વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: બોધ કથાઓ

1294- प्रार्थना का अर्थ! …. Osho

एक घटना कबीर के जीवन में है। एक बाजार से गुजरते हैं। एक बच्चा अपनी मां के साथ बाजार आया है। मां तो शाक-सब्जी खरीदने में लग गई और बच्चा एक बिल्ली के साथ खेलने में लग गया है। वह बिल्ली के साथ खेलने में इतना तल्लीन हो गया है कि भूल ही गया कि बाजार में हैं; भूल ही गया कि मां का साथ छूट गया है; भूल ही गया कि मां कहां गई।

कबीर बैठे उसे देख रहे हैं। वे भी बाजार आए हैं, अपना जो कुछ कपड़ा वगैरह बुनते हैं, बेचने। वे देख रहे हैं। उन्होंने देख लिया है कि मां भी साथ थी इसके और वे जानते हैं कि थोड़ी देर में उपद्रव होगा, क्योंकि मां तो बाजार में कहीं चली गई है और बच्चा बिल्ली के साथ तल्लीन हो गया है।

अचानक बिल्लीने छलांग लगाई। वह एक घर में भाग गई। बच्चे को होश आया। उसने चारों तरफ देखा और जोर से आवाज दी मां को। चीख निकल गई। दो घंटे तक खेलता रहा, तब मां की बिल्कुल याद न थी..क्या तुम कहोगे?

कबीर अपने भक्तों से कहतेः ऐसी ही प्रार्थना है, जब तुम्हें याद आती है और एक चीख निकल जाती है। कितने दिन खेलते रहे संसार में, इससे क्या फर्क पड़ता है? जब चीख निकल जाती है, तो प्रार्थना का जन्म हो जाता है।

तब कबीर ने उस बच्चे का हाथ पकड़ा, उसकी मां को खोजने निकले। तब कोई सदगुरु मिल ही जाता है जब तुम्हारी चीख निकल जाती है। जिस दिन तुम्हारी चीख निकलेगी, तुम सदगुरु को कहीं करीब ही पाओगे..कोई फरीद, कोई कबीर, कोई नानक, तुम्हारा हाथ पकड़ लेगा और कहेगा कि हम उसे जानते हैं भलीभांति; हम उस घर तक पहुंच गए हैं, हम तुझे पहुंचा देते हैं।

प्रार्थना का अर्थ हैः याद, कि अरे, मैं कितनी देर तक भूला रहा! प्रार्थनाका अर्थ हैः स्मृति, कि अरे, मैंने कितनी देर तक विस्मरण किया! प्रार्थनाका अर्थ हैः याद, कि अरे, क्या यह भी संभव है कि इतनी देर तक याद भूल गई थी! तब एक चीख निकल जाती है। तब आंखें आंसुओं से भर जाती हैं; हृदय एक नई अभीप्सा से! तब सारा संसार पड़ा रह जाता हैः रेत के घर-घुले हैं! फिर तो जब तक मां न मिल जाए, तब तक चैन नहीं।

(अकथ कहानी प्रेम की) …

एक मित्रके इ-मेलमें से साभार ..

प्रार्थना करो … अपेक्षा मत करो

1286- બે પ્રેરક સામાજિક વાર્તાઓ …સંકલિત

મિત્રો એમના વોટ્સેપ સંદેશમાં અવાર નવાર સાંપ્રત સમયના સમાચાર,વિડીયો, ટૂંકાં સુવાક્યો વી. ઉપરાંત ઉત્તમ ગમે એવી સાહિત્ય સામગ્રી મોકલતા હોય છે.

આજની પોસ્ટમાં આવા વોટ્સેપ સંદેશમાં પ્રાપ્ત મને ગમેલી બે ટૂંકી વાર્તાઓ વાચકોને માટે પ્રસ્તુત કરું છું.

આ સામાજિક વાર્તાઓમાં જીવન ઉત્કર્ષ માટેનો જે સુંદર સંદેશ છે એ આપને ગમશે.

વિનોદ પટેલ

જીવનની PHD …જય લીમ્બાચીયા

જીવનની પી.એચ.ડીની ડીગ્રી પ્રાપ્ત એક વૃદ્ધ માજીની વાત 

સાંજના સમયે માજી ખુરસીમાં બેઠા બેઠા ગીતા પાઠ વાંચી રહ્યા હતા !

બેડ રૂમમાંથી પુત્ર પુત્રવધુ સાથે સરસ તૈયાર થઈને બહાર આવ્યા !

પુત્ર વધુ બોલી “ બા,ફ્રીજમાં ભાત પડ્યો છે,તે વઘારીને જમી લેજો,અમે પાર્ટીમાં જઈએ છીએ રાત્રે મોડા આવીશું ! ”

માજી બોલ્યા “ શાંતિથી જાવ,મારી ચિંતા કરશો નહિ,હું દૂધ ભાત પણ ખાઈ લઈશ !”

બંને પાર્ટીમાં જવા નીકળી ગયા !

અર્ધો કલાક ગાડી ચલાવીને પાર્ટી હોલ પર પહોચવાની તૈયારી હતી ત્યાં પુત્રએ યુ ટર્ન મારી ગાડી ઘર તરફ ભગાવી, સમજુ પત્ની સમજી ગઈ !

