શ્રી ભાગ્યેશ જહા એક વિદ્વાન, વિચારક, ગુજરાતી લેખક અને કવિ છે.તેઓ એક બહુ મુખી પ્રતિભા છે. આની પ્રતીતિ આપને આ લેખને અંતે આપેલ એમના પરિચય અને પ્રવચન ઉપરથી થયા વિના નહી રહે. આજની પોસ્ટમાં દિવાળી પર્વને અનુરૂપ એમનો ”ચિત્રલેખા”માં પ્રકાશિત લેખ એમના આભાર સાથે પ્રસ્તુત છે.
વિનોદ પટેલ
મને અજવાળાં બોલાવે… દિવાળી એટલે મનનો મહોત્સવ ….ભાગ્યેશ જહા
ફટાકડામાંથી આ શીખવા જેવું છે. જીવન ફટાકડા જેવું છે. ફૂટી જાય છે એક ધડાકા સાથે, જાણે જીવનનું અજવાળું ઝબકે છે અને થોડી ક્ષણમાં ઓલવાઈ જાય છે.
શિયાળો આવી ગયો, પણ તડકો જવાનું નામ નથી લેતો. દિવાળી આવી હોય અને રુટિન આપણો પીછો ના છોડે એવો ઘાટ છે.
એક નાનકડો પ્રસંગ છે. આકરા તડકામાં ચાલતો જતો એક માણસ ભારે ભૂખ અને ઉકળાટ અનુભવી રહ્યો હતો. રસ્તામાં એક દુકાન આવે છે. એ આઈસક્રીમની દુકાન છે. એ માણસ એક આઈસક્રીમ ખરીદે છે ને એકદમ ખાવા માંડે છે. અડધો આઈસક્રીમ પૂરો થાય છે ત્યારે એને ખયાલ આવે છે કે આઈસક્રીમ તો હમણાં પૂરો થઈ જશે…
– પણ હવે ભૂખની તીવ્રતા સંતોષાઈ ગઈ છે. એને હવે શાંતિથી આઈસક્રીમ એન્જોય કરવાનું યાદ આવે છે. એ બાકી રહેલો આઈસક્રીમ આનંદથી ખાય છે. એ પોતે આઈસક્રીમ એન્જોય કરી રહ્યો છે એવું ફીલ કરે છે-અનુભવે છે અને એને લીધે અગાઉ જે આઈસક્રીમ ખાધેલો એના કરતાં એ આઈસક્રીમ ખાવાની મજા માણે છે.
આ મજા-આ અનુભૂતિ એ માઈન્ડફુલ લીવિંગની શરૂઆત છે. આપણે જે કરીએ છીએ એ પૂરી તન્મયતાથી કરતા નથી. કોઈ પણ કામનો થાક ત્યારે જ લાગે જ્યારે એ કામ પૂરા ઈન્વોલ્વમેન્ટ સાથે ના કર્યું હોય. આજે માણસ પોઝિટિવ લીવિંગ એટલે કે સકારાત્મક જીવનશૈલી માટે અવનવા કોર્સ કે તાલીમ કાર્યક્રમ કે વર્કશૉપ્સમાં જાય છે, પણ એનું ખરું રહસ્ય માઈન્ડફુલ લીવિંગમાં છે.
દિવાળી આવે ત્યારે ફટાકડામાંથી આ શીખવા જેવું છે. જીવન ફટાકડા જેવું છે. ફૂટી જાય છે એક ધડાકા સાથે, જાણે જીવનનું અજવાળું ઝબકે છે અને થોડી ક્ષણમાં ઓલવાઈ જાય છે. આ ફટાકડા એક ફાટકનું કામ કરી શકે. કૅલેન્ડરનું પાનું બદલાય એટલે નવું વર્ષ નથી બેસતું, એક દ્વાર ખૂલે છે.
જીવન જીવતાં જીવતાં નાવીન્યનો અહેસાસ થાય, અનુભૂતિ ઊંડાણમાંથી આવે અને પ્રતીતિ પળેપળ પ્રસરે ત્યારે જીવન ખીલી ઊઠે છે. અમાસને દિવસે દીવો કરીએ અને જે પ્રકાશ મળે એ પ્રકાશ દિવાળીનો પ્રકાશ બની ઊઠે છે. નાણાંનો હિસાબ રાખવો જોઈએ અને દિવાળી પર વર્ષભરનાં લેખાં-જોખાં વિશે ચિંતા ને ચિંતન કરવું જોઈએ, પણ મનનો રોજમેળ પણ જોઈ લેવો જોઈએ. વાસણને માંજવાની સાથે મનને માંજવાની મથામણ કરવા જેવી છે.
આ માટે માઈન્ડફુલ લીવિંગ વિશે જાગૃતિ કેળવી લેવા જેવી છે. ક્ષણની ક્ષણિકતાને હરાવવી હશે તો ક્ષણનો મહિમા કરવો પડશે. નરસિંહ મહેતા જ્યારે એમ ગાય: આજની ઘડી તે રળિયામણી ત્યારે એમના મનમાં ઘડીનો મહિમા છે. જીવન કેટલાંક વર્ષોનો સરવાળો હશે, પણ જીવનરસ તો ગણતરીની મિનિટનો મહિમા છે. એક નાનકડો કે સારો પ્રસંગ આખા દિવસને કે આખા વર્ષને આનંદમય બનાવી શકે છે. એક ક્ષણની શક્યતા એક રજકણની જેમ સૂરજ થવાનું શમણું જુએ છે ત્યારે એક ગાયત્રીમંત્રની શક્તિ પ્રગટે છે. એક અણુની જેમ ક્ષણમાં આવી તાકાત રહેલી છે.
આજે આપણે અનોખા સમયમાં જીવી રહ્યા છીએ. વિશ્ર્વ વ્હૉટ્સઍપમાં જીવી રહ્યું છે. એ ફેસબુકમાં ફેલાઈ ગયું છે. સારું છે, ટેક્નોલોજી આવશ્યક છે, પણ પોઝિટિવ થિન્કિંગથી આ જીવનને સ-રસ બનાવવાનું છે. સ્પર્ધા સારી છે, પણ એની આડપેદાશ તરીકે ઈર્ષ્યા પેદા થયા કરે તો એ અંતે નુકસાન કરે છે. એક વિચારસરણી છે, જે શુદ્ધ લાભના તરફેણની વાત કરે છે, જ્યારે આ દિવાળીની ઉજવણી એ શુભ-લાભની વાત છે. દિવાળીના ઉત્સવમાં દરેકને ઈચ્છા હોય કે બધા સુખી થાય. બધા હરખથી બધાને શુભેચ્છા આપે છે.
જો આમ હોય તો પ્રશ્ન ક્યાં છે?
