વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: પ્રકીર્ણ

વિનોદભાઈના જન્મદિવસે….

ભલે ધરતી પર હયાત ન હોય, આપણા દિલમાં તો સદાકાળ રહેશે

ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત

ચાલો ઉજવીએ આ દિવસ નીચેના બે ગુજરાતની યશ ગાથા

રજુ કરતા ભાવવાહી Videothir

courtesy…Smt.Devika Dhruv

 

આજના શુભ દીવસે વિનોદ વિહારના સૌ

વાચકોને

એક ખુશ ખબર અને આભાર

100 0000 + એક મિલિયન થી વધુ

મુલાકાતીઓ !!

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી

મુલાકાતીઓની સંખ્યા…..

As on today no.of visitors…..

 

  • 1,024,013 મુલાકાતીઓ

સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧

 

જરૂર વાંચજો.. અને તમે ઘર ના બધા સભ્યો જમવા સાથે બેસો ત્યારે  જાતે આ સ્ટોરી કહેશો તો બહુ સારું લાગશે. માટે 2 વાર વાંચજો…

 

સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગ   —

 
પરમાર્થ કરવા નીકળ્યા હો,
કોઈ ભૂખ્યાનું પેટ ઠારવા નીકળ્યા હોવ ત્યારે  તમારા મોબાઈલ થી ફોટા ન પાડતા નહિતર તમારા કપડાં જયારે ખેંચાશે  ત્યારે પ્રભુ ફોટા પાડતો હશે
👆🏽બહુ જ ઉત્કૃષ્ટ વાત કરી છે
 
— ઉપકાર કરવાની ભાવનાથી કરેલ કોઈપણ સતકર્મની પ્રભુ નોંધ લેતો નથી.
 
એક વખત એક સેવાભાવી સંસ્થાની અંદર કુદરતી આફત વખતે સેવા કાર્ય ચાલી રહ્યું હતું.
 
     આ દરમ્યાન એક દાદા જૂની ધોતી ઉપર બંડી પહેરી રીક્ષામાંથી નીચે ઉતર્યા. એ કાર્યાલય તરફ આગળ વધતા હતા . એક હાથમાં લાકડી , બીજા હાથમાં ઝોળી , આંખે ચશ્મા , પગમાં જૂનાં ચંપલ છતાં ચાલમાં ખુમારી હતી.
 
     એ કાર્યાલય તરફ આગળ વધ્યા એટલે ત્યાંની ઓફિસના કર્મચારીએ દાદાને રોક્યા….
”દાદા લાઈનમાં ઊભા રહો, અથવા અહીં બેસો તમારો વારો આવે એટલે બોલાવશું….”
 
   દાદા બાંકડા ઉપર બેસી લાઈનમાં ઉભેલા વ્યક્તિઓનું નિરીક્ષણ કરી રહ્યાં હતાં….!!
    લોકો મોઢા ઉપર પોતાની ઓળખ છુપાવવા માટે રૂમાલ કે ઓઢણી ઢાંકી ટિફિન પકડી લાઈનમાં ઊભા હતા. કોઈ મોબાઈલથી વીડિયો ઉતારતા હતા તો કોઈ ફોટા પાડી રહ્યા હતા….
      આવા સંકટ સમયે સંજોગોના શિકાર બનેલ વ્યક્તિઓના  પણ ફોટા અને વીડિયો ઉતારી અમુક લોકો નીચ  હરકતો કરી વિકૃત આનંદ મેળવી રહ્યા હતા….!
 
અચાનક કોઈએ બુમ પાડી. દાદા આવી જાવ તમારૂ ટિફિન લઇને.
દાદા નજીક ગયા, ઓફિસમાંથી અવાજ આવ્યો દાદા વાસણ ઘરેથી લાવવાનું.
 
દાદા બોલ્યા , ‘બેટા હું એ માટે નથી આવ્યો મારે અગત્યની વાત કરવી છે.’
 
‘..પણ અત્યારે દાદા,  અમારી પાસે સમય નથી…’ ઓફિસમાંથી અવાજ આવ્યો.
 
અરે બેટા, ડોનેશન માટે વાત કરવી છે.  ઓફિસના કર્મચારી દાદાને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યા પછી બોલ્યા સારું આવો.
 
દાદા ઓફિસમાં ગયા, બોલ્યા ડોનેશન લ્યો છો ?
 
હા દાદા , અત્યારે તો ખૂબ જરૂર છે. બોલો , કેટલા રૂપિયાની રિસિપ્ટ ફાડું.
 
દાદાએ ઝોળીમાં હાથ નાખી ચેકબુક કાઢી ચેક લખ્યો.
ચેક હાથમાં પકડતાં જ સંસ્થાનો કર્મચારી ઊભો થઇ ગયો . બે વખત મીંડાઓ  ગણવા લાગ્યો. દાદા સામે જોઈ બોલ્યો ,
“દાદા, આ રકમ તમે તમારી જાગૃત અવસ્થામાં લખો છો ?
તમારા પરિવારને  આ બાબતની જાણ છે ?
*આ ચેકની રકમ બે કરોડ રૂપિયા છે , એ આપ જાણો છો ?”*
 
“હા બેટા , મારા પરિવાર ને ખબર છે. અને  ચેકની રકમ બે કરોડ રૂપિયા છે એ પણ હું જાણું છું. વધારે ખાતરી કરવી છે?
 
