વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત

ચાલો ઉજવીએ આ દિવસ નીચેના બે ગુજરાતની યશ ગાથા

રજુ કરતા ભાવવાહી Videothir

courtesy…Smt.Devika Dhruv

 

આજના શુભ દીવસે વિનોદ વિહારના સૌ

વાચકોને

એક ખુશ ખબર અને આભાર

100 0000 + એક મિલિયન થી વધુ

મુલાકાતીઓ !!

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી

મુલાકાતીઓની સંખ્યા…..

As on today no.of visitors…..

 

  • 1,024,013 મુલાકાતીઓ

સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧

 

જરૂર વાંચજો.. અને તમે ઘર ના બધા સભ્યો જમવા સાથે બેસો ત્યારે  જાતે આ સ્ટોરી કહેશો તો બહુ સારું લાગશે. માટે 2 વાર વાંચજો…

 

સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગ   —

 
પરમાર્થ કરવા નીકળ્યા હો,
કોઈ ભૂખ્યાનું પેટ ઠારવા નીકળ્યા હોવ ત્યારે  તમારા મોબાઈલ થી ફોટા ન પાડતા નહિતર તમારા કપડાં જયારે ખેંચાશે  ત્યારે પ્રભુ ફોટા પાડતો હશે
👆🏽બહુ જ ઉત્કૃષ્ટ વાત કરી છે
 
— ઉપકાર કરવાની ભાવનાથી કરેલ કોઈપણ સતકર્મની પ્રભુ નોંધ લેતો નથી.
 
એક વખત એક સેવાભાવી સંસ્થાની અંદર કુદરતી આફત વખતે સેવા કાર્ય ચાલી રહ્યું હતું.
 
     આ દરમ્યાન એક દાદા જૂની ધોતી ઉપર બંડી પહેરી રીક્ષામાંથી નીચે ઉતર્યા. એ કાર્યાલય તરફ આગળ વધતા હતા . એક હાથમાં લાકડી , બીજા હાથમાં ઝોળી , આંખે ચશ્મા , પગમાં જૂનાં ચંપલ છતાં ચાલમાં ખુમારી હતી.
 
     એ કાર્યાલય તરફ આગળ વધ્યા એટલે ત્યાંની ઓફિસના કર્મચારીએ દાદાને રોક્યા….
”દાદા લાઈનમાં ઊભા રહો, અથવા અહીં બેસો તમારો વારો આવે એટલે બોલાવશું….”
 
   દાદા બાંકડા ઉપર બેસી લાઈનમાં ઉભેલા વ્યક્તિઓનું નિરીક્ષણ કરી રહ્યાં હતાં….!!
    લોકો મોઢા ઉપર પોતાની ઓળખ છુપાવવા માટે રૂમાલ કે ઓઢણી ઢાંકી ટિફિન પકડી લાઈનમાં ઊભા હતા. કોઈ મોબાઈલથી વીડિયો ઉતારતા હતા તો કોઈ ફોટા પાડી રહ્યા હતા….
      આવા સંકટ સમયે સંજોગોના શિકાર બનેલ વ્યક્તિઓના  પણ ફોટા અને વીડિયો ઉતારી અમુક લોકો નીચ  હરકતો કરી વિકૃત આનંદ મેળવી રહ્યા હતા….!
 
અચાનક કોઈએ બુમ પાડી. દાદા આવી જાવ તમારૂ ટિફિન લઇને.
દાદા નજીક ગયા, ઓફિસમાંથી અવાજ આવ્યો દાદા વાસણ ઘરેથી લાવવાનું.
 
દાદા બોલ્યા , ‘બેટા હું એ માટે નથી આવ્યો મારે અગત્યની વાત કરવી છે.’
 
‘..પણ અત્યારે દાદા,  અમારી પાસે સમય નથી…’ ઓફિસમાંથી અવાજ આવ્યો.
 
અરે બેટા, ડોનેશન માટે વાત કરવી છે.  ઓફિસના કર્મચારી દાદાને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યા પછી બોલ્યા સારું આવો.
 
દાદા ઓફિસમાં ગયા, બોલ્યા ડોનેશન લ્યો છો ?
 
હા દાદા , અત્યારે તો ખૂબ જરૂર છે. બોલો , કેટલા રૂપિયાની રિસિપ્ટ ફાડું.
 
દાદાએ ઝોળીમાં હાથ નાખી ચેકબુક કાઢી ચેક લખ્યો.
ચેક હાથમાં પકડતાં જ સંસ્થાનો કર્મચારી ઊભો થઇ ગયો . બે વખત મીંડાઓ  ગણવા લાગ્યો. દાદા સામે જોઈ બોલ્યો ,
“દાદા, આ રકમ તમે તમારી જાગૃત અવસ્થામાં લખો છો ?
તમારા પરિવારને  આ બાબતની જાણ છે ?
*આ ચેકની રકમ બે કરોડ રૂપિયા છે , એ આપ જાણો છો ?”*
 
“હા બેટા , મારા પરિવાર ને ખબર છે. અને  ચેકની રકમ બે કરોડ રૂપિયા છે એ પણ હું જાણું છું. વધારે ખાતરી કરવી છે?
 
