વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: વ્યક્તિ

1313 …. 21 મી જુન ૨૦૧૯ ..પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અભિનંદન

પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (INTRNATIONAL DAY OF YOGA )

હજારો વરસો પહેલાંથી  યોગ એ પતંજલિ ઋષિએ દુનિયાને આપેલી ભેટ છે.મૂળથી જ એ ભારતની વિરાસત છે.યોગની શરૂઆત થઇ ભારતમાં, પણ આજે એ વિશ્વના દરેક દેશોમાં પહોંચી ગયો છે. 

તારીખ ૧૧ મી ડીસેમ્બરના ૨૦૧૪ રોજ મળેલી આંતર રાષ્ટ્રીય સંસ્થા યુ.એ.ની જનરલ એસેમ્બલીએ મોટી બહુમતીએ ઠરાવ પસાર કરીને ૨૧ મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘International Day of Yoga’ તરીકે ઉજવવાની ઓફિસીયલી જાહેરાત કરી હતી .દુનિયાના ૧૯૩ દેશમાંથી ૧૭૩ દેશોએ આ ઠરાવને ટેકો આપ્યો હતો.

પ્રથમ યોગ દિવસે નરેન્દ્ર મોદીનો રાષ્ટ્ર જોગ સંદેશ આ વિડીયોમાં સાંભળી શકાશે.

મહર્ષિ અરવિંદ ઘોષે જેમ ભારત ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે એક સ્વતંત્ર દેશ બનશે એવું ભવિષ્ય ભાખ્યું હતું એવું જ બીજું ભવિષ્ય ભાખતાં એમણે ઈ.સ. ૧૯૦૦ ની શરૂઆતના વર્ષ દરમ્યાન કહ્યું હતું કે આજથી ૧૦૦ વર્ષ પછી ભારત વિશ્વને આધ્યાત્મિક માર્ગ બતાવી વિશ્વ ગુરુનું સ્થાન પ્રાપ્ત કરશે.

તારીખ ૨૧મી જુન ૨૦૧૫ થી જ  વિશ્વ યોગ દિવસ ભારતમાં જ નહી પણ વિશ્વના અનેક દેશોમાં અવનવા કાર્યક્રમોનું આયોજન કરીને ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે .આ પુરવાર કરે છે કે મહા યોગી અરવિંદ ઘોષને સો વરસો અગાઉ એમના અંતરમાં થયેલી પ્રતીતિ આજે કેટલી સાચી પડી છે !

યોગઃ કર્મસુ કૌશલમ

Yoga synchronises the mind,body and soul.”—Narendra Modi

યોગ એ માત્ર શારીરિક કસરત નથી , એ તો એનો માત્ર એક ભાગ છે. યોગ તન,મન અને આત્માને એકરૂપ બનાવી જોડે છે. તમે જે પણ કામ કરતા હો એમાં પુરા રસથી મગ્ન થઇ જાઓ એમાં તમને આંતરિક આનંદ અને સંતોષ મળે તો એ કાર્ય મેડીટેશન બની જાય છે. કોઈ સાચો કલાકાર શિલ્પી એક પત્થરને કંડારી એમાંથી એક સુંદર મૂર્તિનું સર્જન કરતો હોય ત્યારે એ આજુબાજુ શું ચાલી રહ્યું છે એ ભૂલી જાય છે અને જાણે કે તપ કરતા કોઈ યોગીનું સ્વરૂપ ધારણ કરી લે છે.સંત કબીર વ્યવસાયે એક વણકર હતા પરંતુ જ્યારે એ કાપડ વણવા બેસી જતા ત્યારે કાપડના દરેક તારે એમનો અંતરનો તંતુ પરવરદિગાર સાથે જોડાઈ જતો. આવા પ્રકારના મેડીટેશનમાંથી જ એમની અમર રચનાઓ જગતને મળી.

ગીતામાં એટલા માટે જ કહેવાયું છે કે યોગઃ કર્મસુ કૌશલમ .

PM Modi leads 5th International Yoga Day Celebrations in Ranchi, Jharkhand

 

સૌ મિત્રોને પાંચમા વિશ્વ યોગ પ્રસંગે હાર્દિક શુભ કામનાઓ

1303 – તમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય તો?

મિત્રો,

અત્યારે દેશમાં ચાલી રહેલ ચૂંટણીની ભારે રાજકીય હલચલના માહોલ વચ્ચે સુપર રાજકીય હીરો લોક પ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સીને જગતના હીરો અક્ષય કુમાર વચ્ચેનો ૬૮ મીનીટના ઈન્ટરવ્યુંનો વિડીયો દ્રશ્ય-શ્રાવ્ય મીડિયા માધ્યમોમાં વાઈરલ થઇ ગયો છે.

આ ઈન્ટરવ્યું ની ઉડીને આંખે વળગે એવી  ખાસિયત એ છે કે એમાં કોઈ રાજકારણ ની વાત કરવામાં આવી નથી પણ મોદીજી એ એમના અંગત જીવનની ઘણી પેટ છૂટી વાતો કરી છે એ જાણવા જેવી અને પ્રેરક છે.

મારા અમદાવાદી મિત્ર અને હાલ કેરો,ઈજીપ્ત નિવાસી શ્રી મુર્તઝા પટેલ એ એમના બ્લોગ ”નાઇલને કિનારેથી ”માં આ ઈન્ટરવ્યુંના અગત્યના અંશો વિષે એમના આગવા અંદાજમાં જે સુંદર નિરૂપણ કર્યું છે એ મને ગમી ગયું.

વિનોદ વિહારના વાચકો માટે મુર્તઝાભાઈ ના આભાર સાથે એને રી-બ્લોગ કરું છું.

વિનોદ પટેલ,

નાઇલને કિનારેથી....

