચી સમજને ઝીલવાની, અમલમાં મૂકવાની, અત્યારે જ ! એ માટે રાહ જોવાની કોઈ જ આવશ્યકતા નથી.

કામે લાગો; મન ના પાડતું હોય તો પણ. હાથ ઉપર જે કામ હોય એ નિપટાવવા લાગો. સફળતાને તમારી પાસે આવવું જ પડશે. આજ નહીં તો કાલે !…પરમ દિવસ… ક્યારેક એ સફળતાને તમારે આંગણે આવવું જ પડશે.

ડો. પ્રકાશ ગજ્જર 

( 797 ) ચિંતાને રામ રામ…… એક પ્રેરક લેખ …લેખક ડો. પ્રકાશ ગજ્જર

નેટ વિશ્વમાં બ્લોગ અને ફેસબુક એક એવું માધ્યમ છે કે જેનાથી સરખો રસ ધરાવતા ઘણા નવા મિત્રો આવી મળે છે,એમની સાથે વધુ પરિચય  થાય છે અને જુના ભુલાઈ ગયેલા મિત્રોનો પણ મેળાપ અનાયાસે થઇ જાય છે .

ફેસ બુકના માધ્યમથી આવા મારા હાઈસ્કુલ દિવસોના એક સહ અધ્યાયી મિત્ર ડો. પ્રકાશ ગજ્જરનો પરિચય ફરી તાજો થતાં મને ખુબ આનંદ થયો.

૧૯૪૯-૧૯૫૫ દરમ્યાન નૈસર્ગિક સમૃદ્ધિ સભર ૫૦ એકરના વિશાળ પરિસરમાં આવેલી કડીની જાણીતી સંસ્થા સર્વ વિદ્યાલય હાઈસ્કુલ અને એને અડીને આવેલ વિદ્યાર્થી આશ્રમમાં રહીને મેં એસ.એસ.સી ની પરીક્ષા પાસ કરી હતી.એ વખતે ડો. પ્રકાશ ગજ્જર પણ ત્યાં રહી અભ્યાસ કરતા હતા. આ સંસ્થાના આચાર્ય સ્વ. નાથાભાઈ દેસાઈ અને ગુજરાતીના શિક્ષક અને જાણીતા લેખક શ્રી મોહનલાલ પટેલ જેવા આદર્શ શિક્ષકોએ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અણઘડ વિદ્યાર્થીઓને બાહ્ય દુનિયાનો પરિચય કરાવી એમનામાં સંસ્કાર સિંચવાનું જીવન શિલ્પી તરીકેનું કામ કર્યું હતું એની યાદ તાજી થાય છે.

Dr.Prakash Gujjar

 Dr.Prakash Gujjar

“આપણી પાસે શું છે ને આપણે કેટલું કમાયા એ સુખની પારાશીશી છે જ નહી, આપણે શામાંથી આનંદ મેળવી શકીએ છીએ એ જ સુખનો સાચો માપદંડ છે.”-ડો. પ્રકાશ ગજ્જર

સાહિત્યકાર અને લેખક શ્રી મોહનલાલ પટેલ મારા ગુજરાતી ભાષાના વાંચન અને લેખન માટે પ્રેરણા મૂર્તિ હતા અને હજુ પણ છે.એમના માર્ગદર્શનથી  ડો. પ્રકાશ ગજ્જર ,સ્વ.ભોળાભાઈ પટેલ, ભગવત સુથાર  જેવા બીજા ઘણા લેખકો ગુજરાતી સાહિત્યને મળ્યા છે.

ડો. પ્રકાશ ગજ્જરે નેપોલિયન હિલની જેમ મુખ્યત્વે પ્રેરણાદાયી-મોટીવેશનલ – સાહિત્યનું સર્જન  કર્યું છે. એમના લેખો ઘણા મેગેજીનોમાં અને બ્લોગોમાં પ્રકાશિત થતા રહે છે .

આજની પોસ્ટમાં ડો.પ્રકાશ ગજજરના આભાર સાથે એમનો એક પ્રેરણાત્મક લેખ“ચિંતાને રામ રામ” પોસ્ટ કરું છે જેના પરથી જ એમના સાહિત્યનો અને એમનો લેખક તરીકેનો પરિચય વાચકોને મળી રહેશે.

હવે પછીની પોસ્ટમાં ડો. પ્રકાશ ગજ્જરનો એક આવો જ એક બીજો પ્રેરણાદાયી લેખ “વિરાટ વિશ્વાસ …” ને પણ જરૂર  વાંચશો .

