વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: સમાચાર

જીવન દીપ બૂઝાઈ ગયો

વિનોદવિહારના સર્જક અને મારા પરમ મિત્ર – સાન ડિએગો નિવાસી વિનોદ ભાઈ પટેલ આપણી સાથે હવે નથી. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ અર્પે .

1134 – મુંબઇમાં સ્‍થપાયેલી ‘‘સાહિત્‍ય સંસદ’’ એ પાંખ ફેલાવી : અમેરિકામાં શરૂ થનારી ‘‘સાહિત્‍યા સંસદ યુએસએ.’’

૧૯ર૮ની સાલમાં ભારતના મુંબઇમાં સ્‍થપાયેલી ‘‘સાહિત્‍ય સંસદ’’ એ પાંખ ફેલાવી : અમેરિકામાં શરૂ થનારી ‘‘સાહિત્‍યા સંસદ યુએસએ.’’
એની પ્રથમ સભા ફિલાડેલ્ફીયા ખાતે ૧૭ ડીસે.ના રોજ

ફિલાડેલ્ફીયા : અમેરિકાના ન્યૂજર્સી ખાતે ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે શુદ્ધ સાહિત્યની ઉપાસનાના શુભાશય સાથે ‘‘સાહિત્ય સંસદ યુએસએ’’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુંબઈ ખાતે કાર્યરત સાહિત્ય સંસદ સંસ્થાના પ્રમુખ શ્રી કનુભાઈ સૂચકે ગઈ ૨૮મી નવેમ્બર ૨૦૧૭ના રોજ મુંબઈથી આ જાહેરાત કરતા જણાવ્યું કે “સાહિત્ય સંસદ” ગુજરાતી ભાષા અને સાહિત્યની શુદ્ધ ઉપાસનાનાં લક્ષ્યને વરેલી છે અને મુંબઈની આવા ઉદ્દેશ્ય સાથે કામ કરતી આ એક માત્ર સંસ્થા છે. સાહિત્ય સંસદ અન્વયે જે રીતે ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રસાર માટે સાહિત્યિક પ્રવૃત્તિ થાય છે અને એને ગુજરાતી સાક્ષરો, વિદ્વાનો,ભાષાકર્મીઓનો બહોળો પ્રતિસાદ મળે છે. અમેરિકામાં પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નાનામોટાં જૂથમાં ખૂબ સુંદર પ્રવૃત્તિઓ થાય છે પરંતુ એનું કાર્યસ્વરૂપ અલગ પ્રકારનું હોય છે.

જો કે ગુજરાતી ડાયાસ્પોરા સાહિત્ય સર્જનમાં અનેક પ્રસ્થાપિત અને નવોદિત સર્જકો છે અને આશ્ચર્ય થાય એ રીતે ત્યાં ગુજરાતી ભાષાનાં સર્જનશીલો સાહિત્યકર્મ ક્ષેત્રે પ્રવૃત્ત છે. અમેરિકાની અમારી તાજેતરની અને અગાઉની મુલાકાત વેળા એ જોવા અને અનુભવવા મળ્યું અને તેનાથી પ્રેરાઈને જ સાહિત્ય સંસદનો કાર્યવિસ્તાર અમેરિકા સુધી પ્રસારવાનું બળ મળ્યું.

અમેરિકાના ન્યૂજર્સી નિવાસી જાણીતા લેખક, કવિ, જર્નાલિસ્ટ અને ખૂબ જાણીતા ટેલિવિઝન એંકર અને રેડિયો હોસ્ટ શ્રી વિજય ઠક્કરના પ્રમુખપદે સાહિત્ય સંસદ યુએસએનો શુભારંભ કરવામાં આવ્યો છે.

વધુ સમાચાર અકિલા,રાજકોટ અખબારની આ લીંક પરથી વાંચો.

સૌજન્ય- અકિલા.કોમ, રાજકોટ 

સાહિત્ય સંસદ યુએસએનાં નવનિયુક્ત પ્રમુખ શ્રી વિજય ઠક્કરે જણાવ્યું કે સાહિત્ય સંસદની પ્રથમ બેઠક આગામી ૧૭મી ડિસેમ્બરના રોજ ફિલાડેલ્ફીઆ ખાતે યોજાશે જેમાં ગુજરાતી ડાયસ્પોરાનાં ખ્યાતિપ્રાપ્ત વાર્તાકાર શ્રી રાહુલ શુક્લ એમનાં સર્જનો રજૂ કરશે.

કાર્યક્રમની વધુ વિગતો માટે સંપર્ક ..

શ્રી  વિજય ઠક્કર : 732 856 4093  

સુશ્રી સુચિ વ્યાસ : 215 219 996૨  

સુશ્રી નંદિતા ઠાકોર : 410 294 4264   .. અથવા 

email;sahityasansadusa@gmail.com

 

1133- ૨૬ મી નવેમ્બર ૨૦૦૮ ના મુંબાઈના આતંકી હુમલા દરમ્યાન તાજ મહાલ હોટેલમાં અતિથી દેવો ભવની પ્રણાલીનું પ્રેરક દર્શન

ભડકે બળી રહેલ તાજ મહાલ હોટેલનું એક દ્રશ્ય 

૨૬ નવેમ્બર, ૨૦૦૮ની ગોઝારી સાંજે શરુ થયેલ અને ચાર દિવસો સુધી ચાલેલ ૧૬૪ નિર્દોષ વ્યક્તિઓનો જાન લેનાર મુંબઈના આતંકી હુમલાઓ એ ભારતના ઇતિહાસમાં ન્યુયોર્ક ,અમેરિકાના ૯/૧૧ ના આતંકી હુમલા જેટલો જ  યાદગાર બનાવ છે.

