વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: સંકલન

1331 – સ્વાગત નવા વર્ષનું ..૨૦૨૦… / સતત પ્રયત્નશીલ રહેજો આ નવા વર્ષમાં …

 

NY2020-1

મારું નવા વર્ષનું એક કાવ્ય,થોડું મઠારીને ..

સ્વાગત નવા વર્ષનું.- ૨૦૨૦

 

સમય સરિતા વહેતી જ રહેતી હંમેશ,

યાદો પાછળ મૂકી,વર્ષ એક થયું પસાર,

નવા અરમાનો,અનેક સંકલ્પો મનમાં ધરી,  

આવી ઉભા એક નવા વર્ષને પગથાર.

સ્વાગત કરીએ આ નવલા વર્ષનું પ્રેમથી.

જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર,

એમાં ઊગેલ ઘાસ નીદામણ દુર કરીને,

નવા વરસે પ્રેમનો નવ પાક ઉગાડીએ.

નવા વરસે નવ નિર્માણનો સંકલ્પ કરીને,

નવલા વરસે નવલા બનીને,નવેસરથી,

નવી આશાનો દીપ જલાવીએ,પ્રકાશીએ.

કૃપાળુ પ્રભુને હંમેશાં હર પળ સમરીએ,

નવ વરસે, બે કર જોડી એને પ્રાર્થીએ કે ,

રિદ્ધિ, સિદ્ધિ,લક્ષ્મી અને સરસ્વતી માતા ,

સૌ પર રીઝે ,સુખ શાંતિ સૌ પ્રાપ્ત કરે ,

એવું ઉત્તમ નવું વર્ષ બનાવજે, હે પ્રભુ.

વિનોદ પટેલ

 

NY2020-2

નવા વરસે…..એક પ્રાર્થના…..

કુન્દનિકા કાપડીઆ

હે પ્રભુ,

અમારી વાણી તારા ગુણોનું સ્તવન કરો,

અમારા કાન તારી કથાઓનું શ્રવણ કરો,

અમારા હાથ તારાં સેવા કર્મ કરો,

અમારૂં મન તારાં ચરણોના ચિંતનમાં રહો,

અમારૂં શિર તારા નિવાસ સ્થાન રૂપ જગતને પ્રણામ કરવામાં રહો,

અમારી દ્રષ્ટિ તારી મૂર્તિરૂપ સંતોનાં દર્શનમાં રહો.

ભાગવત

[કુન્દનિકા કાપડીઆ લિખિત “પરમ સમીપે” માંથી સાભાર]

સતત પ્રયત્નશીલ રહેજો આ નવા વર્ષમાં…

હૅપી ન્યુ યર. કૅલેન્ડરનું પાનું ફેરવાયું અને લો નવું વર્ષ હાજર. કૅલેન્ડરનાં ફેરવાતાં પાનાંની સાથે આપણી જિંદગીનાં પાનાં પણ ફેરવાતાં જાય છે. કૅલેન્ડરની છપાયેલી તારીખમાં ફેરબદલ શક્ય નથી. જિંદગી જીવવાની ફિલસૂફીમાં ફેરબદલને સતત અવકાશ છે.

સતત એટલે કાયમી, નિરંતર, લગાતાર, હંમેશાં. આ બધા જ શબ્દો આપણી રોજબરોજની જિંદગી સાથે વણાઈ ગયા છે. શબ્દોની સાથે પ્રયત્ન પણ વણાઈ જતો હોય છે. કોઈ પણ કામ પાછળ થતા સતત પ્રયત્નો માણસને થકવી નાખે છે. સતત પ્રયત્ન છતાં ઘણી વાર પરિણામ ન મળતું હોય ત્યારે નિરાશા થવી સ્વાભાવિક છે.

સતત પ્રયત્નશીલતાનો થાક ઘણી વાર શરીર કરતાં મગજ પર વધારે સવાર થઈ જતો હોય છે. એક વાર મગજમાં ઘૂસી જાય કે હવે આ કામ નહીં થાય મારાથી. હવે આ સંબંધ નહીં સચવાય. પછી મગજ આ વિચાર પર પોતાનો કબજો જમાવીને બેસી જાય છે. આ વિચાર આપણી પર એટલો બધો હાવી થઈ જાય કે આપણે વધુ પ્રયત્ન કરતા રોકાઈ જઈએ છીએ. પ્રયત્નનાં હથિયાર આપણે હેઠાં મૂકી દઈએ છીએ.

માણસનું જીવન સતત વહેતું રહે છે. જિવાતી જિંદગીમાં સતત પ્રયત્નશીલ રહેવું આવશ્યક છે. સંબંધ બંધાઈ ગયા પછી એને ટકાવી રાખવા આપણે સતત પ્રયત્નો કરતા રહીએ છીએ. જીવનમાં કશી ગૅરન્ટી નથી કે કશું સ્થાયી નથી. જીવન પરિવર્તનશીલ છે.

