વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 876 ) વડીલોની વાતો …..એક બોધ કથા અને બે સત્ય કથાઓ ….

સમય બદલાય છે એની સાથે સામાજિક સંબંધોનાં સમીકરણો પણ બદલાતાં રહે છે. એક જ કુટુંબમાં સાથે રહેતા સભ્યોની સમજ અને વર્તાવમાં ફેરફાર થયેલો જણાય છે.ઘણા વડીલોને સંતાનોની બદલાયેલી વર્તણુકથી સંતોષ નથી અને તેઓ એક યા બીજી રીતે એમના મનનો ઉભરો કાઢતા હોય છે.આમાં વાંક કોનો એ વિષે બન્ને પક્ષે પોત પોતાના વિચારો હોય છે.

આવા એક વડીલની કથા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ઠાકરે ઈ-મેલમાં મોકલી  હતી એમાં રહેલો સંદેશ મને ગમી ગયો.વાચકોને પણ આ બોધ કથા વાંચવી ગમશે.

આ બોધકથા પછી મળવા જેવા માણસની મિત્ર પરિચય શ્રેણીથી જાણીતા મારા ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા નિવાસી મિત્ર,શ્રી પી.કે.દાવડાજી એ એમના ઈ-મેલમાં વડીલોને સ્પર્શતી બે સત્ય કથાઓ વાંચવા મોકલી હતી એ મૂકી છે. આ બે સત્ય પ્રસંગો પણ વાંચવા જેવા છે.

આ પોસ્ટમાં પ્રસ્તુત વડીલો વિશેની વાતો વાંચીને વાંચકોને એમના મંતવ્યો જો હોય તો પ્રતિભાવ પેટીમાં જણાવવા વિનંતી છે. 

વિનોદ પટેલ

=========================

સાભાર- શ્રી મહેન્દ્ર ઠાકર – એમના ઈ-મેલમાંથી 

એક સુખી પરિવાર હતો. પરિવારના વડીલ પરિવારના દરેક સંભ્યને યોગ્ય સલાહ-સુચન આપતા અને એનાથી પરિવાર જળવાઇ રહ્યો હતો.પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા આપવામાં આવતી સલાહ ખૂંચતી હતી.

એકવખત મોટા દિકરાએ આ વડીલને કહ્યુ, “બાપુજી, તમારી સલાહ અમને કેટલીક વખત કાંટાની જેમ ખુંચે છે અમને એમ થાય કે બાપુજી હજુ અમને સાવ નાના બાળક જેવા જ સમજે છે કે શું ? ”

વડીલે દિકરાની પીઠ પર હાથ મુકીને કહ્યુ, “બેટા, વાત તો તારી બિલકુલ સાચી છે.તમે હવે બાળક નથી અને એટલે જ હું તમને દરેક વાતમાં ટોકતો પણ નથી. તમારી રીતે જ જીવન જીવવાની મેં સ્વતંત્રતા આપી છે પરંતું મને જ્યાં એવું લાગે છે કે તમારા કોઇ પગલાથી મારો આ હર્યો ભર્યો પરિવાર પીંખાઇ જશે ત્યાં હું ચોક્કસ પણ થોડી દખલગીરી કરુ છુ, કારણકે પરિવારને એક રાખવો એ મારી વડીલ તરીકેની મારી ફરજ છે.”

દિકરાના હાવભાવ પરથી પિતાજીને પણ એ સમજાઈ ગયું કે દિકરાને પિતાની આ વાત ગળે નથી ઉતરી. દિકરો એના ટેબલ પર બેસીને કંઇક લખી રહ્યો હતો.ટેબલ પર કેટલાક કાગળો પડ્યા હતા. આ કાગળ હવામાં ઉડી ન જાય એટલે એને ટાંચણી મારીને રાખેલા હતા. વડીલે હળવેકથી ટાંચણી કાઢી લીધી એટલે બધા કાગળ વેર વિખેર થઇ ગયા.