એ દિવસે મુંબઈના ગેટ વે ઓફ ઇન્ડિયા નજીકના કોલાબાના સમુદ્રી તટ પર ૧૦ શસ્ત્રસજ્જ પાકિસ્તાની આતંકવાદીઓ હોડીયોમાં આવીને મુંબાઈના ઔદ્યોગિક શહેરમાં આતંક મચાવવાના ઈરાદા સાથે ઊતર્યા હતા.આવતા પહેલાં આ આતંકીવાદીઓએ મુંબાઈ વિષે ગલી ગલીની માહિતી મેળવી લીધી હતી.કોલાબાની માચ્છીમાર કોલોનીમાંથી બહાર નીકળીને આ આતંકીઓ બે-બેનાં ગ્રૂપમાં વહેંચાઈ ગયા.બે આતંકીઓએ સીએસટી તરફ, હોટેલ ટ્રાઇડેંટ,મુંબઈના પ્રસિદ્ધ યહૂદી ગેસ્ટ હાઉસ નરીમાન હાઉસ વી.સ્થળો તરફ અને બે ટોળી હોટેલ તાજમહાલ તરફ મોકલવામાં આવી હતી.

મુંબાઈમાં ઘૂસેલા આતંકીઓએ ચાર દિવસ સુધી મુંબાઈને બાનમાં રાખ્યું હતું. આ ૧૦ આતંકીઓમાંથી સુરક્ષા દળો દ્વારા ૯

        બચી ગયેલ આતંકી અજમલ ક્સાબ

આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો અને એક આતંકી અજમલ કસાબને મુંબઈ પોલીસે જીવતો પકડી પાડયો હતો .

બરાબર ચાર વર્ષ કેસ ચલાવ્યા પછી સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે તારીખ ૨૧મી નવેમ્બર ૨૦૧૨ના રોજ ક્સાદને ફાંસી આપી યરવડા જેલ પુના ખાતે દફનાવામાં આવ્યો હતો.

નવેમ્બર ૨૬ ૨૦૦૮ના રોજ બુધવારની સાંજથી શરુ કરી નવેમ્બર ૨૯ના શનિવાર સુધી એમ  એ ભયાનક ચાર દિવસોમાં પાકિસ્તાની આતંકીઓએ ૧૬૪ વ્યક્તિઓના જીવ લીધા અને ૩૦૮ વ્યક્તિઓને ઈજા પહોંચાડી. આ મૃતકોમાં ઘણા વિદેશી નાગરિક મુસાફરો પણ હતા.

ટાટા ગ્રુપની પ્રખ્યાત તાજમહાલ હોટેલ અને એની અતિથી દેવો ભવની નીતિ .

મુંબઈમાં ગેટ વે ઓફ ઇન્ડિયાની બરોબર સામે આવેલી કોલાબા વિસ્તરની ટાટા ગ્રુપની પ્રખ્યાત ૧૦૩ વર્ષ જૂની તાજમહાલ હોટેલમાં એ દિવસે જે બન્યું એનો ઈતિહાસ ખુબ દિલ ધડક અને એટલો જ પ્રેરક છે.આ બનાવની વિગતો જ્યારે આપણે જાણીએ ત્યારે એમાં ભારતની પુરાણી અતિથી દેવો ભવની આચાર સંહિતા ઉજાગર થતી જોઈ શકાય છે.

આ કમનશીબ દિવસે આ હોટેલમાં ઉતરેલા ૫૦૦ મહેમાનો , મોટી કમ્પનીઓએ એ દિવસે હોટેલના વિવિધ હોલમાં યોજેલ કાર્યક્રમોમાં હાજર બીજા ૬૦૦ બિજનેસ સાથે જોડાયેલા માણસો અને જનરલ મેનેજરથી વેઈટર સુધીનો હોટેલનો ૬૦૦ માણસોનો સ્ટાફ ફરજ ઉપર હાજર હતો.આ સ્ટાફને કયા રસ્તેથી મુશ્કેલીમાં હોટેલની બહાર નીકળી શકાય છે એનું સંપૂર્ણ જ્ઞાન હતું.તેઓએ ધાર્યું હોત તો આખો સ્ટાફ જીવ બચાવવા હોટેલ બહાર સહીસલામત નીકળી ગયાં હોત.પરંતુ નવાઈની વાત એ છે કે ૬૦૦ માંથી એક પણ સ્ટાફ મેમ્બરે એમ ના કર્યું. હોટેલમાં રોકાઈ જઈને પોતાના જાનના જોખમે પ્રથમ હોટેલમાં ફસાએલા મહેમાનો સહીસલામત બહાર નીકળે એ માટે એમને મદદ કરવાના કામે સ્ટાફ લાગી ગયો .પરિણામે એ દિવસની સાંજે હોટેલમાં કુલ ૧૭૦૦ માણસો હતા એમાંથી મૃત ૩૪ માણસો સિવાય બધા સહીસલામત હોટેલ બહાર આવી શક્યાં.તાજ હોટેલમાં એ દિવસોમાં જે ૩૪ કમનશીબ માણસોએ એમનો જાન ગુમાવ્યો એમાં હોટેલના મૃત સ્ટાફની સંખ્યા ૧૭ ની એટલે કે અડધી હતી.હોટેલના જનરલ મેનેજર મિસ્ટર કાંગાનાં પત્ની અને એમના બે પુત્રો એ દિવસે એમના ૬ઠા માળે આવેલ નિવાસમાં અગ્નિની જ્વાલાઓમાં બળીને મૃત્યુ પામ્યાં હતા !આમ જનરલ મેનેજરે એક વહાણના કેપ્ટનની જેમ છેલ્લે સુધી પોતાની ફરજ બજાવી ભોગ આપ્યો.

