ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના પ્રેસીડન્ટ શ્રી રામનાથ કોવિંદ એ દેશની જે પ્રમુખ હસ્તિઓને પદ્મશ્રી પુરસ્કારોથી સન્માનિત કરવાની જાહેરાત કરી એની યાદીમાં ગણપત યુનિવર્સિટીના પ્રેસિડન્ટ અને પેટ્રન-ઇન-ચિફ શ્રી ગણપતભાઇ પટેલનો પણ સમાવેશ થાય છે.
ધર્મપત્ની મંજુલાબેન સાથે પદ્મશ્રી ગણપતભાઈ પટેલ
‘’વિદ્યાર્થીના જીવનમાં પરિવર્તન એ જ સાર્થકતા છે’’ ગણપતભાઇ
ગૌરવવંતી ગુજરાતી પ્રતિભા શ્રી ગણપતભાઈ પટેલને પદ્મશ્રી જેવા પ્રતિષ્ઠિત એવોર્ડનું સન્માન પ્રાપ્ત કરવા બદલ અમારા જાણીતા સ્નેહી મિત્ર સમા શ્રી ગણપતભાઈને વિનોદ વિહાર ગૌરવ અને આનંદ સાથે અભિનંદન પાઠવે છે.
પદ્મશ્રી ઉપરાંત અગાઉ ગણપતભાઈને નીચેના પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળ્યા છે.
૧.2018માં તેમને અમેરિકાની કાલ પોલિ યુનિવર્સિટી દ્વારા ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમ્ની એવોર્ડ એનાયત કરાયો હતો. આ એવોર્ડ મેળવનાર તેઓ એકમાત્ર ભારતીય છે
૨.2014માં તેમને સેલ્યુટ ઈન્ડિયા એન.આર.આઈ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
૩.આ ઉપરાંત તેમને અમેરિકન સોસાયટી ઓફ એન્જિનિયર્સ દ્વ્રારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરાયો છે.આ એવોર્ડ ઘણો પ્રતિષ્ઠિત ગણાય છે.
૪.2005થી ગણપત યુનિવર્સિટીના પેટ્રન ઓફ ચીફ તરીકે માનભર્યો હોદો સંભાળતા ગણપતભાઈને જ્વેલ ઓફ ભારત અને જ્વેલ ઓફ ગુજરાતના એવોર્ડ મળી ચૂક્યા છે.આ ઉપરાંત અન્ય એવોર્ડ પણ તેમને મળ્યા છે.
શ્રી ગણપતભાઈને પદ્મશ્રી એવોર્ડ મળ્યાના સમાચારથી મને વિશેષ આનંદ એટલા માટે થાય છે કે શ્રી ગણપતભાઈ પટેલ અને એમનાં ધર્મપત્ની શ્રીમતી મંજુલાબેનને હું વર્ષોથી ઓળખું છું.કોઈવાર સામાજિક પ્રસંગોમાં એમને રૂબરૂ મળવાનું થયું છે.આટલી સિદ્ધિ અને સમૃદ્ધિ મળી હોવા છતાં એમનું વ્યક્તિત્વ સાદું,નિરાભિમાની,ખુબ સરળ છે.તેઓ મળતાવડો રમુજી સ્વભાવ ધરાવે છે.ફેબ્રુઆરી ૨૦૦૭માં મારા પુ.પિતાશ્રી રેવાભાઈનું અવસાન થયું ત્યારે એમની શોક સભા અને ફ્યુનરલમાં મંજુલાબેન સાથે તેઓ લોસ એન્જેલસથી સાન ડીએગો સુધી ડ્રાઈવ કરીને હાજરી આપી હતી.
ગણપતભાઈ અને મંજુલાબેનના વિદ્યા યજ્ઞના સદકાર્યોમાં એમની ત્રણેય દીકરીઓ આશાબહેન, રીટાબહેન અને અનિતાબહેનનો પૂરો સહકાર અને ટેકો હોય છે.
ગુજરાતના મુખ્ય મંત્રીનું પદ સંભાળ્યા પછી વડા પ્રધાન તરીકે ચૂંટાઈને શ્રી નરેન્દ્ર મોદી દિલ્હી ગયા ત્યારે એમને મળીને અભિનદન આપવા શ્રી ગણપતભાઈ એમનાં ધર્મપત્ની મંજુલાબેન સાથે દિલ્હી ગયા હતા એ પ્રસંગની આ બે તસ્વીરો શ્રી ગણપતભાઈએ મને ઈ-મેલમાં મોકલી હતી.
ગણપતભાઇનો જન્મ 12 જાન્યુઆરી 1945 ના રોજ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ભૂણાવ ગામમાં થયો હતો.તેઓ વર્ષોથી પરિવાર સાથે અમેરિકામાં,લોસ એન્જલસમાં સ્થાયી થયેલા છે.એમના પિતા ઈશ્વરભાઈ ખેડૂત હતા.ગણપભાઈ 1965માં અમેરિકા વધુ અભ્યાસાર્થે ગયા હતા.ત્યાં એન્જીનીયરીંગની ડીગ્રી લઇ થોડો સમય વ્યવસાય સાથે જોડાયા.અમેરિકામાં સ્થાયી થયા બાદ સફળ ઉદ્યોગ સ્થાપી સારી કમાણી કરી.અમેરિકામાં રહીને તેઓ એમના મૂળ વતનને ભૂલ્યા ન હતા.તેઓએ અને એમના મિત્ર અનીલભાઈએ મળીને એપ્રિલ 2005માં ગણપત યુનિવર્સીટીની સ્થાપના કરી હતી.
