વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: વૃદ્ધોની વાત

1129 – રોજ 200 અસહાય વડીલોને મફત ટિફિન પહોંચાડી માનવતાની મહેંક ફેલાવતા એક સેવાભાવી ડો. ઉદય મોદીની સત્ય કથા

આ એક એવા ડોક્ટર છે જે રોજ 200 અસહાય વડીલોને ફ્રીમાં ટિફિન પહોંચાડે છે અને આ ગુજરાતી,દીકરાની જેમ લે છે સંભાળ-જાણો કોણ છે આ સેવાભાવી  ડોક્ટર ? –

આજના સમયમાં એક તરફ જ્યાં લોકો પોતાના સગા માતા-પિતાને પણ સાથે રાખવાને બદલે રખડતા છોડી દેતા હોય છે. જ્યારે બીજી તરફ એવા પણ ઘણા લોકો છે જેઓ અસહાય, નિરાધાર અને વયોવૃદ્ધની સેવા કરી માનવતાની મહેક ફેલાવી રહ્યાં છે. મુંબઈના ભાયંદર વિસ્તારમાં આવા જ એક ગુજરાતી ડોક્ટર ઉદય મોદી છે. જેઓ છેલ્લા 10 વર્ષથી ‘શ્રવણ ટિફિન સેવા’ના નામે મુંબઈમાં રહેતા અસહાય અને વયોવૃદ્ધને દરરોજ મફ્તમાં ગરમાગરમ ટિફિન પહોંચાડી સેવાકીય કાર્ય કરે છે.

ડો. ઉદય મોદીની આ સેવામાં આજે ઘણા યુવાનો પણ જોડાયા છે. યુવાનો રોજે રોજ દાદા-દાદીને ઘરે ગરમા-ગરમ ટિફિન પહોંચાડી તેમની દવાનું પણ ધ્યાન રાખે છે. ડો. મોદી મફ્તમાં ટિફિનની સાથે બીમાર વડીલોને દવા પણ આપે છે, જેનો પણ ચાર્જ લેવામાં આવતો નથી. 

વર્ષ 2008માં 10 વડીલોને ટિફિન મોકલીને શરૂ કરેલી આ સેવા આજે 200 કરતા વધારે ટિફિન સુધી પહોંચી છે, એટલું જ નહીં વ્યવસાયે આર્યુવેદિક ડોક્ટર હોવાથી ઉદયભાઈ વડીલોને દીકરાની જેમ દવા પણ ફ્રીમાં પહોંચાડે છે. આજે ઉદયભાઈની સેવામાં અન્ય લોકો પણ જોડાયા છે. ડો. મોદીની આર્થિક સ્થિતી સામાન્ય હોવાથી મિત્રો અને દાતાઓ દ્વારા મળતી મદદથી તેઓ ટિફિન સેવા હોંશભેર ચલાવે છે.

કેમ આવ્યો ટિફિન સેવાનો વિચાર

ફ્રીમાં ટિફિન સેવા ચાલુ કરવાના ડો ઉદય મોદીના સંકલ્પ પાછળ એક હચમચાવી દેતી ઘટના છે.

– ડો. ઉદય મોદી મુંબઈના ભાયંદર વિસ્તારમાં પોતાનું આર્યુર્વેદીક દવાખાનું ચલાવે છે.

– 10 વર્ષ પહેલા એક રાત્રે દવાખાનું બંધ કરતી વખતે વૃદ્ધ દાદા દવા લેવા આવ્યા.

– નિયમિત દવા લેવા આ દાદા આ વખતે વાત કરતા ડો. મોદી સામે રડી પડ્યા.

– લંબાણપૂર્વક વાત કરતા ડો. મોદીને જાણ થઈ કે એમને ત્રણ દીકરા હોવા છતાં  તેમની સાથે કોઈ રહેતું નથી.

– દાદાએ ડો. મોદીને જણાવ્યું કે, તેમના પત્ની લકવાગ્રસ્ત હોવાથી રસોઈ કે કોઈ કામ કરી શકે તેમ નથી.

– રડતા રડતા દાદાએ બચત ન હોવાથી બહારથી ભોજન પણ લઈ શકે તેવી સ્થિતિ ન હોવાનું જણાવ્યું.

– વૃદ્ધની આ વાત સાંભળી ઘરે આવેલા ડો. ઉદય મોદીએ પત્નીને આ વાત કરી તેમના માટે ટિફિન બનાવવાનું નક્કી કર્યું.

-પત્ની કલ્પનાબેને ડો. ઉદય મોદીને સપોર્ટ આપ્યો.

-પરિણામે 10થી 200 ટિફિન સુધી પહોંચી સેવા, દરરોજ દાદા-દાદીના ઘરે પહોંચે છે મફ્તમાં ટિફિન.

૫ત્ની કલ્પનાબેને કર્યો ડો. ઉદય મોદીને સપોર્ટ

– વૃદ્ધની વાત સાંભળી તેમના માટે બીજા દિવસથી જ ઘરે ટિફિન બનાવી ડો મોદીએ સેવા શરૂ કરી.

– ડો. ઉદય મોદીના પત્ની કલ્પનાબેને પણ રસોઈ બનાવવામાં કંટાળો ન બતાવતા પતિને સપોર્ટ કર્યો.

– કલ્પનાબેને શારીરિક અશક્ત અને આર્થિક સ્થિતિના કારણે જમવાનુ ન મેળવી શકતા વૃદ્ધો માટે સેવા કરવા કહ્યું.

– ડો મોદીએ પત્નીની વાત સાંભળી અસહાય અને ગરીબ વૃદ્ધોને શોધવા અભિયાન શરૂ કર્યું.

– 2008માં આવા 10 વૃદ્ધોને શોધી ‘શ્રવણ ટિફિન સેવા’ના નામે રોજ ગરમા ગરમ ટિફિન મોકલવાની શરૂઆત કરી.

વૃદ્ધોની સેવા માટે ઉદય મોદીએ પોતાના પિતા સ્વ. હિમંતલાલ હરજીવનદાસ મોદી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી.


10થી 200 ટિફિન સુધી પહોંચી સેવા

– વર્ષ 2008માં 10 ટિફિનથી શરૂ કરેલી સેવા આજે 200થી વધારે ટિફિન સુધી પહોંચી છે.

– હવે રસોઈ બનાવવા માટે તેઓએ અલગથી બે રસોડા પણ તૈયાર કર્યાં છે.

અલગ-અલગ ગરમા-ગરમ રસોઈ બનાવવા માટે ચાર રસોઈયા પણ બે રસોડામાં કામ કરે છે.

-એક રસોડામાં સામાન્ય રસોઈ બને છે, જ્યારે બીજા રસોડામાં ડાયાબીટીસના દર્દી માટે રસોઈ બને છે.

– ટિફિનમાં રોજ રોટલી, શાક, દાળભાત, પાપડ ઉપરાંત સોમવારે મીઠાઈ પણ આપવામાં આવે છે.

દરરોજ દાદા-દાદીના ઘરે પહોંચે છે મફ્તમાં ટિફિન

– ડો ઉદય મોદીની આ સેવામાં આજે ઘણા યુવાનો પણ જોડાયા છે.
– યુવાનો રોજે રોજ દાદા-દાદીને ઘરે ગરમા-ગરમ ટિફિન પહોંચાડી તેમની દવાનું પણ ધ્યાન રાખે છે.

– ડો. મોદી મફ્તમાં ટિફિનની સાથે બીમાર વડીલોને દવા પણ આપે છે, જેનો પણ ચાર્જ લેવામાં આવતો નથી.

– ડો. ઉદય મોદીના પરિવારમાં પત્ની કલ્પનાબેન , એક દીકરી અને એક દીકરો છે.ડો.મોદીની આ સેવામાં તેમનાં પત્ની ઉપરાંત દીકરી આયુષી અને દીકરો વરુણ પણ પૂરો સહકાર આપે છે.

