વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: સકલન

1192 – 100 Beautiful inspirational & motivational Quotes to Give You Food for Thought

100 Beautiful Quotes to Give You Food for Thought

When life starts to take a toll on our happiness and motivation, it’s important to draw strength andinspiration from somewhere. When looking for some words of encouragement, the best place to start is from the wise words left by those who came before us.

Here are some beautiful quotes you may not know from people who have, in one way or another, shaped the world a bit differently. These quotes are true, honest, and provide great food for thoughtabout plenty of topics, including life, love, faith and family.

 Click on one of the topics below to get started:

1. Inspirational & Motivational Quotes

2. Quotes About Faith

3. Eastern Philosophy Quotes

4. Greek Philosophy Quotes

5. Quotes About Peace

6. Quotes About Love

7. Quotes About Family

8. Quotes About Travel

9. Even More Quotes…

Inspirational & Motivational Quotes

1.

 

2.

 

Enjoy such further inspirational Quotes on this link….

http://www.ba-bamail.com/content.aspx?emailid=17780

( 492 ) વૃદ્ધાવસ્થામાં જીવન સાફલ્ય ……ચિંતન લેખ ……વિદ્યુત જોષી

 

વૃદ્ધાવસ્થામાં જીવન સાફલ્ય ……..વિદ્યુત જોષી

 

Vrudhdhtvએક સમય હતો કે ભારતમાં સરેરાશ જીવન ૪૩ વર્ષનું હતું. તે સમયે ૬૦ વર્ષથી વધુ કોઇ જીવે તો તેની ષષ્ઠી પૂર્તિ‌ ઊજવાતી. આજે સરેરાશ જીવન ૬૪થી વધી ગયું છે. એટલું જ નહીં વિશ્વમાં ૬પ વર્ષથી વધુ જીવતા લોકોમાંથી ૩૩ ટકા લોકો ચીન અને ભારતમાં રહે છે. સંખ્યાની દૃષ્ટિએ જોઇએ તો આ સંખ્યા ૨૦૦૮માં ૧૬.૬ કરોડ હતી. ૨૦૪૦માં આ વસતી બંને દેશોમાં વધીને પપ.૧ કરોડ થઇ જશે. ભારતમાં ૨૨ કરોડ વૃદ્ધો તે સમયે હશે. આમાંના મોટાભાગના લોકો આર્થિ‌ક વ્યવસાયની રીતે નિષ્ક્રય હશે પરંતુ તેમના રખરખાવની સમસ્યાઓ વધી ગઇ હશે.

કેવી રીતે વૃદ્ધત્વની સમસ્યાઓ હલ કરવી તે મુદ્દો વૃદ્ધત્વ વિદ્યા (ગેરન્ટોલોજી)નો અભ્યાસ વિષય બને છે. વૃદ્ધત્વ વિદ્યાએ અભ્યાસો કરીને જે જ્ઞાન આપ્યું છે તેના આધારે વિવિધ સરકારોએ વૃદ્ધો વિશેની નીતિ પણ બનાવી છે. ભારત સરકારે પણ વરિષ્ઠ નાગરિકો માટે નીતિનું ઘડતર કર્યું છે. સામાન્ય રીતે જ્યારે વૃદ્ધોના રખરખાવની વાત આવે છે ત્યારે બે અલગ અભિગમો જોવા મળે છે. પ્રથમ અભિગમ અથવા દૃષ્ટિકોણ જન રંજની (પોપ્યુલર) દૃષ્ટિકોણ છે. આ દૃષ્ટિકોણ મુજબ નવી પેઢી જૂની પેઢીનું માન નથી જાળવતી.

