વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: નરેન્દ્ર મોદી

1313 …. 21 મી જુન ૨૦૧૯ ..પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અભિનંદન

પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (INTRNATIONAL DAY OF YOGA )

હજારો વરસો પહેલાંથી  યોગ એ પતંજલિ ઋષિએ દુનિયાને આપેલી ભેટ છે.મૂળથી જ એ ભારતની વિરાસત છે.યોગની શરૂઆત થઇ ભારતમાં, પણ આજે એ વિશ્વના દરેક દેશોમાં પહોંચી ગયો છે. 

તારીખ ૧૧ મી ડીસેમ્બરના ૨૦૧૪ રોજ મળેલી આંતર રાષ્ટ્રીય સંસ્થા યુ.એ.ની જનરલ એસેમ્બલીએ મોટી બહુમતીએ ઠરાવ પસાર કરીને ૨૧ મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘International Day of Yoga’ તરીકે ઉજવવાની ઓફિસીયલી જાહેરાત કરી હતી .દુનિયાના ૧૯૩ દેશમાંથી ૧૭૩ દેશોએ આ ઠરાવને ટેકો આપ્યો હતો.

પ્રથમ યોગ દિવસે નરેન્દ્ર મોદીનો રાષ્ટ્ર જોગ સંદેશ આ વિડીયોમાં સાંભળી શકાશે.

મહર્ષિ અરવિંદ ઘોષે જેમ ભારત ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે એક સ્વતંત્ર દેશ બનશે એવું ભવિષ્ય ભાખ્યું હતું એવું જ બીજું ભવિષ્ય ભાખતાં એમણે ઈ.સ. ૧૯૦૦ ની શરૂઆતના વર્ષ દરમ્યાન કહ્યું હતું કે આજથી ૧૦૦ વર્ષ પછી ભારત વિશ્વને આધ્યાત્મિક માર્ગ બતાવી વિશ્વ ગુરુનું સ્થાન પ્રાપ્ત કરશે.

તારીખ ૨૧મી જુન ૨૦૧૫ થી જ  વિશ્વ યોગ દિવસ ભારતમાં જ નહી પણ વિશ્વના અનેક દેશોમાં અવનવા કાર્યક્રમોનું આયોજન કરીને ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે .આ પુરવાર કરે છે કે મહા યોગી અરવિંદ ઘોષને સો વરસો અગાઉ એમના અંતરમાં થયેલી પ્રતીતિ આજે કેટલી સાચી પડી છે !

યોગઃ કર્મસુ કૌશલમ

Yoga synchronises the mind,body and soul.”—Narendra Modi

યોગ એ માત્ર શારીરિક કસરત નથી , એ તો એનો માત્ર એક ભાગ છે. યોગ તન,મન અને આત્માને એકરૂપ બનાવી જોડે છે. તમે જે પણ કામ કરતા હો એમાં પુરા રસથી મગ્ન થઇ જાઓ એમાં તમને આંતરિક આનંદ અને સંતોષ મળે તો એ કાર્ય મેડીટેશન બની જાય છે. કોઈ સાચો કલાકાર શિલ્પી એક પત્થરને કંડારી એમાંથી એક સુંદર મૂર્તિનું સર્જન કરતો હોય ત્યારે એ આજુબાજુ શું ચાલી રહ્યું છે એ ભૂલી જાય છે અને જાણે કે તપ કરતા કોઈ યોગીનું સ્વરૂપ ધારણ કરી લે છે.સંત કબીર વ્યવસાયે એક વણકર હતા પરંતુ જ્યારે એ કાપડ વણવા બેસી જતા ત્યારે કાપડના દરેક તારે એમનો અંતરનો તંતુ પરવરદિગાર સાથે જોડાઈ જતો. આવા પ્રકારના મેડીટેશનમાંથી જ એમની અમર રચનાઓ જગતને મળી.

ગીતામાં એટલા માટે જ કહેવાયું છે કે યોગઃ કર્મસુ કૌશલમ .

