વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: સત્ય ઘટના

1333…બે સામાજિક ટૂંકી વાર્તાઓ ..[૧ ]…”કંપની “[૨ ]…’પહેલી નજરે પ્રેમ

[૧ ]…”કંપની “

નદી કિનારે ૫૦૦૦ ચોરસ વાર ના મોટા પ્લોટમાં અજયનો આલીશાન બંગલો હતો.શહેર ના અતિ ધનિક લોકોમાં એની ગણતરી થતી.

અજય એની પત્ની રીટા અને પુત્ર સુકેન તથા *પિતા હસમુખરાય* સાથે ભવ્ય વીલામાં રહેતો હતો.

એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સહુ જમવા બેઠા હતા ત્યારે *હસમુખરાયે* કહ્યું *”બેટા મને ઘરડા ઘરમાં મૂકી આવને !!”*

અજય અને રીટા બંને એકદમ ચોંકી ઉઠ્યા અને વિચાર્યું કે અમારી માવજતમાં કોઈ ખામી રહી ગઈ કે શું ?

અજયે કહ્યું *”કેમ પપ્પા , અમારા થી કોઈ ભૂલ થઇ ગઈ કે કોઈએ તમને કઈ કહ્યું ?*

*હસમુખરાયે* હંસતા હંસતા કહ્યું-: *”ના બેટા ના ; તું વહુ અને સુકેન જેટલી સાર સંભાળ મારી કોણ રાખી શકે ?* પણ *હું અહિંયા એકલો આખો દિવસ કંટાળી જાઉં છું અને ઘરડા ઘર માં મારા ત્રણ જુના મિત્રો છે તો મારો ટાઈમ પાસ થઇ જશે.*

અજયે તરત જ કહ્યું-: *”પપ્પા , સમાજ અમારા માટે શું વિચારશે, ૫-૬ મહિના જવા દો હું કઈ વ્યવસ્થા કરી આપીશ .*

*હસમુખરાય* પણ માની ગયા.વાત વિસરાઈ ગઈ.

અજયે *વિલા* ની બાજુમાં જ એક *નાનું આઉટ હાઉસ* બનાવવાનું શરુ કર્યું અને જોત જોતા માં એક સુંદર મજાનું *આઉટ હાઉસ* તૈયાર થઇ ગયું.

*હસમુખરાયે* પૂછ્યું ; *બેટા, આ શું કામ બનાવ્યું ? આપણું આટલું મોટું ઘર છે ને !!*

અજયે કહ્યું કે *મેહમાનો માટે છે ને આવતા રવિવારે તમારા હાથે ઉદ્દઘાટન કરવાનું છે.*
રવિવાર આવી ગયો.ફેમિલી મેમ્બર્સ* અને થોડા *મિત્રો* ને બોલાવવામાં આવ્યા હતા, *આઉટ હાઉસ* પર રીબીન બાંધવામાં આવી હતી,

*હસમુખરાયે* તાળીઓનાં ગડગડાટ સાથે રીબીન કાપી.

અજયે કહ્યું-: *”પપ્પા દરવાજો પણ તમે જ ખોલો.*

*હસમુખરાયે* બારણું ખોલ્યું,

સામે ખુરશી પર તેમના *ત્રણ મિત્રો* બેઠા હતા, *હસમુખરાય* ખુશી થી ઝૂમી ઉઠ્યા અને *ત્રણે મિત્રો* ને ગળે લગાડી દીધા. અજય રૂમમાં દાખલ થયો તો *ચારે વડીલો* એને ભેંટી પડ્યા. અજયે કહ્યું કે *પપ્પાની ઈચ્છા હતી કે તમારી સાથે જિંદગી વિતાવે એટલે હું તમને ઘરડા ઘરમાંથી અહીં લઇ આવ્યો,* આજ થી આ *ઘર* તમારૂ જ છે અને તમારે મોજથી અહીં જ રહેવાનું છે, અને હા, મેં એક કેર ટેકર *શંભુકાકા* ને પણ રાખ્યા છે જે તમારી તહેનાતમાં આખો દિવસ હાજર રહેશે.

ચારે *વડીલોની સાથે સાથે અજયની આંખમાંથી અશ્રુઓ* વહી ગયા.

અજય બારણું બંધ કરીને બહાર નીકળ્યો અને રૂમમાંથી *ખડખડાટ હાસ્ય* નાં અવાજો આવવા લાગ્યા.

અજય મનોમન બોલી ઉઠ્યો “મિત્રો ની *”કંપની “* સ્ટીરોઈડ જેવી હોય છે” !!!

*મિત્રતા* થી ઉત્તમ કોઈ ટોનીક નથી. *હસતા રહો* અને *હસાવતા રહો.*

 

સૌજન્ય ..વોટ્સેપ /સુરેશ જાની 

🙏🏻💐 🙏🏻 💐🙏🏻

[૨ ]…’પહેલી નજરે પ્રેમ

હવે સામાજિક સિક્કાની બીજી બાજુ ,

નીચેની સત્ય ઘટનાત્મક વાર્તામાં વાંચો.

લેખક ..ભાર્ગવ પરીખ,સૌજન્ય ..બીબીસી ગુજરાતી

‘પહેલી નજરે મને એ ડોસી સાથે પ્રેમ થઈ ગયો’

 

1323- સંગીત સમ્રાટ ઓમકારનાથ ઠાકુરના સંગીતથી ઇટાલીનો સરમુખત્યાર મુસોલીની જ્યારે પ્રભાવિત થયો …એક રસિક કિસ્સો …

“પંડિત ઓમકારનાથજી એક ગીત ગાઈને જે હાંસલ કરી શકે છે તે હું સંખ્યાબંધ ભાષણો આપીને પણ મેળવી શકતો નથી.”
મહાત્મા ગાંધી

વિશ્વભરમાં સંગીતની દુનિયામાં એમના શાસ્ત્રીય સંગીતથી સફળતાનાં ઉચ્ચ શિખરો સર કરનાર પંડિત ઓમકારનાથ ઠાકુર ગુજરાતના આણંદ જિલ્લાના જહાજ નામના નાનકડા ગામમાં જન્મ્યા હતા તે વાત આપણામાંથી બહુ ઓછા લોકો જાણતા હશે.

ઇટાલીનો સરમુખત્યાર મુસોલીની પણ એમના સંગીતથી કેવો પ્રભાવિત થયો હતો એને ઉજાગર કરતો પ્રસંગ એક મિત્રના વોટ્સેપ સંદેશમાં વાંચ્યો .મને ગમેલ આ કિસ્સો મિત્રના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.

*કાના તારી મોરલીએ મારું મન મોહ્યું ( એક સત્ય ઘટના) …*

*ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીની આત્મકથામાં પડેલો આ પ્રસંગ વાંચીને દરેક ભારતવાસી પોતાની પ્રાચીન સંસ્કૃતિ માટે ગૌરવનો અનુભવ કરી શકે તેમ છે.*

*ભારતના મહાન સંગીતકાર ઓમકારનાથ ઠાકુર એ દિવસોમાં ઇટાલીના પ્રવાસે ગયેલા. *

*ભારતના એ મહાન સંગીતજ્ઞના માનમાં મુસોલિનીએ એક ભોજન સમારંભનું આયોજન કરેલ. *

*આ રાજકીય ભોજન સમારંભમાં ઓમકારનાથ ઠાકુરની સાથે ઇટાલીમાં વસેલા ઘણા અગ્રગણ્ય ભારતીયો તથા ભારતના દૂતાવાસના સભ્યોને પણ ઉપસ્થિત હતા..*

*સમારંભમાં મુસોલિનીએ ભારતની પાંચ હજાર જૂની સંસ્કૃતિની મજાક કરતાં  બધા મહેમાનોની વચ્ચે ઓમકારનાથ ઠાકુરને કહ્યું કે, ‘મી. ઠાકુર મેં સાંભળ્યું છે કે તમારા દેશમાં કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે આજુબાજુના વિસ્તારની બધી ગાયો નાચવા લાગતી, મોર કળા કરવા લાગતા, ગોપીઓ સૂધબૂધ ખોઈને કૃષ્ણ જ્યાં વાંસળી વગાડતા હોય ત્યાં દોડી આવતી,શું તમે આ વાતને માનો છો?’*