પણ આ ચેક સામે તમારે મને એક વચન આપવું પડશે.”
 
‘બોલો દાદા….’
 
    આ સંસ્થા માં આવતી દરેક વ્યક્તિ પીડિત હોય છે. તે કોઈ પણ ખરાબ સંજોગોના શિકાર બનેલ હોય છે….
    આવી વ્યક્તિઓના ફોટા પાડવા વિડિયો  ઉતારવા યોગ્ય લાગે છે ?
 
“ના દાદા…”
 
આ કોઈ કીર્તિદાન નથી બેટા તેથી….
બસ , મારી એક નાની શરત છે. આ સંસ્થામાં ફોટો તથા વીડિયો ઉતારવાની સંદતાર મનાઈ છે.. આટલું બોર્ડ મારી દેજો…..!!
 
     કાર્યાલયનો સ્ટાફ દાદાને હાથ જોડી બોલ્યા , “દાદા કોઈના પહેરવેશ ઉપર થી વ્યક્તિ વિશે અનુમાન ન બાંધવું જોઈએ . અમે તમને ઓળખવામાં ભૂલ કરી …..!!”
 
દાદા , દાનની રીસીપ્ટ કોના નામે બનાવીએ…..?
 
દાદા બોલ્યા…દાન નહીં બેટા ભેટ બોલ
રીસીપ્ટની તો મારે જરૂર નથી  છતાં પણ આપવી હોય તો મારા નામની જગ્યા એ લખ…..
 
*”કૃષ્ણ અર્પણમ્…”*
 
બેટા ધરતીકંપ વખતે તારી સંસ્થાનું ઘણું અમારા પરિવારે ખાધું હતું ,  ત્યારે જ મેં નિર્ણય લીધો હતો . સમય આવે એક એક દાણાનો વ્યાજ સાથે હિસાબ અહીં હું પરત કરીશ.
 
    થોડા સંમય પહેલા મારો બંગલો વેચાયો , તેની રકમની વ્યવસ્થા માટે મેં જયારે મારા  પુત્ર  કુણાલને USA  ફોન કર્યો ત્યારે તેણે માત્ર એટલું જ કીધું…..
 
પપ્પા આપણો પરિવાર ધરતીકંપ વખતે બચી ગયો હતો , એ કોઈ     કુદરતી સંકેત સમજી લ્યો. આપણે ન બચ્યા હોત તો આ મિલ્કત લાવારીસ જ પડી રહી હોત…જેણે બચાવ્યા તેને અર્પણ કરી દ્યો..
 
જે સંસ્થાનું આપણે ખાધું હતું , તે સંસ્થાને પાછું આપી તમારું ઋણ ઉતારો પપ્પા…..!!! અહીં ભગવાને મને ઘણું આપ્યું છે. પુણ્યનું ભાથું ભરી લ્યો મોડું ન કરતા..
*જ્યોત સે જ્યોત જલે .*
સેવાભાવી સંસ્થાઓને  કોઈ આપશે તો સંસ્થા ચાલશે .
 
બેટા , હવે જાત ચાલતી નથી. કાયમ માટે હું USA જાઉં છું. આજે આ સંસ્થાને આપેલ વચન  પૂરું કરી હું હળવો થઈ જરૂર વાંચજો.. અને તમે ઘર ના બધા સભ્યો જમવા સાથે બેસો ત્યારે  જાતે આ સ્ટોરી કહેશો તો બહુ સારું લાગશે. માટે 2 વાર વાંચજો…*

 

 
સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગ   —
 
— ઉપકાર કરવાની ભાવનાથી કરેલ કોઈપણ સતકર્મની પ્રભુ નોંધ લેતો નથી.
 
એક વખત એક સેવાભાવી સંસ્થાની અંદર કુદરતી આફત વખતે સેવા કાર્ય ચાલી રહ્યું હતું.
 
     આ દરમ્યાન એક દાદા જૂની ધોતી ઉપર બંડી પહેરી રીક્ષામાંથી નીચે ઉતર્યા. એ કાર્યાલય તરફ આગળ વધતા હતા . એક હાથમાં લાકડી , બીજા હાથમાં ઝોળી , આંખે ચશ્મા , પગમાં જૂનાં ચંપલ છતાં ચાલમાં ખુમારી હતી.
 
     એ કાર્યાલય તરફ આગળ વધ્યા એટલે ત્યાંની ઓફિસના કર્મચારીએ દાદાને રોક્યા….
”દાદા લાઈનમાં ઊભા રહો, અથવા અહીં બેસો તમારો વારો આવે એટલે બોલાવશું….”
 
   દાદા બાંકડા ઉપર બેસી લાઈનમાં ઉભેલા વ્યક્તિઓનું નિરીક્ષણ કરી રહ્યાં હતાં….!!
    લોકો મોઢા ઉપર પોતાની ઓળખ છુપાવવા માટે રૂમાલ કે ઓઢણી ઢાંકી ટિફિન પકડી લાઈનમાં ઊભા હતા. કોઈ મોબાઈલથી વીડિયો ઉતારતા હતા તો કોઈ ફોટા પાડી રહ્યા હતા….
      આવા સંકટ સમયે સંજોગોના શિકાર બનેલ વ્યક્તિઓના  પણ ફોટા અને વીડિયો ઉતારી અમુક લોકો નીચ  હરકતો કરી વિકૃત આનંદ મેળવી રહ્યા હતા….!
 