વિનોદ પટેલ 

ચિંતાને રામ રામ – ડો. પ્રકાશ ગજ્જર

અઘોર અંધારે, તારલાનાં તેજ

વિશ્વવિખ્યાત સૂફી સંત, ફારસી કવિ અને મહાજ્ઞાની ફિલસૂફ શેખ સાદી એકવાર એક મસ્જિદ તરફ જઈ રહ્યા હતા. ખરા બપોર. આગે ધધકતો રસ્તો. સાદીના પગમાં પગરખાં નહીં. એમને બહુ દુ:ખ થયું. ચિન્તા પણ થઈ કે આખો ઉનાળો શી રીતે જશે. એમણે જગતના સર્જનહારને ફરિયાદ પણ કરી કે એની પાસે મબલખ ખજાના હોવા છતાં પોતાને પગરખાંથી વંચિત રહેવું પડ્યું. એમનું દિલ વેદનાથી ભરાઈ ગયું. જેમતેમ કરીને એ મસ્જિદના ઓટલે પહોંચ્યા ત્યાં જ કપાયેલા પગવાળા એક ભિખારી તરફ નજર ગઈ. એ બિચારો જેમ તેમ કરીને શરીર ઘસડતો આટલા તાપમાં ધીમે ધીમે આગળ જતો હતો. આ જોઈ સાદીને દયા આવી ગઈ. એ સાથે દિલ ખુદાને નમી પડ્યું. એમણે આભાર માન્યો ખુદાનો કે પગરખાં ભલે ના આપ્યાં, પગ તો સલામત હતા !

જ્યારે પણ જીવનમાં કશાક અભાવનો અનુભવ થાય અને આ કે તે ચિન્તા સતાવવા માંડે ત્યારે ‘શું નથી’ એના વિષે વિચાર કરવાને બદલે તમારી પાસે શું શું છે એનો વિચાર કરવા માંડજો. થોડા જ સમયમાં તમારી ચિન્તા અને વિષાદ ક્યાંય ઓગળી જશે. મિત્રના જેવા પેલા ચારસો રૂપિયાના ગોગલ્સ ના લાવી શકાય એનું દુ:ખ કરવાને બદલે અબજો રૂપિયાની આંખો સલામત છે એનો આનંદ શા માટે ના માણવો ?

ને ચશ્મા બદલવા જ હોય તો પહેલાં મનના ચશ્મા બદલવાનો આગ્રહ રાખવો જોઈએ. જિંદગી અને જગતને ગુલાબી અને હરિયાળાં જોવાં હોય તો એવા પ્રકારના વિચાર આપણે પાથરી દેવા જોઈએ. જેને ચિન્તાનાં વાદળાં જ જોવાં છે એ ભલે કાળા પડદા પાડીને જીવે. પણ આપણે તો ઉજાસના આરાધક બનવું છે, સૂરજના સાથીદાર થવામાં આપણને રસ છે, જિંદગીને જોબનવંતી બનાવવાની આપણી રુચિ છે.

દષ્ટિ બદલાતાંની સાથે જ તમને સમજાશે કે તમારું જીવન બદલાવા લાગ્યું છે. પછી કાળાં ડિબાંગ વાદળના એક ખૂણે ઝમતી તેજની ટશર તમને તરત જ દેખાશે. પછી અમાસની રાતના અંધકારની ફરિયાદ કરવાને બદલે તમે ઔર ઝગમગતા બનેલા તારલાનાં તેજને માણી શકશો. જે દિવસે માણસને સમજાઈ જાય છે કે પોતે જ પોતાના સુખના સૂરજને ઢાંક્યો છે ને પોતે જ ચિન્તાના અંધકારને ઊભો કરવા માટે જવાબદાર છે, એ દિવસ એના માટે નવા જન્મનો મંગલ પ્રારંભ બની શકે છે. એ ધન્ય પળે એને સમજાય છે પોતાના હાથમાં – અને મનમાં – કેટલી વિરાટ શક્તિઓ મૂકવામાં આવી છે.

જીવનપથના પ્રવાસી મિત્ર ! તમારે ચિન્તાના અંધકારમાં અટવાવાનું નથી. નિશ્ચિંતતા, શાન્તિ અને સુખના સૂરજ ઉપર તમારે વાદળના પરદા પાડી રાખવાના નથી. તમારા જીવનને અશાંતિની ખાઈઓમાં ભટકતું રાખવાની કોઈ જરૂર નથી. તમારા મનના વલણને બદલો. તમારી વિચારધારામાં માંગલ્યને સ્થાન આપો. મંગળ ભાવનાઓમાં એવા રસબસ થઈ જાઓ કે ચિન્તાઓ શરમાઈ જાય ને આખું વિશ્વ તમને પરમ મંગલમય, આનંદમય લાગવા માંડે. આજ એવા અંદરના પુરુષાર્થનો આરંભ કરો. તમારા જીવનમાં એક નવી જ રોશની છલકાઈ જશે.