 સંબંધમાં બંધાયા પછી એ કેટલા ટકશે એ કોઈ કહી ન શકે. પણ આપણા સતત પ્રયત્નો સંબંધને ટકાવી રાખે છે. આપણે કાયમી સંબંધમાં બંધાઈએ છીએ એ છતાં એ સંબંધ જેમ-જેમ જૂનો થતો જાય એમ વાસી બનતો જાય છે અને આપણે તાજગી શોધવા ફાંફાં મારીએ છીએ.

 એકધારા કામનો આપણને કંટાળો આવવા લાગે છે એવા સમયે મગજને આરામની જરૂર હોય છે. મગજને કંઈક જુદો અનુભવ આપવાની જરૂર હોય છે. અમુક લોકો સતત કામ કરવામાં એટલા બધા પૅશનેટ હોય છે કે પ્રયત્નશીલ રહેવાનું તેમનું જોમ હંમેશાં તીવ્ર હોય છે. એવી જ રીતે સંબંધોની બાબતે આવા લોકો ખૂબ જોમ લગાડીને એને ટકાવી રાખવાની જહેમત કરતા રહે છે.

 આ પ્રકારના લોકો જીવનને અને કામને સામાન્ય લોકો કરતાં જુદી રીતે જુએ છે અને મૂલવે છે. આ પ્રકારના લોકો નક્કી કરેલા લક્ષ્‍ય સુધી પહોંચવા તનતોડ મહેનત કરે છે. એમાં સફળતા ન મળે તો ફરી પોતાની એનર્જી કામે લગાડી દોડવા લાગે છે. હાર શબ્દ કદાચ તેમની જીવન ડિક્શનરીમાં નથી હોતો. હારને આ લોકો પોતાના મગજ પર હાવી નથી થવા દેતા. એવું નથી કે તેમને હાર મળતા આ લાકો નિરાશ કે હતાશ નથી થતા, પણ આ પ્રકારના લોકો હતાશાને ખંખેરીને ફરી હિંમત ભેગી કરે છે.

 સતતનું સાતત્ય જાળવવું ખૂબ કઠિન હોય છે. દીવાને અખંડ રાખવો હોય તો એમાં સતત ઘી પૂરવું પડે. આપણા પ્રયત્નને અખંડ રાખવા હોય તો જાત હોમી દેવી પડે. ઘણી વાર છેલ્લો પ્રયત્ન દરવાજાની ખુલ જા સિમ સિમ જેવી ચાવી સમાન સાબિત થતો હોય છે.

સંબંધની માયાજાળ પણ ગજબની છે. જે આપણી પાસે છે એની સાથે આપણે ખુશ નથી અને જે આપણી પાસે નથી એની સાથે આપણે ખુશ રહેવાનાં સપનાં જોઈએ છીએ. કાયમી અને જૂના થયેલા સંબંધોમાં આપણે પ્રયત્ન છોડી દઈએ છીએ અને નવા સંબંધ તરફ ઘસડાયા કરીએ છીએ. થોડા વખત પછી એ નવો સંબંધ પણ વાસી થઈ જશે અને આપણે ફરી કોઈ નવા સંબંધ તરફ દોટ મૂકીશું. આ દોટ નિરંતર ચાલુ રહે છે. આવી નિરંતરતા જોખમી સાબિત થાય છે. જીવનમાં એક વાત નક્કી છે કે નક્કી કશું જ નથી. અને જ્યારે કશું નક્કી ન હોય ત્યારે નક્કી પ્રયત્ન તો કરી જ લેવો જોઈએ.

પણે માત્ર જીવીએ છીએ. આપણે સતત જીવતા નથી હોતા. જીવવાના આપણા પ્રયત્ન અમુક સમય પછી ફીકા પડી જાય છે. એ સમયે આપણે આપણી જાતને સતત જીવવા માટે, સતત પ્રયત્નશીલ રહેવા માટે, સતત સંબંધ ટકાવી રાખવા માટે હૅપી ન્યુ યર કહેવું પડે. જીવનમાં નવીનતા આવે એટલે એક્સાઇટમેન્ટ, ઉત્સાહ વધી જાય. અને આપણે દિલોજાનથી કામ કરવા લાગીએ. દિલોજાનથી બધું ટકાવી રાખવા પ્રયત્ન કરીએ. નવીનતા બહાર નહીં, આપણી અંદર જ હોય છે. નવીનતા જૂના સંબંધને છેતરી નવા સંબંધમાં શોધવાની નથી. નવીનતા જૂના સંબંધ રિવાઇન્ડ કરીને શોધવાની છે.

 જૂનું વર્ષ જરા રિવાઇન્ડ કરી બધી જ હતાશાને ખંખેરી સતત પ્રયત્નશીલ રહેવાના નિર્ધાર સાથે જાતને હૅપી ન્યુ યર કહીએ.