*ઇટાલીના સરમુખત્યારને ભારતના એ સપૂતે ભોજન સમારંભમાં બધાની વચ્ચે જે કરી બતાવ્યું તે જાણીને પ્રત્યેક ભારતીયનું મસ્તક ગૌરવથી ઊંચું થઈ જશે… *

*ઠાકુરે કહ્યું, ‘કૃષ્ણ જેટલું તો મારું સાર્મથ્ય નથી કે નથી સંગીતની બાબતમાં મારી તેમના જેટલી સમજણ. *

*સાચું તો એ છે કે સંગીત સંબંધે આ પૃથ્વી ઉપર આજ સુધીમાં કૃષ્ણ જેટલી સમજણવાળો કોઈ બીજો પેદા થયો હોવાનું પણ જાણવા મળતું નથી. *

*પરંતુ, સંગીતનું જે થોડું ઘણુ જ્ઞાન મને છે, તે તમે કહો તો તમને કહું અથવા કરી બતાવું…’*

*મુસોલિનીએ મજાકમાં જ કહ્યું કે, ‘જો કે સંગીતના કોઈ સાધનો અહીં ઉપલબ્ધ નથી છતાં પણ જો શક્ય હોય તો કંઈક કરી બતાવો તો અહીં ઉપસ્થિત મહાનુભાવોને પણ ભારતીય સંસ્કૃતિનો પરિચય મળે.’*

*ઓમકારનાથ ઠાકુરે ડાઈનીંગ ટેબલ ઉપર પડેલા કાચના જુદા જુદા પ્યાલામાં ઓછું વધારે પાણી ભરીને તેના ઉપર છરી કાંટાથી જલતરંગની જેમ વગાડવું શરૂ કર્યું. બે મિનિટમાં તો ભોજન સમારંભની હવા ફરી ગઈ. *

*વાતાવરણમાં એક પ્રકારની ઠંડક વર્તાવા લાગી. પાંચ મિનિટ, સાત મિનિટ અને મુસોલિનીની આંખો ઘેરાવા લાગી. વાતાવરણમાં એક પ્રકારનો નશો છવાવા લાગ્યો. *

*મદારી બીન વગાડે અને અવસ થઈને જેમ સાપ ડોલવા લાગે તેમ મુસોલીની ડોલવા લાગ્યો અને તેનું માથું જોરથી ટેબલ સાથે અથડાયું.*

*બંધ કરો… બંધ કરો… મુસોલિની બૂમ પાડી ઉઠ્યો. સમારંભમાં સન્નાટો છવાઈ ગયો. *

;*બધા લોકોએ જોયું તો મુસોલિનીના કપાળમાં ફૂટ પડી હતી અને તેમાંથી લોહી વહેતું હતું.*

*મુસોલિનીએ આત્મકથામાં લખાવ્યું છે કે ભારતની સંસ્કૃતિ માટે મેં કરેલ મજાક માટે હું ભારતની જનતાની માફી માંગું છું. *

*ફક્ત છરીકાંટા વડે પાણી ભરેલા કાચના વાસણોમાંથી ઉદભવેલા એ અદભૂત સંગીતથી જો આ સભ્ય સમાજનો મારા જેવો મજબૂત મનનો માનવી પણ ડોલવા લાગે તો હું જરૂર માનું છું કે એ જમાનામાં કૃષ્ણની વાંસળી સાંભળીને જંગલના જાનવરો પણ શાંત થઈ જતાં હશે અને માનવીઓ પણ સૂધબૂધ ખોઈને ભેળા થઈ જતાં હશે.*

*ભારતના ઋષિઓએ હજારો વર્ષ પૂર્વે ધ્વનિશાસ્ત્ર – નાદબ્રહ્મની સાધના કરી અને મંત્રયોગ દ્વારા માનવીના ચિત્તના તરંગોને અનેક પ્રકારે રૂપાંતરિત કરવાની પ્રક્રિયાઓ શોધેલ. *

*ધ્વનિ અને મંત્રોમાં એવી અદભૂત શક્તિઓ ભરી પડી છે કે તે જડ તત્વોને ચૈતન્યમય બનાવી શકે છે. *

*ઓમકારનાથ ઠાકુરે તેનો એક નાનકડો પ્રયોગ ઇટાલીમાં કરીને ત્યાં ઉપસ્થિત બધાને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા*

બીજો એક કિસ્સો જે અનેક ઠેકાણે નોંધાયેલો છે તે એવો છે કે પંડિતજી યુરોપના પ્રવાસે હતા ત્યારે તેમણે ઈટાલિના સરમુખત્યાર બેનિટો એમિક્લેર એન્ડ્રિયા મુસોલિનીના અનિદ્રાના રોગને સંગીતના સૂરો વડે દૂર કર્યો હતો. મુસોલિનીને પંડિતજીનાં ગાયન પ્રત્યે એવો લગાવ થયો કે તેણે તેમના ગાયનને સ્વરલિપિબદ્ધ કરવા રોમની સંગીત રોયલ એકેડેમીના પ્રિન્સિપલને રીતસરની આજ્ઞા કરી હતી.

 

પંડિત ઓમકારનાથ ઠાકુરનો  પરિચય…

.Pandit Omkarnath Thakur

ગુજરાતના આ પ્રતિભાવંત વિશ્વ વિખ્યાત સંગીતજ્ઞનો જન્મ તારીખ ૨૪ જૂન ૧૮૯૭ ના રોજ ગુજરાતના આણંદ જિલ્લાના જહાજ નામના નાનકડા ગામમાં થયો હતો.

તેઓ સંગીત શિક્ષક, સંગીત વિશારદ અને ભારતીય શાસ્ત્રીય સંગીતના ગાયક હતા. તેમણે સંગીતની શિક્ષા ગ્વાલિયર ઘરાના વિષ્ણું દિગંબર પુલસ્કર પાસેથી મેળવી હતી.તેઓ ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્ય અને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય ના સંગીત વિભાગ ના પ્રથમ કુલપતિ હતા.

સન્માન

-૧૯૫૫ માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી

-નેપાળના મહારાજા તરફથી સંગીત મહોદય

-કાશી વિશ્વ મહાવિદ્યાલય તરફથી સંગીત સમ્રાટની પદવી

-૧૯૪૩ માં ગુજરાત સાહિત્ય સભા તરફથી રણજિતરામ સુવર્ણચંદ્રક

-૧૯૬૩ માં વારાણસી હિંદુ વિશ્વ વિદ્યાલય તરફથી ડૉક્ટર ઓફ લેટર્સ ની પદવી.

-૧૯૯૭માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની સ્મારક ટિકિટ બહાર પાડવામા આવી.

પંડિતજીનો વધુ વિગતે પરિચય  વિકિપીડિયાની આ લીંક પર ક્લિક કરીને વાંચો…

શાસ્ત્રીય સંગીતમાં રસ ધરાવતા વાચકો માટે …

પંડિત ઓમકારનાથ ઠાકુરના કંઠે ગવાએલ સદા સુહાગન ભૈરવી રાગમાં “મત જા, મત જા જોગી”, કે માલકૌંસમાં ગવાએલ “પગ ઘૂઘરૂ બાંધ મીરા નાચી રે” કે “પછી મૈ નહિ માખન ખાયો” અને “વંદેમાતરમ” જેવાં અનેક ગીતો એક વાર સાંભળવા છતાં ફરી ફરી સાંભળવાનું મન થાય એવાં બળુકાં છે.

ઉદાહરણ તરીકે …સાંભળો….