અસીમ સહારો

સમાજસેવાની પ્રવૃત્તિમાં આખું જીવન ગાળી નાખનારાં એક બહેને એમનાં પચાસ સેવામય વર્ષોમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી. મેં એનું રહસ્ય પૂછતાં એમણે ભીંત ઉપર ટાંગેલી એક ફ્રેમ તરફ આંગળી ચીંધી. એમાં સોનેરી અક્ષરે લખ્યું હતું : ‘કદાચ હું મારા એકલા હાથે કાંઈ ના કરી શકું, પણ મારી સાથેના પરમેશ્વરને કારણે મારાથી બધું જ શક્ય બને છે.’

‘ગજબનું વાક્ય છે.’ મેં કહ્યું.

‘હા મારી તમામ સફળતાઓનું રહસ્ય એમાં છૂપાયેલું છે. હું એકવાર આ વાક્યનું મનન કરું ને તરત જ પ્રાર્થના કરું કે ‘હે ભગવાન, મને મદદ કર.’ પ્રાર્થના અને સમર્પણભાવના વણાટ વડે મારી અંદર એવી પ્રચંડ શક્તિ જાગી છે કે ગમે એવી મોટી કામગીરી હાથમાં લેતાં મને જરાય ખચકાટ નથી થતો.’
‘તમને ક્યારેય ચિન્તા થાય છે ?’
‘ચિન્તા શાની થાય ? ‘ઈશ્વર મારી સાથે જ છે’ એ મહાસત્યનું ગુંજન પણ હું વચ્ચે વચ્ચે કરી લઉં છું. એ મહાસૂર્યની સામે ચિન્તાનું બિચારીનું ગજુ શું ?’

દુનિયામાં ભાગ્યે જ કોઈ માણસ એવો હશે જેને આ યુક્તિ ઉપયોગી ના થઈ શકે. મનમાં બરાબર સ્પષ્ટતા થાય એટલા માટે આ ત્રણ સૂત્રોને અહીં ગોઠવું છું.

[1] મારી સાથેના પરમેશ્વરને કારણે મારાથી બધું જ શક્ય બને છે.
[2] ‘હે ઈશ્વર, મને મદદ કર.’
[3] ઈશ્વર મારી સાથે જ છે.

જીવનના આકાશમાં કોઈ ચિન્તાવાદળી ઊભી થવા માંડે કે તરત જ આ સોહામણાં સત્યોનું ગુંજન કરવા માંડજો. એક અજબ તાકાત ઊભી થશે તમારી અંદર. એક આ પ્રાર્થના પણ જુઓ :

‘હે પરમ શક્તિમય ! આ પળનાં વંદન. ભોજન, વસ્ત્ર, નિવાસ, સ્વજનો, વ્યવસાય અને જીવનવિકાસની જે કોઈ તકો તમે અમને આપી છે એ માટે સાચા હૃદયથી તમારો આભાર માનીએ છીએ. એક નાનો પ્રશ્ન ઊભો થયો છે. એનો ઉકેલ મેળવવા માટે આ પ્રાર્થના કરી છે. અમારી ગમે એવી સમસ્યા પણ તમારી વિરાટ શક્તિ માટે તો સાવ નાની છે. હે સર્વશક્તિમાન, તમે એનો ઉકેલ લાવી જ નાખ્યો છે એમ સમજી અમે અગાઉથી જ તમારો આભાર માનીએ છીએ.’

પૂરી શ્રદ્ધાથી આ પ્રાર્થના કરવાથી તમને ગજબનું બળ મળશે. મારા માટે તો એણે એક હોટલાઈન ટેલીફોનનું જ કામ કર્યું છે. જ્યારે પણ મેં આ પ્રાર્થના કરી ત્યારે જવાબ મળ્યો જ છે. એમાં એટલું બધું પામવાનું બન્યું છે કે કોઈ જ સમસ્યા ના હોય ત્યારે પણ માત્ર જીવનવિકાસને નજર સામે રાખીને આ પ્રાર્થના કરી છે ને ખૂબ શાન્તિનો અનુભવ પ્રાપ્ત થયો છે.

ગુરુદેવ ટાગોરે સુંદર પ્રાર્થનાઓનું આલેખન કર્યું છે.

એમાં મને આ પ્રાર્થના વધારેમાં વધારે ગમી છે :

‘હે પરમ ! તારો સાગર વિરાટ છે ને મારી નાવડી નાની છે.’

આમાં ઈશ્વરની અગાધતા અને આપણી લધુતાના સ્વીકાર સાથે આપણી નાવને પાર ઉતારવાની વિનંતી પણ આપોઆપ સમાઈ જાય છે.