 મલ્ટિટાસ્કિંગમાં પુરુષો પણ છે પાવરધા

મલ્ટિટાસ્કિંગ એટલે કે એકસાથે અનેક કામ કરવામાં મહિલાઓની મૉનોપોલી રહી છે. વહેલી સવારે ઊઠીને સંતાનોને સ્કૂલમાં મોકલવાં, હસબન્ડનું ટિફિન બનાવવું, રસોઈ, વડીલોની દેખભાળ, બહાર જઈને કામ કરવું અને ઍાફિસમાંથી પરત ફર્યા બાદ બાળકોને હોમવર્ક કરાવવું. ઓછા સમયમાં વધુ કામ કરવામાં મહિલાઓની તોલે કોઈ ન આવે એવું અત્યાર સુધી માનવામાં આવતું હતું. તાજેતરમાં આ માન્યતાને ખોટી ઠેરવતો રિપોર્ટ સામે આવ્યો છે.

 

પબ્લિક લાઇબ્રેરી ઑફ સાયન્સ વન જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર મહિલાઓ મલ્ટિટાસ્કર નથી, હાર્ડ વર્કિંગ છે. મહિલાઓની કાર્યક્ષમતા વિશે રિસર્ચ કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે તેઓ ઘણાંબધાં કામ કરવામાં પાવરધી છે, પરંતુ તેને મલ્ટિટાસ્કર ન કહી શકાય. મલ્ટિટાસ્કિંગની વ્યાખ્યા જુદી છે. એમાં જગલિંગ કરી કામો પતાવવાનાં નથી હોતાં. મલ્ટિટાસ્કિંગમાં ફોકસ, ડેડલાઇન અને સક્સેસનો રોલ મહત્ત્વનો છે. દાખલા તરીકે કોઈ પુરુષ ડ્રાઇવિંગ કરતાં-કરતાં તેના હાથ નીચે કામ કરતી વ્યક્તિને ફોનના માધ્યમથી ઇન્સ્ટ્રક્શન આપે, ઑફિસ પહોંચતાં સુધીમાં ટેબલ પર રિપોર્ટ તૈયાર હોય એને મલ્ટિટાસ્ક કહેવાય. અહીં ફોકસ (રોડ પર અને ફોન પર), ડેડલાઇન અને સક્સેસ ત્રણેય જોવા મળે છે. સ્ટડી કહે છે કે મલ્ટિટાસ્કિંગમાં મહિલાઓ નહીં, પણ પુરુષો એક્સપર્ટ છે.

સૌજન્ય ..Dailyhunt

વિનોદ વિહારના સૌ સુજ્ઞ વાચક મિત્રો,સ્નેહી જનો નવા વર્ષ 2020 માં તન,મન,ધનથી ખુશ રહે એવી અનેક પ્રેમભરી શુભેચ્છાઓ.

 વિનોદ પટેલ ,

સાન ડીયેગો , કેલીફોર્નીયા

તા. જાન્યુઆરી ૧,૨૦૨૦

ક્યાંય ના જરી ક્લેશ હો; ને ક્યાંય ના જરી ક્લાન્તિ હો;

સર્વને હો તાઝગી પ્રાતઃફૂલોની, શાન્તિ હો.

વ્યોમમાંયે શાન્તિ હો, ને ભોમમાંયે શાન્તિ હો,

વ્યોમભોમની મધ્ય રોમેરોમ સોમ શી શાન્તિ હો.

કવી ઉશનસ 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1231-‘એકત્ર’ પરિવારનો ગ્રંથ-ગુલાલ

‘એકત્ર’નો ગ્રંથ-ગુલાલ

આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકો ને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઈ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

www.ekatrafoundation.org

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.

અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –
* પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

* પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમા) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાના ગુલાલથી.

*
તાજેતરમાં વી–આવૃત્તિરૂપે પ્રકાશિત ગ્રંથ ‘અવલોકન-વિશ્વ : ભારતીય અને વિદેશી ભાષાઓનાં સામ્પ્રત પુસ્તકો વિશેના આસ્વાદલેખો, સંપાદક – રમણ સોની’ આ લિન્ક https://ekatra.pressbooks.pub/avlokanvishva/

ઉપરથી આપ વાંચી શકશો.

EKATRAFOUNDATION.ORG

એકતાની નીચેની ફેસબુક લીંક પર ઘણું સાહિત્ય વાંચી શકાશે.

1201 – ગુજરાતી ભાષાના લોકપ્રિય હાસ્ય લેખક સ્વ.વિનોદ ભટ્ટને હાર્દિક શ્રધાંજલિ ….