સલામ છે તાજ હોટેલના આ મેનેજર અને એના વફાદાર સમગ્ર સ્ટાફને જેમણે હોટેલ પરના હુમલા દરમ્યાન અતિથી દેવો ભવની ભારતીય સંસ્કૃતિનાં દર્શન કરાવ્યાં !

અમેરિકાની પ્રખ્યાત હાર્વર્ડ કોલેજના પ્રોફેસર મી. રોહિત દેશપાંડેએ તાજ હોટેલના આ આતંકી હુમલાનો કેસ સ્ટડી કરી એના આધારિત એક સુંદર TEDxNewEngland પ્રવચન આપેલ એનો યુ-ટ્યુબ વિડીયો નીચે પ્રસ્તુત છે.( સૌજન્ય-હિરલ શાહ )

આ પ્રવચનમાં એમણે ભારતની અતિથી દેવો ભવની પૌરાણિક પરંપરા સાથે મેનેજમેન્ટના સિદ્ધાંતોને પણ આવરી લઇ એક સુંદર પ્રવચન આપ્યું છે જે  વાચકો તેમ જ મેનેજમેન્ટના અભ્યાસીઓ માટે પ્રેરક બની રહેશે એવી મને આશા છે.

 

The Ordinary Heroes of the Taj Hotel: Rohit Deshpande at TEDxNewEngland–

Published on Nov 20, 2012

========================

૨૬મી નવેમ્બર ૨૦૦૮ ના મુંબાઈ પરના આતંકી હુમલા વિષે અંગ્રેજીમાં વિકિપીડિયાની નીચેની લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે. 

2008 Mumbai attacks 

૨૦૦૮ ના મુંબાઈ ઉપરના આતંકી હુમલા વિષે યુ-ટ્યુબ ઉપર ઘણા વિડીયો પ્રકાશિત થયા છે. એમાંથી મેં પસંદ કરેલા નીચેના બે ડોક્યુમેંટરી વિડીયો જોવા જેવા છે , જે આ ભયાનક દિવસોનોની સારી એવી માહિતી આપે છે.

Documentary on 26/11 Mumbai Attacks: Samandar (Part 1) – India TV-Published on Aug 29, 2012
Salute to Mumbai Police officers Hemant Karkare, Vijay Salaskar, Ashok Kamte who were among who martyred during four day encounter. Police constable Tukaram Omble was killed when he was trying to capture Kasab who was later hanged in Yerwada jail in 2012.

’60 Hours’ of 26/11 Mumbai Terror Attack | 26 11 Documentary | CNN-News18 -Published on Nov 27, 2011
A special CNN-IBN show on the third anniversary of the 26/11 Mumbai attacks, in which 166 people lost their lives.

1129 – રોજ 200 અસહાય વડીલોને મફત ટિફિન પહોંચાડી માનવતાની મહેંક ફેલાવતા એક સેવાભાવી ડો. ઉદય મોદીની સત્ય કથા

આ એક એવા ડોક્ટર છે જે રોજ 200 અસહાય વડીલોને ફ્રીમાં ટિફિન પહોંચાડે છે અને આ ગુજરાતી,દીકરાની જેમ લે છે સંભાળ-જાણો કોણ છે આ સેવાભાવી  ડોક્ટર ? –

આજના સમયમાં એક તરફ જ્યાં લોકો પોતાના સગા માતા-પિતાને પણ સાથે રાખવાને બદલે રખડતા છોડી દેતા હોય છે. જ્યારે બીજી તરફ એવા પણ ઘણા લોકો છે જેઓ અસહાય, નિરાધાર અને વયોવૃદ્ધની સેવા કરી માનવતાની મહેક ફેલાવી રહ્યાં છે. મુંબઈના ભાયંદર વિસ્તારમાં આવા જ એક ગુજરાતી ડોક્ટર ઉદય મોદી છે. જેઓ છેલ્લા 10 વર્ષથી ‘શ્રવણ ટિફિન સેવા’ના નામે મુંબઈમાં રહેતા અસહાય અને વયોવૃદ્ધને દરરોજ મફ્તમાં ગરમાગરમ ટિફિન પહોંચાડી સેવાકીય કાર્ય કરે છે.

