હવે નેટ ઉપર ઘણા ગુજરાતી બ્લોગો, વેબ સાઈટો અને ગુજરાતી ઈ-બુક મળી શકે છે. પણ યુ.કે.ના શ્રી. ધવલ વ્યાસની આગેવાની હેઠળ એક ટીમ સરસ કામ કરી રહી છે –
આ મિત્રોએ બહુ જહેમતથી ટાઈપ કરીને ગુજરાતી ભાષાની વિરાસત જેવી ઘણી બધી ચોપડીઓ કોઈ જાતની ફી વિના વિશ્વ ભરના ગુજરાતીઓ માટે મુકી છે.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી એની પર નજર ફેરવો.
‘ગાંધીજીની આત્મકથા’, ‘સૌરાષ્ટ્રની રસધાર’ , ‘સરસ્વતીચન્દ્ર’ વિ. એક ક્લિકે મળી જશે! આભાર … ધવલ ભાઈ અને એમના સાથાઓનો
વિકિસ્રોત ગુજરાતી પર હાલ ઉપલબ્ધ પુસ્તકોની યાદી અહીં આપવામાં આવી છે. આપ નીચેના કોષ્ટકમાં પુસ્તકના નામ, પુસ્તકના લેખક અને પુસ્તકના પ્રકાર મુજબ સોર્ટીંગ (કક્કાવારી ગોઠવણ) કરી શકો છો. આમ કરવા જે તે કોલમના મથાળાની બાજુમાં આપેલ ચિહ્નનો ઉપયોગ કરો.
આજથી ૫૯ વર્ષ પહેલાં ૧ લી મે,૧૯૬૦ના રોજ , મહાત્મા ગાંધીની પુણ્ય ભૂમિ સાબરમતિ આશ્રમમાં,ગાંધી અનુયાયી પુ.રવિશંકર મહારાજના વરદ હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી.
– નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “
– દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ? “જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!
– ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું?
– “માથું અરીસામાં જ રહ્યું. ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે કદાચ મળી જશો.
– તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી , “જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”
– “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે.
– ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.”
– અશોક દવે, તમારે તો ” લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે.”
રાધા રાજીવ મહેતાનું ગુજરાત વિશેનું સુંદર વક્તવ્ય
રાધા મહેતાના વક્તવ્યના વિવિધ વિષય ઉપરના ઘણા વિડિયો યૂ ટ્યૂબ પર અપલોડ થયેલા જોઈ શકાય છે.”મારું ગુજરાત My Gujarat_ગુજરાતની અસ્મિતા” ઉપર રાધા મહેતાની આ માહિતીસભર સ્પીચ ખરેખર સાંભળવા જેવી છે.
ગુજરાતના અનેક ગાયકો-કલાકારોના મુખે ગવાએલું આ જાણીતા ગીત ”જય જય ગરવી ગુજરાત” નો સુંદર વિડીયો.
જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં વસે ગુજરાત.
ગુજરાતના આ જન્મ દિવસે દેશ-વિદેશમાં વસતા અનેક ગુજરાત અને ગુજરાતી પ્રેમી ભાઈ-બહેનોને અભિનંદન
ભૂગર્ભ એટલે જેના ગર્ભમાં પૃથ્વી રહેલી છે. સંભવ એટલે સદા અસ્તિત્વવાળા. પુરુષ એટલે 9 દ્વારવાળી શરીરરૂપી પુરીમાં રહેનારા. રુદ્ર એટલે દુષ્ટોને રડાવનાર અથવા સંહાર સમયે સર્વ પ્રાણીઓને રડાવનારા. યમ એટલે સર્વને પોતપોતાના કામમાં જોડનારા. મહેન્દ્ર એટલે મોટા ઈન્દ્ર, ઉપેન્દ્ર એટલે ઈન્દ્રના નાના ભાઈ, પાવન ટલે પવનને પવિત્રતા આપનારા. અશોક એટલે ક્ષુધા-તૃષા, જરા-મૃત્યુ, શોક-મોહરૂપી છ ઊર્મિઓથી રહિત. શ્રીમાન એટલે સદાય સર્વપ્રકારની લક્ષ્મીવાળા. દમ એટલે શિક્ષા કરવા યોગ્યને શિક્ષા કરનારા, માનદ એટલે અભિમાનીઓનું માન તોડનારા, સર્વને આત્માભિમાન દેનારા…! આવા કેટલાય શબ્દો વિષ્ણુસહસ્ત્રનામમાં આપવામાં આવ્યા છે.
સંસ્કૃત શબ્દોનો રોમાન્સ આજીવન છૂટતો નથી. ઉંમર વધે છે એમ એમ દરેક શબ્દની આભા અને પ્રભા વધતી જાય છે અને આપણી સમજદારી નવું નવું અર્થઘટન કરતી રહે છે. નારાયણને સમર્પણામિ સ્તુતિમાં એક વાક્ય આપણે જીવનભર રટતા રહ્યા છે, ‘ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ’માં આગળ, ‘ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ…’ આવે છે. તમે વિદ્યા પણ છો અને દ્રવ્ય પણ છો. વિદ્યા અને ધનને માતા અને પિતાની જેમ અલગ કરવામાં આવ્યાં છે? એ એકબીજાનાં પૂરક છે કે બે વિપરીત પરિબળો છે? વિદ્યાના જેટલું જ દ્રવ્ય મહત્વપૂર્ણ હતું એ મોટી ઉંમરે સમજાય છે. ભગવાનને દ્રવ્ય સ્વરૂપે જોઈને પૂજા કરવી એ પણ એક નવો આયામ છે!
