ઇન્ટર નેટ ભ્રમણ દરમ્યાન કળા કરેલ આ મોરનાં ચિત્રો જ્યારે મેં જોયાં કે તરત મને કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની ખુબ ગવાતી રચના” મારું મન મોર બની થનગાટ કરે” નું સ્મરણ થયું.
આમે ય મને બાળપણથી જ મોર ખુબ ગમે છે.એના પીંછાંના રંગો મને ખુબ ગમતા .નાના હતા ત્યારે ખેતરમાંથી વેરાયેલાં મોરનાં પીંછાં વીણી ઘેર લાવીને એકઠાં કરતા અને એક જાગીરની માફક સાચવતા.મા એ પીંછાં બાંધીને એની નાની સાવરણી ભગવાનની મૂર્તિ સાફ કરવા માટે બનાવતી એ યાદ આવે છે.તમને તો ખબર હશે જ કે મોર એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.
આ રહી રાષ્ટ્રીય શાયર મેઘાણીની એ આખી સુંદર કાવ્ય રચના .
મારું મન મોર બની થનગાટ કરે…રચનાઃ ઝવેરચંદ મેઘાણી
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને, મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલસાદ કરે મન મોર બની થનગાટ કરે
ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ મહોલ અટારી પરે ઊંચી મેઘ મહોલ અટારી પરે અને ચાકમચૂર બે ઉર પરે પચરંગીન બાદલ પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે મન મોર બની થનગાટ કરે
નદી તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે પટકૂળ નવે પાણી ઘાટ પરે એની સૂનમાં મીટ સમાઈ રહી એની ગાગર નીર તણાઈ રહી એને ઘર જવા દરકાર નહિ મુખ માલતી ફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે પનિહારી નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે મન મોર બની થનગાટ કરે
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે ચકચૂર બની ફૂલ ડાળ પરે વિખરેલ અંબોડાના વાળ ઝૂલે દિયે દેહ નીંડોળ ને ડાળ હલે શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે એની ઘાયલ દેહના છાયલ છેડલા આભ ઊડી ફરકાટ કરે ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે મન મોર બની થનગાટ કરે
મોર બની થનગાટ કરે આજે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે
કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીને આ ગીત રચવાની પ્રેરણા ગુરુવર્ય શ્રી રવીન્દ્રનાથ ટાગોરના એક કાવ્ય Nav Dhan ઉપરથી મળી હતી .
મેઘાણીનું આ ગીત હિન્દી ફિલ્મ રાસલીલામાં જ્યારે ગવાયું એથી ખુબ મશહુર થઇ ગયું .
ફિલ્મમાં આ ગીત જાણતા ગુજરાતી ગાયક ઓસમાન મીરના કંઠે ગવાયું હતું. નીચેના વિડીયોમાં એમને આ ગીત ગાતા સાંભળીને તમને અહેસાસ થશે કે મેઘાણીના લોકગીતોમાં એમણે એમનું હૃદય નીચોવી દઈને ધરતીની મહેંકનો કેટલો સુંદર અહેસાસ કરાવ્યો છે.રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીએ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું એની યોગ્યતા મેઘાણીએ એમની આવી ઘણી અમર રચનાઓ મારફતે પુરવાર કરી બતાવ્યું હતું.
આ ગીતને ફિલ્મ રાસલીલાનાં કેટલાંક દ્રશ્યો સાથે ગવાતું સાંભળો .
MOR BANI THANGHAT KARE(RaamLeela)
Music-by Osman Mir, Aditi Paul
મેઘાણીના આ લોક ગીતને લોક ગાયકો એમના ડાયરાના પ્રોગ્રામોમાં પણ ઘણી વાર ગાતા હોય છે.
આ વિડીયોમાં લોક ગાયક શ્રી ચેતનભાઈ ગઢવીને આ જ ગીતને ગાતા સાંભળો.આ વિડીયોમાં જે રીતે કળા કરતા મોરનાં અવનવાં ચિત્રો મુકાયાં એથી તમને પણ આ વિડીયો વિશેષ ગમી જશે.