ડો. ઉદય મોદીની આ સેવામાં આજે ઘણા યુવાનો પણ જોડાયા છે. યુવાનો રોજે રોજ દાદા-દાદીને ઘરે ગરમા-ગરમ ટિફિન પહોંચાડી તેમની દવાનું પણ ધ્યાન રાખે છે. ડો. મોદી મફ્તમાં ટિફિનની સાથે બીમાર વડીલોને દવા પણ આપે છે, જેનો પણ ચાર્જ લેવામાં આવતો નથી. 

વર્ષ 2008માં 10 વડીલોને ટિફિન મોકલીને શરૂ કરેલી આ સેવા આજે 200 કરતા વધારે ટિફિન સુધી પહોંચી છે, એટલું જ નહીં વ્યવસાયે આર્યુવેદિક ડોક્ટર હોવાથી ઉદયભાઈ વડીલોને દીકરાની જેમ દવા પણ ફ્રીમાં પહોંચાડે છે. આજે ઉદયભાઈની સેવામાં અન્ય લોકો પણ જોડાયા છે. ડો. મોદીની આર્થિક સ્થિતી સામાન્ય હોવાથી મિત્રો અને દાતાઓ દ્વારા મળતી મદદથી તેઓ ટિફિન સેવા હોંશભેર ચલાવે છે.

કેમ આવ્યો ટિફિન સેવાનો વિચાર

ફ્રીમાં ટિફિન સેવા ચાલુ કરવાના ડો ઉદય મોદીના સંકલ્પ પાછળ એક હચમચાવી દેતી ઘટના છે.

– ડો. ઉદય મોદી મુંબઈના ભાયંદર વિસ્તારમાં પોતાનું આર્યુર્વેદીક દવાખાનું ચલાવે છે.

– 10 વર્ષ પહેલા એક રાત્રે દવાખાનું બંધ કરતી વખતે વૃદ્ધ દાદા દવા લેવા આવ્યા.

– નિયમિત દવા લેવા આ દાદા આ વખતે વાત કરતા ડો. મોદી સામે રડી પડ્યા.

– લંબાણપૂર્વક વાત કરતા ડો. મોદીને જાણ થઈ કે એમને ત્રણ દીકરા હોવા છતાં  તેમની સાથે કોઈ રહેતું નથી.

– દાદાએ ડો. મોદીને જણાવ્યું કે, તેમના પત્ની લકવાગ્રસ્ત હોવાથી રસોઈ કે કોઈ કામ કરી શકે તેમ નથી.

– રડતા રડતા દાદાએ બચત ન હોવાથી બહારથી ભોજન પણ લઈ શકે તેવી સ્થિતિ ન હોવાનું જણાવ્યું.

– વૃદ્ધની આ વાત સાંભળી ઘરે આવેલા ડો. ઉદય મોદીએ પત્નીને આ વાત કરી તેમના માટે ટિફિન બનાવવાનું નક્કી કર્યું.

-પત્ની કલ્પનાબેને ડો. ઉદય મોદીને સપોર્ટ આપ્યો.

-પરિણામે 10થી 200 ટિફિન સુધી પહોંચી સેવા, દરરોજ દાદા-દાદીના ઘરે પહોંચે છે મફ્તમાં ટિફિન.

૫ત્ની કલ્પનાબેને કર્યો ડો. ઉદય મોદીને સપોર્ટ

– વૃદ્ધની વાત સાંભળી તેમના માટે બીજા દિવસથી જ ઘરે ટિફિન બનાવી ડો મોદીએ સેવા શરૂ કરી.

– ડો. ઉદય મોદીના પત્ની કલ્પનાબેને પણ રસોઈ બનાવવામાં કંટાળો ન બતાવતા પતિને સપોર્ટ કર્યો.

– કલ્પનાબેને શારીરિક અશક્ત અને આર્થિક સ્થિતિના કારણે જમવાનુ ન મેળવી શકતા વૃદ્ધો માટે સેવા કરવા કહ્યું.

– ડો મોદીએ પત્નીની વાત સાંભળી અસહાય અને ગરીબ વૃદ્ધોને શોધવા અભિયાન શરૂ કર્યું.

– 2008માં આવા 10 વૃદ્ધોને શોધી ‘શ્રવણ ટિફિન સેવા’ના નામે રોજ ગરમા ગરમ ટિફિન મોકલવાની શરૂઆત કરી.

વૃદ્ધોની સેવા માટે ઉદય મોદીએ પોતાના પિતા સ્વ. હિમંતલાલ હરજીવનદાસ મોદી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી.


10થી 200 ટિફિન સુધી પહોંચી સેવા

– વર્ષ 2008માં 10 ટિફિનથી શરૂ કરેલી સેવા આજે 200થી વધારે ટિફિન સુધી પહોંચી છે.

– હવે રસોઈ બનાવવા માટે તેઓએ અલગથી બે રસોડા પણ તૈયાર કર્યાં છે.