દિકરાએ ઉભા થઇને બધા કાગળ ભેગા કર્યા. પિતાજીની આવી હરકત બદલ દીકરાને પિતાજી પર ખુબ ગુસ્સો આવ્યો.એમનાથી ના રહેવાયુ એટલે એમણે વડીલને કહ્યુ:“તમે શું આ ગાંડા જેવી હરકત કરો છો ? ”

વડીલે કહ્યુ, ” એમાં વળી મેં શું ગાંડા જેવી હરકત કરી મેં તો કાગળમાંથી જરા ટાંચણીને દુર કરી.એ ટાંચણી બધા કાગળને કેવી વાગતી હતી એટલે મેં કાગળોને ટાંચણી વાગવાના દુ:ખમાંથી મુક્ત કરી દીધા.”

દિકરાએ કહ્યુ, ” બાપુજી, આ બધા કાગળ ટાંચણીને કારણે જ ભેગા રહેતા હતા.તમે ટાંચણીને દુર કરીને બધા કાગળને પણ છુટા કરી નાંખ્યા.ટાંચણી ખૂંચે છે એટલે તો બધા કાગળો ભેગા રહે છે.” પિતાજીએ પોતાના દિકરા સામે જોઇને સ્મિત આપ્યુ અને પછી કહ્યુ, ” બેટા, મારુ કામ પણ આ ટાંચણી જેવુ જ છે, તમને બધાને એમ લાગે છે કે હું તમને ખૂંચું છું પણ મારા એ ખૂંચવાને લીધે જ તમે બધા જોડાઇને રહ્યા છો.”

બોધ પાઠ …

ઘણી વખત પરિવારના વડીલની અમૂક વાતો આપણને ખૂંચતી હોય પણ પરિવારની એકતા માટે એ જરૂરી હોય છે.

આ વાત વાંચીને મિત્ર શ્રી લક્ષ્મીકાંત ઠક્કરે એમના ઈ-મેલમાં વડીલો માટે એક સરસ સલાહ એમના ઈ-મેલમાં મોકલી હતી એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે ..

​એક અનુભવી ડાહ્યા શખ્સે કહ્યું :

“પોતાનું આંગણું સાચવો…સાફ રાખો… મફતમાં નહિ કોઈ મન માંગી “તગડી” ફી આપે તો જ
સલાહ -સૂચનો આપવા. બીજાની પંચાતમાં પડવાનું ટાળવું . શક્ય એટલો અન્યો પર આધાર
ન રાખવો. અન્યો પાસેથી અપેક્ષાઓ છે એની જ તો રામાયણ અને મહાભારત છે ને?

જેટલા વધુ સ્વાવલંબી બની શકાય ​રહેવું… યથાશક્તિ મદદ કરવાની ત્રેવડ હોય તેટલી ​કરી શકાય ​​…

“જે છે તે અને બને છે તે ” સ્વીકારવું…”ચુપ મરવું” વધુ બિન જરૂરી સખળ-દખળ,દખલગીરી
ટાળવી ​, ​​૬૫-૭૦-૭૫ પછી” સ્વાન્ત​ સુખાય​”​ જીવવું ​ !”​ જીભેન્દ્રીય પર કાબૂ-કંટ્રોલ મહત્તમ
રાખવા જાતને કેળવવી ” 

નીચે osho એ જે કહ્યું છે એ પણ વડીલો અને સૌએ  યાદ રાખવા જેવું  છે.

જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે
તેને
પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
હાંસલ કરવા જેટલો વિકાસ
તમે કરી શકો -તે
તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.

osho

વડિલોના વાંકે…. બે સત્ય કથાઓ ….. શ્રી.પી.કે.દાવડા 

અમેરિકામાં સ્થાયી વસવાટ માટે આવ્યા પછી, મેં સંતાનોના વાંકે આહત થયેલા વડિલોની ઘણી વાતો સાંભળી હતી અને વિષય ઉપર કેટલાક લેખ લખ્યા હતા.

૧૯૪૦૧૯૪૨ માં બહુ નાની વયે, બાપુજી સાથે દેશી નાટક સમાજનું નાટક વડિલોના વાંકે જોએલું.નાટકના શીર્ષક અને એમાંના એક બે ગીતોની થોડી પંક્તિઓ સિવાય આજે  નાટકની અન્ય કોઈ વિગત યાદ નથી. આજે શીર્ષકને યાદ કર્યું છે,કારણ કે આજે અમેરિકામાં આવ્યા બાદ, મારા મિત્ર બનેલા, મારી ઉમ્મરની આસપાસના બે જણના જીવન વૃતાંતો યાદ આવ્યા. આજથી ૫૦૬૦ વર્ષ પહેલા, વડિલોની ઇચ્છાને લીધે એમના જીવનના અતિ મહત્વના હિસ્સા ઉપર કેટલી મોટી અસર થઈ, યાદ કરીને આજનો લેખ લખવાની ઇચ્છા થઈ.સત્ય ઘટનાઓ ઉપર આધારિત બનાવોમાં મેં મારા મિત્રોના સાચા નામોનો ઉલ્લેખ કર્યો નથી.