વડીલોને નિરાશામાંથી બહાર લાવવા તેમના જન્મદિવસે ઘરે જઈને કેક કટિંગ પણ કરે છે.

મિત્રો અને દાતાઓની મદદથી કરે છે સેવા

– ડો. ઉદય મોદીની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથઈ ટિફિન સેવા માટે મિત્રો અને દાતાઓ મદદ કરે છે.

– જો કે હ્રદયથી માતા-પિતાની સેવા કરનાર શ્રવણનું નામ આ સેવામાંથી દૂર કરવા માગતા નથી.

– એક ધનાઢ્ય માણસે આ સેવા કાર્ય માટે મોટી રકમની ઓફર કરી પોતાનું નામ જોડવાની શરત મુકી હતી.

– જો કે તેઓએ આ ઓફરનો અસ્વિકાર કરીને સેવાનું શ્રવણ જ નામ રાખવાનું નક્કી કર્યું હતું

કોણ છે ડો. ઉદય મોદી

– મુંબઈ નજીક ભાયંદરમાં વ્યવસાયે આયુર્વેદ ડોક્ટર ઉદય મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના વતની છે.

– ડો. ઉદય મોદી નવરાશની પળોમાં ટેલિવિઝન સિરિયલમાં પણ એક્ટિંગ કરે છે.

– આ અંગે તેઓ કહે છે આ કામથી વધારે પૈસા મળી રહે જેથી હું બીજા લોકોને વધારે મદદ કરી શકું.

– છેલ્લા 10 વર્ષથી આ સેવા કરતા ડો. ઉદય મોદીના પરિવારમાં પત્ની, એક દીકરી અને એક દીકરો છે.

-ભવિષ્યમાં વૃદ્ધાશ્રમ શરૂ કરી ત્યજાયેલા વડીલોની સેવા કરવા માંગે છે.

ડો. મોદીના પિતા પણ કરતા ગરીબોની સેવા

– ડો. ઉદય મોદીના પિતા હિમંતલાલ પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા હતા.

– 1987ના સમયગાળામાં મોટા પાયે ચાલી રહેલા બાંધકામમાં મજૂરો કામ કરતા હતા.

– આ સમયે ડો. ઉદય મોદીના પિતા પોતાની નાની બચતમાંથી જુદી જુદી સાઈઝના ચંપલ ખરીદતા હતા.

– જુદી જુદી સાઈઝના ચંપલ ખુલ્લા પગે કામ કરતા મજૂરોને આપી તેની ખુશીમાં તેઓ શાંતિ મેળવતા.આમ સેવા ભાવનાના સંસ્કાર ડો. ઉદય મોદીમાં એમના પિતામાંથી ઉતરી આવ્યા છે. 

સૌજન્ય-

દિવ્ય ભાસ્કર,કોમ , તા.૧૯ મી સપ્ટેમ્બર,૨૦૧૭.

1104 -સીનીયરોના પ્રેરણાસ્ત્રોત વડીલ હરિકૃષ્ણ મજમુંદાર ની વિદાય.. હાર્દિક શ્રધાંજલિ

સીનીયરો માટે સદા માર્ગ દર્શક અને પ્રેરણાસ્ત્રોત બની રહેલા, બે એરિયા,કેલીફોર્નીયા નિવાસી વડીલ હરિકૃષ્ણ મજમુંદાર (જન્મ ૧૯૧૯ ) એ એમની ૯૮ વર્ષની ઉંમરે સદાને માટે વિદાય લીધી છે એના સમાચાર જાણીને  દુખ થયું.

તેઓ આજીવન સમાજ સેવક અને સાહિત્ય સેવક રહ્યા હતા અને એમનાં સેવા કાર્યોથી એમના અનેક પ્રસંશકોનો પ્રેમ સંપાદન કર્યો હતો.

વિનોદ વિહાર સ્વર્ગસ્થ  હરિકૃષ્ણ મજમુંદારને આ પોસ્ટ દ્વારા હાર્દિક શ્રધાંજલિ પાઠવે છે. 

પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના છે.

વિનોદ પટેલ 


હરિકૃષ્ણ મજમુંદારની જીવન ઝરમર …

મળવા જેવા માણસ … હરિકૃષ્ણ મજમુંદાર …. પી.કે.દાવડા   

       

હરિકૃષ્ણનો જન્મ વડોદરામાં ૧૯૧૯મા થયો હતો. શાળાનો અભ્યાસા વડોદરામાં જ કર્યો. ત્યારબાદ વડોદરાની કોલેજમાંથી બી.એ. કરી, કાયદાનો અભ્યાસ કરવા અમદાવાદ ગયા અને ૧૯૪૧ માં એલ.એલ.બી. ની ડીગ્રી મેળવી.

૧૯૪૧ માં એક ટેક્ષટાઈલ મિલમાં નોકરી શરૂ કરી. ૧૯૪૩ માં એમને મુંબઈમાં એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં નોકરી મળી. નોકરી કરતાં કરતાં જ, ૧૯૪૮ માં એમણે બી. કોમ. ની ડીગ્રી પણ મેળવી લીધી. એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં કામ કરતા હતા ત્યારે ૧૯૬૦ માં તેમને ભાભા એટોમિક સેંટરમાં મોકલવામાં આવ્યા, અને ત્યાં કાયમ થયા. ૧૯૭૭ સુધી ત્યાં કામ કરીને નિવૃત્ત થયા.

નિવૃતિ  બાદ આઠ વર્ષ સુધી વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાના અને બીજા નાના મોટા કામ કર્યા. ૧૯૮૫ માં દિકરીએ એમને અમેરિકા તેડાવ્યા. તેમના કહેવા પ્રમાણે અમેરિકા આવવા પાછળ એમના મનમાં કોઈ યોજના ન હતી, એ માત્ર એમના સંજોગોનો તકાદો હતો. એમના શબ્દોમાં કહું તો, “ભારતમાં મારા નિવૃતિબાદના વર્ષો ઉપર મારૂં કોઈ નિયંત્રણ ન હતું, સંજોગોને આધિન સમય વ્યતિત થતો હતો.”

૧૯૮૫ માં તેઓ અમેરિકા આવ્યા. અમેરિકામાં આવીને એમણે કોમ્યુનીટી કોલેજમાં કેલ્ક્યુલસ અને શેક્સપિયરનો ઊંડો અભ્યાસ કર્યો. કેલક્યુલસ વિષયમાં તો તેમણે “ફેકટરાઈકઝેસન” નામનું પુસ્તક પણ લખ્યું. ત્રણ વર્ષ સુધી ઈન્ડિયા પોસ્ટ નામના છાપા માટે કોલમ લખી. અમેરિકામાં મોટી ઉંમરના ભારતીયોની વિટંબણાઓથી જેમ જેમ પરિચિત થતા ગયા તેમ તેમ તેનો ઉકેલ લાવવા સિનિયરોને લગતા કાયદાઓ અને સિનિયરોની અપાતી છૂટછાટનો અભ્યાસ કરતા ગયા. ભારતથી આવતા લોકોની સોશ્યલ સીક્યુરીટી, ઇમિગ્રેશન અને અન્ય વિષયની ગુંચો ઉકેલવાની મદદમાં લાગી ગયા. વડિલોની મુંઝવણો સમજી લઈને એનો સમાધાન પૂર્વક ઉકેલ લાવવામાં મદદરૂપ થવા લાગ્યા. ૨૦૦૨માં અમેરિકાની વેલ્ફેર યોજનાની માર્ગદર્શિકા “ભુલભુલામણીનો ભોમિયો” (Mapping of the Maze) પુસ્તક લખીને સિનિયરોને માર્ગદર્શન આપ્યું. અનેક સ્થળૉએ સિનિયરોને માર્ગદર્શન આપવા વ્યાખ્યાનો આપવાનું શરૂ કર્યું. અમેરિકાના સેનેટરોને, અદાલતોને, પત્રકારોને અને નેતાઓને પત્રો અને પીટિશન્સ લખી લોકોને ન્યાય અપાવવા લાગ્યા. બસ લોકો તેમને દાદાના હુલામણા નામથી ઓળખતા થયા.