”મત જા ઓ જોગી -રાગ ભૈરવી -પંડિત ઓમકારનાથ ઠાકુર
Pt Omkarnath Thakur- Raag Bhairavi,’Jogi Mat Ja’

ઓરેગોન-યુ.એસ.એ. નિવાસી સંગીત પ્રેમી મિત્ર ડો. કનકભાઈ (કલાગુરુ રવિશંકર રાવળના સુપુત્ર )એ અગાઉ મને ઈ-મેલમાં મોકલી આપેલ નીચેની લીંક ઉપર પંડિત ઓમકારનાથ ઠાકુરને વિવિધ રાગ ઉપર ગાતા સાંભળી શકાશે.શાસ્ત્રીય સંગીતના રસિયાઓને  ઠાકુરની આ સંગીત પ્રસાદીનો આસ્વાદ કરવાનું  જરૂર ગમશે.

https://www.bing.com/videos/search?q=pt.omkarnath+thakur&FORM=HDRSC3

વિનોદ વિહારની તારીખ ડિસેમ્બર 26, 2014 ની નીચેની લીંક પર શ્રી પરેશ શાહના મુંબઈ સમાચારમાં પ્રગટ એક સરસ પરિચય લેખ …

(621) સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ ઠાકુર …પરેશ શાહ  

1275 – હથેળીમાં લક્ષ્મીની રેખા અને હૃદયમાં કરુણાની ધારાઃ કોણ ચડે ? વાત આફ્રિકા અને ભારતમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતા રિઝવાન આડતિયાની…રમેશ તન્ના

 મિત્રો,

અગાઉની પોસ્ટમાં તમે શ્રી રમેશ તન્ના લિખિત બે વતન પ્રેમી અને વિદ્યા પ્રેમી એન.આર.આઈ દાનવીરો ગણપત યુનીવર્સીટીના સ્થાપકો સ્વ.અનીલ પટેલ અને શ્રી ગણપત પટેલના જીવનની પ્રેરક વાતો વાંચી.

આજની પોસ્ટમાં  એ જ લેખકની કલમે લખાયેલ આફ્રિકા અને ભારતમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતા રિઝવાન આડતિયાની વાત પણ એટલી જ પ્રેરક છે.

વતનથી દુર વિદેશોમાં સારું કમાઈને વતનમાં એમના ધનનો સદુપયોગ કરતા શ્રી પટેલ મિત્રો અને શ્રી આડતિયા જેવા એન.આર.આઈ દાનવીરોને સલામ.

વિનોદ પટેલ 

દરિયાપાર રહેતા ગુજરાતીઓનો વતનપ્રેમ માત્ર હૃદયમાં નથી હોતો, અમલમાં પણ હોય છે. દરિયાપર ગયેલા ગુજરાતીઓથી જમીનની ભૂગોળ તો છૂટે છે પણ હૃદયની ભૂગોળમાં તો માદરે-વતન સતત ધબકતું જ રહે છે.

દરિયાપાર વસતા ગુજરાતીઓ બે પ્રકારના હોય છે.

એક એવા ગુજરાતીઓ જે ‘ગયા બાદ ગયા’માં માનીને જીવે છે. હું કોણ અને વતન કોણ? જે દેશમાં ગયા ત્યાં જ રહી પડ્યા. આવા લોકો સ્વપ્નમાંય વતનને યાદ કરતા નથી હોતા. ઘણા લોકો તેને ‘ફાટેલી નોટો’ કહે છે.

રિઝવાન આડતિયા કહે છે, ‘અમારા દેશના ખેડુતો કહે છે કે ધરતીમાંથી જેટલું ધાન્ય ઊગે તે બધું ખાવા માટે નથી હોતું, એમાંથી થોડાક દાણા ફરીથી ધરતીમાં રોપવા પડે છે, તો જ બીજો પાક ઊગે છે.’

દરિયાપાર વસતા બીજા કેટલાક ગુજરાતીઓ એવા છે જે માતૃભૂમિનું ઋણ ભૂલતા નથી. તેઓ સતત પોતાના વહાલા અને પ્યારા દેશને યાદ કરે છે. માત્ર યાદ કરીને તેઓ બેસી નથી રહેતા, વતનનું ઋણ ફેડવા કશુંક નક્કર કરે છે. આવા ગુજરાતીઓ ‘ખણખણતા રૂપિયા’ જેવા હોય છે.

આફ્રિકાના મોઝામ્બિકમાં વસતા રિઝવાન આડતિયા આવો જ એક ખણખણતો રૂપિયો છે.

સફળ જીવન તો ઘણા જીવતા હોય છે, રિઝવાનભાઈ સાર્થક જીવન જીવી રહ્યા છે.

વર્ષોથી રોજ સવારે ત્રણ વાગે ઊઠી જાય છે. ધ્યાન અને યોગ કરે. વહેલી સવારનો સમય તેઓ પોતની જાત માટે અનામત રાખે છે. તેમના શ્વાસોચ્છવાસમાં પોઝિટિવિટી અને પરમાર્થ છે.

આ એક એવા એનઆરઆઈ છે જે પોતાના વતન માટે મોટી સખાવતો આપે છે, અનેક પ્રવૃત્તિઓ કરે છે તો સાથે સાથે તેઓ જ્યાં વસે છે, તે સ્થાનિક આફ્રિકાના લોકો માટે પણ ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. માત્ર ભારતમાં જ નહીં, એશિયા ખંડમાં તેઓ સેવાકીય પ્રવૃતિઓ કરે છે. છ લાખથી વધુ લોકોએ તેમની સંસ્થાનો સીધો લાભ લઈને જીવનમાં અજવાળું પાથર્યું છે.

જન્મભૂમિ અને કર્મભૂમિ બન્ને પ્રત્યેની પોતાની કૃતજ્ઞતાને તેઓ અદા કરી રહ્યા છે.

***

રિઝવાનભાઈ મૂળ પોરબંદરના. તેમના પિતાનું બે ઓરડીનું મકાન. એમાંથી એક રૂમમાં શિંગ-દાળિયા શેકવાની ભઠ્ઠી હતી. બીજી એક ઓરડી હતી તેમાં નવ જણ રહેતા. રિઝવાનભાઈને નાનપણમાં શાળાએ જવાનું ના ગમતું. મન જ ના માનતું. ધાર્મિક પ્રકૃતિના રિઝવાનભાઈને હિઝ હાઈનેસ નામદાર આગાખાન સાહેબની તસવીર ગમતી.

નાનપણથી જ શ્રદ્ધાળુ. તેઓ નાના હતા ત્યારે, પોરબંદરમાં એક વખત એક બાવો વશીકરણ કરીને રિઝવાનને લઈ જતો હતો. છેક ગામ બહાર પાડોશી મહિલાએ તેને જોઈ ગઈ અને માંડ માંડ પરત લાવી. રિઝવાન આડતિયાએ પરત આવવાનું જ હતું કારણ કે સામાજિક દાયિત્વનું ઘણું કામ તેમની પ્રતીક્ષામાં હતું.

રિઝવાનભાઈ નાના હતા ત્યારથી જ તેમના મનમાં નિત્ય નવું કામ કરવાનો ઉત્સાહ રહેતો. તેમને ધાર્મિક પુસ્તકો વાંચવામાં ખૂબ રસ પડે, પણ વિજ્ઞાન કે ગણિત ના ગમે. માતાની આજ્ઞા લઈને તેમણે નાનપણમાં પોરબંદરની માધુરી નોવેલ્ટી સ્ટોરમાં વગર પૈસે નોકરી કરી હતી. મૂળ તો ધંધો શીખવાની ભાવના. નિષ્ઠા અને સૂઝ એવી કે એક મહિનામાં તેમણે 40 ટકા ધંધો વધારી આપ્યો. એ વખતે જ નક્કી થઈ ગયું હતું કે આ માણસ ધંધા માટે જ જન્મ્યો છે.

1986માં તેમણે સત્તર વર્ષની ઉંમરે પ્રથમ વિદેશ પ્રવાસ કર્યો. પ્રથમ જોબ કરી અને પછી ધંધો શરૂ કર્યો. માત્ર 150 રૂપિયા લઈને નીકળેલો એક નાનકડો છોકરો પ્રામાણિકતા, નિષ્ઠા, મહેનત, ધંધાકીય સૂઝ, વહેંચીને ખાવાની વૃત્તિ જેવા ગુણો ને કારણે જોતજોતામાં સફળ વેપારી બન્યો અને અનેક દેશોમાં તેમનો ધંધો વિસ્તર્યો.