સત્ય કથા-પ્રસંગ

મનહર ગુજરાતના ધનપતિ કુટુંબનો નબીરો છે. કુટુંબ એટલું તો વગદાર હતું, કે મનહરે B.Sc. (Agriculture) ની પરીક્ષા પાસ કરી કે તરત સમયના સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન રસિકભાઈ પરીખે એને રાજ્યના Agricultural Secretary બનાવી દીધા. મનહરના પિતા સમયે મુંબઈ શેર બઝારમાં ઘણી મોટી હસ્તી ગણાતા.

એમના કુટુંબમાં એક લાંબા સમયથી ચાલી આવતી પ્રથા હતી કે દિકરા માટે કુટુંબમાંથી કન્યા શોધવી,અને કામ વડિલો કરતા.પ્રથા પ્રમાણે મનહર માટે પણ એક કન્યાની પસંદગી થઈ. મનહરને કન્યાનું શિક્ષણ,દેખાવ વગેરે પોતાના માટે અયોગ્ય લાગ્યા.કુટુંબનો સીધે સીધો સામનો કરવાની કોઈ ગુંજાઈશ હતી. મનહરે વિચાર કરી એક યોજના ઘડી કાઢી.એમણે માબાપને સમજાવ્યા કે થોડા દિવસ લંડનમાં કાકાને ઘરે ફરી આવે,પછી બાબતનું નક્કી કરવું,માબાપ વાત માની ગયા

લંડનમાં એણે યોજનાનો બીજો તબ્બકો અમલમાં મૂક્યો.કાકાને સમજાવ્યા કે અહીં સુધી આવ્યો છું તો અમેરિકા ફરી આવું.પૈસાનો તો કોઈ સવાલ હતો.કાકાએ બધી સગવડકરી આપી.૧૯૫૬ માં અમેરિકા આવી, મનહરે યુનિવર્સીટીમાં એડમીશન મેળવી, M.S.અને M.B.A.નો અભ્યાસ પુરો કરી, Bank of America માં નોકરી શરૂ કરી. બધું વ્યવસ્થિત ચાલતું હતું,ત્યાં અચાનક મેલેરિયાના ઝપાટામાં આવી ગયા.Over the Counter મળતી મેલેરિયાની દવાનો વધારે પડતો ઉપયોગ કરવાથી એમની Auditory Nerve ને નુકશાન થયું,અને સાંભળવામાં મુશ્કેલી થવા લાગી. અગાઉ એક બે વાર Renoમાં કેસીનોમાં જઈ આવેલા, એટલે એમણે નક્કી કર્યું કે ત્યાં એટલો બધો અવાજ હોય છે કે નોર્મલ માણસો પણ એકબીજાની વાત સાંભળી શક્તા નથી,તો હું ત્યાં નોકરી કરું તો મારી કાનની તકલીફ નહિં નડે. ત્યારબાદ ૩૯ વર્ષ સુધી એમણે Reno ના કેસીનોમાં નોકરી કરી.

સાન ફ્રાન્સીસ્કોના જાણીતા સમાજ સેવકને વાતની જાણ થઈ. એ મનહરભાઈને સમજાવીને Reno ની નોકરી છોડાવી,પોતાની સાથે સમાજ સેવાના કામો કરવા સાનફ્રાન્સીસ્કો લઈ આવ્યા.છેલ્લા નવ વરસથી તેઓ અહીં ખૂબ આદર પામે છે. છેલ્લા આઠ નવ મહિનાથી મારા નજીકના મિત્ર થઈ ગયા છે.આજે પણ એમને વારસામાં મળેલા મુંબઈના મરીન ડ્રાઈવ ઉપર આવેલા ફ્લેટની કીમત ૩૦૪૦ કરોડની હશે.