બંનેએ મનોમન ઘરે પહોચીને માજીના પગ પકડી માફી માંગી લેવાનું નક્કી કર્યું !

લિફટમાં દસમે માળે પહોચ્યા તો ઘરમાં મોટા અવાજે કોઈ ફિલ્મી ગીત વાગી રહ્યું હતું !

બેલ મારી તો માજીનો અવાજ સંભળાયો “ કાન્તા,દરવાજો ખોલ પીઝાવાળો ઝટ આવી ગયો લાગે છે ! ”

દરવાજો ખુલ્યો તો ૯મા માળ પર રહેતા કાન્તાકાકીને ઉભેલા જોઇને પતિ પત્ની આશ્ચર્ય પામી ગયા.

ઘરમાં ગયા તો ફલેટના સાત આઠ માજી અને બે ચાર ડોસા હાથમાં કોકો- કોલાના ગ્લાસ સાથે,મ્યુઝીક સીસ્ટમ પર વાગતા “ પાણી પાણી —– ” ગીત સાથે ઝૂમી રહ્યા હતા !

પુત્ર પુત્ર- વધુને જોઇને માજી થોડીક ક્ષણ અવાક થઇ ગયા,પણ સ્થિરતા જાળવી બોલ્યાં ..
“ બેટા શું થયું પાર્ટી કેન્સલ થઇ, વાંધો નહિ, ચાલો હું ફોન કરી એક વધુ પીઝા મંગાવી દઉં છું !”

આ નવી વાર્તા પરથી યુવાનો એટલું સમજી લે કે ઘરડા માતા પિતાને લાચાર સમજવાની ભૂલ કદાપી કરશો નહિ, તમે આજે જે જીવનના પાઠ ભણી રહ્યા છો,તેમાં તમારા જન્મ દાતા PHD થયેલા છે !

સીનીયર લોકો તમે સંતાનોના આશ્રિત બનીને જીવશો નહિ, તમારી પી.એચ.ડીની ડીગ્રીનો ઉપયોગ કરીને જીવો !

-Jay Limbachiya

સૌજન્ય.. ..  પ્રતિલીપી.કોમ  

 

ચિત્ર સૌજન્ય .. ગુગલ ઈમેજ 

પીઝઝાના એ આઠ ટુકડા……….

જીવનનો અર્થ સમજાવતી વાર્તા ...

પત્ની એ કહ્યું – આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા, કામવાળી બે દિવસ નહિ આવે…

પતિ: કેમ???

પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા આપું બોનસ??

પતિ: કેમ?? હમણાં દિવાળી આવે જ છે ને ત્યારે આપશું

પત્ની: અરે ગરીબ છે બિચારી, દીકરી ને મળવા જાય છે તો તેને પણ સારું લાગશે અને આ મોંઘવારી માં આટલા પૈસા થી એ શું તહેવાર ઉજવશે?

પતિ: તું પણ જરૂર થી વધારે દયાળુ થઇ જા છો

પત્ની: ના ચિંતા નહિ કરો આજે આપણે પીઝઝા ખાવા જવાનો પ્રોગ્રામ હતો એ હું કેન્સલ કરી નાખું છુ. વાંસી પાવ ના એ 8 ટુકડા માં ખાલી ખોટા 500 રૂપિયા ઉડી જશે.

પતિ: વાહ…અમારા મોઢા માંથી પીઝઝા છીનવી ને બાઈ ની થાળી માં???

ત્રણ દિવસ પછી કચરું કાઢતી કામવાળી ને સાહેબે એ પૂછ્યું

પતિ:કેમ રહી રજા?

કામવાળી: બહુ સારી રહી સાહેબ…દીદી એ 500 રૂપિયા આપ્યા હતા ને…તહેવાર નું બોનસ

પતિ: તો જઈ આવી જમાઈ ને ત્યાં?? મળી લીધું દીકરી અને છોકરાઓ ને

કામવાળી: હા સાહેબ મજા આવી, બે દિવસ માં 500 રૂપિયા ખર્ચી નાખ્યા

પતિ: એમ?? શું કર્યું 500 રૂપિયાનું???

કામવાળી:

દીકરી ના છોકરા માટે ૧૫૦ રૂપિયા નો શર્ટ લીધો,
બેબી માટે 40 રૂપિયા ની ઢીંગલી,
દીકરી ને 50 રૂપિયા આપ્યા મીઠાઈ ના,
50 રૂપિયા નો મંદિર માં પ્રસાદ ચઢાવ્યો,
60 રૂપિયા તો આવવા જવા નું ભાડું થયું,
25 રૂપિયા ની બંગડી દીકરી ને આપી,
50 રૂપિયા નો બેલ્ટ જમાઈ ને આપ્યો
અને વધેલા 75 રૂપિયા દીકરી ના છોકરાઓ ને આપ્યા, બુક અને પેન્સિલ લેવા માટે કચરા

પોતા કરતી વખતે પુરેપુરો હિસાબ એના મોઢે હતો!!!

પતિ: 500 રૂપિયા માં આટલું બધું????

મન માં જ વિચાર આવવા લાગ્યા….

તેની સામે 8 ટુકડા કરેલા પીઝઝા ફરી રહ્યા હતા અને દરેક ટુકડો જાણે ઝેર લાગી રહ્યો હતો…

પોતાના એ એક પીઝઝા ના ખર્ચ ની બરાબરી તે કામવાળી બાઈ ના તહેવાર ના ખર્ચ સાથે કરી રહ્યો હતો.