રિઝવાનભાઈ ખૂબ કમાયા તો એ બધું સમયસર સમાજને ખોબલેને ખોબલે પરત પણ આપવા લાગ્યા.તેમણે રિઝવાન આડતિયા ફાઉન્ડેશનની રચના કરી. આફ્રિકાના મોઝામ્બિકના પાટનગર મપુતોમાં મધર ટેરેસા સંચાલિત એક અનાથાશ્રમ આવેલો છે. અહીં 125 બાળકોને આશ્રમ આશ્રય આપવામાં આવ્યો હતો. તેમના ભોજન અને શિક્ષણનો ખર્ચ ક્યાંથી કાઢવો તે પ્રશ્ન હતો. રિઝવાનભાઈએ તરત જવાબદારી સ્વીકારી. આવી તો તેઓ અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

***

મોઝામ્બિકના એક નાનકડા ટાઉનમાં દેશના શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં એક આધુનિક બાંધકામવાળી નવી શાળાનું ઉદઘાટન થયું. તે મકાન બાંધી આપ્યું હતું રિઝવાન આડતિયાએ. એ વખતના ઉદબોધનમાં શિક્ષણમંત્રીએ કહ્યું હતું, “આ દેશ(આફ્રિકા)માં લાખો વિદેશી લોકો આવીને અબજો ડોલર્સ કમાતા રહ્યા છે પણ તેમાંથી રિઝવાન આડતિયા જેવો પરગજુ વિચાર ભાગ્યે જ કોઈને આવ્યો હશે!”

જવાબમાં રિઝવાનભાઈએ કહ્યું હતું, ‘હું આ દેશને પ્રેમ કરું છું… હું જે કંઈ કમાયો છું તે આ દેશને પ્રજાના સાથ અને સહકારને કારણે કમાયો છું. અમારા દેશના ખેડુતો કહે છે કે ધરતીમાંથી જેટલું ધાન્ય ઊગે તે બધું ખાવા માટે નથી હોતું, એમાંથી થોડાક દાણા ફરીથી ધરતીમાં રોપવા પડે છે, તો જ બીજો પાક ઊગે છે.’

નવ દેશોમાં 150 સ્ટોર્સ અને 40થી વધુ વેરહાઉસ ધરાવતા રિઝવાન આડતિયાએ આફ્રિકામાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે તો એશિયા અને ભારતમાં પણ તેમનું ફાઉન્ડેશન સેંકડો પ્રવૃત્તિઓ કરે છે. આ ફાઉન્ડેશને લોકોની જીવનશૈલીમાં સુધારો કરીને તેમને આત્મનિર્ભર કરવાનું બીડું ઝડપ્યું છે. ભારતમાં આ ફાઉન્ડેશને જૂનાગઢ જિલ્લાનું માળિયા હાટીના નામનું ગામ દત્તક લીધું છે અને કરોડો રૂપિયાના ખર્ચ તેને આદર્શ ગામ બનાવ્યું છે.

તેઓ સિનિયર સિટિઝન માટે પણ અનેક પ્રવૃત્તિઓ કરે છે. ગુજરાતના જુદાં જુદાં શહેરોમાં તેઓ નિયમિત રીતે સિનિયર સિટિઝન્સ માટે આખા દિવસના ઉત્સવ કરે છે. જુદા જુદા વૃદ્ધાશ્રમોમાંથી વડીલો સજીધજીને આવે. એસી બસમાં જ તેમને લાવવાના. ભાવતાં ભોજન કરાવાય. મનોરંજક કાર્યક્રમો યોજાય. તેમને આદર અને પ્રેમથી ભીંજવી દેવાના. જતી વખતે આકર્ષક ભેટ પણ અપાય.આનંદ અને માત્ર આનંદ.

એક વખત તેમણે પોરબંદરની વરિષ્ઠ ઈસ્લામી મહિલાઓ માટે આઠ દિવસનો સિંગાપોર અને મલેશિયાનો પ્રવાસ ગોઠવ્યો. ક્રુઝ દ્વારા કરાવેલા આ પ્રવાસની તમામ તૈયારી તેમના ફાઉન્ડેશનને કરી. તેમનો પાસપોર્ટ બનાવ્યો, સામાનની બેગ, સ્વાસ્થ્ય માટેની દવાઓ, બધી સગવડ ફાઉન્ડેશન કરી. આવા એક કાર્યક્રમમાં તેમણે દરેક લાભાર્થીને ટેબલેટ આપ્યું હતું. અરે, ટેબલેટ ચલાવતાં પણ શીખવ્યું હતું. રિઝવાન આડતિયા ફાઉન્ડેશન ઉંમર, જાતિ, શારીરિક ક્ષમતા, ધર્મ કે રાજકીય પક્ષાપક્ષીના ભેદભાવ વિના સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર અને આજીવિકા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. ભારતમાં એકલા રહેતા વડીલો માટે તેઓ ઘણી પ્રવૃત્તિઓ કરે છે. તેઓ યુવાનો અને સિનિયર સિટિઝન માટે પસંદગી મેળા, સમૂહ લગ્ન, મહિલા સશક્તિકરણ અને કોમ્યુનિટી હૉલનું નિર્માણ પણ કરે છે.

રિઝવાનભાઈ દર વર્ષ સમાજ માટે એક ચોક્કસ રકમ જુદી રાખે છે, જે લાખો કરોડોમાં હોય છે. તેઓ સફળ મોટિવેટર પણ છે. વ્યક્તિત્વવિકાસનાં તેમનાં વ્યાખ્યાનો ઘણાં લોકપ્રિય છે. દુનિયાના વિવિધ દેશોના યુવાનો સમક્ષ તેઓ વ્યક્તિત્વ વિકાસનાં વ્યાખ્યાનો આપે છે.

આટલી બધી સખાવતો કરતા રિઝવાનભાઈ કહે છે, “આપણાથી થાય એટલું આપણે કરવું. સમાજે આપેલું છે તે જ સમાજના ચરણે પાછું ધરવાનું છે.”

તો આ છે એક અનોખા એનઆરઆઈ.

લાગણીવેળાઃ

જે આપે છે, તે જ પામે છે.

રમેશ તન્ના

રમેશ તન્નાલેખક વરિષ્ઠ પત્રકાર છે અને દરિયાપારના ગુજરાતીઓમાં માતૃભાષાને જીવંત રાખવામાં સક્રિય રહ્યા છે.

સંપર્ક 

positivemedia2015@gmail.com

 લેખકના ગુડ મોર્નિંગ ગુજરાત કોલમના બધા લેખો અહીં વાંચો.

સૌજન્ય .. આભાર .. દિવ્ય ભાસ્કર … રમેશ તન્ના 

1272 – જિંદગી ઔર સિર્ફ જીને કે લિયે? જિંદગી ઈતની બેમકસદ હો નહીં શકતી…સત્ય ઘટનાત્મક વાર્તા..ડૉ. શરદ ઠાકર

Dr. Sharad Thaker

‘ડૉક્ટરની ડાયરી’ અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’થી જાણીતા ડૉ. શરદ ઠાકરે સબળ વાર્તાઓથી ગુજરાતી સાહિત્યમાં એમનો આગવો વાચક વર્ગ ઊભો કર્યો છે.

સમાજમાં જીવાતા જીવનમાંથી જડેલી વાર્તાઓ,હ્રદય સ્પર્શી અને સંવેદનશીલ પ્રસંગોને આવરી લઈને ડો.ઠાકર માણસના દિલને સ્પર્શે તેવી વાતને ખૂબજ સરળતાથી અને રસાળતાથી રજુ કરે છે

ડો.શરદ ઠાકર વ્યવશાયએ એક ડોક્ટર છે.એમની વાર્તાઓ એમના અનુભવોમાંથી પ્રાપ્ત સત્ય કથાઓ ઉપર મુખ્યત્વે આધારિત હોઈ વાચકના દિલને એ સીધી સ્પર્શી જાય છે.આ વાર્તા પણ એનું એક ઉદાહરણ છે.