વિનોબા ભાવે સંત-સુરભિ, ભાગ-2માં દક્ષિણના વિખ્યાત ધર્મસ્થાન તિરુપતિની વ્યુત્પિત્ત સમજાવે છે. તિરુ એટલે લક્ષ્મી! મૂળ શ્રીપતિનું તમિળ એ તિરુપતિ છે. વિનોબા માર્મિક કટાક્ષ કરે છે : મોટા ભાગના લોકોની નજર એ નામમાં આવેલી તિરુ (લક્ષ્મી) પર હોય છે. બહુ થોડા લોકોને એના પતિની જરૂર હોય છે.
ભર્તૃહરિના વૈરાગ્ય શતકમાંથી સંસ્કૃત શબ્દો મળતા રહે છે, એવા શબ્દો તો આજે નષ્ટપ્રાય થઈ ગયા છે અથવા અદૃશ્ય થઈ ગયા છે. ક્ષત્રિય એટલે યોદ્ધો, પણ ક્ષત્રિય એટલે વિદ્વાન. અજ્ઞ એટલે અજ્ઞાની…. કાકા કાલેલકરે ‘સદાબોધશતકમ્’માં કેટલાક શબ્દોનાં સમાસ-સંધિ છૂટાં પાડીને સમજાવ્યા છે. અજ્ઞઃ એટલે? જાનાતિ ઈતિ જ્ઞઃ અજ્ઞઃ ! હાથીને માટે દ્વિપ શબ્દ વપરાય છે. બંનેથી પીતો હોય એ દ્વિપ છે. દ્વાભ્યાં (શુંડ્યા, મુખેન ચ… સૂંઢ અને મુખથી પણ) પિબતિ ઈતિ દ્વિપઃ ! પદ્દમ અને કૈરવ બંને કમળ છે પણ બંને વચ્ચે તાત્ત્વિક ફર્ક છે. પદ્દમ એટલે સૂર્યથી વિકસતું કમળ, જ્યારે કૈરવનો અર્થ થાય છે, ચંદ્રથી વિકસતું કમળ ! દુર્ગનો વ્યુત્પત્તિ અર્થ થાય છે : દુખેન ગમ્યતે અત્ર ઈતિ. દુર્ગમ-સ્થાન, જ્યાં દુઃખથી જવાય છે. શંકરમાં શમ્ + કર છે, જે જોડવાથી શંકર બને છે. માત્ર શમનો અર્થ કલ્યાણ થાય છે. જે મૌન રાખતો હોય એ મુનિ છે. ઐશ્વર્યમાં ઈશ્વરસ્થ ભાવ છે, સ્વામિત્વ, વૈભવની કલ્પના છે. ધી એટલે બદ્ધિ અને બુદ્ધિ ચલાવનાર એ ધીર છે. પ્રારબ્ધમનો અર્થ જરા રસિક છે. પ્રારબ્ધમ એટલે શરૂ કરેલું. મૃદંગની વ્યુત્પત્તિમાં અસલ ભાવ આવી જાય છે. મૃદંગ એટલે માટીના અંગ-વાળા, જે મૃદંગ અથવા માટીના અંગવાળા છે એને લોટ મળવાથી એ મીઠું મીઠું બોલતા રહે છે.
સંસ્કૃત સાહિત્યનો મહાસમુદ્ર એટલો વિરાટ છે કે જુદી જુદી શાખા-પ્રશાખાઓ અને વિધાઓમાંથી શબ્દો મળતા રહે છે. સંસ્કૃત શબ્દભંડાર કદાચ વિશ્વમાં અગ્રિમસ્થાને હશે કારણ કે ઉપસર્ગ-વિસર્ગ વાપરીને એક જ શબ્દમાંથી સેંકડો શબ્દો બનાવી શકાયછે. યોગ જેવા શબ્દને અભિયોગથી યોગાભ્યાસ સુધી સેંકડો સ્વરૂપોમાં ફેરવી શકાય છે.
ગતિ શબ્દ પાયામાં હોય અને પ્રગતિ, વિગતિ, અવગતિથી ગતિરોધ જેવા શબ્દ સુધી સેંકડો શબ્દો બનતા રહે છે. ઘણા શબ્દો એવા છે કે એકથી વધારે ઉપસર્ગો જોડી શકાય છે. ઘણા એવા પણ શબ્દો છે જે વપરાશ ન હોવાથી ખોવાઈ રહ્યા છે અને ઘણા સજીવન થઈ રહ્યા છે.
નાટ્યશાસ્ત્ર વિશે રસિકલાલ છો. પરીખની એક પુસ્તિકા છે, જેમાં વિશદ માહિતી આપવામાં આવી છે. આહાર્ય એટલે કૃત્રિમ. આમાં મેક-અપ અને નેપથ્યની વેશભૂષા આવી જાય છે અને આને આહાર્યાભિનય કહેવામાં આવે છે.
નાટકની દુનિયામાં હાવ, ભાવ અને હેલા એવો શબ્દપ્રયોગ થતો રહે છે. ભાવ એટલે મનની સ્થિતિ, ભાવના, હાવ એટલે સ્ત્રીની શૃંગારયુક્ત ચેષ્ટા. હેલા એટલે તીવ્ર સંભોગેચ્છા અને એ વ્યક્ત કરતી ચેષ્ટાઓ અને રતિક્રીડા. આ શૃંગારરસના શબ્દો છે. આને સ્ત્રીઓ માટે સ્વભાવજ અર્થાત્ સ્વભાવમાંથી જન્મેલી વૃત્તિઓ ગણવામાં આવે છે.
નાટ્યવિશ્વમાં સંસ્કૃત ભાષામાં ખીલે છે. નટો છે અને સામાજિકો છે. પ્રાશ્નિકો છે, સૂત્રધાર છે, પારિપાર્શ્વક છે, વિટ છે, વિદૂષક છે. એક્ટિંગના કેટલા પ્રકારો છે?