ગુજરાત અને ગુજરાતી ભાષાના લોક લાડીલા હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું અમદાવાદમાં બુધવાર, તારીખ ૨૩ મી મે, ૨૦૧૮ ના રોજ દુખદ નિધન થયાના માઠા સમાચારથી સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વિનોદ ભટ્ટ છેલ્લાં કેટલાક સમયથી બીમાર હતા. બુધવારે 11.05 વાગ્યે વિનોદ ભટ્ટએ અંતિમ શ્વાસ લીધા હતા. સાંજે સાડા ચાર વાગ્યે તેમની અંતિમ યાત્રા બેન્ડવાજા સાથે નિકળી હતી, બેન્ડવાજાએ રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન વગાડીને ભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું. વિનોદ ભટ્ટના દેહનું દાન એલ જી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

આપણા આ જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટના દુખદ અવસાનથી ગુજરાત અને ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડશે.

પ્રભુ તેમના આત્મા ને શાંતી આપે … ઓમ શાંતી … શાંતી…શાંતી…🌺🙏🌺

સ્વ. વિનોદ ભટ્ટની જીવન ઝરમર અને એમના હાસ્ય સાહિત્ય નો પરિચય…વિવિધ સ્રોતમાંથી સંકલન કરીને … સદગત આત્માને શ્રધાંજલિ રૂપે …આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત છે.

વિનોદ પટેલ 

૧. એકયુરેટ એકેડેમી રાજકોટ ના સૌજન્યથી સ્વ.વિનોદ ભટ્ટ વિશેનો વિડીયો …

૨.વિનોદ ભટ્ટ …સૌજન્ય-ચિત્રલેખા…

                                                    અંતિમ દર્શન
વિનોદ ભટ્ટના અવસાનના એક દિવસ પહેલાંની તસ્વીર

વિનોદ ભટ્ટ …સૌજન્ય-ચિત્રલેખા

૩..વિનોદ ભટ્ટ, Vinod Bhatt.. સૌજન્ય .ગુજરાતી પ્રતિભા પરિચય

૪..ABP Asmita ગુજરાત ની વેબ સાઈટ પર વિનોદ ભટ્ટનો સચિત્ર પરિચય.

૫.Vinod Bhatt વિકિપીડિયા ..અંગ્રેજી

૬. સાભાર- શ્રી ઉત્તમભાઈ ગજ્જર

તારીખ ૨૦મી મે ૨૦૧૮ ની ‘દીવ્ય ભાસ્કર’ની રવીવારીય પુર્તિ ‘રસરંગ’માં પ્રકાશીત થયેલ વિનોદ ભટ્ટ નો છેલ્લો હાસ્ય લેખ  નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/20052018/19RASRANG-PG6-0.PDF

૭ શ્રી અંકિત ત્રિવેદીની સુંદર શબ્દોમાં સ્વ. વિનોદ ભટ્ટ ને આદરાંજલિ …

  • હાસ્ય ને પણ ખડખડાટ હસાવી શકે એવી વિરલ હસ્તી મુ.શ્રી વિનોદ ભટ્ટ પરમેશ્વરના હાસ્ય દરબારમાં સામેલ થઈ ગયા.

    આદરાંજલી.   …..            અંકિત ત્રિવેદી. 

    કેટલાક લખે ત્યારે કાગળનું નથી વિચારતા ! કેટલાક લખે ત્યારે કાગળનું પણ વિચારે છે…! કેટલાક લખે ત્યારે પેન કાગળને ભોંકાતી હોય છે. કેટલાક લખે ત્યારે કાગળને પોતાની પેન પંપાળતી હોય છે. કેટલાક લખે ત્યારે કોરા કાગળનું અકાળે મોત થયેલું લાગે ! કેટલાક લખે ત્યારે કાગળનો મોક્ષ થઈ જાય… વળી, કેટલાક કાગળની નારણબલી કરતાં હોય એમ લખે…! અને કેટલાક કાગળને અશોકનાં શિલાલેખ જેવી શાશ્વતી સમયનાં અક્ષરોને ઉકેલીને આપે…! એમની ભાષા સમાજનું દૂરબીન લાગે..!

    વિનોદ ભટ્ટ આમાંનું એક નામ…! નામ પ્રમાણેના ગુણો અને અટક પ્રમાણેનું બ્રાહ્મણપણું…! જ્યોતીન્દ્ર દવે, તારક મહેતા પછીની પેઢીનું બહુ મોટા કેનવાસ પર હાસ્યનું ચિત્રકામ કરી જાણ્યું છે. અત્યારે હાસ્ય પર ફાવટ એવી કે ડાબા હાથે લખે…! (એમને જમણા હાથમાં દૂ:ખાવાને કારણે ખરેખર ડાબા હાથથી લખે છે.) એમનું હાસ્ય જેટલું તરત સમજાય એટ્લે એમનાં અક્ષર ના વંચાય..! એ હાજરી અને ગેરહાજરી બંનેમાં વર્તાયા વિના રહે જ નહીં…! 

