વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 16, 2018

1155- ” જરા કહેશો, માબાપની શા કારણે કરો છો અવગણના? ” –સ્વ. અવંતિકા ગુણવંત….શ્રધાંજલિ વાર્તા…મણકો..૫

સ્વ.અવંતિકા ગુણવંત … શ્રધાંજલિ … વાર્તાઓની શ્રેણીમાં આ શનિવારની પસંદગીની વાર્તા .. મણકો..૫ 

તારીખ ૨૦ મી નવેમ્બર ૨૦૦૭ ના રોજ સ્વ.અવંતિકા ગુણવંત ની રૂબરૂ મુલાકાત વખતે એમના નિવાસસ્થાને એમના પતિ શ્રી ગુણવત ભાઈ સાથેની  મારા કેમેરામાં ઝડપેલ એક યાદગાર તસ્વીર.–વિનોદ પટેલ 

 જરા કહેશો, માબાપની શા કારણે કરો છો અવગણના? – અવંતિકા ગુણવંત

હું મારા દરવાજા પાસે ઊભી હતી ને કમુબેન ત્યાંથી નીકળ્યાં. વરસોથી કમુબેનને માથે શાકનો ટોપલો લઈને શાક વેચવા જતાં હું જોઉં.

મને જોઈને એ બોલ્યાં : ‘હાશ ! આજે કેવું સારું લાગે છે, તમારા ઘરનું બારણું ખુલ્લું છે, ને તમે અહીં ઊભાં છો.’

હું બોલી : ‘ત્યાંય મને તમે યાદ આવતાં. સવારના આઠેક વાગે એટલે મને થાય કે તમે શાક વેચવા નીકળ્યા હશો.’

કમુબેનના માથે ભાર હતો તોય એ વાતો કરવા ઊભાં રહ્યાં. કહે : ‘રોજ અહીંથી નીકળું ને દરવાજે તાળું જોઉં ને મારાથી નિસાસો નંખાઈ જતો. બેન, લોકો તો વાતો કરતાં હતાં કે બેન અમેરિકા જ રહેવાનાં છે, આ બંગલો વેચી નાખશે. તો, તમે આ બંગલો વેચી નાખશો?’

‘ના આ ઘર રાખવાનું છે.’ મેં કહ્યું. જીવ હેઠો બેઠો હોય એમ કમુબેન બોલ્યાં : ‘તો બરાબર બહેન, આપણે જીવીએ ત્યાં સુધી આપણું ઘર કદી ના કાઢવું. છોકરાના ઘેર ભલે તમે રહો; છોકરા આપણા,પણ એમનું ઘર આપણું ના કહેવાય. ત્યાં આપણી મરજી ના ચાલે. ત્યાં લાંબું ના ગોઠે. મન ઊંચું થઈ જાય તો અહીં આવીને રહેવાય.’

કમુબેનને પાંચ છોકરા અને ત્રણ છોકરીઓ. બધાંને ભણવા સ્કૂલમાં મોકલે. મને કહે : ‘બહેન, એમને જન્મ આપ્યો, ભણાવીને માણસ બનાવીએ,રળતા કમાતા કરીએ એટલે આપણી ફરજ પૂરી.’

હું કહું : ‘ઘડપણમાં તમારે શાંતિ. છોકરા કમાશે અને તમે શાંતિથી ખાજો.’

‘ના રે બહેન, મારે કોઈની કમાઈ ખાવી નથી, હું તો ઉપરવાળાને કહું છું જીવાડે ત્યાં સુધી પગમાં તાકાત આપે. મારો રોટલો હું કમાઈ ખાઉં.’

આ કમુબેન સાથે વાત કરવી મને ગમતી. લગભગ બે વરસે કમુબેને તે દિવસે મને જોઈ હતી. તે બોલ્યાં : ‘બહેન ! ચારે બાજુ બધું બદલાયેલું લાગતું હશે, નહીં?’

‘હા જુઓને, કેટલા બધા બંગલા તૂટ્યા ને ફ્લેટો આવી ગયા છે. એરિયાની રોનક વધી ગઈ.’ હું બોલી.

” શું બહેન? રોનક વધી પણ શાંતિ નથી વધી. આપણી લાઈનમાં આગળ એક બંગલો છે, જૂનો વેચાઈને નવો થયો છે, ત્યાં એક બા રહે છે, બપોરે શાક વેચીને પાછી વળું ત્યારે એ થોડીવાર એમની પાસે મને બેસાડે.’

તમારે જૂની ઓળખાણ હશે.’ મેં પૂછ્યું.

‘ના રે, ત્યાં કોઈ ઓળખાણ ન હતી. એક વાર બપોરે હું પાછી આવતી હતી ત્યારે એમણે મને બોલાવી. મને એમ કે એમને શાક જોઈતું હશે તેથી મેં કહ્યું બા શાક નથી. તો એ કહે, શાક નથી જોઈતું. તું ફરીફરીને સાદ પાડી પાડીને થાકી હોઈશ થોડી વાર બેસ. મેં કહ્યું બા, ઘેર પહોંચું. હજી રોટલા ઘડવાના છે. તે કહે જવાય છે, હું ઓટલે જઈને બેઠી. મને થોડી પૂરીઓ અને અથાણું આપ્યું. મેં થોડીવાર વાતો કરી અને ઊભા થતાં મારી પાસે કોબીજનો એક દડો વધ્યો હતો એ એમની પાસે મૂક્યો ને બોલી, બા આના સિવાય મારી પાસે બીજું કંઈ નથી.’