બીજી કોઈ જ સમજ ના પડે ત્યારે ‘હે ભગવાન, મને પ્રાર્થના કરતાં શીખવ’ એ પણ ઉત્તમ પ્રાર્થના બની શકે. મૂળ મુદ્દો છે ઈશ્વરીય શક્તિ વિષે સભાન બનવાનો. ચિન્તાના જ વિચારોમાં રમમાણ રહેવાને બદલે ઈશ્વરીય શક્તિનો વિચાર કરવાથી બંધ ઓરડામાંથી તાજી હવામાં પહોંચી ગયાનો અનુભવ થાય છે. ચિન્તા એ અંધારા ભંડકિયાની આસનકેદ છે. જ્યારે પ્રાર્થના એ સાતમામાળની અગાસીનો મુક્તવિહાર છે. પ્રાર્થના નવી ચેતના અને નવી શક્તિ જગાડનાર પાવન પ્રક્રિયા છે. બસ, એના ઉપયોગની જરૂર છે !

સાભાર–ડો. પ્રકાશ ગજ્જર 

( 796 ) આજનું શિક્ષણ…કાવ્ય …. શ્રી કૃષ્ણ દવે /કારકિર્દીનાં કારખાનાં ….ચિંતન લેખ ….. લેખક – ડૉ. પંકજ જોશી

આજની ઈ-મેલ માં મિત્ર શ્રી પી.કે.દાવડા એ જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવેનું “આજનું શિક્ષણ ” એ નામની સુંદર કાવ્ય રચના મોકલી છે. શ્રી દાવડા અને કવી શ્રી કૃષ્ણ દવેના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.

પ્રસ્તુત કાવ્યમાં કવીએ સરસ રૂપકો યોજીને આજે બાળકોને અપાઈ રહેલ શિક્ષણ પદ્ધતિની ખામીઓ પ્રત્યે આપણું ધ્યાન દોર્યું છે.

આજનું શિક્ષણ

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે

પતંગિયાઓને પણ કહી દો સાથે દફ્તર લાવે

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું

સ્વીમિંગ પૂલના સઘળા નિયમોનું પાલન કરવાનું

દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું

લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે

કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે

અમથુ કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું

ડોનેશનમાં આખ્ખે આખ્ખું ચોમાસું લેવાનું

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો

‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે છે ભૂલો

-કૃષ્ણ દવે

કાવ્યના જ વિષયની પૂર્તિ કરતો ડૉ. પંકજ જોશીનો રીડગુજરાતી માં November 27th, 2012 ના રોજ પ્રગટ લેખ નેટ જગતનાં ઊંડાં અભ્યાસી અને ખુબ જાણીતાં મારાં બીજાં મિત્ર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસે ઈ-મેલમાં વાંચવા માટે મોકલ્યો હતો .

આ લેખના લેખક ડૉ. પંકજ જોશી અને લેખ મોકલવા બદલ બદલ સુ.શ્રી પ્રજ્ઞાબેનના આભાર સાથે આજની શિક્ષણ પ્રથા અંગે આપણને વિચારતા કરી મુકે એવો ચિંતન લેખ નીચે પ્રસ્તુત છે.

કારકિર્દીના કારખાનાં – ડૉ. પંકજ જોશી

[ ભારતના મુખ્ય વૈજ્ઞાનિકોમાંના એક એવા શ્રી પંકજભાઈના નામ તેમજ તેમના લેખનથી આપણે સૌ પરિચિત છીએ. તેઓએ આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત ઉપર પી.એચ.ડી. પ્રાપ્ત કરી છે. હાલ તેઓ મુંબઈની ‘ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ’ ખાતે પ્રોફેસર તરીકે સંશોધનકાર્ય કરી રહ્યાં છે. તારાઓના ગુરુત્વીય ભંગાણ અને વિલય વિશેની એમની ફાયરબોલ થિયરીની આંતરરાષ્ટ્રીય ધોરણે નોંધ લેવાઈ છે. ગુજરાતી ભાષા અને યુવાશિક્ષણ વિશે તેઓ સતત ચિંતિત રહે છે. તેમના પ્રસ્તુત લેખમાં પણ કારકિર્દીની રેસમાં જીવનનો આનંદ ખોઈ નાખતાં યુવાનો પ્રતિ ચિંતા વ્યક્ત થાય છે. આપ તેમનો આ સરનામે psjcosmos@gmail.com સંપર્ક કરી શકો છો.]

