વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: સપ્ટેમ્બર 17, 2017

1106 -પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 67 મા જન્મદિવસ પ્રસંગે અભિનંદન અને શુભેચ્છાઓ

આજે ૧૭ મી સપ્ટેમ્બર,૨૦૧૭ ના  રોજ ૨૦૧૪માં ભારતના ૧૪ મા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાએલા શ્રી નરેન્દ્ર મોદીનો 67મો જન્મ દિવસ છે.

આ શુભ પ્રસંગે વિનોદ વિહાર આ પોસ્ટ દ્વારા શ્રી મોદીને અભિનંદન આપે છે અને એમના દીર્ઘાયુ અને ઉજળા ભાવી માટે સહર્ષ શુભકામનાઓ  પાઠવે છે.

મુખ્ય મંત્રી તરીકે અનેક વર્ષોથી એમની કર્મ ભૂમિ બનેલી અને વતન ગુજરાતમાં આવીને આખા દિવસના ભરચક્ક કાર્યક્રમોમાં હાજરી આપીને એમની અનોખી રીતે એમણે એમનો જન્મ દિવસ ઉજવ્યો હતો.

જન્મ દિવસની શરૂઆત સવારે ૯૩ વર્ષીય માતા હીરાબાને મળી એમના આશીર્વાદ લઈને કરી હતી. 

PM Modi meets his mother Heeraben on 67th birthday; Ground report from Gandhinagar

અંદાજે વીસેક મિનિટ માતા સાથે વિતાવી માતા હીરાબાના આશીર્વાદ લઈને તેઓ  કેવડીયા કોલોની સરદાર સરોવર બંધ જવા રવાના થયા હતા. 

૫૬ વર્ષને અંતે સરદાર સરોવર બંધ-નર્મદા યોજનાનું મોદીને હસ્તે એમના જન્મ દિવસે ઉદઘાટન.

ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ચાર રાજ્યોના ભાગ્ય ઉઘાડનારી સરદાર સરોવર બંધ-નર્મદા યોજાનાનું આજે એમના જન્મ દિવસે વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યુ છે. મા નર્મદાને ચૂંદડી ચડાવવાની વિધિ કરી મંત્રોચ્ચાર સાથે નર્મદા ડેમનું તેઓએ લોકાર્પણ કયુ હતું.

નોંધનીય છે કે હાલમાં જ ડેમની ઉંચાઈ વધારવાની મંજૂરી અપાઈ હતી. વધેલી ઉંચાઈ સાથે ડેમની કુલ ઉંચાઈ 138.68 મીટર કરી દેવાઈ હતી. જેથી 4.73 મિલિયન એકર ફૂટ પાણીનું તેમાં સંગ્રહ કરી શકાય છે. આ યોજના ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ યોજનાને કારણ લગભગ 10 લાખ ખેડૂતોને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે. આ સિવાય 4 કરોડ જેટલી વસ્તીને પાણી પુરું પાડી શકાશે.

નોંધનીય છે કે તત્કાલીન પ્રધાનમંત્રી નહેરુ દ્વારા 5 એપ્રિલ, 1961ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આ યોજનાની શરુઆત કરાઈ હતી.આજે 56 વર્ષ બાદ વિરોધીઓ ના અનેક અવરોધો પછી હવે પૂર્ણ કરાઈ છે.(સમાચાર સૌજન્ય- ગુજરાત સમાચાર )

PM Modi Speech At Inauguration Of Sardar Sarovar Dam In Gujarat

Narendra Modi’s  latest speech on his Birth Day at Sahakar Sammelan in Amreli, Gujarat.He inaugurated Hare Krishna Sarovar and Building of Dairy Science College.

શ્રી નરેન્દ્ર મોદીનું જૂનું ઘર અને તેમની ચા ની દુકાન || જુવો તેમની નાનપણથી લઇ પીએમ સુધીની ટૂંકી જીવન ઝલક .

gujjurocks.in બ્લોગના સૌજન્યથી એની નીચેની લીંક પર શ્રી મોદીની સમયે સમયે લેવાએલ ઘણી તસ્વીરો સહિત એમની માહિતી સભર જીવન ઝરમર વાંચો .

સતત ૧૮-૨૦ કલાક કામ કરનારા ભારતના સૌથી પાવરફુલ લીડરનું જીવન