આંગિક, વાચિક, આહાર્ય (પુટ-ઑન) અને સાત્ત્વિક, એમ ચાર પ્રકારના અભિનયો છે. જેને આપણે એક્ટિંગ કહીએ છીએ એ માત્ર આંગિકમાં આવી જાય છે. ઑડિટોરીઅમ અથવા પ્રેક્ષાગૃહના પણ ત્રણ પ્રકાર બતાવ્યા છે : લંબચોરસ (વિકૃષ્ટ), ચોરસ (ચતુરસ્ર) અને ત્રિકોણ (ત્રસ્ત્ર), સંસ્કૃત ભાષાનો વૈભવ સમજવો હોય તો ભરતમુનિએ માથાથી પગ સુધી બુદ્ધિપૂર્વક હલાવીચલાવી શકાય એવાં અંગો-અવયવોની ક્રિયાઓ માટે અલગ-અલગ નામો આપ્યાં છે. આંગિક અભિનય કેવી રીતે કરી શકાય? એ સૂચિ : આંખની કીકીઓની 11 પ્રકારની ક્રિયાઓ, પોપચાંની 9 ક્રિયાઓ, ભાવની 7 ક્રિયાઓ, નાકની 6 પ્રકારની ક્રિયાઓ, ગાલની 6 પ્રકારની ક્રિયાઓ, અધર અથવા નીચલા હોઠની 6 પ્રકારની ક્રિયાઓ, ચીબુક અથવા હડપચીની 6 પ્રકારની ક્રિયાઓ, ગ્રીવાની 9 પ્રકારની ક્રિયાઓ…! આ સૂચિ પૂર્ણ નથી. આ સૂચિ માત્ર ચહેરાના કેટલાક હિસ્સાઓ વિશે જ છે. પૂરા શરીરની અન્ય આંગિક ક્રિયાઓ વિશે જુદા અધ્યાયો છે !
શિક્ષણના વિશ્વમાં સંસ્કૃત પાસે કેવું વૈવિધ્ય હતું એ માટે માત્ર થોડા શબ્દપ્રયોગો પર્યાપ્ત છે. ઉપનયન એટલે શિષ્યને ગુરુની પાસે લઈ જવો. ગુરુકુળ શબ્દમાં વિદ્વાન આચાર્ય અને એમના શિષ્યમંડળનો સમાવેશ થતો હતો. અંતેવાસી શબ્દ પણ આ જ કક્ષાનો છે. જે ગુરુની પાસે વસે છે એ અંતેવાસિન છે. આચાર્ય શિષ્યને સંબોધન કરતા ત્યારે ‘સોમ્ય’ શબ્દ વપરતા અને શિષ્યો આચાર્યને આદરપૂર્વક ‘ભગવાન્’ કહેતા. આચાર્ય શબ્દનો અર્થ થતો હતો આચાર ગ્રહણ કરાવનાર વ્યક્તિ.
એક ઉપનિષદ્દમાં પિપ્પલાદ ઋષિનો ઉલ્લેખ આવે છે, જે પીપળનું ફળ ખાઈને જીવતા રહેતા હતા માટે એમનું નામ પિપ્પલાદ પડ્યું હતું. માત્ર અમુક વિદ્યાઓ જાણનાર મંત્રજ્ઞ કહેવાતો હતો, સાચો જ્ઞાની એ આત્મજ્ઞાની હતો.
ગ્રેજ્યુએટને માટે સ્નાતક શબ્દ વપરાતો હતો અને આ શબ્દને સ્નાન સાથે સંબંધ હતો. સ્નાતક એટલે સ્નાન કરેલો. સ્નાતક થઈ ગયા પછી એક પ્રકારનું સ્વલ્પવિરામ આવી જાય છે?
ક્લોઝ અપ :
અહં બ્રહ્માસ્મિ, એટલે હું પોતે જ બ્રહ્મ હોઉં, હું પોતે જ ઈશ્વર હોઉં, તો પછી મને મરજીમાં આવે તેમ આચરવાનો પરવાનો મળી જાય છે. ઘણા… આવો અર્થ માનનારા વેદાન્તીઓનો ઉપહાસ કહે છે…
આધુનિક ગુજરાતી કવિતાના સક્ષમ કવિ, ગઝલકાર અને સાહિત્યકાર સ્વ.ચિનુ મોદી ના અવસાન બાદ એમના ખુબ જ નજીકના મિત્ર, હાસ્ય લેખક વિનોદ ભટ્ટ એમના નીચેના લેખમાં એમની રમુજી અને રમતિયાળ શૈલીમાં શ્રધાંજલિ આપે છે એ વાંચવા જેવી છે.
આ બન્ને સાહિત્યકારો હાલ આપણી સમક્ષ હાજર નથી . ચિનુ અને વિનુની આ જોડીનો સ્વર્ગમાં મિલાપ થયો છે. વિ.પ.
વારતા ચિનુ-વિનુની…વિનોદ ભટ્ટ
ચિનુ મોદી. હા, ડો. ચિનુ મોદી લગભગ દરેક બાબતમાં મારાથી ઘણો આગળ હતો. ખાવામાં-પીવામાં, હરવામાં-ફરવામાં, ચરવામાંય આગળ હતો. ને જવામાં પણ મોખરે રહ્યો, મારાથી તે દોઢેક વર્ષ નાનો હતો, જુનિયર હતો, તો પણ મારી સિનિયોરિટી તેણે ડુબાડી દીધી. તેનું હું કશું જ બગાડી ન શક્યો, હું તો શું, કોઇ એ જિદ્દી માણસને ફોસલાવી ન શક્યું. તેના કાનમાં બોલેલી કવિતાઓ પણ તેણે ન સાંભળી.