એક મિત્રનો દીકરો ચૌદ-પંદર વરસનો છે. દસમાની પરીક્ષા હમણાં જ આપી. સવારે સાડા-સાતે શાળા શરૂ થાય. બપોરે અઢી વાગે પાછો આવે. પછી સાડા-ત્રણે ક્લાસમાં જવાનું. અત્યારથી આઈ.આઈ.ટી.ની તૈયારી શરૂ. કોચિંગ ક્લાસમાંથી રાત્રે સાડા-આઠે પાછો આવે. પછી જમી લેવાનું અને રાત્રે સાડા-નવે બધું ક્લાસનું અને શાળાનું હોમ-વર્ક કરવા બેસી જવાનું. તે એ બધું રાત્રે એક વાગ્યા સુધી ચાલે. ત્યારે એ સમયે સુવે અને ફરી સવારે સાડા-છ વાગે ઉઠીને જેમ તેમ નાસ્તો કરી નિશાળે ભાગતો થાય !

તેના મમ્મી-પપ્પાને મેં પૂછ્યું કે તેને આ બધું અને આટલી મજૂરી ફાવે છે અને ગમે છે ? આટલી નાની ઉંમરમાં આટલું યંત્રવત જીવન, વરસના બાર મહિના આ જ રીતે ? અને બાળકના મન પર તેની શી અસર થાય ? ત્યારે તેઓ કહે કે એ તો બધું કરવું જ પડે, તેમાં કંઈ ચાલે જ નહી ! આમાં ગમવા-ન ગમવાની વાત જ ક્યાં આવે ? એન્જિનિયર થવું હોય, કારકિર્દી બનાવવી હોય તો અત્યારે તો આ જ રસ્તો છે, આમ જ કરવું પડે ! અમારે તો જરા મોડું થઈ ગયું, નહીં તો આઈ.આઈ.ટી.ના ક્લાસ તો આઠમા-નવમા ધોરણથી જ શરૂ થઈ જાય છે, ત્યારે જ શરૂ કરી દેવાના હોય ને ! મેં કહ્યું કે આમાં તેના શોખ, રસના વિષયો, આ બધાનું શું ? તેઓ કહે, તેનું કંઇ નહી. કેરિયર તો બનાવવી પડશે ને ? અને તે માટે તો આ સિવાય ચાલે જ નહીં, પછી ગમે કે ન ગમે ! અત્યારે તો છોકરાઓને રાત-દી મહેનત કરવી પડે તેવું છે !

મને તરત એક જ વિચાર આવ્યો કે આપણા દેશમાં બાળ-મજૂરીની વાતો તો ઘણી થાય છે. તો આ પણ અઢાર-વીસ કલાકની બાળ મજૂરી નથી તો શું છે ? અને સુખી-સદ્ધર માતા-પિતાઓ હોંશે હોંશે પોતાના બાળકોને આવા બધા કેળવણીના કારખાનાઓમાં ખુશીથી ધકેલી દે છે ! તેમાં બાળકને સફળતા મળી તો રાજીના રેડ અને ગામ ગજવશે અને નિષ્ફળતા મળી તો જાણે દુનિયા ડૂબી ગઈ તેવો શોક અને ખરખરો કરશે ! આમાંથી પરિણામ શું આવે છે ? છોકરા હોંશિયાર અને મહેનતુ હોય તો કંઈ ને કંઈ કરી તો લે છે, પરંતુ તેઓ અતિ યંત્રવત બનતા જાય છે. તેમનામાં એક પ્રકારની લાગણી શૂન્યતા જન્મવા લાગે છે અને તેઓ જડ જેવા બનતા જાય છે. કેરિયર અને કારકિર્દીને નામે તેમના પર જે એક પ્રકારનો બળાત્કાર વર્ષો સુધી થયા કરે છે તેના પરિણામે દુનિયાને જોવાની તેમની દ્રષ્ટિ જ બદલાઈ જાય છે. આમાં મૂળ કામ બાળકની સર્જનાત્મકતાનો નાશ થવાનું જ થાય છે અને છેવટે શાળાઓ, માતા-પિતા અને બાળકની લાગણીશૂન્યતા… આ જ સરવાળો નીકળે છે.

મહેનત કરવાની, ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની કે કારકિર્દીઓ બનાવવાની ના નથી અને તેમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ તે આવી અને આટલી હઠ કરીને જોર-જુલમથી ન થવું જોઈએ, જે માતા-પિતાઓ અને શાળાઓ આજે કરે છે. કેવળ સહજતા, સમજણ અને રસપૂર્વક બાળક પ્રેરાવું જોઈએ, પોતે જે કંઇ કરે તેમાં. કદાચ સાચી કેળવણીનું હાર્દ એમાં જ છે. વાસ્તવમાં શાળાઓનું તો કાર્ય જ આ છે અને બાળકનો સહજ વિકાસ તેનું નામ જ સાચી કેળવણી છે. પણ આજે તો આપણી મોટાભાગની શાળાઓ કેળવણી આપનાર સંસ્થાઓ નહીં પણ કારકિર્દીના કારખાનાંઓ બની ચુકી છે ! કવિ કૃષ્ણ દવેએ લખ્યું છે, ‘આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.’ જો શક્ય હોય તો આપણી આધુનિક શાળાઓના ‘મેનેજમેન્ટ’ શિસ્તને નામે આ પણ કરે તેવી આજે પરિસ્થિતિ છે.

