વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Old age . .. Enjoy Gunvant shah article

સીનીયર સીટીઝનની ખુમારી ખુટવી ન જોઈએ. ખુમારી ખુટે ત્યારે જ ઘડપણ પ્રવેશે. ઘડપણની ખરી બહેનપણી ખુમારી છે. સીનીયર સીટીઝન હોવાને નાતે ગુજરાતના સૌ સીનીયર સીટીઝન્સને ખાસ વીનંતી છેઃ ‘તમને ટટ્ટાર રાખનારી અખંડ સૌભાગ્યવતી ખુમારીદેવીને જાળવી લેવાનું ચુકશો નહીં.’

Inspirationa Article on Senior Citizen by Great Gujarati  Writer shri. Gunvant Shah 👌👌

સીનીયરનનું સ્વરાજ – ગુણવંત શાહ

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: સમય અને અવકાશ. સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો ‘મોકળાશ’ કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે, કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે !

            ઘણાખરા સીનીયર સીટીઝનોને ગ્રહદશા નહીં આગ્રહદશા નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક આગ્રહો નવી પેઢીને પજવનારા હોય છે. જેમ ઉંમર વધે તેમ આગ્રહો પણ ઉંમરલાયક બનીને થીજી જાય છે. આગ્રહ પોતાને માટે ભલે રહ્યો ! પોતાના આગ્રહો બીજા પર લાદે તે મુર્ખ છે. મુર્ખતા પણ ખાસ્સી સીનીયર હોઈ શકે છે. દીકરાવહુને પોતાનો અભીપ્રાય એકવાર આપી દીધા પછીનું મૌન દીવ્ય હોય છે. સામેવાળી વ્યક્તી ગમે તેટલી નાની ઉંમરની હોય તોય તેને વણમાગી સલાહ ન આપવામાં વૃદ્ધત્વની અનેરી શોભા પ્રગટ થાય છે. જે વયોવૃદ્ધ સીટીઝન મફત સલાહ કેન્દ્રનો માલીક હોય તે દુખી થવા સર્જાયેલો જીવ છે. ભગવાન પણ તેને સુખી ન કરી શકે.

         માણસને મળતી મોકળાશ ગાભણી હોય છે. ઉત્તમ card company, નાટકો, શીલ્પો, ચીત્રો, ફીલ્મો, ગીતો અને કલાકૃતીઓ માનવજાતને મળ્યાં તે માટે સર્જકોને પ્રાપ્ત થયેલી મોકળાશનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. કવી વોલ્ટ વ્હીટ્મન પોતાને ભવ્ય આળસુ (મેગ્નીફીસંટ આઈડ્લર) તરીકે ગૌરવભેર ઓળખાવતો. નોબેલ પારીતોષીક વીજેતા કવી પાબ્લો નેરુદા પોતાનાં સંસ્મરણો પર લખેલા પુસ્તકમાં નવરાશનો મહીમા કરે છે અને ત્યાં સુધી કહે છે કે ‘સમય વેડફવા જેવી સુંદર બીજી કોઈ ચીજ નથી.’ અહીં સમય વેડફવાની વાત સાથે મોકળાશનું સૌંદર્ય કેન્દ્રમાં રહેલું છે. ઘણા સીનીયર સીટીઝન્સ મોકળાશનો સ્વાદ ધરાઈને માણે છે. એ સ્વાદનું રહસ્ય એમના મીજાજમાં રહેલું છે. એ મીજાજ એટલે સ્વરાજનો મીજાજ. સ્વરાજનો મીજાજ એટલે શું? ‘હવે હું કોઈને જવાબ આપવા બંધાયેલો નથી’, એવી દાદાગીરીમાં દાદાની ખરી શોભા પ્રગટ થાય છે. સ્વતંત્ર હોવું એટલે જ પોતાની મરજીના માલીક હોવું. મરજીની ગુણવત્તા એટલે જ જીવનની ગુણવત્તા. માણસે પોતાની મરજીને માંજી માંજીને શુદ્ધ કરવી રહી. મરજીના માલીકને, ‘માલીક’ની મરજી પર શ્રદ્ધા હોવી જોઈએ. સીનીયર સીટીઝનના સ્વરાજનું આ રહસ્ય છે.