આજે એમની ઉમ્મર આસરે ૮૫ વર્ષ છે. લગ્ન કર્યા વગર આયુષ્યના આટલા વરસ ગુજારી લીધા. !

સત્ય કથા-પ્રસંગ

પવન એક આકર્ષક દેખાવવાળો મધ્યમવર્ગી યુવક હતો.ભણવામાં તેજસ્વી હતો,પણ બારમા ધોરણમાં હતો ત્યારે માબાપે એક સામાન્ય ભણતર અને તદન સામાન્ય દેખાવવાળી સવિતા સાથે એનાં લગ્ન કરી નાખ્યાં.એનો કોઈ વિરોધ કામમાં આવ્યો.સારા નશીબે ભણતર પુરૂં કરે,ત્યાં સુધી સવિતા એના માબાપ સાથે રહે, વાતનો સ્વીકાર કરવામાં આવ્યો.

બારમા ધોરણ પછી પવનને એંજીનીઅરીંગ કોલેજમા એડમીશન મળી ગયું. દરમિયાન એનો વિનીતા નામની અતિ સુંદર છોકરીનો પરિચય થયો,અને આગળ જતાં પ્રેમમાં પરિવર્તન થયો.પવનએ વિનીતાને સાચી હકીકત જણાવી દીધી હતી.બનન્નેએ નક્કી કર્યું કે આમાંથી કોઈ રસ્તો શોધી લઈને પછી આગળ વધવું.

બીજો કોઈ માર્ગ મળતાં પવને અમેરિકામાં M.S. ના અભ્યાસ માટે અરજી કરી અને સારા નશીબે એને સ્કોલરશીપ સાથે એક યુનિવર્સીટીમાં પ્રવેશ મળી ગયો. માબાપે વિચાર્યું કે પવન જશે તો બીજા ભાઈ બહેનોને પણ જવાનો મોકો મળશે,એટલે એમણે પણ રજા આપી.

અમેરિકામાં આવીને એમણે અને વિનીતાએ ઘડેલી યોજનાનો અમલ કરવાનું શરૂ કર્યું. અમેરિકાની કોર્ટમાં એમણે છૂટાછેડાનો દાવો દાખલ કર્યો.કાયદા કાનુનની પ્રક્રીયા પ્રમાણે સવિતાને ટપાલ દ્વારા કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાની નોટીસ મોકલવામાં આવી,જેનો નિયત સમયમાં જવાબ આવતાં,એક તરફી ચૂકાદાથી એમને છૂટાછેડા મળી ગયા.

જો કે આવા છૂટાછેડા ભારતમાં માન્ય હતા. એટલે જો પવન ફરીથી લગ્ન કરે અને ભારતમાં જાય તો ગુનેગાર ગણાય. ત્યારબાદ નક્કી થયા પ્રમાણે વિનીતાને વિઝીટર વિસા ઉપર અમેરિકા બોલાવી લીધી, અને અમેરિકામાં બન્ને લગ્ન કરી લીધા.

વર્ષો બાદ વિનીતાએ પોતાના ત્રણ બાળકો સાથે ભારત જઈ,સવિતાને સમજાવીને એની સાથે સેટલમેન્ટ કરી,કોર્ટની મારફત પવનના અને સવિતાના છૂટાછેડા કરાવ્યા.

બન્ને કિસ્સાઓમાં સંતાનોને જે સહન કરવું પડ્યું એના માટે એમના વડિલો અને જમાનાની સામાજીક પરિસ્થિતિને હું જવાબદાર ગણું છું.

પી. કે. દાવડા

જીવનના ત્રણ તબ્બકા

૧૭ મી માર્ચની સાંજે, કેલિફોર્નિયાના મિલપિટાસ શહેરમાં, એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં, કેલિફોર્નિયાના જાણીતા, ૯૬ વર્ષની વયના સમાજસેવક શ્રી હરિકૃષ્ણ મજમુદારે એક આશ્ચર્યજનક વાત કહીને પ્રક્ષકોને ચોંકાવી દીધા હતા. એમણે કહ્યું હતું કે માણસના જીવનના ત્રણ તબ્બકા છે. જન્મથી ૧૮ વર્ષની વય સુધી બચપણ હોય છે. ૧૯ મા વર્ષથી ૮૦ મા વર્ષ સુધી પુખ્તવય (adult) હોય છે અને ૮૦ વર્ષ પછી વૃધ્ધાવસ્થા હોય છે.

