• Home
  • અનુક્રમણિકા
  • મારા વિશે
  • મારી ઈ-બુકો (ડાઉન લોડ)
  • મિત્રોની અને અન્ય ગમતી ઈ-બુક ડાઉનલોડ
  • મનપસંદ વિભાગો
  • પ્રતિલિપિ પર મારી રચનાઓ

વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

મુખ્ય પૃષ્ઠ

Tag Archives: આરોગ્ય

1307 – ‘નેત્રદાન’ની સમજણ તથા વર્ષા વેદનો પ્રેરક કીસ્સો

Leave a comment Posted by વિનોદ આર પટેલ on એપ્રિલ 29, 2019

‘નેત્રદાન’ની સમજણ તથા વર્ષા વેદનો પ્રેરક કીસ્સો

‘નેત્રદાન’ કઈ રીતે કરી શકાય? કોણ કરી શકે અને દાન કરેલી આંખ કોને કામ લાગી શકે? તેની સમજણ મેળવવા તથા સુશ્રી. વર્ષાબહેન વેદ ફુલટાઈમ અકાઉન્ટન્ટમાંથી આઈ–ડોનેશન કૅમ્પેનને લાઈફ–મીશન બનાવી ફુલટાઈમ પ્રચારક કેવી રીતે બની ગયાં? વિ.જાણવા મારા રેશનાલીસ્ટ મિત્ર શ્રી ગોવિંદ મારૂ ના બ્લોગ ‘અભીવ્યક્તી’ માં પ્રગટ નીચેનો લેખ’‘નેત્રદાન’ની સમજણ તથા વર્ષા વેદનો પ્રેરક કીસ્સો” જરૂર વાંચશો.

                       Varsha Vaid

‘અભીવ્યક્તી’

‘નેત્રદાન’ કઈ રીતે કરી શકાય? કોણ કરી શકે અને દાન કરેલી આંખ કોને કામ લાગી શકે? તેની સમજણમેળવવા તથા  સુશ્રી. વર્ષાબહેન વેદ ફુલટાઈમ અકાઉન્ટન્ટમાંથી આઈ–ડોનેશન કૅમ્પેનને લાઈફ–મીશન બનાવી ફુલટાઈમ પ્રચારક કેવી રીતે બની ગયાં? તે જાણવા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

View original post 1,789 more words

ચિંતન લેખ અભિવ્યક્તિ, આરોગ્ય, નેત્ર દાન, રી-બ્લોગ

1244- હાર્ટ-અટૅક આવે પણ ખબર જ ન પડે એમ બને? જિગીષા જૈન

2 ટિપ્પણીઓ Posted by વિનોદ આર પટેલ on ઓક્ટોબર 30, 2018

કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની કહે છે, ” ભારતમાં ૫૦ ટકાથી વધુ હાર્ટ-અટૅક સાઇલન્ટ હાર્ટ-અટૅક હોય છે. હાર્ટ-અટૅક શરીરમાં બનતી મોટી ઘટના છે અથવા તો કહો કે દુર્ઘટના છે. ”

હાર્ટ-અટૅક તો આપણને ખબર જ છે, પરંતુ સાઇલન્ટ હાર્ટ-અટૅક એટલે શું? આ પ્રશ્નનો જવાબ જાણવા સુશ્રી જીગીષા જૈન નો આ લેખ વાંચવો જ જોઈએ.

હાર્ટ-અટૅક આવે પણ ખબર જ ન પડે એમ બને ?…જિગીષા જૈન 

હાર્ટ-અટૅક આવે તો છાતીમાં સખત પેઇન થાય છે અને શ્વાસ ચડવા લાગે છે. આ બન્ને એનાં મૂળભૂત લક્ષણો છે જેને સમજીને વ્યક્તિએ તાત્કાલિક હૉસ્પિટલમાં ભાગવું જોઈએ, પરંતુ જો અટૅક આવે ત્યારે એક પણ લક્ષણ દેખાય નહીં તો? આ પરિસ્થિતિને સાઇલન્ટ હાર્ટ-અટૅક કહે છે. ભારતમાં ૫૦ ટકા અટૅક સાઇલન્ટ હાર્ટ-અટૅક હોય છે. મોટા ભાગે ડાયાબિટીઝના દરદીઓમાં આ તકલીફ જોવા મળે છે જે ઘાતક અને ગંભીર સમસ્યા છે

heart attack


મહેતા પરિવારના પંચાવન વર્ષના વડીલને છેલ્લા બે દિવસથી ખૂબ અળખામણું લાગતું હતું. બેચેની થતી હતી અને અંદરથી કંઈ સારું નથી એમ લાગતું હતું. ઘરના બધાએ કહ્યું કે આવું તો થાય, થોડી ઊંઘ બરાબર કરો તો બધું જતું રહેશે. થાક એકદમ લાગવા લાગ્યો હતો તો તેમને થયું કે તેમની શુગર ઓછી થઈ જતી હશે. છેલ્લાં ૧૫ વર્ષથી તેમને ડાયાબિટીઝ હતો અને દવાઓ ખાતાં-ખાતાં ક્યારેક એવું થતું કે શુગર એકદમ વધી કે ઘટી જતી. આવા સમયે થાક લાગતો. તેમને થયું કે શુગરની જ તકલીફ હશે એટલે એક વખત ડૉક્ટરને બતાવી આવીએ. 

ડૉક્ટરે પૂછ્યું, ‘છાતીમાં દુખાવો કે શ્વાસમાં કોઈ તકલીફ થઈ રહી છે?’

મહેતાભાઈએ કહ્યું, ‘ના, કશું નથી. બસ, થાક થોડો લાગતો હતો તો થયું કે બતાવી આવીએ.’

ડૉક્ટરે તપાસ કરી અને લાગ્યું કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કઢાવી લઈએ. ટેસ્ટમાં ખબર પડી કે મહેતાભાઈને હાર્ટ-અટૅક આવ્યો હતો. કોઈ પણ લક્ષણ બતાવ્યા વગર મહેતાભાઈને સાઇલન્ટ હાર્ટ-અટૅક આવ્યો હતો. તેમનો તરત ઇલાજ શરૂ થયો. મેડિસિન આપવામાં આવી. દસ દિવસ હૉસ્પિટલમાં રહ્યા. બાયપાસ પણ થઈ ગઈ, પરંતુ હજી જોઈએ એવી રિકવરી આવી નથી એનું કારણ એ હતું કે તે અટૅકના બે દિવસ પછી હૉસ્પિટલમાં પહોંચ્યા અને તેમના મોડા હૉસ્પિટલ પહોંચવા પાછળ જવાબદાર તેમનો સાઇલન્ટ હાર્ટ-અટૅક હતો. હાર્ટ-અટૅક જે કોઈ પણ લક્ષણ વગર આવ્યો હતો. જો વ્યક્તિને કંઈ થાય જ નહીં તો તેને ખબર કેમ પડે કે તેને હાર્ટ-અટૅક આવ્યો છે. છતાં ડૉક્ટર તેમને નસીબદાર ગણાવતા હતા, કારણ કે આ પરિસ્થિતિમાં જેમને પણ સાઇલન્ટ હાર્ટ-અટૅક આવે છે એવા લોકોમાંથી પચીસ ટકા લોકો હૉસ્પિટલ પહોંચી શકતા જ નથી, સીધા જ મૃત્યુ પામે છે. 