એમણે સિનિયરોને સલાહ આપી કે સ્વાલંબી બનો, પરિવારમાં મદદરૂપ બનો, જીવન માત્ર જીવો જ નહિં પણ એને માણો. પોતે પોતાની પુત્રીના બેકયાર્ડમાં પોતાનો ઓરડો બાંધી સ્વાલંબી જીવન જીવીને ઉદાહરણ પૂરૂં પાડે છે.

તેમની સેવા ની પ્રવુતિ માટે તેમનેઘણા એવોર્ડ મળ્યા છે ,Santa Clara County ના Human Resources Commission તરફથી “Toni Sykes Memorial Award ” દાદાને મળ્યો છે. દાદા પોતે કાયમી વસવાટ માટે પરદેશથી આવેલ વસાહતી છે. 2011માં તેમણે”સાઉથ એશિયન સિનયર સર્વિસ એસોસીએશન” રચ્યું છે. આજની તારીખે દાદા છેલ્લાં માં છેલ્લાં કાયદા અને નિયમો વિષે પોતાને માહિતગાર રાખે છે અને ઝીણવટ, સમજ અને અનુભવી કોઠાસુજથી લોકોના વણઉકેલ્યા કોયડાને ઉકેલે છે. દાદાજીની વાત સીનિયરોને અને ભવિષ્યની પેઢીને વિચારતા કરી મૂકે તેવી મૌલિક છે. દાદા કહે છે”અમેરિકામાં રહેનાર ભારતીય સીનિયરો પોતાના સાંકડા વર્તુળમાં પોતાનું જીવન જીવી નાખે, તેના કરતાં બહાર આવી અહીંનાં સમાજની વિશેષતા માણે તો આનંદપુર્ણ જીવન જીવી શકે. “સ્વ” પરથી નજર હટાવી “અમારા” પર નજર કરવાની જરૂર છે. હકારાત્મક જીવનમાં સુખી થવાનો આ ગુરૂમંત્ર છે. દાદાની વડિલોને સલાહ છે કે બાળકો ઉપર તમારા સિધ્ધાન્તો અને તમારા અનુભવો ન થોપતા. શક્ય છે કે બદલાયલા સંજોગ અને બદલાયલા સમયમાં એ એમને ઉપયોગી ન પણ થાય.

દાદા કહે છે, “ અહીં અમેરિકામાં હું મારા જીવનનું નિયંત્રણ કરી શકું છું, કારણ કે અહીં લોકો નૈસર્ગિક જીવન જીવે છે. લોકો અહીં માન અને પ્રેમના ભૂખ્યા છે, અને અન્યોને પણ તેઓ માન અને પ્રેમ આપે છે. મને મારા કાર્યના બદલામાં પૈસાની ભૂખ નથી, લોકો મને જાણે, મારા કાર્યની નોંધ લે, મારા માટે એ જ પુરતું છે. અહીં તમે કંઈપણ ન કરો તો જ તમારૂં કાર્ય વણનોંધ્યું રહે.”

-પી. કે. દાવડા

બે એરીયાની ગુજરાતી સાહિત્ય સંસ્થા ”બેઠક” ની એક સભામાં ” તો સારું” “પુસ્તિકાના વિમોચન વખતે હાજર હરિકૃષ્ણ મજમુંદાર અને એમનાં પત્ની શ્રીમતી પ્રેમલતા મજમુંદાર આ વિડીયોમાં એમના આશિર્વચનો કહી રહ્યાં છે.Mar 9, 2014

જીવનના ત્રણ તબ્બકા …. હરિકૃષ્ણ મજમુંદાર

કેલિફોર્નિયાના મિલપિટાસ શહેરમાં,૧૭ મી માર્ચ ૨૦૧૬ ના રોજ આ જ ”બેઠક ” સંસ્થાના બીજા એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં ૯૬ વર્ષીય સમાજસેવક અને સાહિત્ય સેવક શ્રી હરિકૃષ્ણ મજમુદારે બહુ સુંદર વચનો કહ્યાં હતાં.

શ્રી હરિકૃષ્ણ દાદાએ કહ્યું હતું કે ….
”માણસના જીવનના ત્રણ તબ્બકા છે.
જન્મથી ૧૮ વર્ષની વય સુધી બચપણ હોય છે.
૧૯ મા વર્ષથી ૮૦ મા વર્ષ સુધી પુખ્તવય (adult) હોય છે અને
૮૦ વર્ષ પછી વૃધ્ધાવસ્થા હોય છે.

અહીં અમેરિકાના ડોકટરો તમને ૧૦૦ વર્ષ પહેલાં મરવા નહિં દે એટલે તમે યોજનાબધ્ધ રીતે જીવન જીવો. વચલા તબ્બકાને ૧૯ થી ૫૦ અને ૫૧ થી ૮૦ એમ બે ભાગમાં વહેંચી દો. આ ૫૧ થી ૮૦ વાળો તબ્બકો સૌથી વધારે ઉત્પાદક અને આનંદદાયક છે. ઘટતી જવાબદારીઓ વચ્ચે તમારી મનગમતી પ્રવૃતિઓમાં જોડાઈ જાવ, અને સમાજને ઉપયોગી થવાની સાથે તમારી જાતને પણ આનંદથી ભરી દો. પણ આના માટે એક શરત છે. તમારે નિયમિત રીતે તમારી શારીરિક તપાસ કરાવવી જોઈયે, કસરત કરવી જોઈએ અને ખોરાકમાં સંયમ વર્તવો જોઈએ.”


શ્રી હરિકૃષ્ણ મજમુદારને એમની સેવાની પ્રવૃતિની કદર રૂપે  મેળવેલ વિવિધ એવોર્ડ અને એમનાં પુસ્તકો .

સ્વ. પ્રેમલતા મજમુદારનો ટૂંકો પરિચય.


સ્વ.હરિકૃષ્ણ મજમુંદાર ની સમાજ સેવાનો એક પ્રસંગ ..

એક વખત કોઇક મિત્રનાં બનેવી ડલાસથી રીસાઇને ઘર છોડીને ચાલ્યા ગયા.બહું શોધખોળને અંતે એ મિત્રે દાદાને ફોન કર્યો અને વિગતો આપી નવસારી પાસે જલાલપોર ગામના છે.

જેટલી માહીતિ તે ભાઇએ આપી તે બધી નોંધી લીધા પછી પોતાની ફોન ડાયરી ફંફોસીને જલાલપોર ગામના કેટલા માણસો તેમના સંપર્કમાં છે  તે જોઇને ફોન ગુમાવવાના શરુ કર્યા.

સામાન્ય રીતે અમેરિકામાં આટલી પળોજણ કોઇ કરતું નથી.પણ સમાજ્ને કંઇક પાછુ આપવું છે ની ધગશને કારણે ત્રીજા ફોન પરથી ખબર પડી ગઈ કે તે ભાઇ ફીનીક્ષમાં છે. તેમના ટેલીફોન નંબર સહીત સરનામા સાથે તે મિત્રને ફોન પાછો કર્યો તો તે ભાઇ તો ઉભા જ થઈ ગયા.દાદા હવે પતિ પત્ની નો મામલો છે સમજાવટથી પતાવી આપોને?

દાદા કહે ભાઈ તું શીકાગોમાં આ ભાઇ ફીનીક્ષમાં અને હું પાલો આલ્ટોમાં..ફોન ઉપર પ્રયત્ન કરું પણ જો હું મધ્યસ્થી બનીશ તો મારું કહ્યું માનવું પડશે“

દાદા પ્લીઝ પહેલાં મને કહો તમારી ફી કેટલી?”

અને દાદા બહું જ હસ્યા.પછી કહે “ભાઇ હું કોઇ જ કામની કોઇ ફી લેતો નથી.”

