વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: નિબંધ

( 759 ) આંસુ સુકાયા પછી મળે એ “સંબંધ”, ને…આંસુ આવે એ પહેલાં મળે એ સાચો મિત્ર

“Anybody can sympathise with the sufferings of a friend, but it requires a very fine nature to sympathise with a friend’s success.”-Oscar Wild

“Friendship is unnecessary, like philosophy, like art… It has no survival value; rather is one of those things that give value to survival. “- C. S. Lewis

આજે ઓગસ્ટ ૨, ૨૦૧૫ એ Friendship Day – મૈત્રી દિવસ છે એની યાદ એક મિત્રે જ મને આજે સવારે કરાવી દીધી.

ઓગસ્ટ મહિનો એ “ફ્રેન્ડશીપ” નો મહિનો ગણાય છે. સને ૧૯૩૫થી કોન્ગ્રેસમાં પસાર થયેલ ઠરાવ પ્રમાણે દર વર્ષે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર અમેરિકામાં Friendship Day તરીકે મનાવવામાં આવે છે.

માણસની જીવન યાત્રાના ભિન્ન ભિન્ન તબક્કે મિત્રો આવી મળતા હોય છે. કેટલાક મિત્રોની મૈત્રી સવારના ઝાકળની જેમ કામ ચલાઉ હોઈ થોડા સમયમાં અલોપ થઇ જાય છે જ્યારે ઘણા મિત્રો જીવન ભર માટે કાયમી મિત્રો બની રહે છે.

સાચી મૈત્રી હંમેશાં સરખા સ્વભાવ અને સરખાં સુખ દુખ તેમ જ સરખી વિચારસરણી ધરાવનારી વ્યક્તિઓ સાથે ટકતી હોય છે. બે શરીર સાથે એક મન જ્યારે મળી જાય છે ત્યારે એમાંથી મૈત્રીનું રસાયણ નીપજતું હોય છે.

જેમને જોઈ,મળી, વાંચી તથા સાંભળીને છાતી ઠરે એવા આંગળીઓના વેઢે ગણી શકાય એવા ઘણા મિત્રો મને જીવનના વિવિધ તબક્કે આવી મળ્યા છે જેમણે આજીવન મૈત્રી નિભાવી જાણી છે.આવા મિત્રો ફટકિયા મોતી નહી પણ સાચા મોતી- REAL GEM-સમા છે.જીવનની શોભા આવા મિત્રો થકી જ થાય છે.મૈત્રી એ તો ઈશ્વરે માનવીને દીધેલી શ્રેષ્ઠતમ બક્ષીસ છે.

કહે છે ને કે-

મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,

સુખમાં પાછળ જે રહે, દુઃખમાં આગળ હોય.

સજ્જન-મિલાપી બહોત હૈ , તાલી મિત્ર અનેક,

જો દેખી છાતી ઠરે, સો લાખનમેં એક.

krishna-sudama -1

કૃષ્ણ -સુદામાની મૈત્રી એ મૈત્રીની એક મિશાલ છે.

ઘણા લાંબા સમય પછી એમના સાંદીપની આશ્રમ વખતના મિત્ર અને દ્વાકાધીશ કૃષ્ણને માટે ભેટ તરીકે તાંદુલની પોટલી લઈને કંગાળ

હાલતમાં પત્નીના દોરવાયા મદદ માટે એમને મળવા જાય છે.મિત્રને જોઈ હરખ ઘેલા બનીને શ્રી કૃષ્ણ એમને ભેટી પડે છે. પ્રેમથી આદર સત્કાર કરે છે એટલું જ નહિ એમના પગ જાતે ધોઈને એમને ઉચા આસને બેસાડે છે.

કૃષ્ણ અને સુદામાનીં આદર્શ મૈત્રી કથા આ ચિત્ર પર ક્લિક કરી વાંચો.

krishna-sudama-2

એક મૈત્રી હાઈકુ 

કૃષ્ણ સુદામા 

જેવી મૈત્રી હવે તો

ભાગ્યે જ મળે ! 

મૈત્રી અંગેના નીચેના સુંદર સુવિચાર અને અવતરણોમાં મૈત્રીનો મહિમા જ્ઞાત અને અજ્ઞાત કવીઓ/લેખકોએ ગાયો છે એ મનનીય છે.

દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા

સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?

ચિનુ મોદી ‘ઈર્શાદ’

મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુ:ખનો ભાગાકાર છે.

મિત્રના મૃત્યુ કરતા મૈત્રીનું મૃત્યુ વધારે અસહ્ય હોય છે.

મિત્રતા એવો છોડ છે જેને હંમેશા પ્રેમરૂપી પાણીથી સીંચવો પડે છે.

સફળતા, ઉપયોગીતા અને સુખ નો આધાર ઘણે

અંશે મિત્રોની સંખ્યા અને પ્રકાર ઉપર રહેલો છે.

તમારા મિત્રની ભૂલો તેને એકાંતમાં બતાવો

પણ તેના વખાણ તો જાહેરમાં જ કરજો.

હું જ્યારે કડી સર્વ વિદ્યાલયમાં હાઈસ્કુલમાં અભ્યાસ કરતો હતો એ વખતથી થયેલ ઘાઢ મૈત્રીને આજે ૮૦ વર્ષની ઉમર સુધી નિભાવી,સાચવી અને વધારી રહેલ શિકાગો નિવાસી મારા મિત્ર દિનેશ સરૈયાએ નીચેનાં મૈત્રી અંગેનાં અવતરણો એમના એક ઈ-મેલમાં મને એક વાર મોકલી આપ્યાં હતાં એ શ્રી સરૈયાના આભાર સાથે નીચે  રજુ કરું છું.અગાઉ વિનોદ વિહારની એક પોસ્ટમાં પણ એ રજુ કરેલ એને આજે મૈત્રી દિને દોહરાવું છું.

વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,

અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો,

પણ તમારા દોસ્તોની યાદીમાં,

એક નામ અમારું પણ રાખજો !

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,

કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે,

લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,

‘કોઈકના’ પગલાં કાયમ માટે યાદ રહી જાયછે!

ઝીંદગી મળવી એ નસીબની વાત છે

મોત મળવું એ સમયની વાતછે

પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રહેવું

એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.

પાનખરમાં વસંત થવું મને ગમે છે,

યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,

આંખ ભીની તો કાયમ રહે છે,

તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

મોકલું છું મીઠી યાદ

ક્યાંક સાચવી રાખજો,

મિત્રો હમેશા અમૂલ્ય છે એ યાદ રાખજો.

તડકામાં છાંયો

ના લાવી શકે તો કંઈ નહિ,

ખુલા પગે મિત્ર તમારી સાથે જ ચાલશે

એ યાદ રાખજો.

જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,

જે નામંજુર હોય તે જ કરવું પડેછે,

રોવાનો અધિકાર પણ

નથી આપતું આ જગત,

ક્યારેક લોકોને બતાવવા માટે

હસવું પણ પડે છે. . .

આંસુ સુકાયા પછી જે મળવા આવે… એ “સંબંધછે”, ને…આંસુ પહેલાં મળવા આવે…એ મિત્ર છે.મુશ્કેલીમાં જ સાચા મિત્રની ખરી કસોટી થાય છે .હીરો સંઘાડે ચડે, તો જ એની ચમક પરખાય છે .

અંતમાં, એક માનવ -માનવ વચ્ચે જ મૈત્રી થાય છે એવું ઓછું છે.એક પ્રાણી પણ માનવીનો મિત્ર બની શકે છે ,આ ચિત્રોમાં બતાવ્યું છે એમ ….. 

Also see this video ….

Unbelievable Unlikely Animal Friendships Compilation

https://youtu.be/mrudR-kIB1k

આજના મૈત્રી દિવસે સૌ મિત્રોને અભિનંદન અને

હાર્દિક શુભ કામનાઓ 

( 529 ) સુખ દુખ મનમાં ના આણીએ …(ચિંતન લેખ )…લેખક-વિનોદ પટેલ

ચિંતાઓને હટાવો …..સુખ તમારી ભીતરમાં છે ……

એક ફેસ બુક મિત્રના પેજ ઉપર નીચેનું ચિત્ર જોવામાં આવ્યું.

Sukh inside you

 આ ચિત્રમાં અંગ્રેજીમાં જે સુંદર સંદેશ છે એનો ગુજરાતી અનુવાદ આ છે .