PM Modi leads 5th International Yoga Day Celebrations in Ranchi, Jharkhand

 

સૌ મિત્રોને પાંચમા વિશ્વ યોગ પ્રસંગે હાર્દિક શુભ કામનાઓ

1303 – તમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય તો?

મિત્રો,

અત્યારે દેશમાં ચાલી રહેલ ચૂંટણીની ભારે રાજકીય હલચલના માહોલ વચ્ચે સુપર રાજકીય હીરો લોક પ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સીને જગતના હીરો અક્ષય કુમાર વચ્ચેનો ૬૮ મીનીટના ઈન્ટરવ્યુંનો વિડીયો દ્રશ્ય-શ્રાવ્ય મીડિયા માધ્યમોમાં વાઈરલ થઇ ગયો છે.

આ ઈન્ટરવ્યું ની ઉડીને આંખે વળગે એવી  ખાસિયત એ છે કે એમાં કોઈ રાજકારણ ની વાત કરવામાં આવી નથી પણ મોદીજી એ એમના અંગત જીવનની ઘણી પેટ છૂટી વાતો કરી છે એ જાણવા જેવી અને પ્રેરક છે.

મારા અમદાવાદી મિત્ર અને હાલ કેરો,ઈજીપ્ત નિવાસી શ્રી મુર્તઝા પટેલ એ એમના બ્લોગ ”નાઇલને કિનારેથી ”માં આ ઈન્ટરવ્યુંના અગત્યના અંશો વિષે એમના આગવા અંદાજમાં જે સુંદર નિરૂપણ કર્યું છે એ મને ગમી ગયું.

વિનોદ વિહારના વાચકો માટે મુર્તઝાભાઈ ના આભાર સાથે એને રી-બ્લોગ કરું છું.

વિનોદ પટેલ,

નાઇલને કિનારેથી....

Akshay-Modi

તમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય અને જીન પ્રગટ થઇને તમને તમારી કોઈ ઈચ્છા પૂરી કરવાનું કહે તો તમે શું માંગો?

જો એ મને મળી જાય અને તેનામાં સાચા જ એવી કોઈ તાકાત હોય તો હું એને કહું કે “આખી દુનિયામાં રહેલા જેટલાં પણ સમાજશાસ્ત્રીઓ અને શિક્ષણ ક્ષેત્રમાં રહેલી દરેક વ્યક્તિના મગજમાં એમ ભરી દે કે ભાવિ પેઢીને અલાદ્દીન અને ચિરાગની વાર્તા સંભળાવવાનું બંધ કરે.

ચૂંટણીના માહોલની વચ્ચે (અમેરિકાના બધાં ‘જીનો’, મિડલ-ઇસ્ટના બધાં ‘અલાદ્દીનો’ અને એશિયાના બધાં ‘ચિરાગો’ને પંચ મારતો) એક અલગ અંદાઝ અને અદામાં પૅડમેન અભિનેતાએ સુપરમેન નેતાસાહેબનો ‘મેંગો પીપલ’ યુકત ઇન્ટરવ્યૂ લઇ જ લીધો.

તેમની કિશોરાવસ્થાથી લઇ અત્યારની ૬૮ વર્ષીય પછી આવનાર નિવૃત્તિની રસીલી અને મજેદાર સફરની ફેક્ટ વાતો અને ટિપ્સ જાણવા-માણવા આ ૬૮ મિનિટ્સની વિડીયો યુટ્યુબ પર ટાઈમ કાઢીને ખરેખર જોવા જેવી રહી. બેશક! બૉડી લેન્ગવેજ પરથી બંનેવ ધૂરંધરો વડીયેવડીયા દેખાય છે.

જે ચોકીદાર કરોડો લોકો માટે માત્ર ‘હાડા તૈણ કલ્લાક’ની…

View original post 227 more words

1270 પતંગોત્સવ… ઉર્ધ્વગતિનો ઉત્સવ…..ભવેન કચ્છી

પતંગોત્સવ… ઉર્ધ્વગતિનો ઉત્સવ ….ભવેન કચ્છી

પતંગ… માનો મેરા ગાયત્રી મંત્ર….