અચાનક કોઈએ બુમ પાડી. દાદા આવી જાવ તમારૂ ટિફિન લઇને.
દાદા નજીક ગયા, ઓફિસમાંથી અવાજ આવ્યો દાદા વાસણ ઘરેથી લાવવાનું.
 
દાદા બોલ્યા , ‘બેટા હું એ માટે નથી આવ્યો મારે અગત્યની વાત કરવી છે.’
 
‘..પણ અત્યારે દાદા,  અમારી પાસે સમય નથી…’ ઓફિસમાંથી અવાજ આવ્યો.
 
અરે બેટા, ડોનેશન માટે વાત કરવી છે.  ઓફિસના કર્મચારી દાદાને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યા પછી બોલ્યા સારું આવો.
 
દાદા ઓફિસમાં ગયા, બોલ્યા ડોનેશન લ્યો છો ?
 
હા દાદા , અત્યારે તો ખૂબ જરૂર છે. બોલો , કેટલા રૂપિયાની રિસિપ્ટ ફાડું.
 
દાદાએ ઝોળીમાં હાથ નાખી ચેકબુક કાઢી ચેક લખ્યો.
ચેક હાથમાં પકડતાં જ સંસ્થાનો કર્મચારી ઊભો થઇ ગયો . બે વખત મીંડાઓ  ગણવા લાગ્યો. દાદા સામે જોઈ બોલ્યો ,
“દાદા, આ રકમ તમે તમારી જાગૃત અવસ્થામાં લખો છો ?
તમારા પરિવારને  આ બાબતની જાણ છે ?
*આ ચેકની રકમ બે કરોડ રૂપિયા છે , એ આપ જાણો છો ?”*
 
“હા બેટા , મારા પરિવાર ને ખબર છે. અને  ચેકની રકમ બે કરોડ રૂપિયા છે એ પણ હું જાણું છું. વધારે ખાતરી કરવી છે?
 
પણ આ ચેક સામે તમારે મને એક વચન આપવું પડશે.”
 
‘બોલો દાદા….’
 
    આ સંસ્થા માં આવતી દરેક વ્યક્તિ પીડિત હોય છે. તે કોઈ પણ ખરાબ સંજોગોના શિકાર બનેલ હોય છે….
    આવી વ્યક્તિઓના ફોટા પાડવા વિડિયો  ઉતારવા યોગ્ય લાગે છે ?
 
“ના દાદા…”
 
આ કોઈ કીર્તિદાન નથી બેટા તેથી….
બસ , મારી એક નાની શરત છે. આ સંસ્થામાં ફોટો તથા વીડિયો ઉતારવાની સંદતાર મનાઈ છે.. આટલું બોર્ડ મારી દેજો…..!!
 
     કાર્યાલયનો સ્ટાફ દાદાને હાથ જોડી બોલ્યા , “દાદા કોઈના પહેરવેશ ઉપર થી વ્યક્તિ વિશે અનુમાન ન બાંધવું જોઈએ . અમે તમને ઓળખવામાં ભૂલ કરી …..!!”
 
દાદા , દાનની રીસીપ્ટ કોના નામે બનાવીએ…..?
 
દાદા બોલ્યા…દાન નહીં બેટા ભેટ બોલ
રીસીપ્ટની તો મારે જરૂર નથી  છતાં પણ આપવી હોય તો મારા નામની જગ્યા એ લખ…..
 
*”કૃષ્ણ અર્પણમ્…”*
 
બેટા ધરતીકંપ વખતે તારી સંસ્થાનું ઘણું અમારા પરિવારે ખાધું હતું ,  ત્યારે જ મેં નિર્ણય લીધો હતો . સમય આવે એક એક દાણાનો વ્યાજ સાથે હિસાબ અહીં હું પરત કરીશ.
 
    થોડા સંમય પહેલા મારો બંગલો વેચાયો , તેની રકમની વ્યવસ્થા માટે મેં જયારે મારા  પુત્ર  કુણાલને USA  ફોન કર્યો ત્યારે તેણે માત્ર એટલું જ કીધું…..
 
પપ્પા આપણો પરિવાર ધરતીકંપ વખતે બચી ગયો હતો , એ કોઈ     કુદરતી સંકેત સમજી લ્યો. આપણે ન બચ્યા હોત તો આ મિલ્કત લાવારીસ જ પડી રહી હોત…જેણે બચાવ્યા તેને અર્પણ કરી દ્યો..
 
જે સંસ્થાનું આપણે ખાધું હતું , તે સંસ્થાને પાછું આપી તમારું ઋણ ઉતારો પપ્પા…..!!! અહીં ભગવાને મને ઘણું આપ્યું છે. પુણ્યનું ભાથું ભરી લ્યો મોડું ન કરતા..
*જ્યોત સે જ્યોત જલે .*
સેવાભાવી સંસ્થાઓને  કોઈ આપશે તો સંસ્થા ચાલશે .
 
બેટા , હવે જાત ચાલતી નથી. કાયમ માટે હું USA જાઉં છું. આજે આ સંસ્થાને આપેલ વચન  પૂરું કરી હું હળવો થઈ  ગયો છું…..!!
       અહીં  આવતા દરેક વ્યક્તિ દુઃખી લાચાર અથવા કુદરતી આપત્તિનો ભોગ બનેલ હોય છે. આવી વ્યક્તિઓ સાથે માનવતાભર્યું વર્તન અને વ્યવહાર કરજો . કુદરત રૂઠી હોય ત્યારે આવી વ્યક્તિઓ સાથે મજાક ન કરાય…
 
ચલ બેટા , 🙏🏼જય શ્રી કૃષ્ણ….!!
દાદા ઉભા થયા… સાથે આખો સ્ટાફ હાથ જોડી ઊભો થયો.
 