            જે વડીલોને સાહીત્ય, સંગીત, સત્સંગ, સમાજસેવા, પ્રવાસ કે પ્રેમ જેવી બાબતોમાંથી કોઈ એક સાથે પણ નીસ્બત ન હોય તેમણે દુખી થવાની પુરી તૈયારી કરી લીધી છે એમ કહી શકાય. નવરાશ એટલે કર્મશુન્યતા નહીં, પણ મનગમતા કર્મની સમૃદ્ધી. વડીલોએ વારંવાર પોતાની જાતને પુછવા જેવો પ્રશ્ન છે,‘મારો માહ્યલો શેમાં રાજી?’ જે કર્મ કરતી વખતે હેત અને હરખનો અનુભવ થાય તે કર્મ કરવું અને બીજું ફાલતું કર્મ ટાળવું એ તો પાછલી ઉંમરનો વીશેષાધીકાર ગણાય. જે વડીલ કોઈના કામમાં ટકટક ન કરે તે વડીલ પોતાના કામમાં બીજાની ટકટક નહીં સહન કરવાનો અધીકાર પ્રાપ્ત કરે છે. આ દુનીયા આપણી કલ્પના પ્રમાણે ચાલે એવી ઈચ્છા રાખવી એ પણ એક પ્રકારની નાસ્તીકતા ગણાય. સમગ્ર જીવન કેવળ પૈસા એકઠા કરવામાં જ વીતી ગયું હોય, તો પાછલી ઉંમરે દુખનું ડીવીડંડ મૃત્યુ સુધી મળતું જ રહે છે. નોકરી છુટી જાય પછી જે ખાલી થેલી જેવા બની જાય, તેઓ નોકરી ચાલુ હતી ત્યારે પણ ખાલીખમ જ હતા ! એમને એ વાતની ખબર ત્યારે ન હતી, તે જુદી વાત છે.

           સીનીયર સીટીઝનના સુખનો ખરો આધાર પગ ઉપર રહેલો છે. આપણે ત્યાં જે માણસ કમાણી કરતો હોય તેને માટે કહેવામાં આવે છે કે એ ‘પોતાના પગ પર’ ઊભો છે. જેના પગ સાબુત તેનું ચાલવાનું સાબુત ! જે ચાલવાનું રાખે તેને કકડીને ભુખ લાગે. કકડીને લાગતી ભુખ પછી જે ખવાય, તે અન્ન પચી જાય છે. અન્નવૈભવનું ખરું રહસ્ય ભુખવૈભવમાં સમાયું છે. જે સીનીયર સીટીઝન રોજ પાંચ કીલોમીટર સ્ફુર્તીથી ચાલે, તેને ભુખવૈભવ સાથે થાકવૈભવ પણ પ્રાપ્ત થાય. થાકવૈભવ પ્રાપ્ત કરનારને ઉંઘવૈભવ પણ આપોઆપ મળે છે. ભુખવૈભવ, થાકવૈભવ, અને ઉંઘવૈભવ પ્રાપ્ત થાય, તેને સ્ફુર્તીવૈભવ મળી રહે છે. સ્ફુર્તી છે, તો જીવન છે. જીવન છે, તો જીવવાનો આનંદ છે. આનંદનું ઉદ્ ઘાટન પગના સદુપયોગ થકી થતું હોય છે. પગ વડે પરમેશ્વર સુધી પહોંચવાનું છે. લોકો પથારી થકી પરમેશ્વર સુધી પહોંચવાની પેરવી કરતા હોય છે. એક વડીલ પંચાણું વર્ષે મૃત્યુ પામ્યા ત્યારે દીકરાની વહુ બોલી, ‘પપ્પા સવારે તો ફરવા ગયેલા અને બપોરે એકાએક શાંત થઈ ગયા !’ મૃત્યુ પામેલા વડીલને આનાથી ચડીયાતી અંજલી બીજી શી હોઈ શકે? એને કહેવાય રળીયામણું મૃત્યુ !

         વડીલોએ કોઈ પણ હીસાબે બે કલાક પોતાના ખાસ કલાકોં તરીકે અલાયદા રાખવા જોઈએ. પરીવારના જુનીયર લોકોને તેથી ખાસ રાહત મળતી હોય છે. સીનીયર સીટીઝનને પોતાના સ્વરાજની જેમ જુનીયર સીટીઝનનું સ્વરાજ પણ વહાલું હોવું જોઈએ. ખાસ કરીને દીકરાની વહુનો આદર જીતી લેવાની કળા ખુબ મહત્ત્વની છે. જે સાસુને માતા બનતાં ન આવડે અને જે સસરાને પીતા બનતાં ન આવડે તેઓ ફુલ્લી નપાસ ગણાય. છુટાં રહેવું સારું, છેટાં રહેવું સારું, પણ ભેગાં રહીને ઝઘડતાં રહેવું અત્યંત નઠારું ! તમે દીકરાની જન્મતીથી યાદ નહીં રાખો તો ચાલશે, પણ પુત્રવધુની વર્ષગાંઠ યાદ રાખીને નવી સાડી ભેટ આપવાનું ચુકી જાઓ તેમાં શાણપણ નથી. જે પરીવારમાં ગૃહલક્ષ્મીનો આદર નથી હોતો, તે ઘરમાંથી સુખ પાછલે બારણેથી ભાગી છુટે છે.