વિદેશમાં રહેતા એન.આર.આઈ.ડોકટરોમાંથી કેટલાક ડોકટરો વતન પ્રેમી પણ હોય છે અને દેશમાં વસતા ગરીબ દર્દીઓની સેવા કરવા આતુર હોય છે.આ સત્ય ઘટનાત્મક વાર્તામાં ડો.ઠાકર એવા કેટલાક દેશ પ્રેમી અને સેવા ભાવી ડોકટરોની વાત લઈને આવ્યા છે.

આ પ્રેરક વાર્તા આપને વાંચવી જરૂર ગમશે.
વિનોદ પટેલ

જિંદગી ઔર સિર્ફ જીને કે લિયે? જિંદગી ઈતની બેમકસદ હો નહીં સકતી..સત્ય ઘટનાત્મક વાર્તા … ડો. શરદ ઠાકર

તારીખ 6 જાન્યુઆરી, 2019. અમેરિકાથી ઊડેલું વિમાન અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું અને અંદરથી ગોરા, અર્ધ ગોરા અને ઘઉંવર્ણા પ્રવાસીઓ બહાર ઠલવાયા. ડિસેમ્બર-જાન્યુઆરીનો સમય એ સામાન્ય રીતે એન.આર.આઇ.ના આગમનનો સમય ગણાય છે. ઇંગ્લેન્ડ-અમેરિકામાં અગિયાર મહિના પરસેવો પાડીને થાક ઉતારવા માટે આપણા ગુજરાતીઓ વતનમાં પધારે છે. છઠ્ઠી તારીખે વિમાનમાંથી ઊતરેલા પ્રવાસીઓમાં પાંચ પ્રવાસીઓ એવા હતા જે પોતાનો થાક ઉતારવા માટે નહીં, પરંતુ થાક વધારવા માટે પધાર્યા હતા.

એમાં એક આપણા ગુજ્જુ ડૉક્ટર હતા. ડૉ. શીતલ પરીખ. ડૉ. શીતલભાઈ અમદાવાદમાંથી ડૉક્ટરીનો અભ્યાસ પૂરો કરીને ઘણાં વર્ષોથી અમેરિકાના ઓહાયો સ્ટેટમાં સિનસિનાટી ખાતે આવેલી બાળકો માટેની હોસ્પિટલમાં હાડકાંના વિભાગમાં નિષ્ણાત તરીકે સેવા આપી રહ્યા છે. ખૂબ સારું કમાયા છે. વિશાળ બંગલામાં રહે છે, ડોલરની દીવાલો છે અને ઐશ્વર્યની છત છે. સુખી થવા માટે હવે એમણે વધારે કશું જ કરવાની જરૂર નથી, પણ આજથી છ વર્ષ પહેલાં એમના દિમાગમાં અજંપાનો કીડો સળવળ્યો. જે દેશે મને ડિગ્રી આપી, ભણાવી ગણાવીને હોશિયાર બનાવ્યો, પરદેશમાં જઈને પૈસા કમાવાની આવડત આપી એ દેશ માટે મેં શું કર્યું?

  • અમેરિકાથી ડૉ. શીતલના ફોન ઉપર ફોન આવવા લાગ્યા. ત્યાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે? અહીંથી જે નિષ્ણાત સર્જનોને લઈને આવું, તેમના ઉતારાની સગવડ કેવી છે?

આ અજંપો એમની છાતીમાં શારડીની જેમ ઘૂમરાતો હતો ત્યાં જ અનાયાસે જવાબ જડી ગયો. અમદાવાદ ખાતે આવેલી હેલ્થ એન્ડ કેર સંસ્થાના મોભી ડૉ. ભગતસાહેબનો સંપર્ક થયો. ડૉ. ભગત ભારે જાલિમ માણસ છે. જાતે તો જિંદગી સેવામાં ખર્ચી નાખી, પણ જે એમના સંપર્કમાં આવ્યા તેમને પણ સેવામાં જોતરી દીધા. એમાં આ ડૉક્ટર શીતલ પણ ઉમેરાઈ ગયા.

‘આપણા ગુજરાત રાજ્યમાં હાથ-પગનાં વાંકા વળેલાં હાડકાંની જન્મજાત ખોડ ધરાવતાં અસંખ્ય બાળ વિકલાંગો છે. એ બધાં અત્યંત ગરીબ પરિવારોમાં જન્મ્યાં છે. કોઈના હાથ વળેલા છે તો કોઈના પગ વળેલા છે. આ બાળકોનું જીવન નર્કસમાન બની ગયું છે. તમે એમના માટે કંઈ કરી શકશો?’ ભગતસાહેબે પૂછ્યું.

ડૉ. શીતલે જવાબ આપ્યો, ‘હું એકલો તો કંઈ ન કરી શકું, પણ જો મારી સાથે કામ કરતા નિષ્ણાત ડૉક્ટરો સહકાર આપે તો ઘણું બધું કરી શકાય.’

ડાૅ. શીતલે એમનું કામ શરૂ કર્યું. એમની સાથે કામ કરતા બધા ડૉક્ટરો અલગ અલગ દેશોમાંથી આવેલા હતા. એક પણ ડૉક્ટર ભારતીય ન હતો. એમને મનાવવાનું કામ અઘરું હતું. ભારતની ગરીબી, ગંદકી, કોલાહલભર્યું વાતાવરણ, બેફામ ટ્રાફિક અને માણસોનાં ટોળેટોળાં! અમેરિકાની શ્રેષ્ઠ હોસ્પિટલમાં બેક્ટેરિયારહિત વાતાવરણમાં સાફસૂથરા દર્દીઓ ઉપર ઓપરેશન કરવા ટેવાયેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડૉક્ટરો ગુજરાતના ગરીબ, ગંદા, અશિક્ષિત અને અભાગી દર્દીઓને સાજા કરવા માટે હજ્જારો માઇલનો પ્રવાસ કરીને અમદાવાદ આવવા તૈયાર થાય ખરા? અને જો થાય તો એમની ફી કેટલી માગે?

ડૉ. શીતલને એમનું કામ કરવા દઈને થોડી વાર આપણે ભગતસાહેબની ગતિવિધિ તરફ ધ્યાન આપીએ. ભગતસાહેબે સૌથી પહેલાં એમની સાથે જોડાયેલા ઓર્થોપેડિક સર્જનોને ભેગા કર્યા. ડૉ. કેતન દેસાઈ, ડૉ. દેવમુરારિ, ડૉ. મૌલિન શાહની સાથે મંત્રણા કરી. એક્શન પ્લાન તૈયાર કર્યો. શક્ય તેટલા દર્દીઓ સુધી વાત પહોંચાડી. ઝૂંપડાંઓમાં આશાનો સૂરજ ઝળહળવા મંડ્યો. મગન, વિઠ્ઠલ, રઘુ, ચીમન, બબલી, મંગુ, ચંપા આ બધાં અભાગી બાળકોનાં માવતરોની આંખો ચમકી ઊઠી. બધે વાત ફેલાઈ ગઈ. અમેરિકાથી મોટા ડૉક્ટરો આવશે અને આપણાં છોકરાઓ અને છોકરીઓનાં ઓપરેશનો કરીને એમને સાજાં-સારાં કરી આપશે. પછી એ બાળકો પોતાના પગ પર ટટ્ટાર ઊભાં રહીને ચાલી શકશે. લોકો તેની હાંસી કરે છે તે બંધ થઈ જશે. આ કૂબડાંઓને કન્યાઓ મળશે અને કુબજાઓને વર મળી જશે. વાતાવરણ બંધાઈ ગયું.