સાઇલન્ટ હાર્ટ-અટેક પોતે જ એક મોટી બલા છે. ઘાતક રોગોમાં સૌથી પહેલો નંબર હાર્ટ-અટૅકનો આવે છે, પરંતુ એમાં પણ વધુ ઘાતક અને ગંભીર કંઈ છે તો એ છે સાઇલન્ટ હાર્ટ-અટૅક. હાર્ટ-અટૅક તો આપણને ખબર જ છે, પરંતુ સાઇલન્ટ હાર્ટ-અટૅક એટલે શું? આ પ્રfનનો જવાબ આપતાં કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની કહે છે, ‘ભારતમાં ૫૦ ટકાથી વધુ હાર્ટ-અટૅક સાઇલન્ટ હાર્ટ-અટૅક હોય છે. હાર્ટ-અટૅક શરીરમાં બનતી મોટી ઘટના છે અથવા તો કહો કે દુર્ઘટના છે અને શરીરમાં કોઈ પણ તકલીફ ઊભી થાય તો આદર્શ રીતે શરીર કોઈ ને કોઈ ચિહ્ન દ્વારા જતાવે છે કે કઈ તકલીફ છે. 

હાર્ટ-અટૅકનાં પણ ખાસ ચિહ્નો છે. જેમ કે એનાં ક્લાસિક ચિહ્નોમાં છાતીમાં દુખાવો અને શ્વાસ ચડવો મુખ્ય છે. આદર્શ રીતે અટૅક આવે એ પહેલાં પણ અમુક ચિહ્નો સામે આવે છે અને અટૅક આવ્યા પછી તો તરત જ દુખાવો અને શ્વાસની તકલીફ દેખાય એટલે વ્યક્તિ તાત્કાલિક હૉસ્પિટલમાં ભાગે છે. જોકે સાઇલન્ટ હાર્ટ-અટૅક એને કહે છે જેમાં અટૅકનાં આ મુખ્ય ચિહ્નો જોવા મળતાં જ નથી. ઊલટું કોઈ પણ ચિહ્નો જોવા મળતાં નથી. ખબર જ નથી પડતી દરદીને કે તેને અટૅક આવ્યો છે અને તેને તાત્કાલિક હૉસ્પિટલમાં ભાગવું જરૂરી છે. આ ખરેખર ગંભીર તકલીફ છે.’

heart attack1

કોના પર રિસ્ક? 

આમ તો સાઇલન્ટ હાર્ટ-અટૅક તેને પણ આવી શકે છે જેના શરીરમાં દુખાવાને સહન કરવાની કૅપેસિટી ઘણી વધારે હોય. આપણે ત્યાં એવા લોકો છે જેમને વાગે તો અસર જ નથી થતી, કારણ કે તેમની સહનશક્તિ ખૂબ વધારે હોય છે. એટલે તેમને અહેસાસ જ નથી થતો કે આ પેઇન છે અને ડૉક્ટર પાસે જવું જરૂરી છે. બાકી સૌથી વધુ રિસ્ક કોના પર છે એ વાત કરતાં ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘સાઇલન્ટ હાર્ટ-અટૅક થવા પાછળનું મુખ્ય કારણ ડાયાબિટીઝ છે. ડાયાબિટીઝ ધરાવતા દરદીઓમાં જેમને હાર્ટ-અટૅક આવે છે તેમના ૫૦ ટકા અટૅક સાઇલન્ટ હોય છે. ખાસ કરીને જેમને ૧૦-૧૫ વર્ષથી ડાયાબિટીઝ હોય અને એ પણ કન્ટ્રોલમાં ન રહેતો હોય તો સાઇલન્ટ હાર્ટ-અટૅકનું રિસ્ક ખૂબ વધી જાય છે. ડાયાબિટીઝને કારણે વ્યક્તિના શરીરમાં ન્યુરોપથીની તકલીફ સર્જા‍ય છે. એટલે કે વ્યક્તિની નસો ડેમેજ થાય છે જેને લીધે શરીરમાં જે પણ ઈજા થાય એ બાબતે મગજ સુધી એનો સંદેશો પહોંચતો નથી અને એને કારણે મગજ કોઈ રીઍક્શન જ આપતું નથી. તેની સંવેદના જ મરી જાય છે. એને કારણે કોઈ લક્ષણો જોવા મળતાં નથી. તકલીફ તો થઈ જ છે, ડૅમેજ થઈ જ રહ્યું છે; પરંતુ લક્ષણો દ્વારા સમજી શકાતું જ નથી. આ પરિસ્થિતિ સમજીએ એના કરતાં પણ વધુ ગંભીર છે.’ 

નુકસાન 

હાર્ટ-અટૅક થયા પછી તાત્કાલિક હૉસ્પિટલ પહોંચવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જે ઇલાજ કરવાનો હોય છે એ ત્યારે જ વધુ અસરકારક નીવડે છે જ્યારે તમે વહેલાસર હૉસ્પિટલમાં પહોંચો. આ બાબતે વાત કરતાં ડૉ. પ્રતીક સોની કહે છે, ‘જેમને સાઇલન્ટ હાર્ટ-અટૅક આવે છે એવા લોકો હૉસ્પિટલમાં મોડા પહોંચે છે. તેમનો રેગ્યુલર ઇકોકાર્ડિયોગ્રામ કઢાવીએ ત્યારે ખબર પડે છે કે તેમને અટૅક આવ્યો હતો. ત્યારે એ જોવામાં આવે છે કે તેમના હાર્ટને કેટલું ડૅમેજ થયું છે અને એ મુજબ તેમનો ઇલાજ કરવામાં આવે છે. સંપૂર્ણ ઇલાજ કર્યા છતાં પણ આ દરદીઓમાં એવી રિકવરી જોવા મળતી નથી જે તાત્કાલિક ઇલાજ મેળવનાર દરદીમાં જોવા મળે છે. આ સૌથી મોટી તકલીફ છે, કારણ કે ભવિષ્યમાં આ દરદીઓને વધુ નુકસાન વેઠવું પડે છે.’