          પુજ્ય રવીશંકર મહારાજ વાતવાતમાં કહેતા કે માણસે પાકેલી ખારેકની માફક ખરી પડવાનું છે. સીધી લીટીનો માણસ નાસ્તીક હોય તોય આધ્યાત્મીક જાણવો. આપણે ત્યાં ક્યારેક સો ટચનો સજ્જન મનુષ્ય કોઈ લંપટ સાધુનો ચરણસ્પર્શ કરતો જોવા મળે ત્યારે દુખ થાય છે.

           કેટલાક સીનીયર નાગરીકો ભક્તીમાં વેવલા બનીને ગાંડપણ પ્રગટ કરતા રહે છે. એ માટે આવનારા મૃત્યુનો ડર કારણભુત છે. સીનીયર સીટીઝનની ખુમારી ખુટવી ન જોઈએ. ખુમારી ખુટે ત્યારે જ ઘડપણ પ્રવેશે. ઘડપણની ખરી બહેનપણી ખુમારી છે. સીનીયર સીટીઝન હોવાને નાતે ગુજરાતના સૌ સીનીયર સીટીઝન્સને ખાસ વીનંતી છેઃ ‘તમને ટટ્ટાર રાખનારી અખંડ સૌભાગ્યવતી ખુમારીદેવીને જાળવી લેવાનું ચુકશો નહીં.’

..પાઘડીનો વળ છેડે..

આપણે વૃદ્ધ થઈ ગયાં તેથી હસવાનું ઓછું નથી થયું, પરંતુ

આપણું હસવાનું ઓછું થયું , તેથી આપણે વૃદ્ધ થઈ ગયાં1

––‘અનામી ચીંતક’

– ગુણવંત શાહ

For all my Senior citizen Friends

Courtesy.  WhatsApp…

ઘડપણનું છે સરસ નામ,

કોઈ કહે સન્યાસાશ્રમ
કોઈ કહે વાનપ્રસ્થાશ્રમ
પણ હું કહું આનંદાશ્રમ
ઘડપણમા આપણે કેવું રહેવું
ઘરમાં હોવ તો આશ્રમ જેવું
આશ્રમમાં હોવ તો ઘર જેવું
ક્યાંય ગુંચવાવું નહિ
જુની યાદો કાઢવી નહિ
“અમારા વખતે” બોલવું નહિ
અપમાન થાયતો જાણવું નહિ
ખાલી ખાલી લંબાણ કરવુંનહિ
સુખ ની ભટ્ટી જમાવતા રહેવું
બધાથી દોસ્તી જોડતા રહેવું
રાગ લોભ ને દૂર ભગાડવો
આનંદને હંમેશા અનુભવવો
ઘડપણ પણ તો સરસ હોય
લેન્સ ઇમ્પ્લાંટથી ચોખ્ખું દેખાય
ચોખટાંથી સહેલાઇથી ચવાય
કાનયંત્રથી સરસ સંભળાય
પાર્કમાં જઈને ફરી અવાય
મંદીરમાં જઈ ભજન ગવાય
ટી વી ની સિરિયલ જોવાય
છોકરાંઓ સામે ચૂપ રહેવું
પોતા પોતી સાથે રમતા રહેવું
પત્નિ સાથે લડતા જાવું
મિત્રોસાથે ગપ્પા મારતા જાવું
જામે તો ટૂરપર જાતાં રહેવું
પત્નિનો સામાન ઉપાડી લેવું
થાકો ત્યાંજ બેસી જાઓ
ગમેત્યારે જ્યુસ પી લેવો
લાયન / રોટરી -જૈન જાઞૃતી  એટેન્ડ કરવું
સમય હોય તો ગાઈ લેવું
એકાંત માં નાચી લેવું
કોઈ જોઈ લે તો વ્યાયામ ગણાવુ
કંટાળો આવે તો સુઈ જાવું
જાગી જાઓ તો ફેસબુક જોવું, જોતા જોતા નસકોરા બોલાવો
ટોકે કોઈ તો વ્હાૅટ્સએપખોલવું
ઘરમાં એકલાં હોવ તો રસોડામાં જઈ દુધની મલાઈ ગાયબ કરો
છોકરાઓનો નાસ્તો ટેસ્ટ કરવો

1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન …..