Akshay-Modi

તમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય અને જીન પ્રગટ થઇને તમને તમારી કોઈ ઈચ્છા પૂરી કરવાનું કહે તો તમે શું માંગો?

જો એ મને મળી જાય અને તેનામાં સાચા જ એવી કોઈ તાકાત હોય તો હું એને કહું કે “આખી દુનિયામાં રહેલા જેટલાં પણ સમાજશાસ્ત્રીઓ અને શિક્ષણ ક્ષેત્રમાં રહેલી દરેક વ્યક્તિના મગજમાં એમ ભરી દે કે ભાવિ પેઢીને અલાદ્દીન અને ચિરાગની વાર્તા સંભળાવવાનું બંધ કરે.

ચૂંટણીના માહોલની વચ્ચે (અમેરિકાના બધાં ‘જીનો’, મિડલ-ઇસ્ટના બધાં ‘અલાદ્દીનો’ અને એશિયાના બધાં ‘ચિરાગો’ને પંચ મારતો) એક અલગ અંદાઝ અને અદામાં પૅડમેન અભિનેતાએ સુપરમેન નેતાસાહેબનો ‘મેંગો પીપલ’ યુકત ઇન્ટરવ્યૂ લઇ જ લીધો.

તેમની કિશોરાવસ્થાથી લઇ અત્યારની ૬૮ વર્ષીય પછી આવનાર નિવૃત્તિની રસીલી અને મજેદાર સફરની ફેક્ટ વાતો અને ટિપ્સ જાણવા-માણવા આ ૬૮ મિનિટ્સની વિડીયો યુટ્યુબ પર ટાઈમ કાઢીને ખરેખર જોવા જેવી રહી. બેશક! બૉડી લેન્ગવેજ પરથી બંનેવ ધૂરંધરો વડીયેવડીયા દેખાય છે.

જે ચોકીદાર કરોડો લોકો માટે માત્ર ‘હાડા તૈણ કલ્લાક’ની…

View original post 227 more words

1302 – “હજર અલ અસ્વાદ”, કાબાનો પત્થર , એક રહસ્ય….. શરદ શાહ

આજની પોસ્ટના લેખના લેખક શ્રી શરદ શાહ આધ્યાત્મ માર્ગના પ્રવાસી છે.એમની નિવૃત્તિ પછીનું શેષ જીવન તેઓ એમના ગુરુ,ઓશોના શિષ્ય સ્વામીશ્રી બ્રહ્મવેદાંતજીના મા ધોપુર(ઘેડ)માં આવેલ આશ્રમમાં મોટો સમય રહી સાધનામાં વિતાવે છે.૧૯૮૬માં સ્વામી બ્રહ્મવેદાંતના પરિચયમાં તેઓ આવ્યા હતા ત્યારથી તેઓ એમના આશ્રમમાં જતા આવતા રહે છે.

તેઓ કોઈ કોઈ વાર એમના આધ્યાત્મિક વિષય ઉપરના લેખો મિત્રોમાં ઈ-મેલના માધ્યમથી મોકલતા હોય છે.એમના ફેસબુક પેજ પર પણ તેઓ લખતા હોય છે.

ગુજરાતી પ્રતિભા પરિચય ના સૌજન્યથી શ્રી શરદભાઈ શાહ નો પરિચય 

શ્રી શરદ શાહ


મળવા જેવા માણસ … શરદ શાહ … સંપાદક…પિ.કે.દાવડા 

 

ઈસ્લામમાં માનનારા લોકો માટે હઝ પર જવું સૌથી મોટી ખુશીની વાત હોય છે. દરેક મુસલમાન જીવનમાં એક વખત હજ જરૂર જવા ઈચ્છતો જ હોય છે.

શ્રી શરદભાઈએ વિનોદ વિહાર માટે મોકલેલ મુસ્લિમ સમાજ વિશેનો એમનો અભ્યાસ પૂર્ણ લેખ “હજર અલ અસ્વાદ” કાબાનો પત્થર એક રહસ્ય .” આજની પોસ્ટમાં એમના અભાર સાથે પ્રસ્તુત કરેલ છે. આશા છે આપને એ ગમશે. 

વિનોદ પટેલ 

“હજર અલ અસ્વાદ”, કાબાનો પત્થર , એક રહસ્ય….. શરદ શાહ

મક્કા સ્થિત કાબાનો પત્થર દુનિયા ભરના મુસ્લીમો માટે આસ્થાનો વિષય છે અને દર વરસે કરોડો મુસ્લિમ બિરાદરો ત્યાં હજ પઢવા ભેગા થાય છે. મુસલમાનોનું આ એક સૌથી મોટું તિર્થ સ્થળ છે અને દરેક ઈસ્લામમાં શ્રધ્ધા રાખનારના જીવનની ખ્વાહીશ હોય છે કે તેના જીવન દરમ્યાન તે કમસે કમ એકવાર તો હજની યાત્રા કરે જ.

હજની આ યાત્રા માટેના કેટલાંક નિયમો પણ ઈસ્લામ ધર્મમાં બતાવેલ છે. જેમાનો એક નિયમ છે કે સ્વઉપાર્જીત ધનનો જ ખર્ચ કરીને અને તમામ દેવાઓમાંથી મુક્ત થઈને જ હજની યાત્રા કરી શકાય. ભારતમાં હજ યાત્રા માટે ભારત સરકાર તરફથી સબસીડીની રકમ આપવામાં આવતી તે કેટલાંક હિન્દુ સંગઠનોને ખુંચતું  તો બીજી બાજુ કેટલાંક મુસ્લીમ લોકોને પણ આ સબસિડીની ખેરાતની રકમ મેળવી હજ યાત્રા કરવી તે  ઈસ્લામના નિયમોનુ ઊલંઘન લાગતું અને તેમને આવી યાત્રા કબુલ ન હતી. આખરે આ સબસીડી હટાવવામા આવી. ખેર! આ બધી રાજકીય રમતોમાં પડવા નથી માંગતો પણ અહીં આ લેખ દ્વારા મારી નાની બુધ્ધિમાં જેટલું સમજી શકાય છે તે સમજવાનો પ્રયાસ માત્ર છે. અહીં કોઈ ધર્મ વિશેષની લાગણી દુભવવાનો કોઈ આશય નથી તેમ છતાં કોઈને દુખ પહોંચે તો પહેલેથી ક્ષમા માંગી લઊં છું.