મિત્રો ,
 
મોત માટે તો કોઈ કારણ નિમિત્ત બને છે. એ તો કોઈ પણ સ્વરૂપે આવે છે. મારનાર સાથે તારણહાર ઉપર પણ વિશ્વાસ  મુકવો જોઈએ .
 
આપણી નજર હંમેશા કોઈ પણ ઘટના વખતે કેટલા મર્યા એ સંખ્યા ઉપર જ હોય  છે. પણ કેટલા બચ્યાં તેની ઉપર જતી નથી.જો મારનાર માટે ઈશ્વર જવાબદાર હોય તો બચાવનાર માટે કેમ નહીં ?
 
પરમાર્થ કરવા નીકળ્યા હો,
કોઈ ભૂખ્યાનું પેટ ઠારવા નીકળ્યા હોવ ત્યારે  તમારા મોબાઈલ થી ફોટા ન પાડતા નહિતર તમારા કપડાં જયારે ખેંચાશે  ત્યારે પ્રભુ ફોટા પાડતો હશે
👆🏽બહુ જ ઉત્કૃષ્ટ વાત કરી છેં
 
       અહીં  આવતા દરેક વ્યક્તિ દુઃખી લાચાર અથવા કુદરતી આપત્તિનો ભોગ બનેલ હોય છે. આવી વ્યક્તિઓ સાથે માનવતાભર્યું વર્તન અને વ્યવહાર કરજો . કુદરત રૂઠી હોય ત્યારે આવી વ્યક્તિઓ સાથે મજાક ન કરાય…
 
ચલ બેટા , 🙏🏼જય શ્રી કૃષ્ણ….!!
 
દાદા ઉભા થયા… સાથે આખો સ્ટાફ હાથ જોડી ઊભો થયો.
 

Source … WhatsApp

Old age . .. Enjoy Gunvant shah article

સીનીયર સીટીઝનની ખુમારી ખુટવી ન જોઈએ. ખુમારી ખુટે ત્યારે જ ઘડપણ પ્રવેશે. ઘડપણની ખરી બહેનપણી ખુમારી છે. સીનીયર સીટીઝન હોવાને નાતે ગુજરાતના સૌ સીનીયર સીટીઝન્સને ખાસ વીનંતી છેઃ ‘તમને ટટ્ટાર રાખનારી અખંડ સૌભાગ્યવતી ખુમારીદેવીને જાળવી લેવાનું ચુકશો નહીં.’

Inspirationa Article on Senior Citizen by Great Gujarati  Writer shri. Gunvant Shah 👌👌

સીનીયરનનું સ્વરાજ – ગુણવંત શાહ

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: સમય અને અવકાશ. સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો ‘મોકળાશ’ કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે, કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે !

            ઘણાખરા સીનીયર સીટીઝનોને ગ્રહદશા નહીં આગ્રહદશા નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક આગ્રહો નવી પેઢીને પજવનારા હોય છે. જેમ ઉંમર વધે તેમ આગ્રહો પણ ઉંમરલાયક બનીને થીજી જાય છે. આગ્રહ પોતાને માટે ભલે રહ્યો ! પોતાના આગ્રહો બીજા પર લાદે તે મુર્ખ છે. મુર્ખતા પણ ખાસ્સી સીનીયર હોઈ શકે છે. દીકરાવહુને પોતાનો અભીપ્રાય એકવાર આપી દીધા પછીનું મૌન દીવ્ય હોય છે. સામેવાળી વ્યક્તી ગમે તેટલી નાની ઉંમરની હોય તોય તેને વણમાગી સલાહ ન આપવામાં વૃદ્ધત્વની અનેરી શોભા પ્રગટ થાય છે. જે વયોવૃદ્ધ સીટીઝન મફત સલાહ કેન્દ્રનો માલીક હોય તે દુખી થવા સર્જાયેલો જીવ છે. ભગવાન પણ તેને સુખી ન કરી શકે.

