જીવનનું અને સમયનું ચક્ર એક સાથે સદા ફરતું જ રહે છે.નવા વરસ ના પ્રારંભે ભીત ઉપર નવા વર્ષનું કેલેન્ડર ટીંગાઈ જાય છે.દરરોજ એક પછી એક કેલેન્ડરનાં પાનાં બદલાતાં રહે છે.આમ એક વર્ષ એની અનેક યાદો પાછળ છોડીને પૂરું થાય છે અને નવી આશાઓ અને ઉમ્મીદો લઈને નવું વર્ષ હાજર થઇ જાય છે.
વરસના છેલ્લા દિવસ એટલે કે ૩૧મી ડીસેમ્બરની મધ્ય રાત્રીએ નવા વર્ષના થતા આગમનને લોકો હર્ષ, ઉલ્લાસ ,ઉમંગ અને ઉત્સાહથી મન ભરીને માણી અને ઉજવીને નવા વર્ષનું સ્વાગત કરે છે .
નવી આશાઓ અને ઉમ્મીદો લઈને આવેલ નવા વર્ષ ૨૦૧૭ નું સ્વાગત છે.
( મોટા અક્ષરમાં વાંચવા /જોવા માટે ચિત્ર પર ક્લિક કરશો.)
નવા વર્ષના સંકલ્પો …
નવા વર્ષની શરૂઆત હસીને કરીએ અને વર્ષ દરમ્યાન હસતા રહેવાનો સંકલ્પ કરીએ તો કેવું ?
જાણીતાં લેખિકા સુ.શ્રી.નીલમ દોશી અને હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક શ્રી ચીમન પટેલના નવા વર્ષના સંકલ્પો વિશેના વિનોદ વિહારમાં અગાઉ પ્રગટ નીચેના બે હાસ્ય લેખો બન્ને સાહિત્ય રસિક મિત્રોના આભાર સાથે આજની પોસ્ટમાં ફરી માણીએ.
નવા વર્ષના પ્રથમ દિવસે આ રાજકીય કાર્ટુન વિડીઓ માણો અને હળવા થાઓ.
વર્ષના દિવસોમાં પણ સદા હસતા અને હસાવતા રહીએ અને સૌના ચહેરા હમેશા હાસ્યથી ઝગમગતા રહે એવી હાર્દ્કિ સદ ભાવના
વાચક મિત્રો,
વિનોદ વિહાર બ્લોગમાં વર્ષ દરમ્યાન વાચકોને મારી સ્વ-રચિત અને અન્ય લેખકોનું મન પસંદ અને જીવન પોષક સાહિત્ય તથા રસ પડે એવી અન્ય સામગ્રી ચીવટથી મુકવાની મારી કોશિશ હોય છે. આ બધી પોસ્ટ અંગે આપના પ્રતિભાવો દર્શાવીને મને પ્રોત્સાહિત કરવા બદલ આપનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.
આપ સૌ મિત્રો તરફથી આ અગાઉ મળ્યો છે એના કરતાં પણ વધુ સારો સહકાર નવા વર્ષ ૨૦૧૭ દરમ્યાન પણ મળતો રહેશે એવી આશા રાખું છું.
આપ સૌ મિત્રો માટે ભૂતકાળના વર્ષોની સરખામણીએ આ નવું વર્ષ બધી દ્રષ્ટીએ એક સર્વોત્તમ-શ્રેષ્ઠ વર્ષ બનીરહે અને આપના નવા વર્ષના જે કઈ પણ સંકલ્પો હોય એ ફળદાયી બને તેમ જ આજથી શરુ થતું નવું સંવત વર્ષ આપ સૌને સુખ, સફળતા ,તંદુરસ્તી ,આનંદ,સમૃદ્ધિ અને સંતોષ આપનારું સુંદરત્તમ વર્ષ બની રહે તેવી મારી હાર્દિક શુભ કામનાઓ છે.
You did not choose your date of birth, Nor do you know your last, So live this gift that is your present, Before it becomes your past. –Linda Ellis
આઠમી નવેમ્બર ની રાત્રીએ ભારતમાં અને અમેરિકામાં બનેલા બે બનાવોની દેશ વિદેશમાં મીડિયા અને નાગરિકોમાં ચોરે અને ચૌટે ચર્ચા ચાલી રહી છે અને તરખાટ મચાવી દીધો છે.