જે મા-બાપે તેમનું લાલન-પાલન કર્યું તેમની જરૂરિયાતોનું ધ્યાન જ બાળકો નથી રાખતા. વહુ ખાવાનું નથી આપતી જેવી ચર્ચાઓ આવે છે. કથાકારો-વાર્તાકારો આ પ્રકારની વાતો પણ કરે છે કે જ્યાં બાળકોએ ઘરડા મા-બાપને તરછોડયાં હોય અને તેઓ અસલામત જીવન જીવતાં હોય. આ સાથે જ કવિઓ બાળકોને સલાહ પણ આપે છે, ‘ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં.’ આ બધી લાગણીસભર રચનાઓ સાહિ‌ત્ય તરીકે સારી લાગે છે. પરંતુ તેનાથી સમસ્યા સુધરતી નથી વકરે છે. વળી, આ દૃષ્ટિ એકાંગી છે. જેમણે બાળકોનો વાંક કાઢયો તેમને બાળકોને કદી પૂછ્યું જ નથી.

આવી કથાઓ કહે છે કે છતે સંતાને વૃદ્ધોને વૃદ્ધાશ્રમોમાં જવું પડે છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે વૃદ્ધાશ્રમોમાં રહેતા માત્ર ૨૨ ટકા વૃદ્ધો જ એવા છે કે જેમના બાળકો અહીં રહે છે, સક્ષમ છે છતાં તેમને વૃદ્ધાશ્રમોમાં રહેવું પડે છે. બાકીના ૭૮ ટકા વૃદ્ધો એવા છે જેમના બાળકો ક્યાં તો નથી, અથવા તો પરદેશમાં છે, અથવા તો આ વૃદ્ધો અપરિણીત કે બાળકો વિનાના છે. એટલે આ લાગણીનું મહત્ત્વ માત્ર ૨૨ ટકા પૂરતું છે તેમ કહી શકાય. હા, લાગણીથી વાત કહેવાય એટલે આંખ ભીની થાય અને કથા ચોટદાર બને.

બીજો અભિગમ અથવા તો દૃષ્ટિકોણ વૈજ્ઞાનિક છે. આ અભિગમમાં માનવામાં આવે છે કે શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ અને મહિ‌લાઓની નોકરીઓથી કુટુંબો નાનાં થવા લાગ્યાં છે. આથી પહેલાં જે કામો કુટુંબમાં થતાં તે હવે કુટુંબ બહાર કરવા માટે સંસ્થાઓ ઊભી થવા લાગી છે. જેમ કે પહેલાં ધાર્મિ‌ક કામ કુટુંબમાં થતું. હવે સંપ્રદાયો ઊભા થયા છે. પહેલાં ભોજન તૈયાર કરવાનું કામ માત્ર કુટુંબમાં થતું. હવે આ કામ કુટુંબ બહાર હોટલો, લોજો અને તૈયાર ખોરાક બનાવનારી સંસ્થાઓ પાસે જવા લાગ્યું છે. પહેલાં આપણે અથાણાં કુટુંબમાં બનાવતાં. હવે તૈયાર લાવીએ છીએ.

પહેલાં પ્રસૂતિનું કામ કુટુંબમાં થતું. હવે નર્સિંગ હોમમાં થાય છે. પહેલાં બાળઉછેરનું કામ કુટુંબમાં થતું, હવે પ્લે હાઉસમાં થાય છે. આ બધાં કામો કુટુંબ બહાર ગયાં તેને આપણે ખરાબ નથી ગણતા. પરંતુ તેમાં ગર્વ લઇએ છીએ. આ રીતે વૃદ્ધોના રખરખાવનું કામ કુટુંબ બહાર જાય છે એટલે વૃદ્ધાશ્રમોમાં જાય છે તેને આપણે કુટુંબનાં મૂલ્યોનું કે નીતિનું પતન કઇ રીતે કહી શકીએ? હકીકત તો એ છે કે હજી વધુ ને વધુ કામો કુટુંબ બહાર જવાનાં છે. આથી નૈતિક પતન તરીકે વૃદ્ધોના પ્રશ્નોને જોવાને બદલે કુટુંબ બહાર જતાં કાર્યો તરીકે જોઇએ તે કામો કુટુંબ બહાર વધુ સારી રીતે થાય અને તે માટે સારી સંસ્થાકીય રચનાઓ થાય તેવા પ્રયાસો થવા જોઇએ. આ બીજા પ્રકારના અભિગમનું એક પુસ્તક તાજેતરમાં બહાર પડયું.