    સુરેશ દલાલની વિદાય પછી બહુ ઓછા સર્જકોને સામેથી ફોન કરવાનું ગમે છે. વિનોદ ભટ્ટ એમાંના એક અને અનન્ય. પુષ્કળ કાર્યક્રમો એમની સાથે કર્યા છે… અમદાવાદથી અમેરિકા સુધી… એવું કહેવું હોય તો કહી શકાય કે સંગીતના કાર્યક્રમો સહુથી વધારે પુરુસોત્તમ ઊપાધ્યાય જોડે કર્યા છે અને એ પછી સાહિત્યના કાર્યક્રમોમાં સુરેશ દલાલ પછી વિનોદ ભટ્ટ જ આવે…! 

    એકવાર મેં એમને અમસ્તાં જ પૂછેલું કે, ‘ વિ.જ.ભ. ( વિનોદચંદ્ર જશવંતલાલ ભટ્ટ – આખું નામ એમનું આ છે પરંતુ એમના મતે એમના સસરા પછી વિ.જ.ભ.ના નામે હું એકલો જ બોલાવું છું. ) હું તમારા દરેક કાર્યક્રમમાં આવું છું. તમે મારા કાર્યક્રમમાં કેમ નથી આવતા  ?’

    એમણે કહ્યું : ‘એક વાત સાંભળી લે. તું મારા બેસણામાં આવે એનો મતલબ એવો નહીં કે મારે પણ તારા બેસણામાં આવવાનું…!’ 

    આટલો બે-ધબકારા વચ્ચેનાં અંતર વગરનો સહજ હાસ્ય સભર જવાબ કોણ આપી શકે ? 

    એટ્લે જ વિનોદ ભટ્ટ કહી શકે છે કે ‘મને મૃત્યુની બીક લાગે છે કારણ કે મને જીવનની પડી છે.’ માંદગી એમને માટે અવારનવાર આવતી એકાદશી જેવી છે. ઉંમરને કારણે ઘણીવાર ખબર કાઢવા આવતા મહેમાનની જેમ આવે અને ઘરધણી બનીને રોકાઈ પણ જાય…! તો ય એમનો તોર એવો ને એવો અકબંધ…! જેટલું જીવ્યા છે – અને જીવે છે એનું ગુમાન વિવેકી લાગે…!

    જિંદગી એટલી બધી વ્હાલી જેમ ડાયાબિટીસના દર્દીને મીઠાઇ વ્હાલી ! આ દિવાળીમાં ડાયાબિટીસ હોવા છતાં હવે આવતી દિવાળી નહીં હોય એમ માનીને મીઠાઇ ઉપર જીભને ઝંપલાવી…! અને માંદા પડ્યા તો ય ઘરે રહીને માંદગીને પ્રેમ કર્યો… વિનોદ ભટ્ટ માને બધાનું (યોગ્યતા અનુસાર ) પણ કોઈ સલાહ આપે તો જરા વસમું લાગે…! સાહિત્યમાં હાસ્યની સ્થિતિ જેવું… આ જ માણસ કહી શકે કે માંદગી હોય ત્યારે બધા જ સલાહ આપે છે. જાણે ઢળતી ઉંમરે સલાહનું ટ્યુશન લેતો હોઉં એવું લાગે છે…! 

    હાસ્યની ઊપાસના કરનારા આ સાધક જીવને ક્યારેય ઉદાસ થતાં નથી જોયા ! ગુસ્સે થતાં જોયા છે. એ ગુસ્સો ક્ષણવારનો હોય પણ વાજબી હોય. એમના ગમા અને અણગમા સ્પષ્ટ છે. એ પોતે જ કહે છે કે જેટલું ધોધમાર જીવ્યો છું એટલું ધોધમાર ફરી જીવવા ન મળે તેનો સ્હેજ પણ અફસોસ નથી…! મૃત્યુને થોડાં સમયથી એમણે ભાઈબંધ બનાવ્યો છે. એટ્લે જીવવામાં રસ વધારે પડે છે. એમની પત્નીના હાથ નીચે ભણેલા ડોક્ટરો પર એમને વધારે વિશ્વાસ છે, કારણકે એ પોતે પણ એમની પત્નીને ‘માસ્તર’ કહીને જ સંબોધે છે… 

    આટઆટલાં પુસ્તકો, ભરચક કાર્યક્રમો અને ધોધમાર લોકોને મળ્યા પછી તાજા ગુલાબની સુગંધ જેવું હાસ્ય એટ્લે વિનોદ ભટ્ટ…! એમને યાદ એટ્લે કર્યા કે આ લેખ એ વાંચે અને નવી પેઢીના લેખકો-વાચકો એમનામાંથી માત્ર ને માત્ર હસતાં શીખે…! નિર્દોષ હાસ્ય ઈશ્વરની ગેરહાજરીને સભર કરી આપે છે… બાકી આ એ જ વિનોદ ભટ્ટ છે જે બોલતા હોય અને બાજુમાં પદ્મશ્રી ગુણવંત શાહ બેઠા હોય ત્યારે ઓડિયન્સની વચ્ચે માઈકમાં ગુણવંત શાહને એમ કહે કે “ ગુણવંતભાઈ હું બોલું છું તો બોર નથી થતા ને ?” ગુણવંત શાહ ‘ના’ પાડે પછી વિનોદ ભટ્ટ એટલું જ બોલે કે, ‘ જો બોર થતા હોવ તો જામફળ લાવીએ…!’ ત્વરીત હાસ્યનો તરવરાટ વિનોદ ભટ્ટનો વિશેષ છે… ગુજરાતી હાસ્ય વિનોદ ભટ્ટથી સવિશેષ છે…