કટી પતંગ કે પાસ આકાશ કા અનુભવ હૈ,

હવા કી ગતિ ઔર દિશા કા જ્ઞાન હૈ

પતંગોત્સવનો કાવ્યોત્સવ પણ થઈ શકે…

ઉત્તરાયણનો પર્વ ગીતાના તત્ત્વજ્ઞાાનનો બોધ આપી જાય છે

Baby we two are like those kites sometime closer, Sometime fights.. still we love to fly high in the sky tangling in love; until we die ! 

પતંગ…

મેરે લીએ ઉર્ધ્વગતિ કા ઉત્સવ,

મેરા સૂર્ય કી ઓર પ્રયાણ.

પતંગ…

મેરે જન્મ- જન્માંતર કા વૈભવ,

મેરી ડોર મેરે હાથ મેં

પદચિહ્ન પૃથ્વી પર,

આકાશ મેં,

વિહંગમ દ્રશ્ય ઐસા.

મેરી પતંગ…

અનેક પતંગો કે બીચ,

મેરી પતંગ ઉલઝતી નહીં,

વૃક્ષો કી ગલિયો મેં ફંસતી નહીં.

પતંગ…

માનો મેરા ગાયત્રી મંત્ર.

ધનવાન હો યા રંક,

સભી કો,

કટી પતંગ કે પાસ

આકાશ કા અનુભવ હૈ,

હવા કી ગતિ ઔર દિશા કા જ્ઞાાન હૈ.

સ્વયં એક બાર ઉચાઈ તક ગઈ હૈ,

કહાં કુછ ક્ષણ રૂકી હૈ.

ઇસ બાત કા પ્રત્યક્ષ પ્રમાણ હૈ.

પતંગ…

મેરા સૂર્ય કી ઔર પ્રયાણ,

પતંગ કા જીવન ઉસકી ડોર મેં હૈ

પતંગ કા આરાધ્ય (શિવ) વ્યોમ (આકાશ) મેં હૈ,

પતંગ કી ડૌર મેરે હાથ મેં હે, મેરી ડોર શિવજી કે હાથ મેં હૈ.

જીવનરૂપી પતંગ કે લીએ

શિવજી હિમાલય મેં બેેેઠે હૈ.

પતંગ કે સપને (જીવન કે સપને)

માનવ સે ઉંચે.

પતંગ ઉડતી હૈ, શિવજી કે આસપાસ,

મનુષ્ય જીવન મેં બૈઠા- બૈઠા ઉસકો (ડોર) સુલઝાનેમેં લગા રહૈતા ઉપરોક્ત કવિતાના કવિનું નામ પછી જણાવીશું પણ કવિએ પતંગોત્સવ જોડે જીવ અને શિવના ગહન તત્ત્વજ્ઞાાનને સંગીનતાથી જોડીને એક નવી ઉંચાઈ બક્ષી છે.

પતંગોત્સવનો પર્યાય પણ કેવો ફક્કડ… ઉર્ધ્વગતિનો ઉત્સવ આપણે આકાશની ઉંચાઈ સર કરવાની છે. પણ પગ તો જમીન પર જ રાખવાના છે.

આપણી પતંગ એવી હોવી જોઈએ કે જેની દિશા અને ધ્યેય સ્પષ્ટ હોય. તે ગોથા ખાતી કે વૃક્ષોની ડાળીમાં ફસાઈ જતી ના હોવી જોઈએ. પતંગની કવિએ ગાયત્રી મંત્ર જોડે તુલના કરી છે. પતંગ ભગવાન સૂર્યને નજીકથી જઈને નમસ્કાર કરવા ઝંખે છે.