કાબાના આ પત્થર માટે અનેક પ્રકારના મત મતાંતરો, ઈતિહાસ અને કીમવદન્તિઓ છે. વૈજ્ઞાનિકો અને રસાયણ શાસ્ત્રીઓની દૃષ્ટિ પદાર્થથી ઉપ્પર નથી જતી અને તેઓની નજરે તો આ એક અકીક કે ગ્રેનાઈટ જેવો પત્થર કે કાચનો ટુકડો માત્ર છે. કેટલાંક તે ઉલ્કા હોવાનો દાવો કરે છે.

મુસલમાનો માટે આ પત્થર એક આસ્થાનો વિષય છે અને તેનુ મુખ્ય કારણ છે કે તેનુ આ સ્થળે સ્થાપન મહમ્મદ સાહેબે ખુદ કરેલ છે. તેમના એનલાઈટનમેન્ટના પાંચ વર્ષ પૂર્વે ઈસ્લામિક માન્યતા પ્રમાણે આ પત્થર આકાશમાંથી (સ્વર્ગમાંથી) આદમ દ્વારા પૃથ્વી પર મોકલવામાં આવેલ અને હાલની જગ્યાએથી લગભગ ૧૧૦૦ કિલોમીટર દુરના સ્થળેથી તે ટુકડાઓના રુપે આજથી ૬૦૦૦વર્ષ પહેલા મળી આવેલ. આજે પણ આ પત્થર સાત જેટલાં ટુકડાઓમાં છે અને જેને ચાંદીની ખિલીઓ, ખાસ પ્રકારના સિમેન્ટથી જોડી અને ચાંદીની ફ્રેઈમમાં મઢવામાં આવ્યો છે.

રંગે ડાર્ક બ્રાઊન કે કાળો દેખાતો આ પત્થર એક મજબુત દિવાલમાં સુરક્ષા વચ્ચે રાખવામાં આવે છે. હજના યાત્રાળુઓ આ પત્થરની ચારે તરફ સાતવાર એન્ટી ક્લોક વાઈસ પ્રદક્ષિણા કરે છે અને તે પણ સફેદ કાપડને શરીર પર લપેટીને. આટલું બેક ગ્રાઊન્ડ આપવાનુ કારણ એ જ છે કે આ વિષયને આધ્યાત્મિક દૃષ્ટિએ મુલવી શકાય અને હિન્દુ પરંપરામાં આ જ વાતને કેવી રીતે ધાર્મિક વિધીમાં વણેલી છે.

હિન્દુ ધર્મ ઈસ્લામ પૂર્વે લગભગ ૩૫૦૦ કે તેથી પણ વધુ પુરાણો છે અને ઈસ્લામની હાલની પરંપરા કદાચ હિન્દુ ધર્મમાંથી ઉતરી આવી હોય તેવી સંભાવના છે.હિન્દુ, મુસલમાન, ઈસાઈ કે અન્ય ધર્મોમાં અલગ અલગ તિર્થ સ્થાનો છે અને આ તિર્થ સ્થાનો પર એક ખાસ સમયે યાત્રાનુ આયોજન કરવામાં આવે છે. આ તિર્થ સ્થાનો એવા સ્થાનો છે જ્યાં ભુતકાળમાં થઈ ગયેલ અનેક બુધ્ધ પુરુષોની મૃત્યુ પર્યંત પણ  સુક્ષ્મ સ્વરુપે હાજરી હોય છે.આવા સ્થળોએ આસ્થા ધરાવનાર લોકો જ્યારે એક સમુહમાં ભેગા થાય છે ત્યારે તેમની ઈન્ડીવ્યુજીયાલિટી સમાપ્ત થઈ જાય છે અને એક કલેક્ટિવિટી ઊભી થાય છે. ગરીબ, તવંગર, ઊંચ, નીચના ભેદ દુર થાય છે અને એક એનર્જીનુ ફીલ્ડ ઉભુ થાય છે.

આસ્થા એક મહત્વનુ પરિબળ છે. અને જે તે ધર્મના બુધ્ધ પુરુષોની હાજરી આ એનર્જીને વિકસિત થવામાં શુક્ષ્મરુપે મદદગાર બને છે જેથી પરમશક્તિ (ઈશ્વર કે અલ્લાહ કે ગોડ)સાથે અનુસંધાનમાં મદદ મળે છે. બીજું પાસુ છે પત્થર. વિજ્ઞાન કહે છે કે દરેક ઓબ્જેક્ટનુ એક રાસાયણિક બંધારણ અને એક વિદ્યુત મંડળ હોય છે. હવે કયા પત્થરનુ વિદ્યુત મંડળ પરમશક્તિ સાથેના અનુસંધનમાં મદદગાર છે તે વિજ્ઞાનનો વિષય નથી પરંતુ તે ધર્મનો વિષય છે અને બુધ્ધપુરુષો જેઓએ સ્વયં અંતરયાત્રા કરી બુધ્ધત્વ પામેલા છે તે આવા પત્થરના વિદ્યુતને ઓળખી શકે છે જે પરમશક્તિ સાથે અનુસંધાનમાં મદદરુપ બને કે કેટલીસ્ટ બને.