    ઓન ધ બીટ્સ 

    “ઘણા પુરુષોને એવી પત્ની જોઈએ છે કે ઘર રખ્ખું, રૂપાળી હોય, કરકસરિયણ હોય અને ફક્કડ રસોઇયણ હોય… કમભાગ્યે કાયદો એક કરતાં વધારે પત્ની કરવાની છૂટ આપતો નથી…” -વિનોદ ભટ્ટ.

    Laughing with Vinod Bhatt- Best Comedy-You Tube 

    વિવિધ આયોજિત પ્રોગ્રામોમાં હાસ્યની છોળો ઉછાળતા સ્વ. વિનોદ ભટ્ટના આવા બીજા you-tube વિડીયો આ પછીની શ્રધાંજલિ પોસ્ટમાં જોઈ/સાંભળી શકશો.

1192 – 100 Beautiful inspirational & motivational Quotes to Give You Food for Thought

100 Beautiful Quotes to Give You Food for Thought

When life starts to take a toll on our happiness and motivation, it’s important to draw strength andinspiration from somewhere. When looking for some words of encouragement, the best place to start is from the wise words left by those who came before us.

Here are some beautiful quotes you may not know from people who have, in one way or another, shaped the world a bit differently. These quotes are true, honest, and provide great food for thoughtabout plenty of topics, including life, love, faith and family.

 Click on one of the topics below to get started:

1. Inspirational & Motivational Quotes

2. Quotes About Faith

3. Eastern Philosophy Quotes

4. Greek Philosophy Quotes

5. Quotes About Peace

6. Quotes About Love

7. Quotes About Family

8. Quotes About Travel

9. Even More Quotes…

Inspirational & Motivational Quotes

1.

 

2.

 

Enjoy such further inspirational Quotes on this link….

http://www.ba-bamail.com/content.aspx?emailid=17780

1121 “અપ્પો દીપો ભવ:” ….  તું જ તારો દીવો બન …. 

અપ્પો દીપો ભવ:” ….  તું જ તારો દીવો બન ….આત્મ જ્યોતિ જગાવ 

તારીખ ૧૦-૨૮- ૨૦૧૭ ના રોજ મારા ફેસ બુક ગ્રુપ પેજ ” મોતી ચારો ”  પર  મેં નીચેની પોસ્ટ મૂકી હતી .

તુમ ભગવાનકા દિયા હો… 

માટીનો બનેલો એક નાનકડો દીવડો આખી રાત બળીને, અંધારા સાથે જંગ ખેલીને એને હટાવે છે. તું તો ભગવાનનો બનાવેલો દિવ્ય દીવડો છે, તો પછી તારે ડરવાની કે નિરાશ થવાની શી જરૂર છે. – બ્રહ્મા કુમારી સિસ્ટર શિવાની

 

આ જ દિવસે જાણીતા ગુજરાતી બ્લોગ વેબ ગુર્જરમાં ‘’દીવા’ વિષય ઉપર જ વિવિધ ફિલ્મી ગીતોના વિડીયો અને એની વિવેચના સાથે શ્રી નિરંજન મહેતાનો એક સરસ પોસ્ટ થયો છે.લેખક શ્રી નિરંજન મહેતાના આભાર સાથે એને નીચે પ્રસ્તુત છે. 

દીવો-દીપક ફિલ્મી ગીતોમાં …. નિરંજન મહેતા

શ્રી નિરંજનભાઈએ કરાવેલ આ સંગીત મઢી ફિલ્મી સફરથી  આપના દિલમાં ખુશીનો દીપક જો ના પ્રગટે તો જ નવાઈ.! 

આજના આ દીપક વિષયની પોસ્ટના સંદર્ભમાં જાણીતાં કાવ્ય યાત્રી કવિયત્રી સુ.શ્રી દેવિકા ધ્રુવના નીચેના દિવાળીના  દીપક વિશેની એમની આ ભાવવાહી સુંદર કાવ્ય રચનાને પણ યાદ કરી લઈએ.

આ આખું ભાવવાહી ગીત આ રહ્યું. 

દીપ જલે 

દીપ જલે જો ભીતર સાજન,
 રોજ દિવાળી આંગન.
કાચું કોડિયું વાત  જાણે,
 પરમ પુનિત ને પાવન.


માંજીએ સાચ્ચે મનના બરતન
 ચકચકાટ દિલભાવન.
પછી ખીલે જો ભીતર આતમ,
 રોજ દિવાળી આંગન.