રોકી શકાય?

જે રોગનું કોઈ લક્ષણ જ નથી એને રોકવો અશક્ય જ છે, પરંતુ એ ન થાય એ માટે અમુક પ્રયત્નો કરી શકાય. એ વિશે વાત કરતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘સૌથી મહkવની વસ્તુ એ છે કે વ્યક્તિ પોતાને ડાયાબિટીઝથી જ બચાવે, પરંતુ જો તે એનો ભોગ બની જ ચૂક્યો હોય તો ડાયાબિટીઝને શરૂઆતી સ્ટેજમાં જ સંપૂર્ણ રીતે દૂર કરવાની કોશિશ કરે. જો એ શરૂઆતી સ્ટેજ જતું રહ્યું હોય અને ડાયાબિટીઝ વ્યક્તિને છે જ તો એ બાબતે અત્યંત સજાગ રહે કે તેનો ડાયાબિટીઝ હંમેશાં કન્ટ્રોલમાં રહે. ડાયાબિટીઝ જેટલો કન્ટ્રોલમાં નહીં રહે એટલી તકલીફની શક્યતા વધવાની જ છે. માટે જરૂરી છે કે ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખે. જે લોકો શિસ્તબદ્ધ છે અને શુગર એકદમ કન્ટ્રોલમાં રહે છે એમને આ તકલીફ નથી થતી.’

માઇલ્ડ અને સાઇલન્ટમાં ફરક

હાર્ટ-અટૅક આવે પણ લક્ષણો જ દેખાય નહીં એનો અર્થ શું એ થાય કે અટૅક એટલો માઇલ્ડ છે કે ખબર જ ન પડી? ના, માઇલ્ડ અટૅકમાં પણ એવું થતું હોય છે કે દરદીને ખાસ ખબર પડતી નથી કે તેને અટૅક આવ્યો છે. જોકે માઇલ્ડ અટૅક અને સાઇલન્ટ અટૅકમાં ફરક છે. સાઇલન્ટ અટૅકનો મતલબ એ જ કે વ્યક્તિને ચિહ્નો કોઈ દેખાતાં નથી. જોકે અટૅક તો સિવિયર કે માઇલ્ડ બન્નેમાંથી કોઈ પણ હોઈ શકે છે. એટલા માટે જ સાઇલન્ટ અટૅક આવતી વ્યક્તિઓમાં પચીસ ટકા વ્યક્તિઓ હૉસ્પિટલ સુધી પહોંચી પણ નથી શકતી, ત્યાં જ ઢળી પડે છે જેનો અર્થ એ કે અટૅક એટલો સિવિયર હતો કે જીરવી જ ન શક્યા; પરંતુ લક્ષણો જ નહોતાં એટલે ખબર જ ન પડી.

જિગીષા જૈન

Source –

http://www.gujaratimidday.com/life/health-a-lifestyle/health-dictionary-23102018

આ પણ વાંચોઃ રોગપ્રતિકારક શક્તિ જ જ્યારે તમારી સામે થાય ત્યારે

આરોગ્ય આરોગ્ય, જીગીષા જૈન, મીડ ડે લેખ, રી-બ્લોગ, હાર્ટ એટેક

1063- અર્વાચિંતનમ્ -શું ખાવું? શું પીવું?……..શ્રી પરેશ વ્યાસ                                                                                             

5 ટિપ્પણીઓ Posted by વિનોદ આર પટેલ on જૂન 9, 2017

સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના બ્લોગ નિરવ રવે માં એમના સુપુત્ર જાણીતા કોલમ લેખક શ્રી પરેશ વ્યાસ લિખિત સામાન્ય આરોગ્યને લગતો આ લેખ અને એમાં રજુ થયેલા વિચારો મને ગમ્યા .આ બન્ને વિદ્વાન મા-દીકરાના આભાર સાથે વિ.વિમાં એને સહર્ષ રી-બ્લોગ કરું છું.વાચકોને એ ગમશે અને ઉપયોગી જણાશે.-વિનોદ પટેલ             

                     અર્વાચિંતનમ્ -શું ખાવું? શું પીવું?    

                                     પરેશ વ્યાસ   

                                                                                       શું ખાવું? શું પીવું?

Paresh Vyas

વજન વધે છે. કસરત કરવાનાં કામચલાઉ અભરખા ગ્રીષ્મની ગરમી સાથે બાષ્પીભવન થઇ જાય છે. ઉપવાસ કરાય? કોને ખબર? અમે કાંઈ ના ખાઈએ તો ય વજન રાજાનાં કુંવરની માફક રાતે ના વધે એટલું દિવસે અને દિવસે ના વધે એટલું રાતે વધે છે. દુનિયાનાં લોક  લબાલબ ખાય પણ એને કાંઈ ના થાય. અને અમે….? શું સાલી જિંદગી છે? અકબર અલાહાબાદી એવું કહી ગયા’તા કે હમ આહ ભી કરતે હૈ તો હી જાતે હૈ બદનામ, વો કત્લ ભી કરે તો ચર્ચા નહીં હોતા. અમે જરા ખાઇએ, પીએ કે વજન વધી જાય. અમે ચર્ચાઇ જઇએ. વગોવાઇ જઇએ. કરવું શું? કોઈ કહે કે ગ્રીન ટી પીવો. એનાં પોલીફેનોલ્સ અને કેફેઈન શરીરની ચરબી બાળે છે. ગ્રીન ટી એટલે દૂધ અને ખાંડ વિનાની ચા. એ તો કઈ રીતે પીવાય? રગડા જેવી કડક મીઠી ચા પીનારાં છ કરોડ ગુજરાતીઓને એ ભાવે કઇ રીતે?

આહારશાસ્ત્રી એલી ક્રીગારે ‘વોશિંગ્ટન પોસ્ટ’ અખબારનાં માધ્યમથી તાજેતરમાં કહ્યું કે લીલી ચા, લાલ મરચું, આખા ધાન અને પ્રોટીન આપણા શરીરનું મેટાબોલિઝમ (ચયાપચય ક્રિયા) વધારે છે. કેલોરી બળી જાય. ચરબી જામે નહીં. માટે મેટાબોલિઝમ વધે એવું ખાઓ પીઓ તો સારું. પણ આ પૂર્ણ સત્ય નથી. માત્ર એની પર આધાર ન રાખી શકાય. ત્રણ કપ ગ્રીન ટી પીઓ તો કેલોરી બળે પણ કેટલી? એક શિંગદાણા જેટલી. લો બોલો… ભારતીય આહારશાસ્ત્રી ઋજુતા દિવેકર તો કહે છે કે લીલી ચા તમને પાતળા કરે તેવી જાહેરાત ભ્રામક છે.