પ્રશ્ર્ન મનના ખાલીપણાનો છે. મન વગરની, માઈન્ડફુલનેસ વગરની શુભેચ્છા ચા વગરનાં કપ-રકાબી જેવી છે. બધા મીઠાઈ વહેંચે છે. આ મીઠાઈ કરતાં મનની મિરાત વહેંચવાની ક્ષણ છે. બીજી રીતે જોઈએ તો દિવાળી ગઈ એટલે એક વર્ષ ગયું ને નવું વર્ષ શરૂ થયું. આજે પોતાની સાથે બેસીને આ વાત કરવાની છે. આ વર્ષે મારે માઈન્ડફુલ જીવવું છે. કોઈની ઈર્ષ્યા નથી કરવી. આવું કરવાથી આપણા નાનાએવા વર્તુળમાં પણ મોટો ગુણાત્મક ફેરફાર થશે. આપણા મનનો દીવો બીજાના મનના દીવાને પણ પ્રગટાવી શકે. અજવાળામાંથી અજવાળું લઈ લો તો પણ અજવાળું જ બચે છે. આ પૂર્ણમદ:ના મંત્રને જીવવાનો સંકલ્પ કરવાનો ઉત્સવ છે. આ જીવનની લાભપાંચમને આ રીતે ઊજવવાનો માઈન્ડફુલ અર્થ છે.
આવતી કાલ પડકારો સાથે ઊગવાની છે એના કરતાં આવતી કાલ અનેક તક સાથે ઊગવાની છે એ ભાવ કેળવવો છે. આ જગત દુ:ખથી ભરેલું તો છે જ, પણ શરદપૂર્ણિમાનો ચંદ્ર કેવો સ-રસ દેખાતો હતો અને એનું આ દ્રશ્ય ગરીબ, પૈસાદાર કે સુખી-દુ:ખી એમ સૌને ઉપલબ્ધ હતું. કુદરત એક પ્રકારની સમાનતા અને ન સમજાય એવી અસમાનતા વહેંચ્યા કરે છે ત્યારે તન્મે મન: શુભસંકલ્પમસ્તુવાળી પ્રાર્થના આપણે આપણને જ સંભળાવવાની છે. આ દિવાળી આપણને મનભર મસ્તી શિખવાડે અને આ માઈન્ડફુલનેસ સકારાત્મક કારણો અને પરિણામો માટે હોય.
11 Simple Lessons From The Bhagavad Gita That Are All You Need To Know About Life…… Neha Borkar
When a confused Arjuna turned to his charioteer, Lord Krishna, for advice at the Kurukshetra, Lord Krishna stated some rational philosophical concepts that are relevant even today.
Bhagavad Gita is an epic scripture that has the answers to all our problems. It was considered a spiritual dictionary by Mahatma Gandhi and was a book of inspiration for many leaders of the Independence movement. Take a look at some of these Bhagavad Gita lessons you can use to bring your life back on the right track.
You might even want to take a few learnings from here and stick some Bhagavad Gita quotes on your desk or put them on a bookmark.
Whatever happened, happened for the good. Whatever is happening, is happening for the good. Whatever will happen, will also happen for the good.
So get over it. Whatever you’re sulking about, forget it. The job interview that didn’t go well, or the relationship that didn’t work was bound to happen and it happened. Everything happens for a reason. There is a reason you’re going through a bad phase and there is a reason you might be basking in glory – it’s a cycle and you need to quietly accept it. You need not worry about the future, nor should you pay attention to the past. You only have control over the present, so live it to the fullest.
2.You have the right to work, but never to the fruit of work.
‘Karm karo, phal ki chinta mat karo’ is the wisest message the Bhagwad Gita gives us. Today, we are working only for money, a better house, a car, and for a secure future. We are so goal-driven, that we do everything only on thinking about the results. For instance, we all work extra hours during our appraisal time, thinking that our bosses will rate us highly on our performance evaluation. This is something we need to avoid. Only because, if expectations are not met, pain is inevitable. Therefore, keep working and don’t expect anything in return.
Change is the law of the universe. You can be a millionaire, or a pauper in an instant.
How true! Nothing is permanent in our lives. The earth keeps revolving, it does not stay stable; the day ends and the night follows; after humid summers follow relieving monsoons. This reinforces the fact that impermanence is the law of the universe. Therefore being proud of your wealth is a sign of immaturity, because it can vanish into thin air in a minute. Accepting change makes you coherent enough to face any tough situations in your life.
The soul is neither born, and nor does it die
We can achieve nothing if fear is instilled within us. Fear kills ambition, dreams and even the slight chances of progress. A fearless soul has nothing to worry about, because it knows it cannot be caged, and nor can it be stopped. Thus, the fear of death is absurd, as our souls don’t die. Fear and worry are two enemies, that are deterrents to our well-being. We must strive to eradicate them from our minds completely.
You came empty handed, and you will leave empty handed.
We get so attached to material things that we often forget that we won’t be taking them with us to the grave. We came stark naked into this world, and we will go without taking anything to our graves. Not even our phones! Attachment to material things is something we need to pay attention to, because we don’t possess things – things start possessing us.
Lust, anger and greed are the three gates to self-destructive hell.
Kama, krodh and lobh have done us no good. Unreasonable craving for sex will turn you into a pervert, anger will drive people away from you and greed will never let you be satisfied.
Man is made by his belief. As he believes, so he is.
You are what you think you are. Your thoughts make and define you. If you think you’re a happy person, you become happy. If you let sad thoughts take over your mind, you tend to become a sad person. If you feel that you will nail a presentation in a meeting, then chances are that you will. However, if you’re not prepared and feel nervous then you might make a blunder.
When meditation is mastered, the mind is unwavering like the flame of a lamp in a windless place.
We consider meditation boring. Who can sit still with their eyes closed and without vile thoughts? But we truly need to take out a few minutes from our busy schedules and sit in dhyana to attain inner peace. Whether it’s a quiet corner of our cosy home, or just a secluded spit in office, closing your eyes and sitting in peace will give you immense peace of mind.
There is neither this world, nor the world beyond. nor happiness for the one who doubts.
Doubts create misunderstandings. They confuse you and fog your mind with unclear thoughts. They also bring indecisiveness and make you a coward. For instance, if you’re in a relationship and if you have doubts about your partner’s loyalty and love then you will never be able to take your relationship further. Love has no doubts. If it does, then it’s not love.
We’re kept from our goal not by obstacles, but by a clear path to a lesser goal.
‘Dream big’ is the message here. If you’re dreaming about buying a house, you can’t keep it on hold by dreaming about a motorcycle. Although small goals are important, forgetting your ultimate goal will only stunt your growth. Don’t settle for less, strive hard to achieve the bigger goals.