એક મૂર્તિ ઘડનાર શિલ્પકારને એક માણસે પૂછ્યું  ““ એક પત્થરમાંથી તું આટલી સુંદર મૂર્તિઓનું સર્જન કેવી રીતે કરી શકે છે ?”

શિલ્પકારે જવાબ આપ્યો :” અરે ભાઈ , આ મૂર્તિઓ અને એના આકાર આ પત્થરમાં  પહેલેથી છુપાએલા જ હોય છે .  હું તો માત્ર જરૂર વગરના પથ્થરના જે ભાગ હોય છે એને મારા ટાંકણાની મદદથી હટાવી દુર કરું છું અને મૂર્તિ દેખાઈ આવે છે .”

બોધપાઠ : તમારું સુખ કઈ બહાર નહીં પણ તમારી અંદર જ છુપાયું હોય છે .ફક્ત તમારી ચિંતાઓને હટાવી દુર કરો એટલે તમારામાં છુપાએલા સુખનાં તમને દર્શન થશે .”

જો સુખી થવું હોય તો ચિંતાઓની ચકલી તમારા મસ્તિષ્કમાં માળો બાંધે એ પહેલાં એને ઉડાડી દો .

એક પ્રાચીન દુહામાં પણ કહ્યું છે ….

ફિકર સબકો ખાઈ ગઈ , ફિકર સબકા પીર

ફીકરકી જો ફાકી કરે , ઉનકા હી નામ ફકીર  

ભૂતકાળ વિશેનો અયોગ્ય અફસોસ અને ભવિષ્ય માટેની બિન જરૂરી ચિંતાઓને લીધે માણસ પાસે વર્તમાનની જે મુલ્યવાન ક્ષણોની પુંજી પડેલી છે એનો સદુપયોગ અને ઉપભોગ કરી સુખી થઇ શકતો નથી .સુખ માટેની ચિંતા જ દુખ પેદા કરતી હોય છે. દુલા કાગ કહે છે માણસો સુખી થવા હારું દખી થતા હોય છે.

સુખ અને દુખ … જીવનના સિક્કાની બે બાજુ છે .

સંસ્કૃતમાં એક વાક્ય છે “ ચક્રવત પરીવર્તનતે દુખાની ચ સુખા ની ચ “ એટલે દુખ અને સુખનું ચક્ર હમ્મેશાં ફરતું રહે છે. જીવનના ચગડોળમાં આપણે સૌ બેઠાં છીએ , એમાં મોજ પણ છે અને પડવાની બીક પણ છે.સુખ અને દુખ એ કાયમી સ્થિતિ નથી .

મારા એક કાવ્યમાં મેં લખ્યું છે …

સુખી થયા , ગર્વ ના કરો, સુખ કઈ કાયમી નથી.

દુખી થયા , દુખ ના કરો, દુખ પણ કાયમી નથી. 

માણસની જિંદગીની શરૂઆત દુખ- માતાની પ્રસુતિ પીડા અને બાળકની નાડ કાપવાના દુઃખથી જ શરુ થાય છે .બાળકનો જન્મ થતાંની થોડી ક્ષણોમાં જ માતા દુખ ભૂલી જાય છે અને એક પુત્ર રત્ન યા કન્યા રત્ન પ્રાપ્તિનું અનહદ સુખ અનુભવે છે .

કભી ખુશી અને કભી ગમથી ભરેલી છે સૌની જિંદગી .

જીવનમાં સુખ અન શાંતિ કોને નથી ખપતી .પ્રત્યેક માણસ સુખી થવાના પ્રયત્નોમાં વ્યસ્ત રહેતો હોય છે.સુખ મળે એ  માટે તો હજારો માઈલોની દુરી કાપીને સૌ  “સુખ નામના દેશ ,અમેરિકા “માં આવીને વસ્યાં છે.માણસની સુખ મેળવવા પાછળની ઉંદર દોડ કદી અટકવાની નથી. માણસની જીવન દોડ સુખ મેળવવા પાછળની જ હોય છે પરંતુ રસ્તામાં દુખોનો પણ ભેટો થઇ જતો હોય છે .

સુખ આજે માર્કેટેબલ કોમોડીટી થઇ ગયું છે. સુખના બજારમાં  હેપ્પીનેસ વેચનારાઓ ઠેર ઠેર હાટડી લઈને બેસી ગયાછે.થોમસ મર્ટન ચેતવે છે કે ‘જો આપણે રેડીમેઈડ સુખ વેચનારાની દયા ઉપર જીવશું તો પછી કદી જ સંતોષી બનવાના નથી,”

વૈજ્ઞાનિકોએ જગતના સુખી માણસની શોધ કરવા માટે આધુનિક ટેકનોલોજીની મદદથી પ્રયત્ન પણ કર્યો છે . આ પ્રયોગો બાદ વિજ્ઞાનીઓએ એક બુદ્ધ ભિખ્ખુ મેથ્યુ રિચર્ડને  ‘હેપીએસ્ટ મેન ઓન અર્થ’ નો ખિતાબ આપ્યો હતો. વિનોદ વિહારની પોસ્ટમેથ્યુ રિચર્ડ ,‘હેપીએસ્ટ મેન ઓન અર્થ’ અને એની સુખ અંગેની ફિલસુફી” માં આ વિષે વધુ વાંચો.

જગતના આ સૌથી સુખી માણસને આ વિડીયોમાં બોલતા પણ સાંભળો .

સંતોષી જીવ સદા સુખી

સુખ કોને કહેવું એ સમજવું સહેલું નથી. દરેક માણસની સુખની વ્યાખ્યા જુદી જુદી હોય છે . સુખ અને દુખ એ મનની કલ્પનામાં રહેલાં છે.બાહ્ય દ્રષ્ટીએ અઢળક ધનમાં રાચતા માણસો સુખી છે એમ માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી.વિપુલ સમૃદ્ધિ હોવા છતાં માણસ વધુ સમૃદ્ધિ મેળવવા માટે મનથી સતત ચિંતાતુર અને આકુળ  વ્યાકુળ રહેતો હોય છે.આકાંક્ષાઓ કોઈની કદી પૂરી થતી નથી હોતી.એક ઈચ્છાની પૂર્તિ થતાં  જ તત્કાળ  બીજી નવી ઈચ્છાઓ ઉત્પન્ન થઇ જાય છે.સાચું સુખ ઇચ્છાઓની પૂર્તિમાં નથી .ધનના ઢગલા વચ્ચે જીવનારને નરમ મુલાયમ પથારીમાં પણ સુવાનું સુખ નથી તો એક ગરીબ માણસ સડક ઉપર પણ ઘસઘસાટ ઊંઘી શકે છે . પૈસાથી સુખ ખરીદી નથી શકાતું .સુખ અને દુખ એક રીલેટીવ ટર્મ છે.

દરેક મનુષ્યની સુખ મેળવવાની રીતો જુદી જુદી હોય છે.કોઈને મન ધન પ્રાપ્તિ એ સુખ છે જ્યારે કોઈ સ્વાસ્થ્યને ખરું સુખ માને છે .પહેલું સુખ તે જાતે નર્યા.ખરેખર તો સાચું સુખ પામવા માટે શરીર અને મન બન્ને દુરસ્ત હોવાં જોઈએ.શરીરની તંદુરસ્તી સાથે મનની દુરસ્તી પણ એટલી જ જરૂરી છે.મન ચંગા તો ક્થરોટમેં ગંગા.

