વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: જે.કૃષ્ણમૂર્તિ

( 841 ) ‘સંનિષ્ઠ કેળવણી’ ક્ષેત્રે એક નવ યુવાનનું ક્રાંતિકારી કદમ …..

જીવનમાં શિક્ષણનું ખુબ જ મહત્વ છે એમાં કોઈ બે મત ના હોઈ શકે. જીવન જ એક શિક્ષણની પ્રયોગશાળા છે. જીવનને કેળવે એનું નામ જ કેળવણી.જીવનની લગભગ બધી જ સમસ્યાઓનો ઉકેલ શિક્ષણ પાસે છે એમ જે કહેવાય છે એ બિલકુલ સાચું છે.

જેમની પ્રવૃત્તી ક્રાંતીકારી કેળવણી વીષયક રહી છે એવા સાહિત્ય વિદ સ્નેહી મિત્ર શ્રી જુગલકિશોર વ્યાસ એ એમના બ્લોગ નેટ ગુર્જરીમાં પ્રગટ કરેલ કેળવણી વિષયક એક સમાચાર મને આકર્ષી ગયા .

આ સમાચાર છે ..

માત્ર ૧૯ વર્ષના એક નવ યુવાન શ્રી મિહિર પાઠકએ કેળવણી ક્ષેત્રે કંઇક નવું કરી બતાવવાનો મનમાં દ્રઢ સંકલ્પ કર્યો છે.આ સંકલ્પ માટેના એક માધ્યમ તરીકે ભારતના પ્રજાસત્તાક દિવસ ૨૬ મી જાન્યુઆરીથી “સંનિષ્ઠ કેળવણી” એ નામનો નવો બ્લોગ શરુ કર્યો છે.નઈ તાલીમ અને કેળવણી એ આજીવન શિક્ષક શ્રી જુગલકીશોરભાઈ ના રસના વિષય હોઈ તેઓ પણ એમાં બનતો સહયોગ આપી રહ્યા છે એ આનંદની વાત છે.

મિહિર કેળવણી વિષે શું વિચારે છે એ અહી વાંચો.

એક વખત વિનોબાજીને એક વિદ્યાર્થીએ પૂછ્યું,

‘શું ભૂદાન આંદોલનમાં જોડાવા માટે અમારે કૉલેજ છોડી દેવી જોઈએ ?’ વિનોબાજીએ જવાબ આપ્યો, ‘ભૂદાનમાં ન જોડાવું હોય તો પણ કૉલેજ છોડવી જોઈએ..’

દુનિયામાં ઘણા લોકોના આખેઆખા જીવન કોઈ જ અર્થ વગર ગુજરી જાય છે. યુવાની પૈસા કામવામાં અને પછીનું જીવન એ પૈસાને સાચવવામાં પૂરું થઈ જાય છે. પહેલાં ભણો પછી નોકરી કરી પૈસા ભેગા કરો પછી લગ્ન અને રિટાયર્ડ લાઈફ. હું માનું છું કે આ બધું જ મોટાભાગના લોકો માટે જરૂરી છે, પણ કદાચ અમુક લોકો માટે નહી. હું આ ચક્કરમાં બંધાતાં પહેલાં મારા પ્રશ્નોના ઉકેલ શોધવા માંગુ છું. મારા જીવનનો અર્થ શોધવા માગું છું. હું કયા કામ માટે આ દુનિયામાં આવ્યો છું તે જાણવા માગું છું. મારી આત્માના પોકારને સાંભળી તેને અનુસરવાની હિંમત બતાવવા માંગુ છું. તો જ તો હું ખરો યુવાન.

મારા મનમાં સદાય પ્રશ્નો થાય, ‘આ માણસ, કે હવે તેને દરેકના વિકલ્પો શોધવા પડયા ? ન્યાય તંત્રના વિકલ્પો, રાજનીતિના વિકલ્પો, જીવનપદ્ધતિના, શિક્ષણપદ્ધતિના વિકલ્પો, શુદ્ધ હવાના વિકલ્પો…’જયારે તે આ વિકાસની દોડમાં ભાગતો હતો ત્યારે તેને આ બધાંનું કશું જ ભાન ન રહ્યું ?

કોઈક જગ્યાએ આત્મહત્યાઓ થાય છે; કોઈક જગ્યાએ આતંકવાદી હુમલા, ક્યાંક ભૂખમરો છે તો ક્યાંક નિરક્ષરતા… આ બધી જ સમસ્યાઓ આપણી સમાજવ્યવસ્થાનું સાચું ચિત્ર આપણી સામે ખડું કરે છે. આ બધું જ, આપણે જ બનાવેલી સિસ્ટમમાં થાય છે. હા, આપણે બનાવેલી – કારણ આપણે તો લોકશાહીમાં જીવીએ છીએ અને આપણી પાસે તો હ્યુમન રાઇટ્સ છે ને !