અલગ-અલગ ગરમા-ગરમ રસોઈ બનાવવા માટે ચાર રસોઈયા પણ બે રસોડામાં કામ કરે છે.

-એક રસોડામાં સામાન્ય રસોઈ બને છે, જ્યારે બીજા રસોડામાં ડાયાબીટીસના દર્દી માટે રસોઈ બને છે.

– ટિફિનમાં રોજ રોટલી, શાક, દાળભાત, પાપડ ઉપરાંત સોમવારે મીઠાઈ પણ આપવામાં આવે છે.

દરરોજ દાદા-દાદીના ઘરે પહોંચે છે મફ્તમાં ટિફિન

– ડો ઉદય મોદીની આ સેવામાં આજે ઘણા યુવાનો પણ જોડાયા છે.
– યુવાનો રોજે રોજ દાદા-દાદીને ઘરે ગરમા-ગરમ ટિફિન પહોંચાડી તેમની દવાનું પણ ધ્યાન રાખે છે.

– ડો. મોદી મફ્તમાં ટિફિનની સાથે બીમાર વડીલોને દવા પણ આપે છે, જેનો પણ ચાર્જ લેવામાં આવતો નથી.

– ડો. ઉદય મોદીના પરિવારમાં પત્ની કલ્પનાબેન , એક દીકરી અને એક દીકરો છે.ડો.મોદીની આ સેવામાં તેમનાં પત્ની ઉપરાંત દીકરી આયુષી અને દીકરો વરુણ પણ પૂરો સહકાર આપે છે.

વડીલોને નિરાશામાંથી બહાર લાવવા તેમના જન્મદિવસે ઘરે જઈને કેક કટિંગ પણ કરે છે.

મિત્રો અને દાતાઓની મદદથી કરે છે સેવા

– ડો. ઉદય મોદીની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથઈ ટિફિન સેવા માટે મિત્રો અને દાતાઓ મદદ કરે છે.

– જો કે હ્રદયથી માતા-પિતાની સેવા કરનાર શ્રવણનું નામ આ સેવામાંથી દૂર કરવા માગતા નથી.

– એક ધનાઢ્ય માણસે આ સેવા કાર્ય માટે મોટી રકમની ઓફર કરી પોતાનું નામ જોડવાની શરત મુકી હતી.

– જો કે તેઓએ આ ઓફરનો અસ્વિકાર કરીને સેવાનું શ્રવણ જ નામ રાખવાનું નક્કી કર્યું હતું

કોણ છે ડો. ઉદય મોદી

– મુંબઈ નજીક ભાયંદરમાં વ્યવસાયે આયુર્વેદ ડોક્ટર ઉદય મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના વતની છે.

– ડો. ઉદય મોદી નવરાશની પળોમાં ટેલિવિઝન સિરિયલમાં પણ એક્ટિંગ કરે છે.

– આ અંગે તેઓ કહે છે આ કામથી વધારે પૈસા મળી રહે જેથી હું બીજા લોકોને વધારે મદદ કરી શકું.

– છેલ્લા 10 વર્ષથી આ સેવા કરતા ડો. ઉદય મોદીના પરિવારમાં પત્ની, એક દીકરી અને એક દીકરો છે.

-ભવિષ્યમાં વૃદ્ધાશ્રમ શરૂ કરી ત્યજાયેલા વડીલોની સેવા કરવા માંગે છે.

ડો. મોદીના પિતા પણ કરતા ગરીબોની સેવા

– ડો. ઉદય મોદીના પિતા હિમંતલાલ પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા હતા.

– 1987ના સમયગાળામાં મોટા પાયે ચાલી રહેલા બાંધકામમાં મજૂરો કામ કરતા હતા.

– આ સમયે ડો. ઉદય મોદીના પિતા પોતાની નાની બચતમાંથી જુદી જુદી સાઈઝના ચંપલ ખરીદતા હતા.

– જુદી જુદી સાઈઝના ચંપલ ખુલ્લા પગે કામ કરતા મજૂરોને આપી તેની ખુશીમાં તેઓ શાંતિ મેળવતા.આમ સેવા ભાવનાના સંસ્કાર ડો. ઉદય મોદીમાં એમના પિતામાંથી ઉતરી આવ્યા છે. 

સૌજન્ય-

દિવ્ય ભાસ્કર,કોમ , તા.૧૯ મી સપ્ટેમ્બર,૨૦૧૭.

1110 – મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માને અર્પણ થયું ‘સાહિત્ય રત્ન ગૌરવ પારિતોષિક’

મૂર્ધન્ય સાહિત્યકાર અને પીઢ પત્રકાર શ્રી ભગવતીકુમાર શર્માને
ગુજરાત સાહિત્ય અકાદમીનું ‘સાહિત્ય રત્ન ગૌરવ પારિતોષિક’ અર્પણ થયું એ પ્રસંગનો અહેવાલ .