આ બધામાં મૂળ વૈજ્ઞાનિક વાત સમજવાની છે તે એ છે કે માતા-પિતાનો કે સમાજનો મૂળ ઉદ્દેશ્ય શું છે ? છેવટે તો પોતાનું બાળક તેના જીવનમાં સુખી થાય, તેના જીવનમાં આનંદ પ્રગટે, તે શરીર અને મનથી એક અતિ આરોગ્યપૂર્ણ, સ્વસ્થ અને વિકાસશીલ જીવન જીવે… આ જ આપણે ઇચ્છીએ છીએ ને ? પણ જે પ્રકારનો અત્યાચાર આજે કેળવણી અને કારકિર્દીને નામે આજે બાળક પર થાય છે તેમાં એની સ્વસ્થ મનોભૂમિકાનો તો કેવળ નાશ જ થઇ જાય છે. છેવટે પેદા થાય છે તે તો એક યંત્રવત અને જડ વ્યક્તિત્વ, જેમાં સુખ પાંગરવાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય ? આને કારણે જ આજે બાળકોમાં પણ અનેક માનસિક વિકૃતિઓ અને આપઘાતોનું પ્રમાણ વધતું ચાલ્યું છે અને અન્ય અનેક વિચાર વમળોમાં પણ બાળકો ફસાય છે. આ બધી કહેવાતી આધુનિક વિચારધારા તથા વિકાસની બલિહારી છે. આઈ.આઈ.ટી.ના વિદ્યાર્થીઓમાં અને આવી બીજી સંસ્થાઓમાં પણ અનેકવાર વિદ્યાર્થીઓ ભારે માનસિક તાણનો ભોગ બનતા હોય છે. આ બધાનું મૂળ કારણ આપણા કેવળ ખોટા અગ્રતાક્રમો જ છે. આવા બાળકો પછી ગેરમાર્ગે દોરાય છે, આપઘાતો કરે છે અથવા મોટા થાય ત્યારે જડ રોબોટ જેવા બની જાય છે.

કેટલાક સમય પહેલાં મુંબઈમાં અને અન્યત્ર ઉપરા-ઉપરી અનેક વિદ્યાર્થીઓના આપઘાતોના કિસ્સાઓ બન્યા હતાં તે ઘણાને યાદ હશે. કમનસીબી એ છે કે આપણે કાયમી ઉપાય કરવાને બદલે આ બધું બહુ જલદીથી ભૂલી જઈએ છીએ. આ બધી આત્મહત્યાઓ ભણવાના અને પરીક્ષાઓને લગતા પ્રશ્નો અને તાણમાંથી જ પેદા થઈ હતી અને આજે પણ થતી રહે છે. આ નવ યુવાનો કેવી કારમી મનોવ્યથામાંથી પસાર થતા હશે તેની કલ્પના તો કરી જુઓ ! પરંતુ આજે તો આપણને આપણા ‘વ્યસ્ત’ જીવનમાંથી એ વિશે વિચારવાનો પણ સમય નથી ! ખરેખર તો કરવા જેવું એક કામ એ છે કે એક રવિવારે નિરાંત હોય ત્યારે શાંતિથી એક ઓરડામાં બારણાં બંધ કરીને પંદર મિનીટ બેસી જાઓ અને તમારા બાળકના અંતરમાં પ્રવેશ કરવાનો, તેની માનસિકતા સમજવાનો પ્રયત્ન અને વિચાર કરો. એ સમયે બીજો કોઈ વિચાર કે બીજી વાત ન જોઈએ. અને તમને તેમાંથી બાળકની ઘોર માનસિક તાણ તરત સમજાશે.

મૂળ વાત એ થઈ છે કે આજે આપણા સમાજ પાસે સાચી સફળતા એટલે શું તે વિચારવા-સમજવાની પૈસા સિવાય કોઈ અન્ય દ્રષ્ટિ જ રહી નથી. બાળકને આપણે જીવન માટે તૈયાર કરવું છે કે કેવળ પૈસા કમાવાનું મશીન બનાવવું છે ? અહીં જે. આર. ડી. ટાટાની એક વાત યાદ કરવા જેવી છે. આપણો દેશ ‘સુપર પાવર’ બની જાય તેવી વાત જયારે થાય ત્યારે તેઓ કહેતા, ‘મારો ભારત દેશ સુખી બને એ મારે જોઈએ છીએ, સુપર પાવર બને તે નહી !’