         માણસને મળતી મોકળાશ ગાભણી હોય છે. ઉત્તમ card company, નાટકો, શીલ્પો, ચીત્રો, ફીલ્મો, ગીતો અને કલાકૃતીઓ માનવજાતને મળ્યાં તે માટે સર્જકોને પ્રાપ્ત થયેલી મોકળાશનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. કવી વોલ્ટ વ્હીટ્મન પોતાને ભવ્ય આળસુ (મેગ્નીફીસંટ આઈડ્લર) તરીકે ગૌરવભેર ઓળખાવતો. નોબેલ પારીતોષીક વીજેતા કવી પાબ્લો નેરુદા પોતાનાં સંસ્મરણો પર લખેલા પુસ્તકમાં નવરાશનો મહીમા કરે છે અને ત્યાં સુધી કહે છે કે ‘સમય વેડફવા જેવી સુંદર બીજી કોઈ ચીજ નથી.’ અહીં સમય વેડફવાની વાત સાથે મોકળાશનું સૌંદર્ય કેન્દ્રમાં રહેલું છે. ઘણા સીનીયર સીટીઝન્સ મોકળાશનો સ્વાદ ધરાઈને માણે છે. એ સ્વાદનું રહસ્ય એમના મીજાજમાં રહેલું છે. એ મીજાજ એટલે સ્વરાજનો મીજાજ. સ્વરાજનો મીજાજ એટલે શું? ‘હવે હું કોઈને જવાબ આપવા બંધાયેલો નથી’, એવી દાદાગીરીમાં દાદાની ખરી શોભા પ્રગટ થાય છે. સ્વતંત્ર હોવું એટલે જ પોતાની મરજીના માલીક હોવું. મરજીની ગુણવત્તા એટલે જ જીવનની ગુણવત્તા. માણસે પોતાની મરજીને માંજી માંજીને શુદ્ધ કરવી રહી. મરજીના માલીકને, ‘માલીક’ની મરજી પર શ્રદ્ધા હોવી જોઈએ. સીનીયર સીટીઝનના સ્વરાજનું આ રહસ્ય છે.

            જે વડીલોને સાહીત્ય, સંગીત, સત્સંગ, સમાજસેવા, પ્રવાસ કે પ્રેમ જેવી બાબતોમાંથી કોઈ એક સાથે પણ નીસ્બત ન હોય તેમણે દુખી થવાની પુરી તૈયારી કરી લીધી છે એમ કહી શકાય. નવરાશ એટલે કર્મશુન્યતા નહીં, પણ મનગમતા કર્મની સમૃદ્ધી. વડીલોએ વારંવાર પોતાની જાતને પુછવા જેવો પ્રશ્ન છે,‘મારો માહ્યલો શેમાં રાજી?’ જે કર્મ કરતી વખતે હેત અને હરખનો અનુભવ થાય તે કર્મ કરવું અને બીજું ફાલતું કર્મ ટાળવું એ તો પાછલી ઉંમરનો વીશેષાધીકાર ગણાય. જે વડીલ કોઈના કામમાં ટકટક ન કરે તે વડીલ પોતાના કામમાં બીજાની ટકટક નહીં સહન કરવાનો અધીકાર પ્રાપ્ત કરે છે. આ દુનીયા આપણી કલ્પના પ્રમાણે ચાલે એવી ઈચ્છા રાખવી એ પણ એક પ્રકારની નાસ્તીકતા ગણાય. સમગ્ર જીવન કેવળ પૈસા એકઠા કરવામાં જ વીતી ગયું હોય, તો પાછલી ઉંમરે દુખનું ડીવીડંડ મૃત્યુ સુધી મળતું જ રહે છે. નોકરી છુટી જાય પછી જે ખાલી થેલી જેવા બની જાય, તેઓ નોકરી ચાલુ હતી ત્યારે પણ ખાલીખમ જ હતા ! એમને એ વાતની ખબર ત્યારે ન હતી, તે જુદી વાત છે.

           સીનીયર સીટીઝનના સુખનો ખરો આધાર પગ ઉપર રહેલો છે. આપણે ત્યાં જે માણસ કમાણી કરતો હોય તેને માટે કહેવામાં આવે છે કે એ ‘પોતાના પગ પર’ ઊભો છે. જેના પગ સાબુત તેનું ચાલવાનું સાબુત ! જે ચાલવાનું રાખે તેને કકડીને ભુખ લાગે. કકડીને લાગતી ભુખ પછી જે ખવાય, તે અન્ન પચી જાય છે. અન્નવૈભવનું ખરું રહસ્ય ભુખવૈભવમાં સમાયું છે. જે સીનીયર સીટીઝન રોજ પાંચ કીલોમીટર સ્ફુર્તીથી ચાલે, તેને ભુખવૈભવ સાથે થાકવૈભવ પણ પ્રાપ્ત થાય. થાકવૈભવ પ્રાપ્ત કરનારને ઉંઘવૈભવ પણ આપોઆપ મળે છે. ભુખવૈભવ, થાકવૈભવ, અને ઉંઘવૈભવ પ્રાપ્ત થાય, તેને સ્ફુર્તીવૈભવ મળી રહે છે. સ્ફુર્તી છે, તો જીવન છે. જીવન છે, તો જીવવાનો આનંદ છે. આનંદનું ઉદ્ ઘાટન પગના સદુપયોગ થકી થતું હોય છે. પગ વડે પરમેશ્વર સુધી પહોંચવાનું છે. લોકો પથારી થકી પરમેશ્વર સુધી પહોંચવાની પેરવી કરતા હોય છે. એક વડીલ પંચાણું વર્ષે મૃત્યુ પામ્યા ત્યારે દીકરાની વહુ બોલી, ‘પપ્પા સવારે તો ફરવા ગયેલા અને બપોરે એકાએક શાંત થઈ ગયા !’ મૃત્યુ પામેલા વડીલને આનાથી ચડીયાતી અંજલી બીજી શી હોઈ શકે? એને કહેવાય રળીયામણું મૃત્યુ !