સુખી માણસના  પહેરણની કથા

સુખી માણસનું પહેરણ એ નામની જાણીતી કથામાં એક રાજા પાસે બધી જાતનું સુખ હોવા છતાં મનમાં એને ચેન નથી .રાજા વૈદ્યને બોલાવી એનો ઈલાજ કરવા ફરમાવે છે. વૈદ્ય હોંશિયાર છે .રાજાને કહે છે રાજન તમે કોઈ સુખી માણસનું પહેરણ પહેરીને એક રાત સુઈ જાઓ તો આપનું દર્દ દુર થાય. રાજા એના માણસોને સુખી માણસનું પહેરણ લઇ આવવા હુકમ કરે છે. બધે ફરી વળવા છતાં કોઈ ખરેખર સુખી હોય એવો માણસ મળતો નથી .છેવટે એક અર્ધનગ્ન ફકીર જેવો લાગતો ગરીબ માણસ એક ઝાડ નીચે આનંદથી નાચતો અને કૂદતો નજરે પડે છે . રાજાના માણસો પૂછે છે કે તું આમ નાચે છે તો બહુ સુખી લાગે છે .તારું પહેરણ રાજાને જોઈએ છે . પેલો ગરીબ માણસ કહે છે હા હું સુખી છું ,રાજાનું દુખ દુર થતું હોય તો મારું પહેરણ આપવા હું રાજી છું પરંતુ મારી પાસે પહેરવા માટે કોઈ પહેરણ જ નથી. રાજાને ખબર આપવામાં આવે છે કે એક સુખી માણસ છે પણ એની પાસે પહેરવા માટે પહેરણ નથી એટલે પહેરણ લાવી નથી શક્યા. રાજાની આંખ ખુલી જાય છે કે હું મારી  અઢળક સમૃદ્ધિ વચ્ચે દુખી છું અને જેની પાસે પહેરવા પહેરણ પણ નથી એ ગરીબ માણસ કેવો સુખી છે ! ગૌતમ બુદ્ધની કિસા ગોતમીની કથા પણ આ જ મતલબની વાત કહે છે .આ બે ઉદાહરણો એ વાતની પુષ્ટિ કરે છે કે સુખ અને દુખ માણસની માનસિક સ્થિતિનું જ સર્જન છે .

ગ્રીક ફિલસૂફ સોક્રેટીસ નું એક સરસ અવતરણ છે .

“જો દરેક માણસના દુખો અને દુર્ભાગ્યોનાં પોટલાં  બાંધીને તેનો ઢગલો કરવામાં આવે અને પછી તેમાંથી સહુને દુખ સરખે ભાગે વહેંચી લેવાનાં હોય તો મોટા ભાગના લોકો પોતાનું અસલ પોટલું ઉપાડીને ચાલતા થવાના .”

દરેક માણસને બીજાની થાળીમાં પડેલો સુખનો લાડુ મોટો દેખાય છે.સરખામણી કરવાથી જ દુખ ઉપજે છે . નકારાત્મક વલણ ધરાવનાર માણસોને જ્યાં અંધકાર દેખાય છે ત્યાં સકારાત્મક માણસને પ્રકાશની લકીર દેખાય છે .નકારાત્મક માણસ કહેશે કે આ જિંદગી તો ચાર દિનની ચાંદની છે , તો સકારાત્મક માણસ કહેશે ચાર દિનની ભલે હોય તો પણ ચાંદની તો છે ને ! માનીએ તો સુખ છે અને ન માનીએ તો દુખ છે . સુખ અને દુઃખનું કારણ મનુષ્યનું આ મરકટ જેવું મન છે જે કદી સ્થિર રહેતું નથી .માણસના મનની કામનાઓ માણસને દુખી બનાવે છે . સુખ એ એક જાતનો મનનો વ્યાપાર છે. એક સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે એમ માણસ ના બંધન અને મોક્ષ નું કારણ આપણું આ મન જ છે.

સાચું સુખ એ આત્માનું-આધ્યાત્મિક-સુખ છે 

સુખદુખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં ,

 ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.

–નરસિંહ મહેતા.

ઉપર લેખની શરૂઆતમાં કહ્યું એમ સુખ આપણા અંતર મનમાં છુપાયું હોવા છતાં પેલા સુવર્ણ મૃગ ની જેમ એને શોધવા આપણે બહાર નાહક મથીએ છીએ . સુગંધ પામવા માટે વન ખુંદી વળતા સુવર્ણ મૃગને ખબર નથી કે સુગંધ તો એની નાભિમાં જ છે .

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં

મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય

ને એ જ હોય પગની તળે એમ પણ બને

– મનોજ ખંડેરિયા

સરખામણી કરવાથી દુખ જન્મે છે.આપણે પરોન્મુખી દ્રષ્ટિ છોડી અંતરમાં ઝાંખી કરી ,આંતર યાત્રા કરી,આત્માનું ખરું સુખ પામવાનું છે.પોતાના માટે તો સહુ કરે પણ બીજા માટે કઈક કરી છૂટવાની ભાવનામાં જે સંતોષ,સુખ અને આનંદ મળે છે એ અનેરો હોય છે.પૂજ્ય રવિશંકર મહારાજના કથન પ્રમાણે ઘસાઈને ઉજળા થવાની ભાવનામાં જે સુખ છે એ સ્વાર્થી જીવન ચર્યામાં નથી.ગમશે,ચાલશે,ફાવશે,ભાવશે ,દોડશે જેવા હકારાત્મક વલણ અને સંતોષી જીવન એ સાચું સુખ પામવાની ચાવી છે.સંતોષી નર સદા સુખી એમ જે કહેવાય છે એ ખોટું નથી.સંત કબીરનો એક સરસ દુહો છે:

“આધી અરુ સુખી ભલી પુરી સો સન્તાપ.

જો ચાહેગા ચુપડી, બહુત કરેગા પાપ “- કબીર

એનો અર્થ એ છે કે “અરે ભગવાન,મને અડધી રોટી જ આપ,આખી રોટી નાહકની પીડા પેદા કરશે. જો ઘી ચોપડેલી રોટી ચાહીશ, તો ઘણાં પાપ કરતો થઈ જઇશ “.

ઈશુ ખ્રીશ્તે કહ્યું છે: ‘પ્રભુને ચાહો. અને બાકીનું બીજું તમને મળી રેહશે.’જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં જો મનમાં સાક્ષીભાવનો અભિગમ રાખીએ તો સુખનો અનુભવ કરી શકાય છે .સુખનાં પુષ્પો મુશીબતોનાં કાંટાઓ વચ્ચે જ ખીલતાં હોય છે .સુખનું મૂળ સંતોષમાં છે .અસંતોષમાંથી જ દુખ જન્મે છે .ગીતામાં વર્ણવેલી સ્થિતપ્રજ્ઞતા અને સુખ કે દુઃખમાં સાક્ષીભાવ એ સુખી થવાની ચાવી છે .સુખ મેળવવું સહેલું નથી .એના માટે મથવું પડે છે . પત્થરમાંથી મૂર્તિ ઘડનાર શિલ્પીની જેમ એનું સર્જન કરવું પડે છે.   

જીવનમાં સાચું સુખ કોને કહેવું એ એક મનોવૈજ્ઞાનિક કોયડો છે.આમ છતાં મારા નમ્ર મત પ્રમાણે જે કાર્ય કર્યા પછી આપણો માંયલો, આપણો અંતરાત્મા,આપણું આખું ચૈતન્ય પુલકિત થઇ ઉઠે એજ સાચું આધ્યાત્મિક સુખ.

વિનોદ પટેલ

Buddha- and I

 

( 496 ) ભારતના રાષ્ટ્રગીત જન ગણ મન … અને વંદે માતરમ …નો ઈતિહાસ અને વિવાદ… ( એક સંકલિત હિન્દી લેખ )

 

વિનોદ વિહારના નિયમિત વાચક અને સ્નેહી મિત્ર શ્રી અશ્વિનભાઈ એમ. પટેલ ના ઈ-મેઈલમાં આપણી રાષ્ટ્રભાષા

હિન્દી ભાષામાં ભારતના રાષ્ટ્રગીત જન ગણ મન અધિનાયક ના ઇતિહાસની કહાની કહેતો લેખ મળ્યો .

આ લેખમાં જણાવેલી વિગતો સ્વતંત્ર ભારતના ઇતિહાસનો એક ભાગ છે જે વાંચવા અને વિચારવા જેવી હોઈ આ

લેખને હિન્દીમાં જ આજની પોસ્ટમાં અશ્વિનભાઈના આભાર સાથે પ્રગટ કરેલ છે .

ઘણાને કદાચ આ ઈતિહાસની વાત વિવાદાસ્પદ પણ લાગે તો નવાઈ નહિ  .

આપણા રાષ્ટ્રગીત અંગેની આ કહાનીમાં શું સત્ય છે અને રાષ્ટ્રગીત -જન ગણ મન … અને વંદે માતરમ

એ બે ગીતોમાંથી કયું હોવું જોઈએ એ વિષયની ચર્ચા કરતા આ હિન્દી લેખ અંગે આપનો અભિપ્રાય શું છે એ

આ પોસ્ટની કોમેન્ટ બોક્સમાં  જરૂર લખશો .