અમેરિકાથી ડૉ. શીતલના ફોન ઉપર ફોન આવવા લાગ્યા. ત્યાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે? અહીંથી જે નિષ્ણાત સર્જનોને લઈને આવું, તેમના ઉતારાની સગવડ કેવી છે? ભોજનનો પ્રબંધ કેવો હશે? તમારા ઓપરેશન થિયેટરનું અંદરનું વાતાવરણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું હશે કે નહીં? ઓપરેશન માટે વપરાતાં સાધનો, દવાઓ તથા ઇમ્પ્લાન્ટનો ખર્ચો કોણ ભોગવશે? દર્દીઓનું શારીરિક આરોગ્ય કેવું હશે? એમનું શૈક્ષણિક સ્તર અને સમજદારીની કક્ષા કેવી હશે?

ડૉ. ભગતસાહેબ તરફથી સાંપડતા જવાબો મૂંઝવી નાખે તેવા હતા. દર્દીનાં મા-બાપ તદ્દન ગરીબ હશે. દર્દીઓ (બાળકો) મહિનાઓથી નહાયા ન હોય તેવાં ગંદાં હશે. પોષણનો અભાવ. ભાષાનું અજ્ઞાન. વાણી-વર્તનની શુદ્રતા. પણ અમારા તરફથી તમને પૂરો સહકાર મળી રહેશે. ઉતારાની વ્યવસ્થા, ભોજનપ્રબંધ, ઓપરેશન થિયેટરનું સ્તર શ્રેષ્ઠ કક્ષાનું આપીશું. અમારા ડૉક્ટરો, નર્સ બહેનો તથા અન્ય કર્મચારીઓ ખડેપગે સેવામાં હાજર રહેશે, પણ એક વાતની ચોખવટ કરી લઉં. તમને કે તમારા ડૉક્ટર મિત્રને ફી પેટે એક પૈસો પણ નહીં આપી શકું. જો સેવા કરવાનો સંતોષ લેવો હોય તો આવજો; તો જ આવજો અને હું વિશ્વાસ અપાવું છું કે એમાં કચાશ નહીં રહે.

ડૉ. શીતલનો જવાબ આવી ગયો, ‘અમે આવીએ છીએ.’ આ ઘટના 2013ની. એ પછી સતત પાંચ વર્ષથી ડૉક્ટર શીતલ પરીખ અમેરિકાથી ઊડીને, એમના નિષ્ણાત સર્જનમિત્રોને લઈને અમદાવાદ આવતા રહ્યા છે અને સેવાઓ આપતા રહ્યા છે. આ છઠ્ઠી જાન્યુઆરીએ વધુ એક વાર તેઓ આવી ગયા. એમની સાથે આવેલા ડૉક્ટરો કોઈ રેંજીપેંજી ન હતા. ડૉક્ટર મિસિસ વેન્ડી, ડાૅ. એન્ડ્રિયા ચાન, ડૉ. ડોમિનિક લેરોન, ડૉ. મિકાહ શિન્કલેર, આ બધાં એવાં નામો છે, જેમનું અમેરિકામાં માત્ર મુખદર્શન કરવું હોય તો પણ તગડી ફી ચૂકવવી પડે અને તે પણ ડોલરની કરન્સીમાં.

કોઈ અમેરિકામાં જન્મેલું હતું તો કોઈ કેનેડામાં. ડો. એન્ડ્રિયા ચાઇનીઝ મૂળની હતી. તો ડૉ. મિકાહ ફિલિપાઇન્સથી અમેરિકા ગયેલા હતા. આ બધાં ડૉ. શીતલ પરીખના પ્રેમના તાંતણે બંધાઈને અમદાવાદ આવી પહોંચ્યાં. આવતાં પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી હતી, ‘વિમાનની આવવા-જવાની મુસાફરીનો ખર્ચો અમે જાતે ભોગવીશું.’ ડૉ. શીતલે કહ્યું.

‘રહેવાનું કોઈ મધ્યમ કક્ષાની હોટલમાં રાખીએ તો ફાવશે? કે કોઈ ડૉક્ટરના બંગલામાં ગોઠવીએ?’

સામૂહિક ઉત્તર મળ્યો, ‘રહેવાનું મોંઘામાં મોંઘી હોટલમાં રાખીશું. એનું બિલ જાતે ભોગવીશું.’

એમ જ થયું. મહેમાનોને રિસીવ કરવા ગયેલા ભગતસાહેબે પૂછ્યું, ‘લંચ, ડિનર અને બ્રેકફાસ્ટનું શું કરીશું?’

ફરીથી કોરસ ગુંજી ઊઠ્યું, ‘સવારનો બ્રેકફાસ્ટ અને સાંજનું જમણ સ્વખર્ચે હોટલમાં જ કરી લઈશું. આખો દિવસ તો ઓપરેશનો ચાલતાં હશે એટલે લંચ માટે બહાર જવા જેટલો સમય નહીં રહે.’

એનો તોડ ભગતસાહેબ પાસે હતો. બપોરે દોઢ વાગ્યે, બે વાગ્યે કે અઢી વાગ્યે જ્યારે ઓપરેશનોમાં ઇન્ટરવલ પડે ત્યારે બધા મહેમાનોને સંસ્થાના જ એક રૂમમાં શુદ્ધ ભારતીય ભોજન જમાડવાનું ગોઠવી દીધું.

તારીખ 7મી જાન્યુઆરીની સવારે ચા-નાસ્તો પતાવીને ડૉક્ટરો કામ પર ચડી ગયાં. કુલ 155 દર્દીઓને તપાસ્યા. એમાંથી 45 બાળકોને ઓપરેશન માટે અલગ તારવ્યાં. આ એવાં બાળકો હતાં જેમની ડિફરમિટી ખૂબ વધારે હતી. એ પછી ઓપરેશનોનો સિલસિલો શરૂ થયો. એક એક ઓપરેશન કલાકો સુધી ચાલનારું અને થકવી નાખનારું હતું. ભગતસાહેબે સંસ્થાના ઓપરેશન થિયેટરને વર્લ્ડ ક્લાસનું બનાવી દીધું હતું.

ડૉ. પ્રકાશ ભટ્ટ બધી વ્યવસ્થા પર નજર રાખી રહ્યા હતા. સ્થાનિક સર્જનોની ટીમ અમેરિકાથી આવેલાં સર્જનોને મદદ કરી રહી હતી. સતત 10થી 12 કલાક સુધી ઓપરેશનો ચાલતાં રહ્યાં. દૂર દૂરનાં ગામડાંઓમાંથી આવેલાં સાવ ચીંથરેહાલ માવતરો પોતાનાં ખોડખાંપણવાળાં બાળકોને અજાણ્યાં ડૉક્ટરોના હાથમાં સોંપીને થિયેટરની બહાર બેસીને ભીની આંખે ઈશ્વરને પૂછી રહ્યા હતા, ‘હે ભગવાન! આ સપનું છે કે સાચું? અમારાં સંતાનોને જોઈને અમારા જ ગામના લોકો હાંસી ઉડાવતા હતા ત્યારે આ દેવતાઈ લોકો કોના મોકલ્યા અહીં આવી પહોંચ્યાં છે?’

આ ગરીબ બાળ વિકલાંગોની સારવાર માટે જેટલો ખર્ચ કરવો પડ્યો એ તમામ ખર્ચ સંસ્થાએ જાતે જ ભોગવ્યો. મોંઘી-મોંઘી દવાઓ, ઇમ્પ્લાન્ટ્સ, રહેવાનો તથા ભોજનનો ખર્ચ ઉપરાંત 8 લાખ રૂપિયાની કિંમતનું ડ્રિલ મશીન આ બધું દાતાઓનાં ખિસ્સાંમાંથી આવી ગયું.

હું જ્યારે આ પરદેશી પંખીડાંઓને મળ્યો ત્યારે તેઓ થાકીપાકીને પછી પણ પ્રસન્ન જણાતાં હતાં. મેં પૂછ્યું, ‘તમે આ અભણ બાળકો અને એમનાં મા-બાપો સાથે વાતચીત કેવી રીતે કરી શક્યાં? એમને તો ગુજરાતી પણ શુદ્ધ બોલતા આવડતું નથી?’

ડૉ. વેન્ડીએ જવાબ આપ્યો, ‘જગતમાં સૌથી અસરકારક ભાષા ઇશારાઓની જ હોય છે અને જે વાત વાણીથી નથી બોલી શકાતી તે આંખો બોલી નાખે છે.’