ઉપરની દરેક સમસ્યાને લોકો પોતપોતાની રીતે ઉપર ઉપરથી હલ કરવાનો પ્રયત્ન કરે છે. પણ મારા મતે સમસ્યાનો ઉકેલ મૂળિયાંમાં છે. મૂળિયાં એટલે સમાજ વ્યવસ્થા – જે માણસ ઘડે છે. અને માણસ ઘડાય છે ‘શિક્ષણ દ્વારા’, ‘કેળવણી’ દ્વારા. કેળવણી જ માણસને બદલી શકે, તેનું હૃદય પરિવર્તન કરી શકે અને વિશ્વશાંતિનો સંદેશ ફેલાવી શકે.

ભારતમાં ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ, જ્યોતિબા ફૂલે, વગેરે મહાનુભાવોએ કેળવણીનું દર્શન આપ્યું છે. જે માનવજાતને વિશ્વશાંતિ તરફ લઈ જવા સક્ષમ છે.

ગુજરાતમાં લોકભારતી અને દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓ તથા શિક્ષણના ભેખધારી હજારો કેળવણીકરો છેવાડાના માનવી સુધી પહોંચી એક નવી સમાજ વ્યવસ્થાના પાયા નાખી રહ્યા છે…

ચાલો આપણે તેમના જીવનસંગીતને જાણીએ… અને તેમાંથી પ્રેરણા લઈએ…

“વિનોબાજી કહેતા કે આઝાદી પછી તરત આપણે શિક્ષણવ્યવસ્થા બદલવામાં ચૂકી ગયા.”

પણ હવે જાગવું જ રહ્યું… હું તો પૂરેપૂરો મથવાનો છું… શું તમે સાથ આપશો ?

(ફક્ત ટેલિફોન પરની વાતથી જ મને સાથ આપવા એક વ્યક્તિ તૈયાર થઈ; યોગાનુયોગ તે નઈતાલીમની જ વ્યક્તિ, જુગલકિશોરભાઈ – જુકાકા ! આ બ્લૉગ દ્વારા જે કાંઈ કાર્યો હું કરવા માગું છું તેમાં તેમનો પૂરો માર્ગદર્શક–સાથ મળવાનો છે.)

બ્લૉગવાચન દ્વારા એક વાચકરૂપે અને ક્યાંક, કોઈક પ્રસંગે લખાણ વગેરે દ્વારા આપ સૌ પણ મને સાથ આપશો એવી આશા રાખું તો નિરાશ નહીં જ થવાય તેવા વિશ્વાસ સાથે –
સાભાર,

મિહિર પાઠક

mihir

         મિહિર પાઠક

(સૌજન્ય-ગુજરાતી પ્રતિભા પરિચય )

‘સંનિષ્ઠ કેળવણી’ બ્લોગની લીંક –

 https://shikshandarshan.wordpress.com/

શ્રી મિહિર પાઠકનું વ્યક્તિગત વેબ પેજ –

mihirism.github.io/

શ્રી મિહિર પાઠકનો નો ખાસ પરિચય અહીં :

http://yourstory.com/2015/04/learnlabs-mihir-pathak/

mihirism.github.io/portfolio/mihir_portfolio.pdf

‘સંનિષ્ઠ કેળવણી’ બ્લોગની તારીખ ૨૬ મી જાન્યુઆરી ૨૦૧૬ ની પ્રથમ પોસ્ટમાં વાચકોને ઉદ્દેશીને સંપાદકોએ લખેલો પત્ર આ રહ્યો ….

વાચકોને પ્રથમ પત્ર ….. 

સુજ્ઞજનો !

શિક્ષણનું ક્ષેત્ર જીવનનાં લગભગ બધાં જ ક્ષેત્રો સાથે કારણ–કાર્ય સંબંધે જોડાયેલું રહ્યું છે. બાળક કુટુંબના ઉંબરની બહાર ડગલું માંડે છે તે પછી સૌથી પાયાનું અને સૌથી વધુ સહેતુક જોડાણ એનું શાળા સાથે થતું હોય છે. શાળાથી વંચિત રહેવું કે હોવું એને શાપરૂપ ગણાયું છે.