11.A person can rise through the efforts of his own mind; or draw himself down, in the same manner. Because each person is his own friend or enemy.
You’re your own best friend. If you have a problem, only you will have a solution to it, and not your friend. To find answers to your questions, you will have to look within. Seeking suggestions from ten different people who you call ‘friends’ is not going to help because they have ten solutions to one problem, whereas your solution is the ultimate answer. Believe in yourself.
Dr. Sharad Thakar is Gujarati Author. Writing “રણમાં ખીલ્યું ગુલાબ” since 1993 and “ ડૉક્ટર ની ડાયરી” since 1995 in leading Gujarati Daily New Paper. Author of 28 books, Recipient of many state level and national awards for literary work. Professionally a Gynaecologist at Ahmedabad.
હું જ્યારે ડૉ.ભટ્ટના નિવાસસ્થાને ગયો, ત્યારે ઘરમાં જબરદસ્ત ધમાલ મચી હતી. ઘરની હાલત દેશની સંસદ જેવી બની ગઇ હતી. મેં રાડારાડનું કારણ પૂછ્યું. જવાબ મળ્યો કે ડૉ.ભટ્ટનો રૂમાલ જડતો ન હતો.ડૉ.ભટ્ટ આમ બધી બાબતે ડોક્ટર જેવા જ હતા, પણ ભૂલવાની વાતે પ્રોફેસરની જેવા હતા.‘મારે, યાર, અત્યારે બહાર જવું છે અને મારો હાથરૂમાલ જડતો નથી.’ ડૉ.ભટ્ટ ગાંડાની જેમ ઘરમાં ઘૂમી વળ્યા હતા. ટાલવાળા માથા ઉપર જે કંઇ બે-ચાર વાળ હતા તે પણ રૂમાલની ચિંતામાં એન્ટેનાની જેમ ઊભા થઇ ગયા હતા.
મેં સૂચન કર્યું, ‘એક રૂમાલ ખોવાયો હોય તો બીજો લઇ લો ને! ઘરમાં એક જ રૂમાલ રાખો છો?’ આવું કહેવાનો મને અધિકાર હતો, મારે એમના પરિવાર સાથે એવી ઘરવટ હતી.‘રૂમાલ તો એક ડઝન રાખું છું, પણ મારે આ શર્ટ-પેન્ટ સાથે મેચ થાય તેવો બ્રાઉન રંગનો હેન્કી જોઇએ છે. મારી પાસે છે પણ ખરો. ભગવાન જાણે ક્યાં ગૂમ થઇ ગયો? આ વસુ મારી કોઇ વસ્તુનું ધ્યાન રાખતી નથી!’ ડૉ.ભટ્ટના ગુસ્સાનું મિસાઇલ હવે પત્નીની દિશામાં તકાયું.
‘આ વસુ જ તમારી દરેક ચીજવસ્તુનું ધ્યાન રાખે છે.’ આવું બોલતાં, મલકાતાં, હાથમાં પતિને જોઇતો હતો એ રૂમાલ લઇને આવતાં ડૉ.ભટ્ટના ધર્મપત્ની ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યાં. પતિના હાથમાં રૂમાલ મૂક્યો.
‘મોજાં તમારા રૂમાલવાળા કબાટના ડ્રોઅરમાં છે. લો, એ પણ લઇ આવી છું, નહીંતર બે મિનિટ પછી એને શોધવાની કસરત ચાલુ થઇ જાત!’ વસુબહેને બ્રાઉન રંગના મોજાંની જોડ પતિના હાથમાં મૂકી.
‘થેન્કયુ, વસુ! તું ન હોત તો આજે મારું શું થાત?’
‘આજની વાત છોડો, આખી જિંદગીની વાત કરો! તમારી નાની-નાની દરેક ચીજનું ધ્યાન હું જ તો રાખું છું! સાવ ભાન વગરના છો! રામ જાણે કેવી રીતે ડોક્ટર બની ગયા?!’ આવું બોલતી વખતે વસુબહેનના ચહેરા ઉપર પતિની કાળજી લેતી ભારતીય નારીનું અભિમાન ઝલકતું હતું અને આંખોમાં સુખી દાંપત્યનો સંતોષ મલકતો હતો.
વરસો થઇ ગયા આ ઘટનાને. નોકરીના સ્થળે હું એકલો જ રહેતો હતો. પત્ની અમદાવાદમાં હજુ ભણતી હતી. મારા કામમાંથી પરવારું કે તરત જ હું ડૉ. ભટ્ટના નિવાસસ્થાને જઇ પહોંચતો હતો. સાંજની ચા અમે સાથે માણતા હતા. રાત્રે ટીફિન જમવા પૂરતો હું મારા ઘરે જઉં અને તરત પાછો આવી જઉં. પછી મોડી રાત સુધી પત્તા ટીચતાં અને ગપ્પા મારતાં અમે બેસી રહીએ. મારી ભેંકાર જુવાનીના એ સમયને સંગાથના શોરગૂલથી ભરી દેવાનું પવિત્ર કાર્ય ડૉ.ભટ્ટ અને એમના પત્ની વસુબહેને પાર પાડ્યું હતું.
પતિ-પત્ની વચ્ચે ગજબનો પ્રેમ હતો, સુમેળ હતો, એકમેકને સમજવાની અને ગમા-અણગમા પારખવાની શક્તિ હતી. એમનું દાંપત્ય નર્યું ગળપણનું બનેલું મિષ્ટાન્ન ન હતું, પણ બધાં જ સ્વાદો ધરાવતી ચટપટી વાનગી જેવું હતું. ખરી મજા ડૉ.ભટ્ટના ભૂલકણાં સ્વભાવને કારણે આવતી હતી. તે દિવસે રૂમાલ ખોવાયો હતો, તો થોડાંક દિવસો પછી એમના ચશ્માં અર્દશ્ય થઇ ગયા!‘મારા ચશ્માં ક્યાં છે?’ ચશ્માં ક્યાં છે?’ ડૉ.ભટ્ટે ઘર માથે લીધું.
‘ચશ્માં તમારા નાક પર તો છે!’ વસુબહેને પતિનું ધ્યાન દોર્યું.‘આ તો દૂરનું જોવાના ચશ્માં છે, હું વાંચવા માટેના શોધું છું. તું આમ બાધાની જેમ મારી સામે ઊભી રહીને દલીલો ન કર! મને ચશ્માં શોધવામાં મદદ કર!’ ડૉ.ભટ્ટની ઘાંટાઘાંટ સાંભળીને વસુબહેને ઘરનો ખૂણેખૂણો ફેંદી નાખ્યો. છેવટે ચશ્માં જડ્યા ખરાં!‘થેન્કયુ, વસુ! થેન્કયુ! ચશ્માં ક્યાંથી મળ્યા?’ ડૉ.ભટ્ટના જીવમાં જીવ આવ્યો.