હિન્દુઓ આવા પત્થરને ઘડી મુર્તિઓ કે શિવલીંગ બનાવતા અને ઈસ્લામમાં મહમ્મદ સાહેબે આવા પત્થરને ઓળખીને તેનુ મક્કામાં સ્થાપન કરાવ્યું જે સામુહિક રીતે અલ્લાહ સાથેના અનુસંધાનમાં ઈસ્લામમાં આસ્થા રાખનારને સહાયક બની શકે. હિન્દુઓમાં જે બાર જ્યોતિર્લીંગ છે તે કોઈ સામાન્ય પત્થરમાંથી નિર્માણ નથી થયેલાં પણ ખાસ પ્રકારના પત્થર છે જે ઈશ્વર સાથેના અનુસંધાનમાં સહાયક બની શકે.

આ પથ્થરની આસપાસ આસ્થા પૂર્વક સાત ફેરા પ્રદક્ષિણાનો રિવાજ હિન્દુઓમાં છે તેમ મુસલમાનો પણ કાબાના પત્થરની પ્રદક્ષિણાનો રિવાજ છે. અને બન્ને ધર્મમાં સાત ફેરા ફરવાનો રિવાજ છે. હિન્દુ શાસ્ત્રો આપણી ભિતર આવેલ સાત ચક્રો અને કુંડલીની જાગૃતિની વાત કરે છે તેના અનુસંધાને જ સાત ફેરા પ્રદક્ષિણાનો રિવાજ સ્થાપિત થયેલ છે.  જો સંપૂર્ણ આસ્થા અને પરમશક્તિ (ઈશ્વર કે અલ્લાહ) સાથે અનુસંધાનની ભિતર પ્યાસ હોય તો એક એક ફેરાએ એક એક ચક્રો ખુલતા જાય અને ભિતરની પ્રાણ ઉર્જાનુ ઉદ્વગમન થાય અને પરમ શક્તિ સાથે અનુસંધાન શક્ય બને.

બીજી મહત્વની વાત છે કે હિન્દુઓમાં શિવલીંગ પૂજા અને પ્રદક્ષિણા દરમ્યાન એક જ ધોતી જેવું વસ્ત્ર ધારણ કરવામાં આવે છે જેન કારણે ભિતર જ્યારે પ્રાણ ઉર્જાનુ ઉદ્વગમન થાય ત્યારે શરીરના કોઈ અંગો પર વસ્ત્રોને કારણે દબાણ ઉભું ન થવું જોઈએ.

જો આવું દબાણ ઉભું થાય તો ઉર્જાને ઉદ્વગમનમાં અવરોધક બને છે. એજ સિધ્ધાંત પર મુસલમાનો પણ જ્યારે કાબાના પત્થરની પ્રદક્ષિણા કરે ત્યારે એક જ સફેદ ચાદર ધારણ કરે છે.આ તિર્થ સ્થાનોનું મહત્વ તેના કારણે છે કે જે તે સ્થળ એક ખાસ જગ્યાએ આવેલ છે અને એક ખાસ પ્લેનેટરી સિચ્યુએશન વખતે જે તે સ્થળે ઉર્જાનો એક પ્રવાહ ત્યાં વહે છે. જે યાત્રાળુઓને પરમશક્તિ સાથે અનુસંધનામાં સહાયક બને છે. કોઈપણ આવા તિર્થ સ્થાન પર જઈ પરમાત્મા સાથે અનુસંધાન ન કરી શકો તો યાત્રાનો ફેરો ફોગટ સમજવો.

— શરદ શાહ 

આવા જ વિષય પર અન્ય પુરક માહિતી ….એક લેખ ..

હજ પર જનાર લોકોને મક્કા પહોંચી શુ-શી કરવું પડે છે ?

એક વિડીયો ..

The Mysterious Black Stone of Kaaba and first look don’t miss to look

 

આ અગાઉ વિનોદ વિહારમાં પ્રસિદ્ધ શ્રી શરદ શાહના આધ્યાત્મિક વિષય ઉપરના લેખો વાંચવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો.


https://vinodvihar75.wordpress.com/category/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95/%E0%AA%B6%E0%AA%B0%E0%AA%A6-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9/

1271 -ગણપત યુનિવર્સિટીના પ્રેસિડન્ટ શ્રી ગણપતભાઈ પટેલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત …અભિનંદન

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના પ્રેસીડન્ટ શ્રી રામનાથ કોવિંદ એ દેશની જે પ્રમુખ હસ્તિઓને પદ્મશ્રી પુરસ્કારોથી સન્માનિત કરવાની જાહેરાત કરી એની યાદીમાં  ગણપત યુનિવર્સિટીના પ્રેસિડન્ટ અને પેટ્રન-ઇન-ચિફ શ્રી ગણપતભાઇ પટેલનો પણ સમાવેશ થાય છે.

ધર્મપત્ની મંજુલાબેન સાથે પદ્મશ્રી ગણપતભાઈ પટેલ

‘’વિદ્યાર્થીના જીવનમાં પરિવર્તન એ જ સાર્થકતા છે’’ ગણપતભાઇ

ગૌરવવંતી ગુજરાતી પ્રતિભા શ્રી ગણપતભાઈ પટેલને પદ્મશ્રી જેવા પ્રતિષ્ઠિત એવોર્ડનું સન્માન પ્રાપ્ત કરવા બદલ અમારા જાણીતા સ્નેહી મિત્ર સમા શ્રી ગણપતભાઈને વિનોદ વિહાર ગૌરવ અને આનંદ સાથે અભિનંદન પાઠવે છે.  

પદ્મશ્રી ઉપરાંત અગાઉ ગણપતભાઈને નીચેના પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળ્યા છે.

૧.2018માં તેમને અમેરિકાની કાલ પોલિ યુનિવર્સિટી દ્વારા ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમ્ની એવોર્ડ એનાયત કરાયો હતો. આ એવોર્ડ મેળવનાર તેઓ એકમાત્ર ભારતીય છે

૨.2014માં તેમને સેલ્યુટ ઈન્ડિયા એન.આર.આઈ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

૩.આ ઉપરાંત તેમને અમેરિકન સોસાયટી ઓફ એન્જિનિયર્સ દ્વ્રારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરાયો છે.આ એવોર્ડ ઘણો પ્રતિષ્ઠિત ગણાય છે.