આમતો તુલના માટે ખાસ અવકાશ નથી, પણ ઉપરછલ્લી, જરાતરા સરખામણી કરીએ તો ચિનુના ને મારા બાપા, બંનેનો ગુસ્સો બહુ જલદ હતો, એનું કારણ કદાચ એ હશે કે બાળઉછેરનાં પુસ્તકો તે સમયમાં ખાસ પ્રગટ થતાં નહીં હોય ને બહાર પડ્યાં હશે તો પણ ફટકારવા આડે એ બંને પિતાશ્રીઓને એ વાંચવાનો સમય નહીં મળ્યો હોય. જોકે ચિનુના બાપા તેને બૂટે ને બૂટે મારતા. ને મારા બાપા મને ચંપલથી મારતા.
મને પ્રમાણમાં ઓછું વાગતું. ચિનુની ખબર નથી, પણ મને તો મારા બાપા કયા કારણે મારે છે એની ખબર પણ પડતી નહીં ને વધુ માર પડે એ બીકે માર મારવાનું કારણ જાણવાની હિંમત પણ મેં કરી ન હતી. અલબત્ત બંનેના પિતાઓની મહત્ત્વાકાંક્ષાઓ અલગ અલગ હતી. ચિનુના બાપુજી તેને આઇ.એ.એસ. ઓફિસર બનાવવા માગતા હતા ને મારા ફાધર મને વનેરુમાંથી એક નોર્મલ છોકરો બનાવવા ઇચ્છતા હતા. આઇ.એ.એસ. થવા માટેતો અમુક બૌદ્ધિક આંક જરૂરી હોય છે.
જ્યારેવનેરુને સામાન્ય માણસ બનાવવાની મહત્ત્વાકાંક્ષા જરા પણ વધારે નહીં હોય. છતાં બંને બાપા નિષ્ફળ નીવડ્યા. ફુલ્લી ફેલ થયા. જોકે ચિનુ છેલ્લાં કેટલાંય વરસથી SPIPAના આઇ.એ.એસ.ના વિદ્યાર્થીઓને ભણાવતો હતો. તેના બાપુજી હયાત હોત તો આ જાણીને ખુશ થયા હોત. બાપાઓ નાની વાતે રાજી થતા હોય છે. હા, ચિનુ મારાથી બે માર્ક આગળ હતો. S.S.C.માં ગુજરાતી વિષયમાં મારા પાંત્રીસ માર્ક હતા ને તેના સાડત્રીસ. અમે બંને સર એલ. એ. શાહ આર્ટ્સ કોલેજમાં સાથે હતા, પણ કોલેજમાં તે ભાગ્યે જ દેખા દેતો.
આચાર્યશ્રી એમ. એમ. ઠાકોર સાહેબે કૉલેજના વિદ્યાર્થીઓને મિત્રતાના દાવે એકવાર હળવાશથી કહ્યું હતું કે,
‘વહાલાં વિદ્યાર્થી ભાઇ-બહેનો, એક વાત યાદ રાખજો. આપણી કોલેજની સામે મ્યુનિસિપાલિટીએ હમણાં જ બગીચો બાંધ્યો છે અને શહેરીજનો આપણી કોલેજને કારણે એને લો-ગાર્ડનને બદલે લવ-ગાર્ડન કહે છે. તમે પણ ફ્રી પિરિયડમાં ત્યાં જવું હોય તો જજો. પણ એક વાત યાદ રાખજો આપણી પાસે મેટરનિટી હોસ્પિટલની સગવડ નથી.’
હા, અમારા બંનેમાં એ બાબતે સામ્ય છે કે અમે ઘણી કોલેજો બદલી હતી. મેં વિદ્યાર્થી તરીકે ને તેણે એક પ્રોફેસર લેખે અડધો-પોણો ડઝન કોલેજોને લાભ આપ્યો હતો. એ તો યુવાન કવિઓને કવિતા પણ શીખવતો. ***
અમારી કૃતિઓ છપાવવા ને એ દ્વારા નામ કમાવા અમે બંને સરખાં હવાતિયાં મારતા. ‘કુમાર’ કે ‘અખંડઆનંદ’ જેવાં સામયિકો તો અમારી સામે આંખ ઊંચકીને જોતાં સુધ્ધાં નહીં. શું થાય! પણ ચિનુ મારે ત્યાં સાઇકલ લઇને આવે.પછી અમે મેગેઝિનના તંત્રીની ઓફિસે પહોંચી જઇએ. અમે આને મૃગયા કહેતા. ભક્તિમાર્ગ કાર્યાલય મારા ઘરથી બહુ નજીક. ત્યાંથી ‘વિશ્વવિજ્ઞાન’ પ્રગટ થાય.
એના સંપાદક રમણ નાવલીકર અમને કામના માણસ તરીકે બરાબરના ઓળખે. ઑફિસની બાજુની એક ઓરડીમાં રમણભાઇ, તેમનાં પત્ની ને બે-અઢી વર્ષની નાનકડી દીકરી રહે. અમે જઇએ એટલે ગંજીફરાક ને પટાવાળો લેંઘો પહેરીને શાક સમારતા બેઠેલા પતિને આનંદથી તેમની પત્ની કહી દે કે પેલા બે આયા છે તે બકુડીને રાખશે, તમે જઇને ખંખોળિયું કરી આવો. અમારા નામની બહેનને ખબર નહોતી. અને આજ્ઞાંકિત પતિ અડધાં સમારેલ શાકની થાળી ને શાક માંડ કપાય એવું બુઠ્ઠું ચપ્પુ મારા હાથમાં મૂકીને ને રમાડવા માટે દીકરી ચિનુને સોંપીને સ્નાન કરવા જાય.
અમે બંને ઓશિયાળા ચહેરે એકબીજા સામે જોતા અમને સોંપાયેલ કામ કરીએ.લાલચ એટલી જ કે ‘વિશ્વવિજ્ઞાન’નો સંપાદક અમારી રચના સહાનુભૂતિથી વાંચે ને આવતા કે પછીના અંકમાં છાપે-સભાર પરત ન કરે. લેખક થવા માટે અમે આવી લાચારી પણ વેઠી છે.