ગ્રીન ટી, વ્હાઇટ ટી, ઊલુંગ ટી, બ્લેક ટીમાં કોઇ ફેર નથી. ઋજુતાનાં કહેવા મુજબ આપણી જીભની સ્વાદગ્રંથિને જે ચા ન ભાવે એ ન પીવી જોઇએ. ઋજુતા તો ઘી ખાવાની ય ભલામણ કરે છે. ઋજુતાની વાત માનવી જોઇએ કારણ કે કરીના કપૂર અને અનંત અંબાણી પણ એની વાત માને છે.

એલી ક્રીગાર કે ઋજુતા દિવેકર, બન્ને માને છે કે કસરતનો કોઇ વિકલ્પ નથી. અથવા એમ કહીએ કે નિયમિત કસરતનો કોઇ વિકલ્પ નથી. ઋજુતા નામ પ્રમાણે ઋજુ છે એટલે વધારે પડતી નહીં પણ ત્રણ દિવસે એક વાર નિયમિત કસરત કરવા ભલામણ કરે છે. બન્ને અહારશાસ્ત્રીઓ ફાસ્ટફૂડનાં પ્રબળ વિરોધી છે. પણ અમને ઋજુતા ગમે છે કારણ કે એ વરસાદી માહોલમાં ગરમ ભજીયા કે સમોસા ખાવાને ક્રાઇમ ગણતા નથી. જો ભી મન મારકે સમોસા નહીં ખાતા હૈ ઉસકો હાર્ટએટેક આને કે ચાન્સીસ જ્યાદા હૈ! એવું એ છડે ચોક કહે છે.

સમોસા આજકાલ એરફ્રાય કરેલાં મળે છે. એવા સમોસા ફ્લાઇંગ કિસ જેવા હોય. ફ્લાઇંગ કિસમાં તે વળી શી મઝા આવે? ખરેખરા હોઠ એકાકાર થાય એવા આવેગાત્મક ચુંબનમાં જે મઝા હોય એવી મઝા ફ્લાઇંગ કિસમાં નથી. હા, તેલમાં તળેલા સમોસા આરોગવાથી રીઅલ કિસની ફીલ ચોક્કસ મળે. આ વાત ઋજુતાએ પોતે કહી છે. એ એમ પણ કહે છે કે કોઇ પણ પેક થયેલાં ખાદ્ય પદાર્થો જેવા કે બિસ્કિટ્સ, ચિપ્સ, ઓટ્સ, નૂડલ્સ વગેરે ક્યારેય ખાવા નહીં. તેલની વાત કરીએ તો ઓલિવ ઓઇલ સારું અને શીંગતેલ નઠારું, એવું જરાય નથી. તેલ ફિલ્ટર્ડ હોવું જોઇએ, રીફાઇન્ડ ન હોવું જોઇએ. રીફાઇન્ડ તેલ નુકસાન કરે.

કોઇ કહે કે રોજ આટલા લીટર પાણી તો પીવું જ જોઇએ. અરે ભાઇ! એવું કાંઇ નથી. પેશાબ પીળો ન થાય એટલું પાણી પીવું. તંઇ શું?આપણે શું કરવું? બજારમાંથી કાંઇ રેડીમેડ પેક્ડ ફૂડ લાવવું નહીં. તેલ રીફાઇન્ડ હોય એ ન ચાલે. ઘી ખાઇ શકાય. કસરત કરતા રહેવાય. પેઇડ કે અનપેઇડ સલાહકારોનો કોઇ તંત નથી. તમે તમારા શરીરને જેટલું જાણો એટલું બીજું કોઇ જાણે નહીં. કોઇની વાત માનવી નહીં. ડોક્ટર્સને સાંભળવા પણ કરવું એ જે તમને ઠીક લાગે. ડોક્ટર્સ તો એવું કહે કે સ્વાદમાં સારું લાગે તે સઘળું થૂંકી નાંખો. એવું તે કાંઇ થોડું હોય? પણ…ઓછું ખાવું, તાજું ખાવું, ઘરનું ખાવું, ભાવે તેવું ખાવું, ભારતીય ખાણું ખાવું.. 

સાભાર .. niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક

આરોગ્ય, ચિંતન લેખ, પરેશ વ્યાસ, રીબ્લોગ આરોગ્ય, પરેશ વ્યાસ, રી-બ્લોગ

( 944 ) વૃદ્ધો દવાથી વધુ બીમાર પડી જાય છે !…– વિનોદ પંડયા

3 ટિપ્પણીઓ Posted by વિનોદ આર પટેલ on ઓગસ્ટ 23, 2016

આપણામાં એક કહેવત પ્રચલિત છે કે ગાંધી વૈદ્યનું સહિયારું. દેશી દવા કરતા વૈદ્ય દર્દીને તપાસીને અમુક તમુક દેશી ઔષધ લખી આપે અને એના ઓળખીતા ગાંધીની દુકાને મોકલે જેના બદલામાં ગાંધી એના નફામાંથી વૈદ્યને અમુક નક્કી કરેલ કમીશન આપે.આવી જ કૈંક વણ લખી સમજણ આજે ડીગ્રી ધારી ડોકટરો,એલોપથી દવા વેચતી ફાર્મસીઓ અને દવા બનાવનારી કમ્પનીઓ વચ્ચે ચાલતી હોય એમ લાગે છે .દર્દીઓના ભોગે આ સૌ લોકો ધૂમ કમાણી કરે છે.

ખાસ કરીને વૃદ્ધ દર્દીઓ ડોક્ટરને ભગવાન માની એમની લખેલી ઘણી બધી દવાઓ એક સાથે લેતા હોય છે.આ દવાઓ ઘણીવાર શરીરમાં જઈને વિપરીત અસરો પેદા કરે છે અને આરોગ્ય સુધરવાને બદલે બગડતું હોય છે.ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થાય છે.!

આ લખું છું ત્યારે ફેસબુક પર વાંચેલી આ પંક્તિઓ યાદ આવે છે.

એય હકીમો દૂર હઠો,
મારી કોઈ દવા નથી.
હું ઈશ્કનો બીમાર છું,
બીજી કોઈ બીમારી નથી.

સંદેશમાં પ્રગટ શ્રી વિનોદ પંડ્યા લિખિત લેખ “વૃદ્ધો દવાથી વધુ બીમાર પડી જાય છે !” એ આ વિષયમાં સરસ પ્રકાશ પાડતો હોઈ વાચકો માટે આજની પોસ્ટમાં સાભાર પ્રસ્તુત છે.ખાસ કરીને સીનીયર સીટીઝનો માટે એ ઉપયોગી માર્ગદર્શક રૂપ નીવડશે.