સૂરત તા. ૧૯: ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ક્ષેત્રે સર્વોચ્ચ પ્રદાન માટેના સન્માન રૂપે ‘સાહિત્ય રત્ન ગૌરવ પારિતોષિક’ સુરતના મૂર્ધન્ય સાહિત્યકાર અને પીઢ પત્રકાર શ્રી ભગવતીકુમાર શર્માને અકાદમીના પ્રમુખ અને પીઢ પત્રકાર શ્રી વિષ્ણુભાઈ પંડયાને હસ્તે શનિવાર, તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૧૭ની સાંજે અર્પણ કરાયું હતું. પોતાની નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલને બિછાને ભગવતીકુમારને પારિતોષિક, રૂ. એક લાખનો ચેક અને શાલ સન્માન અર્પણ કરાયાં હતાં.

આ અર્પણ વિધિની જાહેર ઉજવણીનો સમારંભ ગુજરાત સાહિત્ય અકાદમી અને ‘કસ્તૂરી’ ત્રિમાસિક પ્રકાશનના સંયુક્ત ઉપક્રમે શનિવારની સાંજે રંગભવન, જીવન ભારતી, સુરતના ખીચોખીચ ભરેલા હોલમાં સાહિત્યપ્રેમીઓની હાજરીમાં થઇ હતી.

આ સમારોહના પ્રમુખ સ્થાને ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડયા અને અતિથિવિશેષ પદે લેખક-પ્રકાશક શ્રી નાનુભાઈ નાયક હતાં. આરંભમાં નરેશ કાપડીઆ દ્વારા બનેલી ‘સાહિત્ય રત્ન ભગવતીકુમાર કુમાર શર્મા’ નામક ફિલ્મ દ્વારા શ્રી ભગવતીકુમાર શર્માના વિપુલ સાહિત્ય સર્જનનો ખ્યાલ આપવામાં આવ્યો હતો.

‘કસ્તૂરી’ના સંપાદક શ્રી રમણભાઈ જરીવાલાના આવકાર આપતાં તેમના માતૃભાષા અભિયાનમાં શ્રી ભગવતીકુમાર શર્માની ભૂમિકા સ્પષ્ટ કરી તેમનો ઋણ સ્વીકાર કર્યો હતો. ત્યાર બાદ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી મનોજ ઓઝા દ્વારા ‘સાહિત્યરત્ન ગૌરવ પારિતોષિક’ની ભૂમિકા સમજાવવામાં આવી હતી.

શ્રી ભગવતીકુમારે તેમના કવિકર્મ સાથે કવિઓની એક આખી નવી પેઢીને પણ ઉછેરી હતી. તે પૈકીના પાંચ કવિ મિત્રો, સર્વશ્રી નયન હ. દેસાઈ, બકુલેશ દેસાઈ, ગૌરાંગ ઠાકર, કિરણસિંહ ચૌહાણ અને ડૉ. વિવેક ટેલરે ભગવતીકુમારની ગઝલોનું પઠન કરીને તેમની કાવ્યસૃષ્ટિનો આછેરો પરિચય આપ્યો હતો. તો સુગમ સંગીતના જાણીતા ગાયકો સર્વશ્રી અમન લેખડિયા અને સત્યેન જગીવાળાએ ભગવતીકુમારના ગીતોની સંગીતમય રજૂઆત કરી હતી.

જાણીતા સાહિત્યકાર શ્રી રવીન્દ્ર પારેખે શ્રી ભગવતીકુમાર શર્માની સાહિત્યયાત્રા વિશે રજૂઆત કરતાં જણાવ્યું કે છેલ્લાં અડસઠ વર્ષથી આપણને સુગંધિત શબ્દોની લ્હાણ કરનાર ‘શબ્દોના અત્તરિયા’ કવિ, સાહિત્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર અને વરિષ્ઠ પત્રકાર શ્રી ભગવતીકુમાર શર્માને ગુજરાત સાહિત્ય અકાદમીએ તેનો સર્વોચ્ચ એવોર્ડ ‘સાહિત્યરત્ન’ અર્પણ કરાયો જે સૌ સાહિત્યપ્રેમીઓ માટે ધન્યતાની ક્ષણ છે. તેમણે કહ્યું કે ગીત, ગઝલ, નઝમ, ભજન, સોનેટ સહિતના તમામ કાવ્ય પ્રકારોમાં આ કવિએ વિપુલ સર્જન કર્યું છે.

શ્રી ભગવતીકુમાર શર્મા નિતાન્તપણે હૃદયજીવી સાહિત્યસર્જક છે. તેઓ ‘અસૂર્યલોક’, ‘ઊર્ધ્વમૂલ’ કે ‘સમયદ્વીપ’ જેવી નવલકથાઓ લખે કે ટૂંકી વાર્તા સર્જે કે ‘શબ્દાતીત’ અને ‘બિસતન્તુ’ જેવા નિબંધસંગ્રહો આપે, કે સુદીર્ઘ પત્રકારચર્યાના અંગરૂપે હજારો તંત્રીલેખો લખે, સર્વત્ર તેમનું હૃદયદ્રવ્ય તો રેડાય જ.

