વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: આધ્યાત્મિક

1251 -વિદુર નીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ સુવાક્યો …../ વિદુર નીતિ ..સંપૂર્ણ પાઠ /કથા

વિદુર નીતિનાં સૌથી શ્રેષ્ઠ ૧૦૮ સુવાક્યો

મહાભારતમાં ‘ઉદ્યોગપર્વ એ એનો સાર છે’ તેમ એના જાણકાર પંડિતો કહે છે.મહાભારતમાં ઉદ્યોગપર્વ સર્વોત્તમ ગણાય છે કારણ કે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહેલ વચનો ઉદ્યોગપર્વ અંતર્ગત ‘પ્રજાગરપર્વ’માં આવેલ છે.

વિદુરનીતિના ૫૭૯ શ્લોકોમાં કુલ મળીને અલગ અલગ પૂરાં ૧૦૦૦ (એક હજાર) નીતિ વચનો છે. એમાંથી વાચકોને જીવનમાં ઉપયોગી થાય એવાં માળાના મણકા જેટલાં ૧૦૮ ચૂંટેલાં નીતિ વાક્યો નીચે સાદર પ્રસ્તુત છે.

આ સુવાક્યોમાંથી બોધ લઇને શક્ય હોય તેટલું સદાચરણ કરી સુખી થવાનો પ્રયત્ન કરીએ.

વિનોદ પટેલ 

 

વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો 

🌟૦૧. જેનું ચારિત્ર્ય સારું છે, તેના માટે આખી દુનિયા એક પરિવાર છે.

🌟૦૨. છળકપટ કરનાર, કદી રાજા બની શકતો નથી.

🌟૦૩. જે સૌનું કલ્યાણ ઈચ્છે છે, તે સૌથી મહાન છે.

🌟૦૪. જ્યાં જ્યાં જુગાર રમાય છે, ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે.

🌟૦૫. સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર સેવકે કદી અવિશ્વાસ ન કરવો.

🌟૦૬. વિનય અને વિવેક, અપયશનો તત્કાલ વિનાશ કરે છે.

🌟૦૭. સુખ માટે ક્યારેય, ધર્મનો ત્યાગ કરશો નહિ.

🌟૦૮. બુદ્ધિમાન અહીં ગરીબ રહી જાય છે અને મૂર્ખ ધનવાન બની જાય છે.

🌟૦૯. ક્ષમા કદી પણ ક્યારેય કોઈનું અકલ્યાણ કરતી નથી.

🌟૧૦. અગ્નિ, સ્ત્રી, દેવી, દેવતા, ગુરુ અને મા-બાપનું કદી અપમાન કરશો નહિ.

🌟૧૧. રાજાએ ક્યારેય પણ પોતાના રાજ્યના નોકરોનો પગાર રોકવો નહિ.

🌟૧૨. રાજા, વિધવા, સૈનિક, લોભી, અતિ દયાળુ, અતિ ઉડાઉ અને અંગત મિત્ર – આ સાત સાથે નાણાંની લેવડ-દેવડ કરવી નહિ.

🌟૧૩. આળસુ, ખાઉધરો, અળખામણો, ઘૂર્ત, ચાલાક, ક્રોધી અને વિચિત્ર વેશધારી – આ સાતને ક્યારેય પોતાના ઘેર ઊતારો આપવો નહિ.

🌟૧૪. તપ, દમ, અધ્યયન, યજ્ઞ, દાન, સદાચાર અને પવિત્ર વિવાહ – આ ગુણો જે કુળમાં હોય છે તે શ્રેષ્ઠ કુળ કહેવાય છે.

🌟૧૫. રાજા, વિદ્વાન, વૃદ્ધ, બાળક, રોગીષ્ઠ, અપંગ અને મા-બાપ – આ સાત ઉપર ગુસ્સો કરનાર સામેથી પીડા વહોરી લે છે.

🌟૧૬. ધીરજ, પુરુષાર્થ, પવિત્રતા, દયા, મઘુરવાણી, મનોનિગ્રહ અને નિરોગી શરીર – આ સાત ગુણો હંમેશા ધનસંપત્તિ વધારે છે.

🌟૧૭. જે ધનવાન છે, પણ ગુણવાન નથી. તેની સોબત કદી ન કરવી.

🌟૧૮. સતત પુરુષાર્થ કરનારને જ બધાં પ્રારબ્ધ સતત સાથ આપે છે.

