વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: શ્રી શ્રી રવિશંકર

( 864 ) આર્ટ ઓફ લિવિંગ -AOL દ્વારા દિલ્હીમાં આયોજિત વિશ્વ સંસ્કૃતિ મહોત્સવની ઝાંખી

 Sri Sri Ravishankar

આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના નેતૃત્વ હેઠળની આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની શાખાઓ વિશ્વના લગભગ ૧૫૦ દેશોમાં ફેલાયેલી છે. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાએ એના અસ્તિત્વનાં ૩૫ વર્ષ પૂરાં કર્યા એની ઉજવણી રૂપે ભારતની રાજધાની દિલ્હીમાં યમુના નદીના કિનારે આજથી ૧૧,૧૨,અને ૧૩ મી માર્ચ એમ ત્રણ-દિવસીય વિશ્વ સંસ્કૃતિ મહોત્સવ કાર્યક્રમનો આજે ૧૧મી ની સાંજથી ઝમકદાર રીતે આરંભ થયો છે.

આ ત્રણ-દિવસીય વિશ્વ સંસ્કૃતિ મહોત્સવ કાર્યક્રમની વિશિષ્ટતાઓ …

-આ કાર્યક્રમમાં 155 જેટલા દેશોમાંથી 35 લાખ લોકો ભાગ લેવા આવ્યા છે.

-કાર્યક્રમ માટે સાત એકરના એરીયામાં એનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે જે એક  વિક્રમ છે .

-વિશ્વના અનેક દેશના કલાકારો એમની કલાનું પ્રદર્શન કરશે.

-શ્રી શ્રી રવિશંકરે સંસ્કૃતિ મહોત્સવમાં સામેલ થયેલા લોકોનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે આ તમારું આધ્યાત્મિક ઘર છે.

-વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમના શુભારંભ વખતે મનનીય પ્રવચન આપ્યું હતું.

જો કે આ કાર્યક્રમ માટે વિરોધ પક્ષોએ એક ય બીજા કારણોએ વિરોધ કર્યો છે. પર્યાવરણના મુદ્દે આયોજકોને ૫ કરોડનો દંડ ભરવાનો પણ વિવાદ ઉભો કરવાનો પ્રયાસ થયો છે.યજ્ઞમાં હાડકાં નાખવાની પ્રવૃત્તિ વાળા પણ માણસો મળી આવે છે !

આ મહોત્સવ ના પ્રથમ દિવસના કાર્યક્રમની ઝાંખી  

કાર્યક્રમની શરૂઆતમાં રવિશંકરે કહ્યું હતું કે સારું કામ શરૂ કરતા પહેલા અવરોધ આવતા જ હોય છે,પણ એનાથી ગભરાવું નહીં. દરેક સમસ્યાનું સમાધાન હોય છે.

Sri Sri Ravi Shankar’s Speech at the Inauguration of World Cultural Festival, New Delhi 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને મંચ પરથી કરેલા સંબોધન આ કાર્યક્રમને કલા-સંસ્કૃતિના કુંભ મેળા સાથે સરખાવ્યો હતો.

એમણે વધુમાં કહ્યું હતું કે શ્રી શ્રી રવિશંકરના વિશ્વ શાંતિનો મેસેજ ફેલાવવાનું આ મિશન દુનિયાના ૧૩૫ થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. આર્ટ ઓફ લિવિંગના માધ્યથી આ કાર્યક્રમે મોટુ યોગદાન આપ્યું છે. આ આયોજનથી દુનિયામાં ભારતની અલગ છબી બનશે. જ્યારે પોતાના માટે નહિ પણ બીજા માટે જીવીએ છીએ ત્યારે આર્ટ ઓફ લિવિંગ જોઈએ.માત્ર સુવિધા અને સરળતાની વચ્ચે જીવવાથી આર્ટ ઓફ લીવીંગ નથી બનતું. માત્ર સુવિધાઓની વચ્ચે રહેવુ તે આર્ટ ઓફ લિવિંગ નથી,આજે આપણે એવા કુંભમેળાનું દર્શન કરી રહ્યા છીએ જે કલાનો કુંભમેળો છે.