૮ મી માર્ચ ના વિશ્વ મહિલા દિન નિમિત્તે કેટલીક પ્રસંગોચિત હાઈકુ રચનાઓ દ્વારા દેશ વિદેશમાં ઉભરતી જતી નારી શક્તિને બિરદાવી એનું ગૌરવ કરીએ.

૧.

આઠમી માર્ચ,

વિશ્વ મહિલા દિન 

અભિનંદન.

૨.

અબળા નથી,

સબળા બની આજે,

વિશ્વ નારી.

૩.

પુરુષ સમી

બની આજે આગળ,

મહિલા ધપે .

પ્રગતિશીલ,

મહિલા દર્શનથી,

હૈયું હરખે

કોઈ બંધન,

નથી, નારીને હવે,

પ્રગતી પંથે.

બેટી બચાઓ,

બેટી પઢાઓ મંત્ર,

બધે ફેલાઓ.

૭ .

એક દીકરી,

દસ દીકરા સમી,

એને જાણીએ.

 

દીકરી એતો,

ઘરમાં પ્રકાશતી,

તેજ દિવડી.

૯ .

કરો વંદના,

વિશ્વ નારી શક્તિને,

મહિલા દિને.

વિનોદ પટેલ.

એક કાવ્ય

જ્યાં જુઓ ત્યાં નારી
ઊંચા સિંહાસન પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
પાવાગઢ પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
જીજાબાઈ નામે શિવાજીને ઘડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
ઝાંસીની રાણી તલવાર લઈને લડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
ચૌદ વરસની ચારણ ક્ન્યા સિંહને ભગાડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
મધર ટેરેસા ગરીબોની સેવા કરનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
સંગીતકલામાં લતા મંગેશકર ગાનારી..

જ્યાં જુઓ ત્યાં નારી
ઈન્દીરા ગાંધી ગાદી પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
પિટી ઉષા દોડમાં પ્રથમ આવનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
કલ્પના ચાવલા હવામાં ઉડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી

સર્જનહારનું અનોખું, સર્જન નારી

દિનેશભાઈ નાયક

 

સૌજન્ય શ્રી ગોવિંદ મારૂ સંપાદક ”અભિવ્યક્તિ” બ્લોગ 

આજે મહીલા દીન’ નીમીત્તે,

લેખક શ્રી. જય વસાવડાનો લેખ :

સ્ત્રીઓની મુક્તી… વીજ્ઞાનની શક્તી!

 લેખમાં વીજ્ઞાન અને વીજ્ઞાનની શક્તી દ્વારા સ્ત્રીઓની જીન્દગી ખરેખર કેટલી પ્રેશરમુક્ત અને આસાન બની છે! સાયન્સ સ્ત્રીને સલામી આપતું રહ્યું છેઆવોજયભાઈના દૃષ્ટીકોણથી આ લેખને જોઈએ અને સમજીએ…

આખી પોસ્ટ માણવા માટે લીન્ક નીચે આપી છે

https://govindmaru.com/2020/03/06/jay-vasavda-2/.

 

.એટલે સ્ત્રી | …Atle Stree | Women’s Day Special | Ankit Trivedi

Watch Writer Poet Columnist Novelist Ankit Trivedi’s hilarious Speech in his inimitable style.
Swarostsav is Gujarati Culture Festival held in Ahmedabad.

https://youtu.be/XT8MYjEdHLg

 

1336 -વિશ્વના બીજા નંબરના ધનિક વોરન બફેટની સાદગી અને જીવન સંદેશ

વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું તે પછી  સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે.

કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે :

(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.

૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.

Warren Buffets home

(૩) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજ વસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા ન બગાડે.

(૪) હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઇવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.

(૫) વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.

(૬) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે.

આ તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. વર્ષમાં મારા લક્ષ્યાંકો આપવા એક જ મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.

(૭) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે ‘રાઇટ પિપલ’ ને ‘રાઇટ જોબ’ આપું છું.