પ્રવીણ પંડયા નામના એક નિવૃત્ત પ્રોફેસર અને અત્યારે રક્તપિત્તનું સામાજિક કામ કરનારને લાગ્યું કે તેમના દાંપત્યજીવનનાં પચાસ વર્ષે તેઓ વૃદ્ધોની સમસ્યા માટે એક પુસ્તક લોકોને ભેટ આપવા માગે છે. આ માટે ગુજરાત કોલેજના પ્રોફેસર ભાનુબહેન કાપડિયાએ વૃદ્ધાવસ્થામાં જીવન સાફલ્ય નામનું વૈજ્ઞાનિક અભિગમ પર આધારિત પુસ્તક લખી આપ્યું. ગુર્જર પ્રકાશનના મનુભાઇએ મહેનત લઇને છાપ્યું. ડો. ભાનુબહેન કાપડિયાએ આ પુસ્તકમાં કોઇ ભાવાત્મક કથાઓ નથી આપી. પરંતુ તેમણે વૃદ્ધત્વનો વૈજ્ઞાનિક અર્થ, પ્રકારો, વૃદ્ધત્વનો ઇતિહાસ, વૃદ્ધોના સ્વાસ્થ્ય વિષયક પ્રશ્નો તથા તેના તબીબી ઉપાયો, વૃદ્ધોના સામાજિક, આર્થિ‌ક પ્રશ્નો અને ઉપાયો (જેમ કે વિલ ક્યારે અને કેવી રીતે બનાવવું).

વૃદ્ધોના માનવ અધિકારો તથા તેમના માટેની કલ્યાણ નીતિઓ તથા વિવિધ સરકારી કાર્યક્રમો, વૃદ્ધોને મળતી વિશેષ સગવડો તથા લાભો (જેમ કે રેલવે તથા વિમાનમાં સસ્તું ભાડું), વૃદ્ધોને મદદરૂપ સંસ્થાઓ, ગુજરાતમાં વૃદ્ધાશ્રમોની વિગતો રજૂ કરી છે. આજે વૃદ્ધોને માત્ર રહેઠાણ અને ભોજન જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય સેવા, સામાજિક નેટવર્ક, વાચનાલય, પ્રવાસન, મનોરંજન, ધાર્મિ‌ક પ્રવચનો, ફુરસદની પ્રવૃત્તિ વગેરે અનેક કામો આજના વૃદ્ધાશ્રમો કરે છે. હવે વૃદ્ધાશ્રમો માત્ર અનાથાશ્રમો કે અશક્તાશ્રમો નથી. તે વૃદ્ધોના જીવનની બધી જ જરૂરો સંતોષે તેવી સંસ્થાઓ છે. ઘરમાં વહુ ઘેર ન હોવાથી વૃદ્ધને કદાચ બપોરે ચા ન મળે કે તબીબી સેવા ન મળે, પરંતુ આ બધી જ સેવાઓ વૃદ્ધાશ્રમોમાં મળી રહે છે.

આ પુસ્તકમાં કુટુંબમાં જીવન જીવવા વૃદ્ધોએ પોતે શું કાળજી લેવી તેની વાતો પણ કહી છે. તેમાં સંતાનો સાથે વહાલપ કેળવીએ (ખાસ કરીને વહુની કાયમ ટીકા ન કરીએ). તમારું હલનચલન અન્યને બાધારૂપ ન નીવડે તે જોવું. ધાર્મિ‌ક અને સાહિ‌ત્યિક પુસ્તકો વાંચવામાં રસ કેળવવો, ખોરાક વિશે શું કાળજી લેવી (ચટાકા ન રાખવા). શરીર સાથ આપે ત્યાં સુધી પોતાનું કામ પોતે કરવું, વાતો કરી આનંદ મેળવો. પરંતુ ટીકાખોર ન બનો. વ્યસનથી દૂર રહો તથા કુટુંબની આર્થિ‌ક સ્થિતિને અનુકૂળ બનો વગેરે બાબતો કહી છે. આ બધી બાબતો વૃદ્ધોએ પોતાની જીવનશૈલી કઇ રીતે બદલાવી તે અંગે ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું છે.’