બીજે છેડે બહેનનો અવાજ ગદ ગદ હતો તેથી દાદા બોલ્યા “બેન ગુંચ પડી હોય ને તો બધા દોરા ખેંચા ખેંચ ના કરાય પણ એક દોર પકડીને ગુંચ ઉકેલતા જશો તો બધું ઉકલી જશે.”

એક કલાક્માં તે મિત્રનો ફોન આવી ગયો “દાદા મેળ થઇ ગયો છે..આભાર.”

સૌજન્ય..સાભાર- શ્રી  બાબુભાઈ  સુથાર 

https://gadyasarjan.wordpress.com/2016/11/21/gardi-award-for-harikrishna-majmumdar/

 

 

 

1101 – ગફુરચાચા   ( એક રેખાચિત્ર ) … નવીન બેન્કર

૭૫ વર્ષ વટાવી ગયેલ હ્યુસ્ટન નિવાસી  મારા સહૃદયી મિત્ર શ્રી નવીન બેન્કરએ એમના પડોશી મુસ્લિમ બિરાદર  ગફુર ચાચા નું સુંદર શબ્દ ચિત્ર એમના ઈ-મેલમાં  વાંચવા માટે  લખી મોકલ્યું છે . મને એ ગમ્યું  એટલે નવીનભાઈના આભાર  સાથે આજની પોસ્ટમાં વાચક મિત્રો સાથે શેર કરું છું.

આ લેખ વાંચતાં અબ્દુલ ચાચાનું એક કાલ્પનિક ચિત્ર મારા મનમાં ઉભું થયું એને મેં પેન સ્કેચ મારફતે રજુ  કરવાનો પ્રયાસ કયો છે.  વિ .પ. 

ગફુર ચાચા   ( એક રેખાચિત્ર ) .. શ્રી નવીન બેન્કર 

 

 

Navin Banker

ગફુરચાચા મારા સાખ પાડોશી છે.અમે મુસ્લીમ બહુમતિવાળા કોન્ડોમિનિયમમાં રહીએ છીએ.ઉપરના માળે બે મુસ્લીમ ફેમિલી અને બાજુમાં એક મુસ્લીમ ફેમિલી, ઉપરાંત ચોથા જોડકામાં અમે એટલે કે હું અને મારી પત્ની. અમારી અને ગફુરચાચાની વચ્ચે એક કોમન દિવાલ છે.એક સાઈડની દિવાલ પર, બાથરૂમ, ક્લોઝેટ અને સ્ટડીરૂમ પર કોમન પાર્ટીશન છે. એટલે હું એને સાખ પાડોશી કહું છું. 

આ ગફુરચાચાના પત્નીનું નામ સકીનાચાચી. એમની પરિણીત દીકરીનું નામ ફરાહખાન અને હેન્ડસમ જમાઇનું નામ અબ્દુલ મજીદ.પણ એ પોતાને સલમાનખાન તરીકે ઓળખાવે છે. એની પત્ની અને ઘરના સભ્યો પણ એને સલમાન તરીકે જ સંબોધન કરે છે. આમ તો મને ય એનું સાચું નામ ખબર જ ના પડત, પણ એક વખત મેઇલમેન ( ટપાલી) ભુલથી એની ટપાલ મારા મેઇલ બોક્સમાં નાંખી ગયો અને એમાં ટેક્સાસ ડીપાર્ટમેન્ટ ઓફ પબ્લીક સેફ્ટીની અંગત નોટીસ હતી એના પરથી મને ખબર પડી ગઈ.

ફરાહ અને સલમાન યુવાન છે અને તેમને બે વ્હાલાં લાગે એવાં નાનકડાં સંતાનો છે.અમને ફરાહ અને સલમાન ઘણીવાર મદદરૂપ થાય છે. પલંગ કે કબાટ ખસેડવું હોય કે પાર્કીંગ લોટમાંથી તેલનો ડબ્બો અને ચોખાની ગુણ ઘરમાં લાવવી હોય ત્યારે સલમાન જ કામ લાગે. એ લોકો પોતાને અસલી મુસ્લીમ ગણાવે છે. ‘અમે આગાખાની નથી. અમે તો હૈદ્રાબાદના ‘સૈયદ’ છીએ’.મારી પત્ની પણ પોતાને અસલી વૈષ્ણવ-મરજાદી- ગણાવે છે તેમ. પાડોશી તરીકે લાગણીના સંબંધ ખરા પણ રોટી-વહેવાર નહીં. ફરાહ કોમ્યુટર પ્રોગ્રામર છે અને સલમાન એન્જિનિયર છે. બન્ને જોબ કરે છે. ગફુરચાચા અને સકીના ચાચી ઘરમાં જ રહે. બન્ને કાર ચલાવતાં નથી અને અંગ્રેજી પણ નથી શીખ્યાં- મારી પત્નીની જેમ જ.

આટલી પુર્વભૂમિકા પછી આપણે મૂળ વાત પર આવીએ. 

ગફુરચાચાને પહેલાં તો હું સલમાનનો બાપ સમજતો હતો, પછી ખબર પડી કે એ સલમાનનો સસરો છે અને એ ફરાહનો બાપ છે. દીકરી, માબાપને રાખે છે અને ગફુર ચાચાના ત્રણે દીકરા જુદા જુદા શહેરોમાં નોકરી કરે છે અને પોતાની પત્નીઓ સાથે અલગ રહે છે.

અમેરિકામાં ઘરડા માબાપ સીટીઝન ન થયાં હોય ત્યાં સુધી એમને મેડીકલ, ફુડ કૂપન, સોશ્યલ સીક્યોરિટીના લાભો મળે નહીં એટલે દીકરાઓને, માબાપનો ‘ભાર’ ઉઠાવવો પાલવે નહીં. અમદાવાદમાં પણ હું ઘણાં અપંગ ઘરડાં માબાપને ઓળખું છું કે જેમના દીકરા અને દીકરીઓ અમેરિકામાં ખાધે પીધે સુખી હોવા છતાં અપંગ માબાપને બોલાવતાં નથી કારણ કે એ લોકો આવે એના પહેલા ત્રણ કે પાંચ વર્ષનો ભાર તો સંતાનોએ જ ઉપાડવો પડે ને ! 

ગફુર ચાચાને હું જતાં આવતાં જોતો. ક્યારેક પાર્કીંગ લોટમાં કારને અઢેલીને સિગરેટ ફુંકતા હોય તો ક્યારેક જમાઈની કારમાં મોહમ્મદ રફીના ગીતો સાંભળતા હોય. ક્યારેક મેઇલ બોક્સ પાસેની ફુટપાથ પર, ગાર્બેજ કેન નજીક પલાંઠી વાળીને બેઠા હોય અને સિગરેટ ફુંકતા હોય. છ ફુટ બે ઇંચની ઉંચાઇ, સફેદ લાંબી દાઢી, ભરાવદાર સફેદ વાળ, અને મુસ્લીમ ડ્રેસમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા આ ચાચાને જોઇને,  મારી મરજાદી પત્નીને બીક લાગે. એમને એમાં કોઇ આતંકવાદી દેખાય. અમે ૧૯૭૯ની સાલમાં, પહેલીવાર ન્યુયોર્ક આવેલા ત્યારે પણ એને ‘કાળિયાઓને’ જોઇને ડર લાગતો. ટીવી પર બધા શો માં ગુનેગારો મોટેભાગે કાળિયા જ હોય એટલે એના મનમાં એવી વાત ઠસી ગયેલી. 