***
ચિનુને લાભશંકરનો પરિચય મેં કરાવેલો. આદિલ મન્સૂરીને લઇને તે મારા ઘેર બે-ત્રણ વાર આવેલો, પણ એ છોકરડો આદિલ મારા સ્મરણમાં નથી. તેના પાલડી ગામ વાળા ઘેર ગયાનું કે તેનાં માતા-પિતાને મળવાનું બન્યું નથી. ચિનુની મધર બંદૂક રાખતી, પણ મા જ્યારે એ બંદૂક સાફ કરવા, સર્વિસ કરવા બહાર કાઢતી ત્યારે ચિનુ ઘરની બહાર સરકી જતો. એનું કારણ એ કે ગુજરાતી સાહિત્યે એક સશક્ત સર્જક વગર ચલાવી લેવું ન પડે.
ચિનુએ તેની આત્મકથા ‘જલસા અવતાર’માં નોંધ્યું છે કે તેની મા ધનાઢ્ય કુટુંબની એકમાત્ર સંતાન હતી તો પણ ચિનુના બાપુજીથી તે બહુ બીતી. પણ પછી બાપુજીના અવસાન બાદ સ્પ્રિંગ ઉપરથી દબાણ ખસી ગયું. એની મધર ઘેર આવતા બધા કવિઓને નખશિખ ઓળખતી ને જે તે કવિ વિશેનો પોતાનો મત મોઢામોઢ પ્રગટ કરતી. આદિલ મન્સૂરીને તો જોતાં વેંત ચોપડાવતી: ‘સાલા મિયાં, તેં જ મારા દીકરાને બગાડ્યો.’
આનો અર્થ એ થયો કે બગડવાની બાબતમાં ચિનુ ચંદ્રકાન્ત બક્ષી જેવો સ્વાવલંબી નહોતો, કોઇની મદદની તેને જરૂર હતી. નાટ્યકાર સુભાષ શાહને તે ગિલિન્ડર કહેતી. (માં કભી જૂઠ નહીં બોલતી, સુભાષ પ્લીઝ ટેઇક ઇટ ઇઝી).
***
મિત્રો, એ તમે જોયુંને કે લેખક બનવા માટે અમે બંનેએ કેવાં કેવાં ‘તપ’ કરેલાં! એ વાત જવા દો. (જોકે ‘એ વાત જવા દો’ કવિમિત્ર અનિલ જોશીનો તકિયા કલામ છે. તે કોઇ અગત્યની વાત કર્યા પછી તરત જ આ વાક્ય બોલે છે). હા, પણ એ વાત જવા દેવા જેવી નથી કે અમે બંને જોતજોતામાં મહાન સર્જક તો બની ગયા. અલબત્ત અમે બંને મહાન સર્જકો છીએ એ હકીકતની અમારા બે સિવાય કોઇને આજેય ખબર નથી. હશે. સો-દોઢસો વરસ પછીય કોઇને આ માહિતી મળશે તો પણ અમે અમારું લખ્યું ને રમણ નાવલીકરની બેબલીને રમાડ્યું વસૂલ માનીશું.
***
ચિનુ અને વિનુ એકબીજાના ગાઢ મિત્ર હતા એટલે તો અમારી વચ્ચે નાની મોટી માલ વગરની વાતમાં ઠેરી જતી. 30મી સપ્ટેમ્બરે તેનો જન્મ દિવસ.2016ની તેની વર્ષગાંઠ નિમિત્તે વિનુ-ચિનુની જુગલબંધીના કાર્યક્રમનો પ્રસ્તાવ લઇને તે મારી પાસે આવ્યો. હુકમ કર્યો કે આપણે બંને સ્ટેજ પર સાથે બેસીને, ‘તને સાંભરેરે, મને કેમ વિસરેરે’ની વાતો કરીશું. મેં તરત જ હા પાડી. પણ એક ઓડિટ કાઢ્યું:
‘ચિનિયા, આ કાર્યક્રમ તારા જન્મદિન નિમિત્તે છે એટલે તારું નામ પહેલું હોય, ‘ચિનુ-વિનુની જુગલબંધી.’ મારી સામે એઝ યુઝવલ, સ્થિર આંખે જોઇ તે ડોમિનેટિંગ અવાજે બોલ્યો. ઉંમરમાં તે મારા કરતાં લગભગ દોઢ વર્ષ નાનો હોવા છતાં સર્જક લેખે દોઢેક કિલોમીટર મોટો હોવાથી મેં ચૂપ રહેવાનું પસંદ કર્યું. એનું બીજુંને મોટું કારણ એ કે મારો ચિનિયો ભારે રીસાળ.
તેની આગળ જીદ કરવા જતાં કાર્યક્રમનાં કાગળિયાં ફાડીને ચાલવા માંડે. બાળક આગળ બાળક થવું વિનુને કેમનું ગમે! અહીં જેવા સાથે તેવા થવાય એવું ન હતું. પણ તે ઉદાર ઘણો. હા, એક વાર તેને મેં દુભવેલો ખરો. જેના ઘાની વાત તેણે આત્મકથામાં એક જ વાક્યમાં નોંધી છે. તેણે બીજાં લગ્ન કર્યાં એ સામે મારો ખાસ વાંધો ન હતો. (કયા મોઢે હું વાંધો ઉઠાવું?). પણ બીજાં લગ્ન કરવા માટે તે ઇર્શાદ એહમદ બની ગયો એ મને જરાય નહોતું ગમ્યું. મારા ભાગનો અડધો ચિનુ ગુમાવવાનું મને પાલવ્યું ન હતું.