જય હિન્દ ……… વંદે માતરમ

વિનોદ પટેલ

સંપાદક , વિનોદ વિહાર 

======================================

ભારતના રાષ્ટ્રગીત જન ગણ મન … અને વંદે માતરમ  …નો ઈતિહાસ અને વિવાદ…  ( એક હિન્દી લેખ )

jan-gan-manजन गण मन की कहानी ……………………………….​.

सन 1911 तक भारत की राजधानी बंगाल हुआ करता था। सन 1905 में जब बंगाल विभाजन को लेकर अंग्रेजो के खिलाफ बंग-भंग आन्दोलन के विरोध में बंगाल के लोग उठ खड़े हुए तो अंग्रेजो ने अपने आपको बचाने के लिए के कलकत्ता से हटाकर राजधानी को दिल्ली ले गए और 1911 में दिल्ली को राजधानी घोषित कर दिया। पूरे भारत में उस समय लोग विद्रोह से भरे हुए थे तो अंग्रेजो ने अपने इंग्लॅण्ड के राजा को भारत आमंत्रित किया ताकि लोग शांत हो जाये। इंग्लैंड का राजा जोर्ज पंचम 1911 में भारत में आया। रविंद्रनाथ टैगोर पर दबाव बनाया गया कि तुम्हे एक गीत जोर्ज पंचम के स्वागत में लिखना ही होगा।

उस समय टैगोर का परिवार अंग्रेजों के काफी नजदीक हुआ करता था, उनके परिवार के बहुत से लोग ईस्ट इंडिया कंपनी के लिए काम किया करते थे, उनके बड़े भाई अवनींद्र नाथ टैगोर बहुत दिनों तक ईस्ट इंडिया कंपनी के कलकत्ता डिविजन के निदेशक (Director) रहे। उनके परिवार का बहुत पैसा ईस्ट इंडिया कंपनी में लगा हुआ था। और खुद रविन्द्र नाथ टैगोर की बहुत सहानुभूति थी अंग्रेजों के लिए। रविंद्रनाथ टैगोर ने मन से या बेमन से जो गीत लिखा उसके बोल है “जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता”। इस गीत के सारे के सारे शब्दों में अंग्रेजी राजा जोर्ज पंचम का गुणगान है, जिसका अर्थ समझने पर पता लगेगा कि ये तो हकीक़त में ही अंग्रेजो की खुशामद में लिखा गया था।

इस राष्ट्रगान का अर्थ कुछ इस तरह से होता है “भारत के नागरिक, भारत की जनता अपने मन से आपको भारत का भाग्य विधाता समझती है और मानती है। हे अधिनायक (Superhero) तुम्ही भारत के भाग्य विधाता हो। तुम्हारी जय हो ! जय हो ! जय हो ! तुम्हारे भारत आने से सभी प्रान्त पंजाब, सिंध, गुजरात, मराठा मतलब महारास्त्र, द्रविड़ मतलब दक्षिण भारत, उत्कल मतलब उड़ीसा, बंगाल आदि और जितनी भी नदिया जैसे यमुना और गंगा ये सभी हर्षित है, खुश है, प्रसन्न है , तुम्हारा नाम लेकर ही हम जागते है और तुम्हारे नाम का आशीर्वाद चाहते है। तुम्हारी ही हम गाथा गाते है। हे भारत के भाग्य विधाता (सुपर हीरो ) तुम्हारी जय हो जय हो जय हो। “

जोर्ज पंचम भारत आया 1911 में और उसके स्वागत में ये गीत गाया गया। जब वो इंग्लैंड चला गया तो उसने उस जन गण मन का अंग्रेजी में अनुवाद करवाया। क्योंकि जब भारत में उसका इस गीत से स्वागत हुआ था तब उसके समझ में नहीं आया था कि ये गीत क्यों गाया गया और इसका अर्थ क्या है। जब अंग्रेजी अनुवाद उसने सुना तो वह बोला कि इतना सम्मान और इतनी खुशामद तो मेरी आज तक इंग्लॅण्ड में भी किसी ने नहीं की। वह बहुत खुश हुआ। उसने आदेश दिया कि जिसने भी ये गीत उसके (जोर्ज पंचम के) लिए लिखा है उसे इंग्लैंड बुलाया जाये। रविन्द्र नाथ टैगोर इंग्लैंड गए। जोर्ज पंचम उस समय नोबल पुरस्कार समिति का अध्यक्ष भी था।

उसने रविन्द्र नाथ टैगोर को नोबल पुरस्कार से सम्मानित करने का फैसला किया। तो रविन्द्र नाथ टैगोर ने इस नोबल पुरस्कार को लेने से मना कर दिया। क्यों कि गाँधी जी ने बहुत बुरी तरह से रविन्द्रनाथ टेगोर को उनके इस गीत के लिए खूब डांटा था। टैगोर ने कहा की आप मुझे नोबल पुरस्कार देना ही चाहते हैं तो मैंने एक गीतांजलि नामक रचना लिखी है उस पर मुझे दे दो लेकिन इस गीत के नाम पर मत दो और यही प्रचारित किया जाये क़ि मुझे जो नोबेल पुरस्कार दिया गया है वो गीतांजलि नामक रचना के ऊपर दिया गया है। जोर्ज पंचम मान गया और रविन्द्र नाथ टैगोर को सन 1913 में गीतांजलि नामक रचना के ऊपर नोबल पुरस्कार दिया गया।

रविन्द्र नाथ टैगोर की ये सहानुभूति ख़त्म हुई 1919 में जब जलिया वाला कांड हुआ और गाँधी जी ने लगभग गाली की भाषा में उनको पत्र लिखा और कहा क़ि अभी भी तुम्हारी आँखों से अंग्रेजियत का पर्दा नहीं उतरेगा तो कब उतरेगा, तुम अंग्रेजों के इतने चाटुकार कैसे हो गए, तुम इनके इतने समर्थक कैसे हो गए ? फिर गाँधी जी स्वयं रविन्द्र नाथ टैगोर से मिलने गए और बहुत जोर से डाटा कि अभी तक तुम अंग्रेजो की अंध भक्ति में डूबे हुए हो ? तब जाकर रविंद्रनाथ टैगोर की नीद खुली। इस काण्ड का टैगोर ने विरोध किया और नोबल पुरस्कार अंग्रेजी हुकूमत को लौटा दिया। सन 1919 से पहले जितना कुछ भी रविन्द्र नाथ टैगोर ने लिखा वो अंग्रेजी सरकार के पक्ष में था और 1919 के बाद उनके लेख कुछ कुछ अंग्रेजो के खिलाफ होने लगे थे।

रविन्द्र नाथ टेगोर के बहनोई, सुरेन्द्र नाथ बनर्जी लन्दन में रहते थे और ICS ऑफिसर थे। अपने बहनोई को उन्होंने एक पत्र लिखा था (ये 1919 के बाद की घटना है) । इसमें उन्होंने लिखा है कि ये गीत ‘जन गण मन’ अंग्रेजो के द्वारा मुझ पर दबाव डलवाकर लिखवाया गया है। इसके शब्दों का अर्थ अच्छा नहीं है। इस गीत को नहीं गाया जाये तो अच्छा है। लेकिन अंत में उन्होंने लिख दिया कि इस चिठ्ठी को किसी को नहीं दिखाए क्योंकि मैं इसे सिर्फ आप तक सीमित रखना चाहता हूँ लेकिन जब कभी मेरी म्रत्यु हो जाये तो सबको बता दे। 7 अगस्त 1941 को रबिन्द्र नाथ टैगोर की मृत्यु के बाद इस पत्र को सुरेन्द्र नाथ बनर्जी ने ये पत्र सार्वजनिक किया, और सारे देश को ये कहा क़ि ये जन गन मन गीत न गाया जाये।

1941 तक कांग्रेस पार्टी थोड़ी उभर चुकी थी। लेकिन वह दो खेमो में बट गई। जिसमे एक खेमे के समर्थक बाल गंगाधर तिलक थे और दुसरे खेमे में मोती लाल नेहरु थे। मतभेद था सरकार बनाने को लेकर। मोती लाल नेहरु चाहते थे कि स्वतंत्र भारत की सरकार अंग्रेजो के साथ कोई संयोजक सरकार (Coalition Government) बने। जबकि गंगाधर तिलक कहते थे कि अंग्रेजो के साथ मिलकर सरकार बनाना तो भारत के लोगों को धोखा देना है। इस मतभेद के कारण लोकमान्य तिलक कांग्रेस से निकल गए और उन्होंने गरम दल बनाया। कोंग्रेस के दो हिस्से हो गए। एक नरम दल और एक गरम दल।