vidyutj@gmail.com

========================================

સૌજન્ય-આભાર. શ્રી વિદ્યુત જોશી ….. દિવ્ય ભાસ્કર  

===========================

ઘરડા માણસોને અનુલક્ષીને  લખાયેલ શ્રી હરનીશ જાનીની એક રમુજી કાવ્ય રચના .

જાણીતા હાસ્ય લેખક શ્રી હરનીશ જાની અને હાસ્ય દરબારના આભાર સાથે નીચે પ્રસ્તુત છે તમને

માણવી ગમે એવી ઘરડા માણસોની પરિસ્થિતિનું આબાદ  ચિત્ર રજુ કરતી એક કાવ્ય રચના .(હઝલ !)

ગોલ્ડન એઈજ – હરનિશ જાની

ઉમ્મર વધે, શરીર કળે. એમ પણ બને.
મનમાં તોય જુવાની ફુટે, એમ પણ બને.

વાંદરો જેટલો ઘરડો, ગુલાંટ તેટલી મોટી,
બુઢ્ઢો ભોંયે પછડાય, એમ પણ બને.

બરબાદ કરી જવાની જેની પાછળ, સામી મળે
‘કેમ છો, બહેન?’ પુછાય, એમ પણ બને.

કરવટેં બદલતે રહે, સારી રાત ભર,
પ્રેમ નહીં; પેટમાં ગેસ હોય, એમ પણ બને. ’

હીયરીંગ એઈડ વાપરો છો?’ ના આપણને ન મળે
‘ ફીયરીંગ એઈડ?’ સંભળાય, એમ પણ બને.

નવાઈની વાત પડોશણ કરતાં પત્ની રુપાળી લાગે
ચશ્માં ન પહેર્યાં હોય, એમ પણ બને.

’ ઓલ્ડ એઈજ ઈઝ ગોલ્ડન‘ કહેનારને મારવા
હાથેય ન ઉંચકાય, એમ પણ બને.

– હરનિશ જાની

હરનીશભાઈનો  પરીચય વાંચવા અહીં ‘ક્લીક’ કરો. 

————————————————-

સૌજન્ય /આભાર ..શ્રી હરનીશ જાની અને હાસ્ય દરબાર

પ્રેમનો-મહિમા-ગાતા-રહેવુ …..ગઝલ ..આસિમ રાંદેરી

રંગીન ગઝલકાર તરીકે ખ્યાતિ પામેલા, સદાબહાર, દિલથી હંમેશા યુવાન રહેતા,

રોમૅન્ટિક અને રંગીન મિજાજના ગઝલકાર આસિમ

સાહેબને ચાલો આજે યાદ કરીએ. એમને સાંભળીએ. 

તેઓ જીવનભર તેમની ગઝલ લીલામાં યુવાન હૈયાઓને તરબોળ કરતા રહ્યા.

૧૦૪ વર્ષની ઊંમરે ૦૫-૦૨-૨૦૦૯ ના રોજ રાંદેર, સુરત મુકામે એમણે એમની “લીલા”

સંકેલી લીધી હતી  . 

નીચેના વિડીયોમાં વયોવૃદ્ધ આસિમ રાંદેરીને એમના જ મુખે એમની ગઝલ સાંભળો . 