ગફુરચાચા સવારમાં ઉઠીને, બહાર પરસાળમાં આરામ ખુરશી પર ટેલીફોન લઈને જમાવી દે અને એમના જેવા નવરા ડોસાઓ સાથે લાંબી વાતો કરે-મોટેમોટેથી.  આ પરસાળ શબ્દ ઘણાંને નહીં સમજાય. અમારા કોન્ડોમિનિયમમાં અમારૂં ઘર, નીચેના ફ્લોર પર છે એટલે અમને પ્રવેશદ્વાર પાસે  લોબી મળે. આ લોબી એટલે જ પરસાળ. મારી પરસાળમાં મારી પત્ની મારા જુના મેગેઝીનો, પુસ્તકો, જુતાં , તુલસીનો છોડ, લીમડો ને એવું બધું મુકે છે. એટલે મારે માટે આરામ ખુરસી મુકવાની જગ્યા નથી.પણ મારા દિવાન ખંડમાં સોફામાં બેઠાં બેઠાં, મને ગફુરચાચાની બુલંદ અવાજે થતી વાતો સંભળાય. અસ્સલ હૈદ્રાબાદી ઉર્દુ લઢણમાં બોલાતી વાતો મીઠી લાગે. કોમેડીયન મહેમુદની ઘણી ફિલ્મોમાં એ ભાષા સાંભળવા મળતી હતી-ખાસ કરીને ‘કુંવારાબાપ’ ફિલ્મમાં.હ્યુસ્ટનના હૈદ્રાબાદી મુસ્લીમ ડોક્ટરો પણ એ ભાષા બોલતા હોય છે. ( નામ નથી લખતો). હેરીસ કાઉન્ટીમાં ટેલીફોન માટે ‘વોનેજ’ ની સગવડ હોવાથી ચાચાની વાતો કલાક-દોઢ કલાક લાંબી ચાલે. એમની ઉંમરમાં પ્રાઇવસીની તો જરૂર હોય જ નહીંને ! હું  વિશિષ્ટ લોકોની બોલીની મીમીક્રી સરસ કરી શકું છું એટલે મને આ વાતો ન્યુસન્સ નહોતી લાગતી. ગફુરચાચાને કારણે મને જીવંત પાડોશનો અહેસાસ થતો. 

આટલા સારા સંબંધો હોવા છતાં, મેં ક્યારેય એમના ઘરમાં પ્રવેશ નહોતો કર્યો- મારી પુષ્ટી માર્ગીય મરજાદી પત્નીની બીકે. 

બે ત્રણ દિવસથી ચાચાનો અવાજ નહોતો સંભળાયો એટલે મને થયું કે ચાચા બિમાર તો નહીં પડ્યા હોય ને ! હોસ્પિટલાઇઝ તો નહીં થયા હોય ને ! 

મેં , એમના જમાઇ સલમાનખાનને ફોન કર્યો તો જાણવા મળ્યું કે ગફુરચાચા તો હૈદ્રાબાદ ગયા છે અને છ માસ પછી આવશે. સકિનાચાચી નથી ગયાં . ૭૩ વર્ષના ચાચા ૬૫ વર્ષની પત્નીને મુકીને આટલા લાંબા સમય માટે ઇન્ડીયા કેમ ગયા ? તો..એમની સકિના ચાચીએ જવાબ આપ્યો કે દીકરીના બે તોફાની બારકસોને સાચવવા માટે એમને અહીં રહેવું પડ્યું.

મેં સકિના ચાચીને કહ્યું-‘ મારે મારી મરજાદી પત્ની સાથે ગમે તેટલા  મતભેદો હોય પણ હું એને આ ઉમ્મરે એકલી તો ઇન્ડિયા ન જ જવા દઉં. કોણ જાણે ક્યારે આ જિન્દગીની શામ કયા ખુણામાં ઢળી પડે !’ 

આ ચાચાની એક આડવાત કરી દઉં. મને ઝડપથી ચાલીને પાર્કીંગ લોટમાં કાર ચલાવતાં કે મોટેથી મોહમદ રફી સાહેબનાં દર્દીલાં ગીતો ની ટેપ સાંભળતાં કે  સીસોટીમાં એ ગીતોને વગાડતા સાંભળીને ગફુરચાચાએ મને એકવાર કહેલું કે- ”તમે તો નવીનભાઇ હજી જુવાન છો એટલે આ સીસોટી વગાડી શકો છો અને કાર ચલાવતા હોવાને કારણે તમારે ઘરમાં યે પુરાઇ રહેવું નથી પડતું એટલા નસીબદાર છો.’ ત્યારે મેં એમને કહેલું- ‘ચાચા મને તો  ૭૭ વર્ષ થયાં . હું જુવાન ક્યાં છું  ?’ ગફુરચાચાએ કહ્યું હતું- ‘તો તો તમે મારાથી ચાર વર્ષ  મોટા છો અને તમે મને ચાચા કહો છો? હવેથી માત્ર ગફુર જ કહેવાનું. ” પણ હું એમને ક્યારેય ગફુર ન કહી શક્યો. 

હવે મને એમની ટેલીફોન પરની, બુલંદ અવાજે થતી વાતોનો અવાજ સંભળાતો નથી. અને ખાલી ખાલી પાડોશનો અહેસાસ થયા કરે છે. 

સલામ આલેકુમ, ગફુરચાચા ! 

નવીન બેન્કર  ( લખ્યા તારીખ- ૬ સપ્ટેમ્બર ૨૦૧૭ ) 

પ્રતિભાવો આવકાર્ય છે. (પણ જરૂરી નથી). 

With Love & Regards, 

NAVIN  BANKER

6606 DeMoss Dr. # 1003, 

Houston, Tx 77074 

713-818-4239   ( Cell)

My Blog

navinbanker.gujaratisahityasarita.org

એક અનુભૂતિઃએક અહેસાસ

( 876 ) વડીલોની વાતો …..એક બોધ કથા અને બે સત્ય કથાઓ ….

સમય બદલાય છે એની સાથે સામાજિક સંબંધોનાં સમીકરણો પણ બદલાતાં રહે છે. એક જ કુટુંબમાં સાથે રહેતા સભ્યોની સમજ અને વર્તાવમાં ફેરફાર થયેલો જણાય છે.ઘણા વડીલોને સંતાનોની બદલાયેલી વર્તણુકથી સંતોષ નથી અને તેઓ એક યા બીજી રીતે એમના મનનો ઉભરો કાઢતા હોય છે.આમાં વાંક કોનો એ વિષે બન્ને પક્ષે પોત પોતાના વિચારો હોય છે.

આવા એક વડીલની કથા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ઠાકરે ઈ-મેલમાં મોકલી  હતી એમાં રહેલો સંદેશ મને ગમી ગયો.વાચકોને પણ આ બોધ કથા વાંચવી ગમશે.

આ બોધકથા પછી મળવા જેવા માણસની મિત્ર પરિચય શ્રેણીથી જાણીતા મારા ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા નિવાસી મિત્ર,શ્રી પી.કે.દાવડાજી એ એમના ઈ-મેલમાં વડીલોને સ્પર્શતી બે સત્ય કથાઓ વાંચવા મોકલી હતી એ મૂકી છે. આ બે સત્ય પ્રસંગો પણ વાંચવા જેવા છે.

આ પોસ્ટમાં પ્રસ્તુત વડીલો વિશેની વાતો વાંચીને વાંચકોને એમના મંતવ્યો જો હોય તો પ્રતિભાવ પેટીમાં જણાવવા વિનંતી છે. 

વિનોદ પટેલ

=========================

સાભાર- શ્રી મહેન્દ્ર ઠાકર – એમના ઈ-મેલમાંથી 

એક સુખી પરિવાર હતો. પરિવારના વડીલ પરિવારના દરેક સંભ્યને યોગ્ય સલાહ-સુચન આપતા અને એનાથી પરિવાર જળવાઇ રહ્યો હતો.પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા આપવામાં આવતી સલાહ ખૂંચતી હતી.