આ કારણે થોડા ગુસ્સામાં અને વધારે તો વેદનાથી એક લેખ મેં મારી કોલમમાં ફટકારેલો, જાણે હું ચિનુને ફટકારું છું. લેખનું શીર્ષક હતું: ‘જૂની કહેવત છે. ‘શીરા માટે શ્રાવક બનવું.’ નવી કહેવત: ‘બિરિયાની માટે ઇર્શાદ થવું.’ મારો આ પ્રહાર વાંચતી વખતે ચિનુને ચચરેલો,પણ એ લખતી વેળાએ ચિનુના વિનુને એ કેટલો ચચર્યો હતો એની તો ખુદ ચિનુને પણ એ સમયે જાણ નહોતી. બાય ધ વે, મારી નાની સગ્ગી બહેનનું નામ પણ હંસા હતું.’
જોકે આ જ ચિનુને તેની પત્ની હંસાએ સાચા પ્રેમ અને ફટકિયા પ્રેમ વચ્ચેનો ભેદ, ચિનુને સાચકલો પ્રેમ આપીને સમજાવેલો, ને ચિનુએ શબ્દોમાં અપરાધભાવ ભીની આંખે વ્યક્ત કરીને પોતાને તુચ્છ લાગ્યો હોવાનું આત્મકથામાં કબૂલ્યું છે. હું સાહિત્ય પરિષદનો પ્રમુખ થયો એ ચિનુને ગમ્યું નહોતું. આ ગુના માટે મારી જોડે થોડોક સમય બોલવાનું પણ તેણે બંધ કર્યું હતું ને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પરિષદ માટે મને રૂપિયા 51 લાખનું મોટું ડોનેશન આપ્યું ત્યારે ચિનુએ મને અણગમાથી જાહેરમાં કહેલું કે ‘લ્યા વિનોદ ગાયને દોહીને કૂતરાંને પાવાનો કોઇ અર્થ ખરો?’
એના મરવાના થોડા વખત પહેલાં તેણે મારા બરડા પર પ્રેમથી ધબ્બો મારતાં કહ્યું કે મારી ગાયને દોહીને-વાળી કહેવત સાચી પડીને! લાગે છે કે ચિનુ દૂ…રનું જોઇ શકતો હોવો જોઇએ. તે જ્યોતિષ સારું જોતો હતો. એક પોતાનું ભવિષ્ય બાદ કરતાં ઘણાનું તેણે ભાખેલ ભવિષ્ય લગભગ સાચું પડતું. એક પોતાની કુંડળી જોવામાં તે માર ખાઇ ગયો. તેને તો 94 વર્ષ જીવવાનું વચન ખુદ તેના ગ્રહોએ આપ્યું હતું- પછી એ ફરી ગયા!’
***
તેનો શુક્ર ઘણો બળવાન હતો. તે જાહેરમાં કહેતો કે ગુજરાતી સાહિત્યના કોઇ પણ સર્જક કરતાં આ ચિનુ મોદીએ બહુ જલસા કર્યા છે. કદાચ આ વિધાન જ તેને નડ્યું છે, આ જલસા અવતારે ઘણાં બધાંનાં મનમાં ઇર્ષ્યાભાવ પેદા કર્યો. ‘ચિનુ ભાઇ’ સાબ બહુ લિસ્સો’ કહેનાર આપણે તેનાથી જરાય ઓછા લિસ્સા નથી, પણ વાત જાણે એમ છે કે તકના અભાવે આપણામાંના કેટલાક પોતાનું ચરિત્ર્ય ટકાવી શક્યા છે. બાકી વિનુમાં પણ ચિનુ કાયમ લાગ જોઇને બેઠેલો હોય છે.
જોકે ગુજરાતી છાપાઓની કૉલમ્સ વાંચતાં તેમજ શોકસભાના અહેવાલો જોતાં સમજાય છે કે ચિનુની સર્જકતાને બદલે વધારે મહિમા તેની ઇતર પ્રવૃત્તિઓનો વધારે થયો છે. કોઇ એક યુનિવર્સિટી તૈયાર કરી શકે એનાથી વધુ યુવાન શક્તિશાળી કવિઓ ચિનુએ એકલા હાથે તૈયાર કરી આપ્યા છે. સાહિત્યના લગભગ બધાં જ સ્વરૂપોમાં તેણે તગડું કામ કર્યું છે. તે નાટકો પણ ઝડપથી લખી શકતો. એક વાર થોડા યુવાન છોકરા-છોકરીઓ જ ચિનુને ઘેરી વળ્યાં. કહે: ‘ચિનુકાકા, અમારે ઝડપથી ભજવવા માટે એક એકાંકી નાટક જોઇએ છે. ચિનુના હાથમાં ગુજરાતના માહિતી ખાતાનો અંક હતો.
તેણે એક દીકરીના હાથમાં અંક મૂક્યો. કહ્યું: ‘ગમે તે પાનું ખોલ ને જે વંચાય એ બોલ. એના પર હું એકાંકી લખી આપીશ.’ દીકરીએ અંકની વચ્ચેનું એક પાનું ખોલ્યું. બોલી: ‘ઝાલ્યાં ન રહ્યાં.’ બીજે દિવસે ચિનુલાલે આ જ વિષય ‘ઝાલ્યાંન રહ્યાં’ પરનું નાટક છોકરાંના હાથમાં મૂકી દીધું. બાય ધ વે, આવી વિરલ ટેલેન્ટ ઉર્દૂ વાર્તાકાર સહાદત હસન મન્ટોમાં હતી. પણ ચિનુની આવી બધી પોઝિટિવ વાત લખવામાં આપણો T.R.P. તે કંઇ વધતો હશે? – જવા દો એ વાત.
પણરહી રહીને અત્યારે હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે યાદ આવી ગયા. ‘શીલ અને સાહિત્ય’ની વાત કરતાં તેમણે એકવાર કહ્યું હતું કે,
‘આપણે કુંભારને ત્યાં માટલું લેવા જઇએ છીએ ત્યારે માટલું કેટલું મજબૂત ને ટકાઉ છે એ તપાસવા આપણે માટલા પર ટકોરા મારીએ છીએ, કુંભારના માથા પર નહીં. (તેજીને તો બસ, એક જ ટકોરો પૂરતો છે).’