પ્રેમનો મહિમા ગાતા રહેવું જ્યાં લગી “આસિમ” શ્વાસના અટકે …

ગઝલ ..અને  કાવ્ય પઠન …આસિમ રાંદેરી

પ્રેમનો મહિમા ગાતા રહેવું જ્યાં લગી “આસિમ” શ્વાસના અટકે …ગઝલ ..આસિમ રાંદેરી

રૂપ સિતમથી લેશ ના અટકે

પ્રેમ ભલેને માથુ પટકે

પ્રેમ નગરના ન્યાય નિરાળા

નિર્દોષો પણ ફાંસી લટકે

બચપણ, યૌવન, વૃદ્ધાવસ્થા

જીવન પણ છે કટકે કટકે

એ જ મુસાફર જગમાં સાચો

જેની પાછળ મંઝિલ ભટકે

દીપ પતંગને કોઈ ના રોકે

પ્રીત અમારી સહુને ખટકે

રૂપના ફંદા ડગલે ડગલે

દિલ-પંખેરુ ક્યાંથી છટકે

નજરોના આવેશને રોકો

તૂટી જશે દિલ એક જ ઝટકે

નજરોના આવેશને રોકો

તૂટી જશે દિલ એક જ ઝટકે

ઊંઘ અમારી વેરણ થઈ છે

નેણ અભાગી ક્યાંથી મટકે

એ ઝૂલ્ફો ને એના જાદૂ

એક એક લટમાં સો દિલ અટકે

એની ઝુલ્ફો માનસરોવર

મોતી ટપકે જ્યારે ઝટકે

પ્રેમનો મહિમા ગાતા રહેવું

જ્યાં લગી “આસિમ” શ્વાસના અટકે

મુઝ પર હજી યે મારો ખુદા મહેરબાન છે

છે એ જ રંગ, એ જ છટા, એ જ શાન છે

 

સૌજન્ય-આભાર –  શ્રી કિશોર પટેલ ..શબ્દ  સેતુ , ટોરંટો ,કેનેડા

(392) બ્લોગ ભ્રમણની વાટે …વિનોદ વિહારનો પરિચય….મૌલિકા દેરાસરી

આ બ્લોગની કોલમમાં જેનો લોગો મુક્યો છે એ ગરવી ગુજરાતી ભાષાના જાણીતા અને માનીતા બ્લોગ

વેબ ગુર્જરીની તારીખ 5મી જુલાઈ 2013ની પોસ્ટમાં એની બ્લોગ ભ્રમણની વાટે શ્રેણીની આ લીંક ઉપર

 મૌલીકાબેન દેરાસરીએ ત્રણ બ્લોગ નમ્બર 36,37 અને 38  નો આ બ્લોગોનો વિશદ  અભ્યાસ

કર્યા પછી એમની આગવી રસિક શૈલીમાં પરિચય કરાવ્યો છે  .

આમાં બ્લોગ નંબર ૩૭માં વિનોદ વિહારનો પરિચય છે એને વેબ ગુર્જરી અને મૌલીકાબેનના આભાર

સાથે આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત છે .

 મનરંગી બ્લોગના બ્લોગર સૌ. મૌલીકાબેન દેરાસરી વિનોદ વિહાર બ્લોગને વેબ ગુર્જરી  પર અને

એમના બ્લોગમાં પણ  કેવી રીતે વર્ણવે છે ,  એને નીચે વાંચશો .

વિનોદ પટેલ

_______________________

વેબ ગુર્જરી …બ્લોગ ભ્રમણની વાટે …..37.. વિનોદ વિહાર ….  મૌલીકાબેન દેરાસરી 

મૌલિકા દેરાસરી
મૌલિકા દેરાસરી

ચાલો હવે મારી સાથે ગુજરાતી ગદ્ય અને પદ્યસર્જનની ઑનલાઈન આનંદ યાત્રાએ…

મને શું શું ગમે ? આ પ્રશ્નના જવાબમાં તો આપણે મોઓઓ..ટ્ટુ લિસ્ટ બનાવીએ એમ છે..!!