પણ વસુબહેનના જવાબથી પાછો જીવ ઊડી ગયો, ‘તમારા ટોઇલેટમાં ફ્લશની ટેંક ઉપર પડ્યા હતા!’‘ત્યાં કોણ મૂકી આવ્યું હશે?’ ‘તમે! બીજું કોણ લેટ્રીનમાં તમારા ચશ્માં પહેરીને જાય? તમને ટેવ છે ત્યાં બેઠાં-બેઠાં સવારનું છાપું વાંચવાની! હું તમારી આદતો જાણું છું માટે મેં ત્યાં તપાસ કરી. નહીંતર…’ અધૂરા વાક્યમાં જેટલાં ટપકાં હતા એના કરતાં વસુબહેનની આંખોમાં પતિની નાની-નાની વાતનું ધ્યાન રાખવાનું અભિમાન વધારે સમાયેલું હતું.
અમારો સથવારો લગભગ એક-દોઢ વરસનો રહ્યો. ખૂબ મજાઓ માણી, પણ સૌથી વધારે સાતત્યપૂર્ણ ઘટનાઓ આ ચીજવસ્તુઓ ખોવાઇ જવાની અને પાછી જડી જવાની બનતી રહી. દરેક વસ્તુ વસુબહેન જ ખોળી આપતાં. કારની ચાવી કચરાટોપલીમાંથી મળી આવે. ભટ્ટ સાહેબનો કોટ માળીયા પરથી જડી આવે. એક વાર સાહેબનું ટી-શર્ટ ખોવાયું હતું. ખૂબ શોધ્યું પણ ન જ મળ્યું. એ દિવસે ડૉ.ભટ્ટ શરીરના ઉપરના ભાગે એ ટી-શર્ટ સિવાય બીજું કશું જ પહેરવાના મૂડમાં ન હતા.
પણ ટી-શર્ટ એના માલિક કરતાંયે વધારે હઠીલું નીકળ્યું. બે મહિના પછી વસુબહેન જ્યારે તેલનો ડબ્બો લૂછવા માટે કપડાંનો ગાભો શોધતાં હતાં, ત્યારે મસોતાંના ઢગલા વચ્ચે પતિદેવનું ગૂમ થયેલું ટી-શર્ટ મળી આવ્યું. એ પણ ગાભા જેવું જ બની ગયું હતું. પણ ડૉ.ભટ્ટે જીદ પૂરી કરવા ખાતર એક વાર તો એ ગાભો પણ પહેરી નાખ્યો! પત્ની સામે જોઇને પૂછ્યું યે ખરું, ‘શું વિચારે છે? તારો પતિ કેવો હેન્ડસમ દેખાય છે એવું ને?’
‘ના, હું તો એવું વિચારતી હતી કે જો તમને હું ન મળી હોત તો તમારું શું થાત? ચશ્માં, પેન, બૂટ-મોજાં, હાથરૂમાલ અને પહેરવાના કપડાં આ બધું ખોઇને સાવ નડીંગ-ધડીંગ ફરતાં હોત! હું છું ત્યારે તમારી નાની-નાની દરેક વાતનું ધ્યાન રાખું છું.’ આવું બોલતાં વસુબહેનની આંખોમાં ચમકતાં સંતોષ અને મોં ઉપર લિંપાયેલી ગૌરવની લાગણીમાં ડૉ.ભટ્ટની સંમતિ પણ ભળેલી હતી અને મારી સાક્ષી પણ!એ પછી અમે છુટા પડ્યાં.
***
તાજેતરમાં મારે બહારગામ જવાનું બન્યું. એક જાણીતા શહેરમાં જાહેર સમારંભમાં મને વકતવ્ય આપવા માટે બોલાવવામાં આવ્યો હતો. અમદાવાદથી કારમાં જવાનું હતું. સમારંભનો સમય સવારના નવ વાગ્યાનો હતો. વહેલાં ઊઠીને પાંચ કલાકનો પ્રવાસ કરીને નિધૉરીત સમયે પહોંચવાનું શક્ય ન હતું. માટે આયોજકોએ રસ્તો કાઢ્યો, ‘તમે અમદાવાદથી સાંજે નીકળીને આગલા દિવસે રાતે જ આવી જાવ! સવારે બહુ વહેલા ઊઠવાની ચિંતા નહીં રહે! હોટલમાં તમારા માટે રૂમ બૂક કરાવી લઇશું.’ હું પહોંચી ગયો. હોટલના રજિસ્ટરમાં સહી કરતી વખતે ઉપર નીચેના ખાનાઓ ઉપર સહજપણે મેં નજર ફેરવી લીધી.
એક નામ વાંચીને હું ઊછળી પડ્યો. મારી તદ્દન બાજુના રૂમમાં ડૉ.ભટ્ટ અને શ્રીમતી ભટ્ટ ઊતરેલા હતા! કેટલાં બધાં વરસો પછી આ મિત્ર દંપતીને મળી શકાશે એ વિચારમાત્રથી હું રોમાંચિત થઇ ઊઠ્યો. મારા રૂમાં બેગ મૂકી ન મૂકી અને હું પડોશમાં દોડી ગયો. બેલ વગાડી. બારણું એક રૂપાળી યુવતીએ ઊઘાડ્યું. હું ડઘાઇ ગયો. અંદર પથારીમાં ડૉ.ભટ્ટ બેઠેલા હતા. યુવતી પારદર્શક ગાઉનમાં જેટલી ઢંકાતી હતી એના કરતાં વધુ તો છતી થતી હતી.
‘સોરી, ભટ્ટસાહેબ! આટલાં લાંબા સમય પછી તમને મળવાના જોશમાં મને લાગે છે કે મેં તમને ખોટા સમયે ખલેલ પહોંચાડી! રજિસ્ટરમાં મેં શ્રીમાન ભટ્ટ વાંચ્યું એટલે મને થયું કે વસુબહેન…’ડૉ.ભટ્ટ મારી પાસે દોડી આવ્યા, ‘નેવર માઇન્ડ, શરદભાઇ! જાણેઅજાણ્યે તમે મારી ખાનગી જિંદગી જોઇ લીધી. આ ઉત્કંઠા છે. બે વરસથી મારે ત્યાં નર્સ છે. અમે….યુસી…! પણ એક વિનંતી છે…આ વાત ખાનગી રાખજો. વસુને ખબર નથી….’ ડૉ.ભટ્ટ ખોવા જેવું ખોઇ નાખતા હતા,પણ શોધવા જેવું એમણે શોધી લીધું હતું! મને દયા આવી ગઇ વસુબહેન પર! એ બિચારી ભોળી ભારતીય ધર્મપત્ની એનાં પતિની દરેક નાની-નાની વાત પર નજર રાખતી રહી. એમાં આવડી મોટી વાત સાવ જ એનાં ધ્યાન બહાર નીકળી ગઇ!‘
લાગણીનું સરનામું હું શું લખું? આંખ પણ સાલી ભરાઈ જાય છે.