1978માં ગણપતભાઈએ લોસ એન્જેલસમાં ‘ચેરોકી ઈન્ટરનેશનલ’ નામની પોતાની કંપની સ્થાપી એમાં એમની સૂઝ,આવડત અને પુરુષાર્થથી સારી કમાણી કરી.આ કમ્પનીમાં હજારો લોકોને રોજગારી આપી.ગુજરાતમાંથી અમેરિકા ભણવા જતા કે નોકરી-ધંધો કરવા જતા અનેક લોકો માટે ગણપતભાઈની ચેરોકી કંપની આશીર્વાદ રૂપ બનતી.ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમની કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ મળી જતી જેનાથી એમને અમેરિકામાં સેટ થવા માટે ચેરોકી પહેલો વિસામો બનતી હતી એ મેં નજરે જોયું છે.
ગણપત પટેલના ખાસ મિત્ર, એક વારના ગુજરાત સરકારમાં ઉદ્યોગ મંત્રી અને એપોલો ગ્રુપના માલિક સ્વ.અનીલ પટેલ અને ગણપત પટેલએ સાથે મળીને મારા વતનના ગામ ડાંગરવા નજીકના જ ગામ ખેરવા ગામ વિસ્તારમાં ગણપત વિદ્યા નગર અને ગણપત યૂનિવર્સિટીની સ્થાપના કરી.ગણપતભાઈએ આ યુનિવર્સિટીની સ્થાપના અને વિકાસમાં અત્યાર સુધી રૂ.૪૦ કરોડ જેટલું માતબર દાન કરી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં કેળવણી ક્ષેત્રે એક અનન્ય અને વિરલ કાર્ય કર્યું છે.
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર માટે એમના આવા ઉમદા કાર્યો માટે તેઓને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે એ બિલકુલ યોગ્ય પસંદગી છે.આ એવોર્ડ માટે ભારત સરકારને અને ગુજરાત સરકારને ધન્યવાદ ઘટે છે.
વિનોદ પટેલ
ગણપતભાઈ વિષે દિવ્ય ભાસ્કરમાં શ્રી રમેશ તન્નાનો એક સુંદર લેખ –
વરિષ્ઠ પત્રકાર ,લેખક અને દરિયાપારના ગુજરાતીઓમાં માતૃભાષાને જીવંત રાખવામાં સક્રિય શ્રી રમેશ તન્નાએ શ્રી ગણપતભાઈ વિષે દિવ્ય ભાસ્કરની ”રસધાર” કોલમમાં એમની રસાળ શૈલીમાં વિગતવાર એક સુંદર લેખ લખ્યો છે.
વાત ગણપત યુનિવર્સિટીના સ્થાપક ગણપતભાઈ પટેલની
ગણપતભાઈએ એક મુલાકાતમાં કહ્યું હતું કે હું અમેરિકામાં ભણતો હતો ત્યારે કે પ્રારંભમાં મારો વિકટ સમય હતો ત્યારે મારી પાસે પૈસા નહોતા, તો ક્યારેક મેં કોઈની પાસેથી ઉછીના પૈસા નહોતા માગ્યા કારણ કે મારાં માતાએ મને મેનેજમેન્ટ શીખવ્યું હતું. મારી માએ સીમિત આવકમાં અગિયાર સંતાનોનો ઉછેર કર્યો હતો. આજે જે એમબીએમાં ભણાવાય છે કે સ્રોતનો મહત્તમ ઉપયોગ કરો અને બગાડ ઓછો કરો એ સજ્જતામાં મારી માએ મને બાળપણમાં જ આપી દીધી હતી. હું અમેરિકા આવ્યો ત્યારે મારી માતા મેનાબા પાસે એમબીએ થઈને આવ્યો હતો.
૧.આ વિડીયોમાં પદ્મશ્રી પ્રાપ્ત કર્યા પછી એમનું ટૂંકું વ્યક્તવ્ય આપતા ગણપતભાઈને નિહાળી શકાશે.
” સમાજને જો ઉંચો લાવવો હોય તો વિદ્યાથી કોઈ બીજું સાધન નથી”
Padmshri Award Winner Ganpatbhai Patel Ganpat University
૨. ગણપત યુનીવર્સીટીના પ્રથમ પ્રેસીડન્ટ અનિલભાઈ પટેલના દુખદ અવસાન બાદ માર્ચ ૨૦૧૮ માં ગણપતભાઈ પટેલએ યુની. ના બીજા પ્રેસીડન્ટ તરીકે બાગડોર સંભાળી એ પ્રસંગે સ્વીકૃતિ વક્તવ્ય આપતા ગણપતભાઈને આ વિડીયોમાં જોઈ શકાશે.
Presidential Speech of Shri Ganpatbhai Patel during the Installation of Shri Ganpatbhai Patel as the University’s second President on the occasion of the Vidya Shilpi Divas.
સાચા વિદ્યાધરોનું બહુમાન એ સમાજનું ગૌરવ
Sent from my iPhone
>
LikeLike
બહુ જ ઉમદા વ્યક્તિ. એમના વિશે કશી ખબર જ ન હતી. એ જાણ કરવા માટે ખુબ ખુબ આભાર.
LikeLike
Pingback: 1274 – ગણપત યુનિવર્સિટીના સ્થાપક, ”વિદ્યા શિલ્પી” સ્વ. અનિલ પટેલ .. પરિચય … ભાવાંજલિ | વિનોદ વિ
Nice article in Mumbai Samachar
ગણપતભાઈના સપનાને પદ્મશ્રી મળ્યો
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=468804
LikeLike
pat patel
To:
vinodbhai patel
Thank you Vinodbhai
Regards Ganpatbhai and Manjuben
Sent from my iPhone
LikeLike