🌟૧૯. અહીં ‘સીધાં’ માણસને જ બધાં હેરાન કરે છે – માટે બહુ સરળ ન થવું.

🌟૨૦. ‘જે થવાનું હતું, તે થઈ ગયું’ – તેને ભૂલી જઈ વર્તમાનમાં જીવો.

🌟૨૧. પ્રેમ બધાં ઉપર રાખો. પણ વિશ્વાસ કદી નહિ.

🌟૨૨. જે કદી પણ ક્રોધ કરતો જ નથી, તે પુરુષ યોગી છે.

🌟૨૩. આમંત્રણ સિવાય ક્યારેય પારકા ઘેર જવું નહિ.

🌟૨૪. ધર્મનું આચરણ કરી, નીતિપૂર્વક કમાણી કરવી, એ પણ એક પરમસિદ્ધિ છે.

🌟૨૫. ઘરની તમામ મહિલાઓની રક્ષા કરવી, એ ઘરના મર્દોની ફરજ છે.

🌟૨૬. કોઈપણ કાર્યની શરૂઆત કરો તો તેને બહુ જાહેર ના કરો.

🌟૨૭. જે કારણ વગર ગુસ્સે થાય કે કારણ વગર પ્રસન્ન થાય, તેનાથી ચેતજો.

🌟૨૮. જે પોતાને પ્રતિકૂળ છે, તેવું વર્તન બીજા પ્રત્યે કરવું નહિ.

🌟૨૯. જે લોભી છે તેને આખી પૃથ્વી આપો તો પણ ઓછી જ પડવાની છે.

🌟૩૦. જે શાસ્ત્રોથી વિરૂદ્ધ વર્તન કરે છે, તેને શાસ્ત્રો કે શસ્ત્રોનો સામનો કરવો પડે છે.

🌟૩૧. દોરીથી બંધાયેલી કઠપુતળીની જેમ, જીવ દૈવને બંધાયેલો પરવશ છે.

🌟૩૨. ક્રોધ શરીરના સૌદર્યને નાશ કરે છે.

🌟૩૩. પરિવારને મૂકી, જે એકલો મિષ્ટાન્ન આરોગે છે, તેનું પતન નિશ્ચિત છે.

🌟૩૪. જ્યારે ઘરમાં બધાં સૂઈ ગયા હોય ત્યારે એકલાએ જાગવું નહિ.

🌟૩૫. જે વાદવિવાદ નથી કરતાં, તે સંવાદમાં જીતી જાય છે.

🌟૩૬. ૠષિનું કુળ અને નદીનું મુળ જાણવા પ્રયત્નો કરવા નહિ.

🌟૩૭. જે ભૂખ વગર ખાય છે, તે વહેલો મરે છે.

🌟૩૮. દુર્જનોનું બળ હિંસા છે.

🌟૩૯. મઘુરવાણી ઔષધ છે, કટુવાણી રોગ છે.

🌟૪૦. બધા તીર્થોની કરેલી યાત્રા કરતાં, જીવદયા ચડિયાતી છે.

🌟૪૧. પોતાના ઉપયોગ માટે મેળવેલ અનાજ, દહીં, મીઠું, મધ, તેલ, ઘી, તલ, કંદમૂળ, શાકભાજી, લાલ વસ્ત્રો અને ગોળ – આ ૧૧ વસ્તુઓ કોઈને વેચવી નહિ.

🌟૪૨. સાપ, રાજા, શત્રુ, ભોગી, લેણદાર, સ્ત્રી અને પોતાનું શરીર – આટલા સાત ઉપર કદી આંધળો વિશ્વાસ મૂકવો નહિ.

🌟૪૩. સ્નાન કરવાથી રૂપ, બળ, સ્વર, શોભા, સ્વચ્છતાના લાભ પ્રાપ્ત થાય છે.

🌟૪૪. જે સેવક આજ્ઞાનું પાલન કરવાને બદલે, વ્યર્થ દલીલબાજી કરતો હોય, તેને વિના વિલંબે પાણીચું આપી દેવું જોઈએ.

🌟૪૫. જે માણસ જેવો વ્યવહાર કરે છે, તેવો જ વ્યવહાર તેની સાથે કરવો.

🌟૪૬. હણે તેને હણવામાં પાપ નથી.