એ બા કહે : ‘મારે તારી પાસેથી કાંઈ શાક જોઈતું નથી. શાક તો મારકીટમાંથી આવે છે. બસ તારે રોજ મારી પાસે આવીને વાતો કરવાની.’

મેં કહ્યું : ‘પણ મારાથી મફત ના ખવાય.’ તો એ બા કહે : ‘તું મફત નથી ખાતી, મારી પાસે બેસીને વાત કરે છે એની કિંમત હું તને આપું છું.’

પછી એ બા નિસાસો નાખીને કહે, ‘આવડું મોટું ઘર છે, ઘરમાં માણસો છે પણ કોઈ મારી પાસે બેસતું નથી, વાત કરતું નથી. કામવાળી બાઈનેય મારી સાથે વાત કરવાની મનાઈ છે.’

ઘરડાંની લાચારીની હૃદયદ્રાવક વાતો હું સાંભળી રહી હતી. કમુબેન કહે, ” મેં એ બાને પૂછ્યું કે તમારો આખો દિવસ શી રીતે જાય ! ‘તો એ બા કહે, ‘મારા રૂમમાં ટી.વી. છે. ફોન છે, ટી.વી. જોઉં. કોઈની સાથે વાત કરું, પણ મારે ક્યાં બહુ ઓળખીતા હોય, હું તો બહાર ઓટલે બેસી રહું છું ને જતા આવતા ફેરિયાને બોલાવું ને વાતચીત કરું.”

આજુબાજુના બંગલામાં જવાનીય મનાઈ છે. મહેમાન આવે તે જો વહુ દીકરાના હોય ત્યારે મારે મારી રૂમમાં ભરાઈ જવાનું. કોઈ સગાં આવે તો બહાર દીવાખાનામાં બેસવાની છૂટ ખરી પણ બોલવાની કે વાતો કરવાની છૂટ નહીં. હું તો અહીં, નજરકેદમાં છું. એ લોકો બહાર જાય પણ મને નથી લઈ જતાં.”

કમુબેન કહે, મેં એ બાને કહ્યું, તમારે તમારું પોતાનું ઘર નથી? ત્યાં જઈને રહો, ત્યારે બા કહે, ”ગામમાં મારું મોટું ઘર હતું, આગળ આંગણું, પાછળ વાડો, ઓસરીમાં મોટી પાટ. આડોશી પાડોશી આવે ને પાટ પર અમારો ડાયરો જામે. એય અલકમલકની વાતો કરીએ. મારા આંગણામાં તો વસ્તી જ વસ્તી હોય પણ દીકરાએ આ બંગલો લીધો ને ગામ આવીને કહે ચાલો મારી સાથે રહેવા. અને મેં ઘર વેંચી દીધું ને અહીં કેદખાનામાં આવી પડી. દીકરાની સાથે રહેવાના મોહમાં મારા આયખામાં મેં ધૂળ નાખી. હવે તો અહીંથી ઉપરવાળો છોડાવે ત્યારે છૂટીશ.”

કમુબેને એ દુખિયારાં બાની વાત પૂરી કરી પણ એ સાંભળીને મારા મનમાં ઉપજેલી ઉદાસીનતા જતી નથી. થાય છે શિક્ષિત, સ્થિતિસંપન્ન યુવાન સંતાન પોતાનાં જ માબાપ સાથે કેમ આવો નિષ્ઠુર સંવેદનારહિત વર્તાવ કરતાં હશે? બહારનાની જોડે હસી હસીને વિવેકથી વાતો કરનાર એ સંતાનોને પોતાના જ માવતરની અવગણના કરતાં જરાય હિચકિચાટ નહીં થતો હોય?”

-અવંતિકા ગુણવંત 

(સ્વ.અવંતિકા ગુણવંતના પુસ્તક ‘ઊગે સૂર્ય વિવેકનો’ માંથી સાભાર. )

1154 – Inspiration | 102 Years Young Vegan Doctor reveals how to live longer

Meet Dr Ellsworth Wareham. 102 year young, vegan for over 50 years and only retired from being a heart surgeon at the young age of 95!

“Many times I’ve been tempted. One time in Birmingham train station I actually bought a burger and raised it to my salivating mouth, but never took a bite.”-Dr. Ellsworth Wareham.

In this video Find out more about this remarkable man’s life and secret to longevity.

 

A sprightly centenarian says a vegan lifestyle is the secret to his sharp mind and incredible health at 101 years old.

‘It just so happens that veganism is a very healthy lifestyle.’

Read more on this link …

http://metro.co.uk/2015/10/15/101-year-old-heart-surgeon-reveals-vegan-diet-is-secret-to-his-longevity-5439590/?ito=cbshare

==========================

Life Lessons From Three 100-Year-Olds

We asked three centenarians what their most valuable life lessons were, and also their regrets.