વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 10, 2015

( 806 ) કબજિયાતથી કેન્સર સુધીનાે ઈલાજ કુદરતી ઉપચારથી…શ્રી મુકેશ પટેલ

સુરતવાસી સહૃદયી મિત્ર અને સંડે-ઈ-મહેફિલ બ્લોગના બ્લોગર શ્રી ઉત્તમભાઈ ગજ્જર અવાર નવાર ઈ-મેલમાં એમને ગમેલો કોઈ લેખ મને વાંચવા માટે મોકલી આપે છે.

આજની ઈ-મેલમાં એમણે શ્રી મુકેશ પટેલનો કુદરતી ઉપચાર વિશેનો લેખ મને મોકલ્યો જે આરોગ્ય જાળવવા માટે ખુબ ઉપયોગી હોઈ એમના આભાર સાથે આજની પોસ્ટમાં વિ.વિ.ના વાચકો માટે રજુ કર્યો છે.

નવા વરસે આ લેખ આપને એક પ્રેરક વાચન પૂરું પાડશે એવી આશા છે.

–વિનોદ પટેલ   

કબજિયાતથી કેન્સર સુધીનાે ઈલાજ કુદરતી ઉપચારથી…શ્રી મુકેશ પટેલ (આકાશવાણી પરનો કાર્યક્રમ )

NATUROPATHY

મિત્રાે,

અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ અને આકાશ એ પાંચ તત્વાેમાંથી આપણું શરીર બન્યું છે અને એ પાંચ તત્વાેની મદદથી દરરાેજ કઈ રીતે સાજા રહી શકાય એ પદ્ધતિનું બીજું નામ નેચરાેપથી કે કુદરતી સારવાર. અગ્નિ-તત્વ એટલે સૂર્ય. આપણે દરરાેજ 30થી 60 મિનિટ માટે સવારનાં કૂમળાં તડકામાં રહીએ એટલે આપણને વિટામિન ડી-3 મળે છે. આ વિટામિનથી આપણાં હાડકાં પણ સારા રહે છે અને વિટામિન બી-12નું લેવલ પણ જળવાઈ રહે છે. તડકાે આપણને ડિપ્રેશનથી બચાવે છે. ચામડીની તકલીફ હાેય ત્યારે તડકાે લેવાથી ચામડી સુધરે છે.

ડિપ્રેશનનાં દર્દીઆે કાંઈ જ ન કરે પરંતુ જાે ઘરની બહાર, ખુલ્લામાં બેસે તાેય એમનું ડિપ્રેશન ઘટવા લાગે છે. ખુલ્લા વાતાવરણમાં, રૂમની બહાર રહેવાથી સૂર્ય સિવાયના બધા ગ્રહાે, તારાઆેની શક્તિનાે(એનર્જિ)નાે લાભ આપણને મળે છે.

હવા એ આપણાં સાૈનાે મુખ્ય આહાર છે. દરેક મિનિટે આપણે સાત લિટર જેટલી હવા લઈ શકીએ છીએ. ઊંડા શ્વાસથી આપણું શરીર અને મન સ્વસ્થ રહે છે. ચાલતા ચાલતા પણ ઊંડા શ્વાસ લઈ શકાય છે. શ્વાસ જેટલાે ઊંડાે લેવાશે એટલાે જ વિચાર પણ ઊંડાણવાળાે બનશે.

પાણી એ આપણી જરૂરિયાત છે. દરરાેજ 3થી 4.5 લિટર જેટલું પાણી આપણાં શરીરને જાેઈએ છે. પરંતુ શારીરિક શ્રમ આેછાે હાેય, ખાસ પરસેવાે ન થતાે હાેય અને જાે 6થી 7 લિટર પાણી દરરાેજ પીવાય તાે કિડનીને નુકસાન થઈ શકે છે. માટે, મગજથી કામ કરવાનું હાેય તાે વધું પાણી ન પીવું જાેઈએ.પથરી(સ્ટાેન)ની તકલીફમાં સમયસર ભાેજનની જરૂર છે. વધુ પાણી પીવાથી પથરી બનતી નહીં અટકે પણ જાે સમયસર ભાેજન લેવાનું રખાશે તાે પથરી બનતી અટકશે.

અવકાશ તત્વ એટલે અઠવાડિયે એક દિવસ બે-ચાર કલાક માટે આપણે માૈન રાખીએ, એકાંતનાે, વાંચનનાે લાભ લઈએ. આપણાં રાેજિંદા કામ સિવાય કાંઈક કરીએ એટલે આપણે અવકાશ તત્વની નજીક હાેઈએ છીએ. સવારનાે તડકાે, આંખાે સામેનું ખુલ્લું આકાશ, આપણાં જ ઘરનાં બગીચામાં રહેલાં છાેડ-વૃક્ષાે સાથેનાે માૈન સંવાદ, પક્ષીઆેનું ગાન, જંગલમાં રહેલી ઘડિયાળ વિના ચાલતી સૃષ્ટિની સાથે રહીએ અને અવકાશને માણીએ-જાણીએ. ધ્યાન, ઉપવાસ, હળવાશ, ચાલવાનાે વ્યાયામ એ અવકાશ તત્વનાે જ હિસ્સાે છે.