એકવખત મોટા દિકરાએ આ વડીલને કહ્યુ, “બાપુજી, તમારી સલાહ અમને કેટલીક વખત કાંટાની જેમ ખુંચે છે અમને એમ થાય કે બાપુજી હજુ અમને સાવ નાના બાળક જેવા જ સમજે છે કે શું ? ”

વડીલે દિકરાની પીઠ પર હાથ મુકીને કહ્યુ, “બેટા, વાત તો તારી બિલકુલ સાચી છે.તમે હવે બાળક નથી અને એટલે જ હું તમને દરેક વાતમાં ટોકતો પણ નથી. તમારી રીતે જ જીવન જીવવાની મેં સ્વતંત્રતા આપી છે પરંતું મને જ્યાં એવું લાગે છે કે તમારા કોઇ પગલાથી મારો આ હર્યો ભર્યો પરિવાર પીંખાઇ જશે ત્યાં હું ચોક્કસ પણ થોડી દખલગીરી કરુ છુ, કારણકે પરિવારને એક રાખવો એ મારી વડીલ તરીકેની મારી ફરજ છે.”

દિકરાના હાવભાવ પરથી પિતાજીને પણ એ સમજાઈ ગયું કે દિકરાને પિતાની આ વાત ગળે નથી ઉતરી. દિકરો એના ટેબલ પર બેસીને કંઇક લખી રહ્યો હતો.ટેબલ પર કેટલાક કાગળો પડ્યા હતા. આ કાગળ હવામાં ઉડી ન જાય એટલે એને ટાંચણી મારીને રાખેલા હતા. વડીલે હળવેકથી ટાંચણી કાઢી લીધી એટલે બધા કાગળ વેર વિખેર થઇ ગયા.

દિકરાએ ઉભા થઇને બધા કાગળ ભેગા કર્યા. પિતાજીની આવી હરકત બદલ દીકરાને પિતાજી પર ખુબ ગુસ્સો આવ્યો.એમનાથી ના રહેવાયુ એટલે એમણે વડીલને કહ્યુ:“તમે શું આ ગાંડા જેવી હરકત કરો છો ? ”

વડીલે કહ્યુ, ” એમાં વળી મેં શું ગાંડા જેવી હરકત કરી મેં તો કાગળમાંથી જરા ટાંચણીને દુર કરી.એ ટાંચણી બધા કાગળને કેવી વાગતી હતી એટલે મેં કાગળોને ટાંચણી વાગવાના દુ:ખમાંથી મુક્ત કરી દીધા.”

દિકરાએ કહ્યુ, ” બાપુજી, આ બધા કાગળ ટાંચણીને કારણે જ ભેગા રહેતા હતા.તમે ટાંચણીને દુર કરીને બધા કાગળને પણ છુટા કરી નાંખ્યા.ટાંચણી ખૂંચે છે એટલે તો બધા કાગળો ભેગા રહે છે.” પિતાજીએ પોતાના દિકરા સામે જોઇને સ્મિત આપ્યુ અને પછી કહ્યુ, ” બેટા, મારુ કામ પણ આ ટાંચણી જેવુ જ છે, તમને બધાને એમ લાગે છે કે હું તમને ખૂંચું છું પણ મારા એ ખૂંચવાને લીધે જ તમે બધા જોડાઇને રહ્યા છો.”

બોધ પાઠ …

ઘણી વખત પરિવારના વડીલની અમૂક વાતો આપણને ખૂંચતી હોય પણ પરિવારની એકતા માટે એ જરૂરી હોય છે.

આ વાત વાંચીને મિત્ર શ્રી લક્ષ્મીકાંત ઠક્કરે એમના ઈ-મેલમાં વડીલો માટે એક સરસ સલાહ એમના ઈ-મેલમાં મોકલી હતી એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે ..

​એક અનુભવી ડાહ્યા શખ્સે કહ્યું :

“પોતાનું આંગણું સાચવો…સાફ રાખો… મફતમાં નહિ કોઈ મન માંગી “તગડી” ફી આપે તો જ
સલાહ -સૂચનો આપવા. બીજાની પંચાતમાં પડવાનું ટાળવું . શક્ય એટલો અન્યો પર આધાર
ન રાખવો. અન્યો પાસેથી અપેક્ષાઓ છે એની જ તો રામાયણ અને મહાભારત છે ને?

જેટલા વધુ સ્વાવલંબી બની શકાય ​રહેવું… યથાશક્તિ મદદ કરવાની ત્રેવડ હોય તેટલી ​કરી શકાય ​​…

“જે છે તે અને બને છે તે ” સ્વીકારવું…”ચુપ મરવું” વધુ બિન જરૂરી સખળ-દખળ,દખલગીરી
ટાળવી ​, ​​૬૫-૭૦-૭૫ પછી” સ્વાન્ત​ સુખાય​”​ જીવવું ​ !”​ જીભેન્દ્રીય પર કાબૂ-કંટ્રોલ મહત્તમ
રાખવા જાતને કેળવવી ” 

નીચે osho એ જે કહ્યું છે એ પણ વડીલો અને સૌએ  યાદ રાખવા જેવું  છે.

જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે
તેને
પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
હાંસલ કરવા જેટલો વિકાસ
તમે કરી શકો -તે
તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.

osho

વડિલોના વાંકે…. બે સત્ય કથાઓ ….. શ્રી.પી.કે.દાવડા 

અમેરિકામાં સ્થાયી વસવાટ માટે આવ્યા પછી, મેં સંતાનોના વાંકે આહત થયેલા વડિલોની ઘણી વાતો સાંભળી હતી અને વિષય ઉપર કેટલાક લેખ લખ્યા હતા.

૧૯૪૦૧૯૪૨ માં બહુ નાની વયે, બાપુજી સાથે દેશી નાટક સમાજનું નાટક વડિલોના વાંકે જોએલું.નાટકના શીર્ષક અને એમાંના એક બે ગીતોની થોડી પંક્તિઓ સિવાય આજે  નાટકની અન્ય કોઈ વિગત યાદ નથી. આજે શીર્ષકને યાદ કર્યું છે,કારણ કે આજે અમેરિકામાં આવ્યા બાદ, મારા મિત્ર બનેલા, મારી ઉમ્મરની આસપાસના બે જણના જીવન વૃતાંતો યાદ આવ્યા. આજથી ૫૦૬૦ વર્ષ પહેલા, વડિલોની ઇચ્છાને લીધે એમના જીવનના અતિ મહત્વના હિસ્સા ઉપર કેટલી મોટી અસર થઈ, યાદ કરીને આજનો લેખ લખવાની ઇચ્છા થઈ.સત્ય ઘટનાઓ ઉપર આધારિત બનાવોમાં મેં મારા મિત્રોના સાચા નામોનો ઉલ્લેખ કર્યો નથી.

સત્ય કથા-પ્રસંગ

મનહર ગુજરાતના ધનપતિ કુટુંબનો નબીરો છે. કુટુંબ એટલું તો વગદાર હતું, કે મનહરે B.Sc. (Agriculture) ની પરીક્ષા પાસ કરી કે તરત સમયના સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન રસિકભાઈ પરીખે એને રાજ્યના Agricultural Secretary બનાવી દીધા. મનહરના પિતા સમયે મુંબઈ શેર બઝારમાં ઘણી મોટી હસ્તી ગણાતા.