કવિ માનવ જગતની પ્રકૃતિનો પરિચય કરાવતા કહે છે કે કોઈને પડતા જોઈને કે પાડીને આપણને અનેરો આનંદ આવે છે. પણ આપણે તે કપાયેલી, લૂંટાયેલી પતંગ પાસે હવાની ગતિ અને દિશાનું જ્ઞાાન છે અને હતું તે ન ભૂલવું જોઈએ, યાદ રહે આ જ કપાયેલી પતંગ તેની જાતે ઉંચાઈ પહોંચી હતી એટલું જ નહીં ત્યાં તેનો ક્ષણિક મુકામ પણ હતો. 

પતંગ માટે આકાશ જ તેનો ભગવાન અને સર્વેસર્વા છે. કવિ માને  છે કે, પતંગની દોરી કે કારણ મારા હાથમાં છે. પણ મારી ખુદની દોરી પરમ તત્ત્વના હાથમાં છે પતંગ શિવજી જ્યાં બેઠા છે તે શિવજીની આસપાસ જવાનો ધ્યેય રાખી પ્રયત્ન કરે છે.

પતંગના સપના તો માનવ કરતાં પણ ઉંચા છે પછી એવું બને છે કે પતંગ ઉન્નત શિખરની ઉંચાઈએ પહોંચવા આકાશના ઉંડાણમાં ગરકાવ થઈ જાય છે અને આપણે જમીન (જીવન) પર ટકી દોરાઓની ગૂંચ ઉકેલવામાં ગુલતાન થઈ જઈએ છીએ.. વાહ પતંગની ઉંચી ઉડાણને શોભે તેવી કેટલી ઉંચી વાત કવિ કહી ગયા છે. હવે એ પણ જાણી લો કે આવી ઉન્નત કવિતાના સર્જક વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન વાજપેયીની જેમ તેમણે પણ સાહિત્યિક પ્રદાન આપ્યું છે. તેમની આ કૃતિને હિન્દીના ઉત્કૃષ્ટ સાહિત્યકારોએ પણ બિરદાવી છે.

જાણીતા હિન્દી કવિ વિશાલ સહદેવે ‘ઉડતી પતંગ’ શીર્ષકથી કવિતા લખી છે જેના અંશો પણ આલાતરીન છે.

વો ઉડતી પતંગ તો દેખો,

ખુલ્લે આસમાન મેં બેખબર,

આવારા અલ્લહડ

કભી ઇધર, કભી ઉધર,

ઉસે ક્યા ખબર

કી ઉસકે આસમાન કે પરે,

આસમાન કઈ ઔર ભી હૈ,

ઉસે જૈસે કોઈ ઔર ભી હૈ,

લેકિન ઉસે ઇસ કી ફિક્ર ભી કહાઁ,

ઉસે તો બસ ઉડના હૈ,

ઉસે ક્યા પતા ઉસ કી મંજિલ કહા

બાદલો સે ખેલે, ઉનસે ટકરાએ

તુફાનો મેં ભી ફંસ

બાહર આ ઇતરાએ,

બેખબર હૈ ફીર, બારિશ સે ભી,

ઉસે માલુમ હી નહી

બાદલ ઉસકે સાથ તો હૈ,

લેકિન સાથી નહીં.

ના ઘર કી ફિક્ર

ના મંજિલ કી ટોહ

ન ડોરો કા ડર

ન અપનો કા મોહ

એક વક્ત આયા, ખુદ કો તોડ

વો ફીર સે ઉડા કીસી ઔર

મંઝિલ કી ઔર,

ગિરતા હુઆ, તૈરતા હુઆ,

દૂર કિસી ઔર આસમાન મેં,

પર યે ઉડાન ભી આખરી નહી

ઉડેગા ફિર સે લિએ નઈ ડોર.

અહીં પણ કવિ વિશાલે ગીતાના અધ્યાયના મર્મને પતંગની કવિતામાં વણી લીધો છે. આપણે દૈહિક મૃત્યુ બાદ નવા વસ્ત્રો ધારણ કરતા હોઈએ તેમ જન્મ લેવાનો છે. કપાઈ ગયેલા પતંગને તો તેનો નવો માલિક નવી દોરીથી ફરી આસમાનની ઉંચાઈ ચગાવશે.