‪#‎પહેલો‬ ટુકડો છોકરા ની શર્ટ નો,
‪#‎બીજો‬ ટુકડો દીકરી ની મીઠાઈ નો,
‪#‎ત્રીજો‬ મંદિર માં પ્રસાદ નો,
‪#‎ચોથો‬ ભાડા નો,
‪#‎પાંચમો‬ ઢીંગલી નો,
‪#‎છઠ્ઠો‬ બંગડી નો,
‪#‎સાતમો‬ જમાઈ ના બેલ્ટ નો
અને ‪#‎આઠમો‬ બુક-પેન્સિલ નો.

આજ સુધી તેણે હમેશા પીઝઝા ની એક બાજુ જ જોઈ હતી ક્યારેય પણ પીઝઝા પાછળ થી કેવો દેખાય છે એ જોવાનો પ્રયત્ન નહોતો કર્યો.

પરંતુ આજે આ કામવાળી બાઈ એ પીઝઝા ની બીજી બાજુ દેખાડી હતી…

પીઝઝા ના એ આઠ ટુકડા આજે તેને જીવન નો અર્થ સમજાવી ગયા હતા.

“જીવન માટે ખર્ચ” કે “ખર્ચ માટે જીવન” એને એક ઝાટકે સમજાય ગયું હતું.

1285 બુદ્ધને શિષ્યએ પૂછ્યું, ‘કર્મ એટલે શું ?’…..હોરાઈઝન ….. ભવેન કચ્છી

બુદ્ધને શિષ્યએ પૂછ્યું, ‘કર્મ એટલે શું ?’  …હોરાઈઝન – ભવેન કચ્છી

રાજાએ નગરચર્યા દરમ્યાન એક દુકાન નજીક થોભી જઈને ફરમાન કર્યું કે,‘આ વેપારીને ત્રણ દિવસ પછી ફાંસી આપી દેજો’

ઓશોએ ભગવાન બુધ્ધના ઉપદેશને સમજાવવા એક મર્મવેધી પ્રસંગ કહ્યો છે.

શિષ્ય : ભગવાન, કર્મ શું છે?

ભગવાન : હું તમને એક વાર્તા કહું છું.

એક વખત એક રાજા હાથી પર બેસીને નગરચર્યાએ નીકળે છે. સાથે તેનો મંત્રી પણ હોય છે. નગરચર્યા દરમ્યાન અચાનક રાજા એક દુકાન પાસે થોભી જાય છે. તે દુકાન ચંદનના લાકડાઓની હોય છે. દુકાનમાં ચંદનના લાકડાઓનો મોટો જથ્થો ખડકાયો છે. વેપારી ગાદી પર મોં વકાસીને બેઠો છે.

અચાનક રાજા આ ચંદનના લાકડાની દુકાન પાસે થંભી જતા મંત્રીને આશ્ચર્ય થયું. મંત્રી કંઈ કહે તે પહેલા જ રાજાએ ફરમાન કર્યુ કે આ ચંદનના લાકડાના વેપારીને ત્રણ દિવસ પછી ફાંસીને માંચડે ચડાવી દેજો. વેપારીને માથે તો આભ ફાટયું. બધાને સંભળાય તેમ તે આક્રંદ કરવા માંડયો. સહુ સારા વાના થઈ જશે તેમ કહી અન્ય વેપારીઓએ તેમને સાંત્વના આપી. આ દરમ્યાન તો રાજાની સવારી આગળ નીકળી ગઈ હતી.

આ તરફ મંત્રીને પણ આશ્ચર્ય થયું કે રાજાએ આ વેપારીને અને તેની દુકાનને પણ પહેલી વખત જોઈ હશે. શા માટે રાજાએ વેપારીને સીધી જ મોતની સજા જાહેર કરી દીધી ? તેની બેચેની વધતી હતી. તેને કારણ જાણવામાં અને નિર્દોષ વેપારીનું કમોત ના થાય તેવી લાગણી પેદા થઈ. તેની પાસે વેપારીને મૃત્યુદંડથી બચાવવા માટે ત્રણ જ દિવસ બાકી હતા.

રાજા નગરચર્યા બાદ ફરી મહેલ પધાર્યા. મંત્રીજી ઘરે આવ્યા અને વેશપલટો કરી ચંદનના લાકડાના વેપારી પાસે ગયા. વેપારીનું મોં રડી રડીને લાલ થઈ ગયું હતું. તે ધ્રુજારી પણ અનુભવતો હતો. વેશપલટો કરી મંત્રીજી ગ્રાહકના સ્વાંગમાં ગયા હતા.

ગ્રાહકને (મંત્રી) વેપારીએ ફરી રડી પડતાં કહ્યું કે મને રાજા ત્રણ દિવસ પછી શૂળીએ ચઢાવવાના છે. ગ્રાહક બનેલા મંત્રીએ માંડ શાંત પડેલા વેપારીને કહ્યું કે ”તારો કોઈ દોષ નથી અને આટલી આકરી સજા? સાચું કહે તેં ક્યારેય રાજાની નજરમાં ચઢે તેવું દોષિત કૃત્ય મન, વચન કે કર્મથી કર્યું છે?”