૪.2005થી ગણપત યુનિવર્સિટીના પેટ્રન ઓફ ચીફ તરીકે માનભર્યો હોદો સંભાળતા ગણપતભાઈને જ્વેલ ઓફ ભારત અને જ્વેલ ઓફ ગુજરાતના એવોર્ડ મળી ચૂક્યા છે.આ ઉપરાંત અન્ય એવોર્ડ પણ તેમને મળ્યા છે. 

શ્રી ગણપતભાઈને પદ્મશ્રી એવોર્ડ મળ્યાના સમાચારથી મને વિશેષ આનંદ એટલા માટે થાય છે કે શ્રી ગણપતભાઈ પટેલ અને એમનાં ધર્મપત્ની શ્રીમતી મંજુલાબેનને હું વર્ષોથી ઓળખું છું.કોઈવાર સામાજિક પ્રસંગોમાં એમને રૂબરૂ મળવાનું થયું છે.આટલી સિદ્ધિ અને સમૃદ્ધિ મળી હોવા છતાં એમનું વ્યક્તિત્વ સાદું,નિરાભિમાની,ખુબ સરળ છે.તેઓ મળતાવડો રમુજી સ્વભાવ ધરાવે છે.ફેબ્રુઆરી ૨૦૦૭માં મારા પુ.પિતાશ્રી રેવાભાઈનું અવસાન થયું ત્યારે એમની શોક સભા અને ફ્યુનરલમાં મંજુલાબેન સાથે તેઓ લોસ એન્જેલસથી સાન ડીએગો સુધી ડ્રાઈવ કરીને હાજરી આપી હતી.  

ગણપતભાઈ અને મંજુલાબેનના વિદ્યા યજ્ઞના સદકાર્યોમાં એમની ત્રણેય દીકરીઓ આશાબહેન, રીટાબહેન અને અનિતાબહેનનો પૂરો સહકાર અને ટેકો હોય છે.

ગુજરાતના મુખ્ય મંત્રીનું પદ સંભાળ્યા પછી વડા પ્રધાન તરીકે ચૂંટાઈને શ્રી નરેન્દ્ર મોદી દિલ્હી ગયા ત્યારે એમને મળીને અભિનદન આપવા શ્રી ગણપતભાઈ એમનાં ધર્મપત્ની મંજુલાબેન સાથે દિલ્હી ગયા હતા એ પ્રસંગની આ બે તસ્વીરો  શ્રી ગણપતભાઈએ મને ઈ-મેલમાં મોકલી હતી. 

ગણપતભાઇનો જન્મ 12 જાન્યુઆરી 1945 ના રોજ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ભૂણાવ ગામમાં થયો હતો.તેઓ વર્ષોથી પરિવાર સાથે અમેરિકામાં,લોસ એન્જલસમાં સ્થાયી થયેલા છે.એમના પિતા ઈશ્વરભાઈ ખેડૂત હતા.ગણપભાઈ 1965માં અમેરિકા વધુ અભ્યાસાર્થે ગયા હતા.ત્યાં એન્જીનીયરીંગની ડીગ્રી લઇ થોડો સમય વ્યવસાય સાથે જોડાયા.અમેરિકામાં સ્થાયી થયા બાદ સફળ ઉદ્યોગ સ્થાપી સારી કમાણી કરી.અમેરિકામાં રહીને તેઓ એમના મૂળ વતનને ભૂલ્યા ન હતા.તેઓએ અને એમના મિત્ર અનીલભાઈએ મળીને  એપ્રિલ 2005માં ગણપત યુનિવર્સીટીની સ્થાપના કરી હતી. 

1978માં ગણપતભાઈએ લોસ એન્જેલસમાં ચેરોકી ઈન્ટરનેશનલનામની પોતાની કંપની સ્થાપી એમાં એમની સૂઝ,આવડત અને  પુરુષાર્થથી સારી કમાણી કરી.આ કમ્પનીમાં હજારો લોકોને રોજગારી આપી.ગુજરાતમાંથી અમેરિકા ભણવા જતા કે નોકરી-ધંધો કરવા જતા અનેક લોકો માટે ગણપતભાઈની ચેરોકી કંપની આશીર્વાદ રૂપ બનતી.ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમની કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ મળી જતી જેનાથી એમને અમેરિકામાં સેટ થવા માટે ચેરોકી પહેલો વિસામો બનતી હતી એ મેં નજરે જોયું છે.

ગણપત પટેલના ખાસ મિત્ર, એક વારના ગુજરાત સરકારમાં ઉદ્યોગ મંત્રી અને એપોલો ગ્રુપના માલિક સ્વ.અનીલ પટેલ અને ગણપત પટેલએ સાથે મળીને મારા વતનના ગામ ડાંગરવા નજીકના જ ગામ ખેરવા ગામ વિસ્તારમાં ગણપત વિદ્યા નગર અને ગણપત  યૂનિવર્સિટીની સ્થાપના કરી.ગણપતભાઈએ આ યુનિવર્સિટીની સ્થાપના અને વિકાસમાં અત્યાર સુધી રૂ.૪૦ કરોડ જેટલું માતબર દાન કરી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં કેળવણી ક્ષેત્રે એક અનન્ય અને વિરલ કાર્ય કર્યું છે.

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર માટે એમના આવા ઉમદા કાર્યો માટે તેઓને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે એ બિલકુલ યોગ્ય પસંદગી છે.આ એવોર્ડ માટે ભારત સરકારને અને ગુજરાત સરકારને ધન્યવાદ ઘટે છે.  