આકાશમાં ઉડતા રંગબેરંગી પતંગો આપણે સૌ છીએ. સૌની પોતપોતાની આકાંક્ષાની ઉડાણ અને સ્પર્ધા છે. તમે મસ્તીથી ઉડતા હો તો પણ વિના કારણે  પ્રકૃતિવશ માનવીઓ તમને કાપવા, નીચે લાવવા  પ્રયત્નશીલ હશે. 

તો ઘણા સ્પર્ધાની ધારણા અને પૂર્વ ઇરાદાથી જ મજબૂત તૈયારી સાથે અવકાશ (સંસાર) જંગમાં ઉતરશે. કપાશે અને જમીન પર ઝોલા ખાઈને પટકાશે. પંચમહાભૂતમાં જ આખરે તો વિલીન થઈ જવાનું છે ને… આ આખરી જન્મ કે ઉડાણ નથી હોતી. ફરી નવી દોરી, નવા વાઘા, રંગ અને નવું આકાશ લઈને આપણે ઉડવાનું છે.

અમેરિકામાં Mama Lisa Books શ્રેણીમાં બાળકોને જીભે ચઢી જાય તેવા જોડકણા, જ્ઞાાન-ગમ્મત અને કાવ્યો પ્રકાશિત થતા રહે છે. તેમાં બાળકને પતંગ બનવાની કેમ ઇચ્છા જાગે છે તેનું નિરૂપણ થયું છે.

Flying Kite

I often sit and wish i could be a kite up in the sky,

And ride upon the breeze, and go

whatever way it chanced to blow

And see the river winding down,

And follow all the ships that sail,

Like me before the merry gale,

Until at last with then I came

To some place with a forcing name.

આ ઉપરાંત Fox Smith, Andre Schamitz જેવા કવિઓએ પતંગ પર 

જગવિખ્યાત બાળકૃતિઓ ભેટ ધરી છે.

…અને હા પતંગ પર જાપાનમાં હાઈકુ પણ લખાયા છે. હાન મીન ઓહનના હાઈકુનું અંગ્રેજી ભાષાંતર :

A kite flying high in the sky

string suddenly cut off

Glided down onto to the

ground, lying still.

બિનામ રેયેસનું હાઈકુ  પણ જાણી લો.

I will be the kite

And the wind at the same time

Be my kite runner

..અને છેલ્લે  માઈકલ મેકલીમોકનું હાઈકું…

With no kites in the sky

the wind

moves on

પતંગ પરના ફિલ્મી ગીતો તો છે જ .

ગુજરાતી ભાષામાં સર્જાયેલા પતંગ અને પતંગોત્સવના કાવ્યોનું સંકલન કરવા જેવું ખરૂ.

સૌજન્ય .. ગુ .સ, ..હોરાઈઝન …શ્રી ભવેન કચ્છી

1232-વડાપ્રધાન મોદી આજે 68 વર્ષના થયા/ એમના જન્મદિવસની અનેક શુભેચ્છાઓ

આજે ૧૭ મી સપ્ટેમ્બર,૨૦૧૮ ના રોજ ભારતના ૧૪ મા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો ૬૮ મો જન્મ દિવસ છે.

આ શુભ પ્રસંગે વિનોદ વિહાર આ પોસ્ટ દ્વારા શ્રી મોદીને અભિનંદન આપે છે અને એમના દીર્ઘાયુ અને ઉજળા ભાવી માટે સહર્ષ શુભકામનાઓ પાઠવે છે.