વેપારીને હૃદય ઠાલવવાની તક મળી હોય તેમ તે ગ્રાહક (મંત્રી)ને કહેવા માંડયો, ”ભાઈ, સાચું કહું છું હો… મારી ચંદનના લાકડાની આ દુકાનમાં કેટલાયે મહિનાથી ખાસ કોઈ ઘરાકી જ નથી. હું ભારે આર્થિક ભીડ ભોગવી રહ્યો છું. લાખોપતિ બનવાના સ્વપ્ન સાથે મેં ચંદનના લાકડાની આ દુકાન કર્જે લઈને કરી છે. છેલ્લા કેટલાક મહિનાથી હું એવો વિચાર પોષી રહ્યો છું કે રાજા મૃત્યુ પામે તો મારો બેડો પાર થઈ જાય. સતત એ જ મનન… એ જ રટણ… અરે ઈશ્વરને પણ પ્રાર્થના કરવા માંડયો કે રાજાનું મૃત્યુ થાય…. જો રાજાનું

મૃત્યુ થાય તો બજારમાં મારી જ દુકાન સૌથી મોટી હોઈ તેમને અગ્નિદાહ આપવાના ચિતા પરના ચંદનના લાકડાની ખરીદી મોં માગ્યા ભાવે મારી દુકાનેથી જ થાય. નગરજનો પણ ફૂલની જગાએ ચંદનના લાકડાને ચિતા પર ચઢાવવા મારી દુકાનેથી જ ખરીદી કરે. રાજાના મૃત્યુ વિચાર અને હૃદય ધબકાર જાણે સાથે ગોઠવાઈ ગયા હતા.

તે પછી વેપારી પશ્ચાતાપ સાથે રડી પડતાં કહે છે કે હું કેટલો અધમ છું. આપણા રાજા કેટલા મહાન અને પ્રજા વત્સલ છે. મારા સ્વાર્થે આવા શ્રેષ્ઠ રાજવીના મોતને મેં ઝંખ્યું… ભગવાન તેને શતાયુ બક્ષે અને હું સજાને લાયક જ છું.”

ગ્રાહક (મંત્રી)નું દિમાગ છક્કડ ખાઈ જાય છે.

તે ભારે આશ્ચર્ય સાથે મનોમન જ્ઞાાન પામે છે કે ”અહા…હા… એક વ્યક્તિના બીજી વ્યક્તિ માટેના વિચારની આ હદે સુક્ષ્મ અસર! રાજા માટેનો અભાવ… તેના મૃત્યુનો ઇંતેજાર… સતત તે માટેનું ચિંતન… રાજાના હૃદય સુધી પ્રતિક્રિયાત્મક સંસ્કારને જન્મ આપી ગયું?” રાજાને વેપારીની દુકાન પાસેથી પસાર થતા જ વેપારીના નકારાત્મક આંદોલનોનો પડઘો પડયો… અને જે વેપારી રાજાના મૃત્યુનું ચિંતન કરતો હતો તે જ રાજાને બસ વિના કારણે તે વેપારી માટે ધૃણા જન્મી અને તેણે વેપારીને મોતની સજા ફટકારી દીધી હતી.

ગ્રાહકે (મંત્રી) વેપારીની આવી નિખાલસ કબુલાત પછી સાંત્વના આપી કે ”આશા રાખો રાજાના હૃદયમાં ભગવાન વસે અને તમારી સજા માફ થાય.” તેમ જણાવી ગ્રાહકે (મંત્રીએ) વેપારીને કહ્યું કે મને તારી દુકાનના તેં અલગ રીતે સાચવી રાખેલા સુગંધીદાર શ્રેષ્ઠ ચંદનના લાકડાની ગઠરી બનાવી આપ. વેપારીને પણ આ ગ્રાહક માટે સદ્ભાવના જાગી હોઈ તેણે રાજા-મહારાજા અને ઉચ્ચ સંતો માટે અલગ જાળવી રાખેલી ચંદનના લાકડાઓની ગઠરી પેક કરી આપી. વેપારીએ ભારે ઉંચા દામનું ચંદન ગ્રાહકને ભારે વળતર સાથે ખુશીથી આપ્યું.

આવા ચંદનના લાકડા લઈ મંત્રી સીધા પહોંચ્યા રાજાના દરબારમાં. ચંદનની સુગંધથી સમગ્ર મહેલ મઘમઘી ઉઠયો. રાજાએ મંત્રીને કહ્યું કે ”મારા જનમારામાં આવા સોનાની લાકડી જેવા ચંદન અને આવી મહેકને મેં માણી નથી. મારા રોમેરોમમાં સુગંધી શીતળતા વ્યાપી ગઈ છે. મંત્રીજી કહો તો ખરા આ અલભ્ય જેવું ચંદન ક્યાંથી લાવ્યા?”

મંત્રીએ ભારે સહજતા ધારણ કરીને કહ્યું કે ”રાજન… આ તો હું બજારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પેલો ચંદનનો વેપારી છે ને… જેને તમે ફાંસીની સજા જાહેર કરી છે તેણે મને બૂમ પાડી બોલાવ્યો અને દુકાનમાં બેસાડી કહ્યું કે ”લો મંત્રીજી…

મૃત્યુ પામતા પહેલા મારી ઈચ્છા છે કે આપણા ઉમદા અને શ્રેષ્ઠ રાજાને હું આમાંથી દુર્લભ એવા ચંદનના લાકડા ભેટમાં આપવા ઈચ્છું છું.”