નાની અમથી સમજી લઈએ,
     ક્ષણની આવન જાવન.
 અમાસને અજવાળી લઈએ
 ઝગમગ દીવા મુબારક.


દીપ જલે જો ભીતર સાજન,
 રોજ દિવાળી આંગન. 

દેવિકા રાહુલ ધ્રુવ

આ કાવ્યમાં તેઓ કહે છે કે જો ભીતરનો દીવો જલતો હોય તો બહાર દીવાઓ પ્રગટાવ્યા સિવાય પણ રોજે રોજ દિવાળી જ છે.દિવાળીમાં ઘરની બહાર કે ઘરમાં દીપક ની હારો પ્રગટાવીએ પણ જો આપણી ભીતરમાં અંધારું હોય તો એ સાચી દિવાળી નથી.સાપ ગયા ને લીસોટા રહ્યાની માફક એ માત્ર ઔપચારિકતા કહેવાશે. 

ઉપરના ગીતને દેવિકાબેનના જ સ્વરમાં આ વિડીયોમાં પણ સાંભળો.

સૌજન્ય  … શબ્દોને પાલવડે બ્લોગ

 

દિલમાં દીવો કરો – LIGHTEN UP YOUR HEART 

ભક્ત કવિ રણછોડનું આ જાણીતું ભજન પણ આપણને દિલમાં દીવો કરવાની શીખ આપે છે.

 દિલમાં દીવો કરો 

દિલમાં દીવો કરો રે, દીવો કરો.
કૂડા કામ ક્રોધને પરહરો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં

દયા-દિવેલ પ્રેમ-પરણાયું લાવો, માંહી સુરતાની દિવેટ બનાવો;
મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં

સાચા દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારું સૌ મટી જાશે;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે, દિલમાં દીવો કરો રે. દિલમાં

દીવો અભણે પ્રગટે એવો, તનનાં ટાળે તિમિરનાં જેવો;

એને નયણે તો નરખીને લેવો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં

દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે, દિલમાં દીવો કરો રે. દિલમાં

ભક્તકવિ રણછોડ

 બેઠક સાહિત્ય સંસ્થાનાં એક મુખ્ય સંચાલિકા સુ.શ્રી પ્રજ્ઞાજીએ કરાવેલ સુંદર આસ્વાદ અહીં  ક્લિક કરીને વાંચી શકાશે.

અંતમાં એટલું જ કહીશ કે અંતરનો દીવો સદા પ્રજ્વલિત રહેવો જોઈએ તો જ અંતરમાં અજવાળું ફેલાઈ શકે અને એની મદદ વડે આપણા જીવનનો રાહ અંધારામાં ભટકાયા વિના સંતોષથી અને સારી રીતે પૂરો કરી શકીએ.મારા એક કાવ્ય’’ મને શું ગમે ‘’માં પણ મેં કહ્યું છે.

એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં,

માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી,

અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે . 

વિનોદ પટેલ, સાન ડીએગો ,૧૦-૨૮-૨૦૧૭

 

સૌજન્ય- શ્રી સુરેશ જાની 

( 991 ) કવિતા અને ગઝલોમાં “જીવન”…. શ્રી પી.કે.દાવડા

પી.કે.દાવડા અને વિનોદ પટેલ (સાન ડીયાગો )

પી.કે.દાવડા અને વિનોદ પટેલ (સાન ડીયાગો-મારા આંગણે ! )

ફ્રીમોન્ટ,કેલીફોર્નીયા નિવાસી મારા સહૃદયી મિત્ર શ્રી.પી.કે.દાવડા એ તાંજેતરમાં 

” દાવડાનું આંગણું ” 

એ નામે એમનો ગુજરાતી બ્લોગ શરુ કર્યો છે .

બ્લોગીંગની એક નવી સ્ટાઈલ અપનાવીને એમણે એમના આ બ્લોગમાં અગાઉ લખેલા પ્રકાશિત અને અપ્રકાશિત લેખો,કાવ્યો,પરિચય લેખો વી.સાહિત્ય સામગ્રીને વિષયવાર ગોઠવી એની નવ ઈ-બુકો બનાવીને વાચકોને વાંચવા માટે મૂકી છે.

આજની પોસ્ટમાં એમની ઈ-બુક કવિતામાં માંથી મને ગમેલો એક લેખ ઉદાહરણ રૂપે નીચે પ્રસ્તુત છે.આશા છે આપને એ ગમશે. એમના આવા બીજા ઘણા લેખો તમોને એમની ઈ-બુકોમાંથી વાંચવા મળશે. 

દાવડાજીની અત્યાર સુધી પ્રકાશિત ૯ ઈ-બુકો આ પોસ્ટના અંતે મુકવામાં આવી છે જેનો જરૂર લાભ લેશો અને આપનો પ્રતિભાવ પણ  જણાવશો .