૧૭ મી સપ્ટેમ્બર, ૧૯૫૦ 1950 ના રોજ જન્મેલા શ્રી મોદી ભારતની સ્વતંત્રતા બાદ જન્મેલા પ્રથમ વડાપ્રધાન છે.એમનું બાળપણ ગરીબ પરિવારમાં વીત્યું છે. પિતા દામોદરદાસ મૂલચંદ મોદી અને હીરાબહેન મોદીના 6 સંતાનોમાં શ્રી નરેન્દ્ર મોદી ત્રીજું સંતાન છે.

ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરમાં પછાત ઘાંચી-તેલી પરિવારમાં એમનો જન્મ થયો હતો.  તેઓએ  વડનગર રેલવે સ્ટેશને તેમના પિતાના ચા વેચવાના કામમાં મદદ પણ કરી હતી. વડનગરમાં મોદીએ શિક્ષણ મેળવ્યું હતું. વડનગરમાં શિક્ષકો તેમને એક સરેરાશ વિદ્યાર્થી તરીકે ગણતા હતા.શ્રી  મોદી ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ આરએસએસમાં જોડાયા હતા.

અમદાવાદના જાણીતા અખબાર દિવ્ય ભાસ્કર ના સૌજન્યથી નીચેની લીંક પર ફોટાઓ સાથે શ્રી મોદીના જીવનની સુંદર ઝલક વાંચો.

https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-infog-pm-modi-68-birthday-today-know-about-him-gujarati-news-5958107.html?ref=ht

RSSના કાર્યકરથી PM પદ સુધી પહોંચનાર વડાપ્રધાન મોદી આજે ૬૮ વર્ષના થયા. ભારતના આ લોકપ્રિય વડાપ્રધાનની વડનગરથી શરુ કરી દિલ્હી સુધીની મજલ દરમ્યાન બનેલા ૬૮ અગત્યના બનાવોને આવરી લેતા આ વિડીયોમાં શ્રી મોદીના જીવનની કેટલીક અજાણી બાબતો જાણવા મળશે.

Here are snippets from PM Narendra Modi’s life as he turns 68

શ્રી મોદીના જન્મ દિવસે થોડી રમુજ …

નીચેનો એક રાજકીય કાર્ટુન -વિડીયો માણો જેમાં શ્રી મોદીના વિરોધીઓની

ઠેકડી ઉડાવવામાં આવી છે.

OMG: PM Modi’s birthday celebrations with opposition Leaders

ભારતના અને અમેરિકાના ટોચના ઉદ્યોગપતિઓનાં શ્રી નરેન્દ્ર મોદી વિષેનાં પ્રસંશા વચનો ..

1126-ગરીબોના મસીહા અને સવાઈ સેક્યુલર વડા પ્રધાન શ્રી મોદી

દિલની દર્દી મુસ્લિમ બાલિકા સાથે હમદર્દી બતાવી શ્રી મોદીએ લંબાવી આપી એની જીવન દોર 

દિલમાં છેદ વાળી કુમળી ઉમરની  એક દુખી નિર્દોષ મુસ્લિમ બાલિકાના ”મન કી બાત” અને દિલનું દર્દ એના પત્રથી વડા પ્રધાન મોદીએ જાણ્યું અને એને મદદ પહોંચાડી માનવતાથી મહેંકતા એમના કરુણા સભર દિલની સાચી ઓળખ કરાવતો …..

આજની પોસ્ટનો નીચેનો  પ્રેરક વિડીયો જરૂર જોશો

અને મિત્રોને પણ બતાવશો.

એક ગરીબ મુસ્લિમ બાલિકાના હૃદયમાં છેદ હોવાથી એનું જીવન ભયમાં હતું. બાલિકાએ રેડિયો ઉપર વડા પ્રધાન મોદીને  ”મન કી બાત” નામના એમના અવાર નવાર નિયમિત પ્રસાર થતા રેડિયો પ્રોગ્રામમાં સાંભળ્યા.આ બાલિકાને થયું વડા પ્રધાન પત્રથી ઘણા લોકોની વાત સાંભળે છે તો કદાચ મારી હૃદયની ગંભીર બીમારીની વાત પણ સાંભળશે અને મને હોસ્પિટલમાં મારા હૃદયની બીમારીની સારવાર માટે મોકલશે.આ વિચારથી આ નિર્દોષ મુસ્લિમ બાલિકાએ વડા પ્રધાન મોદીને કાગળ લખ્યો.મોદીજીએ એનો જવાબ તુર્ત જ આપ્યો એટલું જ નહિ આ મુસ્લિમ બાલિકાની ગંભીર બીમારીની જવાબદારી એમના શિરે ઉપાડી લઈને એમના હૃદયની કરુણાનાં દર્શન કરાવ્યાં.