ગુજરાતી ગઝલને તેમણે તાજગી, શાસ્ત્રીયતા તથા પ્રયોગપ્રીતિનો પુટ ચડાવ્યો છે. તેમની બહુસંખ્ય વાર્તાઓમાં પ્રયોગશીલતા અને પરંપરાનો સમન્વય વર્તાય છે. તેમના નિબંધોમાં અંગત સંવેદનરસિક સ્પર્શ અને સંયત ભાષાકર્મ ધ્યાનાકર્ષક નીવડ્યાં છે. અનેક સમ્માનોથી અલંકૃત ભગવતીકુમાર ગુર્જર વિવેક અને સૌષ્ઠવપ્રીતિના વિનમ્ર પ્રતિકરૂપ સર્જક છે.

અત્યાર સુધીમાં તેમના પ્રકાશિત ૮૧ પુસ્તકોમાં તેર નવલકથાઓ છે. પ્રથમ નવલકથા ‘આરતી અને અંગારા’ ૧૯૫૬માં પ્રગટ થઇ હતી. ભારતીય જ્ઞાનપીઠ દ્વારા હિન્દીમાં પ્રકાશિત પ્રાતિનિધિક વાર્તાસંગ્રહ ‘દ્વાર નહીં ખુલે’ નોંધનીય છે. તે ઉપરાંત કેટલીક વાર્તાઓના અંગ્રેજી, મરાઠી, તેલુગુ ઈત્યાદિ ભાષાઓમાં અનુવાદો પ્રકાશિત થયા છે.

લલિત નિબંધ ક્ષેત્રે પણ તેમનું આગવું પ્રદાન છે. ‘શબ્દાતીત’, ‘બિસતન્તુ’, ‘હૃદયસરસાં’, ‘પરવાળાની લિપિ’, ‘પ્રેમ જે કશું માંગતો નથી’, ‘માણસ નામે ચંદરવો’, ‘નદીવિચ્છેદ’, ‘સ્પંદનપર્વ’, જેવા આઠેક નિબંધ સંગ્રહ તેમની પાસેથી પ્રાપ્ત થયા છે. ગુજરાતી નિબંધની વિકાસયાત્રામાં તેઓ તેમના સ્વાધિકાર બળે પ્રતિષ્ઠિત છે. તેમની આત્મકથા ‘સૂરત મુજ ઘાયલ ભૂમિ’ એ નર્મદની કાવ્ય પંક્તિમાંથી લેવાયેલું શીર્ષક છે પણ સુરતને કેન્દ્રમાં રાખીને પોતાના જીવન અને સમાજની રજૂઆત કરતી નર્મદની ‘મારી હકીકત’ બાદની યાદગાર કૃતિ છે. તેમનો ‘અમેરિકા આવજે’ કાવ્ય સંગ્રહ કે ‘ગુજરાતમિત્ર’માં દાયકાઓ સુધી રોજેરોજ સંવાદ રૂપે લખાયેલો કટાક્ષ કે હાસ્યરસ ચાર પુસ્તકો રૂપે અને તેમના પસંદગીના તંત્રીલેખોના બે પુસ્તકો એ ભગવતીકુમારે ગુજરાતી સાહિત્યને આપેલો અણમોલ વારસો છે. 

પિતા ભગવતીકુમારના લેખિકા દીકરી રીના મહેતા દ્વારા ભાવસભર પ્રતિભાવ અપાયો હતો, જેમાં તેમણે ભગવતીકુમારની લેખન પદ્ધતિ, સમાજપ્રીતિ અને નિસ્બત વિશે અનેક હૃદયસ્પર્શી વાતો કરી હતી. 

અતિથિવિશેષ રૂપે શ્રી નાનુભાઈ નાયકે પોતે એક પ્રકાશક રૂપે ભગવતીકુમારના મહત્તમ પુસ્તકો પ્રગટ કર્યાનો અનુભવ જણાવી તેમની ઉત્તમ સર્જનશક્તિને બિરદાવી હતી. તો પ્રમુખપદેથી પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ જણાવ્યું કે ભગવતીકુમારને સન્માનીને અકાદમી રળિયાત બની છે. પોતાના ભગવતીકુમાર સાથેના અનેક પત્રકારત્વના અનુભવો તેમણે વર્ણવીને તેમના વિપુલ સાહિત્ય સર્જનને તેમણે વંદન કર્યા હતા. 

શ્રી રમણભાઈ જરીવાલાએ આભારદર્શન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રજ્ઞાબેન વશી અને નરેશ કાપડીઆએ કર્યું હતું. આ કાર્યક્રમમાં હોસ્પિટલને બિછાનેથી સન્માન સ્વીકારનાર ભગવતીકુમારના દ્રશ્યો અને તેમનું વક્તવ્ય સાંભળીને સમગ્ર સભા ગદગદ થઇ હતી.

અહેવાલલેખન : નરેશ કાપડીઆ
nareshkkapadia@gmail.com
સુરત,2017-09-19

સૌજન્ય .. શ્રી નરેશ કાપડીઆ- એમના ફેસબુક પેજ પરથી સાભાર  


શ્રી નરેશ કાપડીઆ દ્વારા બનેલી ‘સાહિત્ય રત્ન ભગવતીકુમાર કુમાર શર્મા’ એ નામની ટૂંકી ફિલ્મ જેમાં શ્રી શર્માજીના વીપુલ સાહિત્ય સર્જનનો ખ્યાલ આપવામાં આવ્યો છે એ યુ-ટ્યુબ પર અપલોડ થઇ છે.આ વિડીઓ નીચે જોઈ શકાશે.