પણ આ ચેક સામે તમારે મને એક વચન આપવું પડશે.”
 
‘બોલો દાદા….’
 
    આ સંસ્થા માં આવતી દરેક વ્યક્તિ પીડિત હોય છે. તે કોઈ પણ ખરાબ સંજોગોના શિકાર બનેલ હોય છે….
    આવી વ્યક્તિઓના ફોટા પાડવા વિડિયો  ઉતારવા યોગ્ય લાગે છે ?
 
“ના દાદા…”
 
આ કોઈ કીર્તિદાન નથી બેટા તેથી….
બસ , મારી એક નાની શરત છે. આ સંસ્થામાં ફોટો તથા વીડિયો ઉતારવાની સંદતાર મનાઈ છે.. આટલું બોર્ડ મારી દેજો…..!!
 
     કાર્યાલયનો સ્ટાફ દાદાને હાથ જોડી બોલ્યા , “દાદા કોઈના પહેરવેશ ઉપર થી વ્યક્તિ વિશે અનુમાન ન બાંધવું જોઈએ . અમે તમને ઓળખવામાં ભૂલ કરી …..!!”
 
દાદા , દાનની રીસીપ્ટ કોના નામે બનાવીએ…..?
 
દાદા બોલ્યા…દાન નહીં બેટા ભેટ બોલ
રીસીપ્ટની તો મારે જરૂર નથી  છતાં પણ આપવી હોય તો મારા નામની જગ્યા એ લખ…..
 
*”કૃષ્ણ અર્પણમ્…”*
 
બેટા ધરતીકંપ વખતે તારી સંસ્થાનું ઘણું અમારા પરિવારે ખાધું હતું ,  ત્યારે જ મેં નિર્ણય લીધો હતો . સમય આવે એક એક દાણાનો વ્યાજ સાથે હિસાબ અહીં હું પરત કરીશ.
 
    થોડા સંમય પહેલા મારો બંગલો વેચાયો , તેની રકમની વ્યવસ્થા માટે મેં જયારે મારા  પુત્ર  કુણાલને USA  ફોન કર્યો ત્યારે તેણે માત્ર એટલું જ કીધું…..
 
પપ્પા આપણો પરિવાર ધરતીકંપ વખતે બચી ગયો હતો , એ કોઈ     કુદરતી સંકેત સમજી લ્યો. આપણે ન બચ્યા હોત તો આ મિલ્કત લાવારીસ જ પડી રહી હોત…જેણે બચાવ્યા તેને અર્પણ કરી દ્યો..
 
જે સંસ્થાનું આપણે ખાધું હતું , તે સંસ્થાને પાછું આપી તમારું ઋણ ઉતારો પપ્પા…..!!! અહીં ભગવાને મને ઘણું આપ્યું છે. પુણ્યનું ભાથું ભરી લ્યો મોડું ન કરતા..
*જ્યોત સે જ્યોત જલે .*
સેવાભાવી સંસ્થાઓને  કોઈ આપશે તો સંસ્થા ચાલશે .
 
બેટા , હવે જાત ચાલતી નથી. કાયમ માટે હું USA જાઉં છું. આજે આ સંસ્થાને આપેલ વચન  પૂરું કરી હું હળવો થઈ જરૂર વાંચજો.. અને તમે ઘર ના બધા સભ્યો જમવા સાથે બેસો ત્યારે  જાતે આ સ્ટોરી કહેશો તો બહુ સારું લાગશે. માટે 2 વાર વાંચજો…*

 

 
સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગ   —
 
— ઉપકાર કરવાની ભાવનાથી કરેલ કોઈપણ સતકર્મની પ્રભુ નોંધ લેતો નથી.
 
એક વખત એક સેવાભાવી સંસ્થાની અંદર કુદરતી આફત વખતે સેવા કાર્ય ચાલી રહ્યું હતું.
 
     આ દરમ્યાન એક દાદા જૂની ધોતી ઉપર બંડી પહેરી રીક્ષામાંથી નીચે ઉતર્યા. એ કાર્યાલય તરફ આગળ વધતા હતા . એક હાથમાં લાકડી , બીજા હાથમાં ઝોળી , આંખે ચશ્મા , પગમાં જૂનાં ચંપલ છતાં ચાલમાં ખુમારી હતી.
 
     એ કાર્યાલય તરફ આગળ વધ્યા એટલે ત્યાંની ઓફિસના કર્મચારીએ દાદાને રોક્યા….
”દાદા લાઈનમાં ઊભા રહો, અથવા અહીં બેસો તમારો વારો આવે એટલે બોલાવશું….”
 
   દાદા બાંકડા ઉપર બેસી લાઈનમાં ઉભેલા વ્યક્તિઓનું નિરીક્ષણ કરી રહ્યાં હતાં….!!
    લોકો મોઢા ઉપર પોતાની ઓળખ છુપાવવા માટે રૂમાલ કે ઓઢણી ઢાંકી ટિફિન પકડી લાઈનમાં ઊભા હતા. કોઈ મોબાઈલથી વીડિયો ઉતારતા હતા તો કોઈ ફોટા પાડી રહ્યા હતા….
      આવા સંકટ સમયે સંજોગોના શિકાર બનેલ વ્યક્તિઓના  પણ ફોટા અને વીડિયો ઉતારી અમુક લોકો નીચ  હરકતો કરી વિકૃત આનંદ મેળવી રહ્યા હતા….!
 