(૮) હું મારા સીઇઓને એ નિયમો આપું છું, રુલ નંબર એક : શેર હોલ્ડરનાં નાણાં ડૂબવાં જોઈએ નહીં. રુલ નંબર બે : પહેલા નંબરના રુલનો કદી ભંગ થવો જોઈએ નહીં.

તમે એક ગોલ નક્કી કરો અને તમારા માણસોને ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી વ્યવસ્થા કરો.

૯) મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીના જમેલાઓમાં જઈ હું સમય બગાડતો નથી. એમ કરવાને બદલે હું મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું.

(૧૦) તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો જ સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.

(૧૧) મારી પાસે કોઈ સેલ ફોન નથી. હું મારા ટેબલ પર કમ્પ્યુટર પણ રાખતો નથી.

(૧૨) હું કોઇ ક્રેડિટ કાર્ડ રાખતો નથી. ક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીં. હું બેન્કોમાંથી લોન લેતો નથી.

(૧૩) એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.

(૧૪) બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.

(૧૫) બીજાઓ જે કરે છે તેમ ન કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ જ કરો.

(૧૬) કોઇ પણ બ્રાન્ડનેમ પાછળ પાગલ ન બનો. બ્રાન્ડનેમ જોઈને ખરીદી ન કરો. તમને જેમાં સુવિધા લાગતી હોય તે જ વસ્ત્રો, ચશ્માં કે જૂતાં પહેરો.

(૧૭) બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા બરબાદ ન કરો. તમને જેની જરૂરિયાત છે તે જ વસ્તુઓ ખરીદો.

(૧૮) આખરે તમારું જીવન એ તમારું જ છે. બીજાઓ તમારા જીવન પર રાજ કરે તેવી તક બીજાઓને ન આપો. તમને જરૂર જ ન હોય છતાં કોઈ બ્રાન્ડનેમવાળી જ ઘડિયાળ તમે ખરીદો છો ત્યારે એ બ્રાન્ડ ધરાવતી કંપની આડકતરી રીતે તમારી પર રાજ કરે છે તે સત્ય સમજો.

(૧૯) વિશ્વના સુખી લોકો પાસે વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ ધરાવતી ચીજવસ્તુઓ હોતી જ નથી. તેમની પાસે જે ઉપલબ્ધ છે તેની જ તેઓ કદર કરે છે.

વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટને વિશ્વના સહુથી વધુ ધનવાન એવા બિલ ગેટ્સે એક વાર મળવાનું નક્કી કર્યું. બિલ ગેટ્સ માનતા હતા કે મારી અને વોરન બફેટ વચ્ચે કાંઈ જ ‘કોમન’ નથી. તેથી બિલ ગેટ્સે માન્યું કે વોરન બફેટ સાથે મારી અડધો કલાકની મિટિંગ પૂરતી છે, પરંતુ બિલ ગેટ્સ વોરન બફેટને મળવા ગયા અને વોરન બફેટ પાસેથી તેઓ પૂરા ૧૦ કલાક બાદ ઊભા થયા. તે દિવસ બાદ બિલ ગેટ્સ વોરન બફેટના ભક્ત અને પ્રશંસક બની ગયા.

સૌજન્ય…શ્રી આનંદરાવ લિંગાયત
કબીર નો દોહો અને વોરન બફેટ …
“Sage of Omaha”- દાન ઉલેચવાનો એક અદ્ભુત પ્રસંગ

Kabir Doha and Warren Buffet -Anand Rao Lingayat

Warren Buffett – The World’s Greatest Money Maker

https://youtu.be/w-eX4sZi-Zs

Warren Buffett-wikipedia

https://en.wikipedia.org/wiki/Warren_Buffett

 

 

 

 

 

 

1335-ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ

ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ

ઈતિહાસ

પ્રાચીન સાહિત્ય

પ્રાગ નરસિંહ યુગ (ઈ.સ. ૧૦૦૦ થી ૧૪૫૦)

મધ્યકાલીન સાહિત્ય

નરસિંહ યુગ (ઈ.સ. ૧૪૫૦ થી ૧૮૫૦)

ભક્તિયુગ

અન્ય કવિઓ

આ જ ગાળામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ નોંધપાત્ર યોગદાનો કર્યા છે. જેમાં સહજાનંદ સ્વામી, બ્રહ્માનંદ, પ્રેમાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી મુખ્ય છે. તેમના સર્જનો નીતિશુદ્ધિ, ભક્તિ અને વૈરાગ્યના લક્ષણો ધરાવે છે.[૧૭] આ સિવાય પારસી કવિઓનો ગુજરાતીમાં પ્રવેશ આ જ ગાળામાં થયો છે.