એમના કુટુંબમાં એક લાંબા સમયથી ચાલી આવતી પ્રથા હતી કે દિકરા માટે કુટુંબમાંથી કન્યા શોધવી,અને કામ વડિલો કરતા.પ્રથા પ્રમાણે મનહર માટે પણ એક કન્યાની પસંદગી થઈ. મનહરને કન્યાનું શિક્ષણ,દેખાવ વગેરે પોતાના માટે અયોગ્ય લાગ્યા.કુટુંબનો સીધે સીધો સામનો કરવાની કોઈ ગુંજાઈશ હતી. મનહરે વિચાર કરી એક યોજના ઘડી કાઢી.એમણે માબાપને સમજાવ્યા કે થોડા દિવસ લંડનમાં કાકાને ઘરે ફરી આવે,પછી બાબતનું નક્કી કરવું,માબાપ વાત માની ગયા

લંડનમાં એણે યોજનાનો બીજો તબ્બકો અમલમાં મૂક્યો.કાકાને સમજાવ્યા કે અહીં સુધી આવ્યો છું તો અમેરિકા ફરી આવું.પૈસાનો તો કોઈ સવાલ હતો.કાકાએ બધી સગવડકરી આપી.૧૯૫૬ માં અમેરિકા આવી, મનહરે યુનિવર્સીટીમાં એડમીશન મેળવી, M.S.અને M.B.A.નો અભ્યાસ પુરો કરી, Bank of America માં નોકરી શરૂ કરી. બધું વ્યવસ્થિત ચાલતું હતું,ત્યાં અચાનક મેલેરિયાના ઝપાટામાં આવી ગયા.Over the Counter મળતી મેલેરિયાની દવાનો વધારે પડતો ઉપયોગ કરવાથી એમની Auditory Nerve ને નુકશાન થયું,અને સાંભળવામાં મુશ્કેલી થવા લાગી. અગાઉ એક બે વાર Renoમાં કેસીનોમાં જઈ આવેલા, એટલે એમણે નક્કી કર્યું કે ત્યાં એટલો બધો અવાજ હોય છે કે નોર્મલ માણસો પણ એકબીજાની વાત સાંભળી શક્તા નથી,તો હું ત્યાં નોકરી કરું તો મારી કાનની તકલીફ નહિં નડે. ત્યારબાદ ૩૯ વર્ષ સુધી એમણે Reno ના કેસીનોમાં નોકરી કરી.

સાન ફ્રાન્સીસ્કોના જાણીતા સમાજ સેવકને વાતની જાણ થઈ. એ મનહરભાઈને સમજાવીને Reno ની નોકરી છોડાવી,પોતાની સાથે સમાજ સેવાના કામો કરવા સાનફ્રાન્સીસ્કો લઈ આવ્યા.છેલ્લા નવ વરસથી તેઓ અહીં ખૂબ આદર પામે છે. છેલ્લા આઠ નવ મહિનાથી મારા નજીકના મિત્ર થઈ ગયા છે.આજે પણ એમને વારસામાં મળેલા મુંબઈના મરીન ડ્રાઈવ ઉપર આવેલા ફ્લેટની કીમત ૩૦૪૦ કરોડની હશે.

આજે એમની ઉમ્મર આસરે ૮૫ વર્ષ છે. લગ્ન કર્યા વગર આયુષ્યના આટલા વરસ ગુજારી લીધા. !

સત્ય કથા-પ્રસંગ

પવન એક આકર્ષક દેખાવવાળો મધ્યમવર્ગી યુવક હતો.ભણવામાં તેજસ્વી હતો,પણ બારમા ધોરણમાં હતો ત્યારે માબાપે એક સામાન્ય ભણતર અને તદન સામાન્ય દેખાવવાળી સવિતા સાથે એનાં લગ્ન કરી નાખ્યાં.એનો કોઈ વિરોધ કામમાં આવ્યો.સારા નશીબે ભણતર પુરૂં કરે,ત્યાં સુધી સવિતા એના માબાપ સાથે રહે, વાતનો સ્વીકાર કરવામાં આવ્યો.

બારમા ધોરણ પછી પવનને એંજીનીઅરીંગ કોલેજમા એડમીશન મળી ગયું. દરમિયાન એનો વિનીતા નામની અતિ સુંદર છોકરીનો પરિચય થયો,અને આગળ જતાં પ્રેમમાં પરિવર્તન થયો.પવનએ વિનીતાને સાચી હકીકત જણાવી દીધી હતી.બનન્નેએ નક્કી કર્યું કે આમાંથી કોઈ રસ્તો શોધી લઈને પછી આગળ વધવું.

બીજો કોઈ માર્ગ મળતાં પવને અમેરિકામાં M.S. ના અભ્યાસ માટે અરજી કરી અને સારા નશીબે એને સ્કોલરશીપ સાથે એક યુનિવર્સીટીમાં પ્રવેશ મળી ગયો. માબાપે વિચાર્યું કે પવન જશે તો બીજા ભાઈ બહેનોને પણ જવાનો મોકો મળશે,એટલે એમણે પણ રજા આપી.

અમેરિકામાં આવીને એમણે અને વિનીતાએ ઘડેલી યોજનાનો અમલ કરવાનું શરૂ કર્યું. અમેરિકાની કોર્ટમાં એમણે છૂટાછેડાનો દાવો દાખલ કર્યો.કાયદા કાનુનની પ્રક્રીયા પ્રમાણે સવિતાને ટપાલ દ્વારા કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાની નોટીસ મોકલવામાં આવી,જેનો નિયત સમયમાં જવાબ આવતાં,એક તરફી ચૂકાદાથી એમને છૂટાછેડા મળી ગયા.

જો કે આવા છૂટાછેડા ભારતમાં માન્ય હતા. એટલે જો પવન ફરીથી લગ્ન કરે અને ભારતમાં જાય તો ગુનેગાર ગણાય. ત્યારબાદ નક્કી થયા પ્રમાણે વિનીતાને વિઝીટર વિસા ઉપર અમેરિકા બોલાવી લીધી, અને અમેરિકામાં બન્ને લગ્ન કરી લીધા.

વર્ષો બાદ વિનીતાએ પોતાના ત્રણ બાળકો સાથે ભારત જઈ,સવિતાને સમજાવીને એની સાથે સેટલમેન્ટ કરી,કોર્ટની મારફત પવનના અને સવિતાના છૂટાછેડા કરાવ્યા.

બન્ને કિસ્સાઓમાં સંતાનોને જે સહન કરવું પડ્યું એના માટે એમના વડિલો અને જમાનાની સામાજીક પરિસ્થિતિને હું જવાબદાર ગણું છું.

પી. કે. દાવડા

જીવનના ત્રણ તબ્બકા

૧૭ મી માર્ચની સાંજે, કેલિફોર્નિયાના મિલપિટાસ શહેરમાં, એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં, કેલિફોર્નિયાના જાણીતા, ૯૬ વર્ષની વયના સમાજસેવક શ્રી હરિકૃષ્ણ મજમુદારે એક આશ્ચર્યજનક વાત કહીને પ્રક્ષકોને ચોંકાવી દીધા હતા. એમણે કહ્યું હતું કે માણસના જીવનના ત્રણ તબ્બકા છે. જન્મથી ૧૮ વર્ષની વય સુધી બચપણ હોય છે. ૧૯ મા વર્ષથી ૮૦ મા વર્ષ સુધી પુખ્તવય (adult) હોય છે અને ૮૦ વર્ષ પછી વૃધ્ધાવસ્થા હોય છે.

એમણે કહ્યું, અહીં અમેરિકાના ડોકટરો તમને ૧૦૦ વર્ષ પહેલા મરવા નહિં દે. એટલે તમે યોજનાબધ્ધ જીવન જીવો. વચલા તબ્બકાને ૧૯ થી ૫૦ અને ૫૧ થી ૮૦ બે ભાગમાં વહેંચી દો. આ ૫૧ થી ૮૦ વાળો તબ્બકો સૌથી વધારે ઉત્પાદક અને આનંદદાયક છે. ઘટતી જવાબદારીઓ વચ્ચે તમારી મનગમતી પ્રવૃતિઓમાં જોડાઈ જાવ, અને સમાજને ઉપયોગી થવાની સાથે તમારી જાતને પણ આનંદથી ભરી દો. પણ આના માટે એક શરત છે. તમારે નિયમિત રીતે તમારી શારીરિક તપાસ કરાવવી જોઈયે, કસરત કરવી જોઈએ અને ખોરાકમાં સંયમ વર્તવો જોઈએ.

હાજર રહેલા પ્રક્ષકોએ એમની આ તદ્દન નવીવાત ખૂબ જ આનંદ અને આશ્વર્ય સાથે વાગોળી.

-પી. કે. દાવડા

વડીલો અને સંતાનોના સંબંધોને સ્પર્શતી આ પોસ્ટ વાંચ્યા પછી વિનોદ વિહારમાં અગાઉ મુકવામાં આવેલી નીચેની બે પોસ્ટ પણ વાંચી જવા વાંચકોને વિનતી છે. 