===============
મન મોર બની થનગનાટ કરે નો સુંદર રસાસ્વાદ
અનાવૃત …….લેખક- શ્રી જય વસાવડા
માવજીભાઈ.કોમ ના સૌજન્યથી મેઘાણીના આ સદા બહાર ગીતનો જાણીતા લેખક શ્રી જય વસાવડાની એવી જ રસિક શૈલીમાં કરેલ રસાસ્વાદ નીચેની લીંક ઉપર માણો.
મારા સહૃદયી મિત્ર શ્રી પી.કે.દાવડા એમની નિવૃતિનો સદુપયોગ કરી મનને ગમી જાય એવી સાહિત્ય સામગ્રી શોધીને એમના ઈ-મેલમાં મિત્રોના આસ્વાદ માટે નિયમિત રૂપે મોકલતા રહે છે.
આજની ઈ-મેલમાં એમણે હ્રદયમાં ઉતરી જાય એવી જાણીતા કવીઓ સ્વ.કરસનદાસમાણેક અને સ્વ.કૃષ્ણલાલશ્રીધરાણી ની બે કવિતાઓ મોકલી છે એ આજની પોસ્ટમાં એમના આભાર સાથે પ્રસ્તુત છે.
આ બે કવિતાઓ પછી આવા જ વિષયની મને ગમતી બે કવિતાઓ મેં ઉમેરીને મૂકી છે એ પણ તમને ગમે એવી છે .
વિનોદ પટેલ
હ્રદયમાં ઉતરી જાય એવી કવિતાઓ
આપણા દેવસ્થાનો પાસે અઢળક સંપત્તિ છે, જ્યારે દેવે સર્જેલા માનવોને જીવતા રહેવા અન્ન પણ પ્રાપ્ત થતું નથી, આ હકીકતથી દુખી થઈ, આ બન્ને કવિયોએ પોતાના હૈયાની વેદના શબ્દોમાં ઠાલવી છે.
જયજગન્નાથ, જયજગન્નાથ
ડુંગરટોચેદેવબિરાજે, ખીણમાંખદબદમાનવકીટ
પરસેવેલદબદભગતોનેપ્રભુમસ્તકઝગમગકિરીટ
જયજગન્નાથ, જયજગન્નાથ
અવિનાશીનેઅન્નકોટનાઆવેનિતઅમૃતઓડકાર
ખીણમાંકણકણકાજેમરતાંમાનવજન્તુરોજહજાર
જયજગન્નાથ, જયજગન્નાથ
પ્રભુનેનિતજરકશીનાજામાપલકપલકપલટાયેચીર
ખીણનાખેડુંઆબરૂ–ઢાંકણઆયુભરપામેએકલીર
જયજગન્નાથ, જયજગન્નાથ
ખીણનાખાતરખેડુપૂરશેધરતીમાંધરબીકૃશકાય
ડુંગરદેવાજમીપોઢશેઘુમ્મટનીઘેરીશીળીછાંય
જયજગન્નાથ, જયજગન્નાથ
કીડીનેકણહાથીનેહારોસૌનેસૌનુંજાયમળી
જગન્નાથસૌનેદેનારોઅર્ધવાણીતોઆજફળી
જયજગન્નાથ, જયજગન્નાથ
જગન્નાથનોજયપોકારોકીડીનેકણપણમળીરહેશે
ડુંગરનોહાથીતોહારોદ્યોનવદ્યોપણલઈલેશે
જયજગન્નાથ, જયજગન્નાથ
–કરસનદાસમાણેક
પૂજારીપાછોજા
ઘંટનાનાદેકાનફૂટેમારા, ધૂપથીશ્વાસરૂંધાય
ફૂલમાળાદૂરરાખપૂજારી, અંગમારુંઅભડાય
નનૈવેદ્યતારુંઆ, પૂજારીપાછોજા
મંદિરનાઆભવ્યમહાલયો, બંધનથાયમને
ઓરે, પૂજારીતોડદીવાલો, પાષાણકેમગમે
નપ્રેમનુંચિન્હઆ, પૂજારીપાછોજા
એરણસાથેઅફાળેહથોડા, ઘંટતણોઘડનાર
દિનકેરાતનનીંદરલેતો, નૈવેદ્યતુંધરનાર