અલબત્ત, અહીં સ્વાભાવિક પ્રશ્ન તમે એ જ કરશો કે આ બધામાં તે વળી ઉપાય શું અને આમાં તે સુધારો કેમ કરીને થાય ? આભ ફાટ્યું ત્યાં થીગડું કેમ દેવું ? પણ અહીં નિરાશાજનક અભિગમ અપનાવવાની જરૂર નથી. એકવાર વાસ્તવિક પરિસ્થિતિ સાચી રીતે સમજીને વિચાર કરવાનું શરૂ કરીએ એટલે પરિવર્તન અવશ્ય શરૂ થાય જ છે. એટલે સહુથી પહેલું કામ વિચાર કરવાની શરૂઆત કરવાનું છે.

સૌજન્ય- રીડ ગુજરાતી.કોમ 

વાચક મિત્રો , 

. લેખકના વિચારો સાથે આપ સંમત છો ? 

. શું આજનું શિક્ષણ કેળવણીની કેડી ભૂલીને કેવળ ધંધો બની ગયું છે ?

. આપ શું માનો છો ?આપના વિચારો પ્રતિભાવ પેટીમાં લખવા ઈજન છે. 

  • વિનોદ પટેલ

( 795 ) આયર્લેન્ડનો ગણેશ પાર્ક અને એના નિર્માતા વિક્ટર લેંગહેડ (Victor Langheld)ની રસસ્પદ કહાની

Ganesh Park- murtio

(These are some of the image sculptures located in Ganesh park in Raundvudas,Ireland.)

ગણેશ પાર્ક અને એ પણ દુર આયર્લેન્ડમાં ! આ માન્યામાં ના આવે એવી નવાઈની વાત લાગે છે પરંતુ એ એક આજે નજરે જોઈ શકાય એવી હકીકત છે.

ચાલો આપણે આયર્લેન્ડ(Republic of Ireland )ના રાઉન્ડવુડ પરગણામાં આવેલ આ ગણેશ પાર્ક વિષે અને એના નિર્માતા વિક્ટર લેંગહેડ (Victor Langheld) વિષે વધુ વિગતે જાણીએ.

આયર્લેન્ડમાં, રાઉન્ડવુડ ખાતે આવેલો પ્રવાસીઓના આકર્ષણના કેન્દ્ર સમો આ આ ગણેશ પાર્ક ૨૨ એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે.આ પાર્કમાં ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કરતી બીજી સ્થાપત્ય મૂર્તિઓ ઉપરાંત ગણપતિ-ગણેશની ૯ આકર્ષક મૂર્તિઓ પણ મુકેલી છે.આ બધી મૂર્તિઓ બ્લેક ગ્રેનાઈટ પથ્થરની બનેલી છે.કેટલીક મૂર્તિઓ નૃત્ય કરતી,પુસ્તક વાંચતી, સંગીતનાં વાજિંત્રો વગાડતી ત્યાં જોવા મળે છે.

Ganesh Sculpture reading Book- Meditation !

 Ganesh Sculpture reading Book- Meditation !

આ પાર્કમાં મુકવામાં આવેલી સ્થાપત્ય કળાના નમુનારૂપ  મૂર્તિઓનો અદભૂત નજારો ગુગલ.કોમ ની આ લીંક પર ક્લિક કરીને જોઈ શકાશે.

ગણેશની આ  મૂર્તિઓ ભારતમાં તામિલનાડુમાં બનાવવામાં આવી છે.પાંચ કારીગરોએ એક મૂર્તિ પર કામ કરી એક વરસે એક મૂર્તિ બનાવી છે. એ રીતે ગણેશની નવ મૂર્તિઓ બનાવતાં નવ વર્ષનો સમય લાગ્યો હતો !

સ્થાપત્યના નમુના રૂપ આ નવ મૂર્તિઓનું વજન ૨ થી ૫ ટન વચ્ચે અને એની ઊંચાઈ – સાઈઝ ૫ ફૂટ ૬ ઇંચ થી ૯ ફૂટ વચ્ચેની છે. ભારતથી આયર્લેન્ડ આ મૂર્તિઓને દરિયાને રસ્તે વહાણમાં લાવવા માટે થોડા ટન વજન માટે ખુબ ખર્ચ કરવો પડે છે તો ભારતમાંથી આટલી બધી વજનદાર મૂર્તિઓને આયર્લેન્ડ પહોંચાડવા માટે કેટલો ખર્ચ કરવો પડ્યો હશે એ કલ્પી શકાય એમ છે.

ગણેશની આ મૂર્તિઓની કલ્પના કરનાર , તામીલનાડુમાં પ્રખ્યાત શિલ્પકારો પાસે એના વિચાર પ્રમાણે તૈયાર કરાવનાર અને એ સ્થાપત્ય મૂર્તિઓને આયર્લેન્ડ લઇ આવનાર ભારતીય સંસ્કૃતિના ગજબના પ્રેમી ભારત પ્રવાસી વિક્ટર (Victor Langheld)ને સલામ.

