વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 13, 2016

( 906 ) ‘મા’ સાથેનો સંવાદ : ‘સાક્ષીભાવ’ – નરેન્દ્ર મોદી

સફળતાની ટોચે પહોંચેલ માનવીએ પણ ક્યારેક તો એ સફર અંતરના તળિયેથી શરૂ કરી હોય છે. શરૂઆતના સંઘર્ષનો એ સમય તેના મનના એક ખૂણામાં આજીવન સચવાયેલો રહે છે. સંઘર્ષના સમયે તેને જે-જે લોકોએ સાથ આપ્યો હોય તેમના પ્રત્યે એક વિશેષ કૃતજ્ઞભાવ તેના મનમાં કાયમનો અંકિત થઈ જાય છે. પણ સાંપડેલી સફળતાના પાયામાં રહેલું સૌથી અગત્યનું પાસું એ તેનો પોતાના સ્વ સાથેનો, શ્રદ્ધા સાથેનો અને ઈશ્વર સાથેનો સંબંધ છે.

નરેન્દ્ર મોદી પણ યુવાનીના દિવસોમાં ડાયરી લખતા હતા. ડાયરી તો આપણામાંથી ઘણા લખતા હશે, પણ આ ડાયરી જરા જુદી હતી. આ ડાયરી તેમના જગજ્જનની જગદંબા સાથેના સંવાદ સ્વરૂપે હતી. તેમના પોતાના શબ્દોમાં “નિયમિત રીતે જગજ્જનની માને પત્ર લખી મારા અંતરમનને પ્રગટ કરી, મા શક્તિનાં ચરણોમાં ધરી મનને મોકળું કરવા ટેવાયેલ હતો. તેમાં મને અલૌકિક મૌન સંવાદની અનુભૂતિ થતી.” તે સંવાદની એક ઝલક અને તે વિશે સ્વયં નરેન્દ્રભાઈના બે શબ્દો, લખાણની સાથે સાથે વિડીયો સ્વરૂપે નરેન્દ્રભાઈના જ અવાજમાં તેમાંથી બનેલ પુસ્તક ‘સાક્ષીભાવ’માંથી…..

સૌજન્ય-સાભારઆજનો ઈ-શબ્દ’

Namo- mother's blessings -2

વહાલા વાચક મિત્રો, સપ્રેમ નમસ્તે….. નરેન્દ્ર મોદી

સાક્ષીભાવે ‘સાક્ષીભાવ ’ આપના હાથમાં મૂકું છું.

આ કોઈ સાહિત્યરચના નથી, લગભગ પચીસ વર્ષ પૂર્વે ડાયરીના પાને વહેતી લાગણીઓની આ તો ભીનાશ છે. ઘણી વાર જાહેર જીવનમાં ખૂબ મોટા પડદે ઊપસતું વ્યક્તિનું ચિત્ર એટલું મોટું હોય છે કે, તેમાંથી માણસ શોધવાનું ફાવે જ નહીં. વળી ઇચ્છા પણ ન થાય. બીજી બાજુ, સામાન્ય માનવી તરીકેની જિંદગીનો આનંદ કંઈક ઓર જ હોય છે. મારો પાકો વિશ્વાસ છે કે, આપણા સહુની ભીતર એક તદ્દન સામાન્ય – સહજ માનવ વસતો હોય છે જે પ્રકૃતિદત્ત સકારાત્મક અને નકારાત્મક આવિર્ભાવથી પર નથી હોતો. ગુણ-અવગુણ, ઇચ્છા-અનિચ્છા, તૃષ્ણા-તૃપ્તિ, અનુરાગ-વિતરાગ, ભાવ-અભાવ, લાગણી-ઊર્મિ, વેદના-સંવેદના, ગમા-અણગમા, અપેક્ષા-આકાંક્ષા – તેનાથી કોઈ પર નથી હોતું. હું પણ તમારી જેમ ગુણ-દોષસભર સામાન્ય માનવી જ છું. બધાંની જેમ હું પણ મારા વ્યક્તિત્વના વિકાસની નિરંતર મથામણ કરતો રહ્યો છું.

 ‘આજનો ઈ-શબ્દ’માં …આગળ વાંચો.