મોદીજીએ બતાવેલ આ માનવતાભર્યા પગલાની વધુ વિગતો નીચેના પ્રેરક વિડીયોમાં જ્યારે તમે જોશો ત્યારે તમને જરૂર આપણા લોક પ્રિય ગુજરાતી વડા પ્રધાન મોદીજી માટે માનની લાગણી થશે અને સલામ કરવાનું મન કરશે.

શ્રી નરેન્દ્ર મોદીની મુસ્લિમ બહેન કમર .

નરેન્દ્ર મોદીની એક મૂળ પાકિસ્તાનની એક બીજી મુસ્લિમ બહેન પણ છે અને આ બહેનનું નામ ક મ ર છે. આ બેન શ્રી મોદીને છેલ્લા ૨૨ વર્ષથી રક્ષા બંધનના પાવન પર્વ વખતે એમને પ્રેમથી યાદ કરી અચૂક રાખડી બાંધે છે અને એમના દીર્ઘાયુ માટે ખુદાને દિલી દુઆ કરે છે એ વાતને ઘણા ઓછા લોકો જાણતા હશે !

અગાઉ વિનોદ વિહારની આ પોસ્ટને અંતે  મુકેલ  વિડીયો  આજની પોસ્ટમાં  ફરી  પ્રસ્તુત  છે.

પોતાને સેક્યુલર હોવાનો બોદો દાવો કરતા શ્રી નરેન્દ્ર મોદીના રાજકીય વિરોધીઓ અને કહેવાતા બુદ્ધિવાદીઓ છાસ વારે એમની ટીકા કરતા હોય છે કે મોદી ચુસ્ત હિન્દુવાદી છે અને મુસ્લિમ વિરોધી છે.આવા કહેવાતા સેક્યુલરવાદીઓ માટે આ બે વિડીયો એક જવાબ રૂપ નથી શું ? આ બધા બણગાંખોરો કરતાં  એમના આચરણથી આપણા લોક નેતા શ્રી મોદી સવાઈ સેક્યુલર  નથી શું ?

આજે મોદી આમ જનતામાં જે લોકપ્રિયતા ધરાવે એની પાછળનું મુખ્ય કારણ સમાજના ગરીબ માણસોના દિલના દર્દને સાચી રીતે ઓળખી એને માટે કામ કરવાની નીતિ-રીતી અને એમના આગવા સન્માનીય માનવીય ગુણો છે.

શ્રી મોદીએ ભૂતકાળમાં આવા ગરીબ વર્ગનું દુખ જાતે અનુભવ્યું છે.વસ્તારી કુટુંબના ભરણ પોષણ માટે લોકોને ત્યાં ઘરકામ કરવા માટે જતાં એમની માતા હીરાબેનને એમણે નજરે નિહાળ્યાં છે એ દિલનું દર્દ તેઓ કેમ ભૂલી શકે !

90 + નાં એમનાં વૃદ્ધ  માતા હિરાબેનના આશીર્વાદ મેળવતા શ્રી નરેન્દ્ર મોદીની એક લાક્ષણીક તસ્વીર  

 

1106 -પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 67 મા જન્મદિવસ પ્રસંગે અભિનંદન અને શુભેચ્છાઓ

આજે ૧૭ મી સપ્ટેમ્બર,૨૦૧૭ ના  રોજ ૨૦૧૪માં ભારતના ૧૪ મા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાએલા શ્રી નરેન્દ્ર મોદીનો 67મો જન્મ દિવસ છે.