જ્યારે મેં મહેમાનોનો આભાર માનતા કહ્યું, ‘તમારો ખૂબ ખૂબ આભાર! મારા ગરીબ દેશનાં અત્યંત ગરીબ બાળકો માટે તમે ઈશ્વર બનીને આવ્યાં છો. એમની પાસે આભાર માનવા જેટલા શબ્દો નથી. એ બધાં વતી હું તમારો આભાર માનું છું.’

ડૉ. મિકાહ ભીના અવાજમાં બોલી ઊઠ્યા, ‘મિત્ર, જે વાત તમે શબ્દોમાં કહી એ જ વાત એ બાળકોની આંખોમાં ઊભરાયેલાં આંસુઓએ અમને જણાવી દીધી છે.’

(આવતા વર્ષે પણ ડૉ. શીતલ પરીખ ફરીથી આવવાના છે. ખોડખાંપણવાળાં બાળકોનાં મા-બાપ સંપર્ક સાધી શકે છે.)

drsharadthaker10@gmail.com

સૌજન્ય … દિવ્ય ભાસ્કર … ડો.શરદ ઠાકર 

વાર્તા લેખક ડો. શરદ ઠાકર ની અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ થયેલ આવી બીજી વાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરશો.

1235- હકારાત્મક અભિગમ – આત્મબળ……..– રાજુલ કૌશિક

(ઈ-વિદ્યાલયમાં પ્રકાશિત મને ગમેલો સુ.શ્રી. રાજુલ કૌશિકનો એક પ્રેરક  લેખ ”હકારાત્મક અભિગમ – આત્મબળ” વિ.વિ.ના વાચકો માટે સાભાર રી-બ્લોગ . વી.પ.,સંપાદક) 

                                     જો તમે જીવવાનો વિચાર ન છોડો તો
હાર પણ તમારી નજીક ફરકતાં વિચારશે.

આ શબ્દો 

છે મોતના દરવાજેથી પોતાના આત્મબળે પાછી આવનાર નિધી ચાફેકરના.

નિધી ચાફેકર…નામ જાણીતુ લાગે છે? કદાચ એ નામ પરિચિત ના પણ લાગે પણ ૨૦૧૬ ની ૨૨મી માર્ચે બ્રસેલ્સના ઝેવેન્ટેમ એરેપોર્ટ પરના આતંકી હુમલાથી તો આપણે માહિત છીએ જ. એ સમયે થયેલા આતંકી હુમલામાં ૩૨ વ્યક્તિઓએ જાન ગુમાવી અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા. નિધી ચાફેકર બ્રસેલ્સથી ઇન્ડીયા પરત થતી જેટ ઍરવેઝની ઇનફ્લાઇટ મેનેજર હતી.

એક બોમ્બ બ્લાસ્ટથી ચોતરફ વેરાયેલા વિનાશ અને ઍરપોર્ટના ભેંકાર ખંડીયેર વચ્ચે બીજા એક વધુ બોમ્બ બ્લાસ્ટના લીધે ફૂટબોલની જેમ ફંગોળાયેલી નિધીનું શરીર ધડાકાના લીધે દાઝીને કાળુ પડી ગયું હતું. શરીર પણ ઉભા થવા સાથ નહોતું આપતું.  નિધીના શરીરમાં લોખંડના ૪૭ જેટલા ટુકડા તો પ્રથમ સર્જરી સમયે જ કાઢી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ બીજી બારેક સર્જરીમાં લોખંડની ઝીણી ઝીણી અસંખ્ય કરચો કાઢવામાં આવી. પચ્ચીસ ટકાથી પણ વધુ જેટલા બળી ગયેલા શરીર પર સ્કિન ગ્રાફ્ટીંગ સર્જરી પણ થઈ. કાનમાં બોમ્બના ટુકડા ઘૂસી ગયા હોવાથી કાનનો પડદો ફાટી ગયો હતો.  ભાનમાં આવે ત્યારે યાદદાસ્ત પણ સાથ  આપતી ન હતી. સર્જરી દરમ્યાન અનેક વાર થયેલા ઇન્ફેક્શનના લીધે  કદાચ સૌએ એના જીવવાની આશા છોડી દીધી હતી.

એવા સંજોગોમાં પણ ડોક્ટરોના પ્રયાસો અને અર્ધ ચેતનાવસ્થામાં પણ સતત હકારાત્મક અભિગમ અને લડી લેવાના દ્રઢ મનોબળથી નિધીએ મોતના આ જંગ સામે વિજય પ્રાપ્ત કર્યો. આજે પણ એની એક આંખમાંથી લોખંડનો ટુકડો નિકળ્યો નથી. જ્યારે સંપૂર્ણ હોશો-હવાસ મેળવ્યા ત્યારે નિધી આપમેળે ચાલી પણ શકતી નહોતી. ગગનમાં ઊંચી ઊડાન ભરનાર નિધી વૉકરના સહારે આવી ગઈ હતી.

એ પોતાના અનુભવને આધારે કહે છે કે,

‘આપણને ઉભા કરવા માટે દવાઓ માત્ર ૨૦ ટકા અને ૮૦ ટકા આત્મબળ–વ્યક્તિનો પોતાનો હકારાત્મક અભિગમ જરૂરી છે. જીવવાની જિજીવિષામાંથી જીતવાની જિજીવિષા ઉત્પન્ન થાય છે.’ ‘There is no gain without pain”. આ વિશ્વમાં હું એકલી જ નથી.

જેને ઇશ્વરના આ આશીર્વાદ મળ્યા હોય. દુનિયાની પ્રત્યેક વ્યક્તિને ધૈર્ય, શૌર્ય અને શક્તિના ઇશ્વરદત્ત આશીર્વાદ મળેલા જ હોય છે. જરૂર છે માત્ર એને પારખવાની. સમસ્યાઓ આવે છે આપણને તોડી નાખવા નહીં, પણ જોડી રાખવા. આપણને આપણી જાતની ઓળખ આપવા , આપણી જ શક્તિઓથી જાત જોડે જોડી રાખવા. જ્યારે મુશ્કેલીઓ આપણને તોડવા કટીબદ્ધ થાય છે ત્યારે આપણે એની સામે લડવા કેટલા કટીબદ્ધ છીએ એના પર આપણી જીત નિર્ભર છે.

જ્યારે આપણા અસ્તિત્વને ટકાવી રાખવાની વાત આવે છે ત્યારે જો એમ વિચારીએ કેહવે શું થશે એના બદલે એમ વિચારીએ કે શું નહી થઈ શકે? બધુ જ શક્ય છે. મનમાં જો સંભવત શક્યતાઓને પ્રાધાન્ય આપવા માંડીએ તો આખું બ્રહ્માંડ આપણી પડખે આવીને ઊભું રહેશે. સતત પોતાની જાતને એક વિશ્વાસ-એક ખાતરી આપતા રહો કે આજે જે પરિસ્થિતિ છે એ કાલે રહેવાની નથી. પગ નીચે દરિયાનું મોજું આવ્યું છે એ માત્ર પગ ભીના કરીને પાછુ વળી જવાનું છે. જરૂર છે એ સમયે પગ નીચેથી સરકતા પાણીની સાથે વહી જવાના બદલે સ્થિરતાથી જાતને જમીન સાથે જકડી રાખવાની.

જીવનમાં જેટલો જરૂરી છે પ્રેમ, વિશ્વાસ, સંબંધોની સાર્થકતા એનાથી વધુ જરૂરી છે આત્મબળ.

– રાજુલ કૌશિક

તેમનો બ્લોગ ‘ રાજુલનું મનોજગત’ 

Chapekar Brothers Felicitate Nidhi Chapekar Special Interview

https://video.ibtimes.co.uk/Ibtukvideos/brussels_attacks_1.m4v?=1

સૌજન્ય … ઈ-વિદ્યાલય

1200 – સૌ સીનીયરોએ અપનાવવા જેવી એક વૃદ્ધની સલાહ ..એક પ્રેરક સત્ય ઘટના.

