વિનોદ વિહારના પાંચમા વર્ષની શુભ શરુઆતની પ્રથમ પોસ્ટમાં શિક્ષક દિવસે ગુજરાતના અને હવે તો દેશના આદર્શ શિક્ષક ડૉ. કિશોરભાઈ મોહનભાઇ પટેલના આજીવન સેવામય જીવન આધારિત સન્માનનીય સિધ્ધિઓ માટે ધન્યવાદ અને અભિનંદન આપતાં ખુબ હર્ષ થાય છે.
એક શિક્ષકની રાષ્ટ્રીય ગરીમાનું ગૌરવ કરનાર અને પોતાને એક આજીવન શિક્ષક તરીકે ગણાવનાર મહાન તત્ત્વવિદ અને ફિલસૂફ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધા કૃષ્ણનના જન્મ દિવસને એટલે કે ૫મી સપ્ટેમ્બરને છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.
આ દિવસે દેશમાંથી શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરતા ચૂંટેલા શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે.
મિત્ર શ્રી ગોવિંદભાઈ પટેલે જ્યારે મને ઈ-મેલમાં ખબર આપ્યા ત્યારે મને એ જાણીને ખુશી થઇ કે આ પાંચમી સપ્ટેમ્બર ૨૦૧૫ ને રોજ ” શીક્ષક દીવસે” શ્રી. કીશોરભાઇ પટેલને ‘રાષ્ટ્રીય શ્રેષ્ઠ શીક્ષક’તરીકે નું સન્માન કરવામાં આવશે .આ સમાચારથી એમના અનેક મિત્રોને મારા જેવી જ જરૂર ખુશી થશે.
૧૯૮૭ માં એમણે શિક્ષકની નોકરી સ્વીકારી એ પછી ૨૦૦૬માં પણ એમને ગુજરાત રાજ્ય તરફથી શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું રાજ્ય પારિતોષિક આપવામાં આવ્યું હતું. આજે પણ કિશોરભાઈ એક શિક્ષક જ છે. વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થાય એવા અનેક સોફટ્વેર એમણે તૈયાર કરી સેવા બજાવી રહ્યા છે.
નીચે આપેલ એમનો પરિચય જ્યારે તમે વાંચશો ત્યારે તમને જરૂર ખાત્રી થશે કે આ સન્માનનું ગૌરવ પ્રાપ્ત કરવા માટે ડો.કિશોરભાઈ પુરેપુરા યોગ્ય વ્યક્તિ છે .
ડો. કિશોરભાઈ ખુબ વિનયી છે . આપણી સંસ્કૃત ભાષાની આ ઉક્તિ એમને પૂરી બંધ બેસે છે .વિદ્યા દદાતિ વિનયમ…વિદ્યા વિનયથી શોભે છે.
સામાજીક કાર્યોમાં કિશોરભાઈએ સક્રીય ભાગ લીધો છે, એમાના થોડાક કાર્યો આ પ્રમાણે છે, બેટી બચાવો અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન, નિર્મલ ગુજરાત અભિયાન, માતૃવંદના અભિયાન, નારી તું નારાયણી અભિયાન, બાળ નિરોગી બારખડી અભિયાન, શિક્ષક દેવો ભવ અભિયાન વિગેરે.
વિદ્યાર્થોઓ વચ્ચે રહી સેવામય જીવન જીવનાર એક આદર્શ શિક્ષક તરીકેની એમની પહેચાન બનાવનાર અને એ માટે રાષ્ટ્રીય શિક્ષકનું ગૌરવ મેળવનાર શ્રી કિશોરભાઈને એમની સિદ્ધિઓ માટે આ શિક્ષક દિવસે ….
હાર્દિક અભિનંદન .
એમનો ભાવી રાહ પણ સુખ રૂપ અને નિરામય બની
રહે એવી એમને મારી
દિલી શુભેચ્છાઓ ..
દિલ્હીમાં ડો. કિશોરભાઈ પટેલને ઉત્તમ શિક્ષક તરીકેનો ભારત સરકારનો ચન્દ્રક અને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો એ પ્રસંગના કેટલાક ફોટાઓ મિત્ર શ્રી ગોવીંદભાઈ પટેલે ઈ-મેલમાં મોકલ્યા હતા એ નીચે મુકું છું.
==========================================
શિક્ષક દિવસ પર શ્રી નરેન્દ્ર મોદીનો ક્લાસ,
જાણો શુ કહ્યુ મોદીએ વિદ્યાર્થીઓને….
શિક્ષક દિવસના એક દિવસ પહેલા, શુક્રવાર , 4 સપ્ટેમ્બર 2015, ના રોજ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના માનેક શો સેંટરમાં દેશના વિવિધ રાજ્યોના શાળાના બાળકોના પ્રશ્નોના રસસ્પદ જવાબો આપ્યા હતા અને દેશના બાળકો ને સંબોધિત કર્યા હતા.
આ પ્રશ્નોત્તરી ખુબ જ રસસ્પદ રહી હતી જેમાં મોદીએ એમના જીવનના અનુભવોને પણ વણી લીધા હતા .
આ રસસ્પદ પ્રશ્નોત્તરી નો સાર વાંચવા માટે ગુજરાતી વેબ દુનિયાની વેબ સાઈટ ની નીચેની લીંક પર ક્લિક કરો.
આ આખા પ્રસંગનો યુ-ટ્યુબ વિડીયો ગઈ કાલે રાત્રે મેં મોડા સુધી જાગીને જોયો હતો એ મને ખુબ ગમ્યો હતો. આ આખા પ્રસંગનું સંચાલન જે વિદ્યાર્થીઓએ જ કર્યું હતું એ ખરેખર ધ્યાન ખેંચે એવું હતું.
PM Modi’s interaction with school children on eve of Teacher’s Day
વાચકોના પ્રતિભાવ