અચાનક કોઈએ બુમ પાડી. દાદા આવી જાવ તમારૂ ટિફિન લઇને.
દાદા નજીક ગયા, ઓફિસમાંથી અવાજ આવ્યો દાદા વાસણ ઘરેથી લાવવાનું.
 
દાદા બોલ્યા , ‘બેટા હું એ માટે નથી આવ્યો મારે અગત્યની વાત કરવી છે.’
 
‘..પણ અત્યારે દાદા,  અમારી પાસે સમય નથી…’ ઓફિસમાંથી અવાજ આવ્યો.
 
અરે બેટા, ડોનેશન માટે વાત કરવી છે.  ઓફિસના કર્મચારી દાદાને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યા પછી બોલ્યા સારું આવો.
 
દાદા ઓફિસમાં ગયા, બોલ્યા ડોનેશન લ્યો છો ?
 
હા દાદા , અત્યારે તો ખૂબ જરૂર છે. બોલો , કેટલા રૂપિયાની રિસિપ્ટ ફાડું.
 
દાદાએ ઝોળીમાં હાથ નાખી ચેકબુક કાઢી ચેક લખ્યો.
ચેક હાથમાં પકડતાં જ સંસ્થાનો કર્મચારી ઊભો થઇ ગયો . બે વખત મીંડાઓ  ગણવા લાગ્યો. દાદા સામે જોઈ બોલ્યો ,
“દાદા, આ રકમ તમે તમારી જાગૃત અવસ્થામાં લખો છો ?
તમારા પરિવારને  આ બાબતની જાણ છે ?
*આ ચેકની રકમ બે કરોડ રૂપિયા છે , એ આપ જાણો છો ?”*
 
“હા બેટા , મારા પરિવાર ને ખબર છે. અને  ચેકની રકમ બે કરોડ રૂપિયા છે એ પણ હું જાણું છું. વધારે ખાતરી કરવી છે?
 
પણ આ ચેક સામે તમારે મને એક વચન આપવું પડશે.”
 
‘બોલો દાદા….’
 
    આ સંસ્થા માં આવતી દરેક વ્યક્તિ પીડિત હોય છે. તે કોઈ પણ ખરાબ સંજોગોના શિકાર બનેલ હોય છે….
    આવી વ્યક્તિઓના ફોટા પાડવા વિડિયો  ઉતારવા યોગ્ય લાગે છે ?
 
“ના દાદા…”
 
આ કોઈ કીર્તિદાન નથી બેટા તેથી….
બસ , મારી એક નાની શરત છે. આ સંસ્થામાં ફોટો તથા વીડિયો ઉતારવાની સંદતાર મનાઈ છે.. આટલું બોર્ડ મારી દેજો…..!!
 
     કાર્યાલયનો સ્ટાફ દાદાને હાથ જોડી બોલ્યા , “દાદા કોઈના પહેરવેશ ઉપર થી વ્યક્તિ વિશે અનુમાન ન બાંધવું જોઈએ . અમે તમને ઓળખવામાં ભૂલ કરી …..!!”
 
દાદા , દાનની રીસીપ્ટ કોના નામે બનાવીએ…..?
 
દાદા બોલ્યા…દાન નહીં બેટા ભેટ બોલ
રીસીપ્ટની તો મારે જરૂર નથી  છતાં પણ આપવી હોય તો મારા નામની જગ્યા એ લખ…..
 
*”કૃષ્ણ અર્પણમ્…”*
 
બેટા ધરતીકંપ વખતે તારી સંસ્થાનું ઘણું અમારા પરિવારે ખાધું હતું ,  ત્યારે જ મેં નિર્ણય લીધો હતો . સમય આવે એક એક દાણાનો વ્યાજ સાથે હિસાબ અહીં હું પરત કરીશ.
 
    થોડા સંમય પહેલા મારો બંગલો વેચાયો , તેની રકમની વ્યવસ્થા માટે મેં જયારે મારા  પુત્ર  કુણાલને USA  ફોન કર્યો ત્યારે તેણે માત્ર એટલું જ કીધું…..
 
પપ્પા આપણો પરિવાર ધરતીકંપ વખતે બચી ગયો હતો , એ કોઈ     કુદરતી સંકેત સમજી લ્યો. આપણે ન બચ્યા હોત તો આ મિલ્કત લાવારીસ જ પડી રહી હોત…જેણે બચાવ્યા તેને અર્પણ કરી દ્યો..
 
જે સંસ્થાનું આપણે ખાધું હતું , તે સંસ્થાને પાછું આપી તમારું ઋણ ઉતારો પપ્પા…..!!! અહીં ભગવાને મને ઘણું આપ્યું છે. પુણ્યનું ભાથું ભરી લ્યો મોડું ન કરતા..
*જ્યોત સે જ્યોત જલે .*
સેવાભાવી સંસ્થાઓને  કોઈ આપશે તો સંસ્થા ચાલશે .
 