અગાઉ જ્યારે વેપારી રાજાના મૃત્યુ માટેના અધમ વિચાર બદલ પશ્ચાતાપ કરતો હોય છે તે જ વેળા રાજાના મનમાં પણ વેપારી માટે સજા કંઈ વિના કારણ કઠોર જાહેર થઈ છે તેમ વિચાર સ્ફૂર્યો હતો. આ સુક્ષ્મ અને અકળ પ્રક્રિયા છે. બરાબર આ જ વિચાર મંથન વખતે રાજા તે વેપારી દ્વારા મોકલાયેલા ચંદનના લાકડાની ભેટ મેળવે છે. તેનો વેપારી માટેનો સદ્ભાવ વધુ વિકસે છે. રાજા વિચારે છે કે ”હું કેવો નિર્દય અને જુલમી છું. જે વેપારી મારા માટે આવી ચાહના અને સદ્ભાવના રાખે છે તેના માટે હું મોતની સજા ફરમાવું છું.”

રાજા મંત્રીને કહે છે કે ”જાવ, તે વેપારીને કહો કે રાજાને તેમની નિમ્ન સોચ બદલ પસ્તાવો થાય છે અને તમારા પરની મૃત્યુદંડની સજા પરત ખેંચવામાં આવે છે… વેપારીને એમ પણ કહેજો કે નિયમિત રીતે મહેલ અને પૂજા માટે ચંદનના લાકડા હવે રાજા તમારી પાસેથી ખરીદશે.”

ઓશો વાર્તા પૂરી કરી શિષ્યોને કહે છે કે

”તમે પુછતા હતા ને કે કર્મ શું છે? …તેનો ઉત્તર છે આપણા વિચારો જ કર્મને જન્મ આપે છે અને તેનો પ્રત્યુત્તર પણ સામી વ્યક્તિ, સમાજ અને સંજોગો તે જ રીતે પડઘો પાડીને પરત આપે છે… ફરી તેમાંથી નવું કર્મ અને તે જ રીતે ધ્વનિ… પ્રતિધ્વનિ… કર્મ… પ્રતિકર્મની સાંકળ રચાતી જાય છે. આપણા વિચારો તે જ કર્મ છે. વિચારો જ તેનું ફળ નક્કી કરે છે.”

તમે કોઈને ચાહી ના શકો તો તેનાથી દૈહિક કે વૈચારિક અંતર કેળવો… પણ તેના માટે ઇર્ષા, અદેખાઈ કે તેની લીટી નાની કરી તમારી લીટી મોટી કરવાનો પ્રયત્ન ના કરો.

જુદા જુદા ક્ષેત્રોની સફળ વ્યક્તિઓની ખાસિયતો પર ઘણા પુસ્તકો પ્રકાશિત થયા છે અને બેસ્ટ સેલર બન્યા છે. આ પુસ્તકોના લેખકોએ સફળ વ્યક્તિઓના અભ્યાસ પરથી એ તારણ મેળવ્યું છે કે, તેઓ તેમના વિચારો અને દ્રષ્ટિને સામેની નકારાત્મક વ્યક્તિ, ઘટના કે સંજોગો પર દ્વેષ રાખી તેમના જેવા બનવાનો પ્રયત્ન નથી કરતા પણ પોતાની આગવી પ્રકૃતિ અને સંસ્કાર કેળવીને હકારાત્મક વલણ દાખવે છે.

તેઓ નિરીક્ષણ કરી તેમાથી સારા પાસાની પ્રેરણા લઈને પોતાનામાં સુધારો કરીને પ્રતિભાવ આપે છે. તેઓ જેવા છે ત્યાંથી મન, વિચાર, વર્તનથી વધુ ઉપર તરફ ઉઠવા પ્રયત્નશીલ છે. તેઓ તેમના દ્વારા સંસ્કારોનું સિંચન કરતા રહે છે અને મિથ્યાભિમાન કે અહંકારમાં રાચતા નથી . ૯૯ ટકા નાગરિકો જેવા નહી પણ તેઓ અલ્પસંખ્યક એવા છતાં ઉમદા અને ઉત્તમ વ્યક્તિઓને જ ફોલો કરે છે. સામી વ્યક્તિને પ્રેમ ના કરી શકે તેમ હોય તો તેને ધિક્કારતા તો નથી જ.

‘તું તારા રસ્તે સુખી હું મારા રસ્તે સુખી’ જેવો દ્રષ્ટિકોણ કેળવે છે. જો વ્યક્તિની પાસે ભૌતિક સંપત્તિ અને સુખ સુવિધા હોય અને છતાં તે દુ:ખી, પીડીત, ઇર્ષ્યા અનુભવે તો એકસો ટકા તે જ પોતે તેની સ્થિતિ માટે દોષિત છે અને તેની વૈચારિક પ્રક્રિયાનું તેમજ અન્ય જોડેના વર્તનનું તેણે ઘીર્બગૈહય કરવું રહ્યું.