વર્ધા સંમેલનમાં ગાંધીજીના સાંનિધ્યે જે વિસ્તૃત અને ઉંડાણથી ચર્ચા થઈ અને જે નિર્ણયો લેવાયા તેને આપણે નઈતાલીમના નામે ઓળખતાં આવ્યાં છીએ. ગુજરાતમાં આ નઈતાલીમના પ્રયોગો ખૂબ સારા પ્રમાણમાં સફળ થયા છે.આજે પણ ગુજરાતમાં અનેક સંસ્થાઓ આ ક્ષેત્રે સક્રિય છે.હજારોની સંખ્યામાં વ્યક્તિઓ તે તાલીમનો લાભ લઈને પોતાની જીવનીને સાર્થક કરી શકી છે.

વૈશ્વિક દૃષ્ટિએ જોઈએ તો પણ નઈતાલીમના જ મહદ્ અંશોને જગતે સૈદ્ધાંતિક રીતે સ્વીકાર્યા છે. ને તોયે તેના અમલીકરણની ઓછપને લીધે આજના શિક્ષણના અનેક સવાલો સમગ્ર જગતને મૂંઝવી રહ્યા છે……ને હવે શિક્ષણની કોઈ ચમત્કારિક પ્રણાલીની જાણે કે રાહ છે !!

સમાજના, જીવન સમસ્તના, લગભગ બધા જ સવાલોનો ઉકેલ જેમાં રહ્યો છે તે શિક્ષણનું મહત્ત્વ પુન: સ્થાપિત કરવાનું હવે અનિવાર્ય બની ચૂક્યું છે.

આવે સમયે સમાજનાં સૌ કોઈએ યથા શક્તિ, યથા મતિ પ્રયત્નશીલ થવું પડશે એવું સસંકોચ, પણ કહ્યા વગર રહી શકાતું નથી. પરંતુ અન્યોને કહેવાની પહેલાં જાતે આગળ આવવું તે જરૂરી ગણાય ! ને તેથી આ એક નવલો, ને ઘણે અંશે અઘરો પ્રયત્ન અમે આજથી શરૂ કરી રહ્યા છીએ.

જીવન સાથે ઘનિષ્ટતાથી સંકળાયેલા શિક્ષણના આ પ્રયોગને,અમારા વાચકો આવકારે અને ફક્ત વાચકરૂપે જ નહીં બલકે ‘સંનિષ્ઠ કેળવણી’માં રસપૂર્વક ભાગ લઈને અમને પ્રોત્સાહિત કરે, મદદરૂપ બને તેવી આશા–અપેક્ષા સાથે નમ્ર વિનંતી કરીએ છીએ.

– સંપાદકો

બ્લોગની મુલાકાત લેવા આ હેડર ચિત્ર પર ક્લિક કરીને ત્યાં પહોંચી જાઓ .

KELAVANI

આ બ્લોગના માધ્યમથી નવા યુગના આ નવ યુવાન શ્રી મિહિર પાઠક અને સહ સંપાદકોના  ‘સંનિષ્ઠ કેળવણી’ માટેના પ્રયાસોની સિદ્ધિ માટે એમને શુભેચ્છાઓ પાઠવું છું.

આ માટે સૌ એમને સહયોગ આપતા રહીએ એવી આશા રાખું છું.

વિનોદ પટેલ

J.KRUSHNAMURTY  ON EDUCATION 

JK

 

( 813 ) જીવનમાં પરિગ્રહ અને અપરિગ્રહ … એક વિચાર વિમર્શ

આ પોસ્ટ માટેનું પ્રેરણા સ્ત્રોત હ્યુસ્ટન રહેતા મારા એક ખુબ જુના મિત્ર શ્રી હસમુખ દોશીએ અંગ્રેજીમાં મોકલેલ એક પ્રેરક ઈ-મેલ અને એના પર મારા નજીકના મિત્રોએ કરેલ ટીપ્પણી છે.મને ગમી ગયેલો આ ઈમેલ મારા ફેસબુક પેજ મોતીચારોમાં પણ મેં મુક્યો છે.

શ્રી દોશીનો આ અંગ્રેજી ઈ-મેલ આ પ્રમાણે છે.

When we die, our money remains in the bank.Yet, when we are alive, we don’t have enough money to spend.In reality, when we are gone, there is still a lot of money not spent.
One business tycoon in China passed away. His widow, left with $1.9 billion in the bank, married his chauffeur.

His chauffeur said:- “All the while, I thought I was working for my boss… it is only now, that I realize that my boss was all the time, working for me !!!”

The cruel reality is:

It is more important to live longer than to have more wealth.So, we must strive to have a strong and healthy body, It really doesn’t matter who is working for who.

In a high end hand phone, 70% of the functions are useless!