આ શુભ પ્રસંગે વિનોદ વિહાર આ પોસ્ટ દ્વારા શ્રી મોદીને અભિનંદન આપે છે અને એમના દીર્ઘાયુ અને ઉજળા ભાવી માટે સહર્ષ શુભકામનાઓ  પાઠવે છે.

મુખ્ય મંત્રી તરીકે અનેક વર્ષોથી એમની કર્મ ભૂમિ બનેલી અને વતન ગુજરાતમાં આવીને આખા દિવસના ભરચક્ક કાર્યક્રમોમાં હાજરી આપીને એમની અનોખી રીતે એમણે એમનો જન્મ દિવસ ઉજવ્યો હતો.

જન્મ દિવસની શરૂઆત સવારે ૯૩ વર્ષીય માતા હીરાબાને મળી એમના આશીર્વાદ લઈને કરી હતી. 

PM Modi meets his mother Heeraben on 67th birthday; Ground report from Gandhinagar

અંદાજે વીસેક મિનિટ માતા સાથે વિતાવી માતા હીરાબાના આશીર્વાદ લઈને તેઓ  કેવડીયા કોલોની સરદાર સરોવર બંધ જવા રવાના થયા હતા. 

૫૬ વર્ષને અંતે સરદાર સરોવર બંધ-નર્મદા યોજનાનું મોદીને હસ્તે એમના જન્મ દિવસે ઉદઘાટન.

ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ચાર રાજ્યોના ભાગ્ય ઉઘાડનારી સરદાર સરોવર બંધ-નર્મદા યોજાનાનું આજે એમના જન્મ દિવસે વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યુ છે. મા નર્મદાને ચૂંદડી ચડાવવાની વિધિ કરી મંત્રોચ્ચાર સાથે નર્મદા ડેમનું તેઓએ લોકાર્પણ કયુ હતું.

નોંધનીય છે કે હાલમાં જ ડેમની ઉંચાઈ વધારવાની મંજૂરી અપાઈ હતી. વધેલી ઉંચાઈ સાથે ડેમની કુલ ઉંચાઈ 138.68 મીટર કરી દેવાઈ હતી. જેથી 4.73 મિલિયન એકર ફૂટ પાણીનું તેમાં સંગ્રહ કરી શકાય છે. આ યોજના ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ યોજનાને કારણ લગભગ 10 લાખ ખેડૂતોને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે. આ સિવાય 4 કરોડ જેટલી વસ્તીને પાણી પુરું પાડી શકાશે.

નોંધનીય છે કે તત્કાલીન પ્રધાનમંત્રી નહેરુ દ્વારા 5 એપ્રિલ, 1961ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આ યોજનાની શરુઆત કરાઈ હતી.આજે 56 વર્ષ બાદ વિરોધીઓ ના અનેક અવરોધો પછી હવે પૂર્ણ કરાઈ છે.(સમાચાર સૌજન્ય- ગુજરાત સમાચાર )

PM Modi Speech At Inauguration Of Sardar Sarovar Dam In Gujarat

Narendra Modi’s  latest speech on his Birth Day at Sahakar Sammelan in Amreli, Gujarat.He inaugurated Hare Krishna Sarovar and Building of Dairy Science College.

શ્રી નરેન્દ્ર મોદીનું જૂનું ઘર અને તેમની ચા ની દુકાન || જુવો તેમની નાનપણથી લઇ પીએમ સુધીની ટૂંકી જીવન ઝલક .

gujjurocks.in બ્લોગના સૌજન્યથી એની નીચેની લીંક પર શ્રી મોદીની સમયે સમયે લેવાએલ ઘણી તસ્વીરો સહિત એમની માહિતી સભર જીવન ઝરમર વાંચો .

સતત ૧૮-૨૦ કલાક કામ કરનારા ભારતના સૌથી પાવરફુલ લીડરનું જીવન