બેટા , હવે જાત ચાલતી નથી. કાયમ માટે હું USA જાઉં છું. આજે આ સંસ્થાને આપેલ વચન  પૂરું કરી હું હળવો થઈ  ગયો છું…..!!
       અહીં  આવતા દરેક વ્યક્તિ દુઃખી લાચાર અથવા કુદરતી આપત્તિનો ભોગ બનેલ હોય છે. આવી વ્યક્તિઓ સાથે માનવતાભર્યું વર્તન અને વ્યવહાર કરજો . કુદરત રૂઠી હોય ત્યારે આવી વ્યક્તિઓ સાથે મજાક ન કરાય…
 
ચલ બેટા , 🙏🏼જય શ્રી કૃષ્ણ….!!
દાદા ઉભા થયા… સાથે આખો સ્ટાફ હાથ જોડી ઊભો થયો.
 
મિત્રો ,
 
મોત માટે તો કોઈ કારણ નિમિત્ત બને છે. એ તો કોઈ પણ સ્વરૂપે આવે છે. મારનાર સાથે તારણહાર ઉપર પણ વિશ્વાસ  મુકવો જોઈએ .
 
આપણી નજર હંમેશા કોઈ પણ ઘટના વખતે કેટલા મર્યા એ સંખ્યા ઉપર જ હોય  છે. પણ કેટલા બચ્યાં તેની ઉપર જતી નથી.જો મારનાર માટે ઈશ્વર જવાબદાર હોય તો બચાવનાર માટે કેમ નહીં ?
 
પરમાર્થ કરવા નીકળ્યા હો,
કોઈ ભૂખ્યાનું પેટ ઠારવા નીકળ્યા હોવ ત્યારે  તમારા મોબાઈલ થી ફોટા ન પાડતા નહિતર તમારા કપડાં જયારે ખેંચાશે  ત્યારે પ્રભુ ફોટા પાડતો હશે
👆🏽બહુ જ ઉત્કૃષ્ટ વાત કરી છેં
 
       અહીં  આવતા દરેક વ્યક્તિ દુઃખી લાચાર અથવા કુદરતી આપત્તિનો ભોગ બનેલ હોય છે. આવી વ્યક્તિઓ સાથે માનવતાભર્યું વર્તન અને વ્યવહાર કરજો . કુદરત રૂઠી હોય ત્યારે આવી વ્યક્તિઓ સાથે મજાક ન કરાય…
 
ચલ બેટા , 🙏🏼જય શ્રી કૃષ્ણ….!!
 
દાદા ઉભા થયા… સાથે આખો સ્ટાફ હાથ જોડી ઊભો થયો.
 

Source … WhatsApp

Old age . .. Enjoy Gunvant shah article

સીનીયર સીટીઝનની ખુમારી ખુટવી ન જોઈએ. ખુમારી ખુટે ત્યારે જ ઘડપણ પ્રવેશે. ઘડપણની ખરી બહેનપણી ખુમારી છે. સીનીયર સીટીઝન હોવાને નાતે ગુજરાતના સૌ સીનીયર સીટીઝન્સને ખાસ વીનંતી છેઃ ‘તમને ટટ્ટાર રાખનારી અખંડ સૌભાગ્યવતી ખુમારીદેવીને જાળવી લેવાનું ચુકશો નહીં.’

Inspirationa Article on Senior Citizen by Great Gujarati  Writer shri. Gunvant Shah 👌👌

સીનીયરનનું સ્વરાજ – ગુણવંત શાહ

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: સમય અને અવકાશ. સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો ‘મોકળાશ’ કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે, કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે !

            ઘણાખરા સીનીયર સીટીઝનોને ગ્રહદશા નહીં આગ્રહદશા નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક આગ્રહો નવી પેઢીને પજવનારા હોય છે. જેમ ઉંમર વધે તેમ આગ્રહો પણ ઉંમરલાયક બનીને થીજી જાય છે. આગ્રહ પોતાને માટે ભલે રહ્યો ! પોતાના આગ્રહો બીજા પર લાદે તે મુર્ખ છે. મુર્ખતા પણ ખાસ્સી સીનીયર હોઈ શકે છે. દીકરાવહુને પોતાનો અભીપ્રાય એકવાર આપી દીધા પછીનું મૌન દીવ્ય હોય છે. સામેવાળી વ્યક્તી ગમે તેટલી નાની ઉંમરની હોય તોય તેને વણમાગી સલાહ ન આપવામાં વૃદ્ધત્વની અનેરી શોભા પ્રગટ થાય છે. જે વયોવૃદ્ધ સીટીઝન મફત સલાહ કેન્દ્રનો માલીક હોય તે દુખી થવા સર્જાયેલો જીવ છે. ભગવાન પણ તેને સુખી ન કરી શકે.