એમણે કહ્યું, અહીં અમેરિકાના ડોકટરો તમને ૧૦૦ વર્ષ પહેલા મરવા નહિં દે. એટલે તમે યોજનાબધ્ધ જીવન જીવો. વચલા તબ્બકાને ૧૯ થી ૫૦ અને ૫૧ થી ૮૦ બે ભાગમાં વહેંચી દો. આ ૫૧ થી ૮૦ વાળો તબ્બકો સૌથી વધારે ઉત્પાદક અને આનંદદાયક છે. ઘટતી જવાબદારીઓ વચ્ચે તમારી મનગમતી પ્રવૃતિઓમાં જોડાઈ જાવ, અને સમાજને ઉપયોગી થવાની સાથે તમારી જાતને પણ આનંદથી ભરી દો. પણ આના માટે એક શરત છે. તમારે નિયમિત રીતે તમારી શારીરિક તપાસ કરાવવી જોઈયે, કસરત કરવી જોઈએ અને ખોરાકમાં સંયમ વર્તવો જોઈએ.

હાજર રહેલા પ્રક્ષકોએ એમની આ તદ્દન નવીવાત ખૂબ જ આનંદ અને આશ્વર્ય સાથે વાગોળી.

-પી. કે. દાવડા

વડીલો અને સંતાનોના સંબંધોને સ્પર્શતી આ પોસ્ટ વાંચ્યા પછી વિનોદ વિહારમાં અગાઉ મુકવામાં આવેલી નીચેની બે પોસ્ટ પણ વાંચી જવા વાંચકોને વિનતી છે. 

૧. અમેરિકાના ગુજરાતી પરિવારોની અપેક્ષાઓ …. લેખક …. શ્રી પ્રવીણ શાસ્ત્રી   

 

૨. વૃદ્ધ પિતા,પુત્ર અને કાગડો … વાર્તા …. વિનોદ પટેલ

અંતે, મને ગમતું એક હિન્દી ફિલ્મનું ગીત- સ્વર કિન્નરી લતા મંગેશકર ના  સ્વરમાં …

Lyricist : Sawan Kumar, Singer : Lata Mangeshkar, Music Director : Usha Khanna, Movie : Sautan (1983)

जिंदगी प्यार का गीत है
इसे हर दिल को गाना पड़ेगा
जिंदगी ग़म का सागर भी है
हँसके उस पार जाना पड़ेगा

जिसका जितना हो आँचल यहाँ पर
उस को सौगात उतनी मिलेगी
फूल जीवन में गर ना खिले तो
काँटों से भी निभाना पड़ेगा

है अगर दूर मंज़िल तो क्या
रास्ता भी है मुश्किल तो क्या
रात तारों भरी ना मिले तो
दिलका दीपक जलाना पड़ेगा

जिंदगी एक पहेली भी है
सुख दुःख की सहेली भी है
जिंदगी एक वचन भी तो है
जिसे सबको निभाना पड़ेगा

गीतकार : सावन कुमार,
गायक : लता मंगेशकर, संगीतकार : उषा खन्ना, चित्रपट : सौतन (१९८३)

Zindagi pyar ka geet hai (लता मंगेशकर)

 

4 responses to “( 876 ) વડીલોની વાતો …..એક બોધ કથા અને બે સત્ય કથાઓ ….

  1. pragnaju માર્ચ 30, 2016 પર 2:55 પી એમ(PM)

    जिंदगी एक पहेली

    Like

  2. Hemant Bhavsar માર્ચ 30, 2016 પર 9:35 પી એમ(PM)

    Respect and learn from the Senior , without Senior advise it is impossible to be a successful person in every area of life , without parents blessings success is an impossible …………

    Like

  3. mdgandhi21 માર્ચ 31, 2016 પર 11:30 એ એમ (AM)

    સ્વાનુભાવની બહુ સુંદર અને અત્યંત બોધદાયક કથાઓ છે.

    Like

  4. DinkarRay એપ્રિલ 6, 2016 પર 7:53 પી એમ(PM)

    जिंदगी प्यार का गीत है
    इसे हर दिल को गाना पड़ेगा
    जिंदगी ग़म का सागर भी है
    हँसके उस पार जाना पड़ेगा

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: