વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 24, 2017

( 1033 ) “એક મુલાકાત ” અને “અભ્યાસ” કાર્યક્રમ મારફતે પ્રતિલિપિની સાહિત્ય સેવા

માતૃભાષાના લેખકોને તેમના વાચકો સાથે જોડતું પ્રતિલિપિ.કોમ બેંગ્લોર સ્થિત સોશિયલ ઓન લાઈન સેલ્ફ પબ્લીશીંગ પ્લેટફોર્મ / નેટવર્કિંગ સ્ટાર્ટ-અપ છે. હાલ ગુજરાતી /હિન્દી / તમિલ એમ ત્રણ ભાષાઓના સાહિત્યને પ્રોત્સાહન આપે છે.

પ્રતિલિપિની વેબસાઈટ 14મી સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ હિન્દી દિવસના મંગલ દિને લૌંચ થઇ એ પછી આજ સુધી પ્રતિલિપિએ ગુજરાતી ભાષાના અનેક લેખકોને જે રીતે ઉત્તેજન આપી સુંદર સાહિત્ય સેવા બજાવી છે અને એની પ્રવૃતિઓનો વ્યાપ વધાર્યો છે એ માટે એની ઉત્સાહી ટીમને અભિનંદન ઘટે છે.

વિનોદ વિહારની પોસ્ટ નંબર 1006 માં પ્રતિલિપિનાં પ્રતિનિધિ બ્રિન્દા ઠક્કરએ દ્રશ્ય -શ્રાવ્ય માધ્યમ(વિડીયો)નો ઉપયોગ કરી શરુ કરેલ “એક મુલાકાત “પ્રોગ્રામમાં શ્રી જય વસાવડા અને શ્રી સૌરભ શાહની મુલાકાતના વિડીયો રજુ કર્યા હતા.

પ્રતિલિપિની પ્રસ્તુતી ‘એક મુલાકાત’ને મળેલી સફળ શરૂઆત બાદ હવે પ્રતિલિપિ ઉભરતા અને નવોદિત લેખકો માટે એક ઓનલાઇન વિડીયો ટ્યુટોરીઅલ કાર્યક્રમ – ‘અભ્યાસ’ દર શુક્રવારે સુ.શ્રી બ્રિન્દા ઠક્કર દ્વારા રજુ થઇ રહ્યો છે.

પ્રતિલિપિનાં પ્રતિનિધિ બ્રિન્દા ઠક્કરએ એમના ઈ-મેલથી મોકલેલ “એક મુલાકાત” અને “અભ્યાસ” પ્રોગ્રામના વિડીયોમાંથી કેટલાક વિડીયો આજની પોસ્ટમાં પ્રસ્તુત કર્યા છે જે નવોદિત લેખકો માટે ખુબ પ્રેરક અને પ્રોત્સાહક બનશે એવી આશા છે.

“એક મુલાકાત ” કાર્યક્રમ

પ્રતિલિપિના આ ” એક મુલાકાત”કાર્યક્રમમાં આમંત્રિત ગરવા ગુજરાતીઓના મુખેથી જ એમની જિંદગીને જાણવાની, જીતવાની, માણવાની અને અનુભવોની વાતો તમારા દિલને સ્પર્શી જશે.

શ્રી અનિલ ચાવડાની અભિવ્યક્તિ/અનિલ ચાવડા સાથે એક સુંદર મજાની વાતચીત ~
https://www.youtube.com/watch?v=fufNgftiytU

IAS ઓફિસર શ્રી ભાગ્યેશ જ્હા સાથે એક નાનકડી મુલાકાત
https://youtu.be/dKFEy-jB1xw?list=PL48UJTuuq1Bdr06ZWXrxpTE1qZhVA1HSJ

શ્રેષ્ઠ ગઝલકાર શ્રી શોભિત દેસાઈ ની મુલાકાત
ગુજરાતી સાહિત્ય કઈ દિશામાં જઈ રહ્યું છે તે વિશે ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ ગઝલકાર શ્રી શોભિત દેસાઈ આ મુલાકાતમાં પ્રકાશ પાડે છે.
https://youtu.be/IHYFWx76dq4?list=PL48UJTuuq1Bdr06ZWXrxpTE1qZhVA1HSJ

“અભ્યાસ” પ્રોગ્રામ

“અભ્યાસ” પ્રોગ્રામમાં સાહિત્યના નીવડેલા સાહિત્યકારો એના વિવિધ સ્વરૂપો વિષે ઉભરતા લેખક અને કવિને સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે.

‘અભ્યાસ’ અંક-1 “ગઝલ વિશે”-શ્રી હિતેન આનંદપરા.
આ અંકમાં ગઝલ એટલે શું અને પદ્યના આ પ્રકારને લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે માર્ગદર્શક છે શ્રી હિતેન આનંદપરા.
https://youtu.be/vSma_3LGgX8

અભ્યાસ અંક – 2, ગઝલના પ્રકારો વિશે..શ્રી હિતેન આનંદપરા.
ગઝલના પ્રકારો વિશે અને તે અંગે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક અગત્યની બાબતો. ‘અભ્યાસ’ના આ અંકના માર્ગદર્શક છે શ્રી હિતેન આનંદપરા.
https://youtu.be/ignH47lpe8Y

શ્રી રાજુલ ભાનુશાલી : કવિતા વિશે
https://youtu.be/ZMoSIUuT5Ws

શ્રી કિશોર વ્યાસ : વાર્તાનાં સ્વરૂપો વિશે
https://youtu.be/oszlWSuQvNI

શ્રી કામિની મહેતા : ટૂંકી વાર્તા વિશે
ટૂંકીવાર્તામાં વિષય વસ્તુનું પ્રયોજન અને પાત્ર નિરૂપણ, માર્ગદર્શક શ્રી કામિની મહેતા પાસેથી શીખીએ …
https://youtu.be/edG1LxZ0F50

યુ-ટ્યુબની આ લીંક પર બીજા મુલાકાતના વિડીયો જોવા મળશે.

https://www.youtube.com/channel/UC0uTNjyOnBzxV-Bm5pMDmqA

પ્રતિલિપિ.કોમ સાથે હું ૨૦૧૪થી -એની શરૂઆતથી જ લેખક તરીકે જોડાયો છું.આ વેબ સાઈટ ઉપર આજદિન સુધી મુકાએલ મારી સાહિત્ય રચનાઓ આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

http://gujarati.pratilipi.com/vinod-patel