વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 16, 2017

( 1002 ) આતાજી ( હિમતલાલ જોશી ) ની ચિર વિદાય…… શ્રધાંજલિ

atta-no-more-2-2

૯૬ વરસના જીંદાદિલ મિત્ર આતાજીના દુખદ સમાચાર દિલને આંચકો આપી ગયા.ઘરનું જ કોઈ સ્વજન ચાલ્યું ગયું હોય એવી આઘાત અને શોકની લાગણી થઇ આવી. છેલ્લા બે વર્ષથી તેઓ ટેનીસીમાં એમના પુત્ર દેવ જોશીના પુત્ર ડેવિડના પરિવાર સાથે રહેતા હતા.

ન્યુ જર્સીથી મિત્ર પ્રવીણભાઈના ૧૫ મી જાન્યુઆરીના ઈ-મેલમાં આ શોકજનક સમાચાર જણાવતાં એમણે લખ્યું હતું :

મિત્રો,
હમણાં જ દેવ જોશી નો ફોન હતો.
એક કલાક પહેલાં આતાજી આપણને સૌને છોડીને ચાલ્યા ગયા છે. સૂતેલા હતા અને એમનો પૌત્ર ડેવિડ મંદીરે જવા એમને ઊઠાડવા ગયો, ત્યારે તેઓ ભર નિદ્રામાં હતા. બસ કાર્ડિઆક એરેસ્ટ.

શુક્રવારે એમનો ફોન હતો, અને દિવ્યભાસ્કરના ઈન્ટરવ્યુની વાત કરી, ત્યારે તો સરસ મૂડમાં હતા. ઘણી વાતો કરી હતી. આપણા અન્ય સૌ મિત્રોને જણાવશો.

– પ્રવીણ શાસ્ત્રી.

આતાજી જેવા જીંદાદિલ મિત્ર હવે રહ્યા નથી એ માની શકાતું નથી.એમના  પ્રેમાળ અને રંગીલા અને હસમુખા સ્વભાવનાં દર્શન એમની અનેક ઈ-મેલોમાં જોવા મળે છે. એમની ઘણી ઈ-મેલો જેમાં એમણે એમનું હૃદય ઠાલવીને લખ્યું છે એ મેં સાચવી રાખી છે.એમના બ્લોગ આતાવાણીની બધી પોસ્ટમાં પણ એ આપણી સાથે વાત કરતા હોય એમ લાગ્યાં કરે છે.આ બધા લેખોમાં એ જીવંત રહેવાના છે. બ્લોગીત સાહિત્ય એમનો ખરો પરિચય કરાવે છે કે એરીજોનાનો આ સાવજ કઈ માટીનો બનેલો હતો.

થોડા મહિનાઓ પહેલાં પડી જવાથી એમને થાપા- હીપ રીપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવવું પડેલું એમાંથી તેઓ એમના મજબુત મનોબળથી ઉભા થઇ છેલ્લે સુધી કાર્ય રત રહ્યા હતા.ફોન પર ની વાતોમાં એમના અડક આત્મ વિશ્વાસની પ્રતીતિ થતી હતી.એમના  જીવનમાંથી ઘણું  બધું શીખવા જેવું છે. 

૯૬ વર્ષ નું ભરપુર જીવન તેઓ ખુમારીથી જીવ્યા અને શાંતિથી પોઢી ગયા .જીવનમાં ય ખુમારી અને મોતમાં ય ખુમારી.ફોન ઉપર અગાઉ એમની સાથે ઘણીવાર કરેલી લાંબી વાતો યાદ આવે છે. એ સાવજ નો અવાજ શું હવે સાંભળવા નહિ મળે ! મનાતું નથી !

આતાજીની ખોટ એમના કુટુંબને તો પડી જ છે પણ એમના વિશાળ મિત્ર પરિવારને માટે એ ખોટ ઘણા લાંબા સુધી સાલશે.

મારા જેવા અનેક મિત્રોના મિત્ર આતાજીને હાર્દિક શ્રધાંજલિ .

પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબીજનો અને મિત્રોને એમના અવસાનથી પડેલ ખોટને સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે દિલી પ્રાર્થના.