For an expensive car, 70% of the speed and gadgets are not needed.

If you own a luxurious villa or mansion, 70% of the space is usually not used or occupied.

How about your wardrobes of clothes? 70% of them are not worn!

A whole life of work and earning… 70% is for other people to spend.

So, we must protect and make full use of our 30%.

આ ઈ-મેલ નો સાર એ નીકળે છે કે માણસ એની જિંદગીમાં જે ભેગું કરે છે એનો માત્ર ૩૦ ટકાનો જ ઉપયોગ કરતો હોય છે , બાકીનું પડી રહે છે કે બીજાઓ એનો ઉપયોગ કરે છે.

માણસમાં મૂળભૂત રીતે રહેલી વણ જોઈતું સંઘરવાની વૃતિ-પરિગ્રહ વૃતિ ને લીધે આમ બને છે. એટલા માટે જ જીવનમાં અપરિગ્રહ જરૂરી ગુણ બની જાય છે.

ઉપરના અંગ્રેજી ઈ-મેલમાં કહ્યું છે એમ આપણા પહેરવાનાં કપડાં-વોર્ડ રોબ- ના માત્ર ૩૦ ટકા જ આપણે ઉપયોગ કરીએ છીએ અને ૭૦ ટકા બિન ઉપયોગી શોભાના ગાંઠિયાની જેમ ક્લોજેટમાં લટકતાં જ રહે છે અને આપણી પરિગ્રહ વૃતિના અભિમાનને પોષે છે. 

માણસમાં જે અનેક કુવૃત્તિઓ પડેલી હોય છે એમાં આવા પ્રકારની પરિગ્રહની વૃતિ પણ એક છે.પરિગ્રહવૃતિ  એ એક પ્રકારની લાલચ જ છે બીજું કઈ નહિ.

પરિગ્રહ એટલે ગ્રહણ કરવું ,સંચય કરવો અને અપરિગ્રહ એટલે આ સંચય વૃતિનો અને એનો બિન જરૂરી ઉપભોગ કરવાની લાલચને સદંતર રીતે ટાળવી 

જૈન ધર્મનાં અભ્યાસી અને ઈ- વિદ્યાલયનાં પ્રણેતા બેન હિરલે આ અંગ્રેજી ઈ-મેલના પ્રતિભાવ રૂપે લખ્યું કે …

“જૈન ફિલસૂફીમાં એક સુંદર ગુણને ઉતારવા ઘણું લખાયું છે. ગાંધીજીએ પણ આ ગુણની ઘણી હિમાયત કરેલી જ છે.જીવનમાં ઉતારવા માટે બહુ જ અઘરો આ ગુણ છે. અપરિગ્રહ.પ્રતિક્રમણમાં આવા અઢાર પાપના સ્થાનનું ચિંતન કરવા જણાવાયું છે.”

બેન હીરલની વાત સાચી છે . અપરિગ્રહ વ્રત કે બીજાં વ્રતોના આચરણની બાબતમાં ગાંધીજી સવાઈ જૈન હતા.

સાબરમતી નદીમાં અઢળક પાણી વહી જતું હતું પણ એમાંથી એક લોટી જરૂર હોય એથી વધુ પાણીનો વપરાશ કરવાનો આપણને અધિકાર નથી એમ એમના શિષ્યોને પ્રાર્થના સભામાં ગાંધીજીએ શીખ આપી હતી.

ગાંધીજીએ  આશ્રમ ભજનાવલીમાં આચરવા માટે જે ૧૧  વ્રતો કહેલાં છે એ ખુબ જાણીતાં છે એમાં -વણજોતું નવ સંઘરવું -એટલે કે અપરિગ્રહના વ્રતનો પણ સમાવેશ થાય છે .

એ અગિયાર મહાવ્રતો આ પ્રમાણે છે;

સત્ય, અહિંસા, ચોરી ન કરવી,વણજોતું નવ સંઘરવું;
બ્રહ્મચર્ય ને જાતે મહેનત,કોઈ અડે ના અભડાવું;
અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગ અને , સર્વ ધર્મી સરખાં ગણવાં.
એ અગિયાર મહાવ્રત સમજી ,દ્રઢ પણે નિત્ય આચરવાં .

ગાંધીજીનાં આ ૧૧ મહાવ્રતો જૈન ધર્મની ફિલસુફી પર આધારિત છે.

જૈનધર્મમાં પણ કુલ બાર વ્રતનું વર્ણન છે. જેમાં પ્રથમના પાંચ ’પંચ મહાવ્રત’ અને પછીના સાત ’સાત ગુણવ્રત’ ગણાય છે.