– શૈલેશ પંડયા ‘ભીનાશ‘
જિંદગીની કેટલીક ઘટનાઓ એવી હોય છે જે ક્યારેય ભુલાતી નથી. થોડીક ઘટનાઓ એવી હોય છે જે યાદ આવે ત્યારે આંખોના ખૂણામાં ભીનાશ બાઝી જાય છે. આંખો ભીની હોય છતાં દિલને ટાઢક થાય એવી ઘટનાઓ જીવનની સાચી મૂડી હોય છે. જિંદગીની ઘણી ખુશી એવી હોય છે જે બયાન કરવા માટે આપણને શબ્દો જડતાં નથી, શબ્દો જડી જાય તો પણ વ્યક્ત થઈ શકાતું નથી. આવા સમયે આ શબ્દો આંખોમાં ઉભરી આવે છે. જે ક્ષણની રાહ જોતાં હોઈએ એ ક્ષણ જ્યારે સામે આવી જાય ત્યારે સમય પણ એક અલૌકિક અવતાર ધારણ કરી લેતો હોય છે. આ ક્ષણ સાક્ષાત્કારની હોય છે,આ ક્ષણ ચમત્કાર જેવી હોય છે. માણસને એવું ફિલ થાય છે કે બધું જ મળી ગયું, જિંદગીમાં હવે કોઈ અપેક્ષા નથી, એવી લાગણી જિંદગીમાં બહુ ઓછી વખત આવતી હોય છે.
તમે યાદ કરો કે તમારી જિંદગીની બેસ્ટ ક્ષણ કઈ છે? આપણે વર્સ્ટ ઘટનાને વાગોળતા રહીએ છીએ. જિંદગીને સુંદર બનાવવી હોય તો જે સારું બન્યું છે તેની યાદો જીવંત રાખો.
વીતી ગયેલી જિંદગીનાં પાનાંઓમાંથી કેટલાંક પાનાં ફાડીને ફેંકી દેવા જેવાં હોય છે, એને સંઘરી ના રખાય. અગાઉના સમયમાં કોઈ સ્વજનનું અવસાન થાય ત્યારે અશુભ લખેલાં પોસ્ટકાર્ડ આવતાં. આ પોસ્ટકાર્ડ વાંચીને તરત ફાડી નાખવાની એક માન્યતા લોકોમાં હતી, આ પત્રને સાચવીને કોઈ ન રાખે. જિંદગીનાં અમુક અશુભ પાનાંઓને પણ આ જ રીતે ડિસ્ટ્રોય કરી દેવાં જોઈએ.
એટલું જ જરૂરી એ પણ છે કે સારાં પાનાંને દિલમાં મઢી લઈને જીવંત રાખવાં. એક સપનું કે એક સફળતા સાકાર થયા પછી તેનું રિપિટેશન થવું જોઈએ. તમે એક વાર સફળ થાવ તો સંતોષ ન માની લેવો, કારણ કે જો તમે બીજી વાર નિષ્ફળ જશો તો લોકો એવું જ માનશે કે તમને પહેલી સફળતા ફ્લુકલી જ મળી હતી. એ તો એનાં નસીબ કે એક વાર મેળ ખાઈ ગયો એવું લોકો માનશે. પહેલી વાર સફળતા મળે ત્યારે લોકો એવું માને છે કે તે નસીબદાર છે, જ્યારે તમે સતત સફળતા મેળવો ત્યારે જ લોકો સ્વીકારે છે કે તમે ખરેખર મહેનતુ છો.
પહેલી વખતે મળેલી સફળતાની ઘટનાને યાદ કરો, કેવી ખુશી થઈ હતી? લોકો અભિનંદન આપતા હતા ત્યારે છાતી કેવી ગજ ગજ ફૂલતી હતી? નક્કી કરો કે આ ઘટનાને મારે વારંવાર જીવવી છે. સાથે એ પણ યાદ રાખો કે તમારી સફળતાથી કોની આંખો ભીની થઈ ગઈ હતી? તમારી સફળતા માત્ર તમારી નથી હોતી, તમારી સફળતાનો સંતોષ બીજે ક્યાંક પણ છલકતો હોય છે. મા-બાપ, ભાઈ બહેન, દોસ્ત કે પ્રેમી જ્યારે એમ કહે કે આઈ એમ પ્રાઉડ ઓફ યુ ત્યારે તમારા સપનાની સાથે એ લોકોનું સપનું પણ પૂરું થતું હોય છે.
તમારી સફળતાનો આનંદ જ્યારે તમારી પ્રિય વ્યક્તિના ચહેરા પર ઝળકે ત્યારે એક અનુપમ દૃશ્ય ખડું થાય છે. તમે તમારી પ્રિય વ્યક્તિને ખુશ જોવા ઇચ્છો છો તો તમારી એ સફળતાને સાકાર કરો જેનું સપનું તમારી પ્રિય વ્યક્તિ તમારી માટે સેવે છે. ઘણી વખત આપણી પ્રેરણા જ આપણી પ્રિય વ્યક્તિની ઇચ્છા હોય છે. તમારા માટે કોઈએ સપનું સેવ્યું હોય તો માનજો કે તમે નસીબદાર છો, કારણ કે કોઈ વ્યક્તિ એવી ઘડીની રાહ જોતી હોય છે જ્યારે તમને જોઈને એને પોતાની જિંદગી સાર્થક લાગે.
એક વ્યક્તિની આ વાત છે. યુવાન હતા ત્યારે તેનું એક સપનું હતું કે હું પીએચડી કરીશ. ડોક્ટરેટ થવાની મહેચ્છા એણે જિંદગીભર દિલમાં સેવી હતી. પોતાના નામની આગળ ડોક્ટર લગાવીને તેણે ઘણી વખત નામ છેકી નાખ્યું હતું. પણ સતત એક ઇચ્છા સળવળતી હતી કે એક દિવસ મારા નામની આગળ ડોક્ટર લાગેલું હશે. અલબત્ત, આપણી દરેક ઇચ્છા ઘણી વખત કુદરતને મંજૂર હોતી નથી. એ માણસના સંજોગો જ એવા થયા કે એ ડોક્ટરેટનું ભણી ન શક્યા. એક અધૂરા સપનાનો વસવસો તેના દિલમાં કાયમ તરફડતો રહેતો હતો. કેટલીક વેદનાઓ એવી હોય છે કે જેને આપણે લાખ પ્રયત્નો છતાં દબાવી, મિટાવી કે ભુલાવી શકતા નથી. જેને યાદ ન કરવું હોય એ જ ભુલાતું હોતું નથી. દિલમાં સપનાની ઘણી કબરો એવી હોય છે કે જેના ઉપર ફૂલ ચડાવવા સિવાય આપણે કંઈ જ કરી શકતા નથી. એક સપના ઉપર એ માણસે ચોકડી મૂકી દીધી અને જીવવાનું ચાલુ રાખ્યું.