🌟૪૭. કોઈની વગર કારણે નિંદા કરવી, કોઈ વાતને મૂળ કરતાં વધારીને કહેવી અને કર્કશ વાણી ઉચ્ચારવી – આ ત્રણ દુર્ગુણ, દુઃખ વધારે છે.

🌟૪૮. જ્યાં અતિથિનો આવકાર થાય છે, જે પરિવારમાં મઘુર સંવાદ થાય છે, સંતોષકારક ભોજન થાય છે, તેમજ સેવા થાય છે ત્યાં સદાકાળ લક્ષ્મી છે.

🌟૪૯. જ્ઞાનથી અભય, તપથી ગૌરવ, ગુરુસેવાથી જ્ઞાન અને યોગથી શાંતિ મળે છે.

🌟૫૦. દિવસે એવુંને એટલું કામ કરવું કે રાત્રે તુરંત જ ઊંઘ આવી જાય.

🌟૫૧. જે સભામાં વૃદ્ધ નથી, તે સભા નથી; જે ધાર્મિક નથી, તે જ્ઞાનવૃદ્ધ નથી અને જેમાં સત્ય નથી, તેમાં કોઈ ધર્મ નથી.

🌟૫૨. નાશ પામેલી કોઈપણ વસ્તુનો કોઈ શોક નથી કરતાં, તે પંડિત છે.

🌟૫૩. માણસને જે વહાલું હોય છે, તેના અવગુણ દેખાતા નથી અને જે અળખામણું હોય છે, તેના સદગુણો દેખાતા નથી.

🌟૫૪. પર્વતની ટોચ ઉપર, ઘરમાં, એકાન્ત સ્થળે, નિર્જનસ્થાન કે વનમાં, નદી કે સમુદ્ર કિનારે, કોઈ ધર્મસ્થાનમાં, જ્યારે સમય મળે ત્યારે બેસી આત્મમંથન કરવું.

🌟૫૫. કલ્યાણ ઈચ્છનારે ક્યારેય કુટુંબમાં કજિયો કે કંકાસ કરવાં નહિ.

🌟૫૬. જે વૃક્ષ ઉપર ફળફૂલ બેસતાં નથી, તેનો પક્ષીઓ ત્યાગ કરી દે છે. તેમ મરેલાં માણસનો સગાવહાલાં તુરંત જ ત્યાગ કરી દે છે.

૫૭. જે ભાગ્યમાં લખેલું છે, તે ક્યારેય મિથ્યા થતું નથી.

🌟૫૮. જયારે મુશ્કેલીઓ આવી પડે ત્યારે સંકોચ વગર વડીલોનું માર્ગદર્શન મેળવો.

🌟૫૯. કારણ વગર જ બીજાના દોષો જોવા- કહેવા એ મહામૂર્ખતા છે.

🌟૬૦. દૂધ, ફળ, દવા, પાણી, કંદમૂળ, કોઈપણ દેવી કે દેવતાનો પ્રસાદ લેવાથી ઉપવાસ કે વ્રતભંગ થતો નથી.

🌟૬૧. માતા-પિતા, પ્રભુ અને ગુરુને પગે લાગવાથી આયુષ્ય, વિદ્યા, યશ વધે છે.

🌟૬૨. શુભ કાર્યો કરવાના સંકલ્પ સમયથી જ સંજોગો સુધરવાનું શરૂ થઈ જાય છે.

🌟૬૩. કોઈપણ પ્રયોજન વગર, કોઈ પણ પ્રવાસ કરવો નહિ.

🌟૬૪. જે પોતાનાં વખાણ (આત્મશ્લાધા) જ કરે છે, તે બધે અળખામણો બને છે.

🌟૬૫. જીવનમાં જે માત્ર થોડાં લાભથી જ સંતુષ્ટ થઈ જાય છે, તે મહામૂર્ખ છે.

🌟૬૬. કુટુંબનું ભલું થતું હોય તો કુટુંબની ખરાબ વ્યક્તિનો તુર્ત ત્યાગ કરી દેવો, ગામનું ભલું થતું હોય તો પરિવારનો, દેશનું ભલું થતું હોય તો ગામનો અને આત્માની જો મુક્તિ થતી હોય તો પૃથ્વીનું રાજ પણ છોડી દેવું.

🌟૬૭. જે ઘેરથી અતિથિ નારાજ-નિરાશ થઈ જાય છે, તે ઘરનું પુણ્ય નાશ પામે છે.