વિનોદ પટેલ

ગણપતભાઈ વિષે દિવ્ય ભાસ્કરમાં શ્રી રમેશ તન્નાનો એક સુંદર લેખ –

વરિષ્ઠ પત્રકાર ,લેખક અને દરિયાપારના ગુજરાતીઓમાં માતૃભાષાને જીવંત રાખવામાં સક્રિય શ્રી રમેશ તન્નાએ શ્રી ગણપતભાઈ વિષે દિવ્ય ભાસ્કરની રસધારકોલમમાં એમની રસાળ શૈલીમાં વિગતવાર એક સુંદર લેખ લખ્યો છે.

વાત ગણપત યુનિવર્સિટીના સ્થાપક ગણપતભાઈ પટેલની

ગણપતભાઈએ એક મુલાકાતમાં કહ્યું હતું કે હું અમેરિકામાં ભણતો હતો ત્યારે કે પ્રારંભમાં મારો વિકટ સમય હતો ત્યારે મારી પાસે પૈસા નહોતા, તો ક્યારેક મેં કોઈની પાસેથી ઉછીના પૈસા નહોતા માગ્યા કારણ કે મારાં માતાએ મને મેનેજમેન્ટ શીખવ્યું હતું. મારી માએ સીમિત આવકમાં અગિયાર સંતાનોનો ઉછેર કર્યો હતો. આજે જે એમબીએમાં ભણાવાય છે કે સ્રોતનો મહત્તમ ઉપયોગ કરો અને બગાડ ઓછો કરો એ સજ્જતામાં મારી માએ મને બાળપણમાં જ આપી દીધી હતી. હું અમેરિકા આવ્યો ત્યારે મારી માતા મેનાબા પાસે એમબીએ થઈને આવ્યો હતો.

શ્રી રમેશ તન્નાનો આ આખો લેખ 

અહીં આ લીંક પર ક્લિક કરીને વાંચો. 

ગુજરાતનું ગૌરવ ગણપતભાઈ પટેલ વિડીયોમાં ..

  ૧.આ વિડીયોમાં પદ્મશ્રી પ્રાપ્ત કર્યા પછી એમનું ટૂંકું વ્યક્તવ્ય આપતા ગણપતભાઈને નિહાળી શકાશે.

સમાજને જો ઉંચો લાવવો હોય તો વિદ્યાથી કોઈ બીજું સાધન નથી”

Padmshri Award Winner Ganpatbhai Patel Ganpat University

 

૨. ગણપત યુનીવર્સીટીના પ્રથમ પ્રેસીડન્ટ અનિલભાઈ પટેલના દુખદ  અવસાન બાદ માર્ચ ૨૦૧૮ માં ગણપતભાઈ પટેલએ યુની. ના બીજા પ્રેસીડન્ટ તરીકે બાગડોર સંભાળી એ પ્રસંગે સ્વીકૃતિ વક્તવ્ય આપતા ગણપતભાઈને આ વિડીયોમાં જોઈ શકાશે.  

Presidential Speech of Shri Ganpatbhai Patel during the Installation of Shri Ganpatbhai Patel as the University’s second President on the occasion of the Vidya Shilpi Divas.

ગણપત યુનિવર્સિટી -વિશેષ માહિતી સંદર્ભ ..

ગણપત યુનીવર્સીટી (વિકિપીડિયા ) ગુજરાતીમાં 

Ganpat University ..web site 

 

1270 પતંગોત્સવ… ઉર્ધ્વગતિનો ઉત્સવ…..ભવેન કચ્છી

પતંગોત્સવ… ઉર્ધ્વગતિનો ઉત્સવ ….ભવેન કચ્છી

પતંગ… માનો મેરા ગાયત્રી મંત્ર….

કટી પતંગ કે પાસ આકાશ કા અનુભવ હૈ,

હવા કી ગતિ ઔર દિશા કા જ્ઞાન હૈ

પતંગોત્સવનો કાવ્યોત્સવ પણ થઈ શકે…

ઉત્તરાયણનો પર્વ ગીતાના તત્ત્વજ્ઞાાનનો બોધ આપી જાય છે

Baby we two are like those kites sometime closer, Sometime fights.. still we love to fly high in the sky tangling in love; until we die ! 

પતંગ…

મેરે લીએ ઉર્ધ્વગતિ કા ઉત્સવ,

મેરા સૂર્ય કી ઓર પ્રયાણ.

પતંગ…

મેરે જન્મ- જન્માંતર કા વૈભવ,

મેરી ડોર મેરે હાથ મેં

પદચિહ્ન પૃથ્વી પર,

આકાશ મેં,

વિહંગમ દ્રશ્ય ઐસા.

મેરી પતંગ…

અનેક પતંગો કે બીચ,

મેરી પતંગ ઉલઝતી નહીં,

વૃક્ષો કી ગલિયો મેં ફંસતી નહીં.

પતંગ…

માનો મેરા ગાયત્રી મંત્ર.

ધનવાન હો યા રંક,

સભી કો,

કટી પતંગ કે પાસ

આકાશ કા અનુભવ હૈ,

હવા કી ગતિ ઔર દિશા કા જ્ઞાાન હૈ.

સ્વયં એક બાર ઉચાઈ તક ગઈ હૈ,

કહાં કુછ ક્ષણ રૂકી હૈ.

ઇસ બાત કા પ્રત્યક્ષ પ્રમાણ હૈ.

પતંગ…

મેરા સૂર્ય કી ઔર પ્રયાણ,

પતંગ કા જીવન ઉસકી ડોર મેં હૈ

પતંગ કા આરાધ્ય (શિવ) વ્યોમ (આકાશ) મેં હૈ,

પતંગ કી ડૌર મેરે હાથ મેં હે, મેરી ડોર શિવજી કે હાથ મેં હૈ.

જીવનરૂપી પતંગ કે લીએ

શિવજી હિમાલય મેં બેેેઠે હૈ.