નોકરી હતી, ઘર હતું, પત્ની અને બે બાળકો હતાં, આમ તો સુખ કહી શકાય એવું બધું જ તેની પાસે હતું પણ અધૂરા રહી ગયેલા સપનાનું દુઃખ ક્યારેક તરવરી ઊઠતું. સંતાનોને પણ તેમણે પોતાના આ અધૂરા સપનાની વાત કરી હતી. સંવેદનશીલ દીકરી પિતાની આ વેદનાને સારી રીતે સમજી શકતી હતી. એવામાં પપ્પાનો બર્થ ડે આવ્યો . પપ્પાની બાજુમાં બેસીને તેણે પપ્પાનો હાથ પકડયો અને કહ્યું કે આજે મારે તમને બર્થ ડે ગિફ્ટ આપવી છે. પણ હું એ ગિફ્ટ આજે આપી શકું તેમ નથી, એટલે મારે તમને પ્રોમિસ આપવું છે કે હું જે ઇચ્છું છું એ ગિફ્ટ હું તમને એક દિવસ ચોક્કસ આપીશ. આટલું બોલીને તેણે પપ્પાની આંખમાં આંખ પરોવીને કહ્યું કે પપ્પા હું તમારું અધૂરું સપનું સાકાર કરીશ. હું ડોક્ટરેટ કરીશ, આઈ પ્રોમિસ યુ... પપ્પાની આંખના બંને ખૂણામાં ધીમે ધીમે ચોમાસું બેસી ગયું. ઘરની છત સામે જોઈને આંખમાં ઉભરી આવેલા આંસુ રોકવાનો પ્રયત્ન કર્યો, દીકરી આંસુ ન જોઈ જાય એટલે તેને ગળી વળગાડી લીધી, પિતાની આંખમાંથી ખરેલું ટીપું દીકરીના ખભા પર પડયું અને દીકરીએ સંકલ્પ કર્યો કે ડોક્ટરેટ ન થાઉં ત્યાં સુધી પિતાના આ આંસુની ભીનાશ હું મારામાં જીવતી રાખીશ.
એ દિવસથી તેણે પિતાનું સપનું પોતાની આંખમાં આંજી લીધું. પપ્પાની ભીની આંખોનું એ દ્રશ્ય તે તેના દિલમાં રોજ સજીવન કરતી. તેને થતું કે પિતાને માત્ર ડોક્ટરેટની વાત કરી તો આવું થયું, જ્યારે હું તેના હાથમાં ડિગ્રી મૂકીશ ત્યારે એને કેવો આનંદ થશે?
વર્ષો વીતતાં ગયાં. દીકરીએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. જોકે તેણે ડોક્ટરેટ થવાનું તેનું સપનું ઝાંખું થવા દીધું ન હતું. બન્યું એવું કે દીકરી માટે એક સરસ માગું આવ્યું. છોકરો પરિવાર બધું જ એકદમ યોગ્ય હતું. દીકરીએ પિતાને લગ્નની ના પાડી અને કહ્યું કે ડોક્ટરેટ થઈશ પછી જ લગ્ન કરીશ. આ વાત તેના મંગેતરને ખબર પડી. તેને તેની ભાવિ પત્ની માટે ગર્વ થયો. તેણે કહ્યું કે આપણાં લગ્ન તારા સપનાની આડે નહીં આવે. ઊલટું એમ સમજજે કે તારું સપનું હવે મારું પણ સપનું છે. દીકરીનાં લગ્ન થઈ ગયાં. ઘરની જવાબદારીમાં દીકરી થોડી ગૂંચવાઈ ગઈ, જોકે પિતાનું સપનું પૂરું કરવા તે મક્કમ હતી. આમ છતાં ઘણો સમય પસાર થઈ ગયો.
પપ્પાની તબિયત નરમ થતી જતી હતી, તેમને વારંવાર દવાખાને એડમિટ કરવા પડતા હતા. દીકરીએ એક વખત ડોક્ટર પાસે જઈને કહ્યું કે જ્યાં સુધી મારું પીએચડી પૂરું ન થાય ત્યાં સુધી પપ્પાને કંઈ થવા ન દેતા, નહીંતર હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. દીકરીએ થિસીસ ફાઈલ કરી. વાઇવા પણ સરસ ગયો. બરાબર એ જ સમયે પપ્પા સીરિયસ થઈ ગયા. દવાખાને એડમિટ હતા, દીકરી દરરોજ ભગવાનને પ્રાર્થના કરે કે જલદી રિઝલ્ટ મળી જાય. અંતે તેને સમાચાર મળ્યા કે તમે પાસ છો, નાઉ યુ આર ડોક્ટર. દીકરી ડિગ્રી લઈને દોડીને પિતા પાસે ગઈ. દવાખાનાના બિછાને પપ્પાનો હાથ પકડીને કહ્યું કે ડેડી, માય ગિફ્ટ… આ વખતે પપ્પા આંસુ છુપાવી ન શક્યા અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા. એક શબ્દ બોલી શકાય એવી સ્થિતિ ન હતી, આંખો જ્યારે બોલતી હોય છે ત્યારે વાચા હણાઈ જતી હોય છે, કારણ કે આંખોની ભાષા પાસે શબ્દો પણ વામણા થઈ જતા હોય છે. થોડા સ્વસ્થ થયા પછી પિતા બોલ્યા કે હવે મરી જાઉં તો પણ કોઈ અફસોસ નથી પણ દીકરીને ખબર હતી કે આ ખુશી જ પિતાને જિવાડી દેશે.
કોઈના સપનાને પોતાનું સપનું બનાવી લેવાનું કામ સહેલું નથી પણ જો પ્રેમ હોય તો આવું સપનું અઘરું પણ લાગતું નથી. તમારા વર્તનથી છેલ્લે તમારી વ્યક્તિની આંખો ક્યારે ભીની થઈ હતી? આપણે આપણી વ્યક્તિને રડાવવાનું જ જાણીએ છીએ પણ ક્યારેક આ રીતે પણ તેની આંખો ભીની થવા દો અને પછી જુઓ કે પ્રિય વ્યક્તિની આંખમાં બાઝેલી ભીનાશ તમને કેવી ટાઢક આપે છે.