🌟૬૮. ક્રોધને શાંતિથી, દુર્જનને સૌજન્યથી, કંજૂસને દાનથી, અસત્યને સત્યથી, મા-બાપને સેવાથી, પત્નીને પ્રેમથી અને પતિને સ્વાદિષ્ટ ભોજનથી જીતવાં.

🌟૬૯. જેમ ઉચ્ચ કુળમાં જન્મેલ નીચ બની શકે છે, તેમ નીચ કુળનો ઉચ્ચ બને છે.

🌟૭૦. જે અન્ન સારી રીતે પચી જતું હોય, તે જ માણસે ગ્રહણ કરવું.

🌟૭૧. કાચાં ફળ તોડી લેનાર, ફળની અસલ મીઠાશ માણી શકતો નથી.

🌟૭૨. નપુસંકને જેમ કોઈ સ્ત્રી પ્રેમ કરતી નથી, તે રીતે જે રાજા કે સ્વામી કે માલિકની કૃપા અને ક્રોધ જો વાંઝિયો હોય તો તેનો બધાં જ ત્યાગ કરે છે.

🌟૭૩. જે ધાતુ તપાવ્યા વિના જ વળી જાય છે, તે ધાતુને તપવું પડતું નથી.

🌟૭૪. જેને કકડીને ભૂખ લાગે છે, તેને રોટલો પણ મિષ્ટાન્ન છે. પરંતુ જેને ભૂખ જ લાગતી નથી, તેના માટે મિષ્ટાન્ન પણ વ્યર્થ છે.

🌟૭૫. કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઉપર જેનો કાબૂ નથી, તે શ્રેષ્ઠ ‘ગુલામ’ છે.

🌟૭૬. સત્યથી ધર્મનું, સતત અભ્યાસથી વિદ્યાનું, સાદગી અને સુઘડતાથી સૌંદર્યનું અને સદગુણોથી કુળનું રક્ષણ થાય છે.

🌟૭૭. અધર્મથી હજુ સુધી કોઈને સિદ્ધિ મળ્યાનું સાંભળ્યું નથી.

🌟૭૮. શાન્તિ માટે ક્ષમા, સુખ માટે સમાધાન, કલ્યાણ માટે ધર્મ શ્રેષ્ઠ ઉપાય છે.

🌟૭૯. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ નર્કનાં દ્વાર છે.

🌟૮૦. સત્ય, દયા, તપ, અહિંસા, અચૌર્ય અને અપરિગ્રહ એ સ્વર્ગના દ્વાર છે.

🌟૮૧. નશાબાજ, પાગલ, કામી, લોભી, અભિમાની, ક્રોધી, ઉતાવળિયો, બીકણ, આળસુ અને બહુ બોલનારનો કયારેય સંગ ના કરવો.

🌟૮૨. હમેશાં પ્રસંગને અનુરૂપ પહેરવેશ ધારણ કરવો.

🌟૮૩. જેવો પ્રશ્ન હોય, તેવો જ જવાબ આપો.

🌟૮૪. જે બીજાના સુખે સુખી થાય છે, તે સજ્જન છે. પણ જે બીજાના દુઃખે દુઃખી થાય છે, તે સંત છે.

🌟૮૫. જે શુભ કાર્યોમાં પોતાનાથી ચડિયાતાને આગળ રાખે છે, તે સફળ થાય છે.

🌟૮૬. સમય આવ્યે જે શત્રુને પણ મદદ કરે છે, તેને ત્યાં અનર્થો આવતા નથી.

🌟૮૭. બધાં તહેવારોમાં શક્તિ મુજબ જે પરિવારનું ઘ્યાન રાખે છે, તે સુખી છે.

🌟૮૮. જેમ અગ્નિ ઈંધણથી સંતુષ્ટ નથી, તેમ કામી પુરુષ સ્ત્રીઓથી ધરાતો નથી.

🌟૮૯. વિદ્યાર્થીને સુખ ક્યાંથી અને સુખાર્થીને વિદ્યા ક્યાંથી ?

🌟૯૦. ધનનું મુખ્ય પ્રયોજન જ દાન અને ભોગ છે.

🌟૯૧. જે ગાય સહેલાઈથી દોહવા દેતી નથી, તેને બહુ માર ખાવો પડે છે.