गरम दल के नेता थे लोकमान्य तिलक जैसे क्रन्तिकारी। वे हर जगह वन्दे मातरम गाया करते थे। और नरम दल के नेता थे मोती लाल नेहरु (यहाँ मैं स्पष्ट कर दूँ कि गांधीजी उस समय तक कांग्रेस की आजीवन सदस्यता से इस्तीफा दे चुके थे, वो किसी तरफ नहीं थे, लेकिन गाँधी जी दोनों पक्ष के लिए आदरणीय थे क्योंकि गाँधी जी देश के लोगों के आदरणीय थे)। लेकिन नरम दल वाले ज्यादातर अंग्रेजो के साथ रहते थे। उनके साथ रहना, उनको सुनना, उनकी बैठकों में शामिल होना। हर समय अंग्रेजो से समझौते में रहते थे। वन्देमातरम से अंग्रेजो को बहुत चिढ होती थी। नरम दल वाले गरम दल को चिढाने के लिए 1911 में लिखा गया गीत “जन गण मन” गाया करते थे और गरम दल वाले “वन्दे मातरम”।

नरम दल वाले अंग्रेजों के समर्थक थे और अंग्रेजों को ये गीत पसंद नहीं था तो अंग्रेजों के कहने पर नरम दल वालों ने उस समय एक हवा उड़ा दी कि मुसलमानों को वन्दे मातरम नहीं गाना चाहिए क्यों कि इसमें बुतपरस्ती (मूर्ति पूजा) है। और आप जानते है कि मुसलमान मूर्ति पूजा के कट्टर विरोधी है। उस समय मुस्लिम लीग भी बन गई थी जिसके प्रमुख मोहम्मद अली जिन्ना थे। उन्होंने भी इसका विरोध करना शुरू कर दिया क्योंकि जिन्ना भी देखने भर को (उस समय तक) भारतीय थे मन,कर्म और वचन से अंग्रेज ही थे उन्होंने भी अंग्रेजों के इशारे पर ये कहना शुरू किया और मुसलमानों को वन्दे मातरम गाने से मना कर दिया। जब भारत सन 1947 में स्वतंत्र हो गया तो जवाहर लाल नेहरु ने इसमें राजनीति कर डाली। संविधान सभा की बहस चली। संविधान सभा के 319 में से 318 सांसद ऐसे थे जिन्होंने बंकिम बाबु द्वारा लिखित वन्देमातरम को राष्ट्र गान स्वीकार करने पर सहमति जताई।

बस एक सांसद ने इस प्रस्ताव को नहीं माना। और उस एक सांसद का नाम था पंडित जवाहर लाल नेहरु। उनका तर्क था कि वन्दे मातरम गीत से मुसलमानों के दिल को चोट पहुचती है इसलिए इसे नहीं गाना चाहिए (दरअसल इस गीत से मुसलमानों को नहीं अंग्रेजों के दिल को चोट पहुंचती थी)। अब इस झगडे का फैसला कौन करे, तो वे पहुचे गाँधी जी के पास। गाँधी जी ने कहा कि जन गन मन के पक्ष में तो मैं भी नहीं हूँ और तुम (नेहरु ) वन्देमातरम के पक्ष में नहीं हो तो कोई तीसरा गीत तैयार किया जाये। तो महात्मा गाँधी ने तीसरा विकल्प झंडा गान के रूप में दिया “विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊँचा रहे हमारा”। लेकिन नेहरु जी उस पर भी तैयार नहीं हुए।

नेहरु जी का तर्क था कि झंडा गान ओर्केस्ट्रा पर नहीं बज सकता और जन गन मन ओर्केस्ट्रा पर बज सकता है। उस समय बात नहीं बनी तो नेहरु जी ने इस मुद्दे को गाँधी जी की मृत्यु तक टाले रखा और उनकी मृत्यु के बाद नेहरु जी ने जन गण मन को राष्ट्र गान घोषित कर दिया और जबरदस्ती भारतीयों पर इसे थोप दिया गया जबकि इसके जो बोल है उनका अर्थ कुछ और ही कहानी प्रस्तुत करते है, और दूसरा पक्ष नाराज न हो इसलिए वन्दे मातरम को राष्ट्रगीत बना दिया गया लेकिन कभी गया नहीं गया। नेहरु जी कोई ऐसा काम नहीं करना चाहते थे जिससे कि अंग्रेजों के दिल को चोट पहुंचे, मुसलमानों के वो इतने हिमायती कैसे हो सकते थे जिस आदमी ने पाकिस्तान बनवा दिया जब कि इस देश के मुसलमान पाकिस्तान नहीं चाहते थे, जन गण मन को इस लिए तरजीह दी गयी क्योंकि वो अंग्रेजों की भक्ति में गाया गया गीत था और वन्देमातरम इसलिए पीछे रह गया क्योंकि इस गीत से अंगेजों को दर्द होता था।

बीबीसी ने एक सर्वे किया था। उसने पूरे संसार में जितने भी भारत के लोग रहते थे, उनसे पुछा कि आपको दोनों में से कौन सा गीत ज्यादा पसंद है तो 99 % लोगों ने कहा वन्देमातरम। बीबीसी के इस सर्वे से एक बात और साफ़ हुई कि दुनिया के सबसे लोकप्रिय गीतों में दुसरे नंबर पर वन्देमातरम है। कई देश है जिनके लोगों को इसके बोल समझ में नहीं आते है लेकिन वो कहते है कि इसमें जो लय है उससे एक जज्बा पैदा होता है।

तो ये इतिहास है वन्दे मातरम का और जन गण मन का। अब ये आप को तय करना है कि आपको क्या गाना है ?

—————————–

 Source …http://www.pravasiduniya.com/jan-gan-man-ki-kahani

 

( 490 ) Reduce risks of falling — Simple Tips to Prevent Falls

Increased Risk of Fall Accident Begins

at Age 40

Simple Tips to Prevent Falls

by: Junji Takano

One of the main health concerns of elderly people is falling, which is often related to poor balance. In fact, many studies show that people begin to have balance problems starting at the age of 40 years.

The older you get, the weaker your physical body and sensory abilities will be, which are all factors in having poor balance.

Falling Accidents

In Japan, more than 7,000 people a year die from falling accidents, which already exceeds the number of traffic accidents.

In this article, we’ll examine in more details the cause of falling and why you lose balance as you age.

Test Your Balance by Standing on One Leg

You can determine how good your balance is by measuring the length of time that you can stand on one leg.

How to Stand on One Leg

The following table shows the average balance time by age group in a study conducted at a Japanese health institute.

Average time with eyes open

20-39 years old: 110 seconds
40-49: 64 seconds
50-59: 36 seconds
60-69: 25 seconds

Average time with eyes closed

20-39 years old: 12 seconds
40-49: 7 seconds
50-59: 5 seconds
60-69: less than 3 seconds

If your balance time is below average, then you’ll have higher risk of falls, or slipping and tripping accidents.

In the above study, women tend to lose their balance more than men but only by a small margin (1-2%). From this study, it is also evident that there’s a sudden significant decrease in the ability to maintain balance among middle-aged people (40 years and above).

Please take note that the numbers stated above are only average. There are people who were able to maintain balance much longer, and there are also those who were only able to maintain their balance at much shorter time regardless of age and gender. The reason why they vary is explained further below.

The Soles of Your Feet Have Sensors

The skins all throughout your body have significant amount of tiny pressure sensors or mechanoreceptors. Some areas have few pressure sensors, while other areas have thousands, like on the soles of your feet.

Pressure Sensors or Mechanoreceptors on the soles of the feet

The pressure sensors on the foot soles provide information to your brain to help balance your body. As you get older, the sensors will get weaker and your foot sole lose sensitivity. But there are also other factors that can lead to weaker pressure sensors.

Poor Blood Circulation Can Disrupt the Pressure Sensors

In our study, people are almost twice as likely to be in a fall accident caused by poor blood circulation.

This can be simulated by soaking your feet into ice cold water for about 3 minutes. Because of the cold temperature, the pressure sensors on the foot sole begin to lose sensitivity.

Pay Attention to Your Forward-Moving Foot

If your forward-moving foot hit something, your body will be off-balance causing you to fall or trip.

Well, it’s a matter of common sense to always have your eyes on path and watch where you are going. Remember the old adages – “Prevention is better than cure”, “An ounce of prevention is worth a pound of cure”, “Look before you leap”, etc.?