         માણસને મળતી મોકળાશ ગાભણી હોય છે. ઉત્તમ card company, નાટકો, શીલ્પો, ચીત્રો, ફીલ્મો, ગીતો અને કલાકૃતીઓ માનવજાતને મળ્યાં તે માટે સર્જકોને પ્રાપ્ત થયેલી મોકળાશનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. કવી વોલ્ટ વ્હીટ્મન પોતાને ભવ્ય આળસુ (મેગ્નીફીસંટ આઈડ્લર) તરીકે ગૌરવભેર ઓળખાવતો. નોબેલ પારીતોષીક વીજેતા કવી પાબ્લો નેરુદા પોતાનાં સંસ્મરણો પર લખેલા પુસ્તકમાં નવરાશનો મહીમા કરે છે અને ત્યાં સુધી કહે છે કે ‘સમય વેડફવા જેવી સુંદર બીજી કોઈ ચીજ નથી.’ અહીં સમય વેડફવાની વાત સાથે મોકળાશનું સૌંદર્ય કેન્દ્રમાં રહેલું છે. ઘણા સીનીયર સીટીઝન્સ મોકળાશનો સ્વાદ ધરાઈને માણે છે. એ સ્વાદનું રહસ્ય એમના મીજાજમાં રહેલું છે. એ મીજાજ એટલે સ્વરાજનો મીજાજ. સ્વરાજનો મીજાજ એટલે શું? ‘હવે હું કોઈને જવાબ આપવા બંધાયેલો નથી’, એવી દાદાગીરીમાં દાદાની ખરી શોભા પ્રગટ થાય છે. સ્વતંત્ર હોવું એટલે જ પોતાની મરજીના માલીક હોવું. મરજીની ગુણવત્તા એટલે જ જીવનની ગુણવત્તા. માણસે પોતાની મરજીને માંજી માંજીને શુદ્ધ કરવી રહી. મરજીના માલીકને, ‘માલીક’ની મરજી પર શ્રદ્ધા હોવી જોઈએ. સીનીયર સીટીઝનના સ્વરાજનું આ રહસ્ય છે.

            જે વડીલોને સાહીત્ય, સંગીત, સત્સંગ, સમાજસેવા, પ્રવાસ કે પ્રેમ જેવી બાબતોમાંથી કોઈ એક સાથે પણ નીસ્બત ન હોય તેમણે દુખી થવાની પુરી તૈયારી કરી લીધી છે એમ કહી શકાય. નવરાશ એટલે કર્મશુન્યતા નહીં, પણ મનગમતા કર્મની સમૃદ્ધી. વડીલોએ વારંવાર પોતાની જાતને પુછવા જેવો પ્રશ્ન છે,‘મારો માહ્યલો શેમાં રાજી?’ જે કર્મ કરતી વખતે હેત અને હરખનો અનુભવ થાય તે કર્મ કરવું અને બીજું ફાલતું કર્મ ટાળવું એ તો પાછલી ઉંમરનો વીશેષાધીકાર ગણાય. જે વડીલ કોઈના કામમાં ટકટક ન કરે તે વડીલ પોતાના કામમાં બીજાની ટકટક નહીં સહન કરવાનો અધીકાર પ્રાપ્ત કરે છે. આ દુનીયા આપણી કલ્પના પ્રમાણે ચાલે એવી ઈચ્છા રાખવી એ પણ એક પ્રકારની નાસ્તીકતા ગણાય. સમગ્ર જીવન કેવળ પૈસા એકઠા કરવામાં જ વીતી ગયું હોય, તો પાછલી ઉંમરે દુખનું ડીવીડંડ મૃત્યુ સુધી મળતું જ રહે છે. નોકરી છુટી જાય પછી જે ખાલી થેલી જેવા બની જાય, તેઓ નોકરી ચાલુ હતી ત્યારે પણ ખાલીખમ જ હતા ! એમને એ વાતની ખબર ત્યારે ન હતી, તે જુદી વાત છે.

           સીનીયર સીટીઝનના સુખનો ખરો આધાર પગ ઉપર રહેલો છે. આપણે ત્યાં જે માણસ કમાણી કરતો હોય તેને માટે કહેવામાં આવે છે કે એ ‘પોતાના પગ પર’ ઊભો છે. જેના પગ સાબુત તેનું ચાલવાનું સાબુત ! જે ચાલવાનું રાખે તેને કકડીને ભુખ લાગે. કકડીને લાગતી ભુખ પછી જે ખવાય, તે અન્ન પચી જાય છે. અન્નવૈભવનું ખરું રહસ્ય ભુખવૈભવમાં સમાયું છે. જે સીનીયર સીટીઝન રોજ પાંચ કીલોમીટર સ્ફુર્તીથી ચાલે, તેને ભુખવૈભવ સાથે થાકવૈભવ પણ પ્રાપ્ત થાય. થાકવૈભવ પ્રાપ્ત કરનારને ઉંઘવૈભવ પણ આપોઆપ મળે છે. ભુખવૈભવ, થાકવૈભવ, અને ઉંઘવૈભવ પ્રાપ્ત થાય, તેને સ્ફુર્તીવૈભવ મળી રહે છે. સ્ફુર્તી છે, તો જીવન છે. જીવન છે, તો જીવવાનો આનંદ છે. આનંદનું ઉદ્ ઘાટન પગના સદુપયોગ થકી થતું હોય છે. પગ વડે પરમેશ્વર સુધી પહોંચવાનું છે. લોકો પથારી થકી પરમેશ્વર સુધી પહોંચવાની પેરવી કરતા હોય છે. એક વડીલ પંચાણું વર્ષે મૃત્યુ પામ્યા ત્યારે દીકરાની વહુ બોલી, ‘પપ્પા સવારે તો ફરવા ગયેલા અને બપોરે એકાએક શાંત થઈ ગયા !’ મૃત્યુ પામેલા વડીલને આનાથી ચડીયાતી અંજલી બીજી શી હોઈ શકે? એને કહેવાય રળીયામણું મૃત્યુ !

         વડીલોએ કોઈ પણ હીસાબે બે કલાક પોતાના ખાસ કલાકોં તરીકે અલાયદા રાખવા જોઈએ. પરીવારના જુનીયર લોકોને તેથી ખાસ રાહત મળતી હોય છે. સીનીયર સીટીઝનને પોતાના સ્વરાજની જેમ જુનીયર સીટીઝનનું સ્વરાજ પણ વહાલું હોવું જોઈએ. ખાસ કરીને દીકરાની વહુનો આદર જીતી લેવાની કળા ખુબ મહત્ત્વની છે. જે સાસુને માતા બનતાં ન આવડે અને જે સસરાને પીતા બનતાં ન આવડે તેઓ ફુલ્લી નપાસ ગણાય. છુટાં રહેવું સારું, છેટાં રહેવું સારું, પણ ભેગાં રહીને ઝઘડતાં રહેવું અત્યંત નઠારું ! તમે દીકરાની જન્મતીથી યાદ નહીં રાખો તો ચાલશે, પણ પુત્રવધુની વર્ષગાંઠ યાદ રાખીને નવી સાડી ભેટ આપવાનું ચુકી જાઓ તેમાં શાણપણ નથી. જે પરીવારમાં ગૃહલક્ષ્મીનો આદર નથી હોતો, તે ઘરમાંથી સુખ પાછલે બારણેથી ભાગી છુટે છે.

          પુજ્ય રવીશંકર મહારાજ વાતવાતમાં કહેતા કે માણસે પાકેલી ખારેકની માફક ખરી પડવાનું છે. સીધી લીટીનો માણસ નાસ્તીક હોય તોય આધ્યાત્મીક જાણવો. આપણે ત્યાં ક્યારેક સો ટચનો સજ્જન મનુષ્ય કોઈ લંપટ સાધુનો ચરણસ્પર્શ કરતો જોવા મળે ત્યારે દુખ થાય છે.

           કેટલાક સીનીયર નાગરીકો ભક્તીમાં વેવલા બનીને ગાંડપણ પ્રગટ કરતા રહે છે. એ માટે આવનારા મૃત્યુનો ડર કારણભુત છે. સીનીયર સીટીઝનની ખુમારી ખુટવી ન જોઈએ. ખુમારી ખુટે ત્યારે જ ઘડપણ પ્રવેશે. ઘડપણની ખરી બહેનપણી ખુમારી છે. સીનીયર સીટીઝન હોવાને નાતે ગુજરાતના સૌ સીનીયર સીટીઝન્સને ખાસ વીનંતી છેઃ ‘તમને ટટ્ટાર રાખનારી અખંડ સૌભાગ્યવતી ખુમારીદેવીને જાળવી લેવાનું ચુકશો નહીં.’

..પાઘડીનો વળ છેડે..

આપણે વૃદ્ધ થઈ ગયાં તેથી હસવાનું ઓછું નથી થયું, પરંતુ

આપણું હસવાનું ઓછું થયું , તેથી આપણે વૃદ્ધ થઈ ગયાં1

––‘અનામી ચીંતક’

– ગુણવંત શાહ

For all my Senior citizen Friends

Courtesy.  WhatsApp…

ઘડપણનું છે સરસ નામ,

કોઈ કહે સન્યાસાશ્રમ
કોઈ કહે વાનપ્રસ્થાશ્રમ
પણ હું કહું આનંદાશ્રમ
ઘડપણમા આપણે કેવું રહેવું
ઘરમાં હોવ તો આશ્રમ જેવું
આશ્રમમાં હોવ તો ઘર જેવું
ક્યાંય ગુંચવાવું નહિ
જુની યાદો કાઢવી નહિ
“અમારા વખતે” બોલવું નહિ
અપમાન થાયતો જાણવું નહિ
ખાલી ખાલી લંબાણ કરવુંનહિ
સુખ ની ભટ્ટી જમાવતા રહેવું
બધાથી દોસ્તી જોડતા રહેવું
રાગ લોભ ને દૂર ભગાડવો
આનંદને હંમેશા અનુભવવો
ઘડપણ પણ તો સરસ હોય
લેન્સ ઇમ્પ્લાંટથી ચોખ્ખું દેખાય
ચોખટાંથી સહેલાઇથી ચવાય
કાનયંત્રથી સરસ સંભળાય
પાર્કમાં જઈને ફરી અવાય
મંદીરમાં જઈ ભજન ગવાય
ટી વી ની સિરિયલ જોવાય
છોકરાંઓ સામે ચૂપ રહેવું
પોતા પોતી સાથે રમતા રહેવું
પત્નિ સાથે લડતા જાવું
મિત્રોસાથે ગપ્પા મારતા જાવું
જામે તો ટૂરપર જાતાં રહેવું
પત્નિનો સામાન ઉપાડી લેવું
થાકો ત્યાંજ બેસી જાઓ
ગમેત્યારે જ્યુસ પી લેવો
લાયન / રોટરી -જૈન જાઞૃતી  એટેન્ડ કરવું
સમય હોય તો ગાઈ લેવું
એકાંત માં નાચી લેવું
કોઈ જોઈ લે તો વ્યાયામ ગણાવુ
કંટાળો આવે તો સુઈ જાવું
જાગી જાઓ તો ફેસબુક જોવું, જોતા જોતા નસકોરા બોલાવો
ટોકે કોઈ તો વ્હાૅટ્સએપખોલવું
ઘરમાં એકલાં હોવ તો રસોડામાં જઈ દુધની મલાઈ ગાયબ કરો
છોકરાઓનો નાસ્તો ટેસ્ટ કરવો