પતંગ કે સપને (જીવન કે સપને)

માનવ સે ઉંચે.

પતંગ ઉડતી હૈ, શિવજી કે આસપાસ,

મનુષ્ય જીવન મેં બૈઠા- બૈઠા ઉસકો (ડોર) સુલઝાનેમેં લગા રહૈતા ઉપરોક્ત કવિતાના કવિનું નામ પછી જણાવીશું પણ કવિએ પતંગોત્સવ જોડે જીવ અને શિવના ગહન તત્ત્વજ્ઞાાનને સંગીનતાથી જોડીને એક નવી ઉંચાઈ બક્ષી છે.

પતંગોત્સવનો પર્યાય પણ કેવો ફક્કડ… ઉર્ધ્વગતિનો ઉત્સવ આપણે આકાશની ઉંચાઈ સર કરવાની છે. પણ પગ તો જમીન પર જ રાખવાના છે.

આપણી પતંગ એવી હોવી જોઈએ કે જેની દિશા અને ધ્યેય સ્પષ્ટ હોય. તે ગોથા ખાતી કે વૃક્ષોની ડાળીમાં ફસાઈ જતી ના હોવી જોઈએ. પતંગની કવિએ ગાયત્રી મંત્ર જોડે તુલના કરી છે. પતંગ ભગવાન સૂર્યને નજીકથી જઈને નમસ્કાર કરવા ઝંખે છે.

કવિ માનવ જગતની પ્રકૃતિનો પરિચય કરાવતા કહે છે કે કોઈને પડતા જોઈને કે પાડીને આપણને અનેરો આનંદ આવે છે. પણ આપણે તે કપાયેલી, લૂંટાયેલી પતંગ પાસે હવાની ગતિ અને દિશાનું જ્ઞાાન છે અને હતું તે ન ભૂલવું જોઈએ, યાદ રહે આ જ કપાયેલી પતંગ તેની જાતે ઉંચાઈ પહોંચી હતી એટલું જ નહીં ત્યાં તેનો ક્ષણિક મુકામ પણ હતો. 

પતંગ માટે આકાશ જ તેનો ભગવાન અને સર્વેસર્વા છે. કવિ માને  છે કે, પતંગની દોરી કે કારણ મારા હાથમાં છે. પણ મારી ખુદની દોરી પરમ તત્ત્વના હાથમાં છે પતંગ શિવજી જ્યાં બેઠા છે તે શિવજીની આસપાસ જવાનો ધ્યેય રાખી પ્રયત્ન કરે છે.

પતંગના સપના તો માનવ કરતાં પણ ઉંચા છે પછી એવું બને છે કે પતંગ ઉન્નત શિખરની ઉંચાઈએ પહોંચવા આકાશના ઉંડાણમાં ગરકાવ થઈ જાય છે અને આપણે જમીન (જીવન) પર ટકી દોરાઓની ગૂંચ ઉકેલવામાં ગુલતાન થઈ જઈએ છીએ.. વાહ પતંગની ઉંચી ઉડાણને શોભે તેવી કેટલી ઉંચી વાત કવિ કહી ગયા છે. હવે એ પણ જાણી લો કે આવી ઉન્નત કવિતાના સર્જક વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન વાજપેયીની જેમ તેમણે પણ સાહિત્યિક પ્રદાન આપ્યું છે. તેમની આ કૃતિને હિન્દીના ઉત્કૃષ્ટ સાહિત્યકારોએ પણ બિરદાવી છે.

જાણીતા હિન્દી કવિ વિશાલ સહદેવે ‘ઉડતી પતંગ’ શીર્ષકથી કવિતા લખી છે જેના અંશો પણ આલાતરીન છે.

વો ઉડતી પતંગ તો દેખો,

ખુલ્લે આસમાન મેં બેખબર,

આવારા અલ્લહડ

કભી ઇધર, કભી ઉધર,

ઉસે ક્યા ખબર

કી ઉસકે આસમાન કે પરે,

આસમાન કઈ ઔર ભી હૈ,

ઉસે જૈસે કોઈ ઔર ભી હૈ,

લેકિન ઉસે ઇસ કી ફિક્ર ભી કહાઁ,

ઉસે તો બસ ઉડના હૈ,

ઉસે ક્યા પતા ઉસ કી મંજિલ કહા

બાદલો સે ખેલે, ઉનસે ટકરાએ

તુફાનો મેં ભી ફંસ

બાહર આ ઇતરાએ,

બેખબર હૈ ફીર, બારિશ સે ભી,

ઉસે માલુમ હી નહી

બાદલ ઉસકે સાથ તો હૈ,

લેકિન સાથી નહીં.

ના ઘર કી ફિક્ર

ના મંજિલ કી ટોહ

ન ડોરો કા ડર

ન અપનો કા મોહ

એક વક્ત આયા, ખુદ કો તોડ

વો ફીર સે ઉડા કીસી ઔર

મંઝિલ કી ઔર,

ગિરતા હુઆ, તૈરતા હુઆ,

દૂર કિસી ઔર આસમાન મેં,

પર યે ઉડાન ભી આખરી નહી

ઉડેગા ફિર સે લિએ નઈ ડોર.

અહીં પણ કવિ વિશાલે ગીતાના અધ્યાયના મર્મને પતંગની કવિતામાં વણી લીધો છે. આપણે દૈહિક મૃત્યુ બાદ નવા વસ્ત્રો ધારણ કરતા હોઈએ તેમ જન્મ લેવાનો છે. કપાઈ ગયેલા પતંગને તો તેનો નવો માલિક નવી દોરીથી ફરી આસમાનની ઉંચાઈ ચગાવશે.

આકાશમાં ઉડતા રંગબેરંગી પતંગો આપણે સૌ છીએ. સૌની પોતપોતાની આકાંક્ષાની ઉડાણ અને સ્પર્ધા છે. તમે મસ્તીથી ઉડતા હો તો પણ વિના કારણે  પ્રકૃતિવશ માનવીઓ તમને કાપવા, નીચે લાવવા  પ્રયત્નશીલ હશે. 