છેલ્લો સીન :
જે માણસ પોતાની જિંદગીને અને અન્યની જિંદગીને અર્થહીન સમજે છે એ માત્ર દુર્ભાગી નથી પણ જીવવા માટે તદ્દન ગેરલાયક છે.
‘પદ્મશ્રી’ગુણવંત શાહ લેખક, ચિંતક, વક્તા છે. ‘વિચારોના વૃંદાવન’થી તેમણે ફિલસૂફીથી પુરાણો સુધી અધિકૃતતાથી કલમ ચલાવી છે.
કલ્પના તો કરી જુઓ! દલાઈ લામાને ખભે બંદૂક!….ગુણવંત શાહ
શું દલાઈ લામા પોતાના જીવન દરમિયાન તિબેટ પાછા જઈ શકશે ખરા? આ પ્રશ્નનો જવાબ ચીની સામ્યવાદી સરકારના શાણપણ પર આધાર રાખે છે. સામ્યવાદી સરકાર સુધરે એવી કોઈ શક્યતા દેખાતી નથી.
દલાઈ લામા આજના અજાતશત્રુ ગણાય. ચીન સિવાયનો કોઈ પણ દેશ એમને શત્રુ ગણતો નથી. ભારતમાં રહીને દલાઈ લામા દુનિયા આખીમાં ઉપદેશ આપે અને અહિંસાનો મહિમા કરે તે વાત ચીનને ખૂબ ખૂંચે છે. જો ચીનને દલાઈ લામા સોંપી દેવામાં આવે તો કદાચ ચીન સાથેનો અડધો ઝઘડો શાંત થઈ જાય. એક અત્યંત કડવું સત્ય એ છે કે સામ્યાવદી ચીન એકવીસમી સદીમાં પણ એક જંગલી દેશ ગણાય. ભારતના ડાબેરી બૌદ્ધિકોને અને સામ્યવાદીઓને આ વાત કોણ સમજાવે? ચીનમાં વાણીસ્વાતંત્ર્ય નથી અને સરકારી દમન સામે કોઈને અવાજ ઉઠાવવાની છૂટ નથી. ત્યાં કોઈ પણ અખબાર સરકારની વિરુદ્ધ કશુંય છાપી ન શકે. ભારતના સામ્યવાદીઓ નરેન્દ્ર મોદી સામે ગમે તેવો બકવાસ કરી શકે છે. તેમને એક મહિના માટે ચીનમાં રહેવાની ગોઠવણ થાય તો જ સમજાય કે ભારતમાં આજે છે તેવું વાણીસ્વાતંત્ર્ય તો ચીનમાં સ્વપ્ને પણ શક્ય નથી. ત્યાં જઈને સીતારામ યેચુરી મોં તો ખોલી જુએ! ભારતના સામ્યવાદીઓ ‘રિપેરેબલ’ જ નથી. 2019માં એમના પક્ષ માટે છેલ્લી ચૂંટણી સાબિત થાય તો કોઈને પણ દુ:ખ નહીં થાય. જૂઠ એ જ એમનું રક્ષાકવચ અને દંભ એ જ એમની સ્ટ્રેટેજી! મેં કોઈપણ ધર્મગુરુને સામ્યવાદી નેતાઓ જેટલો દંભ કરતા જોયા નથી.
શું દલાઈ લામા પોતાના જીવન દરમિયાન તિબેટ પાછા જઈ શકશે ખરા? આ પ્રશ્નનો જવાબ ચીની સામ્યવાદી સરકારના શાણપણ પર આધાર રાખે છે. સામ્યવાદી સરકાર સુધરે એવી કોઈ શક્યતા દેખાતી નથી 1959ના ઓક્ટોબરની પહેલી તારીખે તિબેટના પાટનગર લ્હાસામાં ચીનીવિરોધી બળવો થયો હતો. એ પછીના દિવસોમાં અખબારોના પાને દલાઈ લામા વધારે ચમકતા થયા હતા. જાણીતા ઇતિહાસકાર શ્રી. પી. એન. ચોપરાએ દલાઈ લામાનું જીવનવૃત્તાંત પ્રગટ કર્યું છે. પુસ્તકનું મથાળું છે: ‘ઓસન ઓફ વિસ્ડમ: ધ લાઇફ ઓફ દલાઈ લામા 14’. એ પુસ્તકમાં દલાઈ લામાએ 17મી માર્ચ, 1959ના દિવસે ભારતમાં શરણ લેવા માટે તિબેટ છોડ્યું તે ઘટનાનું દિલચશ્પ વર્ણન લેખકે કર્યું છે. સાંભળો:
એ વર્ષની 1લી માર્ચે જ્યારે ચીનના મિલિટરી કેમ્પમાં નાટક જોવા માટે દલાઈ લામાને ચીની સરકારે આમંત્રણ પાઠવ્યું ત્યારે જ દલાઈ લામાને વહેમ પડી ગયેલો કે પોતાનું જીવન જોખમમાં છે. મનોમન નિર્ણય લેવાઈ ગયો અને 2600 વર્ષ પછીના નાનકડા મહાભિનિષ્ક્રમણની યોજના ઘડાઈ ગઈ. નોર્બુ લિંગકા મહેલ છોડતાં પહેલાં દલાઈ લામા મહાકાલના મંદિરે દર્શને ગયા અને શિષ્યોને આશીર્વાદ પણ આપ્યા. બૌદ્ધ ભિખ્ખુઓને શું બની રહ્યું છે એની ગંધ પણ ન આવી. જે ભિખ્ખુ ઓફિસરો દલાઈ લામા સાથે ચાલી નીકળવાના હતા, તેમણે ગેરુઆ ઉપવસ્ત્રોની જગ્યાએ સાદાં વસ્ત્રો પહેરી લીધાં. દલાઈ લામાનાં બહેન અને માતાએ ખામ્પા પુરુષો જેવો વેશ ધારણ કરી લીધો. ખુદ દલાઈ લામાએ સૈનિકનો વેશ ધારણ કર્યો અને માથે ઊનની ટોપી પહેરી લીધી.