ઘણા લોકો પીંછી જેવા હળવા થઈ જવાય તેવો સાવ સીધો હળવો પ્રતિભાવ નહીં આપી પહાડ જેટલો બોજ અનુભવતા હોય તેમ જીવન વ્યતિત કરે છે. વ્યક્તિ વિના કારણ પ્રકૃતિને વશ, વારસાગત ઉછેર કે સામી વ્યક્તિને તેના અજ્ઞાાનની ફૂટપટ્ટીથી માપીને તેમની લાગણી પર કઠોરતાનો પેપરવેઇટ મૂકીને જીવતર પૂરું કરે છે. ઘણાં લઘુતાગ્રંથિ અને અસલામતી અનુભવતા તેમના વટમાંથી બહાર નથી આવતા…

ઘણી વખત તો સામી વ્યક્તિને ખબર પણ નથી હોતી અને નકારાત્મક વ્યક્તિ મનોમન કે તેના જેવી જ બીજી વ્યક્તિ કે સમુહને બડાશ મારે કે ”જોયું ને…કેવું સંભળાવી દીધું… આપણે પણ કંઈ કમ નથી… તેને મેં તો જાણી જોઈને ભાવ જ ન આપ્યો. મોટો માણસ હોય તો તેના ઘરનો આવા તો કેટલાયે જોયા.”

બસ આવા કોમનમેનથી સમાજ ભરલો છે. જે અનકોમન એટલે કે અસાધારણ, ઉમદા અને સફળ તરીકે આદર પામે છે તેનામાં ખરેખર આગવી ગુણવત્તા તો હોય જ છે… તે કબૂલવું રહ્યું.

Source

https://www.gujaratsamachar.com/news/ravi-purti/ravi-purti-columnists-3-february-2019-bhaven-kachhi-horizon

1229 -૮૯ વર્ષના એક આજીવન વિદ્યાર્થીની પ્રેરક કથા

 પરીક્ષા આપવામાં મગ્ન ૮૯ વર્ષના વિદ્યાર્થી શરણાબસવરાજ બીસારાહલ્લીની એક તસ્વીર 

“ जीना इसीका नाम है !”

કર્ણાટકના પુર્વ સ્વાતંત્ર્ય સેનાની અને નિવૃત શિક્ષક શરણાબસવરાજ બીસારાહલ્લી (Sharanabasavaraj Bisarahalli)પાસે કાયદાની તેમજ અન્ય બે વિષયો એમ ત્રણ વિષયોની માસ્ટર્સ ડીગ્રીઓ છે !

હાલ,૮૯ વરસની વયે શરણાબસવરાજ કન્નડ સાહિત્ય પર પીએચડી ડિગ્રી મેળવવાની તૈયારી કરી રહ્યા છે,આ અગાઉ પીએચડી માટેની પ્રવેશપરીક્ષામાં ૫૫% આવવાથી બસવરાજને પ્રવેશ મળ્યો નહતો પણ તેઓએ બીજી વખત પરીક્ષા આપીને જરુરી ૬૬% ઉપરાંત માર્ક મેળવી લીધા છે !છ સંતાનોના પિતા શરણાબસવરાજ પી.એચ.ડી. ની પરીક્ષા આપતા કદાચ પ્રથમ વિદ્યાર્થી હશે.

ગાંધીજીના જીવન કાર્યોથી પ્રભાવિત હોવાથી શરણાબસવરાજે તેમના ગામ કોપ્પલની શાળામાં નોકરી સ્વીકારી સાદગીપુર્ણ જીવન જીવી પોતાની માતા રાછમ્માની સલાહ પાર પાડવાનું ધ્યેય રાખ્યું હતું !

શાળાની નોકરીની ફુરસદ વખતે તેઓએ જુદાંજુદાં વિષયો પર ૧૫ જેટલા પુસ્તકો પણ લખ્યા હતા તેમજ જુદી જુદી માસ્ટર્સ ડિગ્રીની પરીક્ષાઓ સફળતાથી પાર પાડી હતી !

તેઓએ તેમના દરેક વિધાર્થીને ઉત્તમ શિક્ષણ સાથે જીવન જીવવાની સરસ કેળવણી પણ આપી હતી !

શરણાબસવરાજને શિક્ષક તેમજ સ્વાતંત્ર્ય સેનાનીનું જે પેન્શન મળે છે એ તેઓ સામાજીક કામ, કોઈ વિદ્યાર્થી કે કોઈ જરુરિયાતમંદને દાન કરી દે છે !

પોતાની આ ડીગ્રીઓ મેળવવાની ઘેલછાનું રહસ્ય જણાવતા શરણાબસવરાજ કહે છે કે મારા પિતા ઉચ્ચ શિક્ષણના વિરોધી હતા પરંતુ મારી માતા રાછમ્મા મને સલાહ આપતી કે જીવનમાં જેટલું શિક્ષણ મેળવાય તેટલું મેળવતા રહેવું !તેઓએ એમનાં છ સંતાનોને સારું શિક્ષણ પૂરું પાડ્યું હતું.પી.એચ.ડી. નું પતે એ પછી પણ ‘Vachana Sahitya’ ના વિષયમાં આગળ અભ્યાસ કરવાની તેઓ નેમ રાખે છે.આમ તેઓ આજીવન વિદ્યાર્થી તરીકેનું જીવન જીવી રહ્યા છે.