(Creator of Ganesh Park -Victor Langheld)

(Creator of Ganesh Park –               Victor Langheld)

વિક્ટર નો જન્મ ૧૯૪૦માં જર્મનીમાં જર્મન-જ્યુઈસ માતા-પિતાને ત્યાં થયો હતો.

વિકટર એની ૧૪ વર્ષની ઉમરથી જ ભારતમાં જઈને સાધુ બનીને બાકીની જિંદગી ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરી મોક્ષ મેળવવાનો માર્ગ અપનાવવાના આશયથી ભારત જઈને વસવાનો વિચાર કર્યા કરતો હતો.પચીસ વર્ષની યુવાન વયે એના આ વિચારને અમલમાં મુકીને એ ભારત આવી ગયો હતો .

ત્યારબાદ ભારતમાં એને બીજાં ૨૫ વર્ષ સાધુ બની ભારતમાં પરિભ્રમણ કર્યું .ભારતની સંસ્કૃતિ,વેદ, ઉપનિષદ ,બુદ્ધ સંસ્કૃતિ , યોગ વિગેરે વિષયોનો ઊંડો અભ્યાસ કર્યો.પાંડીચેરીમાં આવેલ અરવિંદ આશ્રમમાં જઇને થોડો સમય ત્યાં સાધનામાં વિતાવ્યો.ત્યારબાદ વિક્ટર ભારતમાં ખુબ ફર્યો અને બીજા ઘણા જાણીતા ગુરુઓના આશ્રમોમાં જઇને રહ્યો.દુર પૂર્વના દેશોની પણ એણે મુલાકાત લીધી .

વિક્ટર ઘણા વરસો સુધી ભારતમાં રહ્યો એ દરમ્યાન એ ભારત અને વૈદિક સંસ્કૃતિ ના પ્રેમમાં પડી ગયો હતો. ખાસ કરીને અન્ય દેવ-દેવીઓ કરતાં ભગવાન ગણેશ પ્રત્યે એને ખુબ ભક્તિ ભાવ જાગ્યો હતો .આ ગણેશ ભક્તિએ એને આયર્લેન્ડમાં જઈને ગણેશ પાર્ક ઉભો કરવા માટે પ્રેર્યો.

વિક્ટરના આ વિચાર અને પ્રેરણાનું મૂર્ત સ્વરૂપ એટલે આજનો પ્રવાસી આકર્ષણ ધરાવતો આયર્લેન્ડનો પ્રખ્યાત ગણેશ પાર્ક .

લંડનમાં રહેતા એક એન.આર.આઈ. શ્રી મનોહર રાખે (Manohar V. Rakhe) મૂળ મહારાષ્ટ્રના વતની છે .તેઓનું કુટુંબ લન્ડનમાં ઘણા વરસોથી રહે છે અને ગણેશ પ્રત્યે ઊંડો ભક્તિભાવ ધરાવે છે.

શ્રી મનોહર રાખેએ આયર્લેન્ડમાં આવેલ ગણેશ પાર્કની યાત્રા કરી અને એના સ્થાપક વિક્ટરની રૂબરૂ મુલાકાત લીધી હતી .ત્યારબાદ એમણે લખેલ પ્રવાસ વર્ણન અને વિક્ટર વિશેની રસસ્પદ માહિતી આપતો અંગ્રેજી લેખ નીચેની લીંક પર વાંચવા મળશે.

Pilgrim Journey of Ireland’s Ganesh Park 

Also,see this video of Ganesh park in Ireland

Indian Sculpture Park, Raundvudas,

Wicklow, Ireland…

Victor has this to say about his magical garden….

This park is for people who, at around age 30, are beginning to wake up. Oscar Wilde said that ‘Youth is wasted on the young’. It’s the same idea. At 30 people begin to realise ‘Hey, there’s more to life than pubs and booze’ and they go through a crisis.

“Jesus was 30, the Buddha was 30; all these guys were around that and in order to become themselves truly they had to break themselves up, start over again. And that brings huge internal psychological problems with it. And these sculptures show some of these stages.”

The stages portrayed by the seven main sculptures of Victoria’s Way are: Birth (waking up), Separation (letting go of the given), Crash (return to start-up), Focusing (selecting the problem), Enlightenment (problem solving), Creation (solution application) and Death (sustaining a redundant solution).

I have done my bit. Now whether people see it or not depends on context. It could very well be that everything I have done is rubbish – a risk for an artist. It could also be that I’m way ahead of my time. My job is to produce the best of what I can, put it into the public domain and leave it there. The rest is not up to me.”