પૃથ્વી તત્વ એટલે નીચે બેસવું, જમીનનાં સંપર્કમાં વધારે અને વધારે રહેવું. ખુલ્લાં પગે જમીન પર ચાલવાથી શરીરની અનેક બીમારીઆેમાંથી મુક્તિ મેળવી શકાય છે. અમારા નિહાર આરાેગ્ય મંદિરમાં કે અન્ય કુદરતી ઉપચાર સેન્ટર કે હાેસ્પિટલમાં પેટ ઉપર, આંખાે ઉપર અને આખા શરીરે માટીની પટ્ટી, લેપ લગાવીને અનેક બીમારીઆેની સારવાર કરાય છે. માટીમાં રહેલું પૃથ્વી તત્વ આપણાં શરીરની ગરમી ઘટાડે છે, ઠંડક આપે છે, દવાઆેની આડઅસર ઘટાડે છે.

આપણને જે દિવ્ય અને ભવ્ય શરીર મળ્યું છે એની જાળવણી પ્રથમ કરવાની છે. માેંઘી કારની સર્વિસ માટે દર વર્ષે કેટલાંક લાખ અાપી શકાય, ઘરની અંદર ઈન્ટીરિયર ડિઝાઈન માટે લાખાે રૂપિયા ખર્ચી શકાય પરંતુ અબજાે રૂપિયા ખર્ચતાં પણ ન મળે એવા અદભુત શરીરની જાળવણી માટે, એને સાજું કરવા માટે કાેઈની સારવાર લેવાની થાય ત્યારે એક એક રૂપિયાનાે હિસાબ ગણાય..!

મિત્રાે,કુદરતી સારવાર(નેચરાેપથી) એક એવી પદ્ધતિ છે જેમાં એકસાથે દર્દીનાં અનેક રાેગાેનાે ઈલાજ  એક જ ડાેકટર કરે છે. અન્ય થેરાપીમાં દરેક તકલીફ માટે અલગ અલગ ડાેક્ટર પાસે જવું પડે છે.

કેન્સરનાં કેટલાંક એવા દર્દીઆે છે જે અમારી કુદરતી સારવાર પછી સારી રીતે જીવે છે. એમનું કેન્સર મટી ગયું છે. કેન્સરનાં દર્દી ઈચ્છે તાે અમારી સારવાર કરાવવા માટે સીધાં પણ આવી શકે છે. જાે એમ ન કરવું હાેય તાે પહેલાં કિમાેથેરાપી-રેડિએશન લઈને પછી આવી શકે છે.

કેન્સર સિવાય ડાયાબિટીસ, સ્થૂળતા(obesity), વા(arthritis), ઢીંચણની તકલીફ, કમર-દર્દ, ગરદનની તકલીફ, બી.પી, કાેલેસ્ટ્રાેલ, ડિપ્રેશન, હૃદયરાેગ, વ્યંધત્વ(બાળક ન હાેવું), ચામડીની તકલીફ, નાના બાળકાેની બીમારી વગેરે અનેક તકલીફાેની સારવાર કુદરતી ઉપચારથી શક્ય બને છે.

(ફાેનઃ 079-65530052,65126556,27522086)

નેચરાેપથી એટલે કુદરતનાં આેપરેશન ટેબલ ઉપર અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ અને આકાશ એ પાંચ તત્વાેની મદદથી દર્દીની સારવાર. આપણને સાૈને જન્મ સમયે સરખાં જ શ્વાસ મળે છે. એક મિનિટનાં 16 શ્વાસ, એક કલાકનાં 960 શ્વાસ, 24 કલાકના  આશરે 23000 શ્વાસ,… આ રીતે 100 વર્ષનાં જેટલાં શ્વાસ થાય એટલાં શ્વાસ આપણને જન્મ વખતે મળે છે.

જાે આપણે વ્યાયામ ન કરીએ, કબજિયાતનાે ભાેગ બનીએ, બી.પી. કે ડાયાબિટીસનાે ભાેગ બનીએ, ટેન્શનમાં આવી જઈએ, રાત્રે સારી રીતે ન ઊંઘીએ તાે આપણાં શ્વાસ વધારે વપરાય છે, ધબકારા વધી જાય છે. આપણે ખાેટું કામ કરીએ, કાેઈનું પડાવી લઈએ, કાેઈને અન્યાય કરીએ એટલે શ્વાસ વધું વપરાય છે. જેવાે શ્વાસનાે ખજાનાે પૂરાે થયાે કે તરત આ દુનિયા છાેડવી પડશે.

માટે જ, ઊંડા શ્વાસ લેવાના રાખીએ, ઊંડા ધ્યાનની પ્રેક્ટિસ રાખીએ, આપણને જે મળ્યું છે એ જ પ્રભુ વાપરવા દે એવી પ્રાર્થના પ્રભુને રાેજ કરીએ, અન્યના હિતનાે સતત વિચાર કરીએ, વ્યાયામ કરીએ, નિયમિત ઉપવાસ કરીએ એટલે આપણને મળેલાં શ્વાસ સારી રીતે, શાંતિથી વાપરી શકીશું.

પ્રભુ આપને સત્કર્મ કરવાની, વ્યાયામ કરવાની શક્તિ આપે, ધ્યાન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સહ,

મુકેશ પટેલ(મેનેજિંગ ટ્રસ્ટી)

નિહાર ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.

સાભાર .સૌજન્ય-  શ્રી મુકેશ પટેલ 

Source- http://www.anupan.in/blog/

સાથે સાથે શ્રી મુકેશ પટેલના આ ચાર લેખો પણ વાંચવાનું  ના ચૂકશો .

                ૧. તહેવારાેમાં ડુપ્લીકેટ માવાની મીઠાઈ ખાવાથી કેન્સર પણ થઈ શકે                 છે…