1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન …..

૮ મી માર્ચ ના વિશ્વ મહિલા દિન નિમિત્તે કેટલીક પ્રસંગોચિત હાઈકુ રચનાઓ દ્વારા દેશ વિદેશમાં ઉભરતી જતી નારી શક્તિને બિરદાવી એનું ગૌરવ કરીએ.

૧.

આઠમી માર્ચ,

વિશ્વ મહિલા દિન 

અભિનંદન.

૨.

અબળા નથી,

સબળા બની આજે,

વિશ્વ નારી.

૩.

પુરુષ સમી

બની આજે આગળ,

મહિલા ધપે .

પ્રગતિશીલ,

મહિલા દર્શનથી,

હૈયું હરખે

કોઈ બંધન,

નથી, નારીને હવે,

પ્રગતી પંથે.

બેટી બચાઓ,

બેટી પઢાઓ મંત્ર,

બધે ફેલાઓ.

૭ .

એક દીકરી,

દસ દીકરા સમી,

એને જાણીએ.

 

દીકરી એતો,

ઘરમાં પ્રકાશતી,

તેજ દિવડી.

૯ .

કરો વંદના,

વિશ્વ નારી શક્તિને,

મહિલા દિને.

વિનોદ પટેલ.

એક કાવ્ય

જ્યાં જુઓ ત્યાં નારી
ઊંચા સિંહાસન પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
પાવાગઢ પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
જીજાબાઈ નામે શિવાજીને ઘડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
ઝાંસીની રાણી તલવાર લઈને લડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
ચૌદ વરસની ચારણ ક્ન્યા સિંહને ભગાડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
મધર ટેરેસા ગરીબોની સેવા કરનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
સંગીતકલામાં લતા મંગેશકર ગાનારી..

જ્યાં જુઓ ત્યાં નારી
ઈન્દીરા ગાંધી ગાદી પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
પિટી ઉષા દોડમાં પ્રથમ આવનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
કલ્પના ચાવલા હવામાં ઉડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી

સર્જનહારનું અનોખું, સર્જન નારી

દિનેશભાઈ નાયક

 

સૌજન્ય શ્રી ગોવિંદ મારૂ સંપાદક ”અભિવ્યક્તિ” બ્લોગ 

આજે મહીલા દીન’ નીમીત્તે,

લેખક શ્રી. જય વસાવડાનો લેખ :

સ્ત્રીઓની મુક્તી… વીજ્ઞાનની શક્તી!

 લેખમાં વીજ્ઞાન અને વીજ્ઞાનની શક્તી દ્વારા સ્ત્રીઓની જીન્દગી ખરેખર કેટલી પ્રેશરમુક્ત અને આસાન બની છે! સાયન્સ સ્ત્રીને સલામી આપતું રહ્યું છેઆવોજયભાઈના દૃષ્ટીકોણથી આ લેખને જોઈએ અને સમજીએ…

આખી પોસ્ટ માણવા માટે લીન્ક નીચે આપી છે

https://govindmaru.com/2020/03/06/jay-vasavda-2/.

 

.એટલે સ્ત્રી | …Atle Stree | Women’s Day Special | Ankit Trivedi

Watch Writer Poet Columnist Novelist Ankit Trivedi’s hilarious Speech in his inimitable style.
Swarostsav is Gujarati Culture Festival held in Ahmedabad.

https://youtu.be/XT8MYjEdHLg

 

1336 -વિશ્વના બીજા નંબરના ધનિક વોરન બફેટની સાદગી અને જીવન સંદેશ

વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું તે પછી  સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે.

કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે :

(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.

૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.

Warren Buffets home

(૩) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજ વસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા ન બગાડે.

(૪) હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઇવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.

(૫) વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.

(૬) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે.

આ તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. વર્ષમાં મારા લક્ષ્યાંકો આપવા એક જ મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.

(૭) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે ‘રાઇટ પિપલ’ ને ‘રાઇટ જોબ’ આપું છું.

(૮) હું મારા સીઇઓને એ નિયમો આપું છું, રુલ નંબર એક : શેર હોલ્ડરનાં નાણાં ડૂબવાં જોઈએ નહીં. રુલ નંબર બે : પહેલા નંબરના રુલનો કદી ભંગ થવો જોઈએ નહીં.