વિનોદ પટેલ 

 

વૃદ્ધો દવાથી વધુ બીમાર પડી જાય છે !
ફોર્થ ડાઇમેન્શન : – વિનોદ પંડયા

old men and medicineઅમેરિકામાં વૃદ્ધોને જરૂર કરતાં વધારે દવાઓ અપાય છે અને તેને કારણે તેઓ ફરીથી બીમાર પડે છે. વૃદ્ધોની દવાઓની જરૂરિયાત, તે દવાઓની વૃદ્ધો પર થતી અસરનું અલગ તબીબી વિજ્ઞાન છે અને તેના નિષ્ણાત ડોક્ટરો છે પણ તેઓની સંખ્યા ખૂબ થોડી છે. ભારતમાં પણ વૃદ્ધો દવાઓનું આડેધડ સેવન કરે છે અને બીમારીનું કારણ એ દવાઓ હોઈ શકે એવું દરદીઓના માનવામાં આવતું નથી. ઘણા કિસ્સાઓમાં વધુ પડતી દવા ગળચવા માટે વૃદ્ધ દરદી જવાબદાર હોય છે પણ મોટાભાગના કેસમાં ડોક્ટરો જવાબદાર હોય છે.

આધેડ અને વૃદ્ધ લોકો પર દવાઓ જુદી રીતે અસર કરે છે. જે દવા યુવાન દરદીનાં શરીરમાં કામ કરે છે તેનાં કરતાં વૃદ્ધ દરદીનાં શરીરમાં જુદી રીતે વર્તન કરે છે. અમુક દવા યુવાન દરદીનાં શરીરમાં બાર કે ૨૪ કલાક ટકી રહેતી હોય તે વૃદ્ધ દરદીનાં શરીરમાં ૪૮થી ૬૦ કલાક ટકતી હોય છે, આથી વૃદ્ધોને અપાતી દવામાં તેનું પ્રમાણ નક્કી કરવું તે ખૂબ મહત્ત્વની બાબત બને છે. અમેરિકામાં અભ્યાસ થયો તેમાં જણાયું કે એક ૯૯ વરસની વૃદ્ધા દરદી માટે બ્લડપ્રેશર માટેની દવાઓનો મોટો ડોઝ નક્કી કર્યો હતો, જેને કારણે એ વૃદ્ધા મૂર્છિત બની જતી હતી અથવા ચાલતાં ચાલતાં પકડી રાખવી પડતી હતી. એક ૭૪ વરસની વૃદ્ધાને શ્વસનક્રિયા અને બ્લડપ્રેશરની તકલીફ હતી, તેને ન્યુમોનિયા થયો તેથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેના ડોક્ટરોના કાગળ પરથી જણાયું કે એ દિવસમાં ૩૬ પ્રકારની દવાઓ આરોગતી હતી.

ફાર્માસિસ્ટો કહે છે કે આ રીતે બિનજરૂરી દવાઓ ચગળવાનું પ્રમાણ ભયજનક છે. એ વૃદ્ધાને તબીબોએ પૂછયું ત્યારે એણે જવાબ આપ્યો કે મને એમ હતું કે આ બધી દવા મહત્ત્વની છે તેથી લેતી હતી. એ દવામાં કેટલીક ઊંઘવાની ગોળીઓ હતી, જેની આડઅસરને કારણે એ વૃદ્ધાના શ્વાસોશ્વાસ પણ અટકી ગયો હોત. લાંબા સમયથી ચાલતી બ્લડપ્રશર, ડાયાબિટીસ, કોલેસ્ટરોલ, આર્થરાઇટીસ જેવી ક્રોનિક બીમારીઓની સારવાર માટે દરદીઓ જુદા જુદા તબીબોની દવાઓ આરોગતા હોય છે. એ તબીબોએ દરદીની અવસ્થા વિશે આપસમાં ચર્ચા પણ કરી હોતી નથી. ઘણી વખત દરદી જુદા જુદા તબીબોની દવા સાથે વારાફરતી પ્રયોગ કરતા રહે છે. દવાની આ નવી સમસ્યાને ‘પોલીફાર્મસી’ તરીકે ઓળખાવવામાં આવી રહી છે અને પોલીફાર્મસીની સમસ્યાએ મોટું રૂપ ધારણ કર્યું છે. મોટી હોસ્પિટલોમાં જેરિયાટ્રિક એટલે કે વૃદ્ધોની દવાઓના નિષ્ણાત રોકવામાં આવી રહ્યા છે, જેથી દવા વૃદ્ધોને જીવાડવાને બદલે મારી ના નાખે. વૃદ્ધોમાં કેટલીક દવાઓને કારણે માનસિક મૂંઝવણ, માનસિક ગડમથલ, વધુ પડતો રક્તસ્રાવ, પડી જવું, લો બ્લડપ્રેશર અને શ્વાસોશ્વાસની તકલીફ શરૂ થાય છે. અમેરિકાના આરોગ્ય વિભાગના અભ્યાસ પ્રમાણે હોસ્પિટલોમાં દરદીઓ જે સમય વિતાવે છે તેમાંનો ૩૫ ટકા સમય વૃદ્ધ દરદી વિતાવે છે અને દવાઓને કારણે થતી સમસ્યાઓનાં નિવારણ માટે વૃદ્ધ દરદીઓએ સરેરાશ ત્રણ દિવસ વધુ હોસ્પિટલમાં ગાળવા પડે છે.

વરસ ૨૦૦૬માં વૃદ્ધોમાં દવાની આડઅસરના ચાર લાખ કેસ નોંધાયા હતા, જે કાળજી લેવાઇ હોત તો રોકી શકાયા હોત. ઘણા વૃદ્ધોની કોઇ યોગ્ય કાળજી લેનાર હોતું નથી અને વૃદ્ધ સ્મૃતિભ્રંશનો શિકાર બને છે. વૃદ્ધાવસ્થામાં હાડકાં કેલ્શિયમના અભાવે બટકણાં બનતાં હોય છે અને દવાની આડઅસરને કારણે દરદીને ચક્કર આવે અને પડી જાય કે તુરત હાડકાં તૂટી જાય અને હોસ્પિટલમાં લાંબા સમય માટે દાખલ કરવાં પડે છે. દવાની વિપરીત અસરોને કારણે અમેરિકામાં દરદીઓને ફરીવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેને કારણે વરસે સાડા ત્રણ અબજ ડોલરનો વધુ બોજ એ દરદી અથવા વીમા કંપનીએ ઉઠાવવો પડે છે.