🌟૯૨. ફૂલમાંથી જે રીતે ભ્રમર મધ લે છે, રાજાએ એ રીતે પ્રજા પાસેથી કર લેવો.

🌟૯૩. રાજનીતિમાં ધર્મ જરૂરી છે, પણ ધર્મમાં રાજનીતિની જરૂર નથી.

🌟૯૪. પોતાનું જરૂરી કામ પડતું મૂકી, બીજાનું કામ કરવા દોડી જાય, તે મહામૂર્ખ છે.

🌟૯૫. કોઈપણ પ્રસંગમાં આમંત્રણ વગર જે દોડી જાય છે, તે અપમાનિત થાય છે.

🌟૯૬. દૂરદર્શિતા, કુલીનતા, ઈન્દ્રિયનિગ્રહ, સ્વાઘ્યાય, પરાક્રમ, મિતભાષણ, દાન અને કૃતજ્ઞતા – આ આઠ ગુણો મનુષ્યને યશસ્વી બનાવે છે
.
🌟૯૭. આળસ, માદક દ્રવ્યોનું સેવન, વાતોડિયો સ્વભાવ, પરિવારની માયા, ધગશનો અભાવ, લાલચ, ચંચળતા અને અહંકાર – આ આઠ દુર્ગુણો હોય ત્યાં ક્યારેય વિદ્યા કે વિદ્યાર્થીનો વિકાસ થતો નથી.

🌟૯૮. જે આસ્તિક છે, તે પંડિત છે.

🌟૯૯. ન ગમાડવા જેવા લોકોને ગમાડે છે, ગમાડવા જેવાનો ત્યાગ કરે છે, તે મૂર્ખ છે.

🌟૧૦૦. જે દુર્જનનો આદર સત્કાર કરતો નથી, તેને યશ અને મહત્તા મળે છે.

🌟૧૦૧. ધન, પુત્ર, સદગુણી પત્ની, આજ્ઞાંકિત પુત્ર, નિરોગી શરીર અને વિદ્યા – સુખ આપે છે.

🌟૧૦૨. સુપાત્રને દાન આપવું, એ ધનની પ્રતિષ્ઠા છે.

🌟૧૦૩. બધાં જ ‘ઘા’ની દવા છે, પણ કટુવાણીના ‘ઘા’ની કોઈ દવા નથી.

🌟૧૦૪. બુદ્ધિથી પાર પડાતાં કાર્યો શ્રેષ્ઠ, બળથી મઘ્યમ અને કપટથી અધમ હોય છે.

🌟૧૦૫. બોલવા કરતાં મૌન શ્રેષ્ઠ છે અને મૂંગા રહેવા કરતાં, સાચું બોલવું શ્રેષ્ઠ છે.

🌟૧૦૬. એકલું અટૂલું ઊગેલું સુદ્દઢ મૂળવાળું વૃક્ષ પણ ઊખડે છે, તેવું માણસનું પણ છે.

🌟૧૦૭. યાન, વિગ્રહ, આક્રમણ, આસન, સંધિ, શત્રુતા, સમાશ્રય એ રાજનીતિ છે.

🌟૧૦૮. જે તદ્દન નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે, તેને અનાયાસે અપાર સુખ મળે છે.

વિદુર નીતિનો સંપૂર્ણ પાઠ / કથા  

મહાભારત ….૦૫ ઉદ્યોગપર્વ (અધ્યાય ૧-૧૯૬)
પ્રજાગરપર્વ (અધ્યાય ૩૩-૪૦)

સૌજન્ય ..http://www.swaminarayanworld.net/en/node/1030

વિદુરનીતિ સંપૂર્ણ કથા – શાસ્ત્રી શ્રી હરિકેશવદાસજી સ્વામી

આઠ અધ્યાયને ઓડિયો -mp3- માં નીચે ક્લિક કરીને સાંભળો

સૌજન્ય …શ્રી સ્વામીનારાયણ સંસ્થા ,રાજકોટ ગુરુકુળ પ્રકાશિત પુસ્તક

વિદુર નીતિ –આવૃત્તિ ત્રીજી

નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

https://drive.google.com/file/d/0B37fn75wcwOsYU9zZldodHBoNzA/view

( 505 ) સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ વચ્ચેનો એક રસસ્પદ અને પ્રેરક સંવાદ

 

યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસના પાવન પગલે ચાલીને એમની ટૂંકી જિંદગીમાં ખુબ વિશાળ ધાર્મિક અને સામાજિક કાર્ય કરી બતાવી વિશ્વભરમાં એમનું નામ કરી ગયા છે . 