         વડીલોએ કોઈ પણ હીસાબે બે કલાક પોતાના ખાસ કલાકોં તરીકે અલાયદા રાખવા જોઈએ. પરીવારના જુનીયર લોકોને તેથી ખાસ રાહત મળતી હોય છે. સીનીયર સીટીઝનને પોતાના સ્વરાજની જેમ જુનીયર સીટીઝનનું સ્વરાજ પણ વહાલું હોવું જોઈએ. ખાસ કરીને દીકરાની વહુનો આદર જીતી લેવાની કળા ખુબ મહત્ત્વની છે. જે સાસુને માતા બનતાં ન આવડે અને જે સસરાને પીતા બનતાં ન આવડે તેઓ ફુલ્લી નપાસ ગણાય. છુટાં રહેવું સારું, છેટાં રહેવું સારું, પણ ભેગાં રહીને ઝઘડતાં રહેવું અત્યંત નઠારું ! તમે દીકરાની જન્મતીથી યાદ નહીં રાખો તો ચાલશે, પણ પુત્રવધુની વર્ષગાંઠ યાદ રાખીને નવી સાડી ભેટ આપવાનું ચુકી જાઓ તેમાં શાણપણ નથી. જે પરીવારમાં ગૃહલક્ષ્મીનો આદર નથી હોતો, તે ઘરમાંથી સુખ પાછલે બારણેથી ભાગી છુટે છે.

          પુજ્ય રવીશંકર મહારાજ વાતવાતમાં કહેતા કે માણસે પાકેલી ખારેકની માફક ખરી પડવાનું છે. સીધી લીટીનો માણસ નાસ્તીક હોય તોય આધ્યાત્મીક જાણવો. આપણે ત્યાં ક્યારેક સો ટચનો સજ્જન મનુષ્ય કોઈ લંપટ સાધુનો ચરણસ્પર્શ કરતો જોવા મળે ત્યારે દુખ થાય છે.

           કેટલાક સીનીયર નાગરીકો ભક્તીમાં વેવલા બનીને ગાંડપણ પ્રગટ કરતા રહે છે. એ માટે આવનારા મૃત્યુનો ડર કારણભુત છે. સીનીયર સીટીઝનની ખુમારી ખુટવી ન જોઈએ. ખુમારી ખુટે ત્યારે જ ઘડપણ પ્રવેશે. ઘડપણની ખરી બહેનપણી ખુમારી છે. સીનીયર સીટીઝન હોવાને નાતે ગુજરાતના સૌ સીનીયર સીટીઝન્સને ખાસ વીનંતી છેઃ ‘તમને ટટ્ટાર રાખનારી અખંડ સૌભાગ્યવતી ખુમારીદેવીને જાળવી લેવાનું ચુકશો નહીં.’

..પાઘડીનો વળ છેડે..

આપણે વૃદ્ધ થઈ ગયાં તેથી હસવાનું ઓછું નથી થયું, પરંતુ

આપણું હસવાનું ઓછું થયું , તેથી આપણે વૃદ્ધ થઈ ગયાં1

––‘અનામી ચીંતક’

– ગુણવંત શાહ

For all my Senior citizen Friends

Courtesy.  WhatsApp…

ઘડપણનું છે સરસ નામ,

કોઈ કહે સન્યાસાશ્રમ
કોઈ કહે વાનપ્રસ્થાશ્રમ
પણ હું કહું આનંદાશ્રમ
ઘડપણમા આપણે કેવું રહેવું
ઘરમાં હોવ તો આશ્રમ જેવું
આશ્રમમાં હોવ તો ઘર જેવું
ક્યાંય ગુંચવાવું નહિ
જુની યાદો કાઢવી નહિ
“અમારા વખતે” બોલવું નહિ
અપમાન થાયતો જાણવું નહિ
ખાલી ખાલી લંબાણ કરવુંનહિ
સુખ ની ભટ્ટી જમાવતા રહેવું
બધાથી દોસ્તી જોડતા રહેવું
રાગ લોભ ને દૂર ભગાડવો
આનંદને હંમેશા અનુભવવો
ઘડપણ પણ તો સરસ હોય
લેન્સ ઇમ્પ્લાંટથી ચોખ્ખું દેખાય
ચોખટાંથી સહેલાઇથી ચવાય
કાનયંત્રથી સરસ સંભળાય
પાર્કમાં જઈને ફરી અવાય
મંદીરમાં જઈ ભજન ગવાય
ટી વી ની સિરિયલ જોવાય
છોકરાંઓ સામે ચૂપ રહેવું
પોતા પોતી સાથે રમતા રહેવું
પત્નિ સાથે લડતા જાવું
મિત્રોસાથે ગપ્પા મારતા જાવું
જામે તો ટૂરપર જાતાં રહેવું
પત્નિનો સામાન ઉપાડી લેવું
થાકો ત્યાંજ બેસી જાઓ
ગમેત્યારે જ્યુસ પી લેવો
લાયન / રોટરી -જૈન જાઞૃતી  એટેન્ડ કરવું
સમય હોય તો ગાઈ લેવું
એકાંત માં નાચી લેવું
કોઈ જોઈ લે તો વ્યાયામ ગણાવુ
કંટાળો આવે તો સુઈ જાવું
જાગી જાઓ તો ફેસબુક જોવું, જોતા જોતા નસકોરા બોલાવો
ટોકે કોઈ તો વ્હાૅટ્સએપખોલવું
ઘરમાં એકલાં હોવ તો રસોડામાં જઈ દુધની મલાઈ ગાયબ કરો
છોકરાઓનો નાસ્તો ટેસ્ટ કરવો