*** યાદ આવ્યું: મારી ચિતા પર વૃક્ષ કાપીને તેનાં લાકડાં ગોઠવશો નહીં, કદાચ આવતા જન્મે મને પંખીનો અવતાર મળે તો હું માળો ક્યાં બાંધીશ?’
– ચિનુ મોદી
તેને ચિનુ મોદી થઇને બળવું નહોતું તેમજ ઇર્શાદ એહમદ બનીને દટાવું નહોતું એટલે તો તેણે દેહદાન કર્યું-કેવો ચતુર વાણિયો! –વિનોદ ભટ્ટ
ચિનુ મોદીની એક રચના …
વસવસો – ચિનુ મોદી ‘ઈર્શાદ’
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો, કહી ના શક્યો કોઇને કે ખસો…
આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકો ને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.
આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઈ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ
હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.
આ રીતે –
* પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.
* પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમા) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.
– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.
તો, આવો. આપનું સ્વાગત છે ગમતાના ગુલાલથી.
*
તાજેતરમાં વી–આવૃત્તિરૂપે પ્રકાશિત ગ્રંથ ‘અવલોકન-વિશ્વ : ભારતીય અને વિદેશી ભાષાઓનાં સામ્પ્રત પુસ્તકો વિશેના આસ્વાદલેખો, સંપાદક – રમણ સોની’ આ લિન્ક https://ekatra.pressbooks.pub/avlokanvishva/
ગુજરાત અને ગુજરાતી ભાષાના લોક લાડીલા હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું અમદાવાદમાં બુધવાર, તારીખ ૨૩ મી મે, ૨૦૧૮ ના રોજ દુખદ નિધન થયાના માઠા સમાચારથી સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વિનોદ ભટ્ટ છેલ્લાં કેટલાક સમયથી બીમાર હતા. બુધવારે 11.05 વાગ્યે વિનોદ ભટ્ટએ અંતિમ શ્વાસ લીધા હતા. સાંજે સાડા ચાર વાગ્યે તેમની અંતિમ યાત્રા બેન્ડવાજા સાથે નિકળી હતી, બેન્ડવાજાએ રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન વગાડીને ભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું. વિનોદ ભટ્ટના દેહનું દાન એલ જી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
આપણા આ જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટના દુખદ અવસાનથી ગુજરાત અને ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડશે.
પ્રભુ તેમના આત્મા ને શાંતી આપે … ઓમ શાંતી … શાંતી…શાંતી…🌺🙏🌺
સ્વ. વિનોદ ભટ્ટની જીવન ઝરમર અને એમના હાસ્ય સાહિત્ય નો પરિચય…વિવિધ સ્રોતમાંથી સંકલન કરીને … સદગત આત્માને શ્રધાંજલિ રૂપે …આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત છે.
૭ શ્રી અંકિત ત્રિવેદીની સુંદર શબ્દોમાં સ્વ. વિનોદ ભટ્ટ ને આદરાંજલિ …
હાસ્ય ને પણ ખડખડાટ હસાવી શકે એવી વિરલ હસ્તી મુ.શ્રી વિનોદ ભટ્ટ પરમેશ્વરના હાસ્ય દરબારમાં સામેલ થઈ ગયા.
આદરાંજલી. ….. અંકિત ત્રિવેદી.
કેટલાક લખે ત્યારે કાગળનું નથી વિચારતા ! કેટલાક લખે ત્યારે કાગળનું પણ વિચારે છે…! કેટલાક લખે ત્યારે પેન કાગળને ભોંકાતી હોય છે. કેટલાક લખે ત્યારે કાગળને પોતાની પેન પંપાળતી હોય છે. કેટલાક લખે ત્યારે કોરા કાગળનું અકાળે મોત થયેલું લાગે ! કેટલાક લખે ત્યારે કાગળનો મોક્ષ થઈ જાય… વળી, કેટલાક કાગળની નારણબલી કરતાં હોય એમ લખે…! અને કેટલાક કાગળને અશોકનાં શિલાલેખ જેવી શાશ્વતી સમયનાં અક્ષરોને ઉકેલીને આપે…! એમની ભાષા સમાજનું દૂરબીન લાગે..!
વિનોદ ભટ્ટ આમાંનું એક નામ…! નામ પ્રમાણેના ગુણો અને અટક પ્રમાણેનું બ્રાહ્મણપણું…! જ્યોતીન્દ્ર દવે, તારક મહેતા પછીની પેઢીનું બહુ મોટા કેનવાસ પર હાસ્યનું ચિત્રકામ કરી જાણ્યું છે. અત્યારે હાસ્ય પર ફાવટ એવી કે ડાબા હાથે લખે…! (એમને જમણા હાથમાં દૂ:ખાવાને કારણે ખરેખર ડાબા હાથથી લખે છે.) એમનું હાસ્ય જેટલું તરત સમજાય એટ્લે એમનાં અક્ષર ના વંચાય..! એ હાજરી અને ગેરહાજરી બંનેમાં વર્તાયા વિના રહે જ નહીં…!
સુરેશ દલાલની વિદાય પછી બહુ ઓછા સર્જકોને સામેથી ફોન કરવાનું ગમે છે. વિનોદ ભટ્ટ એમાંના એક અને અનન્ય. પુષ્કળ કાર્યક્રમો એમની સાથે કર્યા છે… અમદાવાદથી અમેરિકા સુધી… એવું કહેવું હોય તો કહી શકાય કે સંગીતના કાર્યક્રમો સહુથી વધારે પુરુસોત્તમ ઊપાધ્યાય જોડે કર્યા છે અને એ પછી સાહિત્યના કાર્યક્રમોમાં સુરેશ દલાલ પછી વિનોદ ભટ્ટ જ આવે…!