ખરીતોએનીપૂજા, પૂજારીતુંપાછોજા
દ્વારઆસાંકડાકોણપ્રવેશે, બહારખડીજનતા
સ્વાર્થતણુંઆમંદિરબાંધ્યું, પ્રેમનહીં, પથરા
ઓતુંજોનેજરા, પૂજારીપાછોજા
માળીકરેફૂલમહેકતીવાડી, ફૂલનેતુંઅડકાં
ફૂલનેધરેતું, સહવાએણે, ટાઢઅનેતડકા
આતેપાપકેપૂજા, પૂજારીપાછોજા
ઓરેપૂજારીઆમંદિરકાજે, મજૂરવહેપથરા
લોહીનુંપાણીતોથાયએનુંનેનામખાટેનવરા
અરેતુંકાંનાશરમા, પૂજારીપાછોજા
ખેડૂતનેઅંગમાટીભરાતી, અર્ધ્યભર્યોનખમાં
ધૂપધર્યોપરસેવોઉતારી, ઘંટબજેઘણમાં
પૂજારીસાચોઆ, પૂજારીપાછોજા
–કૃષ્ણલાલશ્રીધરાણી
— પી.કે. દાવડા
ઉપરની કવિતાઓ જેવી જ આપણા હૃદયને સ્પર્શી જતી મારી પસંદની આ
બે કવિતાઓ પણ તમને જરૂર ગમશે. -વિ.પ.
પ્રભુજીને પડદામાં રાખ મા
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા.
વાયુ વીંજાશે ને દીવડો હોલાશે એવી ભીતિ વંટોળિયાની ભાખ મા, આડે ઊભો તારો દેહ અડીખમ ભળી જાશે એ તો ખાખમાં પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા.
હ્યુસ્ટન નિવાસી જાણીતા હાસ્ય લેખક અને કવિ શ્રી ચીમન પટેલએ નીચેનાં ત્રણ ચિત્રો એમની કાવ્ય રચનાઓ સાથે ઈ-મેલમાં મોકલેલ છે .
ચીમનભાઈના આભાર સાથે આ ચિત્રો/કાવ્યો આજની પોસ્ટમાં વાચકોના આસ્વાદ માટે પ્રસ્તુત છે.
ચીમનભાઈ નો પરિચય અને એમની સાહિત્ય કૃતિઓને માણવા માટે એમના બ્લોગ –“ચમન કે ફૂલ “ ની મુલાકાત અવશ્ય લેશો.
વિનોદ પટેલ
ત્રણ ચિત્રો/કાવ્યો
Fire fighters shave heads in support of chief’s ailing wife.
NEW CANEY, TX ,USA ના આ બહાદુર ફાયર ફાઈટરો છે .તમને મનમાં સવાલ થશે કે આ ચિત્રમાં દેખાય છે એમ બધાએ એક સામટા માથે મુંડન કેમ કરાવ્યું હશે !
આ ફાયર ફાઈટરોના બોસ -ચીફ નાં પત્ની કેન્સરની બીમારીથી પીડાય છે.એક કુટુંબી જનની જેમ તેઓ બધા એમને ચાહે છે. આ પરિસ્થિતિમાં એમને મોરલ સપોર્ટ આપવા માટે સૌએ એક સામટા માથે મુંડન કરાવીને ચીફ અને એમનાં પત્ની પ્રત્યે પ્રેમ અને સહાનુભુતિ પ્રદર્શિત કરી છે.
આ ચિત્ર જોઇને શ્રી ચીમન પટેલ રચિત એક તાન્કા કાવ્ય રચના
એક તાન્કાઃ
મમતા માટે
કર્યુ મૂંડણ સૌએ;
જાણી કેન્સર-
ફાયર ફાઈટર
‘ચીફ’ની એ પત્નીને!