1332…દાદાનો હાર્ટ એટેક ! … એક બોધ કથા

દાદાનો હાર્ટ એટેક ! … એક બોધ કથા

એક 80 વર્ષના દાદાને હાર્ટ એટેક આવ્યો

દાદાનું જીવન ધાર્મિક વિચારોથી ભરેલું હતું,ને ખુબ સુખી સંપન્ન પણ હતા. સારામાં સારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા,*

 

*ડોક્ટરે કહ્યુ દાદા ત્રણ કલાક તમારૂં બાયપાસનું ઓપરેશન ચાલશે ત્રણ દિવસ રોકાવું પડશે….*

*દાદા કહે જેવી પ્રભુની ઇરછા…*

 

*ઓપરેશન પતી ગયું, ત્રણ દિવસ વિતી ગયાં ,દાદાને રજા આપતી વખતે ડોક્ટરે દાદાને બીલ આપ્યું આઠ લાખ રૂપિયા…*

 

*એ બીલ જોઈને દાદા ખૂબ રડવા લાગ્યાં ડોક્ટર દયાળુ હતા કહયું દાદા કેમ રડો છો ?,*

તમને બીલ વધારે લાગ્યુ હોય તો મને  બે લાખ ઓછા આપો પણ તમે મારી હોસ્પિટલમાં મારા દાદાની ઉંમરના થઇને રડો છો તેથી મને દુ:ખ થાય છે…*

 

દાદાએ કહ્યું ના ડોક્ટર ભગવાને મને ઘણું આપ્યું છે તમે આઠ લાખ નહીં બાર લાખ બીલ આપ્યું હોત તો પણ હું આપી શકું તેમ છું .

 

*પણ હું કેમ રડું છું એ તમે નહીં સમજી શકો એ બોલતા દાદા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યાં…*

 

*ડોક્ટરે કહ્યું દાદા મારાથી કોઈ ઓપરેશનમાં ભૂલ થઈ છે તમને કોઈ દુ:ખાવો કે બીજી કોઈ શારીરીક તકલીફ થાય છે…*

 

*દાદાએ કહ્યું ના ડોક્ટર તમે ખુબ સરસ ઓપરેશન કર્યુ છે,*

 

*ડોક્ટરે કહ્યું તો પછી દાદા કેમ રડો છો તમે?*

 

*દાદા કહે ડોક્ટર તમે નહીં સમજી શકો,*

 

*ડોક્ટરે કહ્યું પ્લીઝ ,જે હોય તે તમે મને જરૂર જણાવો,*

 

*દાદાએ કહયું, તો સાંભળો, “ડોક્ટર સાહેબ, તમે મારા હૃદયનું ઓપરેશન કર્યુ ,મારૂં હ્રદય ત્રણ કલાક સાચવ્યું અને ત્રણ કલાક ના આઠ લાખ રૂપિયા….*

 

*હું એ પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીને રડી રહયો છું કે જેમણે મારૂં હ્રદય 80 વર્ષ સુધી એક પણ રૂપિયાના ચાર્જ વગર ચલાવ્યું અને સાચવ્યું…*

 

*ત્રણ કલાકના આઠ લાખ રૂપિયા તો 80 વર્ષના કેટલા થાય ?*

 

*એ દયાના મહાસાગરને યાદ કરીને ડોક્ટર હું રડી રહયો છું…*

 

*આ સાંભળતા જ  ડોક્ટર દાદાના પગમાં પડી ગયાં…*

 

*તેમ છતાં આપણે એક ભિખારીની જેમ ભગવાન પાસે માગવા પહોંચી જઇએ છીએ…*

 

*શું નથી આપ્યું એણે ? આજ સુધીનું જે પણ જીવન જીવાયુ એ એની જ કૃપા, કરૂણા છે ને !!!!!!…*

 

*બોધ :*

 

*આપણ ને જે મફતમાં મળે છે એની કિંમત સમજવાની પણ અક્કલ જોઈએ.જે ઉપર વાળા એ આપ્યું છે તેની કદર કરતાં શીખવું જોઈએ.માગ્યા વગર ઘણું બધું આપ્યું છે   છતાંય ,બીજું વધુ માગવા પાછા એની પાસે દોડી જઇએ છીએ…*

*ઉઠાડે,સુવાડે ,શ્વાસોશ્વાસ ચલાવે,ખાધેલું પચાવે, સ્મૃતિ પાછી આપે, શક્તિ આપે અને શાંતિ આપે, એ પરમકૃપાળુ પરમાત્માને ઉઠતાં, જમતા ને સુતાં કૃતજ્ઞતાપૂર્વક  યાદ કરીએ તો જ આપણે માણસ કહેવાઈએ.*

 વોટ્શેપમાથી મળેલું ….

 

“ઈશ્વર ધી બેસ્ટ ઍન્જિનિયર”

આંખરૂપી કૅમરા ગોઠવ્યા,

કાનરૂપી રિસીવર આપ્યા,

હાર્ડડિસ્ક મૂકી દિમાગમાં,

હ્રદયરૂપી ઍન્જિન મૂક્યુ,

લોહીને બનાવ્યુ ઈંધણ,

ને ઍન્જિન જ ટાંકી ઈંધણની,

ને પછી લાંબી પાઈપલાઈન,

હાડમાંસથી બૉડી બનાવી,

કવર ચઢાવ્યુ ચામડીનુ,

કીડનીરૂપી ફિલ્ટર મૂક્યુ,

હવાની લેવડદેવડ માટે ફેફસા,

જે ઇનપુટની લાઈન મૂકી  તે જ

આગળ જઈ આઉટપુટની લાઈન,

વેદનાને વહાવવા આંસુ બનાવ્યા,

અને આ શરીરની બધીજ ક્રીયાઓ માટે  

કેમિકલ સિગ્નલ્સ બનાવ્યા,

લાખ લાખ વંદન છે તમને !