આ પારિતોષિકની માહિતી અને વિડીયો લીંકની જાણ ઈ-મેલથી કરવા માટે સુરત નિવાસી સાહિત્ય પ્રેમી મિત્ર શ્રી ઉત્તમ ગજ્જરનો હું આભારી છું.

”ગુજરાતી પ્રતિભા પરિચય” બ્લોગ પર શ્રી ભગવતીકુમાર શર્માનો સુંદર પરિચય .(આભાર ..શ્રી સુરેશ જાની )

 ભગવતીકુમાર શર્મા ..Bhagavatikumar Sharma

ગુજરાત સાહિત્ય અકાદમીનું ‘સાહિત્ય રત્ન ગૌરવ પારિતોષિક’ પ્રાપ્ત કરવા બદલ વડીલ સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માજીને હાર્દિક અભિનંદન.

1106 -પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 67 મા જન્મદિવસ પ્રસંગે અભિનંદન અને શુભેચ્છાઓ

આજે ૧૭ મી સપ્ટેમ્બર,૨૦૧૭ ના  રોજ ૨૦૧૪માં ભારતના ૧૪ મા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાએલા શ્રી નરેન્દ્ર મોદીનો 67મો જન્મ દિવસ છે.

આ શુભ પ્રસંગે વિનોદ વિહાર આ પોસ્ટ દ્વારા શ્રી મોદીને અભિનંદન આપે છે અને એમના દીર્ઘાયુ અને ઉજળા ભાવી માટે સહર્ષ શુભકામનાઓ  પાઠવે છે.

મુખ્ય મંત્રી તરીકે અનેક વર્ષોથી એમની કર્મ ભૂમિ બનેલી અને વતન ગુજરાતમાં આવીને આખા દિવસના ભરચક્ક કાર્યક્રમોમાં હાજરી આપીને એમની અનોખી રીતે એમણે એમનો જન્મ દિવસ ઉજવ્યો હતો.

જન્મ દિવસની શરૂઆત સવારે ૯૩ વર્ષીય માતા હીરાબાને મળી એમના આશીર્વાદ લઈને કરી હતી. 

PM Modi meets his mother Heeraben on 67th birthday; Ground report from Gandhinagar

અંદાજે વીસેક મિનિટ માતા સાથે વિતાવી માતા હીરાબાના આશીર્વાદ લઈને તેઓ  કેવડીયા કોલોની સરદાર સરોવર બંધ જવા રવાના થયા હતા. 

૫૬ વર્ષને અંતે સરદાર સરોવર બંધ-નર્મદા યોજનાનું મોદીને હસ્તે એમના જન્મ દિવસે ઉદઘાટન.

ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ચાર રાજ્યોના ભાગ્ય ઉઘાડનારી સરદાર સરોવર બંધ-નર્મદા યોજાનાનું આજે એમના જન્મ દિવસે વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યુ છે. મા નર્મદાને ચૂંદડી ચડાવવાની વિધિ કરી મંત્રોચ્ચાર સાથે નર્મદા ડેમનું તેઓએ લોકાર્પણ કયુ હતું.

નોંધનીય છે કે હાલમાં જ ડેમની ઉંચાઈ વધારવાની મંજૂરી અપાઈ હતી. વધેલી ઉંચાઈ સાથે ડેમની કુલ ઉંચાઈ 138.68 મીટર કરી દેવાઈ હતી. જેથી 4.73 મિલિયન એકર ફૂટ પાણીનું તેમાં સંગ્રહ કરી શકાય છે. આ યોજના ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ યોજનાને કારણ લગભગ 10 લાખ ખેડૂતોને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે. આ સિવાય 4 કરોડ જેટલી વસ્તીને પાણી પુરું પાડી શકાશે.

નોંધનીય છે કે તત્કાલીન પ્રધાનમંત્રી નહેરુ દ્વારા 5 એપ્રિલ, 1961ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આ યોજનાની શરુઆત કરાઈ હતી.આજે 56 વર્ષ બાદ વિરોધીઓ ના અનેક અવરોધો પછી હવે પૂર્ણ કરાઈ છે.(સમાચાર સૌજન્ય- ગુજરાત સમાચાર )

PM Modi Speech At Inauguration Of Sardar Sarovar Dam In Gujarat

Narendra Modi’s  latest speech on his Birth Day at Sahakar Sammelan in Amreli, Gujarat.He inaugurated Hare Krishna Sarovar and Building of Dairy Science College.

શ્રી નરેન્દ્ર મોદીનું જૂનું ઘર અને તેમની ચા ની દુકાન || જુવો તેમની નાનપણથી લઇ પીએમ સુધીની ટૂંકી જીવન ઝલક .

gujjurocks.in બ્લોગના સૌજન્યથી એની નીચેની લીંક પર શ્રી મોદીની સમયે સમયે લેવાએલ ઘણી તસ્વીરો સહિત એમની માહિતી સભર જીવન ઝરમર વાંચો .

સતત ૧૮-૨૦ કલાક કામ કરનારા ભારતના સૌથી પાવરફુલ લીડરનું જીવન