Daily Archives: એપ્રિલ 24, 2018
સાભાર -શ્રી ભરત પી.પટેલ,નોર્થ કેરોલીના
વોટ્સેપ પર અવાર નવાર મિત્રો સુંદર વાંચવા અને વિચારવા જેવું પ્રેરક સાહિત્ય મોકલે છે.એમાંથી મને ગમેલી વાતો આજની પોસ્ટમાં પ્રસ્તુત છે.
આ કડવુ છે પણ સત્ય છે…
જિંદગી સુધારવા મથતા લોકોએ અચૂક વાંચવા અને સમજવા જેવી
આ હકીકતો છે.
ચકલી જયારે જીવિત રહે છે ત્યારે તે
કીડીઓને ખાય છે,
ચકલી જયારે મરે છે ત્યારે
કીડીઓ એને ખાય જાય છે
એટલા માટે એ વાતનું ધ્યાન રાખો કે “સમય અને સ્થિતિ” ક્યારેય પણ બદલી શકે છે.
એટલા માટે ક્યારેય કોઈનું અપમાન ન કરવું.
ક્યારેય કોઈને નીચા ન ગણવા.
તમે શક્તિશાળી છો પણ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી છે.
એક વૃક્ષથી લાખો માચીસની સળીઓ બનાવી શકાય છે,
પણ એક માચિસની સળીથી લાખો વૃક્ષ પણ સળગી જાય છે.
કોઈ માણસ કેટલો પણ મહાન કેમ ન હોય, પણ કુદરત ક્યારેય કોઈને મહાન બનવાનો મોકો નથી આપતો.
કંઠ આપ્યો કોયલને તો, રૂપ લઇ લીધું.
રૂપ આપ્યું મોરને તો, ઈચ્છા લઇ લીધી.
આપી ઈચ્છા ઇન્સાનને તો, સંતોષ લઇ લીધો.
આપ્યો સંતોષ સંતને તો, સંસાર લઇ લીધો.
આપ્યો સંસાર ચલાવવા દેવી-દેવતાઓને તો,
તેની પાસે પણ મોક્ષ લઇ લીધો.
ન કરશો ક્યારેય અભિમાન,
પોતાની જાત પર ‘એ ઇન્સાન’
ભગવાને મારી અને તમારી જેવા કેટલાને માટીથી બનાવ્યા છે અને માટીમાં મેળવી નાખ્યા છે.
માનવી ફક્ત ત્રણ વસ્તુઓ માટે જ મહેનત કરે છે –
મારું નામ ઊંચું થાય.
મારા કપડા સારા હોય.
મારું મકાન સુંદર હોય.
પરંતુ, માણસ જયારે મરે છે ત્યારે ભગવાન તેની આ ત્રણેય વસ્તુ
સૌથી પહેલા બદલી નાખે છે.
નામ – (સ્વર્ગીય)
કપડા – (કફન)
મકાન – (સ્મશાન)
જીવનનું કડવું સત્ય, જેને આપણે સમજવા જ નથી માંગતા…
આ સરસ પંક્તિ જે પણ મહાન પુરુષે લખી છે તેણે શું સુંદર લખ્યું છે.
એક પથ્થર ફક્ત એક જ વાર મંદિર જાય છે અને ભગવાન બની જાય છે…જયારે
માનવી દરરોજ મંદિર જાય છે તો પણ પથ્થર જ રહે છે….
સુંદર લાઈનો
એક મહિલા પુત્રને જન્મ આપવા માટે પોતાની સુંદરતાનો ત્યાગ કરે છે….અને
તે જ પુત્ર એક સુંદર પત્ની માટે પોતાની માતા નો ત્યાગ કરે છે….
લાઈફમાં આપણને બધી જગ્યાએ “સક્સેસ (જીત)” જોઈએ છે.
ફક્ત ફૂલ વાળાની દુકાન એવી છે
જ્યાં આપણે કહીએ છીએ કે ….“હાર” આપજો…
થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે …. અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે.
ધુળ જેવી છે જીંદગી આપણી ….. આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર .!
બરફ જેવી છે આ જીંદગી … જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી ….
પ્રશ્નો તો રહેવાના જ . સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે .. અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે , પણ શું કરીએ ?
ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે … પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે ; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે .
કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે .. જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે !
સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે…
માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સત્તાસ્થાને બેસાડો.
જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પહેલાં જ રબર ઘસાઈ જાય !
જીવનમાં ફક્ત એક સારી વ્યક્તિનો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !
દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે.
મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દયમાં ગુંજ્તા ગીતને જાણે છે ,અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.
અને છેલ્લે ….
શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય……. તે મોત ..
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ……….. તે મોક્ષ !!
સ્વામી વિવેકાનંદનાં પ્રેરણાદાયી સુવાક્યો …


આભાર
ગમતાને ગુંજે ના ભરશો, ગમતાનો ગુલાલ કરશો.
તમારા મિત્રોને પણ વાંચવા આગળ જવા દેશો ..
વાચકોના પ્રતિભાવ