પછી દલાઈ લામા પોતાના ઓરડામાં દાખલ થયા અને એમની ધર્મગાદી પર બેઠા પછી ભગવાન બુદ્ધના ઉપદેશનું પુસ્તક વાંચવા લાગ્યા. એ પુસ્તકમાં શું હતું? એ પુસ્તકમાં ભગવાન બુદ્ધે શિષ્યને હિંમત ન હારવાની વાત કરી છે. એટલો ભાગ વાંચી લીધા પછી દલાઈ લામાએ એ પુસ્તક બાજુએ મૂક્યું. પછી એમણે પોતાના જ એ ઓરડાને શુભકામના પાઠવી. આટલી વિધિ પતાવીને તેઓ આખરી વિદાય માટે નીકળી પડ્યા. એ ક્ષણે બે તિબેટી સૈનિકો એમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. એક સૈનિક પાસેથી દલાઈ લામાએ બંદૂક લીધી અને બંદૂકને ખભે ભેરવીને ચાલવા માંડ્યું. એ વખતે દલાઈ લામાએ પોતાનાં ચશ્માં ઉતારી લીધાં, જેથી ઝટ ઓળખાઈ ન જવાય. એમની આખી ટુકડી અંધારામાં અદૃશ્ય થઈ ગઈ- અજ્ઞાતને ઓવારે પહોંચવા માટે!
વર્ષ 1959ની 5મી એપ્રિલે ભારતમાં આવેલા તવાંગ મુકામે એ ટુકડી પહોંચી. એ દિવસોમાં ભારતભરમાં ‘હિન્દી-ચીની-ભાઈ ભાઈ’નાં સૂત્રો ગાજતાં થયાં હતાં. વર્ષોથી હિમાલયના સથવારે ધર્મશાળામાં દલાઈ લામા અને એમની તિબેટી રૈયત રહે છે. ત્યાં આગળ નાનકડું તિબેટ ધબકતું થયું છે. પંડિત નેહરુએ ચીનના અણગમાની ઘોર ઉપેક્ષા કરીને દલાઈ લામાને રાજ્યાશ્રય આપ્યો ત્યારે જરૂર ભારત દેશને ભગવાન તથાગતના આશીર્વાદ પ્રાપ્ત થયા હશે.
(સો સો પુષ્પોને એક સાથે ખીલવા દઈએ). લોકતંત્રમાં જ શોભે એવી આ પંક્તિ ચીનના નિર્દય અને ઐયાશીમાં આળોટનારા ક્રૂર સરમુખત્યાર તરફથી મળે, એ તો ઇતિહાસની મશ્કરી જ ગણાય. ચીનની સામ્યવાદી પાર્ટીને કોઈ ગોર્બાચોફ મળશે? ક્યારે? આવું અસભ્ય ચીન અઝહર મસૂદને યુ.એન.ઓ.ની સિક્યુરિટી કાઉન્સિલમાં વિટો વાપરીને બચાવે, તેમાં કોઈ આશ્ચર્ય ખરું? એવું ચીન તો દલાઈ લામાને ‘આતંકવાદી’ નથી ગણાવતું એ જ આશ્ચર્ય!
શું દલાઈ લામા પોતાના જીવન દરમિયાન તિબેટ પાછા જઈ શકશે ખરા? આ પ્રશ્નનો જવાબ ચીની સામ્યવાદી સરકારના શાણપણ પર આધાર રાખે છે. સામ્યવાદી સરકાર સુધરે એવી કોઈ શક્યતા આજે તો દેખાતી નથી. હા, પશ્ચિમી દુનિયાના લોકતાંત્રિક દેશો દલાઈ લામાને પ્રેમથી પ્રવચન કરવા માટે સત્તાવાર રીતે આમંત્રણ પાઠવે છે. ‘મૂળભૂત-માનવ-અધિકાર’ જેવો શબ્દપ્રયોગ ચીન જેવા જંગલી દેશ માટે સાવ અજાણ્યો ગણાય. વળી, એકહથ્થુ સત્તા હોય, ત્યારે તો તખ્તપલટો થાય એવી શક્યતા પણ રહેતી નથી. ચીનમાં લોકતંત્ર સ્થપાય અને રાજકીય સભ્યતાનો યુગ શરૂ થાય, તો કદાચ ચમત્કાર થાય એમ બને. અરે! આજના સામ્યવાદી સરમુખત્યારને ચીનની સામ્યવાદી પાર્ટીએ આજીવન સત્તા આપી દીધી છે. હવે તો સરમુખત્યાર માટે સુધરવાની કે નવું વિચારવાની જરૂર જ નથી પડવાની. ચીનમાં 1949માં થયેલી સત્તાક્રાંતિ વખતે ચીનના નિર્દય સરમુખત્યાર એવા માઓ ઝેડોંગે એક કાવ્યમય સૂત્ર પ્રચલિત કર્યું હતું.
‘Let hundred flowers blossom together.’
પાઘડીનો વળ છેડે
તા. 23-11-1987ના ‘નેશનલ હેરલ્ડ’ દૈનિકમાં એક કાર્ટૂન પ્રગટ થયું હતું. ઓફિસેથી ઘરે આવેલા પતિને પત્નીએ સંભળાવ્યું: ‘બોલો! શરત મારવી છે? આજે તમારી ઓફિસમાં કોઈ નવી સેક્રેટરી આવી છે? આજે તમારા કોટમાંથી પરફ્યૂમમાંથી જે સુગંધ આવે છે, તે દરરોજ કરતાં સાવ જુદી છે!’ આવું અખબાર બંધ પડે અને સોનિયા તથા રાહુલ જામીન પર છૂટે તે દુ:ખદ ગણાય. આજે એ અખબાર ચાલુ હોય, તો કેવું કાર્ટૂન જોવા મળે?
‘નેત્રદાન’ કઈ રીતે કરી શકાય? કોણ કરી શકે અને દાન કરેલી આંખ કોને કામ લાગી શકે? તેની સમજણ મેળવવા તથા સુશ્રી. વર્ષાબહેન વેદ ફુલટાઈમ અકાઉન્ટન્ટમાંથી આઈ–ડોનેશન કૅમ્પેનને લાઈફ–મીશન બનાવી ફુલટાઈમ પ્રચારક કેવી રીતે બની ગયાં? વિ.જાણવા મારા રેશનાલીસ્ટ મિત્ર શ્રી ગોવિંદ મારૂ ના બ્લોગ ‘અભીવ્યક્તી’ માં પ્રગટ નીચેનો લેખ’‘નેત્રદાન’ની સમજણ તથા વર્ષા વેદનો પ્રેરક કીસ્સો” જરૂર વાંચશો.
‘નેત્રદાન’ કઈ રીતે કરી શકાય? કોણ કરી શકે અને દાન કરેલી આંખ કોને કામ લાગી શકે? તેની સમજણમેળવવા તથા સુશ્રી. વર્ષાબહેન વેદ ફુલટાઈમ અકાઉન્ટન્ટમાંથી આઈ–ડોનેશન કૅમ્પેનને લાઈફ–મીશન બનાવી ફુલટાઈમ પ્રચારક કેવી રીતે બની ગયાં? તે જાણવા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.
વાચકોના પ્રતિભાવ