વિનોદ વિહારના વાચક અને મારા મિત્ર શ્રી યોગેશભાઈએ ઈ-મેલમાં અંગ્રેજીમાં આ ગુરુ -શિષ્ય વચ્ચેનો સંવાદ મને મોકલ્યો હતો એ વાંચતા જ મારા મન અને દીલ ને ખુબ સ્પર્શી ગયો.આ બન્ને દિવ્ય મહા પુરુષો વચ્ચેની પ્રશ્નોત્તરી જેટલી રસસ્પદ છે એટલી જ પ્રેરક છે. 

અંગ્રેજી ના જાણતા વાચકો પણ આ સુંદર પ્રશ્નોત્તરી ( Q & A )ને ગુજરાતી ભાષામાં વાંચી શકે એ હેતુથી એનો ગુજરાતીમાં અનુવાદ કરીને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં ખુબ આનંદ થાય છે .મૂળ અંગ્રેજી પાઠ પણ ગુજરાતી અનુવાદની નીચે મેં મુક્યો છે જેથી સૌને સમજવામાં સરળતા રહે . 

રામકૃષ્ણ પરમહંસએ એમના પરમ શિષ્ય સ્વામીવિવેકાનંદના મુઝવતા પ્રશ્નોનું ખુબીથી નિરાકરણ કર્યું છે.આ જવાબો આપણને એમના ઊંડા જ્ઞાનની પ્રતીતિ કરાવે છે .તેઓ એક સીધા સાદા અશિક્ષિત વ્યક્તિ હતા પરંતુ એમના શુશીક્ષિત શિષ્યના પ્રશ્નોના તેઓએ આપેલા જવાબો કોઈ મોટા વિદ્વાન ફીલસુફની યાદ અપાવે એવા જ્ઞાનપ્રચુર છે એની આ પ્રશ્નોત્તરી વાંચ્યા પછી તમને જરૂર અનુભૂતિ થશે . 

રામકૃષ્ણ પરમહંસે  એમના શિષ્ય સ્વામી વિવેકાનંદને એમના પ્રશ્નોના જવાબમાં જે ઉપદેશ આપ્યો છે એ આપણને બધાને પણ એટલો જ લાગુ પડે એવો છે અને સૌ એ ગાંઠે બાંધવા જેવો પ્રેરણાદાયી છે . 

વિનોદ પટેલ   

====================================

સ્વામી વિવેકાનંદની રામ કૃષ્ણ પરમહંસ સાથેની

રસસ્પદ પ્રશ્નોત્તરી ( Q & A )

———————————————————————–

Vivekanand -Ram Krishna

સ્વામી વિવેકાનંદ – મને ફાજલ સમય બિલકુલ મળતો નથી . મારું જીવન ભાગ દોડ વાળું ખુબ જ વ્યસ્ત રહે છે .

 

રામ કૃષ્ણ પરમહંસ –  તારૂ દૈનિક કામકાજ તને વ્યસ્ત રાખે છે .પરંતુ  તારી  ક્રિયાઓ બાદ  જે ફળ તને મળશે એ તારા કામના કંટાળામાંથી તને મુક્ત કરશે . 

 

સ્વામી વિવેકાનંદ – ગુરુજી, આજકાલ મારું જીવન ન સમજાય એવું આંટીઘૂંટીવાળું બની ગયું હોય એમ મને કેમ લાગ્યા કરે છે ?

 

રામ કૃષ્ણ પરમહંસ – વત્સ, જીવનનું પૃથ્થકરણ કરવાનું છોડી દે. એમ કરવાથી ગુંચવાણો પેદા થતી હોય છે .તું તો માત્ર જીવન  જીવવાનું શરુ કરી દે.  

 

સ્વામી વિવેકાનંદ –  તો પછી આપણને સતત એક જાતનું અસુખ-દુખ કેમ વર્તાય છે ?

 

રામ કૃષ્ણ પરમહંસ – કેમ કે ચિંતાઓ  કરવાની તને ટેવ પડી ગઈ છે .તને જીવનમાં કોઈ સુખ જણાતું નથી એનું કારણ એ જ છે .