આ બે બનાવો એટલે ભારતમાં નરેન્દ્ર મોદીની સરકારનો રૃા. પ૦૦ અને રૃા. ૧૦૦૦ ની નોટોને ચલણમાંથી રદ કરવાના આ અચાનક લેવાયેલા કદમની જાહેરાત અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ નો રાષ્ટ્ર પ્રમુખની ચુંટણીમાં થયેલો અણધાર્યો વિજય.
ભારતમાં અચાનક રૃા. પ૦૦ અને રૃા. ૧૦૦૦ ની નોટો ચલણમાંથી રદ થયાની રાતો રાત સરકારી જાહેરાત પછી દેશમાં ઈમરજન્સી જેવો હાહાકાર મચ્યો છે.અનેક લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.એના મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.
પ્રતિભાવોમાં રાજનેતાઓ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. મોટા ભાગે આ કદમને આવકારાયુ છે પરંતુ સંલગ્ન વૈકલ્પિક વ્યવસ્થાઓ પર પણ પ્રશ્નો ઉઠ્યા છે .
આ કદમની સૌથી મોટી અસર મોટા પ્રમાણમાં મોટી ચલણી નોટો દબાવીને બેઠેલા કાળા નાણાના ધારકોને થઈ છે . મુંગી વ્યક્તિને માર પડે, અને બોલી પણ ન શકે તેવી તેઓની દશા થઈ ગઈ છે .કાળાનાણાના ધારકો મનમાં બોલતા હશે કે, “એક દિન મેં હી માર દિયા; બેકાર હૂઆ ખજાના, ઈમાનદારી કી બઢી ખૂશ્બુઃ ‘બ્લેક મની’ હો ગયા ફસાના…!
ફિલ્મ કલાકારો રજનીકાન્ત અને કમલ હસને આ કદમની પ્રશંસા કરી, પરંતુ નોંધપાત્ર એ રહ્યું કે કરણ જોહરે આ કદમની ટ્વીટ કરીને પ્રશંસા કરી તો નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વારા જવાબ આપ્યો કે “ભાવિ પેઢીને ભ્રષ્ટાચારથી મુક્ત કરવી છે…!”
સોશ્યલ મીડિયામાં અનેક પ્રકારની ટિપ્પણીઓ વહેતી થઈ, જેમાં કેટલીક ગંભીર હતી, તો ઘણી મનોરંજક હતી. લગભગ તમામ ટિપ્પણીઓનો અર્થ એવો નીકળતો હતો કે કદમ સારૃં લેવાયું છે; જરૃર હતી, પરંતુ કેટલીક વ્યવસ્થાઓ વધુ સારી બનાવાઈ શકી હોત, જેથી સામાન્ય લોકોને તકલીફ ઓછી પડે.
શ્રીશ્રી રવિશંકર મહારાજ અને “બાબા રામદેવે આ કદમને આવકાર્યુ.ભાજપના હાંસિયામાં ધકેલી દેવાયેલા વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીએ પણ આ કદમની પ્રશંસા કરી હતી .પ્રારંભથી જ કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ આ અચાનક લેવાયેલા કદમથી આમ જનતાને પડનારી સમસ્યાઓની ટીકા કરી.રાહુલ ગાંધીએ અને દેશમાંથી ભ્રષ્ટાચાર દુર કરવાની ફીસીયાણી વાતો કરનાર દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે એ પણ સરકારના નિર્ણયની ટીકા કરી છે .કોંગ્રેસના પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરે આ કદમને યોગ્ય ગણાવ્યું છે .આઝાદ ભારતમાં વર્ષ ૧૯પ૪ માં રિઝર્વ બેંકે અમલી બનાવેલી રૃા. પ૦૦ ની ચલણી નોટ રદ્દ થઈ હતી. જનતા પાર્ટીના શાસનમાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ તા. ૧૬-જાન્યુઆરી-૧૯૭૮ ના રોજ મોટી ચલણી નોટો રદ્દ કરી હતી.