આ બધુ તો માણસ શીખી ગયો ઈશ્વરથી,

પણ  લાગણી કેવી રીતે બનાવવી,

પ્રેમ કેવી રીતે બનાવવો,

આત્મા ક્યાંથી લાવવો ,

અમુક વસ્તુઓમાં હજુ  મોનોપોલી છે ઈશ્વરની અને રહેશે સદા…!!!

—અજ્ઞાત

આટલું સાંભળ્યા પછી એટલું જ કહીશ,

 “ગોડ તૂસી ગ્રેટ હો”

Thank God for what you have,

Trust God for what you need.

વિનોદ પટેલ 

1325 – દશેરા -વિજયા દશમી ઉત્સવ ૨૦૧૯ – Happy Dussera

દશેરા ઉત્સવ 2019

આજે 8 મી ઓક્ટોબર,૨૦૧૯ મંગળવારે દશેરા એટલે કે વિજયાદશમી,હિંદુઓ માટેનો એક અગત્યનો તહેવાર છે.મહા શક્તિના પર્વ નવરાત્રીના નવ દિવસોની રાસ-ગરબાની રમઝટ અને ધમાલ પૂરી થઈ અને એના અંતે આવતો વિજયાદશમીનો તહેવાર જુદા જ પ્રકારના કાર્યક્રમો લઈને હાજર થઇ ગયો.હવે પછી આવી રહ્યું છે અંધકારથી પ્રકાશ તરફની ઉજવણીનું યાદગાર દીવાળી-નવા વર્ષનું પર્વ.ઉત્સવો જ બસ ઉત્સવો ..!!

વિજયા દશમી એટલે કે રાવણ રૂપી આસુરી તત્વો ઉપર રામ રૂપી દૈવી તત્વોના વિજયની ઉજવણીનું પર્વ મનાય છે .

વોટ્સેપમાંથી પ્રાપ્ત….

આ દિવસે જુદાજુદા શહેરોમાં વિજયા દશમીના તહેવાર ઉપર રાવણ દહનનો એટલે કે રાવણના પુતળાને સળગાવવાનો અનોખો પ્રોગ્રામ રાખવામાં આવે છે.

વિજયાદશમીએ દર વર્ષે રાવણ દહનના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અચૂક હાજરી આપે છે અને વિધિપૂર્વક પૂજન કરી રાવણ દહન ના કાર્યક્રમમાં સામેલ થાય છે.નીચેના વિડીયોમાં શ્રી નરેન્દ્ર મોદીને દિલ્હીમાં રાવણ દહનના કાર્યક્રમમાં ભાગ લેતા જોઈ શકાય છે.

Vijaya Dashami પર Delhiમાં Ravan Dahan કાર્યક્રમમાં પહોંચ્યા PM Modi. ત્રણ નહીં ચાર પૂતળાનું કર્યું દહન. વિશેષ છે ગ્રાઉન્ડ પરનું મંચ.Oct 8, 2019.

દશેરા અને ફાફડા જલેબી

દશેરાના દિવસને ફાફડા જલેબી ખરીદી-આરોગીને ઉજવવાની એક ચીલા ચાલુ પ્રથા પડી ગઈ છે.આ દિવસ આવે એટલે અમદાવાદમાં ફાફડા જલેબી ખરીદવા લાંબી કતારના દ્રશ્યો નજર સમક્ષ સમક્ષ ખડા થઇ જાય છે.આ લખનાર જીવ પણ અમદાવાદી છે અને ઘણા વર્ષો અમદાવાદમાં રહેલો છે એ એમાંથી બાકાત નથી. આજે અમેરિકામાં રહ્યા રહ્યા યાદ આવે છે ઈન્કમટેક્સ ચાર રસ્તા ઉપર આવેલી ફરસાણની એક જાણીતી દુકાને આ લખનાર પણ થેલી લઈને લાઈનમાં ઉભો રહી ફાફડા-જલેબી ચહેરા ઉપર એક વિજયનો ભાવ ધારણ કરી ખરીદી લાવતો અને સપરિવાર વિજય દશમીની ઉજવણી કરવાનો એ અદ્ભુત અનુભવની યાદ તાજી થઇ આવે છે .

દશેરા ઉત્સવ પર થોડુંક   હળવું…

દશેરા સ્પેશ્યલ || સાંઈરામ દવે || SAIRAM DAVE

દશેરા -વિજયા દશમી ૨૦૧૯ ની શુભેચ્છાઓ

વિજયાદશમીના આજના શુભ પ્રસંગે,વિનોદ વિહારના (આજનો 832,730 મુલાકાતીઓનો અંક) સહિત અનેક ભાવિ વાચક મિત્રોને પણ અનેક શુભ કામનાઓ .

May this Dussera bring you loads of joy, success and prosperity,and may your worries burn away with the effigy of Ravana. Wishing you a year full of smiles and happiness.

May Lord Rama keep lighting your path of success and may you achieve victory in every phase of life.

Happy Dussera.

વિનોદ પટેલ, વિજયા દશમી