૮૯ વરસની જૈફ વયે પણ એમની માતાએ બાળપણમાં આપેલી સલાહનું સતત પાલન કરતા આવ્યા છે. આજીવન વિદ્યાર્થી શરણાબસવરાજનું આ પ્રેરક જીવન કથન વાંચી સૌ વાચકોના મનમાં થશે કે –

“ जीना इसीका नाम है !”

સાભાર -શ્રી પ્રવીણ પટેલ , મોતીચારોમાથી 

શરણાબસવરાજની આ પ્રેરણાત્મક કથા અંગ્રેજીમાં વિગતે વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://www.thenewsminute.com/article/89-yr-old-freedom-fighter-karnataka-signs-phd-88012

1151 – પથ્થર અને મૂર્તિ … એક બોધકથા ….

માઈકલ એન્જેલોના જીવનનો એક પ્રસંગ … એક બોધકથા

Moses ( Art of Michelangelo)

માઈકલ એન્જેલો મહાન શિલ્પી થઈ ગયા. તેમની કૃતિઓ આજે પણ વિશ્વભરમાં સુવિખ્યાત છે.

એકવાર તેઓ રસ્તામાંથી પસાર થતા હતા. ત્યાં દેવળની બહાર એક પથ્થરની શિલા તેમના જોવામાં આવી. તેમણે અંદર જઈને તપાસ કરી તો કહેવામાં આવ્યું કે, આ બેડોળ પથ્થર કોઈ જ કામનો નથી , જેને જોઈએ તે લઈ જઈ શકે છે.

માઈકલ એન્જેલોએ પથ્થર પોતાના ત્યાં પહોંચતો કર્યો. છીણી અને હથોડો લઈને તે રાત્રિ-દિવસ તેને કંડારવામાં તેઓ લાગી ગયા.

ઘણા માણસો ત્યાંથી પસાર થતા હતા તે કહેવા લાગ્યા કે, આ નકામો પથ્થર છે તમારી મહેનત પાણીમાં જશે. તમે આ શું કરી રહ્યા છો ? માઈકલ એન્જેલોએ કહ્યું કે, ‘હું આમાંથી નકામો વધારાનો ભાગ કાઢી નાખું છું.’

ધીમે-ધીમે તે પથ્થરમાંથી અદ્ભૂત કલાકૃતિ ઉપસી આવી. ઈસુ અને તેમની માતા મેરીનું આબેહુબ ચિત્ર ઉપસી આવ્યું. શિલ્પ તૈયાર થતાં સૌ મોંમાં આંગળાં નાખી ગયા.

માઈકલ એન્જેલોનું માતા મેરી અને ઈશુનું પ્રખ્યાત શિલ્પ

જે આ કૃતિને જોવા આવતાં તેના મુખમાંથી શબ્દો સરી પડતા કે, ” અદ્ભુત…! અદ્ભુત…! એન્જેલો અદ્ભુત…!”

કોઈએ પૂછ્યું :”  એક બેડોળ પથ્થરમાંથી આવી સુંદર શિલ્પકૃતિ શી રીતે તમે ઉપજાવી? ”

ત્યારે માઈકલ એન્જેલોએ કહ્યું કે :

“મેં આંમાં કશું નવું કર્યું જ નથી. સુંદર કૃતિ તો અંદર પથ્થરના પેટમાં પડી જ હતી. મેં તો મૂર્તિની આજુબાજુમાંથી વધારાનો જે ભાગ હતો તે જ માત્ર ઓછો કર્યો છે.વધારાનો મેદ કાઢી નાંખવાથી સુંદર કૃતિ બહાર પ્રગટ થઈ આવી !’

( સૌજન્ય- હિરેન રાવલ- ફેસબુક પરથી સાભાર )

આ કથાનો બોધ પાઠ…

દરેક મનુષ્યનું પણ આવા એક બેડોળ પથ્થર જેવું જ છે. આપણી અંદર પણ એક મહાન વ્યક્તિત્વ છુપાયેલું પડ્યું હોય જ છે .આપણે પણ આ બેડોળ પથ્થરમાં છુપાએલ મૂર્તિની જેમ મહાન બની શકીએ જેમ ઇતિહાસમાં ઘણા બધા લોકો મહાન બન્યા છે એમ.

ફરક માત્ર એટલો જ છે કે આપણે આપણી આજુ બાજુ લાગેલા દુર્ગુણોના વધારાના થરને દૂર કરવાનો પ્રયત્ન જ નથી કરતા! સારા આચાર અને વિચારોના ટાંકણાથી એ સૌ દુર્ગુણોનો વધારાનો પથ્થર જ્યારે તમે દુર કરશો ત્યારે જ તમારામાં છુપાએલ સુંદર વ્યક્તિત્વ રૂપી મૂર્તિ આપોઆપ માઈકલ એન્જેલોની સુંદર મૂર્તિની જેમ બહાર દેખાઈ આવશે.!!

====================

માઈકલ એન્જેલો નો પરિચય ….સૌજન્ય- વિકિપીડિયા

Michelangelo Merisi

Michelangelo- FAMOUS Sculpatures

 

( 1022 ) ગધેડાઓના બચાવમાં ….. થોડું મરક… મરક ….

donkey-on-peytrol-pump

ગધેડાઓના બચાવમાં ….. 

હમણાં હમણાં રાજકારણમાં ગધેડાઓ ખુબ ચર્ચામાં છે !