એક વાત એવી પણ વહેતી થઈ કે કાળાનાણાં ધારકો સોનું પાંચ ગણા ભાવે જૂની ચલણી નોટોના બદલામાં ખરીદી રહ્યાં છે, અને તોલાના સવા-દોઢ લાખ ખર્ચવા તૈયારી બતાવી રહ્યાં છે. અનેક સ્થળે રૃા. પ૦૦ અને ૧૦૦૦ ની નોટો ર૦૦-૩૦૦ માં પડાવી લેનારા લોકો પણ નીકળી પડ્યા હોવાના અહેવાલો આવી રહ્યાં છે.બનારસમાં તો બાર એસોસિએશને આ પગલાંને આવકારવા સરઘસ પણ કાઢયું હતું. આ બધી રસપ્રદ ઘટનાઓ લોકો માટે ચર્ચાની સરાણ પર ધારદાર બની રહી છે.
એક મિત્રના વોટ્સ એપ સંદેશમાંથી ….
જે કાગળ હતો તે અંતે તો કાગળ થઇ ગયો પ્રમાણિક માણસ અચાનક આગળ થઇ ગયો.
( સંકલિત )
P.M.Modi’s address to nation
India takes a historic step to fight corruption ,Black money and Terrorism
હજાર -પાંચસોની નોટો બંધ કરવાના આ ઐતિહાસિક નિર્ણયની અસરથી કવિ લોકો પણ બાકાત નથી રહ્યા.મુંબાઈ નિવાસી સાહિત્ય પ્રેમી મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ઠાકરે ઈ-મેલમાં મોકલેલ
જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવે ની આ રચના માણો.
લે લેતો જા- શ્રી કૃષ્ણ દવે
કાળા ડિબાંગ અંધારામાંથી બહાર આવેલી હજાર, પાંચસોની નોટમાંથી ગાંધીબાપુ બોલી ઉઠ્યા.
લે લેતો જા, શું રહી ગઈ તારી હસ્તી ? થઈ ગઈ ને એક જ પળમાં પસ્તી ?
મેં તો ઘણીવાર તને સમજાવ્યું’તુ ને ? કે આ રીતે મને ના ગોંધી રાખ,
પરંતુ અફસોસ આટલા વર્ષો પછી પણ મારૂ સ્વપ્ન તો અધુરું જ રહી ગયુ.
આજે ભલે તું જોઈ રહે મારી સામે આમ ગળગળો થઈને પરંતુ હવે તારો ભરોસો કઈ રીતે કરી શકાય ? શું એ વાતની મને કોઈ ખાત્રી આપી શકે ખરું ? કે આવતી કાલે બે હજારની નોટમાં ફરીવાર તું મને કેદ નહીં જ કરે ?
કૃષ્ણ દવે, તા-૧૧-૧૧-૨૦૧૬
શ્રી પરેશ ભટ્ટ ની રચના
સાભાર- શ્રી શરદ શાહ..ફેસ બુક
કિંમત બિલકુલ સસ્તી થઇ ગઈ નોટુમાંથી પસ્તી થઇ ગઈ પાંચ મિનિટ પીએમ શું બોલ્યા પબ્લિક સાથે મસ્તી થઇ ગઈ ડાધીયા કુતરા મ્યાંઉ કરે ને બિલ્લી સઘળી ભસ્તી થઇ ગઈ દોલત શોહરત લઈ લીધી ને વગર વરસાદે કસતી થઇ ગઈ ‘સો’નું બંડલ જેની પાસે આજ એ મોટી હસ્તી થઇ ગઈ જેણે ઝાઝા ભેગા કર્યા અક્કલ એની ખસતી ગઈ હસ્તી જે મોટી કહેવાતી આજ એ ટાંટિયા ઘસતી થઇ ગઈ –પરેશ ભટ્ટ
શ્રી મહેન્દ્ર શાહનું એક સુંદર કાર્ટુન …સાભાર પ્રસ્તુત …
હમણાં હમણાં ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો બધે બહુ ચર્ચામાં છે. એક વર્ષના વહીવટ ગાળામાં તેઓ ૨૦ થી વધુ દેશોનો પ્રવાસ કરી આવ્યા છે.જુલાઈમાં રશિયા અને બીજા દેશોમાં જવાની યોજનાઓ નક્કી થઇ ગઈ છે.બે ચોપડી ભણેલા લાલુ યાદવ જેવા એમના વિરોધીઓ માટે તો ટીકા કરવા માટે આ એક સરસ મુદ્દો મળી ગયો છે.લાલુ મોદીને એક એન.આર.આઈ વડા પ્રધાન છે એવી ટીકા કરે છે .
