વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 15, 2015

( 810 ) થાકી ગયા? – શ્રી.શ્રી રવિશંકર

વિશ્વ ગુરુ શ્રી શ્રી રવિશંકરજી સ્થાપિત આર્ટ ઓફ લીવીંગ સંસ્થાની હવે ગુજરાતીમાં પણ વેબ સાઈટ શરુ થઇ છે એ એક શુભ સમાચાર સાધક મિત્ર શ્રી સુરેશ જાનીની પોસ્ટ પરથી જાણવા મળ્યા એથી ખુશી થઇ.

વેબ સાઈટમાં આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના પરિચયમાં લખ્યું છે કે …

આજ સુધીમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ૧૫૨ દેશોમાં રહેતા આશરે ૩૭૦ લાખ લોકોની જિંદગીમાં સકારાત્મક પરિવર્તન લાવી ચુકી છે.દરેક પ્રવ્રુતિઓ શ્રીશ્રીના માર્ગદર્શન હેઠળ શાંતિના સંદેશ ફેલાવી રહી છે. “

વિનોદ પટેલ

શ્રી શ્રી રવિશંકર જી નો પરિચય ગુજરાતી ભાષામાં … વિડીયો

https://www.youtube.com/watch?v=-2zJtekGa5w&feature=youtu.be

સૂરસાધના

      જો તમે થાકતા ના હોવ,તો તમે કદી ઘરે જશો જ નહી.જો તમે થાકશો તો જ આરામ કરશો.વિશ્વની તમામ વસ્તુ/બાબતો તમને થકવી દેશે.માત્ર એક વસ્તુ તમને થાક નથી આપતી.અને તે પ્રેમ છે.પ્રેમ થી કદી થાક લાગતો નથી,કારણ કે તે તે છેડો છે,તે ઘર છે.પ્રેમ મા થાક લાગે એ શક્ય જ નથી.
          ખરેખર ,નોકરી પણ થાક.કંટાળો લાવે છે.થાક એ આનંદ નો પડછાયો છે.તમે ઘર બહાર તમારા આનંદ ની ઇચ્છાપૂર્તિ કરવા માટે જાવ છો.જે તમને ઘરે લાવે છે તે તમારી પ્રેમ મા રહેવાની ઈચ્છા છે.જીવન મા તમે આનંદ મેળવવા એક સ્થળ થી બીજા સ્થળે ભટકો છે. જ્યાં તમે આનંદ જૂઓ છો,ત્યાં પહોચી જાવ છે,અને ત્યાં પહોચ્યા પછી તમને લાગે છે કે-આનંદ તો દુર છે,અન્ય જગ્યા એ છે.તેથી તમારે આગળ જવું પડે છે,અને આ આગળ જવાનું કંટાળો આપે છે/આ રખડપાટ કંટાળો /થાક લાવે છે. .

   તમારા ઘર ને ઈશ્વર નું નિવાસ બનાવો.અને ત્યાં પ્રકાશ,પ્રેમ…

View original post 84 more words