*ચીમન પટેલ ‘ચમન’ (૧૧જન્યું’૧૫)
[તાન્કાનું બધારણઃ અક્ષ્રરો અનુક્રમે ૫/૭/૫/૭/૭]
(અડધો અક્ષ્રર ગણાતો નથી)
બે બીલાડીઓનો સંપ
[ચિત્ર પ્રાપ્તિઃ વિજય ધારિયા ]
ઉપરનું ચિત્ર કેટલો સુંદર સંદેશ આપી જાય છે! લાકડાની કમ્પાઉન્ડ વોલ ની પાતળી ધાર ઉપર બે બિલાડીઓ કેવી સિફતથી ,સંપીને ,બેલેન્સ રાખીને એક બીજાને ક્રોસ કરે છે એ કાબિલે દાદ છે.
બિલાડી જેવા મુંગા પ્રાણીઓ પણ એક બીજાને સહકાર આપી સામે આવેલ પ્રશ્નને ઉકેલવાની કેટલી આવડત ધરાવે છે અને કામમાં સફળતા મેળવે છે એનું આ સરસ ઉદાહરણ છે.આ બે બિલાડીઓ આપણને મનુષ્યોને મુશ્કેલીમાં એક બીજાના સહકારથી, ધીરજ રાખીને મુશ્કેલ લાગતો જીવનનો રસ્તો હોંશિયારીથી કેમ પાર કરાય એ શીખવી જાય છે.
આ ચિત્ર ચિત્ર પર શ્રી ચીમન પટેલ રચિત અછંદાસ કાવ્ય રચના
અછંદાસકાવ્ય
આ ચિત્ર જોઈ
સ્તબ્ધ ન થતા!
આ બેઉનો
સહકાર
સહિષ્ણુતા
ને
સફળતા
શીખવે સહુને;
સંપ ત્યાં સદા જંપ!
ચીમન પટેલ ‘ચમન’ (૨૩જાન્યુ’૧૫)
આજની જ ઈ-મેલમાં ચીમનભાઈએ એક બીજું આ સુંદર ચિત્ર મોકલ્યું છે ,
અને બે શબ્દોના કાવ્ય જેવું – દીર્ઘાયુ ભવ – એવું યોગ્ય શીર્ષક આપ્યું છે.
દીર્ઘાયુ ભવ !
આ ચિત્ર પર મારી એક રમુજી હાઈકુ રચના- ચિત્રકુ !
ઓ મારા મિત્ર,
તું નીચો નમ,તારા
વાળ કાપીએ !
આ ચિત્રનું બીજું કોઈ શીર્ષક અથવા હાઈકુ રચના-ચિત્રકુ- આ પોસ્ટની કોમેન્ટ
બોક્ષમાં લખી જણાવવા વિ.વિ. ના વાચકોને આમન્ત્રણ છે.
વિનોદ વિહાર
આજ સુધીમાં 201,182 મુલાકાતીઓ !
આભાર દર્શન
મને જણાવતાં ખુશી થાય છે કે સપ્ટેમ્બર ૨૦૧૧ થી વિનોદ વિહારની શરૂઆત થઇ ત્યારથી આજ સુધીમાં બ્લોગના મુલાકાતીઓની સંખ્યા ૨૦૦૦૦૦ નો જાદુઈ આંકડો વટાવી ગઈ છે !
આવો સુંદર પ્રતીસાત દર્શાવવા માટે વી.વી.ના સૌ વાચકોનો
“હું કોણ છું ?” વિશે તત્વના જાણકાર બે તત્વવેતાઓ ,અક્રમ વૈજ્ઞાનિક દાદા ભગવાન અને મહા યોગી રમણ મહર્ષિના વિચારો સંકલિત કર્યા છે એ આપને માટે વિચારવા માટે મનનો ખોરાક બનશે એવી આશા છે.
સૌથી પ્રથમ રાજેશ વ્યાસ “મિસ્કીન “ નું આ સરસ કાવ્ય “માણસ છું “ આસ્વાદ માટે પ્રસ્તુત છે .
માણસ છું —–રાજેશ વ્યાસ “મિસ્કીન “
હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું, હું મારા ડાબે હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.
સૌ જાણે છે કે ચાવું છું હું પાન હંમેશા મઘમઘતાં, હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું.
પાણીમાં પડેલાં કાગળના આકાર જેવા છે શ્વાસ બધા, જીવું છું ઝાંખુ પાંખું હું ભૂંસાઈ ગયેલો માણસ છું.
પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો, કંઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.
ક્યારેક એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને, એક સાવ બજારુ ઓરત છું ચૂંથાઈ ગયેલો માણસ છું.
સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન, કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું.
-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
“હું કોણ છું?” ઉપર દાદા ભગવાનના વિચારો .
“ હું કોણ છું?”નો જવાબ આપતાં દાદા ભગવાને સરસ કહ્યું છે કે ….
એનો જવાબ મેળવવા માટે આપણા આત્માને ઓળખીને અનુભવ કરો.
જીવન માત્ર જીવવા કરતાં કંઇક વધારે છે. જીવન માત્ર જીવી જવા સિવાય કશુંક વધારે હોવું જોઈએ. જીવનનો ધ્યેય ઉચ્ચ હોવો જોઈએ. મનુષ્ય જીવનનો ધ્યેય ‘હું કોણ છું?’ ની ઓળખાણ પામવી તે છે. અનંત અવતારથી ‘હું કોણ છું’ ની ઓળખાણ જ અટકી છે. ‘હું કોણ છું?’ની શોધની ખૂટતી કડીઓ જ્ઞાની પુરુષની વાણીમાં પ્રાપ્ત થાય છે.
ભગવાન ‘કર્તા’ છે કે નથી? ભગવાનનું ખરું સ્વરૂપ શું છે?’ આ જગતમાં રીયલ ‘કર્તા’ નો સ્વભાવ શું છે? જગત કોણ ચલાવે છે?, કેવીરીતે ચાલે છે? ભ્રાંતિનું ખરુ સ્વરૂપ શું છે? જે આપણે જાણીએ છીએ તે સાચું(રીયલ) છે કે ભ્રાંતિ છે? પોતાની પાસે જે જ્ઞાન છે તેનાથી પોતે મુક્ત થશે કે બંધનમાં રહેશે?
અહીં, તમને આ પ્રશ્નોની પાછળનાં સત્યની સ્પષ્ટ સમજણ પ્રાપ્ત થશે. આ વિશાળ નવો ખજાનો છે. આ અક્રમ વિજ્ઞાનમાં અદ્ભૂત શકિત છે.
વિકિપીડીયાની આ અંગ્રેજી લીંકમહા યોગી રમણ મહર્ષિઉપર એમના વિષે જે પુષ્કળ માહિતી આપી છે એમાં ” હું કોણ “(Self- Inquiry ) વિષે એમના વિચારોની ચર્ચા કરી છે એ નીચે પ્રસ્તુત છે.
At the highest level that could be expressed in words Ramana would say that “consciousness alone exists”; if this was met with doubt by the questioner, Ramana would say that this truth was being obscured by self-limiting ideas of the mind. For those followers who were so immersed in the self-limiting ideas of the mind that they could not experience the highest truth, Ramana prescribed an innovative method of self-attention which he called self-enquiry..
He recommended this technique so often and so insistently in response to questions on self-liberation and the classic texts on Yoga and Vedantathat it was regarded by many people as the most distinctive motif in his teachings:
Enquiry in the form “Who am I?” alone is the principal means. To make the mind subside, there is no adequate means other than self-enquiry. If controlled by other means, mind will remain as if subsided, but will rise again.
Self-enquiry is the constant attention to the inner awareness of “I” or “I am”. Sri Ramana Maharshi frequently recommended it as the most efficient and direct way of discovering the unreality of the ‘I’-thought.
Enquiring the “I”-thought, one realises that it raises in the hṛdayam (heart). The ‘I’-thought will disappear and only “I-I” or Self-awareness remains, which isSelf-realization or liberation:
What is finally realized as a result of such enquiry into the Source of Aham-vritti (I-thought) is verily the Heart as the undifferentiated Light of Pure Consciousness, into which the reflected light of the mind is completely absorbed.