But that’s not the only problem. Here are the other two major reasons why you stumble while walking.

1. Your forward-moving foot is pointed down.

If your foot is pointed down while making a step, then you are more prone to falling. To avoid this, your forefoot or toes should be flexed upwards as shown on the image below.

Flex Your Toes Upward while Walking

2. You walk like a pendulum.

The height of your step can greatly increase your risk of falling. To prevent this, your forward-moving foot must be higher off the ground (at least 5 cm) while the knee is raised high as shown on the image below.

Proper Height of Foot When Making a Step

Actually, all the mechanoreceptors located throughout your body as well as the soles of your feet are sending information to the brain that include muscle contractions and joint angles.

When this information is not transmitted well to your brain, which happens as you get older, then the movement will get weak or ineffective making it hard for you to maintain your foot higher off the ground.

How to Prevent Yourself from a Fall, Trip, or Slip

1. Keep Your House Clean

There are a lot of things in your house that can contribute to clutters that can cause you to trip or fall. Always make sure to put away or store properly all personal belongings and other unnecessary things even if it is only a newspaper, remote control, and laundries scattered on the floor or carpet.

2. Stretch Your Feet and Ankles

Feet Exercise
Toe Exercise

You might think that your feet do not need exercise or stretching compared to other parts of your body, but in reality, feet stretching exercise can really help your feet maintain balance.

3. Keep Your House Warm and Ensure Adequate Lighting

Cold muscles and pressure sensors work less well and are less responsive to signals. A decreased temperature will also cause your muscles to have less strength and less flexible, which can lead to accidents.

Always try to keep your house warm or wear proper clothes and footwear, especially during winter. Since most falls occur indoors, make sure your house has adequate lighting.

About the Author:

Junji Takano is a Japanese health researcher involved in investigating the cause of many dreadful diseases. In 1968, he invented PYRO-ENERGEN, the only electrostatic therapy machine that effectively eradicates viral diseases, cancer, and diseases of unknown cause.
Click here to find out more: http://www.pyroenergen.com/
 

================================================

SOURCE- http://www.pyroenergen.com/articles12/fall-accident.htm

————————————————————

 

 

( 327 ) નવરાત્રી એટલે શકિતની ભક્તિનું પર્વ અને ગરબાનો લોક મહોત્સવ

Happy Navraatriદર વરસે આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધી નવ દિવસ માટે નવરાત્રી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે .

આ નવરાત્રી પર્વ એટલે આદ્યાશક્તિ જગદંબાની સ્તુતિ – પ્રાર્થના સાથે ગરબાનો લોક મહોત્સવ . શક્તિની ભક્તિ અને ભક્તિની શક્તિનું પર્વ .

સંગીતનાં તાલે નૃત્ય સાથે ગાતાં નર નારીઓ ભક્તિપૂર્વક નવરાત્રીનાં આ લોક પ્રિય  મહોત્સવની ઉજવણી નવ દિવસ કરે છે .

આખું વર્ષ સામાન્ય રીતે શાંત જણાતી રાત્રીઓ આ નવ દિવસ માટે લોકોના ઉત્સાહમય ગરબાના કોલાહલથી જીવતી બની જાય છે .

ગરબો અને ગુજરાત એક બીજાના પર્યાય રૂપ બની ગયાં છે .

હવે તો ગુજરાત બહાર ભારતમાં જ નહી પણ વિદેશોમાં પણ ગરબો પહોંચી ગયો છે .

જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ  ત્યાં ત્યાં જામે છે નવરાત્રીના ગરબાની રમઝટ  .

ગરબામાં નૃત્ય દ્વારા દેવીની આરાધના કરવામાં આવે છે. માતાજીના વિવિધ રૂપોની સ્તુતિમાં અનેક લોક-ગરબાઓ ગવાય છે.

નવરાત્રીની નવે નવ રાત્રીએ  નાનાં મોટાં નાનાં ભૂલકાંઓ સહીત સૌ રંગ બેરંગી ગરબા માટેનો ખાસ અલાયદો પહેરવેશ ધારણ કરીને સંગીતના તાલમાં જે ઉત્સાહ અને ઉમંગથી ગરબા ગાય છે એ મનોરમ્ય ચિત્ર જોવું એ એક લ્હાવો બની જાય છે . ઉત્સાહનો જાણે મહા સાગર ઉમટે છે .

પ્રાચીન ગરબો અને  અર્વાચીન ગરબો એમ ગરબાનાં બે પ્રકાર છે . ગરબા ગાવાની પદ્ધતિમાં સમયે સમયે ફેરફાર થતા ગયા છે .જૂની પરંપરા પ્રમાણે નવરાત્રીમાં કાણાંવાળી મટકીમાં અંદર જ્યોત મુકીને બનાવાતા દીવાઓ ગરબા કહેવામાં આવતા હતા .હવે નવરાત્રી દરમ્યાન માતાજીની સ્તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબા કહે છે.

ગરબામાં જુદા જુદા તાલ  અને પગલાં લેવાતાં થતાં ગુજરાતનો મૂળ  લોક-ગરબો તો જાણે સાવ ખોવાઈ ગયો છે .

નવી પેઢીનાં જુવાનીયાં માટે નવરાત્રી એક ધાર્મિક  ઉત્સવ કમ મનોરંજનનો પ્રસંગ થઇ ગયો છે . ગરબાનો એક નવો પ્રકાર સનેડો ગવાતો થયો છે .

ગરબાના યુવાન ખેલૈયાઓએ બોલિવૂડનાં ગીતો પર તેમના સ્ટેપ અને દાંડીયા સાથે ઝૂમવાનું શરૃ કરી લીધું છે.નવરાત્રી ઉપર ભારતમાંથી જાણીતા ગાયક કલાકારો એમનાં ગ્રુપ સાથે વિદેશોમાં પહોંચી જાય છે અને સારું એવું વિદેશી હૂંડિયામણ ઘર ભેગું કરી લે છે .

” ગાય એનો ગરબો ” – રચયિતા શ્રી નરેન્દ્ર મોદી 

તમને જાણીને નવાઈ લાગશે કે જે કેટલાક કવિઓ અને સંગીતકારોએ આધુનિક ગરબાઓ

રચ્યા છે એમાં કવિ શ્રી નરેન્દ્ર મોદી પણ એક કવિ છે !

અગાઉ વિનોદ વિહારની પોસ્ટ નંબર  312  માં જણાવાયું છે

એ પ્રમાણે શ્રી નરેન્દ્ર મોદી એક વિચક્ષણ રાજકીય નેતા હોવા ઉપરાંત

સારા લેખક અને કવિતાઓ પણ લખી જાણે છે .

શ્રી મોદીએ નવરાત્રી માટે કરેલ એક ગરબાની રચના ને નીચેના વિડીયોમાં

ગુજરાતી લોક કલાકારો દ્વારા તાલીઓના તાલ સાથે ગવાતો સાંભળો .

GARBO PENNED BY NARENDRA MODI – “GAY ENO GARBO “

Source-http://www.narendramodi.in/

બોલિવુડને પણ લાગ્યું ગુજરાતી ગરબાનું ઘેલુ

ગુજરાતની એક ખાસિયત ગણાતા ગુજરાતી ગરબાનું હવે તો બોલિવુડને પણ ઘેલુ લાગ્યું છે

એનો પુરાવો તમને નીચેના વિડીયોમાં જોવા મળશે .

રામલીલા ફિલ્મમાં બોલીવુડના જાણીતા કલાકારો રણબીર કપૂર અને દીપિકા પદુકોણે

ગુજરાતી ગરબાની જે રમઝટ મચાવી રહ્યાં છે એ જોઈને તમને જરૂર આશ્ચર્ય થશે .

આ વિડીયોમાં આપણું આ જાણીતું  ગુજરાતી લોકગીત પણ તમને સાંભળવા મળશે .

લીલી લીમડી રે

લીલો નાગરવેલનો છોડ

પ્રભુ પરોઢિયે રે

મારા ઘેર ઉતારા કરતા જાઓ

ઉતારો નહિ કરું રે   

મારા ઘેર સીતા જુવે વાટ

સીતા એકલાં રે

જુવે રામ લક્ષ્મણ ની વાટ

નવરાત્રીના રંગીન માહોલમાં નીચેના વિડીયોમાં માણો હૃદયને ખુશ કરી દે એવી  સુંદર

ગીત,સંગીત અને ઢોલ-નગારાનાં તાલમાં બોલીવુડના કલાકારોએ મચાવેલી ગુજરાતી

ગરબાની રમઝટ .