પણ અત્યારે તો એ જોઈએ કે આ બ્લૉગ-ભ્રાતા શું કહે છે.

તેઓ કહે છે કે,

એક સૂરજ થવાનાં નથી મને કોઈ શમણાં..

માટીના મારા કોડિયામાં તેલ-વાટ પેટાવી

અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે.

સાહિત્યસાગરમાં ઊંડેથી મોતીઓ ખોજીને

મનગમતાં મોતીઓનો ગુલાલ ઉડાડીને

આનંદથી ઝૂમતા હોળૈયા થવાનું મને ગમે…

બોલો હવે… આ હોળૈયાના રંગે રંગાવું આપણનેય ગમે કે નહીં?

સપ્ટેમ્બર-૨૦૧૧થી આ બ્લૉગ પર એમણે ખોજેલાં મોતી પથરાયેલાં છે ઠેર ઠેર…

બોધકથા વાંચો કે પ્રેરણાદાયી લેખોનાં પત્તાંઓ ફેરવો.

ચિંતનલેખો વાંચીને મનન કરવા માંગતા હો તોય અહીં મોકળાશ મળશે.

હાસ્ય યાત્રા’માં  હાસ્ય-કટાક્ષ રચનાઓ વાંચી ફેફસાંઓને કાર્યક્ષમ બનાવો.

વાર્તાઓમાં રસ છે તો એનો આસ્વાદ કરો કે પછી મનસ્પર્શી સુવાક્યોને આંખો દ્વારા હૃદય સુધી પહોંચાડો.

જેમ કે મને સ્પર્શી ગયેલું આ વાક્યઃ

“જિદગીમાં એવું કશું જ મુશ્કેલ નથી હોતું જે આપણે વિચારવાની હિંમત ના કરી શકીએ. હકીકતમાં આપણે કશુંક જુદું જ કરવાનું વિચારવાની હિંમત નથી કરી શકતા.”

તો ચાલો આજે જ તક છે કંઈક જુદું જ વિચારીને એને અમલમાં મૂકવાની હિંમત કેળવવાની.

અહીં સ્વરચિત રચનાગાર તો છે જ અને સાથે સાથે કોઈ ગમી ગયેલા લેખોને પણ

વાચકો સાથે વહેંચ્યા છે.

વિનોદ વિહાર

અમેરિકામાં ગઈ ૨૨મી નવેમ્બરનો દિવસ થેન્ક્સ ગિવિંગ દિવસ અર્થાત આભાર પ્રગટ દિવસ તરીકે ઉજવાયો. એ દિવસ વિષે લખતાં એમણે જણાવ્યું છે કે, આ દિવસે વ્યક્તિઓનો આભાર તો માનીએ પણ પરમાત્માએ આપણને આપેલ અગણિત ભેટો માટે એનો આદરથી આભાર માનવામાંથી આપણે ચૂક્યા તો નથી ને?

આ થેન્ક્સ ગિવિંગ દિવસની ભાવનાઓને અનુરૂપ એમણે એક અંગ્રેજી લેખનો ભાવાનુવાદ કરેલ છે, જે વિચારવા અને અમલમાં પણ મૂકવા લાયક છે

એમાંથી એક ઝલકઃ

પ્રભુનો આભાર માનો કે તમારામાં હજુ કેટલીક મર્યાદાઓ રહી ગઈ છે, કેમ કે આવી મર્યાદાઓ જ તમને તમારી જાતમાં જરૂરી સુધારો કરવાની તકો પૂરી પાડે છે.”

 (આ આખી પોસ્ટ અહીં ક્લિક કરીને વાંચો )

વિચારમાં પડી જવાયું ને?