Ramana warned against considering self-enquiry as an intellectual exercise. Properly done, it involves fixing the attention firmly and intensely on the feeling of ‘I’, without thinking. Attention must be fixed on the ‘I’ until the sense of “I” disappears and the Self is realised. Ramana’s written works contain terse descriptions of self-enquiry. Verse thirty of Ulladu Narpadu:
Questioning ‘Who am I?’ within one’s mind, when one reaches the Heart, the individual ‘I’ sinks crestfallen, and at once reality manifests itself as ‘I-I’. Though it reveals itself thus, it is not the ego ‘I’ but the perfect being the Self Absolute.
Verses nineteen and twenty of Upadesa Undiyar describe the same process in almost identical terms:
19. ‘Whence does the ‘I’ arise?’ Seek this within. The ‘I’ then vanishes. This is the pursuit of wisdom.
20. Where the ‘I’ vanished, there appears an ‘I-I’ by itself. This is the infinite.
Ramana considered the Self to be permanent and enduring, surviving physical death. “The sleep, dream and waking states are mere phenomena appearing on the Self”, as is the “I”-thought. Our “true nature” is “simple Being, free from thoughts”. Ramana’s own death experience when he was 16 already contains the practice of self-enquiry. After raising the question ‘Who am I?’ he “turned his attention very keenly towards himself”.
His earliest teachings are documented in the book Nan Yar? (Who am I?), in which he elaborates on the “I” and Self-enquiry:
“Of all the thoughts that rise in the mind, the thought ‘I’ is the first thought.”
“What is called mind is a wondrous power existing in Self. It projects all thoughts. If we set aside all thoughts and see, there will be no such thing as mind remaining separate; therefore, thought itself is the form of the mind. Other than thoughts, there is no such thing as the mind.”
“That which rises in this body as ‘I’ is the mind. If one enquires ‘In which place in the body does the thought ‘I’ rise first?’, it will be known to be in the heart [spiritual heart is ‘two digits to the right from the centre of the chest’]. Even if one incessantly thinks ‘I’, ‘I’, it will lead to that place (Self)’.”
“The mind will subside only by means of the enquiry ‘Who am I?’. The thought ‘Who am I?’, destroying all other thoughts, will itself finally be destroyed like the stick used for stirring the funeral pyre.”
“If other thoughts rise, one should, without attempting to complete them, enquire, ‘To whom did they arise?’, it will be known ‘To me’. If one then enquires ‘Who am I?’, the mind (power of attention) will turn back to its source. By repeatedly practising thus, the power of the mind to abide in its source increases.”
“Knowledge itself is ‘I’. The nature of (this) knowledge is existence-consciousness-bliss.”
“The place where even the slightest trace of the ‘I’ does not exist, alone is Self.”
“The Self itself is God.”
છેવટે,જાણીતા લેખક અને વિચારક શ્રી મોહમદ માંકડનો એક ચિંતન લેખ “તમારો હું કોઈને વાગે નહી એ જોજો “સંદેશ.કોમ ના સૌજન્યથી વાંચો .
મારા સુરત નિવાસી સાહિત્ય રસિક મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એક વાર એમના એક ઈ-મેલમાં નીચેનું ચિત્ર મને જોવા માટે મોકલ્યું હતું .
મને એ ચિત્ર ખુબ ગમ્યું હતું એટલે એને મારા ગમતા ચિત્રોના ફોલ્ડરમાં સેવ કરી રાખ્યું હતું. આજે એ ફોલ્ડરમાં આ ચિત્ર જોતાં મનમાં વિચાર મંથન ચાલ્યું. એમાંથી જે કાવ્ય રચનાએ આકાર લીધો એ કાવ્ય રચના આ રહી …
હું કોણ છું ?
હું નથી કોઈની સાથે કોઈ જાતની હરીફાઈમાં,
નથી પુરવાર કરવી મારી જાતને સહુથી અદકેરી,
નથી રમવી મારે એવી કોઈ રમત,
જેમાં મારી રમત જ બરાબર છે એવો ગર્વ હોય.
અન્યો કરતાંચડિયાતો છું એવીકોઈ ,
ભ્રામક રમત રમવાનોમને નથીઅભરખો.
હું તો ફક્ત એવા પ્રયત્નમાં જ વ્યસ્ત છું ,
જે મારી જાતને આદર્શ આદમી બનાવી શકે .
