૧૬ મી ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ જેમણે દુખદ વિદાય લીધી અને જેમનો દેહ ૧૭ મી ઓગસ્ટના રોજ પંચ મહાભૂતમાં ભળી ગયો એ ભારતના 13 મા લોકપ્રિય વડા પ્રધાન સ્વ.અટલ બિહારી બાજપાઈ એક વિચક્ષણ અને કાર્યદક્ષ રાજકીય નેતા હોવા ઉપરાંત એક સારા કવિ પણ હતા. આ હકીકતને બહું ઓછા લોકો જાણતા હશે.અટલજીની કવિતાઓ ઘણા કવિ સંમેલનોમાં કવિઓમાં પ્રચલિત બની હતી.
આજની પોસ્ટમાં એમનાં કેટલાંક હિન્દી કાવ્યો વાચકોના આસ્વાદ માટે મુક્યાં છે જે અટલજીની કવિત્વ શક્તિનાં દર્શન કરાવે છે.
૧.
आओ फिर से दिया जलाएँ
भरी दुपहरी में अंधियारा सूरज परछाई से हारा अंतरतम का नेह निचोड़ें- बुझी हुई बाती सुलगाएँ। आओ फिर से दिया जलाएँ
हम पड़ाव को समझे मंज़िल लक्ष्य हुआ आंखों से ओझल वतर्मान के मोहजाल में- आने वाला कल न भुलाएँ। आओ फिर से दिया जलाएँ।
आहुति बाकी यज्ञ अधूरा अपनों के विघ्नों ने घेरा अंतिम जय का वज़्र बनाने- नव दधीचि हड्डियां गलाएँ। आओ फिर से दिया जला
૨.
टूट सकते हैं मगर हम झुक नहीं सकते
सत्य का संघर्ष सत्ता से न्याय लड़ता निरंकुशता से अंधेरे ने दी चुनौती है किरण अंतिम अस्त होती है
दीप निष्ठा का लिये निष्कंप वज्र टूटे या उठे भूकंप यह बराबर का नहीं है युद्ध हम निहत्थे, शत्रु है सन्नद्ध हर तरह के शस्त्र से है सज्ज और पशुबल हो उठा निर्लज्ज
किन्तु फिर भी जूझने का प्रण अंगद ने बढ़ाया चरण प्राण-पण से करेंगे प्रतिकार समर्पण की माँग अस्वीकार
અગાઉ વિનોદ વિહારનીપોસ્ટ નંબર ( 465 )/ 1-6-2014માં મુકેલ અટલજી ના હિન્દી કાવ્ય ‘’ કૌરવ કૌન , કૌન પાંડવ ? ” અને આ હિન્દી કાવ્યનો મારો ગુજરાતી અનુવાદ પણ કાવ્યના ચિત્ર નીચે મુક્યો છે .આશા છે આપને એ ગમશે.
અટલજીના આ કાવ્યનો ગુજરાતી અનુવાદ… વિનોદ પટેલ
આ કાવ્યમાં સાંપ્રત રાજકારણ અને ગરીબો પ્રત્યેની અટલજીના દિલમાં રમતી ઊંડી સંવેદનાનાં દર્શન થાય છે.એમની આ કવિતા બહું જ અર્થપૂર્ણ અને સમયોચિત છે . આજના સમયને પણ એ લાગુ પડે છે. જાણે કે આ કાવ્ય દ્વારા હાલના રાજકીય નેતાઓને તેઓ ટકોરા બંધ સંદેશ આપે છે કે દેશમાં હજુ કેટલું બધું કરવાનું બાકી છે .
સ્વ. અટલજી પાર્લામેન્ટમાં કોઈ મુદ્દો સમજાવતી વખતે એમની કવિતાને સ્પીચમાં સરસ વણી લેતા હતા. આ વિડીયોમાં અમેરિકા પાકિસ્તાનને શસ્ત્ર સરંજામ આપી એની સાથે જે સમજુતી કરી હતી એની સામે દેશમાં જે વ્યાપક રોષ હતો એ આ કાવ્યમાં રાષ્ટ્રીય સંકલ્પને જોશથી રજુ કરતા અટલજીને જોઈ શકાય છે.
Vajpayee Forever : The Poet Prime Minister
Atal Bihari Vajpayee’s captivating poems:
Famous poem of Atal Bihari Vajpayee
Remebering one of Atal Bihari Vajpayee’s famous poems
અટલજીએ આ કાવ્યની રચના જવાહરલાલ નહેરુના અવસાન વખતે એમને શોકાંજલિ આપતાં કરી હતી .પરંતુ આ કાવ્ય આજની તારીખે અટલજીને માટે પણ આબાદ લાગુ પડે છે.
વાચકોના પ્રતિભાવ