વાત એમ બની છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચુંટણીમાં યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાયબરેલીની એક ચૂંટણી સભામાં ગુજરાત ટુરિઝમની એક જાહેરાત” ખુશ્બુ હૈ ગુજરાત કી”માં સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને ગુજરાતના ખાસ પ્રકારના ગધેડાઓની વિશેષતાઓ જણાવતા દર્શાવવામાં આવ્યા છે, એના પર કટાક્ષ કર્યો હતો.

અખિલેશ યાદવે અમિતાભ બચ્ચનને વિનંતી કરતાં કહ્યું હતું કે તમે ગુજરાતના ગધેડાઓની જાહેરાત કરવાનું બંધ કરો.ગધેડાઓની પણ શું જાહેરાત હોઈ શકે?અખિલેશે સભામાં આ આખી જાહેરાત વાંચી સંભળાવી હતી અને કહ્યું હતું કે ગુજરાતમાં તો ગધેડાઓનો પણ પ્રચાર થઈ રહ્યો છે અને વડાપ્રધાન મારા પર આરોપ લગાવે છે. અખિલેશ યાદવ આવું નિવેદન આપીને ટ્વિટર પર અળખામણા બની ગયા છે.અખિલેશના આ નિવેદનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડવામાં આવી રહ્યું છે જેના કારણે મોટો હોબાળો મચ્યો છે.

મોદીનો અખિલેશને જવાબ

ગુજરાતના ગધેડાવાળા નિવેદન સામે અખિલેશને જવાબ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે “અખિલેશને સૈકડો કિલોમીટર દૂર રહેતા ગધેડાઓથી ભય લાગે છે.હું મારી તમામ ટીકાઓ હસીને સ્વીકારી લઉં છું.પરંતુ અખિલેશને જણાવવા માગું છું કે ગધેડાઓ પાસેથી પણ પ્રેરણા લઇ શકાય છે. ગધેડુ મહેનતથી કામ કરે છે,બીમાર હોય તેમ છતાં પણ મહેનતથી કામ કરે છે, હું પણ ગર્વથી ગધેડાઓ પાસેથી પ્રેરણા લઉ છુ અને થાક્યા વગર, પૂરી મહેનત સાથે કોઇ પણ રજા વગર સતત કામ કરતો રહું છું.દેશની સવા સૌ કરોડની જનતા મારી માલિક છે અને તેઓ જે આદેશ આપે છે  તે પ્રમાણે હું થાક્યા વગર, અટક્યા વગર મારું કામ પુરું કરું છું.”

democratic-symbolગધેડાઓના બચાવમાં એ કહેવાનું છે કે રાજકારણમાં ગધેડાઓને સંડોવીને બિચારા ગધેડાઓને ખુબ અન્યાય થઇ રહ્યો છે.લેવા દેવા વગર તેઓ ખોટી રીતે વગોવાઈ રહ્યા છે.તેઓમાં ઘણીવાર માણસો કરતાં વધુ બુદ્ધિ હોય છે અને એટલે તો અમેરિકામાં ડેમોક્રેટિક પક્ષે ચુંટણીનું નિશાન ગધેડાનું રાખ્યું છે.

વડા પ્રધાન મોદી સાથે હું સંમત છું કે ગધેડા પાસેથી મહેનત કરવાની પ્રેરણા મળે છે.ગધેડા માલિકને વફાદાર હોય છે અને એના માટે સતત સમય જોયા વિના કામ આપે છે. એની આવી મજુરી પરથી તો “ગધ્ધા મજુરી ” શબ્દ પર્યાય આવ્યો છે.અમારું તો માનવું છે કે ભલે ગધેડા માણસ બનતા નહિ હોય પણ માણસને ગધેડા બની જતાં વાર લાગતી નથી.

રાજકારણમાં ચાલતા ગધેડા પુરાણએ કવિઓને પણ કવિતાઓ બનાવવાની પ્રેરણા આપી છે.એક સહૃદયી મિત્રે ઈ-મેલમાં એક વિડીયોની લીંક મોકલી છે એ એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.હાસ્ય કવિ સંમેલનનો આ વિડીયો જોઇને હાસ્ય સાથે તમને પણ ગધેડાઓ પર હમદર્દી થાય તો નવાઈ નહિ.

गधो पर कवी सम्मेलन .. हस्ते हस्ते लोट पोट |
Donkey Kavi Sammelan

કોઈ માણસમાં ઓછી બુદ્ધિ હોય તો ઘણીવાર લોકો એને “ તું તો સાવ ગધેડા જેવો છે “એમ કહેતા હોય છે.પરંતુ ગધેડાઓ પણ બુદ્ધિશાળી હોય છે એ વાતની પ્રતીતિ કરાવતી એક બોધ કથા”ધનજી કુંભારનો ગધેડો” એ નામે ૫મી ડીસેમ્બર ૨૦૧૧ ના રોજ વિનોદ વિહારમાં પોસ્ટ કરી હતી. આ બોધકથા વાંચ્યા પછી “ તું તો સાવ ગધેડા જેવો છે “ એમ કહીને કોઈએ પણ સમગ્ર ગધેડા જાતિનું નું અપમાન કરવું ના જોઈએ !

“ધનજી કુંભારનો ગધેડો … બોધ કથા ….વિનોદ પટેલ 

donkey-politics