મારી જે છે અને જેવી છે એ જાતને,
ગઈકાલ હતી એના કરતાંઆજે બહેતર બને,
એ માટે સતત કોશિશ કરી રહેલો,
એક નમ્ર ,અદનો, અધુરો આદમી હું છું .
વિનોદ પટેલ
સૃષ્ટિનું સર્જન થયું અને માણસ વિચારતો થયો એ ઘડીથી આ મથામણ ચાલું જ કે “ હું કોણ છું? ક્યાંથી આવ્યો છું?”
યાદ આવે છે આદિ શંકરાચાર્ય લિખિત ભજ ગોવિન્દમ નો આ શ્લોક ..
“હું વિચારોના વમળમાં ફસાયેલો હેમ્લેટ નથી. ‘ટુ બી ઓર નોટ ટુ બી’ના સરકસી હિંચકા પર હું અહીંથી તહીં સામસામે અથડાતો અટવાતો નથી કે નથી હું ઑથેલો – કે સીધો જ આચારમાં પકડાઈ જાઉં કે જકડાઈ જાઉં અને પછી પસ્તાયા કરું.
હું શંકા-કુશંકાથી ઘેરાયેલો અર્જુન નથી – કે લડું કે ન લડું ની દ્વિધામાં રહેંસાતો, ભીંસાતો હોઉં.મારા સ્વારથપર કૃષ્ણ તો હોય જ ક્યાંથી ?
હું રોમિયો નથી કે ભોમિયો નથી.
તો પછી, હું છું કોણ ?
હું છું આજનો માણસ. સવારથી રાત સુધી ઘણું બધું કરતો અને કશુંય ન કરતો. એના નામને અને ઈતિહાસને સ્નાન સૂતકનો સંબંધ નથી. એનું નામ તો રેશનકાર્ડમાં જ રોશન થાય. બહુ બહુ તો પાસપોર્ટમાં લખાય.
એને આંતરયુદ્ધ કે બાહ્ય્યુદ્ધનો પરિચય છે અને નથી. એ તો માત્ર મરણ સુધી જીવવું પડે એટલા માટે જીવે છે. એક વાર એનું નામ કંકોતરીમાં છપાયું તે છપાયું અને મરણનોંધમાં છપાશે ત્યારે એ હશે પણ નહીં.
જીવન મારું અંધ છે, મરણ મારો સ્કંધ છે, લૌકિક વહેવાર બંધ છે.”
સ્વ. સુરેશ દલાલ
આમ “હું કોણ છું ” એ પ્રશ્નનો જવાબ શોધવા માટે માણસની આખી જિંદગી પસાર થઇ જાય છે છતાં એનો સાચો ઉકેલ એ નથી મેળવી શકતો .
સંત સુરદાસે એના એક ભજનમાં ગાયું છે કે ” મોસમ કૌન કુટિલ ખલ્કામી ” એટલે કે આ જગતમાં મારા જેવો કોઈ ખરાબ માણસ નથી .અભિમાનને –ઈગો -ને મારવા માટે આ ફિલસુફી કામ લાગે એવી છે .
જાતે ફુલાઈને ફાળકો થઇએ શું કામનું ! અભિમાન-ઇગો-નો ફુગ્ગો ફૂટતાં વાર લાગતી નથી એમાંથી હવા નીકળી જતાં જ આપણી મૂળ જાત ઉપર આપણે આવી જઈએ છીએ .
જ્યોતીન્દ્ર દવેએ એમની આત્મકથાનું નામ સરસ આપ્યું છે -” અલ્પાત્માનું આત્મ પુરાણ “
મહાત્મા ગાંધીએ એમની આત્મકથામાં એમની નબળાઈઓ અને ભૂલો છુપાવ્યા વિના જણાવી દીધી છે .ગાંધીજી પોતાની ભૂલોમાંથી શીખી , જાત પરીક્ષણ કરી, જીવનને બહેતર બનાવવાના પ્રયોગો કરતા રહ્યા હતા. એમણે લખેલ આત્મકથાનું નામ પણ “સત્યના પ્રયોગો “એવું રાખ્યું છે એ કેટલું સુચક છે !
વાચકોના પ્રતિભાવ