૧. અમેરિકાના ગુજરાતી પરિવારોની અપેક્ષાઓ …. લેખક …. શ્રી પ્રવીણ શાસ્ત્રી   

 

૨. વૃદ્ધ પિતા,પુત્ર અને કાગડો … વાર્તા …. વિનોદ પટેલ

અંતે, મને ગમતું એક હિન્દી ફિલ્મનું ગીત- સ્વર કિન્નરી લતા મંગેશકર ના  સ્વરમાં …

Lyricist : Sawan Kumar, Singer : Lata Mangeshkar, Music Director : Usha Khanna, Movie : Sautan (1983)

जिंदगी प्यार का गीत है
इसे हर दिल को गाना पड़ेगा
जिंदगी ग़म का सागर भी है
हँसके उस पार जाना पड़ेगा

जिसका जितना हो आँचल यहाँ पर
उस को सौगात उतनी मिलेगी
फूल जीवन में गर ना खिले तो
काँटों से भी निभाना पड़ेगा

है अगर दूर मंज़िल तो क्या
रास्ता भी है मुश्किल तो क्या
रात तारों भरी ना मिले तो
दिलका दीपक जलाना पड़ेगा

जिंदगी एक पहेली भी है
सुख दुःख की सहेली भी है
जिंदगी एक वचन भी तो है
जिसे सबको निभाना पड़ेगा

गीतकार : सावन कुमार,
गायक : लता मंगेशकर, संगीतकार : उषा खन्ना, चित्रपट : सौतन (१९८३)

Zindagi pyar ka geet hai (लता मंगेशकर)

 

( 731 ) જિંદગી જીન્દાદીલી કા નામ હૈ …. પ્રેરણા લેખ

સાન ડિયેગો ,31 મે 2015

કેન્સર ગ્રસ્ત લોકો પ્રત્યે હમદર્દી વ્યક્ત કરવા અને કેન્સરના રોગ માટે લોકોમાં જાગૃતિ લાવવા, હું જે શહેરમાં રહું છું એ અમેરિકાના સુન્દરતમ શહેર સાન ડીયેગોમાં તાંજેતરમાં Rock ‘n’ Roll Marathon -મેરેથોન દોડ -નું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં લગભગ ૨૫૦૦૦ માણસોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

આ મેરેથોન દોડમાં નોર્થ કેરોલીનાનાં ૯૨ વર્ષીય Harriette Thompson પણ કેન્સર ગ્રસ્ત લોકો પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરવા આ Rock ‘n’ Roll Marathon -દોડની રેસમાં અંત સુધી સતત દોડી પૂરી કરી એક નવો વિક્રમ નોધાવ્યો હતો.

Harriette Thompson પોતે એક કેન્સરમાંથી મુક્ત થયેલ મહિલા છે.એના કુટુંબમાં ઘણી વ્યક્તિઓ કેન્સર ગ્રસ્ત બની મૃત્યુ પામી છે.હાલ એનો પુત્ર કેન્સરની બીમારી ભોગવી રહ્યો છે.

At 92, Harriette Thompson became the oldest woman to finish a marathon.

આ પ્રસંગના બે વિડીયોમાં એને નિહાળો .

Harriette Thompson finishes San Diego Rock ‘n’ Roll Marathon

San Diego’s News Source – 10 News, KGTV

હેરીયતની આ જીન્દાદીલી અને અથાક સક્રિયતા સૌને માટે બોધ દાયક નથી શું ?

યાદ આવે છે આ મુક્તક …

જિંદગી જીન્દાદીલી કા નામ હૈ ,

મુર્દાદીલ ક્યાં ખાક જીયા કરતે હૈ ?”

૯૨ વર્ષીય Harriette Thompson ની જવાંમર્દી અને જીંદાદિલીને સલામ

આપણા હાલના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના પિતાશ્રી અને હિન્દી સાહિત્યના પ્રખ્યાત કવિ હરિવંશરાય બચ્ચનની આ જાણીતી કાવ્ય રચના “કોશિશ કરનેવાલો કી હાર નહી હોતી ” નું સ્મરણ થાય છે .આ રહ્યું એ કાવ્ય …..

આ કાવ્યમાં “કોશિશ ” શબ્દને બદલે “હિંમત ” શબ્દ લખાયો છે , એ શબ્દ પણ બરાબર બંધ બેસતો છે .  

Harivanshraay

આ કાવ્યને આ વિડીયોમાં અમિતાભ બચ્ચનના મુખે ગવાતું સાંભળો અને માણો.
Koshish Karne walon ki haar nahi hoti by

Amitabh Bachchan

( 620) હૉ…હૉ…હૉ…અને સાન્તાની વિદાય…ક્રિસમસ વાર્તા…પ્રવીણ શાસ્ત્રી

મિત્રો,

વી.વી. ની આ અગાઉની પોસ્ટ નમ્બર ૬૧૯ માં તમે મારી બે ક્રિસમસ વાર્તાઓ વાંચી.

આજની પોસ્ટમાં ન્યુ જર્સી નિવાસી મારા મિત્ર શ્રી પ્રવીણભાઈ શાસ્ત્રીના બ્લોગમાં પોસ્ટ થયેલ અને મને ગમેલ એક હૃદય સ્પર્શી ક્રિસમસ વાર્તા એમના આભાર સાથે રી-બ્લોગ કરતાં આનંદ થાય છે.

મારી પોસ્ટમાંની બે વાર્તાઓમાં એક ૪ વર્ષની બાળકી અને એક પંદર વર્ષના ટીન- એજ્રરની વાત છે તો પ્રવીણભાઈ ની વાર્તામાં એક વયોવૃદ્ધ પૌત્ર પ્રેમી દાદા રાજેન્દ્ર ભાઈની દિલને સ્પર્શી જાય એવી વાત છે , જે આપને જરૂર ગમશે.

ફરી સૌ વાચકોને ક્રિસમસ અભિનંદન અને નવા વર્ષ ૨૦૧૫ ની અનેક શુભેચ્છાઓ.

વિનોદ પટેલ

પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો

santa-claus-sleeping-in-living-room

હૉ…હૉ…હૉ…અને સાન્તાની વિદાય…

ધીમે પગલે સાન્તા લિવિંગ રૂમમા દાખલ થયા. મનિષાની પાછળ જઈને હૉ…હૉ…હૉ… નો સંકેત આપ્પ્યો; પણ હૉ…હૉ…હૉ…ની પાછળ ખોં…ખોં…ખોં…ખોં…સતત ઉધરસનું ખાંખણું આવ્યું. સાન્તા સોફા પર ફસડાઈ પડ્યા. મનિષા દોડીને પાણી લઈ આવી.

‘પપ્પા આજે સવારે તમને તાવ પણ હતો છતાંયે તમે જીદ કરીને ગયા જ. હવે તો થોડું મન હળવું કરો! ગીતામાં પણ કહ્યું છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. આપણા નસીબમાં શ્રેણિકનું સુખ ન લખાયું હોય. સુખ દુઃખનું ચક્ર જીવનમાં ફરતું જ રહેવાનું છેને? તમે જ અમને શિખામણ આપો છો અને દર ક્રિસમસ પર અમને આપેલી સલાહ ભૂલી જાવ છો. એ વાતને પણ ઘણા વર્ષો થઈ ગયા.’

‘શ્રેણિક તારા હૈયાની બહાર નીકળ્યો છે ખરો? ‘
‘દીકરી મેં જ તારા શ્રેણિકને…’
‘બસ પપ્પા બસ…’
‘મારે કંઈ સાંભળવું નથી. કાલથી તમારે ઘરમાંથી બહાર નીકળવાનું નથી.’
એણે પપ્પાના લાંબા સૂઝ્ બેલ્ટ જેકેટ અને સફેદ દાઢી ઉતાર્યા.’

‘કેટલા બધા શ્રેણિક મારા ખોળામાં બેસવા આવે છે. હું માંદો છું એવું મને લાગતું…

View original post 779 more words