શ્રી નરેન્દ્ર મોદીનું આખું પ્રવચન આ વિડીયોમાં છે.

Narendra Modi’s Speech at World Culture Festival by Art of Living  

યમુના નદીના કાંઠે આયોજિત વિશ્વ સંસ્કૃતિ મહોત્સવનો આરંભ વૈદિક મંત્રોચ્ચાર અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યો હતો. 1000 જેટલા વિદ્વાનોએ વિશ્વ શાંતિ તથા પર્યાવરણ રક્ષણ અંગેના વેદ મંત્રોનું પઠન કર્યું હતું.

૪૦ પ્રકારનાં વાદ્ય, અને ૧૭૦૦ કલાકારો ની ભરત નાટ્યમ અને કથક નૃત્યની ઝાંખી . 

Ravi Shankar’s World Culture Festival flute music and bharatanatyam performance

Art of Living વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવના બીજા વિડીયો અને હવે પછીના કાર્યક્રમો અને અને સંસ્થાની પ્રવૃતિઓ વિષેના વિડીયો Art of Living TV ની યુ-ટ્યુબ ની આ લીંક પર ક્લિક કરીને જોઈ શકશો. 

https://www.youtube.com/channel/UC4qz5w2M-Xmju7WC9ynqRtw

( 810 ) થાકી ગયા? – શ્રી.શ્રી રવિશંકર

વિશ્વ ગુરુ શ્રી શ્રી રવિશંકરજી સ્થાપિત આર્ટ ઓફ લીવીંગ સંસ્થાની હવે ગુજરાતીમાં પણ વેબ સાઈટ શરુ થઇ છે એ એક શુભ સમાચાર સાધક મિત્ર શ્રી સુરેશ જાનીની પોસ્ટ પરથી જાણવા મળ્યા એથી ખુશી થઇ.

વેબ સાઈટમાં આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના પરિચયમાં લખ્યું છે કે …

આજ સુધીમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ૧૫૨ દેશોમાં રહેતા આશરે ૩૭૦ લાખ લોકોની જિંદગીમાં સકારાત્મક પરિવર્તન લાવી ચુકી છે.દરેક પ્રવ્રુતિઓ શ્રીશ્રીના માર્ગદર્શન હેઠળ શાંતિના સંદેશ ફેલાવી રહી છે. “

વિનોદ પટેલ

શ્રી શ્રી રવિશંકર જી નો પરિચય ગુજરાતી ભાષામાં … વિડીયો

https://www.youtube.com/watch?v=-2zJtekGa5w&feature=youtu.be

સૂરસાધના

      જો તમે થાકતા ના હોવ,તો તમે કદી ઘરે જશો જ નહી.જો તમે થાકશો તો જ આરામ કરશો.વિશ્વની તમામ વસ્તુ/બાબતો તમને થકવી દેશે.માત્ર એક વસ્તુ તમને થાક નથી આપતી.અને તે પ્રેમ છે.પ્રેમ થી કદી થાક લાગતો નથી,કારણ કે તે તે છેડો છે,તે ઘર છે.પ્રેમ મા થાક લાગે એ શક્ય જ નથી.
          ખરેખર ,નોકરી પણ થાક.કંટાળો લાવે છે.થાક એ આનંદ નો પડછાયો છે.તમે ઘર બહાર તમારા આનંદ ની ઇચ્છાપૂર્તિ કરવા માટે જાવ છો.જે તમને ઘરે લાવે છે તે તમારી પ્રેમ મા રહેવાની ઈચ્છા છે.જીવન મા તમે આનંદ મેળવવા એક સ્થળ થી બીજા સ્થળે ભટકો છે. જ્યાં તમે આનંદ જૂઓ છો,ત્યાં પહોચી જાવ છે,અને ત્યાં પહોચ્યા પછી તમને લાગે છે કે-આનંદ તો દુર છે,અન્ય જગ્યા એ છે.તેથી તમારે આગળ જવું પડે છે,અને આ આગળ જવાનું કંટાળો આપે છે/આ રખડપાટ કંટાળો /થાક લાવે છે. .

   તમારા ઘર ને ઈશ્વર નું નિવાસ બનાવો.અને ત્યાં પ્રકાશ,પ્રેમ…

View original post 84 more words