આતાજીના જીવનથી પ્રભાવિત થઈને જાણીતા ગુજરાતી બ્લોગ વેબ ગુર્જરી એ સૌ ગુજરાતીઓ વતી આતાજીને ૨૦૧૩ માં સન્માન પત્ર એનાયત કરેલો એ નીચે પ્રસ્તુત છે. એમાંથી એમના જીવન અને કાર્યનો અંદાજ આવી જશે.

attaji-sanmaan-web-guj

આતાજીના બ્લોગ આતાવાણીની આ લીંક પર એમનો વિગતે પરિચય અને બીજી વિશેષ માહિતી વાંચી શકાશે,

પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવનાર આતાજી

મુરબ્બી આતાજી મને અવાર નવાર એમના ઈ-મેલ મારફતે એમના અનુભવ અને જ્ઞાનનો લાભ આપતા હતા  જેમાં એમના હૃદયના પ્રેમનાં દર્શન થતાં રહેતાં .મારા બ્લોગ વિનોદ વિહારમાં મુકાતી ઘણી પોસ્ટમાં એમનો પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કરતા એ યાદ આવે છે. 

આતાજીનો પ્રેમ કદી નહી ભૂલી શકાય.આ તે કેવો કઠોર સંજોગ કે ૧૫મી જાન્યુઆરીએ મારો જન્મ દિવસ આખો આનંદમાં ગયો અને સાંજે આતાજીના અચાનક અવસાનથી મારી સાંજ શોક અને દુખમાં પલટાઈ ગઈ! આનંદ અને શોક એ જીવનનો કેવો વિચિત્ર ક્રમ હોય છે !

તારીખ ૧૫મી જાન્યુઆરી ૨૦૧૨ – મારા ૭૬ મા જન્મ દિવસ પ્રસંગે એમણે મને એમના ઈ-મેલમાં જે આશિષ વચનો લખ્યા હતા એમાં એમનો પ્રેમ અને એમના દિલની નિખાલસતા જોવા મળે છે.એમનો ઈ-મેલ આ પ્રમાણે હતો.

સ્નેહી ભાઈશ્રી વિનોદભાઈ પટેલ

સૌ પ્રથમ તમને તમારા જન્મ દિવસની વધાઈ આપુ છું.

તમે તમારા કઠોર દિવસો ઠોકર મારીને દુર હડસેલી દીધા .અને તમારા નામ પ્રમાણે “વિનોદ વૃતિ “ટકાવી રાખી .તમારી પાસેથી ઘણું શીખવા જેવું ,અને જીવનમાં ઉતારવા જેવું ઘણું બધું છે.

Ataai
~sacha hai dost hagiz juta ho nahi sakta
jal jaega sona firbhi kaalaa ho nahi sakta
Teachers open door, But you must enter by yourself.

આતાજીની ચાર પેઢી દર્શાવતી એક તસવીર-કુટુંબ વર્તુળ  atta-family

આતાજી, પુત્ર દેવ જોશી, પૌત્રી તાન્યા , પૌત્ર  ડેવિડ અને એનાં બે બાળકો- પુત્ર ,પુત્રી 

આતાજીના જીવનના વિવિધ તબક્કે લીધેલ તસ્વીરોનાં બે આલ્બમ  Aataa picasa albums ( સૌજન્ય- શ્રી મહેન્દ્ર ઠાકર )

 

1.Himatlal Joshi ……. 2.Aataa Wife & Parents

આતાજી જ્યારે ફીનીક્સ ,એરીજોનામાં એકલા રહેતા હતા ત્યારે એમને હૃદયની તકલીફને લીધે હોસ્પીટલમાં એકાએક જવું પડ્યું હતું .  નીચેના વિડીયોમાં એ વખતની વાત તેઓના મુખે સાંભળો.આ વિડીયોમાં એરિજોના ના સાવજની ખુમારી નાં દર્શન થાય છે. 

Published on May 26, 2012
Hospital_Experience-Himatlal

નીચેના વિડીયોમાં આતાજીને એમના લખેલા કબીર ભજનને ગાતા સાંભળી શકાશે.આ ભજન એમણે કબીર સાહેબને અર્પણ કર્યું છે.
Uploaded on Jun 22, 2011

આતાજી વિષે અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ કરવામાં આવેલી બે પોસ્ટ

( 546) અમેરિકામાં વૃદ્ધ જનો સાથેના મારા અનુભવો …..આતાજી

(216) ૯૩ વર્ષના યુવાન બ્લોગર મિત્ર શ્રી હિમ્મતલાલ જોશી- આતાજીને ૯૩મા જન્મ દિને શુભેચ્છાઓ