એક પરિચય’ વિભાગમાં એમણે કૅપ્ટન નરેન્દ્રભાઈ ફણસે ( જિપ્સી ), ડૉ. ચંદ્રવદનભાઈ મિસ્ત્રી, પી.કે.દાવડા, પ્રવીણ શાસ્ત્રી, ચીમન પટેલ ‘ચમન’ વ.નો અંગત રીતે લાગણી સભર પરિચય કરાવ્યો છે. જે વાંચીને આપણે એ વ્યક્તિથી અજ્ઞાત હોઈએ તોય વ્યક્તિ પોતીકી લાગે.

આ બ્લૉગ રચયિતાના નામની ઓળખાણ છે, વિનોદભાઈ રેવાભાઈ પટેલ, જેમનું મૂળ વતન મહેસાણાના કડી તાલુકાનું ડાન્ગરવા ગામ છે અને હાલ તેઓ નિવાસી છે સાન ડિયાગો, કેલીફોર્નિયાના.

ભારતમાં તેઓ હાઈસ્કૂલમાં હતાં ત્યારથી જ તેમને ગુજરાતી સાહિત્યમાં રસ અને ગુજરાતી વાચન અને લેખનનો શોખ હતો જે એમને જીવનસંધ્યાના સોનેરી દિવસોમાં સમય સારી રીતે પસાર કરવામાં બહુ કામ લાગી રહ્યો છે.

અમદાવાદના ધરતી માસિકમાં અને ન્યુયોર્કથી પ્રગટ થતા વિકલી ગુજરાત ટાઇમ્સમાં અને અન્યત્ર પણ એમનાં લેખો, કાવ્યો ઘણાં વર્ષોથી પ્રકાશિત થાય છે.

આ ઉપરાંત કોઈ જગ્યાએ હજુ મોકલાઈ ન હોય એવી પુષ્કળ હસ્તલિખિત સ્વરચિત સામગ્રી અને મનગમતાં સુવાક્યો, અવતરણો વગેરેથી એમની નોટબૂકો ભરેલી પડી છે.

એટલે આપણેય આશા રાખીએ કે એમની પાસેથી હજુ આપણને પુષ્કળ જાણવાનું મળતું રહેશે.

વિનોદ વિહાર એમના બ્લૉગનું નામ છે જેનો અર્થ થાય છેઃ ‘A Pleasure trip’.

તો વિનોદભાઈની ‘વિનોદયાત્રા’માં સહભાગી થવા માટે કદમ બઢાવીએ …… ǁ૩૭ǁ

વિનોદભાઈની જ એક ખૂબસૂરત વાત સાથે…

સુખનાં ગુલાબો હંમેશાં મુસીબતોના કાંટાઓ વચ્ચે જ ખીલતાં હોય છે. કાંટાઓથી ગભરાયા વગર ગુલાબની સુંદરતા અને સુગંધને માણતા રહો અને આનંદપૂર્વક જીવનના રાહમાં આગળ ધપતા રહો.”

( આ આખો લેખ અહીં ક્લિક કરીને વાંચો  )

________________________________________

આ પોસ્ટનું સમાપન કરતાં મનમાં સ્ફુરેલ એક મારી તાજી  જ રચના

Butterfly-2

 

હું એક પતંગિયું !

એક રંગ બેરંગી મન રંગી ઉડતું પતગીયું છું હું

પાંખોમાં મેઘ ધનુષ્યના રંગો લઈને ઉડું છું હું 

ભર્યા બાગ જંગલોમાં મુક્ત વિહાર કરું છું હું  

સુંદર ફૂલો ઉપર બેસી રોજ રસપાન કરું છું હું

રસિકજનોને પ્રેમથી એ રસ પીરસી આનંદુ છું હું

વિનોદ વિહારની મારી યાત્રાને ગમતી કરું છું હું !

વિનોદ પટેલ

Butterfly on Flowers

મિત્રો ,

વિનોદ વિહારમાં પોસ્ટ થયેલા આજસુધીના લેખોની અનુક્રમણિકાની

આ લીંક ઉપર ક્લિક કરીને નજર ફેરવીને

આપને ગમતો લેખ વાંચો  .

આપનો આભાર ..