Ram Leela movie – Nice Song with Navratri Garba

Dipika Padukune and Ranveer Kapur 

આ નવરાત્રીએ અને હમ્મેશાં આપના ઉપર આદ્યશકિતના આશીર્વાદ ઉતરે,

સાત્વીક શાંતિ સદા સામર્થ્યવાન રહે  એવી અભિલાષા વ્યકત કરું છું .

વિનોદ વિહારના વાચકોને નવરાત્રી મહોત્સવની શુભ કામનાઓ

HAPPY NAVRATRI TO ALL

વિનોદ પટેલ

( 248 ) શ્રી પી.કે. દાવડાનો એક હળવો લેખ “વિવેચક દાવડા” અને એમની બે કાવ્ય રચનાઓ

P.K.Davda

P.K.Davda

શ્રી પી.કે. દાવડા વિનોદ વિહારના અને અન્ય જાણીતા બ્લોગોના વાચકોને  સુપરિચિત છે . આ અગાઉ એમના કેટલાક ચિંતનશીલ  લેખો આ બ્લોગમાં સ્થાન પામ્યા  છે અને વાચકોને એ ગમ્યા પણ છે .

દાવડાજી એમની નિવૃતિના સમયનો સદુપયોગ કરી એમની ગદ્ય અને પદ્ય રચનાઓ વખતો વખત એમના ઈ-મેલમાં બ્લોગર મિત્રોને મોકલી આપતા હોય છે .

આ ઈ-મેલોંમાંથી મને ગમેલો એક લેખ ” વિવેચક દાવડા” આજની પોસ્ટમાં મુક્યો છે  જે આપને પણ વાંચવો ગમે એવો હળવો લેખ છે .

એમની બે કાવ્ય રચનાઓ  “દાવડા ભગતના કોમપુ-ગપ્પા”  અને ” કાવ્યાષ્ટક ” પણ નીચે પ્રસ્તુત છે .

એમની રચનાઓમાં એમનો અનુભવ , વાંચન અને એમની સાહિત્ય પ્રીતિનાં દર્શન આપણને થાય છે .

એમના નીચેના લેખમાં એમના કાવ્યોનું વિવેચન કરતાં એમણે લખ્યું છે કે – “દાવડાની કવિતામાં ક્યાંક ને કયાંક એમનું વ્યક્તિત્વ ઝળકે છે.” આ વાત એમના લેખોને પણ એટલી જ લાગુ પડે છે . 

” વિવેચક દાવડા ” લેખમાં દાવડાજીએ હળવી શૈલીમાં પોતાને જ નિશાન બનાવી એમના સાહિત્ય સર્જનની આલોચના કરી છે એ ઘણી રસિક છે .

વિનોદ પટેલ

________________________________________________

વિવેચક દાવડા

વ્યવસાયે તો હું સિવીલ એંજીનીઅર છું, પણ ૨૦૦૯માં મને મન થયું કે લાવ કવિ બનું. મેં કવિતાઓ લખવાનું શરૂ કર્યું. ૨૦૦૯ મા બ્લોગ્સ એની ચરમ સીમાએ હતા એટલે મેં એવા બ્લોગ શોધી કાઢ્યા કે જેમા હું પોતે જ મારી કવિતા મૂકી શકું. સંચાલક તો માત્ર નામના મોડરેટર હોય, એટલે બીજે દિવસે મારી કવિતા પ્રગટ થઈ જતી.

ઘણી બધી કવિતાઓ લખી, છંદમાં, સ્વછંદમાં, રાગમાં , વિરાગમાં , આમ અનેક પ્રકારની કવિતાઓ લખી, પણ પછી થયું કે આપણું નામ થયું નથી તો ચાલો લેખ લખીએ.

બસ આડેધડ લખવાનું શરૂ કરી દીધું. કોઈપણ વિષય પર, કંઈપણ લખવાનું શરૂ કર્યું અને બ્લોગમાં મૂકી દીધું. એ પણ પ્રગટ થઈ ગયા, છતાં મારૂં નામ થયું નહિં.

હવે સાહિત્યનો માત્ર એક જ પ્રકાર બાકી રહ્યો છે અને તે છે વિવેચન. વિવેચક બનવાની ઈચ્છાના મૂળમા મારી એક માન્યતા રહેલી છે કે સારો કવિ કે સારો લેખક ન થઈ શકે એ સારો વિવેચક બની શકે. વિચારને અમલમાં મૂકવા શરૂઆત તો કરવી પડે ને? કોની કવિતાઓ અને કોના લેખનું વિવેચન કરૂં? મને થયું કે પોતાના ઉપર જ પ્રયોગ કરવામા સલામતી છે, એટલે હું મારી કવિતાઓ અને મારા લેખોનું જ વિવેચન કરૂં છું.

દાવડાની કવિતાઓઃ

દાવડાએ અનેક વિષય લઈ કવિતાઓ લખી છે. વિષયની વિવિધતા ઉપરથી દાવડાનું આંકલન કરવું શક્ય નથી, એમણે ગમે ત્યારે ગમે તે વિષય પર કવિતા લખી છે. આશ્ચર્યની વાત તો એ છે એમની એક જ કવિતામાં બે ત્રણ વિષય પણ જોવા મળે છે. હોળી વિષેની કવિતાઓમાં નેતાઓને ભાંડે છે, પ્રેમની કવિતામાં બ્રેકઅપની વાત કરે છે, ગિરધારીની કવિતામા કોમપ્યુટરની વાત કરે છે; અરે એ તો છપ્પામાં ગુગલ અને યાહુને ઘૂસાડે છે. ક્યારેક છંદમાં લખે છે, તો ક્યારેક પ્રચલિત ભજનોના ઢાળની કોપી કરે છે. એ કહે છે કે ઢાળને કોપી/પેસ્ટ નો નિયમ લાગુ પડતો નથી.

બ્લોગ વિષે એમણે અનેક કવિતાઓ લખી છે. એ કવિતાઓમાં દાવડા બ્લોગ્સને વખાણે છે કે વખોડે છે એ સમજવું મુશ્કેલ થઈ પડે છે. બ્લોગના ભજન ગાય છે, બ્લોગના છપ્પા રચે છે, અરે બ્લોગના ચારણી છંદ પણ એમણે લખ્યા છે. બ્લોગમાં સુંદર સ્ત્રીઓને વધારે પ્રતિભાવ મળે છે એ દર્શાવવા દાવડાએ લખ્યું છે,

 

“બ્લોગણનો ફોટો, રચનાથી મોટો, વખાણ થાતા અતિ ભારી,

જોઈને  મોઢાં, તાણે  તું  ટીલાં, બ્લોગર  તારી  બલિહારી.”

 

અહીં દાવડાના સ્ત્રી દાક્ષ્સ્ણ્યના અભાવને બદલે પુરૂષોના સ્વભાવ પર કટાક્ષ સ્પષ્ટ દેખાય છે.

દાવડાના કાવ્યો પરલક્ષી કે સર્વલક્ષી ન હોતાં સ્વલક્ષી વધારે છે. પ્રત્યેક કવિતામાં ક્યાંક ને કયાંક એમનું વ્યક્તિત્વ ઝળકે છે. એક મુલાકાતમાં દાવડાએ કહ્યું હતું કે મોટાભાગની કવિતાઓના વિષય એમને ટોઈલેટમાં સ્ફૂર્યા છે, કારણ કે કવિતા કરવાનો સમય એમને ત્યાં જ મળે છે.

આના ઉપરથી એમના કાવ્યોની ગુણવત્તા સમજી શકાય એમ છે. દાવડા જાણે છે કે એમની કવિતાઓને કોઈ ગંભીરતાથી લેતું નથી એટલે તો હમણાં હમણાં એમની કવિતાઓ હાસ્ય દરબારમા પણ જોવા મળે છે. કુલ મળીને દાવડા ૨૧ મી સદીના કવિઓની હરોળના છે.