આ બાર વ્રતો આ છે.

અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દિગ્પરિમાણ, દેશાવકાસિક, ભોગોપભોગ પરિણામ, અનર્થદંડ, સામાયિક, પૌષધ અને અતિથિ સંધિભાગ.

ગરાજ સેલ

જેઓ અમેરિકામાં રહે છે તેઓ ગરાજ સેલનો કન્સેપ્ટ અમેરિકન જીવન રીતિમાં શું ભાગ ભજવે છે એનાથી વાકેફ હશે.આખા વર્ષ દરમ્યાન કુટુંબના દરેક સભ્ય દ્વારા જુદી જુદી ચીજોનું શોપિંગ થતું રહે છે જેમાંથી ઘણી વસ્તુઓ થોડો સમય ઉપયોગ કર્યા પછી ઘરમાં ઘર જમાઈની જેમ પડી રહેતી હોય છે.આ બધી બિન જરૂરી વસ્તુઓનો ઘરમાંથી નિકાલ કરવા માટે અમુક વરસો પછી છાપામાં ટચુકડી જાહેરાત આપીને ઘરના ગરાજની બહાર જાહેર જનતાને મફતના ભાવે વેચવા માટે મુકવામાં આવે છે.ઘણા લોકોના ગરાજ આવી ચીજ વસ્તુઓના ખડકલાથી એટલાં ભરેલાં હોય છે કે એમાંથી માંડ ચાલીને ઘરમાં જવાય છે.

માણસની પરિગ્રહ વૃતીનું ગરાજ સેલ એ ઉત્તમ ઉદાહરણ છે.

ગરાજ સેલ અંગે મારા મિત્ર શ્રી સુરેશ જાનીએ એમના બ્લોગ” સૂર સાધના”માં અમેરિકાના વસવાટના એમના જાત અનુભવ પર આધારિત એક સરસ લેખ પોસ્ટ કર્યો છે એને નીચેની લીંક પુર ક્લિક કરીને એમના રસસ્પદ શબ્દોમાં માણો .

ગરાજ સેલ …. લેખક…. શ્રી સુરેશ જાની 

અંતે ,મહાન વિચારક અને ફિલસૂફ સ્વ. જે.કૃષ્ણમૂર્તિ ના પુસ્તક “જીવન દર્શન ” માંથી આ અવતરણ મુકવાનું મન થાય છે.એમના શબ્દો આજની પોસ્ટના વિષય – જીવન અને અપરિગ્રહ -ને વધુ સ્પષ્ટ કરે છે.

એમનો પ્રેરક સંદેશ આ છે .

જીવન એ જ પારસમણિ

તમે તમારી સ્વ-અગત્યતા વધારી ન દેતા , ધન , કીર્તિનો ઢગલો ન કર્યા કરતા . કોઇ કોઇ વાર અંતરંગમાં નિતાંત ખાલી થઈ જાઓ . તમારી સંપત્તિ , વૈભવ , હોદ્દો , મોભો , પત્ની , સંતાન , મિત્રો , કશુંય તમારું નથી એમ સમજી ક્યાંય બીજે રહી જુઓ .

બહિરંગમાં તમારે થોડાં કપડાં , મૂઠી ચોખા અને ઝૂંપડી જોઈશે . સાફલ્યના મ્રુગજળ પાછળ દોડ્યા ન કરતા . તે કશું નથી. બધો અહમનો પ્રસાર – પ્રચાર માત્ર છે . સ્વ- કેન્દ્રિત પ્રવ્રુત્તિની સાંકડી શેરી છે.

પંદર ઓરડાના બંગલામાં તમારે માત્ર એકમાં જ સૂવાનું છે , પચ્ચીસ જોડ કપડામાંથી એક જ પહેરવાની છે , અનાજના કોઠારમાંથી મૂઠી ધાન ખાવાનું છે અને નોટોના બંડલમાંથી છેવટે તમે ઈશ્વર પાસે શું લઈ જશો ?

તમારે જોઈએ તેના કરતાં વધારે સંગ્રહ કરી , તમે તમારા અનેક ભાઈભાંડુને ભૂખે રઝળાવો છો . તમારી દંભી મંઝિલ , અહમના લોભની છે . ઈશ્વરે આપેલા જીવન – પારસમણિનો ગેરસમજણને લીધે દુરુપયોગ કરો છો . જીવનને સુવર્ણ બનાવવાને બદલે તમે ભંગારના પતરાની જેમ કથીર બનાવી નાખો છો.

–જે કૃષ્ણમૂર્તિ