મારા લોસ એન્જેલસમાં રહેતા મિત્ર શ્રી વલ્લભભાઈ ભક્તાએ એમના આજના વોટ્સેપ સંદેશમાં હિન્દીમાં એક પ્રેરક સત્ય ઘટનાત્મક વાર્તા મને વાંચવા મોકલી છે.

મને એ ખુબ ગમી ગઈ.એમના આભાર સાથે વિનોદ વિહારના વાચકોને માટે આજની પોસ્ટમાં શેર કરું છું.

આ સત્ય કથાનો મધ્યવર્તી વિચાર એ છે કે વૃદ્ધાવસ્થામાં બીજાની મદદ પર બહુ આધાર રાખવાની ટેવ ત્યજી બને એટલું પોતાનું કામ જાતે કરી લેવાની ટેવ પાડવી હિતાવહ છે.

નીચે હિન્દીમાં પ્રસ્તુત આ સત્ય ઘટના વાંચીને સૌ સીનીયર ભાઈ-બહેનોએ આ વાર્તાના વૃદ્ધ સજ્જનની આ શિખામણ એમના જીવનમાં ઉતારવા જેવી છે.

“जब तक हो सके,
आत्मनिर्भर रहो।”
अपना काम,
जहाँ तक संभव हो,
स्वयम् ही करो।”

વિનોદ પટેલ

અપના હાથ, જગન્નાથ …! ….. (સત્ય ઘટના)

कल दिल्ली से गोवा की उड़ान में एक सज्जन मिले।
साथ में उनकी पत्नि भी थीं।

सज्जन की उम्र करीब 80 साल रही होगी। मैंने पूछा नहीं लेकिन उनकी पत्नी भी 75 पार ही रही होंगी।

उम्र के सहज प्रभाव को छोड़ दें, तो दोनों करीब करीब फिट थे।

पत्नी खिड़की की ओर बैठी थींसज्जन बीच में और
मै सबसे किनारे वाली सीट पर थी।

उड़ान भरने के साथ ही पत्नी ने कुछ खाने का सामान निकाला और पति की ओर किया। पति कांपते हाथों से धीरे-धीरे खाने लगे।

फिर फ्लाइट में जब भोजन सर्व होना शुरू हुआ तो उन लोगों ने राजमा-चावल का ऑर्डर किया।

दोनों बहुत आराम से राजमा-चावल खाते रहे। मैंने पता नहीं क्यों पास्ता ऑर्डर कर दिया था। खैर, मेरे साथ अक्सर ऐसा होता है कि मैं जो ऑर्डर करती हूं, मुझे लगता है कि सामने वाले ने मुझसे बेहतर ऑर्डर किया है।

अब बारी थी कोल्ड ड्रिंक की।

पीने में मैंने कोक का ऑर्डर दिया था।

अपने कैन के ढक्कन को मैंने खोला और धीरे-धीरे पीने लगा।

उन सज्जन ने कोई जूस लिया था।

खाना खाने के बाद जब उन्होंने जूस की बोतल के ढक्कन को खोलना शुरू किया तो ढक्कन खुले ही नहीं।

सज्जन कांपते हाथों से उसे खोलने की कोशिश कर रहे थे।
मैं लगातार उनकी ओर देख रही थी। मुझे लगा कि ढक्कन खोलने में उन्हें मुश्किल आ रही है तो मैंने शिष्टाचार हेतु कहा कि लाइए…” मैं खोल देती हूं।”

सज्जन ने मेरी ओर देखा, फिर मुस्कुराते हुए कहने लगे कि…

“बेटा ढक्कन तो मुझे ही खोलना होगा।

मैंने कुछ पूछा नहीं,लेकिन वाल भरी निगाहों से उनकी ओर देखा।

यह देख, सज्जन ने आगे कहा

बेटाजी, आज तो आप खोल देंगे।

लेकिन अगली बार..? कौन खोलेगा.?

इसलिए मुझे खुद खोलना आना चाहिए।

पत्नी भी पति की ओर देख रही थीं।

जूस की बोतल का ढक्कन उनसे अभी भी नहीं खुला था।

पर पति लगे रहे और बहुत बार कोशिश कर के उन्होंने ढक्कन खोल ही दिया।

दोनों आराम से जूस पी रहे थे।

मुझे दिल्ली से गोवा की इस उड़ान में
ज़िंदगी का एक सबक मिला।

सज्जन ने मुझे बताया कि उन्होंने..ये नियम बना रखा है,

कि अपना हर काम वो खुद करेंगे।

घर में बच्चे हैं,
भरा पूरा परिवार है।

सब साथ ही रहते हैं। पर अपनी रोज़ की ज़रूरत के लिये
वे सिर्फ पत्नी की मदद ही लेते हैं, बाकी किसी की नहीं।

वो दोनों एक दूसरे की ज़रूरतों को समझते हैं

सज्जन ने मुझसे कहा कि जितना संभव हो, अपना काम खुद करना चाहिए।

एक बार अगर काम करना छोड़ दूंगा, दूसरों पर निर्भर हुआ तो समझो बेटा कि बिस्तर पर ही पड़ जाऊंगा।

फिर मन हमेशा यही कहेगा कि ये काम इससे करा लूं,
वो काम उससे।

फिर तो चलने के लिए भी दूसरों का सहारा लेना पड़ेगा।

अभी चलने में पांव कांपते हैं, खाने में भी हाथ कांपते हैं, पर जब तक आत्मनिर्भर रह सको, रहना चाहिए।

हम गोवा जा रहे हैं,दो दिन वहीं रहेंगे।

हम महीने में एक दो बार ऐसे ही घूमने निकल जाते हैं।

बेटे-बहू कहते हैं कि अकेले मुश्किल होगी,

पर उन्हें कौन समझाए कि मुश्किल तो तब होगी
जब हम घूमना-फिरना बंद करके खुद को घर में कैद कर लेंगे।

पूरी ज़िंदगी खूब काम किया। अब सब बेटों को दे कर अपने लिए महीने के पैसे तय कर रखे हैं।

और हम दोनों उसी में आराम से घूमते हैं।

जहां जाना होता है एजेंट टिकट बुक करा देते हैं। घर पर टैक्सी आ जाती है। वापिसी में एयरपोर्ट पर भी टैक्सी ही आ जाती है।

होटल में कोई तकलीफ होनी नहीं है।

स्वास्थ्य, उम्रनुसार, एकदम ठीक है।

कभी-कभी जूस की बोतल ही नहीं खुलती।पर थोड़ा दम लगाओ,

मेरी तो आखेँ ही खुल की खुली रह गई।

मैंने तय किया था कि इस बार की उड़ान में लैपटॉप पर एक पूरी फिल्म देख लूंगी।

पर यहां तो मैंने जीवन की फिल्म ही देख ली।

एक वो फिल्म जिसमें जीवन जीने का संदेश छिपा था।

“जब तक हो सके,
आत्मनिर्भर रहो।”
अपना काम,
जहाँ तक संभव हो,
स्वयम् ही करो।

सत्य है शिव है सुंदर है

લેખક- અજ્ઞાત

न कजरे की धार न मोतियों के हार फिर भी कितनी सुन्दर हो।

One Old Age Poem

Now I Lay Me Down to Sleep

If the mattress is hard, but not excessively hard,
If the comforter is not too heavy or light,
If the bottom sheet has been tucked in real tight,
If the temperature in the room isn’t hot or freezing,
If the neighbour’s cat isn’t mating in the front yard,
If the neighbour’s kid isn’t playing his acoustic guitar,
If the car alarm doesn’t go off in the neighbour’s car,
If my husband is not grinding his teeth or wheezing,
If the blackout curtains are keeping the room dim,
If I don’t get a cramp or a sinus attack,
If I manage to push my ten thousand anxieties back,
If I don’t think I hear a burglar quietly creeping,
If two – thirds of the bed is not occupied by him,
If at four in the morning the telephone doesn’t ring,
If the paper is delivered gently and no birds sing,
I might actually – I just might – do a little sleeping..

— Mrs. Meena Murdeshwar …From e-mail