વિનોદ વિહાર
ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
Daily Archives: ફેબ્રુવારી 3, 2018
1150- કાવ્ય-સાહિત્ય રસિકોમાં પ્રિય કવિ અને સાહિત્યકાર નિરંજન ભગતની ચિર વિદાય… ભાવાંજલિ
ફેબ્રુવારી 3, 2018
Posted by on પ્રોફ. નિરંજન ભગત – મે ૧૮ ૧૯૨૬ – ફેબ્રુઆરી ૧, ૨૦૧૮
ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને ભગતસાહેબના નામથી પ્રખ્યાત એવા વરિષ્ઠ કવિ નિરંજન ભગતનું ગુરુવાર, તારીખ ૧લી ફેબ્રુઆરી ૨૦૧૮ નાં રોજ અમદાવાદ ખાતે નિધન થયું છે. ટૂંકી માંદગી બાદ ૯૨ વર્ષની વયે તેમણે ગુરુવારે છેલ્લો શ્વાસ લીધો હતો.
ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ અને ‘હું તો બસ ફરવા આવ્યો છું’ જેવી કાવ્યરચનાઓથી ગુજરાતી કાવ્ય-સાહિત્યરસિકોમાં લોકપ્રિય થયેલા સ્વ.ભગત સાહેબના જીવન અને સાહિત્ય ક્ષેત્રે એમણે કરેલ પ્રદાનની શ્રી ભવેન કચ્છી દ્વારા અપાએલ માહિતી વાંચવા અને ઓડિયો સાંભળવા અહી ક્લિક કરો.
ચિત્રલેખામાં પરિચય ..
ગુજરાતી કાવ્ય-સાહિત્યરસિકોમાં લોકપ્રિય થયેલા નિરંજનભાઈએ ‘ચિત્રલેખા’ને ગયા વર્ષે (29 મેએ) વિસ્તૃત મુલાકાત આપી હતી.
વરિષ્ઠ સંવાદદાતા મહેશ શાહે ખાસ તૈયાર કરેલો પરિચય લેખ વાંચવા માટે આ લીંક પર ક્લિક કરશો . http://chitralekha.com/niranjanbhagat.pdf
સ્વ.ઉમાશંકર જોશી અને સુંદરમની કક્ષાના કવિ અને સાહિત્યકાર આદરણીય નિરંજન ભગત સાહેબને હાર્દિક શ્રદ્ધાંજલિ
ગુજરાતી સાહિત્યકાર….નિરંજન ભગત
સર્જક અને સર્જન….ગુજરાતી સાહિત્ય અકાદમી …
Niranjan Bhagat Prastavik-his contribution to Gujrati Sahitya and one man university -madhu kapadia
નિરંજન ભગતનાં કાવ્યોનો રસાસ્વાદ- મધુ કાપડિયા
વિનોદ વિહારની અગાઉની પોસ્ટ નંબર 675 ) હજુ થોડુંક ફરવાનું બાકી છે………. ટેક ઓફ : શ્રી શિશિર રામાવત લિખિત લેખમાં નિરંજન ભગતના અન્ય ગીતોનો પણ આસ્વાદ કરો.
નિરંજન ભગત….Niranjan Bhagat
રચનાઓ ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ
कविताकोश पर एक रचना
વિકિપિડિયા પર
ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર
તેમના અવસાન નિમિત્તે ‘નીરવ રવે’ પર સરસ શ્રદ્ધાંજલિ
નામ
-
નિરંજન નરહરિભાઇ ભગત
જન્મ
-
૧૮ – મે , ૧૯૨૬ ; અમદાવાદ
અવસાન
-
૧, ફેબ્રુઆરી – ૨૦૧૮ ; અમદાવાદ
અભ્યાસ
-
એમ. એ.
વ્યવસાય
-
અધ્યાપન
જીવન ઝરમર
-
બંગાળી અને અંગ્રેજી કાવ્યોનું બહોળું વાંચન
-
‘હાલતી ચાલતી વિદ્યાપીઠ’ જેવા કવિ
-
નગરજીવનનાં કાવ્યો એ સૌથી મોટું પ્રદાન
-
ઉત્તમ વક્તા
-
પરંપરિત હરિગીત અને ઝૂલણા છંદ તેમની વિશિષ્ટ મુદ્રા છે.
-
‘પ્રવાલ દ્વીપ’ નો અંગ્રેજીમાં અનુવાદ થયો છે.
મુખ્ય રચનાઓ
-
કાવ્યસંગ્રહો – છંદોલય * , કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો, પ્રવાલ દ્વીપ , છંદોલય બૃહદ્ – સમગ્ર કવિતા
-
વિવેચન – કવિતાનું સંગીત, કવિતા કાનથી વાંચો, ન્હાનાલાલની ઊર્મિકવિતા, સ્વાધ્યાય લોક – અનેક ભાગ
-
અનુવાદ – ચિત્રાંગદા ( રવીન્દ્રનાથના નાટકનો ), ઓડનનાં કાવ્યો
-
સંપાદન – પ્રો. બ.ક.ઠાકોર અધ્યયન ગ્રંથ, મીરાંબાઇના કાવ્યો
-
ધાર્મિક – યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા
-
તંત્રી – ગ્રંથ, સાહિત્ય
સન્માન
-
૧૯૬૯ – રણજિતરામ સુવર્ણચંદ્રક *
-
૧૯૫૩ – ૫૭ – નર્મદચંદ્રક *
-
૨૦૧૫ – કાવ્યમુદ્રા વિનોદ નિઓટિયા એવોર્ડ
-
સૌજન્ય —ગુજરાતી પ્રતિભા પરિચય , શ્રી સુરેશ જાની
વાચકોના પ્રતિભાવ