વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1024 ) સુપ્રસિદ્ધ હાસ્ય લેખક પદ્મશ્રી તારક મહેતા હવે નથી રહ્યા…હાર્દિક શ્રધાંજલિ

Tarak Mehta

                        Tarak Mehta

સ્વ.તારક મહેતાને હાર્દિક શ્રધાંજલિ

”પંચાવન વર્ષ કૉમેડીમાં કાઢયાં,એનો અફસોસ તો ના જ હોય…….. ટૂંકમાં લોકોને હસાવ્યા અને થોડું કમાયા પણ ખરા.હવે થોડા વખતથી તકલીફ છે.મને પોતાને હસવું આવતું નથી.”

“હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.”

તારક મહેતા

” ‘ટપુ ‘નું સર્જન ‘ગમી જાય એવું ‘ છે. અમર નહીં કહું. અજર કહેવું મુશ્કેલ છે, પણ આગવું સ્થાન લે એવું પાત્ર છે.

આપણા હાસ્ય સાહિત્યમાં હાસ્યરસનું પાત્ર સર્જવું બહુ મુશ્કેલ છે.હું હજી આજેય સર્જી શક્યો નથી. ”

– જ્યોતીન્દ્ર દવે

(સૌજ્ન્ય.ગુજરાતી પ્રતિભા પરિચય.તારક મહેતા)

૨૬ મી ડીસેમ્બર, ૧૯૨૯માં અમદાવાદમાં જન્મેલ પ્રખ્યાત હાસ્ય લેખક તારક મહેતા  નું 88 વર્ષેની વયે અમદાવાદ ખાતેના એમના નિવાસસ્થાને આજે ૧લી માર્ચ,૨૦૧૭ ના રોજ લાંબી માંદગી બાદ નિધન થયું છે. પરિવારજનોએ સદગતની ઇચ્છા અનુસાર તેમના દેહનું દાન કરવાનો નિર્ણય લેતાં તેમના દેહને વી.એસ હોસ્પિટલ લઈ જવાયો હતો.

પદ્મશ્રી તારક મહેતાના નિધનથી સાહિત્ય જગતમાં અને એમના અનેક પ્રસંશકોમાં શોકની લાગણી ફેલાઇ છે.

તારક મેહતા કા ઉલટા ચશ્મા ના સર્જક પદ્મશ્રીથી સંમાનિત

તારક મહેતાના જીવનની ઝાંખી જૂઓ આ બે વીડિયોમાં …

TARAK MEHTA | Gujarat Sahitya Academy |
સર્જક અને સર્જન | તારક મહેતા

Tarak Mehta – One of the most famous humorist in Gujarati literature.
Hear him in his own words.

વિનોદ વિહારમાં તારીખ ૨૦મી ફેબ્રુઆરી ૨૦૧૭ ની પોસ્ટ નંબર ( 1019 ) માં તારક મહેતાનાં ધર્મપત્ની ઇન્દુબેનનો એમના પતિ તારક મહેતા વિશેનો એક રસપ્રદ લેખ પ્રસિદ્ધ થયો છે. આ લેખ નીચેની લીંક પર વાંચી શકાશે.

khabarchhe.com

સૌજન્ય-khabarchhe.com

ઇન્દુ તારક મહેતાની નજરે દુનિયાને ઊંધાંચશ્માંનું સર્જન   

1 responses to “( 1024 ) સુપ્રસિદ્ધ હાસ્ય લેખક પદ્મશ્રી તારક મહેતા હવે નથી રહ્યા…હાર્દિક શ્રધાંજલિ

  1. pragnaju માર્ચ 7, 2017 પર 5:29 એ એમ (AM)

    ધન્ય જીવન

    સ્વ તારક મહેતા ની અંજલી સ્વરુપે સુંદર સંકલન

    ધન્યવાદ

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.