દવાની કોઈ આડઅસર થતી ના હોય તો તેનો અર્થ એવો નથી કે દરદીને એ દવાની જરૂર છે. દરદીને હોસ્પિટલમાંથી રજા અપાય ત્યારે ડોક્ટરો જે દવા લખી આપે છે તેમાંની ૪૪ ટકા દવા બિનજરૂરી હોય છે પણ દરદીને મૂડમાં રાખવા કે અન્ય કારણોથી ડોક્ટરો દવા લખતા હોય છે.ભારતમાં તો દવા કંપનીઓને ખુશ રાખવા તબીબો દવા લખતા હોય છે. ઘણા કેસમાં દરદીએ કેટલો સમય દવા લેવી પડશે તે બાબતમાં ડોક્ટર જ ચોક્કસ હોતા નથી. ઘણા દરદીઓને અમુક દવાથી રાહત જણાય પછી તબીબને પૂછયા વગર આડેધડ એ દવા લેવાનું ચાલુ રાખે છે,જે ગંભીર પરિણામ લાવી શકે છે. ૨૦૧૩ના એક અભ્યાસ મુજબ હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ દરદીને અપાયેલી દવાઓની આડઅસર પ્રથમ ૪૫ દિવસમાં ૨૦ ટકા દરદીઓમાં ઉદ્ભવી હતી અને હોસ્પિટલમાં ફરી દાખલ કરવાં પડયાં હતાં. આમાંનાં પાંચ ટકા કેસમાં દરદીનો જીવ જવાનો ખતરો પેદા થયો હતો. ૩૫ ટકા કિસ્સા પહેલેથી કાળજી લેવાઈ હોત તો નિવારી શકાયા હોત.

અમેરિકાની એક હોસ્પિટલમાં જેરિયાટ્રિક(વૃદ્ધો)ના વોર્ડ માટે ખાસ ફાર્માસિસ્ટ અથવા દવાનિષ્ણાત રોકવામાં આવ્યા. એ પછી દવાની આડઅસરને કારણે દરદીઓને ફરીવાર દાખલ કરવાના ૨૨ કેસ બનતા હતા તે ઘટીને માત્ર ત્રણ થઇ ગયા. આ હકીકત દર્શાવે છે કે દવાનો પ્રકાર અને પ્રમાણનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. હોસ્પિટલો દ્વારા વૃદ્ધો માટે જોખમી દવાઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે. ડોક્ટર બીઅર્સ દ્વારા આ યાદી તૈયાર કરી હોવાથી તે ડોક્ટર બીઅર્સ લિસ્ટ તરીકે ઓળખાય છે. હતાશા અને માનસિક બીમારીઓની ઘણી દવાઓની વૃદ્ધો પર અવળી અસર થાય છે. વૃદ્ધ એકલા છે કે તેની આસપાસ કોઇ પ્રમાળ વ્યક્તિ છે તેના પર પણ દવાની અસર નિર્ભર કરે છે.

સાભાર-સૌજન્ય :સંદેશ .કોમ 

આરોગ્ય, રી-બ્લોગ, વૃધ્ધા વસ્થાની વાતો આરોગ્ય, વૃદ્ધોની વાતો, સંકલન

( 892 ) દ્રઢ મનોબળથી ૧૮ મહિનામાં ૧૦૮ કિલો વજન ઉતારનાર અનંત અંબાણીની પ્રેરણાત્મક કહાની …

3 ટિપ્પણીઓ Posted by વિનોદ આર પટેલ on એપ્રિલ 11, 2016

” For those who dared to dream, there is a whole world to win “

— Dhirubhai Ambani 

ઉપર જેમનું અવતરણ મુક્યું છે એ ધીરુભાઈ અંબાણીના દ્રઢ નિશ્ચયી પૌત્ર અનંત અંબાણીએ એના અંગત જીવનમાં બરાબર ઉતાર્યું છે.અનંત અંબાણી હાલ ભારતના પ્રથમ નંબરના ધન  કુબેર રિલાયન્સ ગ્રુપના ચેરમેન ઉદ્યોગ પતિ  મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર થાય છે.

૨૧ વર્ષની ઉમરના અનંત અંબાણીએ  ૧૮ મહિનામાં ૧૦૮ કિલો વજન ઉતારીને સમાચાર જગતને દંગ કર્યું છે.

આ બતાવે છે કે માણસમાં જો મજબુત ઇચ્છાશક્તિ હોય અને એના માટે સતત ઝઝૂમીને યોગ્ય પગલાં લેવામાં આવે તો કોઈ પણ મોટો પ્રશ્ન ઉકેલી શકાય છે પછી એ શરીરને લગતો હોય કે બીજો કોઈ સામાજિક પ્રશ્ન હોય .

આ દ્રઢ નિશ્ચયી  યુવાન અનંત અંબાણીએ કેવી રીતે એનું વજન ઉતારી બતાવ્યું એની સીલ સિલા બંધ વિગતો ગુજરાત સમાચારમાં પ્રગટ સમાચાર અને નીચેના વિડીયો ઉપરથી જાણી શકાશે.

નીચેના ચિત્ર પર ક્લિક કરીને ગુજરાત સમાચારમાં પ્રગટ વિગતો જાણો .

હાલમાં પિતા મુકેશ અંબાણી કરતા વધુ ચર્ચામાં અનંત અંબાણી છે

પ્રથમ ચિત્ર- ૧૮ મહિના પહેલાંના અનંત અંબાણી ... બીજું ચિત્ર- ૧૦૮ કિલો વજન ઉતાર્યા પછીના અનંત અંબાણી

પ્રથમ ચિત્ર- ૧૮ મહિના પહેલાંના અનંત અંબાણી …       બીજું ચિત્ર- ૧૦૮ કિલો વજન ઉતાર્યા પછીના  અનંત અંબાણી

 

અનંત અંબાણીએ ૧૮ મહિનામાં ૧૦૮ કિલો વજન કેવી રીતે ઉતાર્યું

એ કાયા કલ્પની વિગતો આ વીડિઓમાંથી પણ મેળવો .

વજન ઉતારવા માગતી વ્યક્તિઓ માટે એક પ્રેરણાત્મક વિડીયો 

He walked 21 km each day, did yoga, weight training, functional training and high-intensity cardio exercises and able to reduce the weight without any surgery.
Now he is celebrating his 21st birthday and IPL 2016.
He also post his pics with Sachin Tendulkar on Twitter which is share by millions.