વિનોદ પટેલ  

 

કવિતા અને ગઝલોમાં “જીવન” 

ગુજરાતી કવિતામાં કવિઓએ જીવન શબ્દનો ઉપયોગ પોતપોતાની કલ્પના પ્રમાણે કર્યો છે.આ બધી રચનાઓમાંથી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ મને સૌથી વધારે ગમે છે. 

સપનાનો વાણો, ને સ્નેહનો તાણો

બે    નું      ગૂંથેલું     જીવન    જાણો;

આની  કોરે રમણા, પેલી કોરે ભ્રમણા

 વચ્ચે   વહ્યાં  જાય   જીવન    જમના.”

 જીવનની આનાથી વધારે સુંદર પરિકલ્પના હોઈ જ ન શકે. 

મકરંદ દવેને જીવન સિતાર જેવું લાગે છે. તેઓ પૂછે છેઃ

દોસ્ત, વહેતા જીવનની
કોણ સિતાર સુણાવે છે?
બેઠો છે ક્યાં બજવૈયો ?
કૈં સૂર નથી, કૈં સાજ નથી.
 

અકબરઅલી જસદણવાલા તો જીવનને પોતાની મરજી મુજબ ઢાળે છે. તેઓ કહે છેઃ 

મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન  કરી  લઉં છું.

સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.

સમય ક્યારે વિસામો ખાય છે અકબરના જીવનમાં ?
વિસર્જન થાય છે  નિત્, નિત્ નવું  સર્જન કરી લઉં છું.
 

અમૃત ઘાયલે તો જીવન વિષે ઘણી બધી વાતો કરી છે. દા.ત. 

જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું,
ઉતારું છું    પછી    થોડું   ઘણું  એને  મઠારું  છું
;
ફરક  તારા  ને મારા વિષે છે   એટલો   જાહિદ,
વિચારીને  તું જીવે છે  હું  જીવીને   વિચારું  છું.”

અહીં ઘાયલ જીવન સાથે છેડછાડ કરતા નથી, થોડું ઠીકઠાક કરી લે છે. 

તેઓ બીજી જ્ગ્યાએ લખે છેઃ

જીવનનું પુછતા હો તો જીવન છે ઝેર ઘાયલનું
છતાં હિંમત જુઓ કે નામ અમૃતલાલરાખે છે

ભાઈ વાહ! ખરેખર હિંમતવાળા છે ઘાયલ. 

બીજી એક જ્ગ્યાએ ઘાયલને માશુકા વગરનું જીવન જીવવા જેવું જ નથી લાગતું,

મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, દિલ ક્યાં છે, જીગર ક્યાં છે?
જીવનમાં   જીવવા   જેવું    કઈ   તારા   વગર   ક્યાં    છે ?”

ઘાયલ સાહેબ જરા શોધો, બીજું ઘણું બધું છે. 

બરકત વિરાણી તો જીવનને સાચું માનતા જ નથી. એમને તો સપના જેવું લાગે છેઃ

જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું  એવી  જાગ્રુતિમાં  કે  વધુ  જાગી  નથી      શકતો,”
 

આદિલમન્સૂરી સાહેબનું જીવન તો પાણીની જેમ વહી ગયું.

પથ્થર બની હું જોતો રહ્યો કાળની ગતિ,
 વર્ષો જીવનનાં પાણી બની 
 સરી ગયાં

આદિલ સાહેબ, જીવન તો બધાનું ઝડપથી વહી જાય છે. 

અસિમ રાંદેરી સાહેબ તો પોતાનું જીવન કટકે કટકે જીવ્યા છે.

બચપણ, યૌવન, વૃદ્ધાવસ્થા,
 જીવન  પણ   છે  કટકે  કટકે.

આમ તો આપણું બધાનું જીવન કટકે કટકે જ જીવાય છે. 

બરકત વીરાણીએ ખૂબ સરસ વાત કહી છેઃ

બેફામ’  તોયે   કેટલું   થાકી   જવું     પડ્યું?
 નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
 

અને આખરે, જીવનને ઈશ્વર અથવા માસુકાને સોંપનાર ગઝલકાર કહે છેઃ

“તમારી સૂચના  છે  સૌ  ગતિમાં

    તમે   કહ્યું   તો  ગગન   ફરે    છે

    તમારી   આંખોની   સાથ   સાથે

    અમારૂં   આખું   જીવન   ફરે   છે.”

અને અંતેઃ

“આ  મળ્યું  જીવન  છે જેવું એને જીવી જાણો,

અને મળ્યો જેમનો સાથ એને સહી પહેચાણો”  

— પી.કે.દાવડા ,ફ્રીમોન્ટ  

 

 શ્રી પી.કે.દાવડા ની ઈ-બુકો

( નીચેના ચિત્રો ઉપર ક્લિક કરીને ઈ-બુકોમાંનું સાહિત્ય  વાંચો .)

azadi……malava_jewa….ap

 

gita……..કંઈક કવિતા જેવું…..shodhkhol_uper_adharit    kavitaman

   

manthan……mari-dristie…..