એકવાર મેં એમને અમસ્તાં જ પૂછેલું કે, ‘ વિ.જ.ભ. ( વિનોદચંદ્ર જશવંતલાલ ભટ્ટ – આખું નામ એમનું આ છે પરંતુ એમના મતે એમના સસરા પછી વિ.જ.ભ.ના નામે હું એકલો જ બોલાવું છું. ) હું તમારા દરેક કાર્યક્રમમાં આવું છું. તમે મારા કાર્યક્રમમાં કેમ નથી આવતા ?’
એમણે કહ્યું : ‘એક વાત સાંભળી લે. તું મારા બેસણામાં આવે એનો મતલબ એવો નહીં કે મારે પણ તારા બેસણામાં આવવાનું…!’
આટલો બે-ધબકારા વચ્ચેનાં અંતર વગરનો સહજ હાસ્ય સભર જવાબ કોણ આપી શકે ?
એટ્લે જ વિનોદ ભટ્ટ કહી શકે છે કે ‘મને મૃત્યુની બીક લાગે છે કારણ કે મને જીવનની પડી છે.’ માંદગી એમને માટે અવારનવાર આવતી એકાદશી જેવી છે. ઉંમરને કારણે ઘણીવાર ખબર કાઢવા આવતા મહેમાનની જેમ આવે અને ઘરધણી બનીને રોકાઈ પણ જાય…! તો ય એમનો તોર એવો ને એવો અકબંધ…! જેટલું જીવ્યા છે – અને જીવે છે એનું ગુમાન વિવેકી લાગે…!
જિંદગી એટલી બધી વ્હાલી જેમ ડાયાબિટીસના દર્દીને મીઠાઇ વ્હાલી ! આ દિવાળીમાં ડાયાબિટીસ હોવા છતાં હવે આવતી દિવાળી નહીં હોય એમ માનીને મીઠાઇ ઉપર જીભને ઝંપલાવી…! અને માંદા પડ્યા તો ય ઘરે રહીને માંદગીને પ્રેમ કર્યો… વિનોદ ભટ્ટ માને બધાનું (યોગ્યતા અનુસાર ) પણ કોઈ સલાહ આપે તો જરા વસમું લાગે…! સાહિત્યમાં હાસ્યની સ્થિતિ જેવું… આ જ માણસ કહી શકે કે માંદગી હોય ત્યારે બધા જ સલાહ આપે છે. જાણે ઢળતી ઉંમરે સલાહનું ટ્યુશન લેતો હોઉં એવું લાગે છે…!
હાસ્યની ઊપાસના કરનારા આ સાધક જીવને ક્યારેય ઉદાસ થતાં નથી જોયા ! ગુસ્સે થતાં જોયા છે. એ ગુસ્સો ક્ષણવારનો હોય પણ વાજબી હોય. એમના ગમા અને અણગમા સ્પષ્ટ છે. એ પોતે જ કહે છે કે જેટલું ધોધમાર જીવ્યો છું એટલું ધોધમાર ફરી જીવવા ન મળે તેનો સ્હેજ પણ અફસોસ નથી…! મૃત્યુને થોડાં સમયથી એમણે ભાઈબંધ બનાવ્યો છે. એટ્લે જીવવામાં રસ વધારે પડે છે. એમની પત્નીના હાથ નીચે ભણેલા ડોક્ટરો પર એમને વધારે વિશ્વાસ છે, કારણકે એ પોતે પણ એમની પત્નીને ‘માસ્તર’ કહીને જ સંબોધે છે…
આટઆટલાં પુસ્તકો, ભરચક કાર્યક્રમો અને ધોધમાર લોકોને મળ્યા પછી તાજા ગુલાબની સુગંધ જેવું હાસ્ય એટ્લે વિનોદ ભટ્ટ…! એમને યાદ એટ્લે કર્યા કે આ લેખ એ વાંચે અને નવી પેઢીના લેખકો-વાચકો એમનામાંથી માત્ર ને માત્ર હસતાં શીખે…! નિર્દોષ હાસ્ય ઈશ્વરની ગેરહાજરીને સભર કરી આપે છે… બાકી આ એ જ વિનોદ ભટ્ટ છે જે બોલતા હોય અને બાજુમાં પદ્મશ્રી ગુણવંત શાહ બેઠા હોય ત્યારે ઓડિયન્સની વચ્ચે માઈકમાં ગુણવંત શાહને એમ કહે કે “ ગુણવંતભાઈ હું બોલું છું તો બોર નથી થતા ને ?” ગુણવંત શાહ ‘ના’ પાડે પછી વિનોદ ભટ્ટ એટલું જ બોલે કે, ‘ જો બોર થતા હોવ તો જામફળ લાવીએ…!’ ત્વરીત હાસ્યનો તરવરાટ વિનોદ ભટ્ટનો વિશેષ છે… ગુજરાતી હાસ્ય વિનોદ ભટ્ટથી સવિશેષ છે…
ઓન ધ બીટ્સ
“ઘણા પુરુષોને એવી પત્ની જોઈએ છે કે ઘર રખ્ખું, રૂપાળી હોય, કરકસરિયણહોય અને ફક્કડ રસોઇયણ હોય… કમભાગ્યે કાયદો એક કરતાં વધારે પત્નીકરવાની છૂટ આપતો નથી…” -વિનોદ ભટ્ટ.
Laughing with Vinod Bhatt- Best Comedy-You Tube
વિવિધ આયોજિત પ્રોગ્રામોમાં હાસ્યની છોળો ઉછાળતા સ્વ. વિનોદ ભટ્ટના આવા બીજા you-tube વિડીયો આ પછીની શ્રધાંજલિ પોસ્ટમાં જોઈ/સાંભળી શકશો.
વાચકોના પ્રતિભાવ