આરોગ્ય, ચિંતન લેખો, વિડીયો, સંકલન અનંત અંબાણી, આરોગ્ય, વજન ઉતારવાના સમાચાર, વિડીયો

( 812 ) હેલ્થ ઇસ્યુ: આપણા દેશની ‘તબિયત’ બહુ સારી નથી!……. લેખક- શ્રી કૃષ્ણકાન્ત ઉનડકટ

4 ટિપ્પણીઓ Posted by વિનોદ આર પટેલ on નવેમ્બર 18, 2015

હેલ્થ ઇસ્યુ: આપણા દેશની ‘તબિયત’ બહુ સારી નથી!

તંદુરસ્તીના મુદ્દે આપણો દેશ ક્યાં ઊભો છે? વર્લ્ડ્સ હેલ્ધીએસ્ટ કન્ટ્રિઝની યાદીમાં આપણે છેક 103મા ક્રમે છીએ. વિકાસ માટે દેશના લોકો સ્વસ્થ હોય એ સૌથી મહત્ત્વનું છે 

આપણા દેશના લોકોને સૌથી મોટી ચિંતા શેની હોય છે? માંદા પડશું તો શું થશે? કોઇ મોટી અને ખતરનાક બીમારી લાગુ પડી ગઇ તો કેવી રીતે મેનેજ કરીશું? બીમાર વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કરતી વખતે ઘરના લોકોને સૌથી મોટું ટેન્શન એ જ હોય છે કે બિલ કેટલું થશે? દેશમાં એવો વર્ગ બહુ ઓછો છે કે જેઓ આરામથી એવું કહી શકે કે, મની ઇઝ નોટ એન ઇસ્યુ. મધ્યમ વર્ગના લોકો માટે સૌથી મોટો સવાલ એ હોય છે કે રૂપિયા કાઢશું ક્યાંથી? હા, ઘણા લોકો ડોક્ટરને એમ કહે છે કે રૂપિયાની ચિંતા ન કરતા પણ અંદરખાને તો એવું જ પ્લાનિંગ કરતા હોય છે કે કોની પાસેથી ઉછીના લેશું? કયો દાગીનો વેચીશું? થોડી ઘણી બચત હોય એ પણ ખર્ચાઇ જાય છે અને માથેથી દેવું થઇ જાય છે. આવું બધું કર્યા પછી પણ જો પોતાની વ્યક્તિને સારું થઇ જાય તો લોકો ભગવાનનો આભાર માને છે. રૂપિયા તો કમાઇ લેવાશે, ઘરનું માણસ બચી ગયું એનાથી મોટી વાત શું હોય! બીમારી આવે ત્યારે લોકો ગમે તે રીતે મેનેજ કરે છે! 

સવાલ એ થાય કે, દેશના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે સરકારની જવાબદારી કેટલી? આમ જુઓ તો શિક્ષણ અને સ્વાસ્થ્ય એ એવી બાબતો છે જેનું ધ્યાન સરકારે રાખવાનું હોય છે. કમનસીબે આ બંને ક્ષેત્રો પ્રતિ સૌથી વધુ દુર્લક્ષ સેવાયું છે. અત્યારની સરકાર સામે આક્ષેપ કરવો એટલા માટે વાજબી નથી કારણ કે અગાઉની સરકારોએ પણ કંઇ ઉકાળ્યું નથી. હા, અત્યારની સરકાર પાસે અપેક્ષાઓ જરૂરથી રાખી શકાય. ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને ઇન્ડિયાની બીજી વાતો સાથે હેલ્થ ઇન ઇન્ડિયા વિશે પણ વાત કરવી પડે એવી હાલત આપણા દેશની છે. એક રીતે જોઇએ તો સ્વાસ્થ્યના મામલે દુનિયાની સરખામણીમાં આપણે હજુ ઘણા ‘પછાત’ છીએ! 

હમણા બ્લુમબર્ગ દ્વારા વર્લ્ડના હેલ્ધીએસ્ટ કન્ટ્રિઝની યાદી બહાર પડી. આ યાદીમાં આપણા દેશનું નામ છેક 103મા નંબરે છે. યાદ રહે, આ યાદીનો ઉપયોગ ધ યુનાઇટેડ નેશન્સ, વર્લ્ડ બેંક અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પોતાની પોલિસીઝ અને કાર્યક્રમો ઘડતી વખતે ઉપયોગ કરે છે. ભારત સુપર પાવર કન્ટ્રી બનવાનાં સપનાં જુએ છે. દેશના લોકોનું સારું સ્વાસ્થ્ય હશે તો જ આ સપનું પૂરું થવાનું છે. આપણા દેશમાં સમયાંતરે કોઇ ને કોઇ બીમારી માથું ઊંચકે છે. થોડો સમય ઊહાપોહ થાય છે અને તેના ઉપાયો માટે પણ ચર્ચા થાય છે. લાંબા ગાળા માટે જે થવું જોઇએ એ થતું નથી. 

ટીબી અંગેનો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો ‘ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ-2015’ હમણાં બહાર પડ્યો. આ રિપોર્ટમાં ભારતનું નામ સૌથી આગળ છે. ગયા વર્ષે આપણા દેશમાં ટીબીમાં નવા 9.6 મિલિયન કેસો નોંધાયા. અમુક બીમારીઓમાં તો આપણા દેશની હાલત આફ્રિકન દેશો કરતાં પણ ખરાબ છે. મેડિકલ ફેસેલિટીના નામે આપણે ત્યાં ઘણું બધું લોલમલોલ ચાલતું રહે છે. 

એક તરફ આપણા દેશમાં મલ્ટિનેશનલ કંપનીઓ ફાઇવ સ્ટાર હોટલ્સને ટક્કર મારે એવી હોસ્પિટલ્સ ઊભી કરી રહી છે તો બીજી તરફ સરકારી દવાખાનાઓની હાલત ખસ્તાહાલ છે. ફાઇવ સ્ટાર હોસ્પિટલ્સ ધનિકોને જ પરવડે તેવી છે. ગરીબો માટે તો આવી હોસ્પિટલમાં મરવાનું પણ નસીબ નથી હોતું! આપણા દેશમાં મોટાભાગે એવા જ લોકો સરકારી દવાખાનામાં સારવાર માટે જાય છે જેને ખાનગી દવાખાનામાં જવું પરવડતું નથી. સરકારી દવાખાને ગયા પછી પણ બહારની દવા લેવાનો ખર્ચ કંઇ નાનો-સૂનો આવતો નથી. 