અર્વાચીન સાહિત્ય (૧૮૫૦-હાલ સુધી)

સુધારક યુગ અથવા નર્મદ યુગ (૧૮૫૦-૧૮૮૫)

નર્મદ

પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ (૧૮૮૫-૧૯૧૫)

ગાંધી યુગ (૧૯૧૫-૧૯૪૦)

મહાત્મા ગાંધી

અનુગાંધી યુગ (૧૯૪૦-૧૯૫૫)

આધુનિક યુગ (૧૯૫૫-૧૯૮૫)

અનુ-આધુનિક યુગ (૧૯૮૫-હાલ સુધી)

ઈતિહાસ ની વિસ્તૃત સુંદર માહિતી નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ

વિકિપીડિયામાંથી

1334 -મૃત્યુ અંગે કવિઓના વિવિધ વિચારોનો આસ્વાદ ….સંકલિત

મૃત્યુ અંગે કવિઓના વિવિધ વિચારોનો આસ્વાદ ….

The prison of life and the bondage of sorrow are one and the same

Why should man be free of sorrow before dying?

જહાં કે ગુલકદે સે ઐ કઝા મુઝે લે ચલ,
મેરા વજૂદ યહાં ખાર-સા ખટકતા હૈ.

મર મર કે મુસાફિર ને બસાયા હૈ તુઝે,
રૂખ સબ સે ફિરા કે મુંહ દિખાયા હૈ તુઝે.
ક્યોં કર ન લપટ કે તુઝ સે સોઉં એ કબ્ર,
મૈં ને ભી તો જાન દે કે પાયા હૈ તુઝે.

તમામ ઉમ્ર જો કી હમ સે બેરૂખી સબ ને,
કફન મેં હમ ભી અઝીઝોં સે મુંહ છુપા કે ચલે.
કરીબે કબ્ર હમ આયે કહાં કહાં ફિર કર,
તમામ ઉમ્ર હુઇ જબ તો અપના ઘર દેખા

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટ દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.

– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,

કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,

-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!

મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.

– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,

ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.

– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?

જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.

– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,

નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;

જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,

ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.

– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું

મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે

– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે

હતી ક્યાં ખબર કે મરણ આવશે

– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક

બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.

-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,

થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.

– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?

સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!

-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,

ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,

તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.

– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?

મારું આખું જીવન બહાનું છે

– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,

કોઈ એમ સમજે દવા યાદ આવી.

– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,

હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.

– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,

કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.

– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,

આ છે છેવટના શ્વાસ, હાય નથી.

– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,

આત્મહત્યા વિના ઉપાય નથી.

– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;

જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.

– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,

ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.

– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,

હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.

– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,

વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.

– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,

મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.

– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,

એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.

– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,

મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.

– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,

એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?

– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?

પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!

– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,

ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું

– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,

કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,

એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.

– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,

આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.

– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,

હક છે મરણનો એટલે રાખી છે જિંદગી

-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,

જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.

-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,

મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે

-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,

કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે

-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,

પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.

– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,

મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે

-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,

આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.

-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,

ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.

– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?

ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.

– અકબરઅલી જસદણવાળા

 કાં

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,

હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.

– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા

જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો

– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે

આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ

– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,

છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.

– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,

ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.

-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,

ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.

-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;

સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.

– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,

મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.

– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,

હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?

– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,

તો આ મરવું થાય મુશળધાર પણ !

-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,

બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;

જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,

એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,

હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;

કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,

આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,

મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !

– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –

કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.

– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,

મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!

-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,

મૃત્યુ રાહત વચગાળાની.

-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,

મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.

– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,

જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.

‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,

જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.

-હસનઅલી

હે મરણ !

હે મરણ !
જિંદગીને એક બસ તારું શરણ…હે મરણ.

જન્મ લીધો ત્યારથી એક જ દિશામાં
આજીવન   દોડ્યાં   કર્યું જિજીવિષામાં,
આખરે તારી કને  રુક્યાં ચરણ  …….હે.

