અગાઉ વિનોદ વિહારની એક પોસ્ટ જૂની હિન્દી ફિલ્મોના મને ગમતાં પ્રેરક ભાવવાહી ગીતોની મહેફિલમાં કહ્યું હતું એમ જૂની હિન્દી ફિલ્મોનાં ગીતોમાં ફિલ્મની કથાને વણી લઈને એમાં જે ગીત મુકેલું હોય છે એમાં કોઈ એક સુંદર સંદેશ હોય છે .કવિના ભાવવાહી ગીતને જ્યારે જાણીતા ગાયકનો સ્વર અને જાણીતા સંગીતકારના સંગીત અને સુરનો સથવારો મળે ત્યારે એ ગીત દીપી ઉઠે છે.
ઘણીવાર હું કોમ્પ્યુટરમાં યુ-ટ્યુબ ચેનલની સફર કરી જૂનાં ભુલાઈ ગયેલાં ગીતો સાંભળીને મન બહેલાવું છું.આજે આવું ૧૯૮૧ ના ચિત્રપટ “હરજાઈ ” નું કિશોરકુમારે લખેલું અને એણે જ ગાયેલું એક ગીત હૃદયને સ્પર્શી ગયું.
આ ગીતના શબ્દો ખુબ જ ભાવવાહી છે.
આ ગીત અને એનો ગુજરાતીમાં કરેલો મારો અનુવાદ નીચે આપેલો છે.ગુજરાતીમાં કરેલ અનુવાદમાં જ આ ગીતનો આસ્વાદ સમાયો છે.
ગીતનો હિન્દી પાઠ અને ગુજરાતી અનુવાદ વાંચ્યા પછી એની નીચે મુકેલ યુ-ટ્યુબ વિડીયો સાંભળી આ ગીતની મજા માણો .
कभी पलकों पे आंसू हैं कभी लब पे शिकायत है मगर ऐ ज़िदगी फिर भी मुझे तुझसे मोहब्बत है
जो आता है वो जाता है ये दुनिया आनी जानी है यहाँ हर शय मुसाफिर है सफर में जिंदगानी है उजालों की ज़रूरत है अँधेरा मेरी किस्मत है
जरा ऐ ज़िन्दगी दम ले तेरा दीदार तो कर लूँ कभी देखा नहीं जिसको उसे मैं प्यार तो कर लूँ अभीसे छोड़ के मत जा अभी तेरी ज़रुरत है
कोई अन्जान सा चेहरा उभरता है फ़िज़ाओं में ये किसकी आहटें जागी मेरी खामोश राहों में अभी ऐ मौत मत आना मेरा विराना जन्नत है
અનુવાદ
આંખની પલકો પર કોઈ વાર આંસુ છે , મારા હોઠો પર કોઈક વાતની ફરિયાદ છે, છતાં ઓ જિંદગી તારી સાથે મને પ્યાર છે .
જગમાં આવે છે એને માટે જવાનું નક્કી છે, દુનિયા આગમન અને ગમનની જ કથા છે, જગમાં આવતો દરેક જણ એક મુસાફર છે, આ મુસાફરી એ જ જિંદગીનું બીજું નામ છે, મારા જીવનમાં પ્રકાશની મને ખુબ જરૂર છે, પણ મારા નશીબમાં અંધકાર જ લખાયો છે.
ભાગતી જિંદગી તું જરા થોભી જા ,શ્વાસ લે, તારું દર્શન કરી તને જરા ઓળખી લઉં , પહેલાં કદી જોયા ના હોય એમને જોઈ લઉં, એમના તરફ મનભરીને મારો પ્રેમ દર્શાવી લઉં , ઓ જિંદગી મને છોડી રખે તું ભાગી જતી , મને આ સમયે ,અત્યારે, તારી ખુબ જરૂર છે.
કોઈ અજાણ્યો , એક માસુમ શો ચહેરો હાલ . મારી કલ્પનાઓ અને નજર સામે રમી રહ્યો છે, મારા આ ખામોશ રસ્તામાં કોની ઠેસ વાગે છે , ઓ મૃત્યુ આ સમયે તું મને ભેટવા ના આવીશ, મારી એકલતા જ મારે માટે એક સ્વર્ગ જ છે.
અનુવાદ- વિનોદ પટેલ ,૨-૨૭-૨૦૧૬
Lyricist – Singer : Kishor Kumar, Music Director : Rahuldev Burman, Movie : Harjaee (1981)
આવા જ એક બીજા આ ભાવવાહી ગીતની મજા પણ માણી લો.
आदमी मुसाफिर है, आता है, जाता है आते जाते रस्तें में यादें छोड जाता है
झोंका हवा का, पानी का रेला मेले में रह जाए जो अकेला फिर वो अकेला ही रह जाता है
कब छोडता है ये रोग जी को दिल भूल जाता है जब किसीको वो भूलकर भी याद आता है
क्या साथ लाए, क्या तोड़ आए रस्तें में हम क्या क्या छोड़ आए मंज़िल पे जा के याद आता है
जब डोलती है जीवन की नैय्या कोई तो बन जाता है खिवय्या कोई किनारे पे ही डूब जाता है
આ ગીતનો સાર-સંદેશ -આસ્વાદ
આ જિંદગીની રાહમાં મનુષ્ય એક મુસાફર જેવો છે. મુસાફરો આવે છે એટલે કે જન્મે છે અને જાય છે એટલે કે મૃત્યુ પામે છે પણ એમની યાદો પાછળ મુકીને જાય છે.માણસ જતો રહે છે પણ એની યાદો સ્મરણમાંથી જતી નથી.
આ જિંદગી એક હવાની લ્હેર અને પાણીના રેલા જેવી સતત વહેતી રહે છે.જિંદગીના આ મેળામાં સાથી ખોવાઈ જાય-મૃત્યુ પામે પછી જે એકલો રહે છે એને એકલા જ રહેવાનું થાય છે.એક રોગની માફક દિલમાંથી યાદો જતી નથી ,કોઈ વાર ભૂલી જવાય પણ પાછી યાદ તાજી થઇ જાય એવું બને છે.જિંદગીના અંત સમયે એ સમજાય છે કે સાથે શું લાવ્યા હતા અને પાછળ શું મુકીને જઈએ છીએ.ભવસાગરમાં મુસાફરી દરમ્યાન મધ દરિયે જીવનની આ નૌકા જ્યારે ડૂબવા લાગે છે એવા વખતે કોઈ માણસ ને તારણહાર બનીને કોઈ નાવિક મળી જાય છે જ્યારે કોઈ માણસની નૌકા કિનારા પર જ ડૂબી જાય છે. જીવનમાં બધાંને એક સરખું સુખ પ્રાપ્ત થતું નથી.
Lyricist : Anand Bakshi, Singer : Lata Mangeshkar – Mohammad Rafi, Music Director : Laxmikant Pyarelal, Movie : Apnapan (1977)
વાચકોના પ્રતિભાવ