દાવડાના લેખઃ

કવિતાની જેમ જ દાવડા અનેક વિષય ઉપર લેખ લખે છે. સ્વતંત્રતા પહેલાના ભારતીયની પ્રતિમા એમનામાં સ્પષ્ટ દેખાય છે. ભૂતની જેમ ભૂતકાળને એ વળગી રહ્યા છે. જૂનો જમાનો, જૂના સાહિત્યકારો, જૂના અખબાર, જૂની સમાજ વ્યવસ્થા અને જૂના રીવાજો, બસ આવા વિષય ઉપર જ લખ્યા કરે છે. એમા એમનો વાંક નથી, ૭૭ વર્ષની વયે એમને પોતાને નવામાં તો ન જ ખપાવી શકે. ક્યારેક પોતાના ભૂતકાળના અનુભવો લખે છે, ક્યારેક એંજીનીઅર તરીકે પોતાની સફળતા અને નિષ્ફળતાની વાતો કરે છે.

શાળા અને શિક્ષણ વિષે જાણે કે નિષ્ણાત હોય તેમ અનેક લેખ લખ્યા છે. એમના લેખના શીર્ષક પણ અજબના હોય છે, “હુકમડર, ફંડર ફો?” હવે આનો શું અર્થ કાઢવો? ભાષા, વ્યાકરણ અને જોડણીનું ક્યાંયે ઠેકાણું હોતું નથી. તેઓ કહે છે કે મને જોડણીની જોડણી જ ચોક્ક્સ રીતે ખબર નથી. લેખની સંખ્યા જોઈને લાગે કે તેમને લખવા માટે વિચારવાની જરૂર પડતી નહિં હોય, બસ વગર વિચારે લખ્યા કરે છે. એમના લખાણમા ઊંડાણ નથી, લંબાઈ નથી અને પહોળાઈ પણ નથી. એંજીનીઅર હોવાથી બે ને બે ચાર જેવી ચોખ્ખી વાતો હોય છે, કલ્પનાનો સદંતર અભાવ જોવા મળે છે. પ્રેમ વિશે લખે ત્યારે પણ એ પ્રેમનું વર્ગમૂળ શોધવા પ્રયત્ન કરતા જણાય છે. એકંદર જોતાં કવિ અને લેખક તરીકે દાવડાએ સમાજને કોઈ યોગદાન આપ્યું નથી, ઉલ્ટાનું કંઈપણ આપ્યા વગર મોટા ગજાના મિત્રો સમાજમાંથી મેળવી લીધા છે.

(વિવેચક તરીકે આ મારો પહેલો જ પ્રયત્ન છે. જો આમા પણ નિષ્ફળતા મળસે તો સાહિત્યની ચોથી કેટેગરી ‘બબૂચક’ સિવાય મારા માટે કાંઈ વધતું નથી.)

 

-પી.કે.દાવડા

              ____________________________________________________

શ્રી પી.કે. દાવડાની બે કાવ્ય રચનાઓ

( આપણા આદ્ય કવિ અખા ભગતના છપ્પાને યાદ અપાવે એવા આ આધુનિક કવિ દાવડાજી એ ” દાવડા ભગતના કોમપુ -ગપ્પા ” શિર્ષક હેઠળની નીચેની એક હળવી કાવ્ય રચના તમને માણવી ગમશે .અન્ય બ્લોગોમાં પણ આ રચના અગાઉ પ્રગટ થઇ છે .)

દાવડા ભગતના કોમપુ -ગપ્પા 

કોમપ્યુટરની જૂઓ કમાલ, બંધ પડે તો થઈ જાય હાલ ,

દિમાગથી  વિચારવું પડે, યાદ   શક્તિની  સીમા   નડે;

દાવડા જો  કોમપુ  ના હોય, સંપર્ક  રાખે ક્યાંથી  કોઈ?

 

હાર્ડ ડીસ્ક કોમપુમાં ખાસ, થાય કરપ્ટ તો ત્રાસમ ત્રાસ,

સંઘરે  ફોટા, સંઘરે  લેખ,  સંઘરે  કવિતા, ગીત અનેક,

દાવડા એના  નખરા  જોઈ, ફલેશ-પેન રાખે  સૌ કોઈ.

 

મેમરી  બાઈ તો  નાના ઘણા, તો  પણ એના  નખરા ઘણા,

જ્યારે પણ એ ઓવર્ફ્લો થાય, સ્ક્રીન આખું રંગીન થઈ જાય,

નખરાળી  જો  નાટક  કરે, દાવડા તો  શું  કોમપ્યુટર  કરે?.

 

કોમપુમાં  પ્રોસેસર  ખાસ, પ્રોસેસર  જો  આપે   ત્રાસ,

કોમપુ જો થઈ જાય ગરમ, વાપરનારના ગાત્ર નરમ;

પ્રોસેસરની  અનેક  જાત,  પ્રોસેસર  બહુ ઊંચી નાત.

 

ઊંદર આંગળી ચીંધે જ્યાં, કોમપુ ઝટ પહોંચી જાય ત્યાં,

શોધી  કાઢે  ઢગલામાં સોઈ, છે આના જેવું બીજું  કોઈ?

દાવડા કોમપુમાં માઉસ મહાન, જાણે ગણેશજીનું વાહન.

 

કી  બોર્ડથી થાય  કામ  ઘણા, કામોની  ના  રાખે મણા,

ડીલીટ કરો તો કચરો સાફ, બોલ્યું ચાલ્યું થઈ જાય માફ;

દાવડા  સારૂં ‘સેવ’ કરે,  વિશ્વમા   ઈજ્જત  સાથે   ફરે.

 

કોમપુના દરવાજા ખુલા,  વાપરનારમા ખપે સમતુલા,

વાપરનારનું  ચંચળ  મન, બિન  વસ્ત્રોના આવે  તન;

દાવડા કોમપ્યુટર વરદાન, જેવું  માનસ  એવું  દાન.

 

દાવડાએ  નિવૃતિ લીધી, કોમપ્યુટરને સોંપી  દીધી,

કોમપ્યુટરથી મિત્રો મળ્યા, દાવડાના કંટાળા ટળ્યા,

દાવડા કોમપ્યુટર વરદાન, વાપરવામા રાખો ભાન.

-પી. કે. દાવડા

__________________________

                    કાવ્યાષ્ટક                   

(૧)

ઓ   બીજ ત્રીજના ચાંદ, સૌને  તું  સુંદર લાગે,

                    કિન્તુ મુજને તું વિધવાના તુટ્યા કંગનસમ ભાસે.                   

(૨)

પાષાણને કંડારીને મનુષ્યે તમને ઈશ્વર કર્યા,

                  તમે  વેર લેવા મનુષ્યને પાષાણહ્રદયી કર્યા.                   

(૩)

બિલાડી આડી ઉતરી તો મનુષ્યને અપશુકન થયું,

                 મનુષ્ય  આડો  ઉતર્યો   તો  બિલાડીનું  શું  થયું?                   

(૪)

મા-બાપે  મહેનત કરીને  બાળકો  મોટા  કર્યા,

                    બદલો  દેવા, બાળકોએ  વૃધ્ધાશ્રમ ઊભા કર્યા.                   

(૫)

લોકો  બધા ટોળે વળી નિહાળતા ધ્યાનથી તને,

વાત તારી સાંભળવા ઉત્સાહી ને  તલ્લીન બને,

ઓ પ્રભુ માણસ મટાડી, ટી.વી. બનાવી દે મને.  

                  (૬)                 

પસ્તાવાના વિપુલ ઝરણે ડૂબકી મેં લગાવી

ન્યાયાધિસે કબુલ ગણીને કેદમા નાખી દીધો;

ના કીધેલી, વકીલે મુજને, તોય એનું ન માન્યુ,

                   શાને, સાચું સમજી લઈને, માન્યું તારું કલાપી?                    

(૭)

ક્યાં  છે મારા છકો મકો  ને ક્યાં છે મારા  જેક અને જીલ?

                    ગુમાઈ ગયા છો તમે વર્ષોથી, કોના  નામે  કરૂં  હું  વિલ?                     

(૮)

કદી  ચૂંટ્યા  નથી  ફૂલો, કદી  વેણી  નથી ગુંથી,

અમે ચાંદો  નથી જોયો  કદી  પતનીની સૂરતમા,

                        છતાં  બ્લોગોની ચાહતમા અમે  કવિતા કરી બેઠા.                           

-પી. કે. દાવડા

__________________________________________________________

 

શ્રી દાવડાજીનો એક સરસ લેખ

” ગુજરાતી કવિતામાં જીવનના પાઠો ”

વેબ ગુર્જરી બ્લોગમાં અગાઉ પ્રગટ થયો છે એને વે.ગુ.ના આભાર સાથે  અહીં વાંચો .