તો ઘણા સ્પર્ધાની ધારણા અને પૂર્વ ઇરાદાથી જ મજબૂત તૈયારી સાથે અવકાશ (સંસાર) જંગમાં ઉતરશે. કપાશે અને જમીન પર ઝોલા ખાઈને પટકાશે. પંચમહાભૂતમાં જ આખરે તો વિલીન થઈ જવાનું છે ને… આ આખરી જન્મ કે ઉડાણ નથી હોતી. ફરી નવી દોરી, નવા વાઘા, રંગ અને નવું આકાશ લઈને આપણે ઉડવાનું છે.

અમેરિકામાં Mama Lisa Books શ્રેણીમાં બાળકોને જીભે ચઢી જાય તેવા જોડકણા, જ્ઞાાન-ગમ્મત અને કાવ્યો પ્રકાશિત થતા રહે છે. તેમાં બાળકને પતંગ બનવાની કેમ ઇચ્છા જાગે છે તેનું નિરૂપણ થયું છે.

Flying Kite

I often sit and wish i could be a kite up in the sky,

And ride upon the breeze, and go

whatever way it chanced to blow

And see the river winding down,

And follow all the ships that sail,

Like me before the merry gale,

Until at last with then I came

To some place with a forcing name.

આ ઉપરાંત Fox Smith, Andre Schamitz જેવા કવિઓએ પતંગ પર 

જગવિખ્યાત બાળકૃતિઓ ભેટ ધરી છે.

…અને હા પતંગ પર જાપાનમાં હાઈકુ પણ લખાયા છે. હાન મીન ઓહનના હાઈકુનું અંગ્રેજી ભાષાંતર :

A kite flying high in the sky

string suddenly cut off

Glided down onto to the

ground, lying still.

બિનામ રેયેસનું હાઈકુ  પણ જાણી લો.

I will be the kite

And the wind at the same time

Be my kite runner

..અને છેલ્લે  માઈકલ મેકલીમોકનું હાઈકું…

With no kites in the sky

the wind

moves on

પતંગ પરના ફિલ્મી ગીતો તો છે જ .

ગુજરાતી ભાષામાં સર્જાયેલા પતંગ અને પતંગોત્સવના કાવ્યોનું સંકલન કરવા જેવું ખરૂ.

સૌજન્ય .. ગુ .સ, ..હોરાઈઝન …શ્રી ભવેન કચ્છી

1232-વડાપ્રધાન મોદી આજે 68 વર્ષના થયા/ એમના જન્મદિવસની અનેક શુભેચ્છાઓ

આજે ૧૭ મી સપ્ટેમ્બર,૨૦૧૮ ના રોજ ભારતના ૧૪ મા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો ૬૮ મો જન્મ દિવસ છે.

આ શુભ પ્રસંગે વિનોદ વિહાર આ પોસ્ટ દ્વારા શ્રી મોદીને અભિનંદન આપે છે અને એમના દીર્ઘાયુ અને ઉજળા ભાવી માટે સહર્ષ શુભકામનાઓ પાઠવે છે.

૧૭ મી સપ્ટેમ્બર, ૧૯૫૦ 1950 ના રોજ જન્મેલા શ્રી મોદી ભારતની સ્વતંત્રતા બાદ જન્મેલા પ્રથમ વડાપ્રધાન છે.એમનું બાળપણ ગરીબ પરિવારમાં વીત્યું છે. પિતા દામોદરદાસ મૂલચંદ મોદી અને હીરાબહેન મોદીના 6 સંતાનોમાં શ્રી નરેન્દ્ર મોદી ત્રીજું સંતાન છે.

ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરમાં પછાત ઘાંચી-તેલી પરિવારમાં એમનો જન્મ થયો હતો.  તેઓએ  વડનગર રેલવે સ્ટેશને તેમના પિતાના ચા વેચવાના કામમાં મદદ પણ કરી હતી. વડનગરમાં મોદીએ શિક્ષણ મેળવ્યું હતું. વડનગરમાં શિક્ષકો તેમને એક સરેરાશ વિદ્યાર્થી તરીકે ગણતા હતા.શ્રી  મોદી ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ આરએસએસમાં જોડાયા હતા.

અમદાવાદના જાણીતા અખબાર દિવ્ય ભાસ્કર ના સૌજન્યથી નીચેની લીંક પર ફોટાઓ સાથે શ્રી મોદીના જીવનની સુંદર ઝલક વાંચો.

https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-infog-pm-modi-68-birthday-today-know-about-him-gujarati-news-5958107.html?ref=ht

RSSના કાર્યકરથી PM પદ સુધી પહોંચનાર વડાપ્રધાન મોદી આજે ૬૮ વર્ષના થયા. ભારતના આ લોકપ્રિય વડાપ્રધાનની વડનગરથી શરુ કરી દિલ્હી સુધીની મજલ દરમ્યાન બનેલા ૬૮ અગત્યના બનાવોને આવરી લેતા આ વિડીયોમાં શ્રી મોદીના જીવનની કેટલીક અજાણી બાબતો જાણવા મળશે.

Here are snippets from PM Narendra Modi’s life as he turns 68

શ્રી મોદીના જન્મ દિવસે થોડી રમુજ …

નીચેનો એક રાજકીય કાર્ટુન -વિડીયો માણો જેમાં શ્રી મોદીના વિરોધીઓની

ઠેકડી ઉડાવવામાં આવી છે.

OMG: PM Modi’s birthday celebrations with opposition Leaders

ભારતના અને અમેરિકાના ટોચના ઉદ્યોગપતિઓનાં શ્રી નરેન્દ્ર મોદી વિષેનાં પ્રસંશા વચનો ..