સ્વાસ્થ્યની વાત સાથે બીજા બે મુદ્દા પણ જોડાયેલા છે. એક તો આપણે ત્યાં હજુ મેડિકલ ઇન્સ્યુરન્સ માટે જેટલી અવેરનેસ હોવી જોઇએ એટલી નથી. મેડિકલ ઇન્સ્યુરન્સને ખોટો ખર્ચ ગણવામાં આવે છે. જ્યારે બીમાર પડે ત્યારે બે છેડા ભેગા કરવામાં ફાંફાં પડી જાય છે. આ ઉપરાંત દવાની કિંમત પણ વધારે છે. એક જ કન્ટેન્ટવાળી ટેબ્લેટ અલગ અલગ ભાવે મળે છે. જે દવા બે રૂપિયાની મળતી હોય એ જ દવા બ્રાન્ડેડ કંપનીની હોય તો વીસ રૂપિયાની મળે છે! સરકાર ધારે તો આ બે મુદ્દે તો ઘણું કરી શકે એમ છે. એના માટે તો સરકારે માત્ર પોલિસી જ બનાવવાની છે, કંઇ ખર્ચ કરવાનો નથી. સવાલ દાનતનો છે. 

દુનિયાના હેલ્ધીએસ્ટ દેશોમાં સૌથી મોખરે કોણ છે? ટોપ ઉપર નામ છે સિંગાપોરનું. એ સિવાય ટોપ ટેનમાં ઇટલી, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લેન્ડ, જાપાન, ઇઝરાયલ, સ્પેન, નેધરલેન્ડ, સ્વિડન અને જર્મનીનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં સૌથી નીચે સ્વાઝીલેન્ડનું નામ છે. સૌથી ઓછા હેલ્ધી ટોપ ટેન દેશોમાં સ્વાઝીલેન્ડ ઉપરાંત લુશોટો, કોંગો, ચાડ, મોઝામ્બિક, બુરુન્ડી, મલાવી, અંગોલા, યુગાન્ડા અને કેમરોનનો સમાવેશ થાય છે. હવે આપણા પડોશી દેશોની સ્થિતિ શું છે એના ઉપર પણ નજર ફેરવી લઇએ. આપણા કરતાં આપણા બધા જ દેશોની હાલત સારી છે. 

આપણા 103મા નંબર સામે ચીન 55મા નંબરે, શ્રીલંકા 56મા નંબરે, નેપાલ 89મા નંબરે, બાંગ્લાદેશ 94મા નંબરે અને પાકિસ્તાન 100મા નંબરે છે. બ્રિટનનો નંબર ટોપ ટેનમાં ન આવ્યો એટલે ત્યાં હોબાળો મચ્યો છે. બ્રિટનનો નંબર 21મો છે. અમેરિકાનો નંબર 33મો છે. આપણે ત્યાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. જોકે આ પહેલું સુખ આપણા નસીબમાં ઓછું છે. માત્ર સારવારની દૃષ્ટિએ જ આ મુદ્દાને જોવાનો નથી. સાથોસાથ હવા, પાણી, ખોરાક અને લાઇફ સ્ટાઇલમાં સુધારાની જબરજસ્ત જરૂરિયાત છે. 

આપણા દેશમાં કોઇના કોઇ ‘વાદે’ ઊહાપોહ થતા રહે છે, એવોર્ડ્સ પરત અપાય છે અને હો-દેકારા થાય છે, જે મામલે થવું જોઇએ એ મામલે કંઇ જ થતું નથી!

કૃષ્ણકાંત ઉનડકટ

kkantu@gmail.com

 સૌજન્ય-દિવ્ય ભાસ્કર.કોમ 

 

krishnkant-unadkat

Krishnkant Unadkat,

Executive Editor,
SANDESH Daily,Vastrapur,
AHMEDABAD-380015.
Cell :09825061787.
e-mail :kkantu@gmail.com

Blog :

www.krishnkantunadkat.blogspot.com

 

આ અગાઉ વિનોદ વિહારમાં શ્રી કૃષ્ણકાન્ત ઉનડકટના ઘણા ચિંતન લેખો પોસ્ટ થયા છે. એ બધા લેખો-

આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે 

આરોગ્ય, કૃષ્ણકાંત ઉનડકટ, ચિંતન લેખ, સંકલન આરોગ્ય, કૃષ્ણકાન્ત ઉનડકટ, સંકલન

← Older posts

RSS feed

RSS આજનો સુવિચાર

  • Richard Wright
    "Men can starve from a lack of self-realization as much as they can from a lack of bread."
  • H. Jackson Brown, Jr.
    "Find a job you like and you add five days to every week."
  • George Washington
    "Happiness and moral duty are inseparably connected."

જનની – જનકને પ્રણામ

સ્વ. ધર્મપત્નીની યાદમાં ઈ-પુસ્તક

ફેસબુક પર વિનોદ પટેલ !

ઈ-વિદ્યાલય

ગુજરાતી ભાષાને નવલું નજરાણું

‘બની આઝાદ’ – ઈ બુક

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..

  • 1,340,932 મુલાકાતીઓ

નવી વાચન પ્રસાદી ..

  • વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
  • ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
  • સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
  • જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
  • ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
  • સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
  • Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
  • 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020

વાચકોના પ્રતિભાવ

અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે….
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે….
nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે….
નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ…
Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ …
ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા

વિભાગો

Follow by Email

Email address...
Submit

Join 376 other subscribers

પ્રકીર્ણ

  • રજિસ્ટર
  • લોગ ઇન
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

પૃષ્ઠો

  • અનુક્રમણિકા
  • ગુજરાતી બ્લૉગ્સ/સાઈટ્સઃ
  • ગુજરાતી ભાષાનાં પ્રચલિત પુસ્તકોની લીંક …
  • પ્રતિલિપિ પર મારી રચનાઓ
  • મનપસંદ વિભાગો
  • મારા વિશે
  • મારી ઈ-બુકો (ડાઉન લોડ)
  • મિત્રોની અને અન્ય ગમતી ઈ-બુક ડાઉનલોડ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 376 other subscribers

મહિનાવાર પોસ્ટ સંગ્રહ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 376 other subscribers
જાન્યુઆરી 2023
રવિ સોમ મંગળ બુધ ગુરુ F શનિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
« જાન્યુઆરી    

અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 376 other subscribers
Follow વિનોદ વિહાર on WordPress.com
Follow વિનોદ વિહાર on WordPress.com
Follow વિનોદ વિહાર on WordPress.com

Follow Us

↑ Top Blog at WordPress.com.
  • Follow Following
    • વિનોદ વિહાર
    • Join 376 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • વિનોદ વિહાર
    • કસ્ટમાઇઝ
    • Follow Following
    • Sign up
    • લોગ ઇન
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
 

Loading Comments...