પ્રાર્થના એ આપણી નૈતિક ભાવનાને પ્રબળ કરતો, જાગૃત રાખતો એક મનનો ખોરાક છે. જગતના દરેક ધર્મમાં પ્રાર્થનાનું મહત્વ સ્વીકારાયું છે.
શ્રુતિમાં પણ કહ્યું છે કે :
“ઈશ્વર એક જ છે ,પરંતુ એના ભક્તો એમની ચિત્તવૃત્તિ અનુસાર એને જુદા જુદા નામ સ્વરૂપથી એની ઉપાસના કરે છે .”
દરેક માણસમાં ભગવાન રૂપી ચૈતન્ય શક્તિ બિરાજે છે .આપણે જ્યારે કોઈને નમસ્તે કહીએ છીએ ત્યારે નમસ્તે નો અર્થ એ છે કે હું તારામાં રહેલા ભગવાનને નમન કરું છું.
મન રૂપી આરસી પર અનેક દુષણો રૂપી ધૂળ એકઠી થાય છે ત્યારે એનું સ્વરૂપ ચોખ્ખું જોઈ શકાતું નથી.આ આરસી પર એકઠી થતી ધૂળ વારંવાર ખંખેરીને એને સ્વચ્છ રાખવી જોઈએ .પ્રાર્થના એ તો આવી વારંવાર જામી જતી ધૂળને ખંખેરવા માટેની એક મોર પીંછની સાવરણી છે.
હું જ્યારે પ્રાર્થમિક શાળામાં હતો ત્યારે કવિ દલપતરામ રચિત પ્રાર્થના ગીત “ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ”ગવડાવવામાં આવતું હતું.આ પ્રાર્થના હજુ પણ મને ગમે છે.અમારાં બાળકોને પણ એની પ્રથમ ચાર પંક્તિઓ ગવડાવેલી છે.
ઓ ઇશ્વર ભજીએ તને …. કવિ દલપતરામ
ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ.
જ્યારે હાઈસ્કુલમાં હતો ત્યારે દલપતરામના જ સુપુત્ર કવિ નાન્હાલાલ દલપતરામ લિખિત પ્રાર્થના “પ્રભુ અંતર્યામી… અને અસત્યો માંહેથી..” પ્રાર્થનામાં ગાતા હતા. આજે પણ મને એ એટલી જ પ્રિય છે.આ પ્રાર્થના ગીતની માત્ર થોડી જ પંક્તિઓ લોકોમાં પ્રચલિત અને જાણીતી છે,આખી પ્રાર્થના બહુ થોડા લોકોએ જ વાંચી હશે.
આખી પ્રાર્થના નીચે પ્રસ્તુત છે. એનો યુ-ટ્યુબ વિડીયો પણ નીચે મુક્યો છે એમાં શાળાના બાળકોને આ પ્રાર્થના ગાતા સાંભળી શકશો.
સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું, મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું, દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો, પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.
પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે, તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે, અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે, અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.
પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો, ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો, ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે, વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો, તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો, નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો, નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
બધી જ ભાવપ્રધાન પ્રાર્થનામા આ અમને આ વધુ ભાવપ્રધાન લાગે છે
LikeLike
ખૂબ જ સરસ શેરીંગ…આભાર
પ્રાર્થના વિષય સાથે મેં એક લેખ લખ્યો છે. જેની લીંક અહી શેર કરું છું.
https://artiparikh.wordpress.com/?s=%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%A8%E0%AA%BE+
LikeLike