સોસીયલ મીડિયા અને બીજાં સમાચાર માધ્યમોમાં પણ મોદીના વિદેશ પ્રવાસો વિષે લેખો ,કાર્ટુનો દ્વારા ટીકાઓ અને કટાક્ષ કરતી વિવિધ સામગ્રી જોવા મળે છે.
બે મહિનાના અજ્ઞાત વાસ પછી એકાએક નોળવેલ સુંઘી તરો તાજા થઈ આવેલ રાહુલ ગાંધી અત્યારે હાલ દેશમાં ફરીને ખેડૂતો પાસેથી જ્ઞાન પ્રાપ્તિ કરી રહ્યા છે. રાહુલ ગાંધી મોદીની “શૂટ –બુટ “ સરકાર અને એમના વિદેશ પવાસો માટે એમની પર મન મુકીને ટીકાઓનો મારો ચલાવી રહ્યા છે. જો કે એમની વાતોમાં થોડું તથ્ય તો છે પણ એના કરતાં તો “ તું ફાવી ગયો અને હું રહી ગયો “ ની ઊંડી દ્વેષ ભાવના વધુ હશે એમ મને લાગે છે.આમે ય રાહુલ બાબાને મોદી સમોવડા થવા માટે તો હજુ દિલ્હી ઘણી દુર છે !
મુંબઈ સમાચારમાં મોદીના વિદેશ પ્રવાસ વિષે શ્રી નીખીલ મહેતાનો એક સરસ કાલ્પનિક કટાક્ષ લેખ ,”મારો અગ્રતાક્રમ વિદેશ પ્રવાસ કરવાનો છે,(પ્રવાસી પીએમની સિક્રેટ ડાયરી)” એ નામે પ્રકાશિત થયો છે એ મારા વાંચવામાં આવ્યો .આજની પોસ્ટમાં લેખક અને મુંબઈ સમાચારના આભાર સાથે વી.વી. ના વાચકો માટે પ્રસ્તુત છે.
આ લેખમાં” પ્રવાસી પીએમની સિક્રેટ ડાયરી ” ની શરૂઆત આ રીતે થાય છે .
“ હમણા જ ચીનનો પ્રવાસ પૂરો કર્યો અને એક પ્રવાસી તરીકેના ઊંડા સંતોષની અનુભૂતિ કરી. છેલ્લા કેટલાક સમયથી હું જોઇ રહ્યો છું કે હું જ્યારે પણ વિદેશ યાત્રાએ જાઉં ત્યારે ઘર આંગણે મારી ટીકા થવા લાગે છે. શા માટે ભાઇ? શું હું કોઇ સામાન્ય માણસ છું? દેશના વડા પ્રધાન વિદેશ પ્રવાસે ન જાય તો કોણ જાય, વિદેશ પ્રધાન? અને વિદેશ પ્રધાન પણ વિદેશ જવાને લાયક તો હોવા જોઇએ ને?
સુષ્મા સ્વરાજને મેં વિદેશ ખાતું આપ્યું ત્યારે એમની સાથે ચોખ્ખી વાત થઇ ગઇ હતી કે તમારે અને વી. કે. સિંહે બન્ને મળીને વિદેશ ખાતાંને લગતી જવાબદારીઓ નિભાવવાની છે. એ માટે જો તમારે વિદેશ જવું પડે તો જવાનું, પણ કોઇ રાષ્ટ્રની સરભરા માણવાની હોય તો એ કામ હું પોતે જ કરીશ.
ખરેખર તો હું વડા પ્રધાન બન્યો ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે આ પાંચ વર્ષમાં હું એટલા વિદેશ પ્રવાસો કરીશ કે ભવિષ્યમાં કોઇ વડા પ્રધાન મારો રેકોર્ડ ન તોડી શકે. જોકે છેલ્લા એક વર્ષમાં મેં ધાર્યું હતું એટલા વિદેશ પ્રવાસ નથી થઇ શક્યા.”
નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને આ આખો મજાનો કટાક્ષ લેખ વાંચો.
મોદી સરકારનું એક વર્ષ – એક વિડીયો કાર્ટુન .
મોદી સરકારના એક વર્ષના વહીવટ ઉપર અને એમના વિદેશ પ્રવાસ વિશે યુ-ટ્યુબ પર So Sorry નું આ વિડીયો કાર્ટુન પણ ઉપરના લેખના સંદર્ભમાં માણો.
વાચકોના પ્રતિભાવ