સૂર્ય ઉગ્યો આથમે એ તો નકી,
આથમ્યાને ઊગવાની પણ વકી;
બે અંતિમોને સાંધતું તું  ઉપકરણ……..હે

ખેતરો ખેડ્યાં, મબલક પાક લીધો;
‘ત્રણેઋતુ’નો મજાનો લાભ લીધો;
ખળાં ટાણે હાથ ના’વ્યો એક કણ ! …..હે.

અંતહીન મુસાફરી ચાલ્યાં કરે,
સ્ટેશને   કોઈ  ચડે,  કો’   ઊતરે;
અધવચાળે રોકી દે તું એક ક્ષણ…….હે

ક્યાં હશે ગંગોત્રી જીવનની,અહો !
કયા સાગરમાં જઈ   ઠરશે,  કહો-
ક્યાં સુધી વહેતું રહેશે આ ઝરણ?!….હે

કેટલાં   વીત્યાં,  વીતશે   કેટલાં ?
આયખાં તો પાર ના’વે એટલાં!
ગણતરીને  નડે  તારું આવરણ !!……..હે

– જુગલકીશોર

–––––––––––––––––

મરણપથારીએ

હાડપીંજરમાં  શ્વસે   છે જિદગી;
નસનસોમાં શી લસે છે જિંદગી !

આટલાં વરસોનાં  જે   સંભારણાં;
સાથમાં લઈને ખસે   છે  જિંદગી.

દર્દને લાગુ  પડે એવી  દવા શી ?!
દર્દને   ખુદને  ડસે   છે  જિંદગી !

આજુબાજુ   વીંટળાઈ   જે  ઉભાં
લાગણી  સૌની   કસે  છે  જિંદગી.

ગામ,ફળિયું, ડેલી,  ને  આ  ઓરડે
બાકી  સંબંધો  ઘસે   છે   જિંદગી.

સૌના વ્યવહારો કર્યા,ને સાચવ્યા;
ખુદનો આ છેલ્લો  રચે છે જિંદગી !

આટલો  રસ્તો  વીત્યો ધીમે  ભલે;
મોતને   રસ્તે   ધસે   છે   જીંદગી !

–જુગલકિશોર.

===000===

યાદ રાખ, દેહની અંતે થઇ જશે રાખ !

માનવી કદી અમર ન હતો કે ન છે છતાં,
જીવી રહ્યો જાણે, છે અમર, એમ નિજ જિંદગીમાં.
ભૂલી ગયો અબુધ કે જીવનની આ સફર પુરી થયે,
નક્કી સંચરવું પડશે, સ્મશાને બધું પાછળ છોડીને.

ખુબ સાચવી શણગારી ટપાર્યો એ પામર દેહ તારો,
જતાં પ્રાણ, માત્ર રાખનો ઢગ થઇ જવાનો, સ્મશાને.

ધનદોલત અને સોના મહોરોનો તેં ખુબ ગર્વ કર્યો,
કિન્તુ તુજ ધનિક દેહની થયેલ રાખ ક્યાં સોનાની હતી!
ગરીબ હો યા તવંગર, અંતે રાખ તો સૌની એક સમાન.
માટે હે માનવ, તવ કાયા ને માયાનું ગુમાન ન રાખ,
કેમકે એક દિન જરૂર આવશે યાદ રાખ કે જ્યારે ,
કંચન મઢી મગરૂર કાયાની નક્કી થઇ જશે માત્ર રાખ.

હે માનવ,પીછાણી તવ પામર દેહની આ નશ્વરતાને,
વિસારીશ નહી કદી, જીવ મૂકી તને જીવાડનાર, ઈશ્વરને.

વિનોદ આર. પટેલ

સાન ડિયાગો

1333…બે સામાજિક ટૂંકી વાર્તાઓ ..[૧ ]…”કંપની “[૨ ]…’પહેલી નજરે પ્રેમ

[૧ ]…”કંપની “

નદી કિનારે ૫૦૦૦ ચોરસ વાર ના મોટા પ્લોટમાં અજયનો આલીશાન બંગલો હતો.શહેર ના અતિ ધનિક લોકોમાં એની ગણતરી થતી.

અજય એની પત્ની રીટા અને પુત્ર સુકેન તથા *પિતા હસમુખરાય* સાથે ભવ્ય વીલામાં રહેતો હતો.

એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સહુ જમવા બેઠા હતા ત્યારે *હસમુખરાયે* કહ્યું *”બેટા મને ઘરડા ઘરમાં મૂકી આવને !!”*

અજય અને રીટા બંને એકદમ ચોંકી ઉઠ્યા અને વિચાર્યું કે અમારી માવજતમાં કોઈ ખામી રહી ગઈ કે શું ?

અજયે કહ્યું *”કેમ પપ્પા , અમારા થી કોઈ ભૂલ થઇ ગઈ કે કોઈએ તમને કઈ કહ્યું ?*

*હસમુખરાયે* હંસતા હંસતા કહ્યું-: *”ના બેટા ના ; તું વહુ અને સુકેન જેટલી સાર સંભાળ મારી કોણ રાખી શકે ?* પણ *હું અહિંયા એકલો આખો દિવસ કંટાળી જાઉં છું અને ઘરડા ઘર માં મારા ત્રણ જુના મિત્રો છે તો મારો ટાઈમ પાસ થઇ જશે.*

અજયે તરત જ કહ્યું-: *”પપ્પા , સમાજ અમારા માટે શું વિચારશે, ૫-૬ મહિના જવા દો હું કઈ વ્યવસ્થા કરી આપીશ .*

*હસમુખરાય* પણ માની ગયા.વાત વિસરાઈ ગઈ.

અજયે *વિલા* ની બાજુમાં જ એક *નાનું આઉટ હાઉસ* બનાવવાનું શરુ કર્યું અને જોત જોતા માં એક સુંદર મજાનું *આઉટ હાઉસ* તૈયાર થઇ ગયું.

*હસમુખરાયે* પૂછ્યું ; *બેટા, આ શું કામ બનાવ્યું ? આપણું આટલું મોટું ઘર છે ને !!*

અજયે કહ્યું કે *મેહમાનો માટે છે ને આવતા રવિવારે તમારા હાથે ઉદ્દઘાટન કરવાનું છે.*
રવિવાર આવી ગયો.ફેમિલી મેમ્બર્સ* અને થોડા *મિત્રો* ને બોલાવવામાં આવ્યા હતા, *આઉટ હાઉસ* પર રીબીન બાંધવામાં આવી હતી,

*હસમુખરાયે* તાળીઓનાં ગડગડાટ સાથે રીબીન કાપી.

અજયે કહ્યું-: *”પપ્પા દરવાજો પણ તમે જ ખોલો.*

*હસમુખરાયે* બારણું ખોલ્યું,

સામે ખુરશી પર તેમના *ત્રણ મિત્રો* બેઠા હતા, *હસમુખરાય* ખુશી થી ઝૂમી ઉઠ્યા અને *ત્રણે મિત્રો* ને ગળે લગાડી દીધા. અજય રૂમમાં દાખલ થયો તો *ચારે વડીલો* એને ભેંટી પડ્યા. અજયે કહ્યું કે *પપ્પાની ઈચ્છા હતી કે તમારી સાથે જિંદગી વિતાવે એટલે હું તમને ઘરડા ઘરમાંથી અહીં લઇ આવ્યો,* આજ થી આ *ઘર* તમારૂ જ છે અને તમારે મોજથી અહીં જ રહેવાનું છે, અને હા, મેં એક કેર ટેકર *શંભુકાકા* ને પણ રાખ્યા છે જે તમારી તહેનાતમાં આખો દિવસ હાજર રહેશે.

ચારે *વડીલોની સાથે સાથે અજયની આંખમાંથી અશ્રુઓ* વહી ગયા.

અજય બારણું બંધ કરીને બહાર નીકળ્યો અને રૂમમાંથી *ખડખડાટ હાસ્ય* નાં અવાજો આવવા લાગ્યા.

અજય મનોમન બોલી ઉઠ્યો “મિત્રો ની *”કંપની “* સ્ટીરોઈડ જેવી હોય છે” !!!

*મિત્રતા* થી ઉત્તમ કોઈ ટોનીક નથી. *હસતા રહો* અને *હસાવતા રહો.*

 

સૌજન્ય ..વોટ્સેપ /સુરેશ જાની 

🙏🏻💐 🙏🏻 💐🙏🏻

[૨ ]…’પહેલી નજરે પ્રેમ

હવે સામાજિક સિક્કાની બીજી બાજુ ,

નીચેની સત્ય ઘટનાત્મક વાર્તામાં વાંચો.

લેખક ..ભાર્ગવ પરીખ,સૌજન્ય ..બીબીસી ગુજરાતી

‘પહેલી નજરે મને એ ડોસી સાથે પ્રેમ થઈ ગયો’