તમે એક ગોલ નક્કી કરો અને તમારા માણસોને ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી વ્યવસ્થા કરો.

૯) મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીના જમેલાઓમાં જઈ હું સમય બગાડતો નથી. એમ કરવાને બદલે હું મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું.

(૧૦) તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો જ સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.

(૧૧) મારી પાસે કોઈ સેલ ફોન નથી. હું મારા ટેબલ પર કમ્પ્યુટર પણ રાખતો નથી.

(૧૨) હું કોઇ ક્રેડિટ કાર્ડ રાખતો નથી. ક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીં. હું બેન્કોમાંથી લોન લેતો નથી.

(૧૩) એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.

(૧૪) બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.

(૧૫) બીજાઓ જે કરે છે તેમ ન કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ જ કરો.

(૧૬) કોઇ પણ બ્રાન્ડનેમ પાછળ પાગલ ન બનો. બ્રાન્ડનેમ જોઈને ખરીદી ન કરો. તમને જેમાં સુવિધા લાગતી હોય તે જ વસ્ત્રો, ચશ્માં કે જૂતાં પહેરો.

(૧૭) બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા બરબાદ ન કરો. તમને જેની જરૂરિયાત છે તે જ વસ્તુઓ ખરીદો.

(૧૮) આખરે તમારું જીવન એ તમારું જ છે. બીજાઓ તમારા જીવન પર રાજ કરે તેવી તક બીજાઓને ન આપો. તમને જરૂર જ ન હોય છતાં કોઈ બ્રાન્ડનેમવાળી જ ઘડિયાળ તમે ખરીદો છો ત્યારે એ બ્રાન્ડ ધરાવતી કંપની આડકતરી રીતે તમારી પર રાજ કરે છે તે સત્ય સમજો.

(૧૯) વિશ્વના સુખી લોકો પાસે વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ ધરાવતી ચીજવસ્તુઓ હોતી જ નથી. તેમની પાસે જે ઉપલબ્ધ છે તેની જ તેઓ કદર કરે છે.

વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટને વિશ્વના સહુથી વધુ ધનવાન એવા બિલ ગેટ્સે એક વાર મળવાનું નક્કી કર્યું. બિલ ગેટ્સ માનતા હતા કે મારી અને વોરન બફેટ વચ્ચે કાંઈ જ ‘કોમન’ નથી. તેથી બિલ ગેટ્સે માન્યું કે વોરન બફેટ સાથે મારી અડધો કલાકની મિટિંગ પૂરતી છે, પરંતુ બિલ ગેટ્સ વોરન બફેટને મળવા ગયા અને વોરન બફેટ પાસેથી તેઓ પૂરા ૧૦ કલાક બાદ ઊભા થયા. તે દિવસ બાદ બિલ ગેટ્સ વોરન બફેટના ભક્ત અને પ્રશંસક બની ગયા.

સૌજન્ય…શ્રી આનંદરાવ લિંગાયત
કબીર નો દોહો અને વોરન બફેટ …
“Sage of Omaha”- દાન ઉલેચવાનો એક અદ્ભુત પ્રસંગ

Kabir Doha and Warren Buffet -Anand Rao Lingayat

Warren Buffett – The World’s Greatest Money Maker

https://youtu.be/w-eX4sZi-Zs

Warren Buffett-wikipedia

https://en.wikipedia.org/wiki/Warren_Buffett

 

 

 

 

 

 

1335-ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ

ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ

ઈતિહાસ

પ્રાચીન સાહિત્ય

પ્રાગ નરસિંહ યુગ (ઈ.સ. ૧૦૦૦ થી ૧૪૫૦)

મધ્યકાલીન સાહિત્ય

નરસિંહ યુગ (ઈ.સ. ૧૪૫૦ થી ૧૮૫૦)

ભક્તિયુગ

અન્ય કવિઓ

આ જ ગાળામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ નોંધપાત્ર યોગદાનો કર્યા છે. જેમાં સહજાનંદ સ્વામી, બ્રહ્માનંદ, પ્રેમાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી મુખ્ય છે. તેમના સર્જનો નીતિશુદ્ધિ, ભક્તિ અને વૈરાગ્યના લક્ષણો ધરાવે છે.[૧૭] આ સિવાય પારસી કવિઓનો ગુજરાતીમાં પ્રવેશ આ જ ગાળામાં થયો છે.

અર્વાચીન સાહિત્ય (૧૮૫૦-હાલ સુધી)

સુધારક યુગ અથવા નર્મદ યુગ (૧૮૫૦-૧૮૮૫)

નર્મદ

પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ (૧૮૮૫-૧૯૧૫)

ગાંધી યુગ (૧૯૧૫-૧૯૪૦)

મહાત્મા ગાંધી

અનુગાંધી યુગ (૧૯૪૦-૧૯૫૫)

આધુનિક યુગ (૧૯૫૫-૧૯૮૫)

અનુ-આધુનિક યુગ (૧૯૮૫-હાલ સુધી)

ઈતિહાસ ની વિસ્તૃત સુંદર માહિતી નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ

વિકિપીડિયામાંથી