સ્વામી વિવેકાનંદ- આ જગતમાં હમ્મેશાં સારા  અને ભલા માણસોને જ શા માટે સહન કરવું પડે  છે ?

 

રામકૃષ્ણ પરમહંસ – હીરાને- મણીને બરાબર ચમકાવવો હોય તો એને બરાબર ઘસવો પડે છે . અગ્નિમાં બરાબર તપાવ્યા વિના સોનું શુદ્ધ બની શકતું નથી .એવી જ રીતે સારા માણસો જીવનની વિપદાઓ -મુશ્કેલીઓમાંથી પસાર થતા હોવા છતાં એમનામાં કોઈ પણ જાતની કડવાશ પેદા નથી પણ ઉલટું એમનું જીવન બહેતર બન્યું છે એવો અનુભવ કરે છે .

 

સ્વામી વિવેકાનંદ- તો ગુરુજી તમે એમ કહેવા માગો છો કે આવો અનુભવ મેળવવો ઉપયોગી હોય છે ?

 

રામ કૃષ્ણ પરમહંસ- હા જરૂરી છે ,દરેક દ્રષ્ટીએ જોવા જઈએ તો જીવનનો અનુભવ એ એક કડક શિક્ષક જેવો હોય છે.આ શિક્ષક શિષ્યને કોઈ પાઠ ભણાવે એ પહેલાં એની બરાબર કસોટી કરી લેતો હોય છે.

 

સ્વામી વિવેકાનંદ – ગુરુજી,  જીવનમાં એટલા બધા કોયડાઓ વચ્ચે ઘેરાયો છું કે મને ખબર જ નથી પડતી કે હું કઈ દિશા તરફ જઈ રહ્યો છું ?

રામકૃષ્ણ પરમહંસ –  વત્સ, એમ તું બહાર જ જોયા કરીશ તો તું કઈ તરફ જાય છે એની ખબર નહિ પડે.  તારી ભીતરમાં દ્રષ્ટિ કર. તારી દૈહિક આંખોથી તો તું  બાહ્ય  દ્રશ્યો જોઈ શકીશ પણ તારું હૃદય- તારી આત્મિક આંખો-  જ તને સાચો માર્ગ બતાવશે .

સ્વામી વિવેકાનંદ – ગુરુજી મને એ કહો કે સાચી દિશામાં પ્રયાણ કરવું એ વધુ દુખ આપે છે ( ડંખે છે ) કે જીવનમાં નિષ્ફળ થવું એ વધુ દુખ આપે છે ?

 

રામ કૃષ્ણ પરમહંસ  – વત્સ,  તારી સફળતાનો માપદંડ બીજા લોકો નક્કી કરે  એને આધીન છે પરંતુ એક સંતોષ જ એક એવી ચીજ છે જેનું માપ તો તું પોતે જ નક્કી કરી શકે. 

 

સ્વામી વિવેકાનંદ – ગુરુજી, જીવનના કઠીન સમયમાં પણ નવું નવું સત્કર્મ કરવાનો ઉત્સાહ કેવી રીતે ટકાવી રાખવો એ મને કહેશો ?

 

રામ કૃષ્ણ પરમહંસ  –  વત્સ ,  તું આજે ક્યાં સુધી આવી પહોંચ્યો છે એની તરફ હંમેશાં નજર રાખ નહિ કે તારે ક્યાં સુધી જવાનું છે એની તરફ. જીવનમાં તને જે કંઇક સારું પ્રાપ્ત થયું છે એ તને ભગવાન કૃપાએ મળ્યું છે એમ માની એનો પાડ માન અને જે કઈ ખૂટે છે અને મેળવવાની ઇચ્છા છે એની ચિંતા છોડ.

સ્વામી વિવેકાનંદ- માણસો વિષેની એવી કઈ વાત છે કે જેનું તમને આશ્ચર્ય થતું હોય .

રામકૃષ્ણ પરમહંસ – માણસોને જ્યારે કોઈ પણ જાતનું દુખ સહન કરવાનું આવે ત્યારે પ્રશ્ન  કરે છે “ આવું મને જ કેમ ?” પરંતુ જ્યારે તેઓ જીવનમાં પ્રગતી કરીને સમૃદ્ધ બને છે  ત્યારે કદી એવો પ્રશ્ન કરતા નથી કે ” આવું મને જ કેમ ? “આ જ વાતનું મને મોટું આશ્ચર્ય છે .

સ્વામી વિવેકાનંદ :  હું મારી આ જિંદગીમાં કેવી રીતે મહત્તમ ફળની પ્રાપ્તિ કરી શકું ?

 

રામ કૃષ્ણ પરમહંસ –  જે પસાર થઇ ગયો એ ભૂતકાળ વિષેની  ચિંતા કે શોક છોડી દે . તારી પાસે હાલ જે છે એ વર્તમાન કાળનો મનમાં વિશ્વાસ રાખી સામનો કરી તારું કાર્ય કર્યે જા .  જે હજુ આવવાનો છે એ ભવિષ્યકાળ માટે મનમાં કોઈ પણ જાતની ચિંતા રાખ્યા સિવાય તારી જાતને એ માટે તૈયાર કર.

 

સ્વામી વિવેકાનંદ : ગુરુજી ,હવે આ મારો આ છેલ્લો પ્રશ્ન છે . મને કોઈ કોઈ વાર એમ લાગ્યા કરે છે કે મારી પ્રાર્થનાઓનો  મને કોઈ જવાબ મળતો નથી ,એવું કેમ હશે ?

 

રામકૃષ્ણ પરમહંસ- વત્સ, તું આ વાત જાણી  લે કે એવી કોઈ પ્રાર્થના નથી કે જેનો જવાબ ના હોય.મનમાં શ્રધ્ધા -વિશ્વાસ રાખીને તારા ભયને ખંખેરી નાખ. આ જીવન  અગમ અને અગોચર છે એનો તારે તાગ મેળવવાનો છે.જીવન કઈ એવો મોટો કોયડો નથી કે જેને ઉકેલી ના શકાય. .મારા આ કથન ઉપર વિશ્વાસ રાખ કે જો તને સાચી રીતે જીવતાં આવડતું હોય તો જિંદગી કુદરતની બક્ષેલી એક અદભુત ભેટ છે .

 

મૂળ અંગ્રેજી ઉપરથી અનુવાદ –  વિનોદ પટેલ

 

————————————————

A rare conversation between

Ramkrishna Paramahansa and  Swami Vivekanand

 

Swami Vivekanand-

I can’t find free time .Life has become hectic .

Ramkrishna Paramahans-

Activity gets you busy .But productivity gets you free.

Swami Vivekanand-

Why has life become complicated now?

Ramkrishna Paramahansa

Stop analyzing life.. It makes it complicated. Just live it.

Swami Vivekanand-

Why are we then constantly unhappy?

Ramkrishna Paramahansa-

Worrying has become yourhabit. That’s why you are not happy.

Swami Vivekanand-

Why do good people always suffer?

Ramkrishna Paramahansa-

Diamond cannot be polished without friction.Gold cannot be purified without fire .Good people go through trials ,don’t suffer.With that experience their life becomes better, not bitter.

Swami Vivekanand-

You mean to say such experience is useful?

Ramkrishna Paramahansa-

 Yes ,yes, .In every term.Experience is a hard teather .He gives the first and lesson afterwards.

Swami Vivekanand-

Because of so many problems, we don’t know where we are heading

Ramkrishna Paramahansa-

If you look outside you will not know where you are heading. Look inside. Eyes provide sight. Heart provides the way.

Swami Vivekanand-

Does failure hurt more than moving in the right direction?

Ramkrishna Paramahansa-

 Success is a measure as decided by others. Satisfaction is a measure as decided by you.

Swami Vivekanand-

In tough times, how do you stay motivated?

Ramkrishna Paramahansa-

 Always look at how far you have come rather than how far you have to go. Always countyour blessing, not what you are missing.

Swami Vivekanand-

What surprises you about people?

Ramkrishna Paramahansa-

 When they suffer they ask, “why me?” When they prosper, they never ask “Why me?”

Swami Vivekanand-

How can I get the best out of life?

Ramkrishna Paramahansa-

 Face your past without regret. Handle your present with confidence. Prepare for the future without fear.

Swami Vivekanand-

One last question. Sometimes I feel my prayers are not answered.

Ramkrishna Paramahansa-

 There are no unanswered prayers.  Keep the faith and drop the fear.  Life is a mystery to solve, not a problem to resolve. Trust me. Life is wonderful if you know how to live.

=============================== 

Take each day as it comes, and 

live each day to the fullest.

 

Thanks -Mr. Yogesh Kanakia